Thursday, January 31, 2013

News in Brief

1st January 2013
  • To day is 1st January, 2013. Let us welcome the new year by saying HAPPY NEW YEAR
  • From today, we will put the SAMAJ news on top of the blog. so let us get started.To make this live, send the information to us at our email address mvjsamaj@gmail.com
  • 16th Tirthyatra Pravas to Kangdaji, Amritsar & Dharamshala commenced on 30-12-2012 & will end on 06-01-2013.
  • 33rd Annual & Prize Distribution day to be celebrated on 17th February 2013 at Silent Resort,Manor. Charges for Members Rs 250 per person (traveling by Bus arranged by Yuvak Mandal) or Rs 200 per person for Members traveling by their own vehicle. Guests will be charged Rs. 850 per person.
  • Mark Sheets of the years 2010-11 & 2011-12 of the students likely to get the Prizes should be submitted in PERSON (NOT BY COURIER OR POST) before 24-01-2013  at designated 3 centers. Prizes for 2 years (2010-11 & 2011-12) by both Mandals will be distributed.  Note : 1 center is the Yuvak Mandal office at DADAR and other 2 centers are in Mumbai 400002 & Mumbai 400003 areas whereas our families are concentrated in Borivali, Bhayandar and Ghatkopar areas.
  • Mahila Mandal has arranged TIRTH YATRA pravas to Parshvamani Tirth Adoni (Karnataka) between 24-01-2013 & 27-01-2013
  • Yuvak Mandal has made the office operative  and will remain open every day between Monday  & Friday from 11:00 AM to 1:30 PM
  • Election of working committee of SAMAJ due any time . Announcement to be made.
  • For Change of Address send your new address, old address and Samaj Utkarsh Reference No to rajeshsanghavi21@yahoo.com and not to samajutkarsh@gmail.com 

Samaj Utkarsh Volume No 579 December 2012

To read Pages 1 to 10 of Samaj Utkarsh click here 

To read Pages 11 to 20 of Samaj Utkarsh click here 

To read Pages 21 to 28 of Samaj Utkarsh click here 

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

 

Comments : 1) On Page 2 of Samaj Utkarsh "સને 2012-'13ના સમાજ ઉત્કર્ષના દર" ખરેખર સમાજ ઉત્કર્ષમાં જાહેરખબરના દર છે.

2) સાયલેન્ટ રિસોર્ટની અરજી વખતે બસમાં ક્યાંથી બેસવાના છો ? ની વિગત રસીદ સાથે તમોને પછી મળશે માટે તમારી બસમાં બેસવાની વિગત સયોજ્કો પાસે રહે તે ખાસ જોવું. 

3) પાના નમ્બર 7 ઉપર મહિલા મંડળની વિગત આપવામાં આવી છે પરંતુ વિષયની માહિતી મથાળામાં આપવી જોઈતી.માહિતી વડીલ વંદનાના પ્રોગ્રામની છે.  

