Wednesday, October 31, 2012

Samaj Utkarsh Volume No 576 September 2012

To read Pages 1 to 10 of Samaj Utkarsh click here 

To read Pages 11 to 20 of Samaj Utkarsh click here 


Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

2) Last couple of months wrong volume Nos are given. This month also the mistake is carried forward. Actually , The volume no. should be 576 and not 575 as mentioned on the first page of Samaj Utkarsh.

 

ક્ષમાપના પ્રસંગે વહેચવામાં આવેલ પરિપત્ર

તપસ્વીઓના નામોની યાદી , માસ ખમણના તપસ્વીઓના અનુમોદન પત્રો , વર્ધમાન તપની આયંબિલની ઓળી કરનારા જ્ઞાતિજનોની યાદી તેમ જ  ધાર્મિક શિક્ષણ પારિતોષિક વિજેતાઓની યાદી વાંચવા  અત્રે ક્લિક કરો 

ક્ષમાપના સંમેલન

ગયા રવિવારે તા ૩૦-૦૯-૨૦૧૨ના રોજ ઘાટકોપર ખાતે સમાજનુ ક્ષમાપના સંમેલન દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવાઇ ગયું.ક્ષમાપના સંમેલનનું આયોજન બહુ જ મહેનત બાદ પાર પડે છે અને આનુ આયોજન સમાજ અને યુવક મંડળ સાથે મળીને કરે છે પરંતુ તેની ફળશ્રુતિ ખરેખર નિરાશા જનક જ હોય છે. કોઇ પણ સમજદાર વિચારક આવુ આપણે શા માટે કરવું જોઇએ તેમ સવાલ કરી શકે. મનમાં ખૂંચતા થોડા દાખલાઓ જોઇએ.

૧) સ્વામિ વાત્સલ્યમાં જમવા માટે જ્ઞાતિજનોની હાજરી ૬૫૦ જેટલી હોવા છતાં ક્ષમાપના પ્રસંગે માંડ ૨૦૦-૨૨૫ વ્યક્તિઓ હાજર હોય તે શા માટે ? આ એક વર્ષે જ આવું થયું છે એવું નથી.વર્ષાનુંવર્ષ આવું જ થતું આવે છે.  જે કાર્ય માટે આપણને આમંત્રણ આપવામાં આવ્યુ છે તેને સદંતર અવગણીને ફકત જમવા માટે જઇએ તો આપણને એવું લાગે કે આ ક્ષમાપના સંમેલન નથી પરંતુ ભૂખ્યાને ભોજન સમારંભ છે. પ્રસંગની ગરિમા સાચવવાનો વિચાર સુધ્ધા કોઇ કરતું નથી અને બેફિકરાઇથી જમી જમીને સૌ પોતપોતાના ઘરે જતું રહે તે કેટલું કઢંગુ લાગે તેનો વિચાર સુધ્ધા કોઇ કરતું નથી.

૨) તપસ્વીઓનું બહુમાન કરવાનું હોવા છતા ૬૦ % તપસ્વીઓ ગેરહાજર હોય અને તેઓના બદલે તેમના ઘરવાળા કે સગા સંબંધી સન્માન પત્ર લઇ જાય તો તેને સન્માન કહી શકાય ? આપણા સન્માનની આટલી જ કિંમત હોય તો તે કરવું જોઇએ ? કરવું જ હોય તો જમણવાર વખતે જ  એક કાઉંટર ખોલી ત્યાથી જ થેલીઓ આપી દઇએ તો ચાલે કે ?

૩) તપસ્વીઓ અને તેમના સગા સંબધીઓ સુધ્ધા મોટી મોટી તપસ્યાઓ કરીને આવ્યા  હોવા છતાં તેમને પણ તપસ્યાનો મહિમા હોતો નથી કારણ કે પોતાનું બહુમાન થઇ જાય એટલે તપસ્વી અને તેની સાથે આવેલ મિત્ર સમુદાય પણ ચાલતી પકડે છે. આથી જેમનું નામ છેલ્લે બોલાય તેમને જોવા વાળુ પણ કોઇ હોતું નથી ત્યારે તાળીની આશા કેમ રાખી શકાય ?

૪) આ જાતની વર્તણૂકથી સમાજ અને યુવક મંડળના સભ્યોને આભાર વિધી કરવાનો અવસર પણ મળતો નથી કારણ કે આભાર વિધી સાભળવા માટે જાજમ અને ખુરશી સપ્લાયરના મજુરો સિવાય કોઇ હોતુ જ નથી.

૫) આપણા સમાજની એક ખૂબી છે કોઇ પણ કાર્યની છેલ્લી તારીખ બાદ ૨૦-૨૫ જણા તેમના નામ લઇને કાર્યકરો પાસે પહોંચી જાય અને કાર્યકરો પણ તેવા નામો સ્વિકારતા જાય એટલું જ નહિ પરંતુ પ્રસંગને દિવસે સુધ્ધા કોઈ કોઈ જ્ઞાતિજન પોતાની વિગતો લઇને પહોંચી જાય અને પારિતોષિક કે બહુમાન પત્ર મેળવવાનો તેમનો હક્ક હોય તેવી રીતે માંગણી કરે. શિસ્તના સંપૂર્ણ અભાવને લીધે પછી ગોટાળા થાય અને ગેરવ્યવસ્થા બદલ ટીકા થાય પરંતુ પોતાનુ મોઢું અરિસામાં કોઇને જોવુ ન હોય. સમાજ  અને યુવક મંડળે પણ આ બાબત કડક પગલા લેવા જોઇએ અને આપેલ તારીખ બાદ આવેલ કોઇ પણ અરજી સ્વિકારવી ન જોઇઐ.  ક્ષમાપના સંમેલનમાં પણ ૧૨૫ નામ છપાયા હતા પરંતુ તે ઉપરાંત બીજા ૧૫-૨૦ નામ બીજા પણ ઉમેરવામાં આવેલ હતા.

૬) સમાજ કે યુવક મંડળ દ્વારા અપાતા પ્રમાણ પત્રની કિંમત શું છે ? તેની ઉપયોગિતા શું ? તે ક્યાં કામ લાગે ? તેનો જવાબ નથી કારણ કે તેની કોઇ જ વજુદ નથી. આવા પ્રમાણ પત્રો જે એક પણ રીતે ઉપયોગમાં આવી શકે તેમ નથી તેવા એકને બદલે બે પ્રમાણ પત્રો આપવાની શું જરૂર ? શું આપણે દાતાને આ વાત સમજાવી ન શકીયે ? શું તેમને તેમના દાનનો ઉપયોગ બીજી રીતે કરવા ન સમજાવી શકાય ?


બદલતા સમય સાથે આપણે બદલાવું જ જોઇએ નહિતર આપણે એકલા પડી જઇશું અને પાછળ રહી જશું. આવતા સમયને ઓળખીશુ નહી તો ભવિષ્યની પ્રજા આપણા ઉપર જરૂરથી હસસે.

સરદાર વલ્લભભાઈ-વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમૉરિઅલ – મૃગેશ શાહ



પ્રવાસ માટેનો ઉત્તમ સમય એટલે ઉનાળુ વેકેશન. આ દિવસોમાં મોટાભાગના પરિવારો નાના-મોટાં પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. આ આયોજનોમાં વોટરપાર્ક અને સાયન્સ સીટીનો સમાવેશ થતો હોય છે. મનોરંજન અને જ્ઞાન-વિજ્ઞાનના હેતુથી આપણે આ પ્રકારના સ્થળોની મુલાકાત લઈએ તે સારું છે પરંતુ ક્યારેક સાવ જુદા પ્રકારના પ્રવાસનું આયોજન કરીને આપણી અગાઉ થઈ ગયેલા ઉત્તમ મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરવાની તક ઝડપી શકાય છે. એ રીતે આપણે આપણાં બાળકોને ઉત્તમ ચારિત્ર્યના પાઠ શીખવી શકીએ છીએ. આપણી આસપાસના પ્રદેશમાં થઈ ગયેલા મહાન માનવીઓના જીવન વિશે તો આપણે નજીકથી જાણવું જ જોઈએ.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમનું અપ્રતિમ યોગદાન છે એવા ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદ, આણંદથી આશરે સાત કિ.મી.ના અંતરે આવેલી છે. ત્યાંના ‘સરદાર વલ્લભભાઈ પટેલ – વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમૉરિઅલ’ની મેં લીધેલી તાજેતરની મુલાકાત વિશે આજે વાત કરવી છે.

સરદારની જીવનકથા ‘બરફમાં જ્વાળામુખી’ લખનાર સાહિત્યકાર શ્રી મહેશભાઈ દવે લખે છે કે લાક્ષણિક ભારતવાસી તરીકે મોટા થવું હોય તો ગામડામાં ઊછરવું જોઈએ. ભારત ગામડામાં વસે છે, શ્વસે છે. આજે પણ કરમસદ જાઓ તો ગામડાની ફોરમથી આંખ-નાક ભરાઈ જાય, હૈયું ઊભરાઈ જાય, તળપદો પ્રેમ સમજાઈ જાય. આજથી દોઢસો વર્ષ પહેલાં તો કરમસદ સાવ ગોકુળિયું. ખુલ્લાં ઘર, ફળિયાં ને ખેતરની વિશાળ મોકળાશ. કોઈ બહુ અમીર નહીં, કોઈ સાવ કંગાળ નહીં; ન કોઈ મોટું, ન કોઈ છોટું. બધાં સરખેસરખાં. છોકરાં સરખે-સરખાં થઈને રમે, ભમે, ઝઘડે; આંબા-આંબલી ચડે, પડે; એકબીજાને તળાવમાં ધકેલે, એકબીજાને કામમાં હાથ દે; ખડખડાટ ખુલ્લું હસે અને હસાવે. છલક છલકાતું ઉલ્લાસ અને ઉત્સાહનું તંદુરસ્ત અને મનદુરસ્ત વાતાવરણ. આવા ગ્રામ-પરિવેશમાં વલ્લભભાઈનું અહીં ઘડતર થયું….’ વલ્લભભાઈ અહીં સાત ચોપડી સરકારી શાળામાં ભણ્યા. એ પછી તેઓ પેટલાદ ભણવા ગયા. આ ભૂમિમાં રહીને તેમનામાં કૂશળ નેતાગીરીનું સિંચન થયું. તેઓ સ્પષ્ટ અને ધારદાર વક્તા તથા ઊંડી કોઠાસૂઝ ધરાવનાર વિરલ માનવી બન્યા. સ્વતંત્ર ભારતના નિર્માણ માટે અદ્વિતિય કાર્ય કર્યું. તેઓ નાનામાં નાના માણસની સંભાળ રાખવાનો ખૂબ પ્રયત્ન કરતા. ખેડૂતો અને સામાન્ય માણસોના હક માટે તેમણે અને તેમના ભાઈ શ્રી વીર વિઠ્ઠલભાઈએ આજીવન કામ કર્યું. શ્રી વીર વિઠ્ઠલભાઈ સ્વતંત્ર ભારતના પ્રથમ સ્પીકર હતા. તેઓ બે વખત મુંબઈના મેયર પદે રહી ચૂક્યા હતાં. સ્વતંત્રતાની ચળવળમાં તેમણે આપેલું યોગદાન આ ભૂમિને ગૌરવ અપાવે એવું છે.

આ ભૂમિમાં જન્મેલા આ બંને મહાનુભાવોની સ્મૃતિમાં કંઈક બનવું જોઈએ – એવો વિચાર કરીને સૌપ્રથમ 1964માં શ્રી મોરારજીભાઈ દેસાઈ, બળવંતરાય મહેતા, ત્રિભુવનદાસ પટેલ તથા ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં કરમસદ ખાતે ‘સરદાર વલ્લભભાઈ પટેલ મેમૉરિઅલ ફંડ’ની રચના કરવામાં આવી. એ પછી મોડેથી શ્રી એચ. એમ. પટેલ અને ઉદ્યોગપતિ શ્રી જે.વી. પટેલની હાજરીમાં એક જુદા ટ્રસ્ટની રચના કરવામાં આવી, તેને ‘સરદાર પટેલ ટ્રસ્ટ’ એવું નામ અપાયું. તેની રચના 1975માં થઈ. શ્રી એચ.એમ. પટેલ કહેતા કે વીર વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈનું યોગદાન ભૂલાઈ જવું ન જોઈએ અને તેથી જ આ બંને ભાઈઓનું સંયુક્ત મેમૉરિઅલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે કરમસદની મ્યુનિસિપાલિટીએ ચાર એકર જમીન આપી. અન્ય વધુ જમીન ટ્રસ્ટે સંપાદિત કરી. જમીન મળ્યા બાદ સૌપ્રથમ આખો પ્લોટ એકથી છ ફૂટ ઊંચો લેવામાં આવ્યો. મેમૉરિઅલનું બાંધકામ જમીન કરતાં સાત ફૂટ ઊંચું રાખવામાં આવ્યું જેથી પ્રવેશદ્વારથી તે સ્પષ્ટ રીતે જોઈ શકાય. તેની બંને બાજુ વિશાળ ઉદ્યાનની રચના કરવામાં આવી. આ રીતે તૈયાર થયેલા મેમૉરિઅલને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 125મી જન્મજયંતિના રોજ તા. 11 એપ્રિલ, 2000ના દિવસે ભૂ.પૂ.વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેયીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.









