Friday, November 30, 2012

Samaj Utkarsh Volume No 577 October 2012


To read Pages 1 to 8 of Samaj Utkarsh click here 

To read Pages 9 to 16 of Samaj Utkarsh click here 

To read Pages 17 to 24 of Samaj Utkarsh click here 

To read Pages 25 to 32 of Samaj Utkarsh click here 

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.


સાચું શું અને ખોટું શું ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા ભાગ 2

અગાઉ  સાચું શું અને ખોટું શું ? ભાગ 1 માં થોડા વહેમો વિષે વાંચ્યું હવે વાતને આગળ વધારીએ થોડા વધુ વહેમો વિષે વાંચીએ 

[7] આપણે આપણાં મગજનો આઠથી દસ ટકા ભાગ જ વાપરીએ છીએ !
આવું હજું પણ સબકોન્શ્યસ મગજ વિશે ભણાવતા લોકોનાં ભાષણોમાં આવે જ છે. ઘણા મત-મતાંતર ધરાવતો આ વહેમ ખૂબ ઊંડા મૂળ ધરાવે છે. બાકી, હાલમાં જ બ્રિટીશ મેડિકલ જર્નલના આર્ટિકલમાં વિવિધ સંશોધનોથી સાબિત કરાયેલ એક તારણ આવ્યું હતું. જે મુજબ મગજનો એક પણ ભાગ સાવ સુષુપ્ત હોય તેવું જણાયું નથી. અને મગજના કોઈપણ ભાગને થયેલું નુકશાન કંઈક તો ખોડ છોડતું જ જાય છે. (જે તે ભાગનો કાર્યવિક્ષેપ દેખાય જ છે.)

[8] ઝાંખા પ્રકાશમાં વાંચવાથી આંખને નુકશાન થાય છે !
આ પણ એક વહેમ જ છે. ઝાંખા પ્રકાશમાં બેસીને વાંચવાથી આંખને થોડોક પરિશ્રમ કદાચ વધારે પડે. પરંતુ કોઈપણ જાતનું નુકશાન તો નથી જ થતું. એટલે જ તો સદીઓ સુધી આપણાં માણસો રાત્રિના ઝાંખા પ્રકાશમાં ખેતરના કામ કરી શકતા. યોગ્ય પ્રકાશમાં બેસીને વાંચવાથી અક્ષરો ઊકેલવાની માથાકૂટ ન રહે અને ઝડપથી વાંચી શકાય, પરંતુ ઝાંખા પ્રકાશમાં જો ફરજિયાતપણે વાંચવાનો વારો આવે તો મૂંઝાવાની જરૂર નથી, એનાથી કોઈ જ નુકશાન થતું નથી ! (બ્રિટીશ મેડિકલ જર્નલના એક આર્ટિકલ પરથી)

[9] છીંક ખાતી વખતે ‘ભગવાન ભલું કરે’ એમ બોલવું જોઈએ !
દુનિયામાં લગભગ દરેકે દરેક ભાગમાં છીંક ખાતી વ્યક્તિએ અથવા એની બાજુમાં ઊભેલા વ્યક્તિએ આવા મતલબના વાક્યો બોલવા જોઈએ એવો વહેમ છે. આવું આખી દુનિયામાં કેમ હશે ? કારણ ખૂબ જ રસપ્રદ છે. શરીરનાં દરેક સામાન્ય કાર્યમાં એક છીંક જ એવી છે જે ખાતી વખતે એકાદ ક્ષણ માટે હૃદય પણ ધબકતું અટકી જાય છે. એનો અર્થ એવો જ કે જો એ પાછું શરૂ ન થયું તો ? અને એવું ન થાય માટે છીંક ખાતી વ્યક્તિને આશીર્વાદ આપવાની પ્રથા લગભગ દરેક પ્રજામાં પ્રચલિત બની હશે.

[10] માસિક દરમિયાન દીકરી કે સ્ત્રી જો અથાણાંની બરણીને અડકે તો અથાણું બગડી જાય !
આ વહેમ આજે પણ ગામડાઓમાં જેમનો તેમ જ હયાત છે. ભલા શરદીવાળી વ્યક્તિ અડકે તો અથાણું ન બગડે ને માસિકવાળી દીકરી અડકે તો બગડી જાય ! કોઈએ ક્યારેય લોજિક વાપર્યું જ નહીં હોય ? પણ, ઓછાયો એક એવો વિચિત્ર અને બિહામણો (છતાં અસ્પષ્ટ) શબ્દ છે કે એને કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે કે તરત જ લોકો ડરવા માંડે છે. આ કિસ્સામાં પણ આવું જ બન્યું હશે. હવે તો શહેરોમાં વિભક્ત કુટુંબોમાં એક જ સ્ત્રી માતા, પત્ની, ઘરની માલકણ બધું જ હોય ત્યાં બીજું કોણ અથાણાં વગેરે ફેરવવાનું કામ કરી આપે ? તો પણ અથાણાં નથી જ બગડતા ! જે અથાણાની બરણીને કોઈ સ્ત્રી ક્યારેય ન અડકી હોય એ પણ બરાબર ન સચવાય તો બગડી જઈ શકે છે ! માટે આવા વહેમોમાં ન માનવું.

[11] કંઈ પણ સારું વિચારીએ કે બોલીએ કે તરત જ લાકડાને અડકી લેવું જોઈએ (Touch wood !)
આ વહેમ પરદેશથી પધાર્યો હોય એવું લાગે છે. આપણા કૉલેજીયન યુવક-યુવતીઓમાં (અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં ભણેલાઓમાં) આ વહેમ વધારે પ્રચલિત છે. પહેલાના જમાનામાં યુરોપમાં એવું મનાતું કે લાકડામાં ખૂબ જ સારા આત્માઓનો વાસ હોય છે. એટલે જ્યારે આપણે કંઈ સારું બોલીએ કે વિચારીએ ત્યારે તરત જ લાકડાને ઠપકારવું જોઈએ, જેથી એમાં વસેલા સારા આત્માઓ આપણાં સારા વિચારોનું રક્ષણ કરે અને આપણને કમભાગ્યથી બચાવે ! આ વહેમ કોઈ જગ્યાએ નુકશાનકારક નથી લાગતો. પરંતુ આવા વહેમનું વળગણ આપણને ક્યારેક પાગલ જેવા બનાવી દે છે. એક કોલેજિયન યુવતીને આવી ટેવ હતી. એક વખત બસમાં એણે કંઈક સારી વાત કરી, પછી માંડી લાકડું શોધવા. ક્યાંય લાકડું દેખાયું નહોતું એટલે મૂંઝાઈ. બેચાર સ્ટેશન પસાર થયાં ત્યાં સુધીમાં તો એ રડવા માંડી. કારણ કે બસ બધી જગ્યાએ થોડીવાર માટે જ ઊભી રહેતી હતી. ગીર્દી પણ ખૂબ હતી. એટલે એ કોઈ સ્ટેશન પર નીચે ઉતરીને પણ લાકડાને અડકવા જઈ શકતી નહોતી. બધા એને છાની રાખવા પ્રયાસ કરવા લાગ્યા ! બસમાં વાત ફેલાઈ ગઈ એમ એ યુવતી હાસ્યાસ્પદ વ્યક્તિ બનતી ગઈ. છેવટે એક દાદા લાકડી લઈને ચડ્યા ત્યારે એની લાકડીને અડકીને એને શાંતિ થઈ ! (આ સત્યઘટના છે !) આવું ગાંડપણ આવા સામાન્ય દેખાતા વહેમનું લાગી શકે છે. એટલે આ બધાથી દૂર રહેવું જ સારું !

[12] પરદેશના કેટલાક વહેમો !!
વહેમો અને અંધશ્રદ્ધા એ માત્ર આપણો જ ઈજારો નથી ! આખી દુનિયા કોઈને કોઈ સ્વરૂપમાં એનો શિકાર રહી જ છે. યુરોપ તેમજ અમેરિકામાં ચાલી રહેલા ઢગલાબંધ આવા વહેમોમાંથી અહીં થોડાક વહેમોની વાતો કરીએ. આ વહેમો શું કામ બન્યા હશે તેનું આગળના પ્રકરણોની માફક વિશ્લેષણ નહીં કરીએ. (અને એ સંસ્કૃતિ વિશે અજાણ હોવાથી મારી હેસિયત પણ નથી !) એટલે સાચું શું અને ખોટું શું એ બાજુ પર રાખીને ફક્ત જાણવા માટે અને કંઈક અંશે હળવાશ માટે આપણે થોડાક વહેમો જોઈએ !
(ક) પાથરેલું ગાદલું રવિવારે ન વાળવું, નહીંતર ખરાબ સપનાં આવે.
(ખ) ભોજનના ટેબલ પર કોઈ ગીતો ગાય તો જીવનસાથી પાગલ મળે !
(ગ) ઘરમાં જે દ્વારથી અંદર જતા હો એમાંથી જ બહાર નીકળવાનો રસ્તો પણ હોવો જોઈએ. નહીંતર ઘરની સમૃદ્ધિ જતી રહે !
(ઘ) નવા વરસની રાત્રે જો બારીમાં સિક્કાઓ મૂકી દો તો આખું વરસ પૈસાની તંગી ન રહે !
(ચ) લગ્નની રાત્રે પતિ-પત્નીમાંથી જે વહેલું સૂઈ જાય તે બીજા કરતા વહેલા મૃત્યુ પામે !
(છ) કોઈ ઘર બદલે ત્યારે જો વરસાદ પડે તો નવી જગ્યાએ એ માણસને ખૂબ જ પૈસા મળે !
(જ) જમણા કાનમાં ખંજવાળ આવે તો કોઈ આપણા વિશે સારું બોલતું હોય અને ડાબામાં આવે તો કોઈ આપણી ટીકા કરતું હોય !

Thursday, November 29, 2012

When humans are in trouble at sea, dolphins intervene and come to the rescue.  From the award winning 1999 BBC documentary series "Supernatural".

In two similar incidents, one in 2004 and one in 2007, pods of dolphins circled imperiled surfers for over thirty minutes in order to ward off aggressive great white sharks. And in 2000, a fourteen year old boy fell off a boat in the Adriatic Sea and nearly drowned before being rescued by a friendly dolphin. The marine mammal swam up alongside the boy and pushed him back to the boat from which he had fallen, where the boy's father promptly scooped him up. Far from being merely a modern phenomenon, historical accounts show that dolphins have been saving humans for centuries. In the 1700s, a pod of dolphins helped rescue Vietnamese sailors when their boat was sunk by Chinese invaders. According to the Whale and Dolphin Conservation Society, recorded stories of dolphins protecting humans date back to ancient Greece.


Wednesday, November 28, 2012

સાચું શું અને ખોટું શું ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા ભાગ 1

[દુનિયામાં વહેમો અને માન્યતાઓનો પાર નથી. (એ જેટલા નવા બનાવવા હોય એટલા બનાવી શકાય. જેમ કે આ વેબસાઈટ પાંચ વખત ‘રિફ્રેશ’ કરવાથી ઝડપથી ખૂલે છે !!) આ પ્રકારના અર્થ વિનાના વહેમ અને માન્યતાઓનું પોસ્ટમોર્ટમ કરી તેની પાછળનો સાંપ્રત દષ્ટિકોણ સમજાવતા ડૉ. આઈ. કે. વીજળીવાળાના પુસ્તક ‘સાચું શું અને ખોટું શું ?’માંથી કેટલાક વહેમોની વાતો અહીં સાભાર લેવામાં આવી છે. વિશેષરૂપે આ પુસ્તક તેમણે ‘સ્ત્રી કેળવણી મંડળ’ માટે તૈયાર કર્યું છે..]



[1] બાળકના જન્મ પછી માતાએ કાને બાંધી રાખવું જોઈએ, નહીંતર પવન ઘૂસી જાય
આ સાવ વાહિયાત વાત છે. આ તો પગમાં પથ્થર વાગે અને કાનનો પડદો તૂટી જાય એવો ઘાટ થયો કહેવાય. પ્રસૂતિ કે બાળજન્મની પ્રક્રિયામાં ક્યાંય પણ માતાના કાનની રચનામાં જરાપણ ફેરફાર થતો નથી. અને મધ્યકર્ણમાં તો આમેય હવા હોય જ છે, એટલે બહારની હવા ઘૂસી જવાની વાત જ સાવ ફાલતુ છે. પરંતુ આ માન્યતાના કારણે ધોમધખતા ઉનાળામાં કે અસહ્ય ગરમી તેમજ બફારાભર્યાં વાતાવરણમાં પણ પ્રસૂતાઓને સાસુમાઓ પરાણે કાન પર બંધાવતી હોય છે. પરદેશમાં આટલી ઠંડી પડે છે તો પણ ડિલિવરી પછી કાન પર કપડું બાંધવાની પ્રથા ત્યાં નથી. (કદાચ સાસુમાઓ નહીં હોય એટલે ?!) એટલે, આ રીતે કપડું બાંધવાથી કોઈ જ ફાયદો થતો નથી. હા, નુકશાન જરૂર થઈ શકે. એના લીધે માતાને ગરમીને કારણે થતાં ચામડીના રોગોનું પ્રમાણ કે અળાઈઓ આનાથી જરૂર વધી શકે !