કારણ વિના કશું બનતું નથી – ભૂપત વડોદરિયા

[‘જાગરણ’ પુસ્તકમાંથી સાભાર.]
દુનિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ. એક બાળક રૂપાળું કે કાળું જન્મે છે, એક બાળક બુદ્ધિશાળી કે મંદબુદ્ધિનું જન્મે છે. એક બાળક મહેલ જેવા બંગલામાં જન્મે છે, બીજું એક બાળક ઝૂંપડામાં જન્મે છે. એક કુટુંબ કંઈ કરે કે ન કરે, તેની સુખસાહ્યબીનો સૂરજ જાણે આથમતો નથી. પડોશમાં એક બીજું કુટુંબ છે તેને રોજેરોજ ભોજનનો સવાલ હોય છે.
હવે આ પ્રકારની વિષમતાઓ અને અન્યાયોનો કોઈ સંતોષકારક ખુલાસો આપણી પાસે નથી- સિવાય કે કર્મનો સિદ્ધાંત. માણસ જેવું કરે તેવું પામે. ક્રિયા અને પ્રતિક્રિયા, કાર્ય અને તેની અસર, શબ્દ અને પડઘો – આ બિલકુલ વૈજ્ઞાનિક બાબત છે. કારણ વિના કશું બનતું નથી. તમે જેવું વાવો તેવું લણો છો- આ કર્મનો સિદ્ધાંત લગભગ બધા ધર્મોએ સ્વીકારેલો છે. આમ તો તે એક વૈજ્ઞાનિક તથ્ય લાગે છે, પણ બીજાં અનેક વૈજ્ઞાનિક તથ્યોની જેમ તે કંઈક અપૂર્ણ લાગે છે. વાવો તેવું લણો, પણ જેણે બરાબર વાવ્યું હોય, વાવેલાની માવજત પણ કરી હોય અને છતાં તેનો પાક નાશ પામે અને તેના હાથમાં કશું જ ન આવે એવું બનતું આપણે જોઈએ છીએ; બીજી બાજુ કેટલાય માણસો જાણે વાવ્યા વગર જ સારો પાક લણતા હોય તેવું આપણે સગી આંખે જોઈએ છીએ.
પણ જો કર્મનો સિદ્ધાંત બિલકુલ જડ હોય અને ગયા જન્મમાં માણસે કરેલાં પાપ કે પુણ્ય, અને સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ તેણે ત્રાજવે તોળીતોળીને ભોગવવાનું હોય તો પછી આ જન્મનો- જીવનનો અર્થ શું ? ગયા જન્મનાં ફળો જ મારે ભોગવવાનાં હોય તો મારે કાંઈ પણ કરવાનો અર્થ જ શું રહ્યો ? હું કંઈ પણ સારું તો કરી શકવાનો નથી, કેમ કે ગયા જન્મનાં મારાં કર્મોએ મારા માટે કોઈ સ્વતંત્રતા રહેવા જ દીધી નથી ! છતાં હું ગમે તેમ કરીને સારાં કર્મો કરવા જાઉં તો તેનો બદલો તો મને હવે પછીના જન્મમાં જ મળે ! ખરેખર કર્મનો આ જ સિદ્ધાંત છે ? સિદ્ધાંત જો આટલો બધો ચુસ્ત અને ‘યાંત્રિક’ હોય તો મારા જીવનનો કોઈ અર્થ જ રહેતો નથી. મારા માટે સારા માણસ બનવાની પણ કોઈ ચાનક રહેતી નથી. મારે શા માટે ‘સારા’ બનવું જોઈએ ? ગયા જન્મનાં કુકર્મોનું જ ફળ મારે ભોગવવાનું છે. હું સારું કરું કે ખરાબ કરું તો તેની કોઈ અસર મારા વર્તમાન જીવન પર તો પડવાની નથી. કંઈ પણ પરિણામ મારા આ જિંદગીના કોઈક પુરુષાર્થનું આવવાનું હોય તો તે આવતા જન્મમાં જ આવવાનું !
એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણી ઉપર જે કંઈ સુખ-દુઃખ આવી પડે છે તે આપણા ઈરાદાપૂર્વકના કોઈ કાર્યનું સીધું જ પરિણામ હોતું નથી. ‘જિંદગી અને મૃત્યુનું ચક્ર’ નામના પુસ્તકના લેખક ફિલિપ કેપલેવે એક દષ્ટાંત આપ્યું છે. માનો કે એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જાય છે. સખત પવન ફૂંકાય છે અને તેની ઉપર ઝાડની એક ડાળી તૂટી પડે છે. એમાં એ માણસનો દોષ શું ? કોઈ કહે તે પવન ફૂંકાતો હતો અને ઘરની બહાર નીકળ્યો અને તેથી તેટલા પૂરતી તેની જવાબદારી, પણ માણસ કંઈ આવો વિચાર કરીને પોતાના ઘરમાં પુરાઈને રહી ન શકે. કોઈ કહે કે તેના ગતજન્મના કોઈક કર્મનું તેને ફળ મળ્યું. આમ જુઓ તો અકસ્માત બનવાનું કારણ તો ફૂંકાતો પવન અને ઝાડની નબળી ડાળ જ છે, પણ તેનું પરિણામ એક નિર્દોષ માણસને ભોગવવું પડે છે. પણ માણસ એમ વિચારી શકે કે આવું તો બની જ શકે છે. માણસ પોતાના ઘરમાં બેઠો હોય અને તેની ઉપર કોઈક વજનદાર વસ્તુ પડે તેવું બની શકે છે. આમાં પૂર્વજન્મના કર્મ માટે અફસોસ કરીને દુઃખી થવાની જરૂર નથી. જિંદગીની આવી અચાનકતાઓને પહોંચી વળવાની, સહી લેવાની શારીરિક, માનસિક સુસજ્જતા માણસે કેળવવી જ જોઈએ.
ટૂંકમાં કર્મના સિદ્ધાંતને અફર ભાગ્ય કે અફર નિયતિરૂપે જોવાની જરૂર નથી. માણસ પોતાની સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થ વડે ભાગ્ય તથા સંજોગોને બદલી શકે છે. ભલે પૂર્વજન્મનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે, પણ માણસ સાથેસાથે આ જન્મમાં પુરુષાર્થ વડે, પોતાની સુસજ્જતા વધારીને પોતાના જીવનની દિશા બદલી શકે છે અને ખરાબ ફળને ઓછું કરી શકે છે.