આ વિશાળ મેમૉરિઅલના મુખ્ય દરવાજે પગ મૂકતાં જ ચોતરફ ફેલાયેલી લીલોતરી આંખોને ઘેરી વળે છે. સુંદર મજાના નાળિયેરીના વૃક્ષો, ગુલમહોર અને વિવિધ રંગના ફૂલોથી આખું પરિસર મઘમઘે છે. વૃક્ષની છાયામાં નાનકડા સ્પીકરો લગાડવામાં આવ્યા છે, જેમાંથી આશ્રમ ભજનાવલિના પદોનું સંગીત રેલાય છે. બંને તરફ ફેલાયેલા આ બગીચાની વચ્ચે રંગીન ફુવારો છે. મેમૉરિઅલમાં પ્રવેશ કરતાંની સાથે જ સરદાર વલ્લભભાઈ અને વીર વિઠ્ઠલભાઈના ફૂલોથી સુશોભિત બાવલાં નજરે ચઢે છે. તેની જમણી બાજુ વિશાળ ઓડિટોરિયમ આવેલું છે. આ ઓડિટોરિયમની બાંધણી વિશિષ્ટ પ્રકારની છે. આશરે 510 માણસો બેસી શકે તેવા આ ઓડિટોરિયમમાં અનેક વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અત્યાધુનિક ઓડિટોરિયમમાં પ્રોજેક્ટરની પણ વ્યવસ્થા છે. આ જ ઓડિટોરિયમની પાછળ સેમિનાર રૂમ આવેલો છે. જેમાં આશરે 50 વ્યક્તિઓ એક સાથે મિટિંગ કરી શકે તેવી સુવિધા છે. સ્મારકની ડાબી તરફથી ગોળાકારે આખા હોલમાં શ્રી વલ્લભભાઈ અને શ્રી વિઠ્ઠલભાઈના જીવનની ઝાંખી કરાવતા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન જોવા મળે છે. તેમાં મુખ્યત્વે તેમનું બાળપણ, પરિવારજનો સાથેનું કૌટુંબિક જીવન તથા ગાંધીજી સાથેના સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી થાય છે. જન્મથી લઈને અંતિમ દર્શન સુધીના તેમના ઘણા દુર્લભ કહી શકાય તેવા ફોટાઓ અહીં જોવા મળે છે. વલ્લ્ભભાઈના પૂર્વજોની વંશાવલિ જોઈ શકાય છે. આ રીતે વલ્લભભાઈના અંગત જીવનનો ઘણો પરિચય મળી રહે છે.




આ મેમૉરિઅલમાં ‘મ્યુઝિયમ’નો એક અલગ વિભાગ ઊભો કરવામાં આવ્યો છે. તેમાં વલ્લભભાઈ જે જે વસ્તુઓ વાપરતાં હતાં તે અમૂલ્ય ચીજવસ્તુઓને સંગ્રહિત કરવામાં આવી છે. આ ચીજવસ્તુઓમાં તેમનાં પગરખાં, ખડિયો-કલમ, હસ્તલિખિત પત્રો વગેરેનો સમાવેશ થાય છે. વલ્લભભાઈના પિતાશ્રી ચૂસ્ત સ્વામીનારાયણ ધર્મ પાળતાં હતાં. વલ્લભભાઈને તેમના પિતાશ્રીએ ભેટ આપેલ ગ્રંથને અહીં સાચવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના નામે પ્રકાશિત થયેલ ટપાલ ટિકિટ તથા અન્ય ચીજવસ્તુઓ અહીં જોવા મળે છે. શ્રી વલ્લભભાઈને અપાયેલ ભારત-રત્ન એવોર્ડ તથા લોર્ડ માઉન્ટબેટને તેમને આપેલ ટી-સેટ જોઈ શકાય છે. આ ઉપરાંત, વલ્લભભાઈએ ભારતના બંધારણ પર સહી કરતી વખતે જે શાલ ઓઢી હતી તે અહીં મૂકવામાં આવી છે. આ શાલ શ્રી વલ્લભભાઈના પૌત્ર શ્રી બીપીનભાઈ. ડી. પટેલ દ્વારા ‘સરદાર પટેલ ટ્રસ્ટ’ને સુપ્રત કરવામાં આવી છે. તેઓ કાંતતા હતા તે રેંટિયો અહીં મૂકવામાં આવ્યો છે. ભારત સરકારે નમૂનારૂપ તૈયાર કરેલ 100રૂ. અને 50 રૂ.ના સિક્કાઓ તથા 1947માં ટાઈમ મેગેઝિને સરદારશ્રીના વિશે પ્રકાશિત કરેલ વિશેષ લેખ અહીં જોઈ શકાય છે.





અહીં પુસ્તક વેચાણ કેન્દ્ર છે જેમાં સરદારશ્રીના જીવન વિશે તથા અન્ય મહાપુરુષોના જીવનકાર્ય વિશેના પુસ્તકો મળી રહે છે. મેમૉરિઅલની ભોંયતળિયે વિશાળ લાઈબ્રેરી છે જેમાં તમામ નવા સામાયિકો અને ‘ગાંધીજીનો અક્ષરદેહ’ જેવા જરૂરી પુસ્તકો ઉપલબ્ધ છે. અભ્યાસુઓ, જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ કે સંશોધકો તેનો ઉપયોગ કરી શકે છે. અહીં પ્રોજેક્ટર દ્વારા વલ્લભભાઈના જીવન વિશેની 30 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવે છે.

આમ, કરમસદ ખાતે આવેલું આ મેમૉરિઅલ ખરેખર જોવાલાયક છે. ખાસ કરીને, બાળકો-કિશોરો ટીવી પર પેસિફિક મહાસાગરની માછલીઓ જોઈને કોરું જ્ઞાન વધારવાને બદલે ઋષિકર્મ કરનાર આવા મહાનુભાવોના જન્મસ્થાનની મુલાકાત લેશે અને તેમના જીવનકર્મને નજીકથી જોશે તો જીવનમાં પોતાનો આદર્શ નક્કી કરી શકશે. આપણે સૌ વિવિધ પ્રવાસોની સાથે ક્યારેક આ રીતે મહાનુભાવોના જન્મસ્થાનની મુલાકાત લેવાનું શરૂ કરી શકીએ તો કેટલું સારું !
આ સ્થળની મુલાકાત લેવા માટે સંપર્કની વિગત  આ પ્રમાણે છે :
સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમૉરિઅલ
આણંદ-સોજિત્રા રોડ,
શ્રી કૃષ્ણ હોસ્પિટલની પાસે,
કરમસદ-388325.
ફોન : +91 2692 223005 / 223006
વેબસાઈટ : www.sardarpateltrust.org

Tuesday, October 30, 2012

Tree Relocation Made Easy

The transplanting of a tree using an ingenious truck-mounted tree spade near Melbourne, Australia.  
  A truck mounted tree spade is used to dig out the root ball and tree, lifting and tilting each tree onto the back of the truck for safe transportation to its new location.   Music: "Caper" by Gurdonark 


Monday, October 29, 2012

સન્તોને બગાડવાનું બન્ધ કરો- ગુણવન્ત શાહ

       મારા તાબામાં રહેલી સધળી નીખાલસતા નીચોવીને મારે કહેવું છે: ‘‘હે હીન્દુઓ ઉઠો, જાગો અને સન્તોને બગાડવાનું બન્ધ કરો.’’ અજ્ઞાની પ્રજા કદી ધાર્મીક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હીન્દુઓની શક્તી અપાર છે.
         કોઈ પણ માણસને સન્ત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વીરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હીસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મીક હોય છે; તેથી ઑડીટમાં પણ વાંધો આવતો નથી. ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રીયજનો હોય છે. કહેવાતા સન્ત બહારથી અલીપ્ત હોય છે; પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના  પી.આર.ઓ. ઈમેજ  બીલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લમ્પટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મીક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધીકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા;  તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે છે. તેઓ શક્તીપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું, સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું, આશ્રમના અજવાસ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હીન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.
        કોઈ કહેવાતા લોભાનન્દજી કે લમ્પટેશ્વર કે મોહાનન્દજીને પનારે પડનારી અન્ધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનીષદ’ નથી વાંચતી. હે હીન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીને છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યે રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજા અરમાનોનો મેળ પાડવો પડશે. અન્ધશ્રદ્ધાની આરતી ઉતારવાનું બન્ધ કરવું પડશે. અશ્વમેધ જેવા બોગસ યજ્ઞો બન્ધ કરવા પડશે. અસ્પૃશ્યતા નાબુદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દુર કરવું પડશે. વીધવાઓની અવદશા દુર કરવી પડશે. આશ્રમોનો અને મન્દીરોનો કચરો, માનસીક કચરો અને આર્થીક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવવું પડશે. નવી સદી, વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફીલ્મ ‘જુએ’  છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !
        રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ જરુર સૌએ વાંચવું જોઈએ; પરન્તુ વાંચીને પણ આપણા વીવેકને ગીરવે મુકવાનો નથી. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નીર્માલ્ય પ્રજાને કેશવાનન્દ ન મળે તો શું વીવેકાનન્દ મળે ? હીન્દુઓ ક્યારે જાગશે ? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું ? એ બીચારી મુલ્લાગ્રસ્ત છે ! બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં; બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચક્ચક્તો કરવાનો છે.

Sunday, October 28, 2012

Slow Motion Shark Attack (1080p HD)

 Using a decoy bait, a camera crew captures Great White Sharks jumping out of the water in high-definition slow motion as they attack their 'meal'.   

Camera: Phantom High Speed Camera, capable of recording up to 1,000,000 frames per second.
Credits: Discover Channel "Shark Week" 



Saturday, October 27, 2012

પ્રેમ હાસ્યકોશ (ભાગ 1)– સં. પી. પ્રકાશ વેગડ


[ ચબરાકિયાંનો અંગ્રેજી અર્થ થાય છે ‘એપિગ્રેમ્સ’. એપિગ્રેમ એટલે ચબરાક અને અર્થમાધુર્ય ધરાવતા વિચારોની અલ્પતમ શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ. ‘પ્રેમ’ તત્વને અનુલક્ષીને આવા કેટલાક ચબરાકિયાં ‘પ્રેમ હાસ્યકોશ’ નામના આ પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. તેમાંથી કેટલાક સાભાર માણીએ. ]

[1] કુંવારા લોકો પર બમણો ટેક્સ નાખવો જોઈએ, કેમ કે એવા થોડાક લોકો બીજા કરતાં વધારે સુખ માણે, એ તો ઉચિત ન ગણાય ! (ઑસ્કર વાઈલ્ડ – આઈરિશકવિ, નાટ્યકાર અને હાસ્યસર્જક, 1854-1900)

[2] અપરિણીતોનું જીવન એક સરસ બ્રેકફાસ્ટ છે, પણ નીરસ લંચ અને દયાજનક ડિનર. (લ બ્રૂયેર – ફ્રેન્ચ લેખક અને નીતિવેત્તા, 1645-96)

[3] મૂર્ખાઓ અને અવસાન પામેલા લોકો પોતાના અભિપ્રાયો કદી બદલતા નથી. (જેમ્સ રસેલ લૉવેલ – અમેરિકન કવિ અને વિવેચક, 1819-91)

[4] વ્યક્ત થયા વગર મૃત્યુ પામતા પ્રેમ જેટલો સાચો અન્ય કોઈ પ્રેમ નથી હોતો. (ઓલિવર વેન્ડલ હોલ્મ્સ – અમેરિકન કવિ, નવલકથાકાર અને હાસ્યસર્જક, 1809-94)

[5] સ્ત્રી પોતાના પ્રેમીને જે કહે, તે પવન અને પ્રવાહિત જળમાં લખવું જોઈએ. (કેટુલસ – રોમન કવિ, ઈ.પૂર્વે 87-54)

[6] યુવાનીના દિવસોમાં મેં નિશ્ચય કર્યો હતો કે કોઈ આદર્શ યુવતી નહિ મળે ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. થોડા વર્ષો બાદ મને એવી યુવતી મળી, પણ એ આદર્શ પતિની શોધમાં હતી. (માઈકલ સાયમન – અમેરિકન લેખક)

[7] માનપૂર્વક જીવનયાપન કરવાનો સૌથી નાનો અને ઉત્તમ ઉપાય એ છે કે આપણે અન્ય લોકોની સામે જેવો દેખાવ કરવા ઈચ્છીએ છીએ, એવા બનીએ પણ ખરા. (સૉક્રેટીસ – ગ્રીક ફિલસૂફ ઈ. પૂર્વે 469-399)