[2] નાના બાળકને ગ્રાઈપવોટર આપવું જ જોઈએ
ગ્રાઈપવોટર અંગેની જાહેરખબરોનો મારો ટીવી પર એટલો ચાલે છે કે લગભગ દરેક માતાપિતાને એ આપવાની ઈચ્છા થઈ જ આવે. પરંતુ છેલ્લા વરસોથી આપણાં સમાજમાં વપરાતા 70 ટકાથી પણ વધારે ગ્રાઈપવોટર બ્રાન્ડ્સની સફળતાનું રહસ્ય છે એમાં રહેલો દારૂ (આલ્કોહૉલ) ! 27 બ્રાન્ડના ગ્રાઈપવોટરમાંથી 18 બ્રાન્ડની બાટલી પર લખેલું આવે છે કે દારૂનું પ્રમાણ 5 ટકા ! હવે આ પ્રમાણ અને બીયરમાં રહેલા દારૂનું પ્રમાણ સરખું જ છે. બીયરમાં પણ દારૂનું પ્રમાણ હોય છે 5 ટકા ! હવે નીચેનું વિશ્લેષણ વાંચો :

બીયર (દારૂયુક્ત પીણું) તેમજ ગ્રાઈપવોટરમાં દારૂનું પ્રમાણ હોય છે 5 ટકા. ચાર કિલો સુધીનું વજન ધરાવતા બાળકનાં શરીરમાં લોહીનું પ્રમાણ હોય છે 280 થી 300 મિલિલીટર. પુખ્ત વયના પ્રમાણનાં શરીરમાં લોહીનું પ્રમાણ હોય છે 5000 મિલિ લીટર (5 લીટર). બેથી ત્રણ ચમચી ગ્રાઈપવોટર આટલા વજનના બાળકને અપાય તો એના લોહીમાં દારૂનું પ્રમાણ થઈ જાય લગભગ 2 ટકા. હવે આટલું જ દારૂનું પ્રમાણ કરવા માટે પુખ્તવયના માણસે 250 મિલી લીટર બીયર પીવો પડે. એટલે એનો અર્થ એવો જ થાય કે રોજ બે કે ત્રણ ચમચી ગ્રાઈપવોટર પીતું બાળક અડધો બાટલો બીયર જેટલો દારૂ પી જાય છે !! હવે આટલો બધો દારૂ રોજ પી જતું બાળક રડવાનું ભૂલીને રમવા ન માંડે તો બીજું શું કરે ? (આટલો બીયર પીને તો મોટા લોકો પણ રમવા માંડે છે !) અને માબાપ પણ આટલા ખુશખુશાલ થઈ જતા બાળકને જોઈને પેઢી દર પેઢી આ ઉપાય અજમાવે જ ને ? પરંતુ આટલો દારૂ નુકશાનકર્તા તો છે જ. એટલે ગ્રાઈપવોટર ન આપવું જોઈએ. હા, દારૂ વગરનાં ગ્રાઈપવોટર કે સુવાના પાણીને સલામત જરૂર ગણી શકાય, પરંતુ આવી બધી ઘરગથ્થુ પ્રથાઓને તિલાંજલિ આપવી એ જ બાળકના હિતમાં હોય એવું નથી લાગતું ?

[3] શરદીવાળા બાળકને કેળાં ન અપાય !
કેમ ભાઈ ! શરદી વખતે કેળાં કેમ ન આપી શકાય ? આપી જ શકાય વળી, એનાથી શરદી વધવાની જરાય શક્યતા નથી. માંદા બાળક માટે કેળા જેવું સુપાચ્ય અને શક્તિથી ભરપૂર ફળ બીજું એકેય નથી. આપણે અહીં સફરજન ઉગતા હોવાને કારણે આપણને સફરજનનો વધારે મોહ રહે છે અને કેળા આંગણાનું ફળ હોવાથી એની કંઈ કિંમત નથી. હકીકતમાં કેળા વધારે સારું ફળ છે ! કંઈ પણ ન ખાતાં બાળકને કેળા આપવાથી એને જોઈતી શક્તિ મળી રહે છે અને એ જલદી સારું થાય છે.

[4] બે જણનાં માથા ભટકાય તો તરત જ થૂંકી નાખવું, નહીંતર મા મરી જાય !
બે જણનાં માથા ભટકાય એમાં એમના ઘરે બેઠેલી માતા શું કામ મરી જાય, એ ગળે ઊતરવું અઘરું છે ! પરંતુ આજના દિવસે પણ લગભગ દરેક વિદ્યાર્થીને આ માન્યતા ખબર હશે અને એ લોકો એનું બરાબર પાલન કરતા જ હશે ! હવે આવો વહેમ કેમ ઉદ્દભવ્યો હશે એ જોઈએ. બે જણના માથા જોરથી ભટકાય તો ઘણા લોકોને નાકના અંદરના ભાગમાં કે મગજની નીચે રહેલા હાડકાઓમાં ઈજા પહોંચી શકે. આ વખતે થોડોક રક્તસ્ત્રાવ ગળામાં થઈ શકે. જો નાકમાંથી લોહી નીકળે તો બહાર દેખાવાનું જ છે, પરંતુ ગળામાં થતો રક્તસ્ત્રાવ જો વ્યક્તિ બહાર થૂંકે તો જ ખબર પડે ! આ સામાન્ય તર્કનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હશે. જો વ્યક્તિ માથું ભટકાયા પછી થૂંકે અને લોહી દેખાય તો જલદી સારવાર થઈ શકે !

[5] પુરુષની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ફરકે તો લાભ થાય
કોઈપણ અંગ ફરકવું એ એના સ્નાયુમાં થતાં વારંવારના ઝડપી સંકોચન-વિકોચનના કારણે હોય છે. આંખનું પણ એવું જ. આંખ થાકી હોય, ઊંઘનો અભાવ હોય કે પછી બીજા એકાદ બે મગજનાં કારણો હોય તો આંખના સ્નાયુઓ આવો ફેરફાર અનુભવે છે. એને લાભ કે હાનિ સાથે જોડી દેવાનો કોઈનો તુક્કો ચાલી ગયો છે. બાકી, હકીકતમાં એવું કંઈ હોતું નથી ! (ઘણી વખત ચેતાકેન્દ્રોમાંથી આવતા વધુ પડતા ઈલેક્ટ્રીક કરંટના કારણે તેમજ ચેતા કેન્દ્રોના રોગોના કારણે પણ આવું થઈ શકે છે.)

[6] મુસાફરીએ કે સારા કામે જનાર વ્યક્તિ જો ઘરમાંથી નીકળતા જ પડી જાય કે એનું સંતુલન જાય તો એ દિવસે બહાર જવાનું મુલતવી રાખવું. (એ અપશુકન થયેલા ગણવાં)
આપણા વડવાઓની બુદ્ધિ માટે ખરેખર માન થઈ આવે એવો આ વહેમ છે. પહેલાના જમાનામાં મુસાફરીએ જતા લોકો દિવસોના દિવસો જંગલમાંથી કે અંતરિયાળ રસ્તા પરથી પસાર થતા. જો રસ્તામાં ક્યાંય તબિયત બગડે તો માઈલોના માઈલો સુધી સારવાર પણ ન મળે તેવું બનતું. એટલે ઘરથી બહાર નીકળતી વ્યક્તિ જો પડી જાય તો એને એકાદ દિવસ ખમી જવાનું કહેવાતું. એટલે એને કંઈક શારીરિક તકલીફ હોય તો ઘરે જ સારવાર થઈ શકે. અને આમેય જેમાં સંતુલન ખોરવાઈ જાય એવો રોગ એકાદ દિવસમાં તો પોત પ્રકાશે જ ! એટલે કદાચ આવો વહેમ અસ્તિત્વમાં આવ્યો હશે.


Tuesday, November 27, 2012

Human-Powered Rube Goldberg Machine

A new twist on the average Rube Goldberg machine by powering it up with freerunner Jason Paul.
Freerunning to the next level: Jason Paul conquers house high container falling like dominoes, jumps into a moving convertible, from which he must escape quickly. A chain reaction in the free-running style of Jason Paul.

Reuben Lucius Goldberg (1883 - 1970) was an American cartoonist, sculptor, author, engineer and inventor. He is best known for a series of popular cartoons depicting complex gadgets that perform simple tasks in indirect, convoluted ways. 



Monday, November 26, 2012

જાહેરમાં ગુજારાતા અત્યાચાર – ભગવતીકુમાર શર્મા


[‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.]

છેલ્લાં ચાળીસેક વર્ષમાં અનેકાનેક કાર્યક્રમોમાં હાજરી આપવાનું બન્યું છે. શ્રોતા તરીકે, રિપોર્ટર તરીકે, વક્તા તરીકે, પ્રમુખ-અતિથિવિશેષ તરીકે. આમાંના બહુ જ થોડા કાર્યક્રમો વિશે સુખદ અનુભવો થયા છે. કેટલાક કાર્યક્રમોના આયોજન સાથે તો સંકળાવાનું પણ બન્યું છે. એવા કાર્યક્રમોના આયોજન-પાસાથી પણ કાંઈ ઝાઝો સંતોષ થયો નથી. સમારંભોનું પ્રમાણ સર્વત્ર ધોધમાર રીતે વધતું જ જાય છે. કેમ કે વસતિ વધી છે, સંસ્થાઓ વધી છે, તેઓની ઉપરછલ્લી તો ઉપરછલ્લી પણ પ્રવૃત્તિઓ વધી છે, કીર્તિવાંચ્છુઓ વધ્યા છે, પ્રસિદ્ધિની તકો વધી છે. પરંતુ સમારંભોમાં આયોજનો પરત્વેનું રેઢિયાળપણું ઘટતું નથી, વધતું જ જાય છે. આને પરિણામે મોટા ભાગના કાર્યક્રમો મનહૃદયમાં મધુર સ્વાદ મૂકી જનારા નીવડતા નથી.

પહેલી વાત એ કે બહુ થોડા સભાસમારંભો સમયસર શરૂ અને સમયસર પૂરાં થાય છે. મારા જેવા થોડાક માણસો નિયત સમય કરતાં પા-અડધો કલાક વહેલા પહોંચી જાય, પણ ભોંઠા પડે. કાં તો આયોજકો જ ન હોય અને શ્રોતાઓ હોય તો ગણ્યાંગાંઠ્યા. જાહેર થયેલા સમય કરતાં અડધો કલાક મોડો પણ જ્યારે કાર્યક્રમ શરૂ થવાના ચાળા ન વર્તાય, ત્યારે કોઈ આયોજક ગરીબડું મોઢું કરી આપણી સમક્ષ કહે : ‘હેં….હેં….હેં…! શું થાય ? આ તો ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે !’

ઓ.કે ! વક્તા કે પ્રમુખ-બ્રમુખ તરીકે જવાનું હોય, કાર લઈને આયોજકો ઘરે અમુક સમયે આવશે તેમ નક્કી થયું હોય, એટલે આપણે બિફોર ટાઈમ કપડાં-બપડાં બદલી તૈયાર થઈ બારીએ ડોકાયા કરીએ. કાર કોઈક વાર સમયસર આવે, પણ ઘણુંખરું મોડી જ આવે. એ જ બચાવ : ‘શું કરીએ ? ખાલીખમ હૉલમાં આપને લઈ જઈએ તે કાંઈ ઠીક લાગે ?’ કદીક કાર કલાક વહેલી પણ આવી ચઢે ! કારણ ? ‘ફલાણાભાઈ અને ફલાણાભાઈને પિકઅપ કરવાના છે ને રસ્તામાં તમારું ઘર પહેલું આવે એટલે પહેલા તમને જ પિકઅપ કરી લઈએ અને પછી…..!’ એટલે આપણે લૂસ લૂસ કરતા બે કોળિયા જમી, ઝટ ઝડ કપડાં બદલી કારમાં ખડકાઈએ અને નગરપરિક્રમાનો આનંદ મફતમાં માણીએ !

સભાસ્થળે પહોંચી મંચ પર ગોઠવાઈએ, એટલે કોઈક સ્માર્ટ કાર્યકર પ્રસન્ન વદન રાખી આપણા હાથમાં કાર્યક્રમના એજન્ડાનું કાગળિયું પકડાવી જાય ! હવે તો એવું કાગળિયું હાથમાં લેતાં અને તેમાંની વિગતો વાંચવી શરૂ કરતાં હું રીતસર ધ્રુજારી અનુભવું છું ! કાર્યસૂચિની આઈટેમો પંદર-વીસ-પચીસથી ઓછી હોય તો તે સાંજ કે રાત પૂરતી આપણી જાતને પરમ ભાગ્યશાળી જ માનવી પડે ! પ્રાર્થના તો હોય જ ! પછી સ્વાગત-ગીત ! સ્વાગત-પ્રવચન ! શ્રી કોમ્પિઅર કે માસ્ટર ઑફ ધ સેરિમની કહેશે : ‘શબ્દોમાં સ્વાગત બાદ હવે પુષ્પોથી સ્વાગત……!’ ભલે ભાઈ ! પણ હવે એમાં નવી તરકીબ ઉમેરાઈ છે : ધારો કે મંચ પરના પાંચ મહાનુભાવોને પુષ્પાર્પણ કરવાનાં છે, તો એક વ્યક્તિ ફટાફટ તેઓને પુષ્પગુચ્છ આપી દે તેને જૂનવાણી રીતરસમ લેખવામાં આવે છે ! તેને બદલે, ‘પ્રમુખશ્રી માનનીય અમથાલાલને સંસ્થાના પ્રમુખશ્રી જેઠાભાઈ, અતિથિવિશેષ શ્રી મફતલાલને સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કચરાભાઈ, બીજા અતિથિવિશેષ શ્રી પૂંજાભાઈને સંસ્થાનાં મંત્રી શ્રીમતી જડાવગૌરી, ઉદ્દઘાટક શ્રી ઉઠાભાઈને સંસ્થાનાં સહમંત્રી કુમારી શ્લેષ્માબહેન પુષ્પગુચ્છ અર્પણ કરી પોતાના આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરશે અને મહાનુભાવોને સ્નેહની સુગંધથી તરબતર કરશે,’ તેવી સુમધુર ઘોષણા પ્રવક્તા શ્રી એકાદ શેર ફટકારવાની સાથે કરશે. જેમ કે : ‘ફૂલોની મહેક આપના સ્વાગતમાં છે હજુ, સૌરભથી બાગબાગ રહો એ જ આરઝુ….!’ ઈત્યાદિ…..ઈત્યાદિ…..!

અને હવે ‘ડાયસ પર બેઠેલા મહાનુભાવોનો પ્રેરક પરિચય…..!’ એમાં પણ એ જ આયોજન : અમથાલાલનો પરિચય માખણલાલ, જેઠાભાઈનો પરિચય શકરાભાઈ, ફોગટલાલનો પરિચય દિવાળીબહેન, જમરૂખભાઈનો પરિચય ગુવારશિંગબહેન….. ઍન્ડ સો ઓન ! દરેક પરિચાયક આટલું તો અવશ્ય કહેશે : ‘શ્રીમાન ફોગટલાલને આ શહેરમાં કોણ નથી ઓળખતું ? એમનો પરિચય આપવો તે સૂરજને આરસી બતાવવા જેવું છે, છતાં મારે માથે આવેલી ફરજ બજાવતાં હું (ફરીથી એ જ) આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું ! ફોગટલાલનો જન્મ ઈ.સ. 1920ની 1લી એપ્રિલે જામખંભાળિયામાં….!’ આખા સમારંભમાં ‘આ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું’ એવા ઉલ્લેખો તમને એટલી બધી વાર સાંભળવા મળે કે શબ્દકોશમાંથી એ બે શબ્દોને તડીપાર કરવાનું ખુન્નસ ચઢી આવે ! પણ તમે લાચાર છો…. અને તમારી લાચારી વધતી જ જવાની છે સમારંભની પૂર્ણાહુતિ સુધી !