Wednesday, January 30, 2013

Dani Lary Magic - Transformations

  
Performed at the French TV show "Le Plus Grand Cabaret Du Monde" (The World's Largest Cabaret) hosted by Patrick Sebastien.


Tuesday, January 29, 2013

આંખમાં અમી તો દુનિયા ગમી: Thoughts to Ponder


A friend sent me this email forward and I thought of sharing these thoughts to ponder upon:



* હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

* જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

* પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

* નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

* શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

* બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

* આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

* એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

* જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

* પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.



- ilaxi

Monday, January 28, 2013

$315,000,000,000 Of Gold In A Vault


An inside view into the gold bullion vault of The Bank of England, which stores about $315 billion worth of gold.
 Film by Brady Haran. Featuring Martyn Poliakoff, Professor of Chemistry at the University of Nottingham.



Sunday, January 27, 2013

જીવન સાફલ્યની વાટે….. – દિનેશ પટેલ (2)

દષ્ટિ તેવી સૃષ્ટિ
એક ગુરુ તેમના શિષ્યો સાથે વિહાર કરવા નીકળેલા. ત્યાં ગુરુ-શિષ્યોની નજરે એક દશ્ય પડ્યું. એક છોકરાએ આંબાના વૃક્ષ પર જોરદાર પથ્થર માર્યોને એક રસદાર કેરી પેલા છોકરા આગળ આવીને પડી. ગુરુએ એક શિષ્યને પૂછ્યું, ‘બોલ વત્સ, તું આમાંથી શું શીખ્યો ?’ શિષ્યે જવાબ આપ્યો : ‘ગુરુદેવ, આમાં મને આંબાની ઉદારતાનાં દર્શન થાય છે. પથ્થર મારનારને ય તે કેરી આપે છે. માણસે આંબા જેવું બનવું જોઈએ; સજ્જન અને ઉદાર.’
એ જ પ્રશ્ન ગુરુએ બીજા શિષ્યને પૂછ્યો. એણે જવાબ આપ્યો : ‘ગુરુદેવ, મને તો આમાં એક જ વાત દેખાય છે કે જગત હરામી બની ગયું છે; પથ્થર માર્યો એટલે આંબાએ કેવી કેરી આપી ! આ જગતમાં તાકાતનો પરચો બતાવ્યા વગર કોઈ કંઈ આપતું નથી, પછી તે આંબો હોય કે માણસ. પણ જરાક લાલ આંખ દેખાડો એટલે તરત જ આપી દે. માગવાની કશું મળતું નથી, મારવાથી મળે છે !’ એક જ ગુરુના બે શિષ્યો. પણ બન્નેની દષ્ટિ અને અભિગમ જુદા. આપણે કેવો અભિગમ રાખવાનો છે અને આપણી આંખો પરનાં ચશ્માના કાચ કેવા રંગના રાખવાના છે તે આપણે જ નક્કી કરવાનું છે. આપણા ચશ્માનો કાચ જે રંગનો હશે તે રંગનું જગત આપણને દેખાશે.
.