[8] પ્રેમમાં આંસુનો લેપ કરવામાં આવે ત્યારે પ્રેમની મધુરતા ઉચ્ચ શિખરે પહોંચી જાય છે ! (વૉલ્ટર સ્કૉટ – સ્કોટિશ કવિ અને નવલકથાસર્જક, 1771-1832) 

[9] માણસની અડધી ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય, તો એની મુશ્કેલીઓ બેવડાઈ જાય છે ! (બેન્જામિન ફ્રેન્કલિન – અમેરિકન ફિલસૂફ અને રાજનીતિજ્ઞ, 1706-90)

[10] પ્રેમની અવળચંડાઈ પર રમૂજ કરતાં ગાલિબે કહ્યું છે :
‘ઈશ્ક સે તબિયતને જીસ્ત કા મઝા પાયા;
દર્દ કી દવા પાઈ, દર્દ બેદવા પાયા !’
(પ્રેમને કારણે જીવનનો આનંદ મળ્યો, દુઃખની દવા મળી અને દવા ન થઈ શકે એવું દુઃખ મળ્યું !)
(ગાલિબ – ફારસી અને ઉર્દૂ શાયર, 1797-1869)

Friday, October 26, 2012

Death



   


Native : Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased : Pravinbhai Ratilal Mehta
Age : 67 Years
Date of Death : 24-10-2012
Wife : Kishoriben
Father : Late Ratilal Bhaichand Mehta
Father-in-Law  :Naranji Velji Shingde
Brothers : Late Sevantilal, Late Kevalchand, Sukhlal, Lalitbhai, Dilipbhai
Sister : Majulaben Indulal Parekh 
Brother-in-Law : Purushottambhai
 
May his soul rest in eternal peace
મોરબી નિવાસી સ્વ. રતિલાલ ભાયચંદ મહેતાના પુત્ર ચિ. પ્રવિણભાઈ (ઉં. વ. ૬૭) બુધવાર, ૨૪-૧૦-૧૨ના ઘાટકોપર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે કિશોરીબેનના પતિ, સ્વ. સેવંતીલાલ, સ્વ. કેવળચંદ, સુખલાલભાઈ, લલીતભાઈ, મંજુલાબેન ઈન્દુલાલ પારેખ, દિલીપભાઈના ભાઈ તે નારણજી વેલજી શીંગડે, પુરુષોત્તમભાઈના જમાઈ-બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠેઃ ૧લે માળે, રામેશ્વર બિલ્ડિંગ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈ.). ચક્ષુદાન કરેલ છે.

Awesome And Amazing (2012)

A selection of some of the most awesome and amazing video clips featuring cars, golfers, kite surfers, a kangaroo, baby polar bears, dolphins, fireworks and more! 



Thursday, October 25, 2012

આઝાદી….બંધનોની ! – ડૉ. નલિની ગણાત્રા



[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.]
વૅકેશન ટૂરમાં આપણે કુલુ-મનાલી જઈએ એટલે શરૂઆતનાં પાંચ-સાત દિવસ તો યાહુ યાહુ થઈ જઈએ. મોટેથી બબડીએ પણ ખરાં કે કા…યમ આમ જ ઘરની બહાર રહીને લહેર કરવાની હોય તો કેવા જલસા પડી જાય ! પણ અઠવાડિયા પછી ધીરે ધીરે અહખ થવા માંડે. રસોડું ને પાણિયારું યાદ આવવા માંડે. કામવાળીનો કકળાટ અને ઑફિસનો બોસ યાદ આવવા માંડે.

એવું જ આઝાદી પછી થયું. સ્વતંત્રતાનો સૂપ પી લીધા પછી ફરી ગુલામીની ભૂખ ઊઘડી. પણ હવે અંગ્રેજોને ગોતવા ક્યાં ! અને તેઓશ્રી ફરી પાછા આપણને ગુલામ તરીકેય રાખશે કે કેમ, એ બાબતે પણ શંકા હતી. એટલે પછી માણસોએ જાતે જ જાતજાતનાં બંધનો શોધી કાઢ્યાં. કોઈ ધર્મના બંધનમાં બંધાયા તો કોઈ વિચારોના બંધનમાં બંધાયા. કોઈ સ્વભાવના બંધનમાં તો કોઈ સગવડના બંધનમાં. કોઈ પ્રેમના બંધનમાં બંધાયા તો કોઈ પૈસાના બંધનમાં બંધાયા. આમ દરેકે પોતપોતાનાં સ્વતંત્ર બંધનો ઊભા કર્યાં ત્યારે હાશકારો થયો !

આ બધા પાછા બંધનોનુંય ગૌરવ લે ! હું…..ઉં….ઉં….તો પાંચના ટકોરે ઊઠી જ જાઉં ! નવના ટકોરે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું. એને ટકોરાનુંય બંધન અને બંધનનુંયે ગૌરવ ! ઊઠ્યા પછી હરામ છે, ઉલ્લેખ કરવા જેવું એકેય કામ મૂળચંદ કરતો હોય ! ઈ જાગવા માટે જ ઊંઘતો હોય, અને ઊંઘવા માટે જ જાગતો હોય એવું લાગે આપણને ! આમ કેટલાંક ચુસ્ત નિયમિતતાના સ્વભાવવાળા હોય, તો કેટલાક વળી આજીવન બાધાઓમાં બંધાયેલા રહે. દૂધ, ઘી અને ગોળ ભગવાને બધા લેવા માટે જ બનાવ્યાં હોય એમ એનો ખાવા કરતાં તો બાધામાં વધારે ઉપયોગ કરે !

કેટલાંક વળી વિચારોના બંધનમાં અટવાયા કરે ! એમને બીમારી જ વિચારવાયુની. ઈ આખો દિવસ એમ જ વિચારતા હોય કે લોકો મારા માટે શું વિચારતાં હશે ! અબે, વાયુ કી ઔલાદ, લોકો પાસે સ્વવિચાર માટેય સમય નથી એ તારા વિચાર માટે સમય વેડફતા હશે ? આમ એના વિચારોય આપણને વાયુ કરે એવા હોય. ધર્મના બંધનમાં બંધાયેલા તો વળી એરટાઈટ ચુસ્ત હોય ! ‘હું તો નાહ્યા વગર માટલાને ન અડું !’ જાણે માટલું એના સ્પર્શ વગર મુરઝાઈ જવાનું હોય ! અરે, માટલું તો તારા કરતાંય ચુસ્ત છે બેની ! ઈ’તો તું નહાઈ હોય તોય તને ન અડે, શું ?

જે નહાયા વગર માટલાને ન અડે એ નહાયા વગર ખાય-પીવે તો શાનાં ? મારું ઊંધું છે. હું ખાધાપીધા વગર નહાતી નથી. અને મારો આવો ચુસ્ત અધર્મ જાણ્યા પછી ચુસ્તધર્મીઓ હવે નહાયા પછી મારું મોઢું જોતાં નથી બોલો ! મારે કેટલી શાંતિ ! પ્રેમ એકમેકને બાંધી રાખે છે, પણ પ્રેમનું બંધન ન હોવું જોઈએ. ‘દેવદાસ’ એ પ્રેમના બંધનનું વરવું દષ્ટાંત છે. એક ‘પારો’ના જ પ્રેમના બંધનમાં બંધાયો એમાં દારૂ પીને સડી જવાનો વારો આવ્યો. ‘બંધાય એ ગંધાય’ એના કરતાં ‘જબ ભી કોઈ લડકી દેખું…’ જેવું રાખ્યું હોત તો દેવદાસને દારૂનો ખર્ચો અને જિંદગી બેય બચી જાતને ?! ખૈર, પ્રેમના બંધન કરતાંય પૈસાનું બંધન ખતરનાક છે. મારું ચાલે તો હું બધી બૅન્કોને ટેન્કોથી ઉડાડી દઉં ! બૅન્કોએ જ વહેતા પૈસાને રોકી દીધા છે. માણસ પાણીપૂરી ખાવા માટેય એફ.ડી. પાકવાની રાહ જુએ ! ફિક્સ પાકે એ પહેલાં તો ગંગાજળનો ઘરાક થઈ જાય !!! માણસે સુખ માટે સગવડો ઊભી કરી અને પછી સગવડનો ગુલામ થઈ ગયો. શિયાળામાં હીટર-ગીઝરનું બંધન અને ઉનાળામાં કૂલરનું બંધન.

જગતમાંથી એક આઝાદ વ્યક્તિ શોધી આપનારને મારા બધા રીસર્ચ પેપર ફ્રીમાં આપ્યા બોસ, જાવ ! કારણ કે આઝાદ તો કોઈ પણ દેશ જ થાય છે, દેશવાસી નહીં ! ગુલામ દેશ સ્વતંત્ર થાય તો અલગ બંધારણની જોગવાઈ કરે છે. બંધારણ શબ્દ જ બંધનનું એંધાણ આપે છે ! એક સાદી જ વાત લો ને ! આપણે આઝાદ થઈ ગયા છીએ એ રીમાઈન્ડ કરાવવા વર્ષમાં બે દિવસ રજા આપવામાં આવે છે, પણ ખુદ સ્વાતંત્ર્યદિને જ ‘ધ્વજવંદન’નું બંધન હોય છે ! ફિલ્મ ‘ખૂબસૂરત’નું એક ખૂબસૂરત ગીત છે : ‘સારે નિયમ તોડ દો, નિયમ પે ચલના છોડ દો…’ ઈન્કલાબ ઝિંદાબાદ, ઈન્કલાબ ઝિંદાબાદ ! ઝંડો ડંડાના બંધનમાંથી મુક્ત થાય છે ત્યારે જ લહેરાઈ શકે છે. બંધાયેલો હોય ત્યાં સુધી નહીં !

‘મન ભી તુમ્હારા હૈ, વિચાર ભી તુમ્હારે હૈ,
પૈસા ભી તુમ્હારા હૈ, દિલ ભી તુમ્હારા હૈ

ઈન પર કિસીકી હુકૂમત નહીં ચલતી,
ખુદકી હુકૂમત ઉઠા દો ઔર એશ કરો !’

Tuesday, October 23, 2012

સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે! -ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકાના સુપ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ‘ધી ન્યૂયોર્ક ટાઇમ્સ’ના કટારલેખક અને પત્રકાર રસેલ બેકરે પોતાની આત્મકથા લખી છે. કથા તો એક ગરીબ કિશોર સંઘર્ષ કરતાં કરતાં કઇ રીતે અખબારી કારકિર્દીનાં ઊંચાં પગથિયાં ચઢે છે તેની છેપણ માત્ર તે કારકિર્દીની કથા નથી, જિંદગીની કથા છે. એકદમ વાસ્તવિક છે અને છતાં અત્યંત રમૂજી. રસેલ બેકરે પોતાની આત્મકથા કંઇક આવી રીતે શરૂ કરી છેઃ મારી માતાને ગુજરી ગયાંને તો વર્ષો વીતી ગયાં છતાં તે હજુ મારા મનમાં વિહરતી રહે છે. સ્વપ્નો અને પરોઢના સંધિકાળે તે મને ઢંઢોળે છે! ‘એ આળસુના પીર! ઊઠ, કામે લાગ! મને મેદાન છોડીને ભાગે એવો દીકરો ના ગમે! તું એવું ના કરીશ!’ મેં અહીં ભાવાર્થ આપ્યો છે, શબ્દશઃ ભાષાંતર કર્યું નથી. અમેરિકાની મોટી આર્થિક મંદીનો એ સમયગાળો હતો ત્યારે દરેક અમેરિકનનો આદર્શ જાણે સફળતા, મહત્ત્વાકાંક્ષા, ભૌતિક સમૃદ્ધિ, સામાજિક દરજ્જાની સીડી ઉપર ઊંેચાંમાં ઊંચાં પગથિયાં પર પહોંચી જવું એ હતો. રસેલ બેકરની ગરીબમહેનતુ અને મહત્ત્વાકાંક્ષી માતા પણ પુત્રને એ જ રાહ ચીંધે છે અને તેને આગળ ધકેલવા મથે છે પણ રસેલ બેકરે અહીં વ્યવસાયી જીવનની સફળતાની કથા આલેખી નથીવ્યક્તિ અને કુટુંબના જીવનની સાચી કથા કહી છે.
વારંવાર માતા ડોકાયા જ કરે છે. વારંવાર પુત્રની સામે માતાના શબ્દો અને સંકેતો પથદર્શક ચિહ્નો બનીને ખડા રહે છે. ખરેખર જિંદગીમાં આવું જ બને છે. આમાં કોઇ ભૂતપ્રેમની વાત નથી કે પરલોક સીધાવેલી વ્યક્તિ સાથે સંપર્ક સાધવાની વાત જ નથી. વાતો મૃતક વ્યક્તિ પોતાના પ્રિયજનોના મનમાં, જીવનમાં સૂક્ષ્મ હાજરીરૂપે કઇ રીતે ઊભરાતી રહે છે અને એને કઇ રીતે પ્રેરણાદોરવણી આપે છે તેની છે.