પછી આવે મંગળદીપના પ્રજ્વલનનો મંગળવિધિ ! છેલ્લી ક્ષણે દીવાસળીની પેટી જ ખોવાઈ જાય ! મીણબત્તીની ગોઠવણ કરવાનું પેલા ચંપકને અગાઉથી કહી રાખ્યું હોય, પણ એના કોઈ કામમાં ક્યારે ભલીવાર હોય જ છે ? સીલિંગ ફેન બંધ કરવો પડે, નહિતર માંડ પ્રગટેલો દીપ બુઝાઈ જાય ! અને મોતિયાવાળી આંખો ધરાવતા (મારા જેવો સ્તો !) દીપ પ્રજ્વલનકારને મદદ કરવી પડે, નહીંતર તે બાજુમાં ફોટો પડાવવા માટે સસ્મિત વદને ઊભેલા કોઈ ‘મહાનુભાવ’ની કફનીની બાંયનું પ્રજ્વલન કરી બેસે ! ચાલો, એય પત્યું ! હવે શું ? જુઓ એજન્ડા : ‘પ્રાસંગિક પ્રવચનો !’ કેટલાં છે ? ઓછામાં ઓછાં ત્રણ તો ખરાં જ ! પાંચ, સાત કે નવ પણ હોઈ શકે ! દરેક વક્તાને પાંચ મિનિટ ચુસ્તપણે ફાળવાઈ હોય, પણ તે ‘મંચ પરના મહાનુભાવો’નાં નામ અને પદવીના ઉલ્લેખો સહિતનાં સંબોધનો કરવામાં જ પહેલી બે મિનિટ ખાઈ જાય ! બાકીની ત્રણ મિનિટમાં શું બોલવું ને શું ન બોલવું ? કોઈક ત્યાગમૂર્તિ સમાન વક્તા શહીદીના જુસ્સામાં આવીને કટુતાપૂર્વક એવી પણ ઘોષણા કરી નાખે : ‘મારે ફાળે આવેલી પાંચ મિનિટનું સમયદાન હું મારા પછીના વક્તાને કરું છું !’ અને થાકેલા-હારેલા-બગાસાં ખાતા-ઊંઘરેટા શ્રોતાઓ તેને તાળીઓથી વધાવે !

અને હવે સમારંભનો મુખ્ય ભાગ ધીરેધીરે શરૂ થાય : પુસ્તકનું વિમોચન હોય યા કોઈ મહાનુભાવનું કે કોઈ ‘સપૂત’નું સન્માન હોય ! ત્યાં સુધીમાં સમારંભના ઘોષિત સમય પછીના બે’ક કલાક તો વીતવા આવ્યા હોય ! પેલા માસ્ટર ઑફ ધ સેરિમની શેરો-શાયરી અને ‘જૉક્સ’ની રમઝટની વચ્ચે વચ્ચે એવી મંગલ વધામણી આપ્યા જ કરતા હોય : ‘સજ્જનો અને સન્નારીઓ, હજી તો આપણે પ્રમુખ શ્રી કોદરલાલ, અતિથિવિશેષ શ્રી કરોડીમલ, મુખ્ય અતિથિ શ્રી મુલેકચંદ અને વ્યક્તિવિશેષ શ્રીમતી મોંઘીબહેનનાં અદ્દભુત વક્તવ્યો સાંભળવાનાં છે !’ જ્યારે કોદરલાલ કે મુલેકચંદ પોતાનું ‘અદ્દભુત’ વક્તવ્ય આપવા માઈકની નિકટ પ્રસ્થાન કરે ત્યારે અડધું શ્રોતાવૃંદ કા તો નસકોરાં-વિવાદ કરતું હોય, કાં ગુસ્સામાં કે પેટમાં લાગેલી ભૂખને કારણે દાંત કચકચાવતું હોય અને બાળકો પોપકોર્ન કે વેફરનાં કચરકચર ધ્વનિઆંદોલનો સર્જતાં હોય ! મહિલા શ્રોતાઓની પારસ્પરિક સાડીચર્ચા પણ ખૂટી પડી હોય.

મને લાગે છે કે મારી વાતને હવે અહીં જ અટકાવું, નહીં તો આ લેખ પણ આપણા મોટા ભાગના સમારંભો જેવો રેઢિયાળ, લઘરવઘરિયો, કોઈ મોટી ટ્રેજેડી જેવો બની જવાનો ભય રહેશે ! આપણા કાર્યક્રમ-આયોજકો, વક્તાઓ, ‘મંચ પરના મહાનુભાવો’ અર્થાત્ પ્રમુખો, અતિથિવિશેષો, ઉદ્દઘાટકશ્રીઓ, માસ્ટર ઑફ સેરિમનીઓ, શ્રોતાઓ વગેરે સૌને નિયત સમયે શરૂ થતાં, શોર્ટ ઍન્ડ સ્વીટ, બિઝનેસલાઈક સમારંભો કેમ યોજવા તેના અભ્યાસક્રમો શરૂ કરવાની તાતી આવશ્યકતા પેદા થઈ ચૂકી છે. શ્રોતાઓ સમયસર હૉલમાં આવે, સમારંભની ઔપચારિકતાઓ ઓછામાં ઓછી અને ટૂંકી હોય, વક્તવ્યો ઓછાં અને મુદ્દાસરનાં હોય, આભારવિધિઓ-સોરી, વોટ ઑફ થેન્ક્સ – ન જ હોય, પુષ્પગુચ્છ-અર્પણ પણ ટાળી શકાય, સ્મૃતિભેટ-અર્પણ ખાનગીમાં પતાવી દઈ શકાય, પરિચયવિધિ ન જ હોય અને હોય તે બે’ક મિનિટમાં પતવો જોઈએ, માસ્ટર ઑફ સેરિમની બધા વક્તાઓ ખાધેલા કુલ સમય કરતાં બેવડો સમય ખાઈ જાય નહીં તેની કડક તકેદારી રખાય, તો આપણા સમારંભો સહ્ય અને સ્વીકાર્ય બની શકે. બાકી અત્યારે તો જે ચાલી રહ્યું છે તે આયોજકો, વક્તાઓ, શ્રોતાઓનાં સમય-શક્તિ-સાધનોના દુર્વ્યય જેવું અને તેથી લગભગ સાર્વજનિક અત્યાચાર સમાન બની ચૂક્યું છે.

Sunday, November 25, 2012

Synchronized Flyboarding

Flyboard, a new water-powered flying surfboard built by French water sports fan Franky Zapata, lets you surf 30ft above as well as under the water.

The basic Flyboard model costs $ 6,500. It connects to a 100hp jetski that powers it.



Saturday, November 24, 2012

સારો સ્વભાવ સારો સાથીદાર– ભૂપત વડોદરિયા

એક યુવાને વાતવાતમાં પ્રશ્ન કર્યો : ઘણી વાર આપણે કહીએ છીએ કે ‘મેં ખૂબ વિચારીને આ નિર્ણય કર્યો છે’, પણ ખરેખર આપણે ખૂબ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય કરીએ છીએ કે પછી આપણે કોઈ પણ નિર્ણય કરી નાખીએ છીએ અને પછી એ નિર્ણયને વાજબી ગણાવવા માટેનાં કારણ આગળ કરીએ છીએ ? પૂરતાં કારણોના આધારે અમુક નિર્ણય કરીએ છીએ કે અમુક નિર્ણય પહેલાં કરીને પછી તેના માટેનાં પૂરતાં કારણો શોધી કાઢીએ છીએ ?

એક યુવતીનાં માતા-પિતા પોતાની પુત્રી માટે યોગ્ય મુરતિયાની શોધમાં હતાં. યુવતીના પિતા એક પ્રતિષ્ઠિત અને શ્રીમંત વેપારી હતા અને તેની માતા એક આગળ પડતી મહિલા સંસ્થાનાં ટ્રસ્ટી હતાં. પોતાની પુત્રી માટે તેઓ કોઈક લાયક અને આશાસ્પદ યુવાનની શોધમાં હતાં. તેમની પુત્રીને જ પહેલાં પ્રશ્ન કર્યો : ‘દીકરી, તને કેવો જીવનસાથી ગમે ? તું તારા જીવનસાથીના દેખાવ – બાહ્ય વ્યક્તિત્વને વિશેષ મહત્વ આપશે કે તેના બુદ્ધિકૌશલ અને ઊજળા ભવિષ્ય માટેની ગુંજાશને વધુ મહત્વ આપશે ?’

યુવતીએ કહ્યું : ‘આ બાબતમાં મેં કશું વિચાર્યું તો નથી, પણ આ ક્ષણે હું એટલું કહી શકું કે જે યુવાન તેને જોતાંવેંત મારી આંખમાં વસી જાય તેને હું વિશેષ મહત્વ આપું !’


માતા-પિતા પુત્રી સાથે દલીલમાં ના ઊતર્યાં. પછી એક અત્યંત સ્વરૂપવાન યુવક તેને જોવા આવ્યો. યુવતીને યુવક પ્રથમ દષ્ટિએ જ ગમી ગયો. તેણે યુવાનને પ્રશ્ન કર્યો : ‘તમે મને ખૂબ ગમો છો. હું તમને ગમું છું કે નહીં તે નિખાલસપણે કહો !

યુવાને કહ્યું : ‘તમે મને ગમો છો, પણ હું તમારો વિચાર મારી જીવનસંગિની તરીકે કરી શકતો નથી, કેમ કે હું તમને ગમું છું માત્ર મારા રૂપને કારણે, પણ મારું આ રૂપ તો મારી શારીરિક અવસ્થાનું છે. આવતી કાલે કોઈક અકસ્માતમાં મારું રૂપ નાશ પણ પામી શકે ! એવું બની શકે કે કોઈક અસાધ્ય રોગનો ભોગ બનું અને મારી પાસે આજના મારા રૂપમાંથી કશું બચે જ નહીં !’ યુવતીને એક ધક્કો વાગ્યો. તેણે પ્રશ્ન કર્યો :
‘તમે તમારી જીવનસંગિની પાસેથી શેની અપેક્ષા રાખો છો ?’


યુવાને પૂરી ગંભીરતાથી જવાબ આપ્યો : ‘હું તેના આર્થિક-સામાજિક સુગમ સંજોગો કરતાં તેના મૂળભૂત સ્વભાવને વધુ મહત્વ આપું ! જેનો સ્વભાવ સારો હશે તે સુખમાં કે દુઃખમાં મારી સારી સાથીદાર બની રહેશે ! જેનો સ્વભાવ બહુ સારો નહીં હોય તે સુખની સ્થિતિમાં કાંઈ ને કાંઈ ખોટ જોશે અને દુઃખની સ્થિતિમાં તો એ પોતાની છાતી મારું નામ લઈને જ કૂટશે ! એવું ના માનશો કે હું તમને નાપસંદ કરું છું. હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે મેં જે કાંઈ કહ્યું છે તે અંગે તમે સ્વતંત્ર રીતે, શાંતિથી વિચારજો અને તમારા સ્વભાવનું થોડુંક પૃથક્કરણ કરજો !’


એની વાતમાં કાંઈક તથ્ય છે – આપણે સમજી શકીએ છીએ કે રૂપ અને ધનની સ્થિતિમાં સમયની સાથે પરિવર્તન આવી શકે છે પણ મૂળભૂત રીતે સારો, પ્રેમાળ, ઉદાર સ્વભાવ ગમે તેવા આંચકા વેઠી શકે છે – પચાવી શકે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારતની દ્રૌપદી છે. આજના યુગમાં કોઈ યુવતીને પાંચ પુરુષોની પત્ની બનવું ના પડે પણ એક વ્યક્તિમાં જ પાંચ વ્યક્તિઓના ગુણો કે અવગુણોનો મુકાબલો કરવો પડે તેવું બની શકે. દાંપત્યજીવનમાં પુરુષ કે સ્ત્રીમાંથી કોઈ એક જીતે તો બંનેની જીત બને છે અને કોઈ એક હારે તો બંને હારી જાય છે, પણ બંનેના સ્વભાવમાં સુમેળ હોય તો હારની બાજીને પણ જિંદગીના જુગારમાં જીતની બાજી બનાવી શકે છે.

Friday, November 23, 2012

Extreme Mountain Unicycling

Lutz Eichholz and Stephanie Dietze unicycling down a 9,878 ft (3011 m) high mountain in the Italian Alps. 
Lutz Eichholz from Kaiserslautern, Germany ranks among the best unicyclists in the world. The four time world champion and world record holder always pushes the limits on his single-track vehicle with one wheel. Now the 26-year old environmental engineering student conquered the Cima Ombretta Orientale, a 9,878 ft (3011 m) peak in the Dolomite Mountains. He was accompanied by fellow unicyclist Stephanie Dietze since “one should never alone in high alpine terrain.”




Thursday, November 22, 2012

Death

    

Native : Wankaner
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased : Kantaben Pravinchandra Shah 

Age : 84 Years
Date of Death : 18-11-2012
Husband : Late  Pravinchandra Shantilal Shah
Sons :Kamleshkumar, Rajeshkumar, Ashokkumar, Tusharkumar, Nemishkumar
Daughters-in-Law : Late Renuka/Bharti, Meena, Nayna, Madhvi, Late Asha
Brothers-in-Law : Dr. Anopbhai, Late Lalitbhai
Sisters-in-Law : Late Vasantben Shantilal Vakharia, Hansaben Vasantlal Shah
Father : Late Jivraj Doshi
Mother : Late Maniben

May her soul rest in eternal peace

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. પ્રવિણચંદ્ર શાંતિલાલ શાહના ધર્મપત્ની કાંતાબેન (ઉં. વ. ૮૪), તે સ્વ. રેણુકા/ભારતી કમલેશકુમાર, મીના રાજેશકુમાર, નયના અશોકકુમાર, માધવી તુષારકુમાર, સ્વ. આશા નેમિષકુમારના સાસુ. તે ડૉ. અનોપભાઈ, સ્વ. વસંતબેન શાંતિલાલ, હંસાબેન વસંતલાલ, સ્વ. લલિતભાઈના ભાભી. તે સ્વ. મણીબેન જીવરાજ દોશીના દીકરી રવિવાર ૧૮-૧૧-’૧૨ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહારની પ્રથા સદંતર બંધ છે).