સાચી પ્રાર્થના : સેવા
એક વખત દીનબંધુને મળવા તેમના એક જૂના મિત્ર આવ્યા. બન્ને વાતોએ વળગ્યા. વાતોમાં ને વાતોમાં દસ વાગી ગયા. દીનબંધુ એન્ડ્રુઝે ઘડિયાળ જોઈ અને પેલા સજ્જનની ક્ષમા માગતા કહ્યું :
‘માફ કરજો, મારે ગિરજાઘર જવાનું છે.’
પેલા સજ્જને કહ્યું : ‘મારેય ગિરજાઘર જવું છે, ચાલો સાથે જઈએ. આપનો સંગાથ વળી ક્યાંથી મળે ?’
દીનબંધુ એન્ડ્રુઝે કહ્યું : ‘પરંતુ તમે જે ગિરજાઘર જવાની વાત કરો છો તે ગિરજાઘર હું નથી જઈ રહ્યો.’
‘તો પછી આપ પ્રાર્થના ક્યાં કરશો ?’ સજ્જને આશ્ચર્યથી પૂછ્યું.
દીનબંધુ હસ્યા અને કહ્યું : ‘ચાલો, હું તમને મારા ગિરજાઘરમાં લઈ જાઉં.’

પેલા મિત્રને લઈને શહેરના સ્વચ્છ રસ્તા પર થઈને બાજુમાં આવેલી ઝુંપડપટ્ટીમાંની એક ઝૂંપડીમાં તેઓ ગયા. ત્યાં એક તેર વર્ષનો બાળક તાવથી તરફડતો ખાટ પર સૂતો હતો. એક વૃદ્ધ માણસ એને પંખો નાખતા હતા. દીનબંધુએ એ વૃદ્ધ માણસના હાથમાંથી પંખો લઈ લીધો અને કહ્યું : ‘બાબા હવે આપ જાઓ.’ એ વૃદ્ધના ગયા બાદ દીનબંધુએ પેલા સજ્જનને કહ્યું : ‘આ બાળક અનાથ છે અને તેને ક્ષય નામનો રોગ થયો છે. પડોશમાં રહેતો એક વૃદ્ધ માણસ એની સંભાળ લે છે. પરંતુ દરરોજ સવારે 11 થી 2 વાગ્યા સુધી તેને કામ પર જવાનું હોય છે; ત્યારે હું અહીં બાળક પાસે આવું છું. ચાર કલાક પછી એ કામ કરીને પાછા આવશે. આ છે મારી પ્રાર્થના અને આ ઝૂંપડી એ જ મારું ગિરજાઘર.’
.

છલકતો આત્મવિશ્વાસ
એક દિવસ ભગતસિંહ અને તેમના પિતા લાહોરના બજારમાં ફરી રહ્યા હતા. બપોરનો સમય હતો. દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ હતી. પિતાપુત્ર ફરતા ફરતા અનારકલી નામથી ઓળખાતા બજારમાં જઈ પહોંચ્યા. પણ ભગતસિંહ તો પ્રથમથી જ તોફાની ! તેમણે ચાલવાને બદલે કૂદકા મારવા માંડ્યા. પિતાને આ ગમ્યું નહિ. પિતાએ કૂદકા મારતા ભગતસિંહને એક તમાચો માર્યો.
બાદ પિતાએ પુત્રને કહ્યું : ‘આટલો બધો શાનો ફૂલાયા કરે છે ? ખબર છે તને કે તું મારા નામથી શહેરમાં ઓળખાય છે ! લોકો તને નહિ, મને ઓળખે છે. એટલે તો તેઓ કહે છે કે તું ફલાણાનો પુત્ર છે. તારા નામથી તો તને શહેરનું કોઈ ઓળખતું નથી. પછી આટલો બધો ફાંકો તું મનમાં શાનો રાખે છે ?’

પિતાના શબ્દો ભગતસિંહના હૃદયમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યા. પિતાના નામથી પુત્ર ઓળખાય તેમાં પુત્રની શી હોંશિયારી ? એમ બાળક ભગતસિંહના મનને થયું. તે ઘડીભર તો પિતાને કશો જવાબ આપી શક્યો નહિ. પણ બેચાર ક્ષણ પછી એ ગર્વીલા અને મહત્વાકાંક્ષી પુત્રે પિતાને જે જવાબ આપ્યો તે આત્મવિશ્વાસના એક રણકાર સમાન હતો. ભગતસિંહે પિતાને કહ્યું : ‘પિતાજી, ગુસ્તાખી માફ કરજો ! પણ…. એક દિવસ એવો જરૂર આવશે કે લોકો તમને ઓળખશે ભગતસિંહના પિતા તરીકે ! હું તમારા નામથી નહિ, પણ તમે મારા નામથી ઓળખાશો.’ અને એ બાળકનો આ આત્મવિશ્વાસ એક દિવસ સાચો જ નીવડ્યો ! સમય જતાં લોકો એવું કહેતા થયા કે આ મુરબ્બી વીર ભગતસિંહના પિતા થાય ! આનું નામ તે છલકાતો આત્મવિશ્વાસ !