આ અનુભવ કંઇ માત્ર રસેલ બેકરનો નથી. ઘણા બધા માણસોને આવો અનુભવ થતો રહે છે. થોડાં વર્ષો પહેલાં એક સુશિક્ષિત બહેને મને કહ્યુંઃ ‘જીવનમાં કોઇ વાર ગૂંચ આવે છે ત્યારે ગમે તેટલા વિચાર કરું તો પણ તેનો કંઇ ઉકેલ સૂઝતો નથી. પછી એવું બને છે કે મને સ્વપ્ન આવે છેસ્વપ્નમાં મારા મૃત પિતાને હું જોઉં છું અને મને કંઇક સંદેશો આપે છે. આ સંદેશામાં મારી ગૂંચનો ઉકેલ હોય છે. હકીકત એ છે કે આવી રીતે મારી ઘણી ગૂંચો ઉકેલાઈ છે. વર્ષો પહેલાં પોતાની સફળ ધંધાદારી કારકિર્દી પોતે છોડી દઇને જીવનનો નવો રાહ કઇ રીતે નક્કી કર્યો તેનો ખુલાસો કરતાં એક મિત્રે કહ્યુંઃ ‘નાની ઉંમરે મને અણધારી સફળતા મળી. તદ્દન નિર્ધન સ્થિતિમાંથી બહાર નીકળીને હું પૈસાથી ઘેરાઇ ગયો, પણ હૃદયમાં ઊંડે ઊંડે અજંપો હતો. શું આ જ જીવન? પૈસા ખરેખર શું છે? માગો તે સુખ હાજર કરી આપવાની શક્તિ તેમાં છે એ વાત શું ખરેખર સાચી છે? માણસને પૈસા તમામ સુખોના મહામંત્ર જેવા લાગે છેપણ ખરેખર જીવનમાં કોઇક કીમતી ચીજ ખોવાઈ ગયેલી લાગે છે અને તે મેળવવા માટે જ્યારે માણસ પૈસાની ચાવી અજમાવવા જાય છે ત્યાં તેને ખબર પડે છે કે આ ચાવી અહીં નકામી છે. પૈસા મળે ત્યારે લાગે છે કે બસ, આ પૈસા હવે મારી પાંખો બનશે. હું આકાશમાં ઇચ્છું એટલો ઊંચો ઊડી શકીશ, પણ પછી ખબર પડે છે કે આ પૈસા મારી પાંખો નથી આ તો મારો બોજો છે, જે સાથે લઇને હું ઊડી શકું તેમ જ નથી! મારી પાસે પૈસા આવ્યા પણ મારા માટે સુખનો આ રસ્તો નથી એવું મને લાગ્યું. મનમાં ખૂબ મૂંઝાયો ત્યારે એક દિવસ સ્વપ્નમાંવહેલા પરોઢિયાના એક સ્વપ્નમાંમારી માતાને મેં જોઇ. માતાએ મને કહ્યુંઃ બચુ, તને રૂપિયા ગણવામાં ઝાઝો રસ ના હોય તો પછી નકામો રૂપિયા ન ગણ! તને આકાશના તારા ગણવાનો શોખ હોય તો આકાશના તારા ગણ! માતાએ આવું કહ્યું અને મારી આંખ ઊઘડી ગઇ. બસ, પછી મેં રૂપિયા ગણવાનું છોડી દીધું!


ઘણીવાર માણસ આવી રીતે રૂપિયા ગણવાનું છોડી દઇને આકાશના તારા જોવા કે ગણવા માંડે ત્યારે તેને તકલીફ પણ પડે છે, પણ તમે તકલીફને માત્ર ધીંગામસ્તી કરતાં બાળકો જ સમજીને તેની સાથે કામ પાડો ત્યારે તમારા કામમાં તે વિક્ષેપ પાડી શકતી નથી. દુઃખને દવા ગણીને પીનારાને એ એટલું કડવું લાગતું નથી. તેનો સ્વાદ કડવો લાગે તે છતાં તેને ગુણકારી ગણીને તે તેને સહી શકે છે. એથી ઊલટું, કશા ઉદ્દેશ વગર તમે સુખનાં ગમે તેટલાં સાધનો પેદા કરો પણ તમને એ સાધનો સુખ આપી શકતાં નથી. મોટા ભાગે સુખનાં એ સાધનો જ દુઃખનાં કારણો બની જતાં હોય છે.


(સમભાવ મેટ્રોમાંથી)

Monday, October 22, 2012

Jerome Murat with his stunning cabaret show ‘The Living Statue’.

 Jerome Murat, magician and mime-puppeteer from Paris, France has performed his ‘Living Statue’ act all over the world, and has delighted many international audiences. Here he performs for the French TV show "Le Plus Grand Cabaret du Monde" hosted by Patrick Sebastian.


Sunday, October 21, 2012

Problem of Plenty

નીતા અંબાણીના ઘરે ચા પીવી છે?
 
 
એક દિવસ એન્ટિલા ખાતે એક ભાઈ નીતાબેન અંબાણીને મળવા ગયા અને જે વાર્તાલાપ થયો તે રજુ કરું છું.
 
નીતાબેન: ભાઈ શું લેશો, ચા,કોફી, ઠંડું, ફ્રુટ જ્યુસ, સોડા, હોટચોકલેટ, નેસ કોફી.
જવાબ: ચા ચાલશે
નીતાબેન: સિલોનની ચા, ઇન્ડિયાની ચા, હર્બલ ચા, બુશ ચા, હની બુશ ચા, આઈસ ટી કે પછી ગ્રીન ટી?
જવાબ: સિલોનની ચા
નીતાબેન: સફેદ કે કાળી?
જવાબ: સફેદ
નીતાબેન: દૂધ કે પછી ફ્રેશ ક્રીમ?
જવાબ: દુધવાળી
નીતાબેન: પાવડરનું દૂધ કે તાજું દૂધ?
જવાબ: તાજું દૂધ
નીતાબેન: ગાયનું દૂધ કે બકરીનું દૂધ?
જવાબ: ગાયનું દૂધ
નીતાબેન: ન્યઝીલેન્ડની ગાય કે પછી આફ્રિકન ગાય?
જવાબ: આફ્રિકન ગાયનું દૂધ સારું રહેશે.
નીતાબેન: ચામાં તમે શું પસંદ કરશો? ખાંડ, સ્પ્લેન્ડા, મધ કે પછી કંઈપણ નહીં?
જવાબ: ખાંડ.
નીતાબેન: બીટ સુગર કે કેન સુગર?
જવાબ: કેન સુગર
નીતાબેન: સફેદ, બ્રાઉન કે યલો સુગર?
જવાબ: એના કરતાં એક કામ કરો નીતાબેન, મને એક ગ્લાસ પાણી આપી દો!
નીતાબેન: મીનરલ વોટર, ડીસ્ટીલ વોટર, નળનું કે કુવાનું પાણી?
જવાબ: મીનરલ વોટર
નીતાબેન: ફ્લેવરવાળું કે ફ્લેવર વગરનું?
જવાબ: મને લાગે છે કે હું પાણી પીધા વગર જ મરી જઈશ ! એજ સારું રહેશે.
નીતાબેન: ભાઈ, તમે કઈ રીતે મરવા માંગો છો? અમારા શેરહોલ્ડર તરીકે કે પછી માન્ય ડીલર તરીકે?
 
નોંધ: પેલા ભાઈનો કોઈ અત્તોપત્તો નથી, એક અફવા એવી છે કે એ ભાઈ હાલમાં ગાંડાની હોસ્પીટલમાં છે.
 
મોકલનાર : જયેશ દોશી 

Saturday, October 20, 2012

Samaj gets New Trust Board Chairman



Received from Mahendra Gandhi (Trustee MVJ Samaj)


Death


   


Native : Morbi
Currently At : Navi Mumbai
Name of the deceased : Kantaben Navalchand Mehta
Age : 95 Years
Date of Death : 13-10-2012
Husband : Late Navalchand Jagjivan Mehta
Father-in-Law  :Late Jagjivan Kashidas Mehta
Sons : Dineshbhai, Dilipbhai, Navanitbhai, Mukundbhai
Daughters-in-Law : Late Varshaben, Harshaben, Purnimaben, Jayshreeben
Grandsons : Parin, Rajiv, Amar, Anish, Hardik, Ronak, Dipesh
Granddaughters  : Sonal, Vidhi, Mikita
 
May her soul rest in eternal peace.

Charity by R M Shah Trust

R M Shah Charitable Trust founded in the name of Industrialist Rameshbhai Maganlal Shah by his family members has donated 1,50,000/- each to Samaj and Yuvak Mandal for utilizing the amount during the year (2012-2013) towards the educational activities.  This will come as a great help to both Samaj  & Yuvak Mandal as education nowadays has really become expensive. Those in need of educational assistance can contact both Samaj & Yuvak Mandal for their requirements.
Note : Shri Mahendrabhai Gandhi has sent an email to correct the donation amount from 1,25,000 to 1,50,000 . We thank Shri Mahendrabhai Gandhi for drawing our attention to the mistake.

Roadable Aircraft - Plane Driven PD2

 The Plane Driven PD2 - a new flying car which made its debut at the world's biggest airshow in Oshkosh, Wisconsin.   


The PlaneDriven PD2 takes a Glasair Sportsman airplane and adds a separate 50-hp 'drive unit' to the back.   On the road it can travel over 200 miles (322 km) on one tank of conventional gas at s speed of up to 73 mph.   Once airborne, it has a cruising speed of 140mph, with a range of 472 miles.
The PD-2 fits in a garage space of 8 ft 7" wide, 10 ft high and 25 ft deep.   Requirements for driving include: a driver’s licence, a motorcycle endorsement, and in some states a trike endorsement. Requirements for flying include: a private pilot’s certificate or better, a current medical, and a SEL (single engine land) rating with a tailwheel endorsement.   The Plane Driven PD-2 kit includes everything necessary to make the Glasair Sportsman PD-2 roadable and in compliance with the Federal Motor Vehicle Safety Standards for Motorcycle. Components include: steerable front wheels, brakes, wheel pants, a rear drive unit, all required lighting, and all cables and connections.   Cost: $59,900 US plus the GS-2 airplane, which costs $56,639 (kit).   FAQs



Friday, October 19, 2012

ચક્રવર્તી પદ – ભાણદેવ

[‘અધ્યાત્મ-કથાઓ’ પુસ્તકમાંથી સાભાર.]
ક મહાન રાજા હતા. રાજા શૂરવીર અને સમર્થ હતા. રાજાના મનમાં એક મહત્વાકાંક્ષા હતી કે ચક્રવર્તી બનવું, ચક્રવર્તીપદ પ્રાપ્ત કરવું. રાજા શૂરવીર અને સમર્થ તો હતા જ. રાજાએ પોતાની મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે એક વિશાળ સેના તૈયાર કરી. બધી તૈયારીઓ પરિપૂર્ણ કરીને શુભ મૂરત જોઈને પોતાની વિશાળ સેના, સેનાપતિઓ, અમાત્યો આદિને સાથે લઈને રાજાએ દિગ્વિજયયાત્રા માટે પ્રસ્થાન કર્યું. રાજા શૂરવીર અને સમર્થ હતા અને તેમના સેનાપતિઓ પણ વફાદાર તથા સમર્થ હતા. રાજાની સેનાને જીતી શકે તેવી કોઈ સેના કે રાજા તે કાળે હયાત હતો નહિ.

રાજાએ એક પછી એક રાજ્યો જીતવા માંડ્યા. કોઈ કોઈ રાજ્ય મેળવતાં યુદ્ધ થતું, પરંતુ અનેક રાજ્યો તો યુદ્ધ વિના જ શરણે થયા. આ રીતે રાજાની દિગ્વિજય યાત્રા ચાલુ રહી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એમ ચારે દિશામાં રાજા પોતાની સેનાસહિત ફરી વળ્યા. ત્રણ વર્ષ સુધી રાજા આ રીતે દિગ્વિજય માટે જ ફરતા રહ્યા. આખરે રાજાએ દિગ્વિજય સિદ્ધ કર્યો. રાજા ચક્રવર્તી બન્યા. સર્વ રાજાઓએ રાજાને ચક્રવર્તી સમ્રાટ તરીકે સ્વીકારી લીધા. આખરે એક વિશાળ અને ભવ્ય કાર્યક્રમ ગોઠવીને રાજાનો ચક્રવર્તી સમ્રાટ તરીકે વિધિવત અભિષેક થયો. હવે આપણા આ રાજવી ચક્રવર્તી સમ્રાટ બન્યા. રાજાની જીવનભરની મહત્વાકાંક્ષા પરિપૂર્ણ થઈ.