મધનું શોખીન બાજ – ‘પાંદડું’

[વડોદરા પાસે આવેલા ‘નેચર પાર્ક’માંથી પ્રકાશિત થતા ‘પાંદડું’ સામાયિકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે.]
 

બાજ સામાન્ય રીતે મિતાહારી શિકારી પંખી છે, પણ તેને બીજા કોઈ ખોરાક કરતાં મધ બહુ જ ભાવે છે. આમાં, ગળપણ પસંદ કરવાની તેની સ્વાદેન્દ્રિયની શક્તિ કારણરૂપ હશે કે કેમ તે તો કોણ જાણે, પરંતુ શિકારીઓ અને વનેચર રખડુઓ કહે છે કે મધ મળે ત્યાં સુધી એ બીજા શિકારની પરવા ભાગ્યે જ કરે છે, અને મધ દેખીને તે પર અવાયો પડે છે.

સહેજ પ્રશ્ન થાય કે પંખીને તો માખીઓ હેરાન કરી મૂકે; એ મધ ખાય કેવી રીતે ? પણ બાજને આ મુશ્કેલી નડતી નથી. મધ ખાવાની તેની એક વિશિષ્ટ રીત છે. ગમે તેવી ઘેરી ઘટામાંથી તેની ચકોર આંખ મધપૂડો શોધી કાઢે છે. પછી અત્યંત ચુપકીદીથી ત્યાં જઈને, તેની નજીકમાં નિરાંતે બેસીને ખાઈ શકાય એવી સારી જગ્યા શોધી તે પર બેસે છે અને ‘ડચ…’ કરતીકને ચાંચ મારી મધપૂડામાંથી એક લોચો ખેંચી કાઢે છે.

પરંતુ એ ચાંચ મારવાની સાથોસાથ જ તે પોતાના શરીરનાં પીછાં એવી રીતે ફુલાવીને ગોટોમોટો બની જાય છે કે તેના શરીરની આસપાસ પીછાંનું એકસરખું પડ રચાઈ જાય છે. માખીઓ તે પર તૂટી પડે છે ખરી, પણ પીછાંનું પડ એવી ખૂબીથી રચાઈ જાય છે કે બે પીછાંની વચ્ચે પણ અંદર પેસવાનો ગાળો તેને મળતો નથી અને પીછાં પર તો તેના ડંખ કારગત થઈ જ શકતાં નથી. મધનો લોચો પકડેલું પોતાનું માથું પણ બાજ ઊંધું ઘાલીને પીછાંના એ ગોટામાં ખોસી દે છે અને એમ રહ્યેરહ્યે જ મોંમાં લીધેલો લોચો ખાવા ગળવા માંડે છે, તેની ચાંચ વાંકી ને પોપટની ચાંચ જેવી રચનાવાળી હોવાથી મધનો સારો એવો લોચો તોડી શકે છે. એ લોચો મધપૂડાનો આખો કટકો જ હોય છે. એમાં મધ પણ હોય, મીણ પણ હોય, માખીઓના ઈડાં અને બચ્ચાં પણ હોય અને સાથે આવી ગયેલી કોઈ માખી પણ હોય ! એ બધું જ બાજ ખાઈ જાય છે. 

માખીઓ ઝનૂનથી આ પીંછાના ગોટા પર તૂટી પડે છે, અને જેવી ઠીકઠીક સંખ્યામાં ત્યાં જમા થાય તેવો જ બાજ પોતાનું શરીર જોરથી ધ્રુજાવીને એવી તો ઝણઝણાટી બોલાવે છે કે બધી માખીઓ ભરરર… કરતીકને ઊડી જાય છે. આ પળે મધપૂડો પણ ખુલ્લો થઈ જાય છે અને બાજને તેમાંથી બીજું બચકું તોડી લેવાની તક મળે છે. ફરી લોચો ખેંચી કાઢીને તે ગોટોમોટો બની જાય છે અને માખીઓ બેસી રહેવા આવે તેટલી વારમાં તો કોળિયો પૂરો કરી ફરી પાછી પીંછાંની ઝણઝણાટી બોલાવીને માખીઓને ઉડાડી મૂકી ત્રીજો કોળિયો ઉખેડી લે છે. આમ, સામાન્ય કદનો એક સારો મધપૂડો તો પાએક કલાકમાં તો સાફ કરી નાખે છે અને ત્યાં મધવાળી ખાલી ડાળી અને નિષ્ફળપણે બણબણાટ કરી રહેલી માખીઓ સિવાય મધપૂડાનું નામનિશાન રહેતું નથી.

બાજ સિવાય બીજા કોઈ પંખીના આ રીતે મધ ખાઈ શકવા વિશે શંકા છે, કેમકે કોઈએ હજુ જોયું નથી. માત્ર હિમાલયમાં ‘હનીબર્ડ’ નામનું પંખી થાય છે. એનો મધનો શોખ તો સુપ્રસિદ્ધ છે. બાજની મધ ખાવાની રીત ખરેખર નવાઈ ભરી છે. આ બાજ જે ‘Honey Buzzard’ નામથી ઓળખવામાં આવે છે, તે કદમાં પૂરો બે ફૂટનો, રંગે બદામી હોય છે.

Wednesday, November 21, 2012

Dance Troupe Defies Gravity


Dance troupe Bandaloop performs on and off the vertical wall of a 30 story building with slow-motion elegance. 
Bandaloop brings to audiences performances of aerial dance. Under the direction of Amelia Rudolph, it presents a blend of dance, sport, ritual and environmental awareness. Inspired by the possibilities of climbing and rappelling, the choreography draws on aerial, vertical and horizontal movement to craft dances, many site-specific. The work explores the relationship between movement and gravity and stimulates viewers' awareness of their natural and built environments. The dancers, climbers and riggers have enjoyed bringing their form of aerial dance to new audiences and have performed for close to half a million people at major city landmarks and outdoor sites such as Yosemite Falls, California.  Wiki
Video recorded at One Financial Plaza, Providence, Rhode Island, USA (Sep 29, 2012) 



Tuesday, November 20, 2012

પ્રેમ હાસ્યકોશ (ભાગ 3) – સં. પી. પ્રકાશ વેગડ

 [ ચબરાકિયાંનો અંગ્રેજી અર્થ થાય છે ‘એપિગ્રેમ્સ’. એપિગ્રેમ એટલે ચબરાક અને અર્થમાધુર્ય ધરાવતા વિચારોની અલ્પતમ શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ. ‘પ્રેમ’ તત્વને અનુલક્ષીને આવા કેટલાક ચબરાકિયાં ‘પ્રેમ હાસ્યકોશ’ નામના આ પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. તેમાંથી કેટલાક ત્રીજા ભાગમાં સાભાર માણીએ. ]

[21] ઝઘડાખોર યુવતીઓનાં લગ્ન હંમેશ જલદી થઈ જાય છે, કેમ કે એકલવાયા જીવનથી કંટાળેલા પુરુષોનો તોટો નથી. (કૃશનચન્દર – ઉર્દૂ નવલકથાકાર, 1914-77)

[22] તમે કોઈ વ્યક્તિને ઘૃણા કરો છો ત્યારે ઉંદરને મારવા માટે તમારું ઘર બાળો છો. (હેરી એમર્સન ફોસ્ડિક – અમેરિકન ધર્મપુરુષ, 1898-)

[23] પ્રેમમાં મેળવવાની નહિ, આપવાની ભાવના વધારે મહત્વની હોય છે. શાયર દાગ દહેલવીએ કહ્યું છે :
‘જિસને દિલ ખોયા, ઉસને કુછ પાયા;
હમને ફાયદા દેખા ઈસ નુકશાન મેં !’
(જેણે હૃદય ગુમાવ્યું, એણે કંઈક મેળવ્યું છે. અમે આ નુકશાનમાં ફાયદો જોયો !)
(દાગ દેહલવી – ઉર્દૂ શાયર, 1831-1905)


[24] નામ લખવાનું ઉત્તમ સ્થળ છે હૃદય. એ વ્યક્તિ મૂરખ ગણાય જે પોતાનું નામ અન્યત્ર લખતી ફરે છે ! (જ્હોન સ્મિથ – અંગ્રેજી શિક્ષણશાસ્ત્રી, 1618-52)

[25] તમે જે પસંદ કરો છો એ મેળવવાનો પ્રયત્ન કરો, નહિ તો તમને જે મળે છે, એ જ તમારે પસંદ કરવું પડશે ! (જ્યોર્જ બર્નાર્ડ શૉ – અંગ્રેજ નાટ્યકાર, વિવેચક અને નવલકથાકાર, 1856-1950)

[26] એ લોકો આપણને ગમે છે જેઓ આપણી પ્રશંસા કરે છે, પણ એ લોકો શા માટે નથી ગમતા જેની આપણે પ્રશંસા કરીએ છીએ ! (લ રોશફૂકો – ફ્રેન્ચ સૂક્તિકાર, 1613-80)

[27] પ્રેમ ભલે કરો, પણ તમારા પ્રિયપાત્રના હૃદયમાં પ્રેમ પ્રગટાવી ન શકો, તો તમારો પ્રેમ નપુંસક છે, એક દુર્ભાગ્ય માત્ર. (કાર્લ માર્ક્સ – જર્મન રાજનીતિજ્ઞ અને સામ્યવાદનો પ્રવર્તક, 1818-83)

[28] કોઈએ યુવાનીમાં મને પ્રશ્ન પૂછ્યો હતો, ‘કલાકૃતિ કોને કહેવાય ?’ અને મેં એને ઉત્તર આપ્યો હતો, ‘કલાકૃતિ એટલે આ જગત ઉપરનો સુલિખિત પ્રેમપત્ર.’ (ચાર્લી ચેપ્લિન – અંગ્રેજ અભિનેતા, ફિલ્મ-નિર્દેશક અને કૉમેડિયન, 1889-1971)

[30] ભૂલોને રોકવા માટે તમારા દરવાજા બંધ કરશો, તો સત્ય પણ બહાર રહી જશે !
(રવીન્દ્રનાથ ટાગોર – બંગાળી કવિ, વિવેચક અને નવલકથાકાર, 1861-1941)


[31] તમારું મૌન સમજી શકતી ન હોય, એ વ્યક્તિ કદાચ તમારા શબ્દો પણ ન સમજી શકે ! (એલ્બર્ટ હ્યુબૅર્ડ – અમેરિકન પત્રકાર અને નિબંધ લેખક, 1856-1915)

Monday, November 19, 2012

Death

    

Native : Wankaner
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased : Ashaben Nemishbhai Shah
Age : 46 Years
Date of Death : 17-11-2012
Husband : Nemish Pravinchandra Shah
Son : Devansh
Daughter-in-Law : Kavita
Daughter : Aarzoo
Father-in-Law : Pravinchandra Shantilal Shah
Mother-in-Law : Kantaben (Unfortunately she died yesterday on 18-11-2012)
Father : Late Mahasukhlal Mehta Mother : Late Manjulaben

May her soul rest in eternal peace


વાંકાનેર હાલ ઘાટકોપર કાંતાબેન પ્રવીણચંદ્ર શાહના પુત્ર નેમીષના ધર્મપત્ની આશાબેન (ઉં. વ. ૪૬) તે દેવાંશ, આરઝુના માતુશ્રી. કવિતાના સાસુ. સ્વ. મંજુલાબેન મહાસુખલાલ મહેતાની પુત્રી શનિવાર ૧૭-૧૧-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર ૧૯-૧૧-૧૨ના ૪.૩૦ થી ૬.૩૦ ઠે. લાયન્સ કમ્યુનીટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર (પૂર્વ). 

Waterfall Swing


Motion sensors activate a wall of water and allow riders to pass through without getting wet.


Sunday, November 18, 2012

Things your smart phone can replace-10 (last)

10. CABLE TELEVISION
Do you stay alone and don't think it makes sense to invest on a television that is used only a couple of hours a day? Or you travel so often that paying for cable is a redundant expense? If you have a smartphone and a good data connection, you have a solution right there.There are apps that enable you to stream live television onto a handset. But while these apps are free, the services won't be. Channels will come with daily, weekly or monthly subscriptions. Also, for seamless streaming, you would need fast, uninterrupted data connectivity- ideally over a 3G or Wi-Fi network. Also, keep in mind that streaming videos consumes a lot of data. So invest in a data plan that covers this (combine the cost of cable and an Internet connection). Zenga TV, ditto TV, mimobiTV, MunduTV are some popular live streaming apps.

તોફાની બાળક વધુ તોફાની કઈ રીતે બને છે ? – ડૉ. રઈશ મનીઆર

[‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.]

જીવંત તાંડવ સમાન તોફાની બાળકો સૌએ જોયાં હશે. ક્યાં નવું જન્મેલું ભોળપણ અને કુતૂહલથી ભર્યું ભર્યું નવજાત બાળક અને ક્યાં જીદ, હઠ અને તોફાનથી ઘરને ગજવતું બાળક ! આ બાળકને કોણે તોફાની બનાવ્યું ? અથવા કહો કે એક તોફાની બાળક કઈ રીતે વધુ ને વધુ તોફાની બને છે ?

આપણે ત્યાં બાળકને નાનપણમાં જ લાડ કરાવાના ભાગરૂપે બીજા પર હાથ ઉપાડતાં શીખવવામાં આવે છે. (ચાલ ! હત્તા કરી દે !) બાળકના તરવરાટ ભરેલા હાથને મળેલો આ સબક બાળક સહેલાઈથી ભૂલી શકતું નથી. બીજા પર હાથ ઉપાડવાનું જે ગળથૂથીમાંથી શીખ્યું છે, એ બાળક મોટું થઈ શાંત અને શિસ્તબદ્ધ કઈ રીતે રહે ? બાળકનું તોફાન, અનુચિત વર્તન ઘણીવાર રમૂજપ્રેરક હોય છે. આમ તો બાળક તોફાન કરે ત્યારે માબાપ ખીજવાય, પરંતુ ત્યાર બાદ બાળકની હાજરીમાં જ બીજાની આગળ એના તોફાનોનું રસપ્રદ રીતે વર્ણન કરે. માબાપ પણ હસે અને સાંભળનાર પણ હસે. બાળક ફુલાય, એને એમ લાગે, ‘મેં પરાક્રમ કર્યું.’