Saturday, January 26, 2013

As Close As You Can Get To 3D



This is the closest to 3D without glasses I've seen on a computer screen. Simply amazing. Play the video, then click above to watch in Full Screen.




Credits: Landscape Volume 2,  Like Theres No Tomorrow,  The Ascent,  Blob Jump Official World Record,,  Crazy Close Shave Pass During Wingsuit Jump In Norway,  Danny MacAskill Way Back Home,  Epic Trick Shot Battle Dude Perfect,  Experience Zero Gravity,  Freeskier Phil Meier Profile,  Gopro Hd Hero Best Of,  Jaxon Wong 2011 Sampler,  Just Jump Skydives,  Lassi Huskainen Angry Birds,  Mike Wilson 99 Foot Rope Swing Quadruple Backpflips,  Pool Skateboarding,  Pro Riders In Action,  Reel Rock 2010 Trailer,  Sepaktakraw Vigo Cup 2011,  Snowscoot Euro,  Speed Flying Ultimate Rush,  Ten High 2011, The Art of Flight (Snowboarding film trailer),  The HD Hero2 2x As Poweful In Every Way,  The Water,  Winter X Games 15 Torsten Hogmo triple,  Worlds Widest Slip And Slide.   Music: Hans Zimmer - Final Charge

Friday, January 25, 2013

જીવન સાફલ્યની વાટે….. – દિનેશ પટેલ


[ જીવનમાં સંસ્કારનું ઘડતર કરે તેવા ઉત્તમ પ્રેરક પ્રસંગોનું એક સુંદર પુસ્તક છે ‘જીવન સાફલ્યની વાટે...’ આજે તેમાંથી કેટલાક ચૂંટેલા પ્રસંગો અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. ]
પરિવર્તનની રીત
એક સુંદર મજાનું નગર હતું. એ નગરમાં લોકો ખૂબ સંપથી રહેતા હતાં. ત્યાંના લોકો ખૂબ જ બુદ્ધિશાળી, મહેનતુ અને સુખી હતા. એ લોકોએ ભેગા મળીને એક કાયદો બનાવ્યો હતો કે એ નગરના રાજાને પાંચ વર્ષ થાય એટલે નદીપારના ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે મૂકી આવવા ! કેવો વિચિત્ર કાયદો ? છતાં આ કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરિણામે જે વ્યક્તિ આ નગરનો રાજા બનતી તે વ્યક્તિ મનોમન વિચારતી કે આપણે તો માત્ર પાંચ જ વર્ષ જીવવાનું છે એટલે જેટલી થાય તેટલી મોજ-મજા મનાવો અને રંગરેલીયા કરી લ્યો. પછી તો હિંસક પ્રાણીઓના શિકાર બનવાનું જ છે ને ? એમ માની ઘણાબધા રાજાઓ આ રંગે રંગાઈ જતા, પરિણામે મંત્રીઓ દ્વારા વહીવટ તો થતો પણ વિકાસ નહિ.
પરંતુ એક વાર એક બુદ્ધિશાળી વ્યક્તિ આ નગરનો રાજા બન્યો. તેણે તેના પૂરોગામી રાજાઓ કરતાં કંઈક અલગ રીતે રાજ-કાજ શરૂ કર્યું. તેણે નગરમાં ઠેર-ઠેર લોકોપયોગી દવાખાનાઓ, દુકાનો, બાગ-બગીચા, શાળા-મહાશાળાઓની શરૂઆત કરાવી વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન આપવા માંડ્યું અને પરિણામે નગરનો વિકાસદર વધવા લાગ્યો. સાથે સાથે નદીપારના જંગલમાંના હિંસક પ્રાણીઓને પકડી પકડીને બીજે તેમના માટે નિયત કરાયેલ અભયારણ્યોમાં મૂકી આવ્યો. જંગલ સાફ કરાવી ત્યાં નવાં મકાનો-શાળા મહાશાળાઓ, નવા નવા ધંધા રોજગાર, બાગ-બગીચા દવાખાનાઓ વગેરે તૈયાર કરાવ્યા. બુદ્ધિમાન લોકોને તેણે વસાવવાની શરૂઆત કરી. આ રીતે ત્યાં એક સુંદર સુયોજિત નગર નદીપાર પણ ઊભું કરી દીધું !
પાંચ વર્ષ પૂરાં થયાં એટલે રાજાએ નગરના લોકોને ભેગા કરી ઉત્સવ મનાવી રાજીખુશીથી પદત્યાગ કરી નદીપાર જવાની તૈયારી કરી. જ્યારે આ પહેલાંના જે-જે રાજાઓને નદીપાર મોકલવામાં આવેલા તેઓ રડતા-રડતા અને પગ પછાડતા પછાડતા ગયા હતા ! રાજા જ્યારે આ નગરમાંથી નદીપાર ગયો ત્યારે ત્યાંની પ્રજાએ રાજાનું સામૈયું કર્યું, સન્માન કર્યું અને ત્યાંના રાજા તરીકે કાયમ માટે હૃદયના સિંહાસને તેને બેસાડી ખૂબ માન-પાન આપ્યાં. પરિવર્તનની કેવી ગજબની રીત ! આ વાર્તાનો આપણે દરેક ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ અને ચીલાચાલુ કામગીરીને બદલે નાવિન્યતાપૂર્ણ અને અસરકારક કામગીરી કરીને જે-તે ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આણી શકીએ.
.