તે કાળે એવો નિયમ હતો કે જે કોઈ રાજવી ચક્રવર્તી સમ્રાટ બને તેને મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો અધિકાર મળે. આપણા આ રાજાએ ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું છે, તેથી નિયમ પ્રમાણે તેને પણ મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો અધિકાર મળ્યો. રાજાએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આપણા આ ચક્રવર્તી સમ્રાટ પોતાના પ્રધાનમંડળ અને સેનાપતિ તથા પુરોહિત સહિત યાત્રા કરતાં કરતાં આખરે મેરુ પર્વતની તળેટીમાં પહોંચ્યા. 

તેમણે પોતાની સાથે સારા શિલ્પકારને પણ લીધા હતા. ચક્રવર્તી સમ્રાટે પોતાના શિલ્પીને આજ્ઞા આપી – ‘મેરુ પર્વત પર ચક્રવર્તી સમ્રાટ તરીકે મારું નામ અંકિત કરો.’ શિલ્પકાર પોતાના ઓજારો લઈને મેરુ પર્વત પર ચડ્યા. તેઓ પોતાના ચક્રવર્તી સમ્રાટનું નામ અંકિત કરવા માટે મેરુ પર્વત પર યોગ્ય સ્થાન શોધવા લાગ્યા. પરંતુ આશ્ચર્યની વાત એમ હતી કે તેમને મેરુ પર્વત પર કોઈ ખાલી જગ્યા મળતી ન હતી. મેરુપર્વતની સપાટી પર ચારે બાજુ સર્વત્ર ઠાંસી ઠાંસીને નામો લખેલાં હતાં. કોઈ જગ્યાએ આપણા આ નવા ચક્રવર્તીનું નામ નાના અક્ષરે પણ લખી શકાય તેટલી ખાલી જગ્યા જ મળતી નથી. શિલ્પકાર તથા રાજાના અન્ય અનુચરોએ ખૂબ તપાસ કરી, પરંતુ મેરુ પર્વતની બધી જ સપાટી પર ખૂબ તપાસ કરવા છતાં તેમને એવું નાનું સરખું પણ ખાલી સ્થાન મળ્યું નહિ જ્યાં નવું નામ લખી શકાય.

મેરુ પર્વતની તળેટીમાં એક ઋષિનો આશ્રમ હતો. સમ્રાટ ચક્રવર્તી પોતાના સર્વ સાથીઓને સાથે લઈને તે ઋષિના આશ્રમમાં ગયા. ઋષિએ સમ્રાટ તથા તેમના સાથીઓનું સ્વાગત કર્યું. સૌએ આસન ગ્રહણ કર્યા. પછી ઋષિએ સમ્રાટને આગમનનું કારણ પૂછ્યું. સમ્રાટે ઋષિને કહ્યું :
‘મહારાજ ! હું ચક્રવર્તી સમ્રાટ બન્યો છું. પરંપરા પ્રમાણે મને મેરુ પર્વત પર મારું નામ અંકિત કરવાનો અધિકાર છે. અમે સૌ ચક્રવર્તી તરીકે મારું નામ અંકિત કરવા માટે જ અહીં આવ્યા છીએ. પરંતુ અમને જોઈને આશ્ચર્ય થયું કે આટલા વિશાળ અને ઉત્તુંગ મેરુપર્વત પર સર્વત્ર નામો અંકિત થયેલા છે અને મારું નામ અંકિત કરવા માટે એક તસુભાર સ્થાન પણ ખાલી નથી. હવે આપ જ કહો મારે શું કરવું ? આપ મને એ પણ કહો કે મેરુ પર્વત પર અંકિત કરેલા આ બધાં નામો કોના છે ?’

ઋષિએ રાજાને સસ્મિત ઉત્તર આપ્યો :
‘રાજન ! આ બધાં નામો ભૂતકાળમાં થઈ ગયેલા ચક્રવર્તી સમ્રાટોના જ છે.’
‘આટલા બધા ચક્રવર્તીઓ થઈ ગયા છે ?’
‘અરે રાજન ! આ નામોથી અનેકગણા, અગણિત સમ્રાટો આ ધરતી પર થઈ ગયા છે. સૌએ પોતાનાં નામો આ મેરુપર્વત પર કોતરાવ્યા છે.’
‘તો, ઋષિરાજ ! હવે ઉપાય શો છે ? હવે મારે મારું નામ અંકિત કરવું કેવી રીતે ?’
‘રાજન ! એ તો બહુ સહેલું છે. કોઈ પણ એક નામ કાઢી નાખો અને તમારું નામ કોતરાવી દો.’
‘તો, મહારાજ ! આ જ સુધીમાં આ પહેલાં અનેક ચક્રવર્તીઓના નામ ભૂંસાઈ ગયા હશે ને !’
‘અરે, રાજન ! આ પૃથ્વી પર એટલા ચક્રવર્તીઓ થઈ ગયા છે કે આ મેરુ પર્વત પર અગણિત વાર નામો ભૂંસાઈ ગયા છે અને નવાં નવાં નામો અંકિત થતાં રહ્યાં છે.’
‘ઋષિરાજ ! જેમ અનેકવાર નામો ભૂંસાઈ ગયા છે. અને જેમ હું કોઈનું નામ ભૂંસીને મારું નામ અંકિત કરું તેમ મારું પણ નામ ભૂંસાઈ જશે ને !’
‘હા, રાજન ! નામ ભૂંસાવાની અને અંકિત કરવાની આ પ્રક્રિયા તો સતત ચાલુ જ છે. કાળના પ્રવાહમાં કશું જ અચળ નથી. આ મેરુ પર્વત પર અગણિત નામો લખાયા છે અને અગણિત નામો ભૂંસાયા છે. તેનો કોઈ હિસાબ નીકળી શકે તેમ નથી.’


ચક્રવર્તી સમ્રાટ થવાનો રાજાનો ઉત્સાહ ઓસરી ગયો. મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો રાજાનો ઉમંગ પણ ઓસરી ગયો. રાજા મેરુપર્વત પર પોતાનું નામ લખાવ્યા વિના જ પોતાના સાથીઓને સાથે લઈને પાછા ફર્યા ! 

આ અસ્તિત્વ અપરંપાર છે અને કાળ તો અનંત છે. આ અફાટ દેશ અને કાળની કલ્પનાતીત વિશાળતાનો વિચાર કરીએ તો સમજાય કે આપણે કોણ છીએ ? જે પૃથ્વીના પ્રમાણમાં આપણે મગતરા જેવા છીએ, તે પૃથ્વી પણ અસ્તિત્વના સાગરમાં રેતીના એક કણ સમાન પણ નથી. ચક્રવર્તીપદને મહાન ગણનાર અને જીવનભર ચક્રવર્તી સમ્રાટ બનવાની મહત્વાકાંક્ષા સેવનાર ડાહ્યો રાજવી આખરે સમજ્યો કે જે પદને પોતે આટલું મહાન ગણ્યું તે પદ પણ સમગ્રના સંદર્ભે કેટલું તુચ્છ છે, કેટલું નગણ્ય છે ! અસ્તિત્વની આ અફાટ વિશાળતા અને કાળની ગણનાતીત ગતિશીલતાનું ચિંતન માનવીને પોતાના યથાર્થ સ્વરૂપનું ભાન કરાવે છે અને એથીયે વિશેષ તો સાચી નમ્રતા શીખવે છે.

મેરુ પર્વતની વિશાળતાનો પાર નથી અને તો યે તેના પર ચક્રવર્તીનું નામ લખવા માટે તસુભર ખાલી જગ્યા નથી. આવા નામો અગણિત વાર લખાયા છે અને અગણિત વાર ભૂંસાયા છે ! જો આમ જ છે તો કોઈ ચક્રવર્તી મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરે કે ન કરે, તેથી શું ફેર પડે છે ! અને કોઈ માનવી ચક્રવર્તી બને કે ન બને, તેથી પણ શો ફેર પડે છે ! દેશ અને કાળની અફાટ વિશાળતા પર દષ્ટિ કરો અને આપણા જીવનના યથાર્થ સ્વરૂપને ઓળખી લો !

Thursday, October 18, 2012

Flying Over America

 Experience a marvelous birds-eye view of some of the most beautiful scenery in America.

'Barnstorming' over the Statue of Liberty, Niagara Falls, Mt Rushmore, the Mississippi River, Monument Valley and the Golden Gate Bridge in San Francisco.    Directed by Super 78.   Music by Yessian.

Wednesday, October 17, 2012

ભાગ્યની દેવી પત્ની !– ભૂપત વડોદરિયા

આપણી સંસ્કૃતિમાં આદર્શ પત્નીના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તેમાં ‘ભોજનેષુ માતા’ અને ‘કાર્યેષુ મંત્રી’ એવા ગુણોનો સમાવેશ થાય છે. રશિયાના મહાન નવલકથાકાર ફાઈડોર દોસ્તોવસ્કીને મોટી ઉંમરે જે પત્ની મળી તે ઉંમરમાં નાની પણ ગુણોમાં ઘણી મોટી. ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ અને ‘બ્રધર્સ કેરેમેઝોવ’ જેવી મહાન નવલકથાઓ લખનારા આ રશિયન સર્જકે સેક્રેટરી તરીકે, ખરું કહીએ તો સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવનારી આ યુવતીના પ્રેમમાં પડીને પછી તેની સાથે લગ્ન કર્યાં.

દોસ્તોવસ્કી દેવાના ડુંગર નીચે દટાઈ ગયા હતા. નાણાભીડમાં રહેતા આ મહાન સર્જકનું શોષણ કરવામાં પ્રકાશકોએ કશું બાકી રાખ્યું નહોતું. આ આર્થિક ગુલામીમાંથી અન્નાએ તેના પતિ દોસ્તોવસ્કીને મુક્ત કર્યા. દોસ્તોવસ્કી કહે છે કે મોડી રાત સુધી લેખનમાં પ્રવૃત્ત રહેવાને લીધે બીજા દિવસે હું મોડો ઊઠતો ત્યારે પત્નીને પુસ્તકવિક્રેતાઓ સાથે લાભકારક સોદો કરવાની કડાકૂટ કરતી જોઈને મારી આંખમાં આંસુ આવી જતાં. એ પત્ની ખરેખર મારા માટે ‘ભાગ્યની દેવી’ બની ગઈ. દોસ્તોવસ્કીનું શોષણ માત્ર પ્રકાશકો જ કરતા નહોતા, એના ઉદાર સ્વભાવનો લાભ લઈને નિકટનાં સગાં-સંબંધીઓ પણ તેને પરેશાન કર્યાં કરતાં. આ બધાં જ બંધનોમાંથી પત્નીએ તેમને મુક્ત કર્યા. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં એકથી વધુ અર્થમાં એ એક આદર્શ પત્ની બની રહી.

આ રશિયન સમાજની વાત છે. ભારતીય સમાજની આજની સ્થિતિનો વિચાર કરીએ તો આપણે જોઈએ છીએ કે આજે પત્ની ‘કાર્યેષુ મંત્રી’ બની રહેવાને બદલે પતિને વધુ ને વધુ નાણાં કમાવવાની ફરજ પાડનારી વ્યક્તિ બની ગઈ છે. પૂરતી કમાણી ના હોય તો કેટલાક કિસ્સામાં એ પતિને સીધી કે આડકતરી એવી સૂચના આપે છે કે કોઈ પણ રીતે નાણાં લાવો ! લાંચરુશવત લઈને પણ પૈસા મેળવો. બે નોકરી કરીને પણ નાણાં લાવો. પત્નીના મનમાં બીજાઓની દેખાદેખી વિશેષ છે. તેને જાતે રસોઈ કરવામાં ખાસ રસ નથી અને પતિના કાર્યમાં મદદરૂપ થવાની વાતમાં પણ ખાસ દિલચશ્પી નથી. 

આપણી જૂની કહેવત એવી છે કે માતા પુત્રને માત્ર ‘આવતો’ જોઈને સંતોષ માને છે પણ પત્ની તો પતિ કંઈક લઈને આવે એવી અપેક્ષા રાખે છે. બીજી બાજુ આજે અનેક પરિવારોમાં પતિની કમાણી અપૂરતી હોય તો પૂરક કમાણી માટે પત્ની પોતે બહાર ક્યાંક ને ક્યાંક નોકરી કરે છે. આમાં કશું ખોટું નથી. આમાં સ્ત્રી પોતાની કાર્યશક્તિ બતાવી શકે છે અને આર્થિક સ્વાતંત્ર્યનો થોડો અનુભવ પણ કરી શકે છે. છતાં આમાં એક પરિણામ એ પણ આવે છે કે સ્ત્રી નથી બરાબર ઘર સંભાળી શકતી કે નથી પોતાનાં બાળકોનાં પોષણ-શિક્ષણ પર પૂરું ધ્યાન આપી શકતી.