વિસ્મય નામના ચાર વર્ષના છોકરાએ એક વાર તોફાને ચડીને ટીવીનો કાચ ફોડી નાખ્યો. મારા ક્લિનિક પર શરદી માટે વિસ્મયને બતાવવા લાવતી વખતે એના પપ્પાએ રસપ્રદ રીતે એની રજૂઆત કરી. વિસ્મય ખુશ. પંદર દિવસ પછી વિસ્મયનાં મમ્મી વિસ્મયને ઝાડા માટે બતાવવા લાવ્યા. એમને ખબર નહીં કે પપ્પા એ વાત કરી ચૂક્યા છે, એટલે એમણે પણ ટીવી તોડવાના વિસ્મયના પરાક્રમની વાત કરી. વિસ્મય અતિશય ખુશ. મહિના પછી એના દાદા વિસ્મયને પેટના દુખાવા માટે લઈને આવ્યા ત્યારે પણ એ જ વાત અને વિસ્મય મલકાયા કરે. એક મહિનાના ગાળામાં ટી.વી.નો કાચ ફોડ્યા બદલનો વિસ્મયનો રહ્યોસહ્યો અપરાધભાવ પણ નાબુદ થઈ ગયો. બાળકના તોફાનનું બીજા આગળ બાળકની હાજરીમાં કદી પણ રસપ્રદ રીતે વર્ણન ન કરવું જોઈએ. આમ કરવાથી બાળકને ખોટું પ્રોત્સાહન મળે છે. બાળકના અણછાજતાં, અનુચિત વર્તન પ્રત્યે હસવું અયોગ્ય છે.

અમુક બાળકો જિદ્દી હોય છે. આ જીદનું ગણિત પણ સમજવા જેવું છે. બાળક ધીમા અવાજે કોઈ વસ્તુની માગણી કરે ત્યારે માબાપ સાંભળે જ નહીં. સહેજ મોટો અવાજ કરે તો સાંભળીને તરત અવગણી નાખે. પછી બાળક બરાડા પાડે, ધમપછાડા કરે, ખૂબ રડે ત્યારે હારી-થાકીને બાળકની જીદ સંતોષવામાં આવે. બાળક એવું સમજે છે કે આ ઘરમાં ધીમેથી વાત કરવાનો કોઈ અર્થ નથી. તોફાન કરીને માબાપના કામકાજમાં ખલેલ પહોંચાડીએ તો જ માગેલી વસ્તુ મળે છે. બાળકના મગજમાં ગણિત બંધાય છે, શાંતિથી માગો તો કશું ન મળે, વધારે ને વધારે જીદ કરો તો વધુ મળે. બાળક આ જ ગણિતનો વારંવાર સફળતાપૂર્વક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આ ગણિત કેવી રીતે નકામું કરી શકાય તે માબાપને આવડતું નથી. ખરેખર તો બાળક કોઈ પણ વસ્તુની માગણી કરે કે તરત જ એ વસ્તુ આપવી કે નહીં તે નક્કી કરી નાખવું જોઈએ. જો ‘હા’ હોય તો તરત તે વસ્તુ આપી દેવી અને ‘ના’ હોય તો મક્કમતાપૂર્વક ‘ના’ને વળગી રહેવું. ‘ના’માંથી ‘હા’ કરવી નહીં. બાળક ગમે તેટલી જીદ, તોફાન, ધમપછાડા કરે તોય મક્કમ રહેવું. ત્રણચાર વાર માબાપની મક્કમતાનો અનુભવ થતાં બાળકને તોફાન કે જીદ કરવાથી કોઈ ફાયદો થતો નથી, એમ ખ્યાલ આવી જાય છે અને બાળક જીદ કરવાનું છોડી દે છે.

બાળક તોફાન કરે ત્યારે એક વડીલ (દા.ત. માતા કે પિતા) ગુસ્સે થાય ત્યારે બીજું વડીલ (મોટે ભાગે દાદા કે દાદી) બાળકને ખોળામાં લઈને લાડ કરે…. તેથી બાળકને પોતે શું ભૂલ કરી તેનો અહેસાસ થતો નથી. ગુસ્સો કરનાર વડીલનો ગુસ્સો નિષ્ફળ જાય છે અને લાડ કરનાર વડીલનો બાળક ગેરલાભ ઉઠાવતા શીખે છે. તેથી એક વડીલ બાળકને યોગ્ય રીતે ઠપકો આપી રહ્યું હોય તો બીજા વડીલે વચ્ચે પડવું જોઈએ નહીં.

Saturday, November 17, 2012

Things your smart phone can replace-9

9. WI-FI ROUTERS
With the increasing number of portable devices, such as laptops, tablets and even music players, we need to be connected to the Internet constantly. Wi-Fi routers are good at keeping all these devices online but what do you do when you are on the move? You always have the option of buying a data dongle or a portable Wi-Fi hotspot. Alternatively, if you own the latest Android or Windows smartphone, you can use the phone's data connection to create a secure Wi-Fi network of your own.This option is available in your settings menu as 'Wi-Fi hotspot, Internet tethering or Internet sharing'. You can secure this network with a password and connect up to five devices to surf the Net. In developed countries, operators have special plans for Internet tethering. But thankfully, Indian carriers don't charge extra for mobile hotspots.

Human LCD Display

Amazing gigantic "LCD display" from South Korea. Excellent display with good refresh rate and resolution.
I only saw a few bad pixels ;) This is done entirely with clothing, not cards!



Friday, November 16, 2012

Death

    

Native : Wankaner
Currently At : Kolkatta
Name of the deceased : Dakshaben Jayantilal Shah
Age : 57 Years
Date of Death : 13-11-2012
Father : Late Jayantilal Mohanlal Shah
Mother : Late Savitaben
Brothers : Kiritbhai,Miteshbhai
Sisters-in-Law : Kalpnaben, Jyotiben
Sister : Nishaben Jiteshbhai Mavani
Nephew : Rohan
Niece : Poonam

May her soul rest in eternal peace


વાંકાનેર હાલ કલકત્તા દક્ષાબેન જયંતિલાલ શાહ (ઉં. વ. ૫૭) સ્વ. સવિતાબેન તથા જયંતિલાલ મોહનલાલ શાહના સુપુત્રી. કિરીટભાઈ, મિતેષભાઈ, નીશાબેન જિતેષભાઈ માવાણીના બેન. કલ્પનાબેન જ્યોતિબેનના નણંદ. રોહન, પુનમના ફઈબા ૧૩-૧૧-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા કલકત્તા ૧૯-૧૧-૧૨ના રાખેલ છે.

Things your smart phone can replace-8

8. BARCODE AND QR READERS
Barcodes and QR codes are ubiquitous. They're on the products you buy at the supermarket, on the magazines you read and even on the websites you visit. QR codes are the mosaic black-and-white squares that usually offer an efficient link to websites and can store small information such as text, phone numbers, mail addresses, calendar events or even send SMS messages.If you can decode these, you have access to (sometimes) valuable information. Your phone's camera can be used to scan barcodes and QR codes through third-party apps. Launch the app, line up the camera with the QR code and hold the device steady until the app reads the code. All will be revealed. There are even apps that let you create your own QR codes for a an easy way to carry and share information.

છેતરપિંડી : એકના બે ગણા (ગણિતવિહાર – બંસીધર શુક્લ)

[ ગણિત એ માત્ર અભ્યાસક્રમનો એક વિષય નથી. એને સાહિત્ય, રમૂજ તેમજ અન્ય તમામ કલાઓ સાથે જોડી શકાય છે. ‘ગણિતવિહાર’ નામનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક એ બાબતને વધારે સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાં પ્રમેય, ભૂમિતિ, બીજગણિત, સંખ્યાપદ્ધતિઓ, ત્રિકોણમિતિ જેવી ગણિતની પાયાની બાબતો તો સરળ રીતે સમજાવી જ છે પરંતુ એ સાથે ગણિતનો શબ્દકોશ, છેતરપિંડીનું ગણિત, ખગોળ ગણિત જેવા અવનવા વિષયોનો સમાવેશ પણ કર્યો છે. .]



માર્ગે જતા બે વટેમાર્ગુ વચ્ચે વાતવાતમાં નિકટતા વધી. અચાનક એકે કહ્યું : ‘અહીં વનમાં એક સ્થળે જૂના ખંડેરમાં એક જાદુઈ ગોખ છે. તેમાં તમે જે પૈસા મૂકો, તે, સો ગણતામાં બમણા થઈ જાય છે.’ બીજો લલચાયો. તેને તેના પૈસા બમણા કરવા ઈચ્છા કહી. પહેલાએ કહ્યું : ‘થઈ શકે. પણ, એમાં થોડી દક્ષિણા આપવી પડે.’
‘કોને ? કેટલી ?’
‘મને…. અને વધારે નહીં, કેવળ 120 રૂપિયા.’
પહેલા પાસે કેટલાક રૂપિયા હતા. તેણે વિચાર્યું બમણામાંથી હું ખુશીથી ચૂકવી શકીશ. ખોટનો ધંધો નથી. એ સંમત થયો. બેઉ જણા જાદુઈ ગોખ પાસે પહોંચ્યા. પહેલાએ તેના બધા રૂપિયા ગોખમાં મૂક્યા. આંખો બંધ કરી અને સો ગણ્યા, ત્યાં તો ચમત્કાર ! તેની રકમ બમણી થઈ ગઈ ! ઉત્સાહમાં એણે ફરી પૈસા મૂક્યા. ફરી બમણા થયા. દરેક વેળા તેણે પેલાને દક્ષિણા 120 આપવી પડતી, બસ. પણ, આ શું ? ત્રીજી વાર બમણા કરીને પૈસાની દક્ષિણા ચૂકવતાં પહેલા પાસે કંઈ ના વધ્યું ! આમ કેમ ? તેણે હિસાબ કરી જોયો. હિસાબમાં ક્યાંય ભૂલ નહોતી. પેલા ધૂતારાએ એકના બમણા કરી આપવા છતાં પોતાને ચાલાકીથી લૂંટી લીધો હતો, તે વાત સમજાતાં તેને ભારે પસ્તાવો થયો. સાદા ગણિતની સહાયથી જ ગામડિયા જેવા લાગતા માણસે સાથીને લૂંટી લીધો હતો. ગણિતની કઈ યુક્તિ અહીં કામ કરે છે ?

જુઓ, ગઠિયાઓ વાતવાતમાં જાણી લે છે કે તમે વધારેમાં વધારે કેટલા પૈસા લગાવી શકો તેમ છો. તેની દક્ષિણા એના કરતાં થોડી વધારે રાખે છે. હવે, તમે ઝટ પૈસાદાર થઈ જવાની ઉતાવળમાં લગભગ પૂરા પૈસા લગાવી દો છો. ધારો કે, તમારી પાસે 105 રૂપિયા છે. તમે મનમાં ગણિત માંડો છો : 105 x 2 = 210-120 દક્ષિણા = 90 વધ્યા. તે ફરી લગાડતાં જઈ બમણા કરીને પુષ્કળ કમાઈ લઈશું. ખરેખર શું થાય છે ? જુઓ…

પ્રથમ ચરણ : 105 x 2 = 210 – 120 = 90 વધ્યા !
બીજું ચરણ : 90 x 2 = 180 – 120 = 60 વધ્યા !
ત્રીજું ચરણ : 60 x 2 = 120-120 = 0 વધ્યા !

ત્રીજા ચરણે તો તમારા બધા પૈસા ગઠિયાના ખીસામાં જતા રહે છે. આમ કેમ થયું ? ગઠિયાએ તમારી પાસે રૂ. 105 છે તે જાણી લીધું. પછી, તેણે દક્ષિણા થોડી ઊંચી રાખવી પૂરતું હતું. રૂ. 120 અહીં આ પ્રસંગે. કારણ કે તમારાં નાણાં એ બે ગણા કરીને આપે તોય દરેક વખતે તે તેમાંથી અડધા કરતાં વધારે લઈ લેતો હોવાથી તમારી જમા ઘટતી જઈ થોડાં ચરણમાં 0 થઈ જાય છે. હવે પછી જો તમને આવો કોઈ ભેટી જાય તો બે વાતનું ધ્યાન રાખો. એક, તમારી પાસે કેટલાં નાણાં છે, તે તેને જણાવશો નહીં. બે, તેની દક્ષિણા તમારી સિલક કરતાં સદા ઓછી હોય તે જોજો. તે કદી તમને છેતરી શકશે નહીં. હિસાબ માંડી જુઓ. અને, સાવધાન. બીજા કોઈ ઉપર આવી પ્રયુક્તિ અજમાવવાનું સાહસ કરતા નહીં.

Thursday, November 15, 2012

Diwali Wishes

Our Member Pradip C Doshi has sent this Diwali Greetings to the Samaj


Things your smart phone can replace-7

7. YOUR WALLET
With Near-Field Communication (NFC) hardware coming to smartphones, everyone is expecting a gradual decline in the use of plastic cards and cash. Digital transactions might still be a distant dream for most Indians, but some providers have started scratching the surface. The future is not very far away.For instance, Airtel Money users can recharge their accounts and use their phones to pay electricity or mobile bills. Even a few coffee shops have started accepting such payments. Phones are also replacing swipe machines for small businesses through the use of a special accessory that can be attached to the phone's 3.5mm jack.
MTS had also launched a pilot service, called mPoS (Mobile as Point of Sale), that was designed to help retailers who delivered directly to customers (at their home or office), such as e-commerce firms or food chains. The service allowed users to swipe debit or credit cards on a portable card reader accessory and use an application to process the transaction.

Boeing 787 Dreamliner Assembly In Two Minutes

Take a look at how Boeing assembled the 787 Dreamliner for Air India.