સાચી વકીલાત
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જ્યારે વકીલાત કરતા હતા તે સમયની આ વાત છે. અદાલતમાં તેઓ એક બાહોશ અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધ હતા. જે અસીલનો કેસ તેઓ હાથ પર લેતા એમાં અચૂક અસીલને જીતાડી આપતા. તેમની કાયદાની સૂઝ ખૂબ ઊંડી હતી. પણ અસત્યનો જ્યાં આશ્રય લેવો પડે એવા કેસને તેઓ કદી હાથ પર લેતા નહોતા. અસત્યથી પ્રાપ્ત થતી કમાણી તેઓ કદી ઈચ્છતા નહોતા.
એક વાર એક માણસ તેમની પાસે આવ્યો અને પોતાનો કેસ લડવા તેણે રાજેન્દ્રબાબુને આગ્રહ કર્યો; એટલું જ નહિ એ કેસ હાથ પર લેવાય તો ઘણી મોટી ફી આપવાની પણ તેણે પોતાની તૈયારી બતાવી. રાજેન્દ્રબાબુએ કહ્યું : ‘તમે કેસનાં કાગળિયાં મારી પાસે મૂકતા જાઓ. આજે રાત્રે હું તે જોઈ લઈશ અને કાલે તમને જવાબ આપીશ.’ તેમણે કાગળિયાં તપાસ્યાં. બીજે દિવસે પેલો માણસ તેમની પાસે આવ્યો કે તરત જ રાજેન્દ્રપ્રસાદે તેને કાગળિયાં પરત કર્યાં અને કહ્યું : ‘તમારો કેસ હું લડી શકીશ નહિ.’ પેલાએ કારણ પૂછ્યું તો રાજેન્દ્રબાબુએ કહ્યું : ‘તમારી પાસે બધા જ પૂરાવાઓ છે. તમે સો એ સો ટકા કેસ જીતી જાઓ તેમ છો; છતાં તમે એક વિધવા બાઈ સામે કેસ કર્યો છે. તમે જીતો એનો અર્થ એ થાય કે એ વિધવા બાઈનો રોટલો ઝૂંટવાઈ જાય, એ સાવ નિરાધાર બની જાય ! તમને એની મિલકત મળે તેથી તમને તો આનંદ થાય પણ એ બિચારી વિધવાનું શું ? એણે તો ભૂખે મરવાના દિવસો જ જોવાના રહે ! વ્યવસાયની સાથે સાથે મારા કેટલાક આગવા સિદ્ધાંતો પણ છે. મારી તો તમને સલાહ છે કે તમે એ વિધવાની સામે કેસ કરવાનું માંડી જ વાળો. આમ કરવામાં માનવતા છે. એક વાત સદા યાદ રાખો કે કોઈની આંતરડી કકળાવીને પ્રાપ્ત કરેલી મિલકત તમને સંતોષ નહિ આપે; તમારા આંતરિક સંતોષને એ નષ્ટ કરશે. આમ છતાં જો તમે એ વિધવાની સામે કેસ કરશો તો હું એ વિધવાનો બચાવ કરીશ અને તેની પાસેથી ફીની એક રાતી પાઈ પણ લઈશ નહિ !’ અને અસીલે પેલી વિધવા સામે કેસ કરવાનું માંડી વાળ્યું !
આપણ આ ડૉ. રાજેન્દ્રપ્રસાદ તેમની આવી સેવાભાવના, દયા, કરુણા, માનવસેવા જેવા ઊંડા ગુણોને લીધે ધીમેધીમે આપણા દેશના રાષ્ટ્રપતિ પદે પણ બિરાજમાન થયા જે આપણે બધા જાણીએ છીએ. આપણે પણ જે વ્યવસાય સ્વીકાર્યો હોય ત્યાં આવા માનવીય ગુણો ના કેળવી શકીએ ?