ઊંચા જીવનધોરણનો મોહ એટલો બધો વધી ગયો છે કે ‘સંતોષ’ એ જ સાચું સુખ એવી વાત જુનવાણી લાગે છે અને ‘અસંતોષ’, આગળ ને આગળ જવાનો. અજંપો આપણને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આમાં કમાણી વધે છે, જીવનધોરણ બેશક ઊંચું આવ્યાનો અહેસાસ થાય છે પણ ઘરનાં સુખ-શાંતિનું શું ? કેટલાંય એવાં ઘર છે જ્યાં બાળકોની આંખ સામે માતા અને પિતા હાજર હોય એવું ઓછું બને છે. કેટલાક કિસ્સામાં તો બાળકો નોકરના પનારે પડ્યાં હોય છે અને ઘણાબધા કિસ્સામાં માતા-પિતાની સ્થૂળ હાજરી જ બાળકોને જોવા મળે છે. બાળક કાંઈક તોફાન કરે, ક્યાંકથી ફરિયાદ લઈ આવે ત્યારે મા-બાપનું ધ્યાન જાય છે, બાકી તો બધું રામભરોસે ચાલતું હોય તેવું જ લાગે.

Tuesday, October 16, 2012

Olympic Screwdriver Relay Race Across Canada

Watch the adventures of Canadian DIYers as they run to complete a grand relay from the Pacific to the Atlantic.  
 A funny ad by Rona, a Canadian retailer of hardware, home improvement and gardening products.


Monday, October 15, 2012

કઠિયારાની કોઠાસૂઝ– સુરેશ દલાલ

મારા મિત્ર ડૉ. દિનેશ ટોપરાણીએ કિશોરલાલ મશરૂવાળાના કોઈ પુસ્તકમાં દષ્ટાંત વાંચ્યું હતું એ એમણે મને કહ્યું અને થયું કે લાવ તમને પણ આ વાત કહું.
એક કઠિયારો હતો. રોજ રોજ એનું એકનું એક જ કામ અને તે લાકડાં કાપવાનું. રોજિંદુ જીવન તો દરેકનું હોય જ છે. પ્યુનથી માંડીને પ્રાઈમ મિનિસ્ટર સુધીનું. પોશાક બદલાય છે, પણ શરીર બદલાતું નથી. કોઈ કે કહ્યું’તું એમ રેસ્ટોરાં બદલાય છે, પણ જીભ બદલાતી નથી. જે માણસ રોજિંદા જીવનમાંથી એકધારો આનંદ મેળવે તે જીવન જીવી જાણે છે. નિત્યકર્મ એ નિત્ય સાધના છે. જે કરવાનું છે તે તો કરવાનું જ છે. પણ બબડી બબડીને કામ કરીએ તો પછી કામનો આનંદ ન રહે – પણ વૈતરું કે વેઠ થઈ જાય. માથા પરનો બોજો થઈ જાય છે. રોજનું કામ આનંદથી કરીએ તો માથા પર ભાર ન લાગે પણ ‘મોરપીંછનો ભારો’ લાગે. મોરપીંછની હળવાશથી કામ કરીએ તો એની મજા જુદી છે.
એ કઠિયારાના જીવનનો આનંદી અભિગમ જોઈને ઈશ્વર તો ખુશ ખુશ થઈ ગયા. એ અદશ્યરૂપે કઠિયારાની પાછળ પાછળ ગયા. ત્યાં ઈશ્વરે એક સોનાનું લાકડું મૂકી દીધું. આ સોનાના લાકડા પર કઠિયારાની નજર પડી. એને ઊંચક્યું અને મૂકી દીધું. ઈશ્વર પ્રકટ થયા અને એમણે કઠિયારાને કહ્યું કે, ‘આટલું બધું સોનું તને મળે છે તો તું શું કામ જતું કરે છે ? તું આ ઘરે લઈ જશે તો તારી સાત પેઢી તરી જશે. રોજ તારે લાકડાં કાપવાં આવવું નહીં પડે. રોજ વહેલાં ઊઠવું નહીં, કોઈ વેઠ નહીં, શેઠની જેમ રહી શકશે. આરામથી ઊંઘી શકશે. છપ્પનભોગ માણી શકશે. કઠિયારાએ શાંતિથી કહ્યું કે આ સોનાનું લાકડું બીજા કોઈને કામ આવશે, મને એની જરૂર નથી. જો હું રોજ લાકડાં કાપવા નહીં આવું તો મારા હાથમાંથી હુન્નર ચાલી જશે. કામ વિનાનો હું સાવ નકામો થઈ જઈશ. મને તો કામમાં જેટલો આનંદ મળે છે એટલો આનંદ ક્યાંય મળતો નથી. આ કામના લીધે મને ભૂખ લાગે છે, તરસ લાગે છે. મારા કુટુંબીઓ માટે કૈંક કરી શકું છું એનો મને સંતોષ છે અને આ સંતોષને કારણે જીવન સરસ લાગે છે. કામ ન કરું તો હું એદી થઈ જઈશ, આળસુ થઈ જઈશ. મારી તબિયત બગડશે, શરીર સુંવાળું થઈ જશે. જીવન સુખાળવું થઈ જશે. તન સારું રહે અને મન કશાકમાં પરોવાયેલું રહે એના જેવું કોઈ જીવન નહીં.
કઠિયારો ભણેલો નહોતો અને છતાં પણ એનામાં કોઠાસૂઝ હતી. દરેકની સુખની ભાવના અને વિભાવના જુદી હોય છે. જો કોઈ લોભી અને લાલચુ માણસ હોત તો સોનાની મોટી લગડી જેવું વજનદાર લાકડું લઈ લેત. પણ કઠિયારાએ એને આપસૂઝથી જતું કર્યું. કોઈનું લઈને ઓશિયાળાપણે જીવવું એના કરતાં જાતે રળીને જીવવાનો આનંદ જુદો જ હોય છે. સુખ અને દુઃખ તો આપણે જ ઊભી કરેલી માયાજાળ છે. શાણો માણસ સુખ અને દુઃખને હાંસિયામાં ધકેલી દે છે. પછી કોઈ રાવ-ફરિયાદ કરતો નથી. એ પોતામાં જ અલમસ્ત હોય છે. વેણીભાઈનું કાવ્ય યાદ આવે છે :
સુખનાં સુખડ જલે રે મારા મનવા !
દુઃખના બાવળ બળે –

બળે રે જી…. દુઃખનાં બાવળ બળે.

સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને

બાવળના કોયલા પડે –

મારા મનવા ! તરસ્યા ટોળે વળે.

વળે રે જી…… દુઃખના બાવળ બળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન, કોઈ મગન ઉપવાસે :

કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન સંન્યાસે :

રે મનવા ! કોઈ મગન સંન્યાસે :

સુખનાં સાધન ને આરાધન લખ ચકરાવે ચડે…..

ચડે રે જી….. તરસ્યા ટોળે વળે.

Sunday, October 14, 2012

Sand Art: Animals - Joe Castillo (America's Got Talent)

Working only with sand and his hands, Joe Castillo creates incredible animal art timed with music.
Joe Castillo is an artist, author and storyteller.   Drawing in sand on a light table, he has the ability to create powerful, fluid illustrations for large audiences with an overhead video camera projected on a large screen.


Saturday, October 13, 2012

સ્નેહની માયા- ભૂપતભાઇ વડોદરિયા


આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ માણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે, એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર વેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ માણસ માણસ વચ્ચે સ્નેહની માયા ન હોત તો જીવન કેવું હોત? માણસ માણસની માયા તો બરોબર છે, પણ પશુપંખીની વચ્ચે પણ એક માયા છે. જેમણે નિરીક્ષણ કર્યું છે એ જાણે છે કે જો સ્નેહ અને માયાના સંબંધ ન હોત તો જીવનમાં કોઇ રસકસ હોત જ નહિ. માયા ન હોત તો માણસોને પોતાનાં સંતાનો અંગે કોઇ પ્રકારનો લગાવ હોત નહિ. આપણે જોઇએ છીએ કે સ્નેહના સંબંધોની સાંકળ દૂર દૂર પહોંચે છે. આપણે કહીએ છીએ કે મારી માતા કે મારા પિતા અમુક વ્યક્તિ પ્રત્યે સ્નેહથી એવા બંધાયેલા હતા કે માબાપ મોજૂદ ન હોય તો પણ સંબંધોની દોરી તો ચાલ્યા જ કરે છે. કોઇ આપણને પૂછે કે આ બાળક સાથે તમારે શો સંબંધ? આપણે કહીએ છીએ કે મારી માસીને કે મારા કાકાને એને માટે ખૂબ સ્નેહભાવ હતો. આપણે જોઇએ તો ખબર પડે કે સ્નેહસંબંધનાં મૂળ બહુ ઊંડાં હોય છે. સંબંધની આ કડી આટલી અખંડ ના હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધમાં આપણું અદમ્ય ખેંચાણ ના જ હોત.

એક ગૃહસ્થને કોઇએ પ્રશ્ન કર્યો કે આ યુવાન જે રીતે જીવી રહ્યો છે તો એને માટે તમને આવું આકર્ષણ કઇ રીતે હોઇ શકે? આપણે જવાબ દઇએ છીએ કે મારે તે મિત્ર સાથે સગા ભાઇ જેવો સંબંધ હતો. તેની પ્રત્યે મારી એક વણલિખિત જવાબદારી હું સ્વીકારું છું. કૌટુંબિક સંબંધ ના હોય કે બીજા કોઇ પ્રકારની સગાઇ પણ ના હોય તો પણ માણસ સ્વેચ્છાએ કેટલીક જવાબદારીઓ ઉઠાવી લે છે. એક ગૃહસ્થને કોઇએ એવો પ્રશ્ન કર્યો કે તમારો સગો દીકરો ધંધામાં કોઇ નુકસાન વહોરે તો તમે તેની જવાબદારી પાર પાડવા નૈતિક રીતે બંધાયેલા છો? પણ તમે જે યુવાન માટે આવી જવાબદારી સ્વીકારી રહ્યા છો એ તમારી કોઇ નૈતિક ફરજ નથી. એના પિતાએ તમારે માટે એવું કર્યું નથી કે એનો પુત્ર જે કંઇ ખોટ કરે તેની જવાબદારી તમારે ઉઠાવવાની હોય. એક સાચો કિસ્સો છે કે એક મિત્રના અવસાન પછી બીજા મિત્રે એની બધી જ આર્થિક જવાબદારીઓ
સ્વીકારી. મિત્રની જે મિલકત હતી તેની સાથે એને તો કશી લેવાદેવા નથી. કોઇ સમાન ભાગીદારી કે વાબદારી નહોતી જ. છતાં કેટલીક વાર માણસો આવા સ્નેહસંબંધોમાં આવી જવાબદારીઓ ઉઠાવે છે. બહુ જ નિકટના મિત્રની આર્થિક જવાબદારી માત્ર સ્નેહસંબંધને કારણે એને ઉઠાવવાની નથી જ. મિત્રની મિલકત એના વંશજો લઇ જાય અને આર્થિક જવાબદારી મિત્ર ઉઠાવે, માત્ર સ્નેહમાંથી ઊભી થયેલી લાગણીના કારણે જ. વ્યાવહારિક રીતે કે કાનૂની રીતે આવી કોઇ જવાબદારી એના માથે નથી. મરનાર માણસની સંપત્તિ એના વંશજોના અધિકારમાં ગઇ. મિત્રનો અધિકાર તો માત્ર તેની આર્થિક લેણદેણની જ જવાબદારી પોતાના માથે લેવા પૂરતો રહ્યો.

આમ જુઓ તો સ્નેહના નામે આ ખોટનો ધંધો જ કહેવાય છતાં માણસ માત્ર જૂના સંબંધની સગાઇને કારણે ખોટનો આ ધંધો કરે છે. આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ
માણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે,એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર વેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ.

Friday, October 12, 2012

An incredible magic performance by 'Kamyleon' at the 'World's Greatest Cabaret' in Paris, France.  
"The World's Greatest Cabaret" is a French TV show presented by Patrick Sébastien for France 2 and TV5 Monde.  "OpArt Illusion" was originally broadcast in February 2011 


Thursday, October 11, 2012

અવસાન


મોરબી નિવાસી સ્વ. નવીનભાઈ જમનાદાસ શાહ , સ્વ. ઇન્દુભાઈ જમનાદાસ શાહ તથા  જ્યોતિબેન ગુણવંતલાલ શાહના બનેવી સુરેન્દ્રનગર  (હાલ માટુંગા)ના જયંતીલાલ (ઉં. વ.86) તે સ્વ. વનિતાબેનના પતિ તા. 04-10-2012ના રોજ  અરિહંતશરણ પામ્યા છે

ઉજાસ – લતા હિરાણી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
ચ્છા-અગણિત, અડાબીડ, ઘનઘોર ઈચ્છાઓ…. આખી માનવજાત ઈચ્છાઓના જંગલમાં અટવાય છે. ઈચ્છાની પાંખે ગગનવિહાર ન કર્યો હોય એવી વ્યક્તિ કોણ હશે ? ગરીબમાં ગરીબ માનવીએય ઈચ્છાઓની આંખે અને કલ્પનાની પાંખે સ્વર્ગનાં સુખો ભોગવી લીધાં હોય !! આ વિભાવના માટે શબ્દોનીયે રેલમછેલ છે- ઈચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મરજી, મન, મનોરથ, ખ્વાબ, સપનાં… હા, ખુલ્લી આંખે જોવાતાં સપનાં.