The Boeing 787 Dreamliner is a long-range, mid-size wide-body, twin-engine jet airliner, seating 210 to 290 passengers.  It is Boeing's most fuel-efficient airliner and the world's first major airliner to use composite materials for most of its construction.  The 787 consumes 20% less fuel than the similarly sized 767 and incorporates several engine noise-reducing technologies, which make it significantly quieter both inside and out

 


Wednesday, November 14, 2012

Things your smart phone can replace-6

6. PHYSICAL SWITCHES
This could be a little in the future. But, imagine controlling your home's lighting, entertainment devices and security system using your smartphone.The Crestron Mobile control app for iPhone, iPad and Android devices does involve a sizable investment but it's worth it if you have the cash to spare. You will have to install the Crestron automation system and download the Crestron Mobile G app to configure the home control unit.

નામ નહીં, ગાનથી ઓળખાતું ગામ ! ( (નૉલેજ-ગાર્ડન – હેમેન ભટ્ટ)


[ ‘ફૂલછાબ’ અખબારમાં પ્રકાશિત થતી જ્ઞાનસભર કટાર ‘નૉલેજ-ગાર્ડન’ હવે એ જ નામે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે.તેમાંથી સાભાર  ]
 
નામમાં શું રાખ્યું છે ? જો તમે પણ આવું માનતા હો તો તમારે એક વાર મેઘાલયના કોંગથોંગ ગામમાં જવાની જરૂર છે. તમને ત્યાં જઈને એ ખાતરી થઈ જશે કે, નામમાં ખરેખર કાંઈ નથી રાખ્યું ! મેઘાલયનું આ ગામ એવું છે, જ્યાં દરેક બાળકને નામથી નહીં, પરંતુ ગીત ગાઈને બોલાવવામાં આવે છે ! મેઘાલય ઈસ્ટ ખાસી હિલ જિલ્લામાં આવેલા આ કોંગથોંગ ગામમાં પેઢીઓથી બાળકોને જન્મ સમયે જ તેની સાથે એક ગીત જોડી દેવામાં આવે છે અને આખી જિંદગી તેને એ ગીત ગાઈને બોલાવવામાં આવે છે.

કોંગથોંગ ગામના સરપંચ કિરટાઈડ યાજાવે કહ્યું કે, જો એક પરિવારમાં 10 બાળકો હોય તો તેમને માટે 10 જુદાં ગીતો નક્કી કરાય છે. આ ગીત એક સેકંડથી માંડીને બે મિનિટ સુધીનું હોય છે. જોકે, બાળકોને આના ઉપરાંત બીજું એક નામ પણ અપાય છે. જેનો ઉપયોગ તેને બોલાવવા માટે નથી થતો. બીજા લોકો પણ તેને નામના બદલે ગીત ગાઈને બોલાવે છે. કૉલેજિયન રોથેલ મોંગસિત આ પરંપરાનો પક્ષ લેતાં કહે છે કે, જેવું ગીત સાંભળીએ છીએ અમે તુરત જ ઓળખી જઈએ છીએ કે કોને બોલાવવા ગીત ગવાય છે ! ગામમાં આવા ઓછામાં ઓછા 500 લઘુગીતો પ્રચલિત છે. જોકે, છોકરીઓ પોતાના પુરુષ સાથીને બોલાવવા માટે આવા ગીતનો ઉપયોગ નથી કરી શકતી, પરંતુ આ પરંપરા અહીં એટલી અસરકારક છે કે, મેળા જેવી કોઈ ભીડમાં બાળક ખોવાઈ જાય તોપણ ગીત ગાઈને તેને શોધી શકાય છે. ગામના એક શિક્ષક ઈસ્લોવેલ મોંગસિતના જણાવ્યા મુજબ ‘જ્યારે અમે શિલોંગ જેવી ભારે ભીડવાળી જગ્યાએ જઈએ છીએ ત્યારે ઘણી વાર અમારાં બાળકો ખોવાઈ જાય છે. ત્યારે અમે ગીત ગાઈને એમને બોલાવીએ છીએ તો તુરંત જ તે મળી જાય છે.’

આ પરંપરાએ ઘણા વિદેશી સંશોધકોને પણ આકર્ષિત કર્યા છે. એવા ઘણા સંશોધકો અહીં આવીને રોકાયા છે, તેમણે આ પરંપરા પર શોધ ચાલુ કરી છે જેમાં જર્મની, જાપાન અને અમેરિકી સંશોધકોનો સમાવેશ થાય છે. જોકે, એ પણ રહસ્ય જ રહ્યું છે કે, આજુબાજુનાં બીજા ગામોવાળાએ આ પરંપરાને કેમ નથી અપનાવી ? શું લાગે છે ? થોડા ચેન્જ માટે પણ આપણે આ પરંપરા અપનાવવી જોઈએ ? આખા ગામ નહીં, તો માત્ર પરિવારના સભ્યોનેય એક અઠવાડિયું નામને બદલે ગીત ગાઈને બોલાવી તો જો જો….!

Tuesday, November 13, 2012

Happy Diwali


Things your smart phone can replace-5

5. HEALTH AND FITNESS GUIDES
Is fitness on your mind but you can't (or don't want to) spend too much money on it? Smartphone apps can help you out. You can find free yoga, cardio, weight training and other fitness guides in the application markets for Android and iOS.Some have videos while others use images or illustrations. There are even digital pedometers available. Applications that monitor blood pressure and sugar levels can be paired with special accessories to help keep regular records. You can also record food intake to calculate calories and keep a track of your routine. There are also first aid apps that guide you in case of an accident or a medical emergency.

High Tech On Wheels

The professional way to transport and unload paper rolls. Simple, easy and fun - the German solution.

Monday, November 12, 2012

Things your smart phone can replace-4

4. MEASURING TAPES
You don't have to carry a tape to get near-accurate measurements anymore. Just download an app. These commonly use trigonometry to calculate distances while some use GPS, better for irregular surfaces or areas.While hunting for a house, you can measure how high the ceiling is or calculate the floor area. You should be able to spot inconsistencies pretty fast. But keep in mind that these apps, which use augmented reality, are not accurate to the dot. You will need to double check. Some even come with a unit convertor.

આપણું રાષ્ટ્રપતિભવન (નૉલેજ-ગાર્ડન – હેમેન ભટ્ટ)

[ ‘ફૂલછાબ’ અખબારમાં પ્રકાશિત થતી જ્ઞાનસભર કટાર ‘નૉલેજ-ગાર્ડન’ હવે એ જ નામે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે.તેમાંથી સાભાર  ]

રિલાયન્સના સર્વેસર્વા એવા અંબાણીબંધુઓ પૈકી મોટા ભાઈ મૂકેશ અંબાણીએ દુનિયાનું સૌથી મોંઘું રૂ. 4500 કરોડનું ઘર ‘એન્ટિલા’ બનાવ્યું. હવે તેના નાના ભાઈ અનિલ અંબાણી ‘મોટા’થીયે મોટું એવું ઘર બનાવી રહ્યા છે. આ મોટાં અને મોંઘાં ઘરો અત્યારે ચર્ચામાં છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાના તમામ રાષ્ટ્રપ્રમુખોનાં ઘર કરતાં સૌથી મોટું ઘર આપણા ભારતના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિભવન છે.

નવી દિલ્હીમાં રાજપથની પશ્ચિમ બાજુ સ્થિત આ રાષ્ટ્રપતિભવનનો બીજો છેડો ઈન્ડિયા ગેટ પર છે. આ રાષ્ટ્રપતિભવનની ડિઝાઈન બ્રિટિશ વાસ્તુકાર એડવીન લૈંડસીર લ્યૂટિયને કરી હતી. આ આકર્ષક ભવન બ્રિટિશ વાઈસરૉયનું પૂર્વ નિવાસ હતું. આ મહેલસમા ભવનમાં પાંચ-પચ્ચીસ નહીં, પણ પૂરા 340 ઓરડાઓ છે. અમેરિકાના રાષ્ટ્રપતિભવન ‘વ્હાઈટ હાઉસ’માં તો માત્ર 132 ઓરડા જ છે ! આપણે સૌ ભારતીયો ગૌરવ લઈ શકીએ એવા આ રાષ્ટ્રપતિભવનમાં વાઈસરૉય રહેતા હતા, ત્યાં ભારતના રાષ્ટ્રપતિ નથી રહેતા, પરંતુ અતિથિખંડમાં રહે છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીને અહીંનો મુખ્ય શયનખંડ ભારે આડંબરપૂર્ણ લાગ્યો. જેને કારણે તેમણે અતિથિખંડમાં રહેવાનું ઉચિત સમજ્યું. તેમના પછી દરેક રાષ્ટ્રપતિઓએ આ પરંપરા નિભાવી છે.

ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી લાવવાનો 12-12-1911માં નિર્ણય કર્યા બાદ બ્રિટિશ વાઈસરૉયે દિલ્હીમાં આ આવાસ નિર્માણ કરવાનું નક્કી કર્યું. આ ભવનનું ભારતમાં બ્રિટિશ રાજના સ્થાયિત્વની પુષ્ટિ કરવા માટે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભવન અને તેના આસપાસના વિસ્તારને ‘પથ્થરના પ્રાસાદ’ રૂપે તૈયાર કરવામાં આવ્યું હતું. ‘પથ્થરના પ્રાસાદ’ અને અહીંના વિશાળ દરબારને 26 જાન્યુઆરી, 1950ના દિવસે સ્થાયી લોકતંત્રના સંસ્થાનમાં રૂપાંતરિત કરવામાં આવ્યો, જ્યારે ડૉ. રાજેન્દ્રપ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ બન્યા અને ભારતના સંવિધાનને સંરક્ષિત, સુરક્ષિત અને તેના રક્ષણ માટે અહીં નિવાસ કર્યો. આ જ દિવસે આ ભવનનું નામ ‘રાષ્ટ્રપતિભવન’ રાખવામાં આવ્યું. એ પહેલાં તે ‘વાઈસરૉય હાઉસ’ તરીકે ઓળખાતું હતું. રાષ્ટ્રપતિભવનના નિર્માણનો આરંભ 1912માં કરવામાં આવ્યો, ત્યારે 4 વર્ષમાં આ ભવનનું કામ પૂર્ણ કરી દેવાનું હતું, પરંતુ તે પૂરું થતાં 17 વર્ષ થયાં. 1929માં આ ભવન તૈયાર થઈ ગયું.



આ શાનદાર ભવન 4 માળનું છે. તેમાં 340 રૂમ છે. અહીં બે લાખ વર્ગફૂટનું સપાટ ક્ષેત્ર છે. આ ભવન બનાવવા માટે 70 મિલિયન (72 હજાર લાખ) ઈંટો તથા 30 લાખ ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ થયો હતો. આ ભવનમાં કદાચ જ ક્યાંક લોખંડનો ઉપયોગ થયો હશે ! આ ભવન બે રંગોના પથ્થરોમાંથી બનાવાયું છે. તેમાં મુગલ અને કલાસિકલ યુરોપીય શૈલીની વાસ્તુકલા ઝળકે છે. રાષ્ટ્રપતિભવનનું સૌથી મહત્વનું આકર્ષણ તેનો ઘુમ્મટ છે. જે સાંચીના મહાન સ્તૂપની પેટર્ન પર બનાવાયો છે. આ ઘુમ્મટ દૂરદૂરથી દેખાય છે, તે થાંભલાની લાંબી લાઈનો પર ઊભો છે. જે રાષ્ટ્રપતિભવનની ભવ્યતાને વધુ વધારી દે છે. રાષ્ટ્રપતિભવનના દરબાર હૉલ, અશોક હૉલ, માધવ હૉલ, ઉત્તરી અતિથિ ખંડ, નાલંદા સૂટ એટલા બધા સજાવટવાળા છે કે તેને જોનારા બધા લોકો તેની સુંદરતા અને ભવ્યતામાં ખોવાઈ જાય છે. રાષ્ટ્રપતિભવનની અંદર એક શાનદાર મુગલગાર્ડન છે, તે લગભગ 13 એકરમાં પથરાયેલો છે. તે બ્રિટિશ ગાર્ડનની ડિઝાઈનની સાથોસાથ મુગલ શૈલીનું મિશ્રણ છે. મુખ્ય બગીચો મુગલગાર્ડનનો સૌથી મોટો હિસ્સો છે. જેને ‘પીસ ધ રજિસ્ટેન્સ’ કહેવાય છે. તે 200 મીટર લાંબો અને 175 મીટર પહોળો છે. તેના ઉત્તર અને દક્ષિણમાં ટેરિસ લોંગ ગાર્ડન છે. તેની પશ્ચિમમાં ટેનિસ કોર્ટ અને લોંગ ગાર્ડન છે. અહીં બે નહેરો ઉત્તરથી દક્ષિણ તેમજ બે નહેરો પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તે ઉદ્યાનને ચાર ભાગમાં વહેંચે છે. અહીં કમળના આકારના કુલ છ ફુવારા આનટેરોના મિલનબિન્દુ પર બનેલા છે. આ ફુવારાની પાણીની ધારા 12 ફૂટની ઊંચાઈ સુધી જાય છે. અહીં નહેરો પણ પોતાની ધીમી ગતિથી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે. નહેરોના કેન્દ્રમાં લાકડાની ટ્રે પર ચકલીઓ માટે ચણ નાખવામાં આવે છે. આ ઉદ્યાનમાં અનેક પ્રકારના સ્વદેશની અને વિશિષ્ટ પ્રકારનાં ફૂલો ખાસ કરીને વસંતઋતુમાં મન મોહી લે છે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિભવનમાં ટેનિસ કોર્ટ, પોલો ગ્રાઉન્ડ, ગોલ્ફકોર્સ અને ક્રિકેટનું મેદાન પણ છે. મુગલગાર્ડન દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જાહેર જનતા માટે ખોલવામાં આવે છે. અહીં સોમવાર સિવાય દરરોજ સવારે 9:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી દર્શકો આવી શકે છે. આ ઉદ્યાનમાં આવવા-જવાનો રસ્તો રાષ્ટ્રપતિ આવાસના ગેટ નં.35થી છે. જે ચર્ચ રોડના પશ્ચિમ છેડા પર નોર્થ એવન્યુ પાસે છે.