Thursday, January 24, 2013

Innovative Cargo Aircraft


The "Fairchild XC-120 Packplane" was an American experimental transport aircraft first flown in 1950. "The first trailer-truck of the skies!"
 It was unique in the unconventional use of removable cargo pods that were attached below the fuselage.



Wednesday, January 23, 2013

અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે

ઘણીવાર વીચાર આવે છે, એ કયું પરીબળ હશે જે માણસને હોમ-હવન, પુજા-પાઠ, વ્રત-ઉપવાસ જેવાં કર્મકાંડો તરફ દોરી જાય છે ? અશીક્ષીતોનું તો સમજ્યા પણ ડોક્ટરો, વકીલો, પ્રૉફેસરો, એંજીનીયરો, સાહીત્યકારો અરે ! કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં કર્મકાંડો કે ગુરુ-બાબાઓમાં અતુટ શ્રદ્ધા રાખે છે. એનો ખેદ વ્યક્ત કરીએ તો લોકો લખનારા પર ‘નાસ્તીક કે પાપી’ જેવાં વીશેષણો ઠોકી દે છે !

આ લખનારે ઘરમાં આજપર્યંત સત્યનારાયણની કથા, પુજા કે યજ્ઞો કરાવ્યાં નથી. ઉપવાસો કર્યાં નથી. રામકથા સાંભળી નથી. કાશી-મથુરા કે હરદ્વાર ગયો નથી. છતાં એકંદરે સુખી છું. બીજી તરફ જેઓ એ બધામાં રચ્યાપચ્યાં રહે છે, છતાં તરેહ તરેહનાં દુ:ખોમાં રીબાતાં જોવા મળે છે. એવી સેંકડો ઘટનાઓનો ઝીણવટથી અભ્યાસ કર્યા પછી એવું સમજાય છે કે સુખ-શાંતીનાં મુળીયાં તો ક્યાંક બીજે છે – કર્મકાંડોમાં નથી. પણ જેમને એ માર્ગે પરમ શાંતી મળે છે, તેમનો મેં કદી વીરોધ કર્યો નથી. શક્ય છે ક્યાંક મારું તારણ ખોટું હોય… આપણી જાણ બહારનું કોઈ અકળ કારણ ભાગ ભજવતું હોય. સ્વ. કવી શ્રી રમેશ પારેખની પંક્તીમાં કહું તો- એમ ના કહેવાય કે વરસાદ ના પડ્યો….. કહો કે આપણે ના પલળ્યાં…..!’

ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડમાં નવા તારા, નક્ષત્રો કે ગ્રહો શોધે છે. સ્વર્ગ-નર્કના ઈલાકા તેમના દુરબીનમાં ક્યાંય દેખાયાં નથી. ધર્મગુરુઓએ પઢાવેલા મોક્ષના પાઠ માણસને એવા કંઠસ્થ થઈ ગયા કે ગાય હતી જ નહીં અને માણસ જીવનભર ખાલી ખુંટાને ઘાસ નીરતો રહ્યો ! એક હાથમાં તપેલી અને બીજા હાથમાં ઘાસ….. દુધનું ટીપુંય મળતું નથી પણ કર્મકાંડો વગર માણસને ચાલતું નથી.

