Friday, July 27, 2012

કોણ ભગવાનને સારી રીતે સમજે છે ?

આસ્તીક લોકો મન્દીરમાં ભગવાનના દર્શને જાય છે. આમાંથી મોટા ભાગના લોકો ભગવાન પાસે સારી નોકરી, બઢતી, પોતાના કે પોતાના દીકરા–દીકરીનાં લગ્ન, ધન્ધા રોજગારમાં પ્રગતી, પરીક્ષામાં ઉંચા ટકાએ પાસ થવા અને સારી લાઈન અને સારી કૉલેજમાં પ્રવેશ વગેરેની માંગણી કરે છે. આ બધી આર્થીક સમૃદ્ધીઓની માંગણી છે. બીજી બાજુ ભગવાન તો ન્યાયકારી છે. કર્મનું ફળ યથાયોગ્ય આપે છે. સહેજ પણ વધારે કે ઓછું નહીં. અહીં પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે, ભગવાન કર્મ કે પુરુષાર્થ કર્યા વગર ભક્તોની માંગણી પુરી કરે છે ખરા ? આનું સમાધાન મેળવવા માટે ભક્તોએ મન્દીર સાથે ધનીષ્ઠ સમ્બન્ધ ધરાવતી બે વ્યક્તી – પુજારી અને ભીખારીના વ્યવહારનું અવલોકન કરવું જોઈએ. તો જ ભક્તોને સાચી પરીસ્થીતી સમજાશે.
પુજારી ભગવાનની આરતી ઉતારી તેની થાળી, ભગવાન પાસે નહીં; પણ ભક્તો સામે–ભક્તો માટે મુકે છે. આવી જ રીતે ભીખારી ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસે માંગે છે. આ બન્ને સારી રીતે સમજે છે કે આપણા પુરુષાર્થનું ફળ ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસેથી પ્રાપ્ત થશે. ટુંકમાં, ભગવાન તો પ્રેરણા આપે છે, પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.