રાષ્ટ્રપતિના કાફલામાં મોંઘી મર્સિડીઝ કાર છે, તો રાજવી ઠાઠવાળી સવારી માટે ઘોડા અને બગીઓ પણ છે. અંગરક્ષક ટુકડીમાં 100 ઘોડા છે. અંગરક્ષકોના પોશાકને અનુરૂપ ઘોડાનો રંગ નક્કી થાય છે. તેની ઊંચાઈ ઓછામાં ઓછી 15 હાથ હોવી જોઈએ. ઘોડા માટે નકેલ, જીન, રકાબ અને ગળાના સિંગાર માટે નિશ્ચિત કોડ કામ કરે છે. રાષ્ટ્રપતિભવનની આર્ટ ગૅલેરીમાં 640 કિલોગ્રામ ચાંદીનું આકર્ષક સિંહાસન છે. દિલ્હી દરબારમાં ચાંદીના આ સિંહાસન પર કિંગ જ્યોર્જ વી. બેસતા હતા. મુગલગાર્ડનમાં દુનિયાભરના વિવિધ પ્રકારનાં ફૂલો છે. ગુલાબના 250 પ્રકાર ઉપરાંત મ્યુઝિકલ, હર્બલ, બાયોડિઝલ અને અધ્યાત્મ બગીચા ખાસ છે. ફળોનાં 600થી વધુ ઝાડ છે. રાષ્ટ્રપતિની અંગરક્ષક ટુકડીમાં 4 અધિકારી, 14 જુનિયર કમિશન્ડ અધિકારી અને 161 જવાનોની ટુકડી છે. જેના ડ્રેસ કોડમાં વાદળી-લાલ રંગની પાઘડી, લાલ કે સફેદ રંગનો કોટ અને નેપોલિયન બૂટ સામેલ છે. લશ્કર અને દિલ્હી પોલીસના બે હજાર જવાનો પણ સુરક્ષા માટે છે.
.

Sunday, November 11, 2012

Happy Dhanteras


Things your smart phone can replace -3

Beware of the 'Booster Bag'


When you are travelling, it is always good to keep an eye on your luggage.


Saturday, November 10, 2012

Things your smart phone can replace -2

2. BUSINESS CARDS
The modern worker relies on networking more than at any other time in history. Apart from meetings and conferences, we now have trade shows and expos to help network. All of these add to our collection of business cards. These cards are usually dumped in the maws of our office drawers and come out only when we need a specific contact number (that is if we can find it). But smartphones make organising these easy. There are applications that scan business cards and copy the information on the card to the phone as well as on the cloud.
The use the camera on the phone to capture the image and with the help of a software reads details and automatically enters it in the phonebook. But not all card scanners are perfect. Some often have trouble recognising characters, especially when unsual fonts are used. Also, the phone has to be held very steady and lighting conditions have to be near perfect. CamCard is an application that is very accurate. Once the image is captured, it automatically saves the information to the card holder (a unique folder) or the address book.
The free version of the application allows users to save up to 20 contacts in the first week followed by two contacts every week and is available for iOS and Android users. ScanBizCards not only saves the information to the phonebook but also backs it up on the cloud. It also synchronises contacts between iOS and Android devices. WorldCard Mobile is an alternative application that is also good at

ટ્વિટરની દુનિયામાં ડોકિયું – વિકાસ ઘનશ્યામ નાયક


[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર..]
ચાલો આજે બ્લોગને ઝરૂખેથી ટ્વિટરની દુનિયામાં ડોકીયું કરીએ ! જે વાચકમિત્રો ‘ઈન્ટરનેટ સેવી’ એટલે કે ઈન્ટરનેટની દુનિયાથી વિશેષ પરિચિત નથી એમના માટે સર્વપ્રથમ ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ. ટ્વિટર એક એવી વેબસાઈટ છે અથવા તો કહો કે સોશિયલ નેટવર્કિંગનું એક શક્તિશાળી માધ્યમ છે, જેના દ્વારા તમે દુનિયાને તમારા વિશે સતત કંઈક ને કંઈક કહેતા રહી શકો, પણ માત્ર 140 અક્ષરોની મર્યાદામાં રહીને ! છે ને રસપ્રદ ?! આજે ટ્વિટર માત્ર તમારા પોતાના વિચારો વ્યક્ત કરવાનું એક માધ્યમ ન બની રહેતાં માર્કેટિંગનું કે પ્રચારનું પણ એક સશક્ત સાધન બની ગયું છે.

નવાં ઉત્પાદનો કે નવી સેવા કે નવી ફિલ્મ વિશેની માહિતી કે નવા વિચારો દુનિયાભરમાં વિનામૂલ્યે વહેતા કરવાનું હાથવગું સાધન. લગભગ દરેક સેલિબ્રિટી પોતાના લાખો ફોલોવર્સ સાથે આખો દિવસ કંઈક ને કંઈક લખ્યા કરી, ટ્વિટ અપડેટ્સ દ્વારા સતત સંપર્કમાં રહેવાનું શીખી ગયા છે. યા તો કહો કે તેમને એમ કરવાની આદત પડી ગઈ છે. ફોલોવર્સ એટલે શું ? એ જાણવા ટ્વિટર કઈ રીતે કામ કરે છે તે થોડું વધુ વિગતમાં સમજીએ.


બીજી કોઈ પણ વેબસાઈટની જેમ જ ટ્વિટર પર રજિસ્ટર કર્યા બાદ તમારા એ ઑનલાઈન એકાઉન્ટમાં લોગ-ઈન કરી તમે વધુમાં વધુ 140 અક્ષરોમાં કંઈ પણ લખી શકો અને એ લખ્યા બાદ ટ્વિટ બટન પર ક્લિક કરો એટલે તમારો સંદેશો પહોંચી જાય ઈન્ટરનેટના મહાસાગરમાં ! ફેસબુક પર તમે જેમ મિત્રો બનાવો છો તેમ અહીં ફોલોવર્સ હોય છે. તમારું આઈડી (રજિસ્ટર કરતી વેળા તમે જે નામ પસંદ કરો છો તે દા.ત @Vikas Nayak) ક્લિક કરી તમારા મિત્રો, સ્વજનો કે કોઈ પણ તમને ફોલો કરવા કે અનુસરવાની સ્વતંત્રતા ધરાવે છે. એ તમને ફોલો કરવાનું શરૂ કરે એટલે તમે જે કંઈ લખો એ તેના હોમપેજ પર દેખાય કે પબ્લિશ થાય. આમ તમે શાહરૂખ ખાનને કે સલમાન રશ્દીને કે ટોમ ક્રૂઝને કે લૅડી ગાગાને ફોલો કરતા હોવ તો એ લોકો જે કંઈ પણ ટ્વિટ કરે એ વાંચી તમે સતત જાણતા રહી શકો કે એ જે તે વ્યક્તિએ શું ખાધું, શું પીધું, તે શું કરી રહી છે, ક્યાં છે, કેવા મૂડમાં છે અને એવું બધું તમે તેના ટ્વિટ્સ દ્વારા જાણી શકો ! આ બધું તમે તમારા પોતાના વિશે પણ ટ્વિટ કરી તમારા ફોલોવર્સને જણાવી શકો ! કોઈના ટ્વિટને તમે જવાબ પણ આપી શકો અથવા કોઈનો ટ્વિટ તમને ગમી જાય તો તમે તેને ‘રિટ્વિટ’ પણ કરી શકો છો.

140 અક્ષરોની મર્યાદાને કારણે ક્યારેક એમ લાગે કે ટ્વિટર દ્વારા લાગણી વ્યક્ત કરવી ખૂબ અઘરું કામ છે, પણ એટલે જ અંગ્રેજી સ્પેલિંગ્ઝનો અને ગ્રામરનો કચ્ચરઘાણ વાળી ટ્વિટરપ્રેમીઓએ જાણે એક નવી ભાષા શોધી કાઢી છે, જે કોઈ નવાસવાને તો સમજાય જ નહીં ! વધુમાં વધુ વાત માત્ર 140 અક્ષરોમાં કહેવી હોય તો એટલી તો છૂટ લેવી જ પડે ! દા.ત., 88 અક્ષરોના મૅસેજની ‘I am a great fan of sanjay Leela Bhansali and I am looking forward to see his new movie’ ની વાત ટ્વિટરની નવી ભાષામાં ‘I m a grt fan of snjy leela bhnsli & lukin fwd to his new movie’ એમ અક્ષરોમાં પતી ગઈ ! કદાચ ભાષા કે વ્યાકરણપ્રેમીઓને આ ન રુચે, પણ આજકાલની પેઢી તો હવે સામાન્ય લેખિત વ્યવહારમાં પણ આ મિતાક્ષરી ભાષાનો ઉપયોગ કરવા માંડી છે !

સેલિબ્રિટીઓ, ચાહકો પોતાના ઓડિયન્સના સતત ટચમાં રહી પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા ટ્વિટરનો ઉપયોગ કરે છે, તો ક્યારેક જાણી જોઈ ચર્ચાસ્પદ ટ્વિટ કરી કે અન્ય સેલિબ્રિટીને ટાર્ગેટ બનાવી ઓનલાઈન ટ્વિટર યુદ્ધ ચલાવી મીડિયામાં મોખરે રહે છે ! ચેતન ભગત જેવા સેલિબ્રિટી યુવા લેખકના ટ્વિટર પર 6 લાખ ફોલોવર્સ છે. તે પોતાના નવા પુસ્તકની તારીખ કે પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનવાની કે તે ફિલ્મમાં કોણ કલાકાર કામ કરવાના છે તેવી અગત્યની જાહેરાત ટ્વિટર પર કરે છે. અમિતાભ બચ્ચન કે માધુરી દીક્ષિતથી માંડીને સચીન તેંડુલકર કે પછી આપણા વડા પ્રધાન મનમોહન સિંઘ કે શશિ થરૂર જેવા રાજકારણી નેતાઓ પણ પોતપોતાના ખાસ ચાહક-ફોલોવર્સનો આગવો વર્ગ ધરાવે છે. ટ્વિટર પર તમે તસવીરો પણ મૂકી શકો છો. ચર્ચાસ્પદ તસવીરો અપલોડ કરી લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરનાર પૂનમ પાંડે જેવા લોકો પણ ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કરે છે. ટ્વિટરના સદુપયોગ થયાનાં પણ અનેક ઉદાહરણ ટાંકી શકાય એમ છે. મુંબઈમાં છેલ્લા આતંકવાદી બૉમ્બધડાકા થયા ત્યારે દાદરમાં બૉમ્બવિસ્ફોટ થયેલો ત્યારે બસ સ્ટૉપ પાસે ફસાયેલ એક નાગરિકે ટ્વિટ કરી મદદ મેળવી હતી અને તે હેમખેમ ઘરે પહોંચ્યાના અહેવાલ અખબારમાં મેં વાંચ્યાનું મને યાદ છે. કોઈ જગાએ આગ લાગે કે દુર્ઘટના સર્જાય ત્યારે પણ ટ્વિટર દ્વારા એની જાણ લોકોને સૌપ્રથમ થઈ જાય છે અને આ ટ્વિટ જો સમયસર વાંચવામાં આવે અને ત્વરિત પગલાં લેવાય તો મોટું નુકશાન કે મોટી જાનહાનિ નિવારી શકાય છે. ટ્વિટ કરીને માનસિક રીતે બીમાર વ્યક્તિ પોતાનું દુઃખ દુનિયા સાથે શૅર કરી હળવું કરી લે છે અને તેને રાહત મળે છે. કોઈ પ્રેરણાત્મક સેલિબ્રિટીના ફોલોવર બની તમે દૈનિક જીવનમાં પ્રેરણા મેળવી સારી રીતે જીવી શકો છો.
ટ્વિટરનાં પ્રચાર અને પ્રસાર વિશે તો ઑલરેડી આપણે વાત કરી. હવે ટ્વિટર અસરકારક રીતે યુઝ કરવાની બીજી પણ એક અગત્યની ટીપ અંતમાં જણાવી દઉં. કૉમ્પ્યુટર કીબોર્ડની ‘હેશ’ (#) કી પાછળ તમે તમારા ટ્વિટના સારસમો શબ્દ કે શબ્દસમૂહ (જેને ‘ટ્વિટર’ની ભાષામાં ‘હેન્ડલ’ કહે છે) મૂકી તમારા ટ્વિટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકો છો. જેમ કે આમિર ખાનના ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ વિશે ટ્વિટ કરતી વેળાએ શરૂઆતમાં, અંતમાં કે ટ્વિટ સંદેશમાં વચ્ચે કોઈ પણ જગાએ ‘#SMJ’ લખો એટલે તમારો ટ્વિટ સંદેશ વર્ગીકૃત થઈ જાય અને પછી કોઈ પણ ટ્વિટર કે ગુગલ પર શબ્દો દ્વારા સર્ચ કરે એટલે તમારો સંદેશ પણ એ સર્ચ રિઝલ્ટમાં ટોપ પર દેખાય !

ટ્વિટર પર ઘણા લોકો પોતાના અંગત જીવનની વાતો શૅર કરતા હોય છે, તો ઘણા લોકો માત્ર જૉક્સ, સુવાક્યો કે મહાન વ્યક્તિઓ દ્વારા કહેવાયેલી વાતો ટ્વિટ કરતા હોય છે. તમારી મનપસંદ સેલિબ્રિટીઝ કે મિત્રો વગેરેને ફોલો કરી તમે તેમના સતત સંપર્કમાં રહી શકો છો, તો તમારા પોતાના વિચારો પણ જગત સાથે અતિટૂંકાણમાં સરળતાથી શૅર કરી શકો છો. આ બ્લોગ વાંચીને તમે ટ્વિટર પર આઈડી બનાવો તો મને ચોક્કસ જાણ કરજો !

Friday, November 9, 2012

Things your smart phone can replace -I


Accelerated development of smartphone hardware has made dents across industries, prompting manufacturers of cameras, radios, music players, navigators and even computers to innovate to stay relevant. Despite this, the multi-tasking smartphone can still do a lot for you. While it has become common to use the smartphone as a mouse or a webcam for a personal computer, innovative apps let you use it for special functions, like start a car, to make your life that much easier.
(Source: Money Today; Images: ThinkStock)

we will publish for next few days what a smartphone can do .