બાળપણમાં ચોકલેટની દુકાન કે રમકડાના સ્ટોરનો માલિક બનવા મન થનગનતું હોય તો કિશોરાવસ્થામાં કંઈક અનોખા આકાશો આંબવાની આકાંક્ષાઓ ઊછળતી હોય અને યુવાની તો છે જ મનની મહેલાતો સર્જવાની મોસમ. શમણાંઓની રંગીન સફર કે કલ્પનાની હસીન દુનિયા આ જ વયે ઊઘડતી હોય !! સપનાંનો રાજકુમાર કે રાજકુમારી ખયાલોમાં પ્રવેશે એટલે છાતીમાં કલકલ ઝરણાં વહેવા માંડે, આંખોમાં વાદળની ભીનાશ અંજાઈ જાય અને મનમાં મેઘધનુષી રંગોળે રચાય. વાતવાતમાં ગીતો સ્ફુરે, બોલે તો ફૂલો ઝરે અને ચુપકીમાં આખું આકાશ મહોરે…. આવા સમયે સૃષ્ટિનું તમામ સૌંદર્ય આંખમાં આવીને વસે.

પડદાની જેમ જીવનમાંયે દશ્યો બદલાતાં જ રહે છે. કશું જ નહીં સ્થાયી કે નહીં સ્થિર ! પ્રિયપાત્રને પામવાની સફર પૂરી થાય કે કારકિર્દીની ટોચ આંબવાનું આહવાન આદમીને જંપવા ન દે. કુટુંબ, સુખ, માન, યશ, પદ, પ્રતિષ્ઠા કેટકેટલાં ક્ષેત્રો !! વયના વાર્ધક્યની સાથે સ્વાસ્થ્ય, સલામતી, સ્થિરતા અને શાંતિનીયે ઝંખના. આમ જુઓ તો જન્મથી મૃત્યુ સુધી ઈચ્છા જ ઈચ્છા અને સૌ એમાં જ રમમાણ. માનવીની અઢળક ઈચ્છાઓ, સેવેલા મનોરથો કે કલ્પેલા કોડ હંમેશાં વાસ્તવિકરૂપ નથી ધારણ કરતા. ક્યારેક એવુંયે બને કે સપનાંએ કલ્પનામાં જે સુખ આપ્યું હોય એ ખરેખર આવીને મળે ત્યારે એટલું સુંદર ન પણ હોય !!

ઈચ્છા જ્યારે નરી ઈચ્છાના સ્વરૂપમાં જ જીવે ત્યારે એ કંઈ પરિણામ નથી લાવી શકતી. આવી વાંઝણી ઈચ્છાઓ દુઃખ જ નોતરે છે. જ્યારે સપનાંઓની શતરંગી દુનિયાની કાર્યમાં પરિણતિ થાય, મંઝિલ સુધી પહોંચવાની ઊંડી સમજણ સચવાઈ રહે અને મનોરથના શિખરને આંબવાના આત્મવિશ્વાસથી દિલ દિમાગ તરબતર રહે ત્યારે આ સપનું સાચો અને પાકો રંગ પકડે. સપનાંની સાથે સચ્ચાઈ, સમજણ અને સામર્થ્યનો સુયોગ સૌને સુલભ નથી હોતો એટલે જ મોટાભાગના માનવીઓનું ઈચ્છાઓના અરણ્યમાં આથડતાં આથડતાં આયખું આથમી જાય છે.

ઈચ્છાઓ વ્યક્તિની પોતાની સાખ, સમાજ અને સૃષ્ટિને વધુ સુંદર ને કલ્યાણકારી બનાવે એવી હોય તો ઉત્તમ પણ આંખ અને આયખાને અભડાવે એવી ઈચ્છાઓ ધરાવનારાઓનો સમાજમાં તોટો નથી હોતો એટલે જ સંતોએ અને શાસ્ત્રોએ ઈચ્છાને વખોડી છે. માનવીને ઈચ્છાથી મુક્તિ મેળવવાનો ઉપદેશ આપ્યો છે. 
ઈચ્છામુક્તિના આધ્યાત્મિક પાસાને એકબાજુ રાખીએ અને એને આ વાસ્તવિક દુનિયાના સંદર્ભમાં, એનું હકારાત્મક પાસું વિચારીએ તો એમ કહી શકાય કે પ્રબળ ઈચ્છાઓ જ માનવીને વિકાસને માર્ગે લઈ જાય છે. માનવી મોક્ષ માટે ઝંખે કે ઈચ્છારહિત થવા મથે એ ઈચ્છવાયોગ્ય હોવા છતાં હંમેશાં સંભવ નથી. એ કક્ષાએ કોઈક જ પહોંચી શકે. બાકીના લોકો ભલે ભૌતિક ધ્યેયોને આંબવા મથે. એનાં પરિણામો આ સૃષ્ટિને વધુ સુંદર અને સમૃદ્ધ કરે છે. જગતને વધુ જીવવા જેવું બનાવે છે. બધી શોધખોળો અને ભૌતિક સુખ સમૃદ્ધિ માનવીની ઊંચી અને પ્રબળ ઈચ્છાઓનાં જ પરિણામો છે.

બાકી ઈચ્છારહિત થવાનીયે ઈચ્છા તો ખરી જ ને !! એટલે સાચી વાત એ કે ઈચ્છાઓ માનવીને ઝાંખરાની જેમ બાંધે છે તો અખિલાઈ સાથે સાંધેય છે અને ત્યારે ઈચ્છાનું ઊર્ધ્વીકરણ થાય છે. એ સ્વકલ્યાણથી પરકલ્યાણ અને પરમતા તરફનું પ્રયાણ છે. ઈચ્છાઓ છોડવાના અને અહમને તોડવાના કામમાં માનવી સફળ થાય તો એને માટે કલ્યાણનો રાજમાર્ગ ખૂલે. જીવનમાં અલ્લાઉદ્દીનના જીનની જેમ વ્યાપેલી ઈચ્છાઓ સામેના તમામ રસ્તા ખુલ્લા છે. કદમ આપણાં છે અને કંઈ પણ પસંદ કરવાની ઈચ્છાયે આપણી છે. સૌને શુભ અને કલ્યાણમય ઈચ્છાએથી ઊભરાતું જીવન મુબારક !

Wednesday, October 10, 2012

1972 Olympic 800 m Final

 Keep your eye on the guy with the golf cap.
Dave Wottle was born in Canton, Ohio. During his childhood he was very slim and feeble, so that the family doctor told him that he needed to do something to strengthen himself, such as running. The young boy took this advice and started to run.   In the 800 meter final at the 1972 Olympic Games in Munich, Germany, Wottle dropped to the rear of the field, and stayed there for the first 500 m. The rest is history 

Tuesday, October 9, 2012

વિશ્વાસની મૂડી !– ભૂપત વડોદરિયા


[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પંચામૃત શ્રેણીના ‘અભિષેક’ પુસ્તકમાંથી સાભાર. ]

અવારનવાર મળવા આવતા એક વર્ષોજૂના મિત્રે કહ્યું : ‘પૈસા ટકાની વાત કરું તો મારી સ્થિતિ ઘણી જ સારી અને સુગમ છે પણ અગાઉ જે એક મૂડી હતી તે મૂડી હવે તળિયે પહોંચી ગઈ હોય એવું લાગે છે. રૂપિયાઆનાપાઈની મૂડીની વાત નથી. મારી વાત છે વિશ્વાસની મૂડી ! કોણ જાણે કેમ પણ મને હવે કોઈનામાં વિશ્વાસ જ રહ્યો નથી ! હું છેતરાઈ ગયો હોઉં એવા પ્રસંગો બહુ થોડા જ બન્યા છે પણ આજકાલ મને કોઈનો વિશ્વાસ કરવાનું મન થતું નથી. મારી નિકટની વ્યક્તિ બાબતમાં પણ એવું બને છે કે એ કાંઈ કહે તો હું તરત તેનો વિશ્વાસ કરી શકતો નથી.’ અવિશ્વાસની આવી માનસિકતામાં તો જીવવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય બની જાય છે.

એક યુવાને એક પત્ર પાઠવ્યો છે. એમાં એની પોતાની સમસ્યા રજૂ કરીને કશુંક માર્ગદર્શન આપવાની વિનંતી કરી છે. આજના સમયમાં મધ્યમવર્ગનાં પતિ-પત્ની બંનેએ નોકરી કરવી પડે છે. આ યુવાનની પત્ની એક પેઢીમાં કામ કરે છે અને ત્યાં કામ કરી રહેલા એક યુવાન સાથે તેની મૈત્રી છે. સાથે કામ કરી રહેલા કોઈ પણ યુવક-યુવતીને ક્યાંક સાથે બહાર જવાનું પણ બને અને કાંઈક કામકાજ પતાવીને કૅન્ટીનમાં સાથે ચા-પાણી પીવાનું પણ બને. યુવાને જણાવ્યું છે કે મને મારી પત્નીની આ મૈત્રીમાં હવે શંકા પડવા માંડી છે. પત્નીને આ અંગે કાંઈ પણ કહું છું તો તરત ભભૂકી ઊઠે છે અને કોઈ વાર રડે છે તો કેટલીક વાર રીતસર લડવા માંડે છે. હું એને કહું છું કે તું આપણા બાળકના સોગંદ ઉપર મને કહે કે તમારી બંનેની વચ્ચે કશું જ નથી. યુવાન પત્રમાં પ્રશ્ન કરે છે – આ સંજોગોમાં મારે શું કરવું ? કોઈક વાર એમ થાય છે કે હું ગૃહત્યાગ જ કરું ! વળી એમ થાય છે આ તો માથાના દુખાવાથી કંટાળીને પોતાનું માથું કાપવા જેવી વાત છે. મને ખબર નથી પડતી કે મારે શું કરવું ? એની હત્યા કરી નાખું ? કે પછી બાળકને ખાતર એની હત્યા કરવાને બદલે હું જ આત્મહત્યા કરીને જિંદગીભરના પસ્તાવાનો વારસો આપી જાઉં ?

આ યુવાનના મનનું સમાધાન થાય એવું કાંઈક કહેવા વિચારું છું ત્યારે એક પ્રશ્ન ઊઠે છે કે જે યુવાન અવિશ્વાસ અને શંકાના ઊંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હાલતમાં ઊભો છે એને કોઈક સલામત કિનારે પહોંચાડવો કઈ રીતે ? મનમાં આનો જવાબ તો એક જ હતો જે તેને પાઠવ્યો. અવિશ્વાસ-અશ્રદ્ધાના હવામાનમાં ખૂબ રહ્યા – હવે સંકલ્પ કરીને એમાંથી બહાર કૂદી પડો ! આપણે માનીએ છીએ એટલી આ દુનિયા સારી ભલે નહીં હોય પણ કોઈ કોઈ વાર આપણે માનીએ છીએ એટલી ખરાબ આ દુનિયા નથી અને એટલા ખરાબ આપણી આસપાસના માણસો પણ નથી. ઈશ્વરમાં જે શ્રદ્ધા હોય તે ખરી પણ જો જીવવું જ હશે તો માણસમાં તો શ્રદ્ધા રાખ્યા વગર છૂટકો જ નથી ! ચોપાસ પ્રદૂષિત હવા છે તે માનીને શ્વાસ લેવાનું બંધ કરવાનું તો શક્ય જ નથી !

થોડા દિવસ પછી એક પત્ર આવ્યો – થોડીક શંકા અને અમંગળની કલ્પના સાથે એ પત્ર ખોલ્યો અને વાંચ્યો ત્યારે અવર્ણનીય રાહતની લાગણી થઈ. પતિ-પત્નીની સહી સાથે એ પત્રમાં લખ્યું હતું કે પરસ્પર વિશ્વાસ રાખવાનો સંકલ્પ અમે કર્યો છે અને આ સોગંદમાં અમે અમારા પ્રિય બાળકને પ્યાદું બનાવ્યો નથી. અમે નક્કી કર્યું છે કે અમારે પરસ્પરના ભરોસે, પરસ્પરની સાથે જ જીવવું છે અને દંપતી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ અવિશ્વાસ તો હોઈ જ ના શકે કેમ કે કોઈ પણ બે વ્યક્તિઓમાં પરસ્પર અવિશ્વાસનું ઝેર પચાવવાની શક્તિ તો કોઈનામાં હોતી નથી.

Monday, October 8, 2012

Amazing Facts To Blow Your Mind

Now you can sound even smarter around your friends with these simple but super fun facts about life!
References:  
Mushrooms: The most recent common ancestor of mushrooms and humans is more recent (shallower in the tree) than the most common recent ancestor of mushrooms and plants.   botany.wisc.edu  
Neurons: One estimate puts the human brain at about 100 billion neurons and 100 trillion synapses. Wikipedia  
Atoms: Over 99.94% of an atom's mass is concentrated in the nucleus.   Wikipedia  
Cells: Every one of us completely regenerates our own skin every 7 days. A cut heals itself and disappears in a week or two. Every single cell in our skeleton is replaced every 7 years.   stanford.edu/research/



Sunday, October 7, 2012

ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ


[‘જનકલ્યાણ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.]
માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે.

જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બુકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલાં ખોળિયાં જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થતું. માણસે ઘરડા નથી થવાનું. પણ વૃદ્ધ થવાનું છે. જે વૃદ્ધિ પામ્યો તે વૃદ્ધ ! પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો ક્યા ? ગમે તે ભોગે યુવાનીમાં બેઠાડું બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.
 ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ શામ.

 
પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ (healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.

પાછલી ઉંમરે દુઃખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખુરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલતુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વેમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે. પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંદ વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનાર દાદા ખાસા રળિયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરનાં સંતાનો એમનાથી કંટાળતાં નથી. પુત્રવધૂને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય.

જે વૃદ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃદ્ધ છેક છેવટ સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફેવિકોલ લગાડીને ચોંટી રહેતો નથી. સંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે મંદિરમાં જનારા લોકો લાંબુ જીવે છે. ભગવાન નામનું ટ્રાન્કિવલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું. જે બાલદી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. આ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerontology કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃદ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ અને વિવેકની સમૃદ્ધિ !

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. અમેરિકાના ફાઈનાન્સિયર બર્નાડ બારુચ કહે છે :
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ  છે.

Saturday, October 6, 2012

   


Native : Khakhrechi
Currently At : Morbi
Name of the deceased : Rasiklal Malukchand Lodaria
Age : 75 Years
Date of Death : 04-10-2012
Wife : Kiranben
Sons : Bhavesh, Kalpesh
Father :Late Malukchand Devshibhai Lodaria
Brothers : Late Jayantilal, Late Amrutlal, Late Jevantlal
Sisters : Kanchanben, Harshaben, Varshaben,
Jyotsnaben
Brothers-in-Law : Hasmukhlal, Tansukhlal,  Dhruv

May his soul rest in eternal peace. 


ખાખરેચી હાલ મોરબી સ્વ. મલુકચંદ દેવશીભાઈ લોદરિયાના પુત્ર રસીકલાલ (ઉં. વ. ૭૫) તે કિરણબેનના પતિ. ભાવેશ, કલ્પેશના પિતાશ્રી. સ્વ. જયંતીલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. જેવંતલાલ તથા કંચનબેન, હર્ષાબેન, વર્ષાબેન, જયોત્સનાબેનના ભાઈ. સસુરપક્ષે હસમુખલાલ, તનસુખલાલ અને ધ્રુવના જમાઈ ૪-૧૦-૧૨ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. બેસણું ૬-૧૦-૧૨ના ૧૦ થી ૧૨ મોરબી મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

*************************
Native : Wankaner
Currently At : Kandivali (Mumbai)
Name of the deceased : Induben Kantilal Mehta
Age : 76 Years
Date of Death : 02-10-2012
Husband : Late Kantilal Durlabhji Mehta
Sons : Rajesh, Digant
Daughters-in-Law : Rajul, Jayshree
Daughters : Nikita Mahesh Shah, Hetal Manish Varia
Grandchildren : Neel, Vama, Hinal
Father :Late Manilal Laxmichand Sheth

May her soul rest in eternal peace.


વાંકાનેર (હાલ કાંદિવલી) ઈન્દુબેન મહેતા (ઉં. વ. ૭૬) તે સ્વ. કાંતિલાલ દુર્લભજી મહેતાના ધર્મપત્ની મંગળવાર, ૨-૧૦-૧૨ના અરિહંતશરણ થયેલ છે. તે રાજેશ, દિગંત, નિકીતા મહેશ શાહ, હેતલ મનીષ વારીયાના માતુશ્રી. રાજુલ જયશ્રીના સાસુ. નીલ વામા હીનલના દાદી. પિયરપક્ષે વાંકાનેર મણીલાલ લક્ષ્મીચંદ શેઠના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૭-૧૦-૧૨ના ૧૦ થી ૧૨. સ્થળઃ બાલાશ્રમ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ રોડ એકસટેન્શન, કાંદિવલી (વે.), મુંબઈ. 

Magic Trick By Teller With An Amazing Ending






Magician Teller performs one of his amazing magic illusions.



Friday, October 5, 2012

આપણી સમૃદ્ધિના આપણે જ કોલંબસ – સુરેશ દલાલ



જે લોકો પુસ્તકોની દુનિયા સાથે સંકળાયેલા છે એમને ખ્યાલ છે કે છેલ્લાં કેટલાંક વરસોથી ‘સેલ્ફ હેલ્પ’નાં પુસ્તકોની ગાજવીજ છે. આપણું જીવન કોઈ જીવી નહીં શકે. આપણા ગુરુ આપણે જ થવાનું છે. આપણે જ આપણી દીવાદાંડી. આપણે જ આપણા માર્ગદર્શક. આપણે ભીરુ નથી થવાનું પણ આપણે જ આપણા ભેરુ થવાનું છે. કોઈ બહારનો માણસ તમને તારી નહીં શકે. અનુભવથી જ આપણે શીખવાનું છે. આપણે જ આપણી યોગશાળા – પ્રયોગશાળા. છેલ્લા કેટલાયે વખતથી એક પુસ્તકની ચિક્કાર બોલબાલા છે. The Power of Now. અત્યારે અને અબઘડીની શક્તિ. એના લેખક ઍકહર્ટ ટોલી. ન્યૂયોર્ક ટાઈમ્સનું બેસ્ટ સેલર પુસ્તક. અનેક ભાષામાં આ પુસ્તકના અનુવાદ થયા. દુનિયાભરમાં એની યશોગાથા ચાલે છે.

કાલથી વિમુક્ત થવાની અને આ ક્ષણ સાથે યુક્ત થવાની વાત છે. વાત નવી નથી. બુદ્ધથી માંડીને જે.કૃષ્ણમૂર્તિએ પણ આ જ વાતને કહી છે. દરેકની કહેવાની રીત જુદી હોય છે. પણ નીંદમાં રહીને જીવવાને બદલે જાગૃતિથી જીવવાની વાત છે. આપણે જ આપણને પીડીએ છીએ. મળ્યું છે એને માણતા નથી અને નથી મળ્યું એનો વજનદાર વસવસો જીવનને નઠોર અને કઠોર કરી મૂકે છે. માત્ર સતત ચિંતા કરીએ છીએ. નથી નથીની વાતો કરીએ છીએ. કૈંક પાસે હોય તો એ છીનવાઈ જશે તો શું એની પણ ચિંતા. ચિંતા ચિત્તને કોરી ખાય છે. ભૂતકાળ અને ભવિષ્યને હડસેલી દઈને મનને એક જ વાત કહેવાની છે કે જે કૈં બનશે તે અત્યારે, અબઘડીએ જ બનશે. પોતાના મનની માંદગીનો પોતે જ ઈલાજ કરવાનો છે. માનસશાસ્ત્રીઓ અમુક હદ સુધી તમને મદદ કરી શકે. આપણે આપણી જાતને હડધૂત કરીએ છીએ. બીજા સાથે સરખાવીએ છીએ. આપણે જ આપણું મૂલ્ય ઓછું આંકીએ છીએ. આપણને આપણા પોતામાં જ ભરોસો નથી. દરેક વ્યક્તિમાં કૈંક ને કૈંક તો હોય જ છે. વૃક્ષોને જો અનુકૂળ જમીન અને હવા-પાણી મળે તો અંકુરિત થઈ શકે એમ છે. પણ આપણે જ બીજને દાઝેલી ભૂમિમાં વાવીએ છીએ અને પછી બીજમાંથી વૃક્ષ નથી થતું એની રાવ-ફરિયાદ કરીએ છીએ.

આપણી અંદર વિચારોનો ટ્રાફિક જામ છે. આપણે આપણી ભીતર અવકાશ નથી ઊભા કરતા. આપણો જામ ખાલી હોય તો એમાં કશુક ભરાય. આપણા જ જામમાં ગટરનું પાણી હોય અને એ ખાલી ન થાય તો પછી ગંગાજળથી પાત્રને ભરવા માટેની આપણી પાત્રતા ગુમાવી બેસીએ. કોલાહલોથી ઘેરાયેલા આપણે નર્યા આનંદનું સંગીત સાંભળી ન શકીએ. દિવસના ઘોંઘાટની આદત છે, પણ રાતની નીરવ શાંતિનો પરિચય નથી. યાતનાનો અંત આવે ત્યાંથી જ આનંદનો પ્રારંભ થાય છે. એક દષ્ટાંત આપે છે. રસ્તાની ધાર પર એક ભિખારી બેઠો હતો. ત્રીસ વર્ષથી આમ એક જ ઠેકાણે બેઠો બેઠો ભીખ માગે અને બોલે કે વધ્યુંઘટ્યું પરચૂરણ હોય તો ભિક્ષાપાત્રમાં નાખતા જજો. એક અજાણ્યો માણસ પસાર થયો અને એણે ભિખારીને કહ્યું કે મારી પાસે તને આપવા જેવું કશું નથી. તું જેના પર બેઠો છે એ બૉક્સને ખોલીને તેં કદી જોયું છે ? અજાણ્યા માણસે ભિખારીને પૂછ્યું. ભિખારીએ કહ્યું કે ના, કદી નહીં, બૉક્સ તો મારી બેઠકનું સાધન છે. અજાણ્યા માણસે કહ્યું કે તું જેના પર બેઠો છે એને અંદર ખોલીને જો. અજાણ્યા માણસે ભિખારીને આગ્રહ કર્યો. ભિખારીએ ખોલીને જોયું તો અંદર સોનામહોરો હતી.

આપણે બધા એક યા બીજી રીતે ભિખારી જેવા છીએ. જે લોકો પોતાનું ઐશ્વર્ય પોતે ઓળખી શકતા નથી એ કાયમના ભિખારી છે. એને બહારનો માણસ કૈં નહીં આપી શકે. આપણી સમૃદ્ધિના કોલંબસ આપણે જ થવાનું છે. આપણો રસ્તો આપણે જ કાપવાનો છે. આપણી નદી આપણે જ તરવાની છે અને આપણે જ આપણો કિનારો શોધીને સ્વસ્થ, તટસ્થ થઈને આનંદને મનભરીને માણવાનો છે. આપણો આનંદ જેટલો શબ્દોમાં સમાતો નથી એટલો મૌનમાં સમાયેલો હોય છે. રાજેન્દ્ર શાહ એટલે જ કહે છે : ‘આપણા આનંદને અંતરમાં રાખીએ, ન એનો કૈં કીજિયે લવારો.’ કવિ વાણીનો સ્વામી છે છતાંયે આનંદની ક્ષણને મૌનમાં મઢે છે.

Thursday, October 4, 2012

The Magic Behind The Magic

 Dave is an extremely gifted 'clairvoyant' who seems to know a lot about others - even the most detailed financial information
 This video reveals the magic behind the magic, making people aware of the fact that their entire life can be found online. And by doing so urging everybody to be vigilant.


Wednesday, October 3, 2012

Death


   


Native : Arnitimba (Wankaner)
Currently At : Borivali , Mumbai
Name of the deceased : Jevatlal Bhudarlal Shah
Age : 65 Years
Date of Death : 01-10-2012
Father :Late Bhudarlal Ramji Shah
Brothers : Anantrai, Rajnikant
Sisters-in-Law :  Bhavnaben, Rekhaben
Sisters : Kanchanben, Late Kusumben, Shardaben
Brothers-in-Law : Dhirajlal Khandor, Kirtikumar Shah , Late Mahesh Lodaria
Nephews  : Rakesh, Parag
Nieces : Dipti, Bina, Tejal, Vaishali 
Maternal Grandfather : Late Valamji Abji Gandhi

May his soul rest in eternal peace.



અરણીટીંબા (વાંકાનેર) હાલ બોરીવલી શાહ ભુદરલાલ રામજીના પુત્ર જેવતલાલ (ઉં. વ. ૬૫) તે અનંતરાય, રજનીકાંત, કંચનબેન ધીરજલાલ ખંડોર, સ્વ. કુસુમબેન કીર્તિકુમાર શાહ, શારદાબેન મહેશકુમાર લોદરિયાના ભાઇ. અ.સૌ. ભાવનાબેન, રેખાબેનના દીયર. રાકેશ, પરાગ, ભાવીક, દીપ્તી, બીના, તેજલ, વૈશાલીના કાકા. ગાંધા વલમજી અબજીના ભાણેજ ૧-૧૦-૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.