1. UNIVERSAL REMOTES
Universal remotes have become obsolete, courtesy your smartphone. There are plenty of applications available for popular operating systems that can turn the smartphone into one. All you need is the IR accessory (not expensive) to be paired with the app. Most AV devices still use remote controls that work on infrared (IR) light. As smartphones don't have IR emitters, one has to install a dongle. For instance, the Tata Sky Mobile access app available for iOS and Android users lets you use your phone as a universal remote for Tata Sky, DVD, TV and amplifier. It requires an MP3 mobile accessory (Rs 350) to be connected to the phone's 3.5 mm jack.
Dijit Universal Remote for iOS needs to be paired with Griffin Technology's Beacon. Re app, RedEye and Peel Universal Remote are some of the other options on the market. Search for universal remote apps in the iOS App Store and the Google Play Store for more options. If your TV has Wi-Fi or Bluetooth capability, there are also applications that can connect and control your TV via these.

Worlds Toughest Bridge


A railway bridge in Durham, North Carolina is (unofficially) the toughest bridge in the world.
 Standing 11 feet and 8 inches high at Peabody and Gregson streets, the railway bridge is an insurmountable obstacle for drivers of large trucks and other oversized vehicles.  This is despite the yellow warning lights, which start flashing on the bridge when the electronic height sensor detects that an approaching vehicle is too tall. 
Music: "Gonna Fly Now" (theme song from the movie Rocky) by Bill Conti.



Thursday, November 8, 2012

પ્રેમ હાસ્યકોશ (ભાગ 2) – સં. પી. પ્રકાશ વેગડ

 [ ચબરાકિયાંનો અંગ્રેજી અર્થ થાય છે ‘એપિગ્રેમ્સ’. એપિગ્રેમ એટલે ચબરાક અને અર્થમાધુર્ય ધરાવતા વિચારોની અલ્પતમ શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ. ‘પ્રેમ’ તત્વને અનુલક્ષીને આવા કેટલાક ચબરાકિયાં ‘પ્રેમ હાસ્યકોશ’ નામના આ પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. તેમાંથી કેટલાક બીજા ભાગમાં સાભાર માણીએ. ]

11] ઈશ્કની ઠેકડી ઉડાવતાં અકબર ઈલાહાબાદીએ કહ્યું છે :
‘ઈશ્ક નાજુક મિજાજ હૈ બેહદ;
અકલ કા બોઝ ઊઠા નહીં સકતા.’
(પ્રેમ અત્યંત કોમળ પ્રકૃતિ ધરાવે છે. એ અક્કલનો ભાર ઉપાડી શકતો નથી.)
(અકબર ઈલાહાબાદી – ઉર્દૂ શાયર, 1846-1947)


[12] ઈશુ ખ્રિસ્તે સ્પષ્ટપણે કહ્યું છે : ‘તમે પરમાત્માને શોધવામાં સમય ન બગાડો. એ રસ્તો અટપટો અને ભુલભુલામણીવાળો છે. તમે ફક્ત એટલું જ કરો કે, તમારા હૃદયમાં લોહચુંબક જેવો પ્રેમ પેદા કરો. ઈશ્વર એનાથી ખેંચાઈને સ્વયં તમારી પાસે આવશે. આ રીતે પરિશુદ્ધ થયેલો પ્રેમ પોતે જ પરમાત્માનું પ્રગટ રૂપ બની જાય છે.’ (બાઈબલ : નવો કરાર)

[13] ઠંડી ચા અને ઠંડો ભાત સહન થઈ શકે, પણ ઠંડા શબ્દો અને ઠંડી નજર કદી નહિ. (જાપાની કહેવત)

[14] તમારી ઉંમર તમને પ્રેમથી બચાવી શકતી નથી, પણ તમારો પ્રેમ તમને ઉંમરથી જરૂર બચાવી શકે છે. (એરિક ફ્રોમ – જર્મન સમાજ-ચિંતક અને મનોવિશ્લેષક, 1900-80)

[15] હૃદયને મંત્રમુગ્ધ કરનાર શાણપણ એટલે કવિતા; મનમાં ગુંજતું કાવ્ય એટલે શાણપણ. માનવીના હૈયાંને મંત્રમુગ્ધ કરવાની સાથોસાથ તેના મનમાં ગીત ગાઈએ, તો સાચે જ તેને એવી અનુભૂતિ થશે કે પોતે ઈશ્વરની છાયામાં જીવી રહ્યો છે. (ખલિલ જિબ્રાન – લેબેનીઝ ચિંતક અને કવિ, 1833-61)

[16] એક કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. એણે આજુબાજુનો બધો વિસ્તાર ખૂંદી નાખ્યો. પણ ગધેડો ક્યાંયે કળાયો નહિ. પરેશાન કુંભાર ગામના પાદરે પહોંચ્યો અને વડના ઝાડ પર ચડીને ચારેબાજુ નજર દોડાવવા લાગ્યો. એટલી વારમાં બાઈક પર સવાર એક પ્રેમીયુગલ ત્યાં આવી પહોંચ્યું. અને વડવાઈઓની ઓથ લઈને પ્રેમચેષ્ટાઓ કરવા લાગ્યું : ‘તારી આંખોમાં મને આખો સંસાર દેખાય છે.’ યુવતીએ કહ્યું.
ત્યાં તો વૃક્ષ ઉપર બેઠેલો કુંભાર બૂમ પાડીને બોલ્યો : ‘બૂન, ઈમની આંખોમાં તમે મારો ગધેડો ભાળ્યો કે ?’


[17] એક સ્ત્રીને 20 વર્ષ લાગે છે પોતાના બાળકને પુરુષ બનાવતાં, પણ બીજી સ્ત્રી 20 મિનિટમાં જ એને મૂરખ બનાવી દે છે ! (રૉબર્ટ ફ્રૉસ્ટ – અમેરિકન કવિ, 1875-1963)

[18] સમગ્ર જીવન એક વૈશ્વિક મજાક છે. જીવન ક્યારેય ગંભીર નથી રહ્યું. જીવનને તમે ગંભીરતાથી લેખશો તો જીવનનું માધુર્ય ગુમાવશો. જીવનને મુક્ત હાસ્ય વડે જ વધુ સારી રીતે સમજી શકાય છે. (ઓશો – આચાર્ય રજનીશજી, ભારતીય ધર્મપુરુષ, 1931-90)

[19] માણસ સિવાયના બધા પશુઓ જાણે છે કે જીવનની મુખ્ય પ્રવૃત્તિ જીવન માણવાની છે. (સેમ્યુઅલ બટલર ધ યંગર – અંગ્રેજ ચિંતક, 1835-1902)

[20] બાળકો જૂઠું બોલે તો એ ભૂલ ગણાય છે, પ્રેમીઓ માટે એ કળા છે, અપરિણીતો માટે સિદ્ધિ અને પરિણીત સ્ત્રીઓના સ્વભાવનું એક પાસું ! (હેલન રૉલૅન્ડ – અમેરિકન નિબંધકાર, 1875-1950)

Wednesday, November 7, 2012

Birth



Hemal Navinchadra Rupchand Parekh has emailed to say that he has become a proud father of a baby girl on 27th Sept 2012. Congratulations to him & his wife on new arrival in the family.





Freeride Mountain Biking In Utah

Champion mountain bikers Tyler McCaul and Chris Van Dine take us down a near-vertical sandstone ridge set up high amongst Utah's mountains..

Freeride is a discipline of mountain biking closely related to downhill cycling and dirt jumping focused on tricks, style, and technical trail features. It is now recognized as one of the most popular disciplines within mountain biking. 
The term freeriding was coined by snowboarders as riding without a set course, goals or rules. In mountain biking, it is riding trail with the most creative line possible that includes style, amplitude, control, and speed.



Tuesday, November 6, 2012

Death


   


Native : Khakhrechi
Currently At : Mira Road, Mumbai
Name of the deceased : Taraben Valamji Vora
Age : 79 Years
Date of Death : 05-11-2012
Husband :Late Valamji Dharmshi Vora
Sons : Harshad, Jitendra
Daughters-in-Law : Meenaben, Shobhanaben
Daughter : Rasilaben Dineshkumar Lodaria
Brothers-in-Law  :Late Dungershi Dharamshi Vora, Late Maneklal Dharamshi Vora
Grandchildren : Falguni, Paras, Bijal, Nikhil, Nishant, Rohan
Father : Late Manilal Vakhatchand Mehta


May her soul rest in eternal peace


ખાખરેચી નિવાસી હાલ મીરારોડ ગં. સ્વ. તારાબેન વલમજી વોરા (ઉં. વ. ૭૯) તે હર્ષદ, જીતેન્દ્ર, રસીલાબેન દિનેશકુમાર લોદરીયાના માતુશ્રી. મીનાબેન, શોભનાબેનના સાસુજી. સ્વ. ડુંગરશી ધરમશી વોરા તથા સ્વ. માણેકલાલ ધરમશી વોરાના ભાભી. ફાલ્ગુની, પારસ, બીજલ, નિખીલ, નિશાંત રોહનના દાદી. પિયરપક્ષે સ્વ. મણીલાલ વખતચંદ મહેતાના દીકરી ૫-૧૧-૧૨, સોમવારના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ૬-૧૧-૧૨, મંગળવારના ૧૦ વાગ્યે રાખેલ છે. સ્થળઃ સંભવનાથ જૈન દેરાસર, જાંબલીગલી, બોરીવલી (વે.) (લૌકિક વ્યવહાર બંધ છે.)

સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય (ભાગ 2)[કન્યાપ્રતિજ્ઞા]

સપ્તપદીના સાત મંત્ર વરની પ્રતિજ્ઞાના છે અને સાત મંત્ર કન્યાની પ્રતિજ્ઞાના છે આજે  કન્યાપ્રતિજ્ઞા ના સાત મંત્ર  વિગતે જોઈએ.

[1] ત્વયો મેડખિલસૌભાગ્યં પુણ્યૈસ્ત્વં વિવિધૈ: કૃતૈ: |
દેવૈ: સંપાદિતો મહ્યં વધૂરાદ્યે પદેડબ્રવીત્ ||
મારાં અનેક પુણ્યોના પ્રભાવથી મને તમારું સૌભાગ્ય મળ્યું છે. દેવોએ આજે આપને મારા પતિ બનાવ્યા છે ત્યારે મારું સર્વ પ્રકારનું કલ્યાણ તમારાથી જ છે એમ બોલી કન્યા સપ્તપદીનું પહેલું પગલું ભરે છે.
[2] કુટુંબં પાલયિષ્યામિ હ્યાવૃદ્ધબાલકાદિકમ્ |
યથાલબ્ધેન સંતુષ્ટા બ્રૂતે કન્યા દ્વિતીયકે ||
કુટુંબના આબાલવૃદ્ધનું હું પાલનપોષણ કરીશ, સંભાળ રાખીશ અને તમે જે કંઈ ધન પ્રાપ્ત કરશો એમાં સંતુષ્ટ રહીશ એમ બીજું ડગલું માંડતાં કન્યા બોલે છે.
[3] મિષ્ટાન્નવ્યંજનાદિની કાલે સંપાદયે તવ |
આજ્ઞાસંપાદિની નિત્યં તૃતીયે સાડબ્રવીદ્વરમ્ ||
તમને અને તમારા કુટુંબને દરરોજ સમયસર શ્રેષ્ઠ ભોજન જમાડીશ અને હંમેશાં તમારી આજ્ઞાનું પાલન કરીશ.
[4] શુચિ:શૃંગારભૂષાડહં વાડમન:કાયકર્મભિ: |
ક્રીડિષ્યામિ ત્વયા સાર્ધતુરીયે સાડબ્રવીદિદમ્ ||
સ્વામી, હું હંમેશાં શુચિ એટલે પવિત્ર રહી સૌભાગ્યના શણગારને ધારણ કરી, મનથી, વચનથી અને સત્કર્મથી તમને પ્રસન્ન કરીશ અને આપનું શુભચિંતન કરીશ.
[5] દુ:ખે ધીરા સુખે હૃષ્ટા સુખદુ:ખવિભાગિની |
નાહં પરતરં ગચ્છે પંચમે સાડબ્રવીત્પતિમ્ ||
તમારા દુ:ખના સમયમાં, આપત્તિના સમયમાં હું ધીરજ ધરીશ અને સુખમાં પ્રસન્ન રહીશ. તમારાં સુખ અને દુ:ખમાં હું ભાગીદાર બનીશ. પરપુરુષની કદાપિ ઈચ્છા કરીશ નહીં.
[6] સુખેન સર્વકર્માણિ કરિષ્યામિ ગૃહે તવ |
સર્વા શ્વશુરયોશ્ચાપિ બન્ધૂનાં સત્કૃતં તથા ||
યત્ર ત્વં વા હ્યહં તત્ર નાહં વંચે પ્રિયં કવચિત્ |
નાહં પ્રિયેણ વચ્યાડસ્મિ કન્યા ષષ્ઠે પદેડબ્રવીત્ ||
હું ઘરનાં સર્વ કાર્ય સારી રીતે અને સુખેથી કરીશ. તમારાં માતાપિતા અને ભાઈઓ સહિતના સઘળા શ્વશુરપક્ષના લોકોને સત્કારીશ. તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ, તમારાથી કદીય દૂર નહીં રહું. એટલું જ નહીં, કદી તમને છેતરીશ નહીં. એ જ રીતે તમે પણ મને કદી છેતરશો નહીં.
[7] હોમયજ્ઞાદિકાર્યેષુ ભવામિ ચ સહાયકૃત |
ધર્મર્થકામકાર્યેષુ મનોવૃત્તાનુસારિણી ॥
સર્વે ચ સાક્ષિણસ્ત્વં મે પતિભૂતોડસિ સાંપ્રતમ્ |
દેહો મયાડર્પિતસ્તુભ્યં સપ્તમે સાડબ્રવીદ્વરમ્ ||
હોમ અને યજ્ઞાદિ ધર્મકાર્યોમાં હું તમને મદદરૂપ બનીશ. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થ માટેના દરેક કાર્યમાં હું તમારી ઈચ્છા પ્રમાણે વર્તીશ. અગ્નિ અને સર્વની સાક્ષીએ હવે તમે મારા પતિ બન્યા છો અને હું મારું શરીર તમને અર્પણ કરું છું એમ કન્યા છેલ્લું અને સાતમું ડગલું માંડતાં બોલે છે.