માણસને પણ ધર્મગુરુઓએ કેટલાક ખોટા જવાબો ગળથુથીમાં ઘુંટાવ્યા છે. દીકરો સમજણો થયા પછી સત્ય સમજી શકે; પણ માણસ ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર થાય તો પણ પેલાં ધાર્મીક અસત્યોને ફગાવવા તૈયાર નથી. કર્મકાંડોથી મુકદ્દર નથી બદલી શકાતાં. છતાં તે તરેહ તરેહના કર્મકાંડો કર્યે રાખે છે. લગ્ન ન થતાં હોય તો લોકો અખબારોમાં  જાહેરાત આપવાને બદલે બ્રાહ્મણોને ખેરાત કરે છે. કોઈને બાળક ન થતાં હોય તો ગાયનેકોલૉજીસ્ટને બદલે પામીસ્ટને મળે છે. વરસાદ ન પડે (અથવા અમીતાભ બચ્ચન બીમાર પડે) તો આખો દેશ યજ્ઞો કે પુજાપાઠ કરાવે છે. ધંધો ના ચાલતો હોય તો ગુરુવાર કરે છે. એ યાદ રાખવું પડશે કે વ્રત કરો પણ જીભ પર ઈમાનદારીનું સત ના હોય તો મુશ્કેલી ઉભી થાય. કોઈ યુવાન ઉપવાસમાં એક ટાઈમ અન્નનો ત્યાગ કરે. પણ દીવસમાં ગુટકાની ચોવીસ પડીકી આરોગી જાય ત્યારે સમજવું કે એ અમૃત ત્યજીને ઝેર પીવાની ભુલ કરે છે. (ભુલ પણ કેવી…? અન્નનો અપરીગ્રહ અને વ્યસનનો વ્યાસંગ…!) મળસ્કે ઉઠીને અગીયાર વાર માળા ફેરવો પછી ગલ્લા પર બેસીને બાવીસ ગ્રાહકોને લુંટો તો બચી ન શકાય. આજનો કહેવાતો ધર્મ માણસને અનીતીથી બચાવે એવી ઢાલ બની રહેવાને બદલે પાપને પોષતી દીવાલ બની ગયો છે.

મોરારીબાપુની ચેતવણી અવગણવા જેવી નથી. ‘બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે.’ રોજ માળા કરો પણ વ્યવહારમાં કર્મ કાળાં કરો તો બચી ના શકો. કર્મકાંડોથી નહીં, (થઈ શકવાનું હોય તો) સદ્દકર્મોથી જ માણસનું કલ્યાણ થઈ શકે છે. સ્વર્ગ–નર્ક હોય કે ન હોય; પણ માનવતા અને સૌજન્યપુર્ણ વર્તાવ જેવું સ્વર્ગ બીજું એકે નથી. સુખી થવા માટે ધર્મગ્રંથો કરતાંય માણસનાં મન વાંચવાની વીશેષ જરુર છે. યાદ રહે સુખશાંતી મંદીરમાંથી નહી; મનમાંથી પ્રગટે છે. રોજ મળસ્કે ઉઠીને ગીતાના ચાર અધ્યાય વાંચતો માણસ કોકની મીલકત પચાવી પાડવા કાવાદાવા કરે તો કૃષ્ણ રાજી ન થાય બલકે હાલત કૌરવો જેવી થાય. કોક નાસ્તીક મંદીરે ન જાય પણ ઝુંપડપટ્ટીમાં જઈને ભુખ્યાં બાળકોને અન્ન કે વસ્ત્રો પુરાં પાડતો હોય તો સંભવત: ઈશ્વર એને ખુદ પુછે- ‘બતા તેરી રઝા ક્યા હૈ ?’

તાત્પર્ય એટલું જ – ધર્મ એટલે ઘીનો દીવો, અગરબત્ત્તી કે નારીયેળ નહીં. ધર્મ એટલે ફરજ, પ્રામાણીકતા, માનવતા, ઈમાનદારી અને દુ:ખીઓનાં આંસુ લુછવાની ભાવના. સ્વામી વીવેકાનંદે કહેલું- ‘ઈશ્વર સામે જોડાતા બે હાથ કરતાં દુ:ખીઓનાં આંસુ લુછવા આગળ વધતો એક હાથ વધુ ઉપયોગી છે !’ ખરી વાત એટલી જ, કોઈ પણ ધર્મ પાળો પણ માનવધર્મને અગ્રક્રમે રાખો. ધર્મને નામે અધર્મની આરતી ના ઉતારો. પથ્થરની મુર્તી સમક્ષ થાળ ભલે ધરો પણ ઝુંપડપટ્ટીનાં ભુખ્યાં બાળકોને પણ થોડું ભોજન આપો. શીવલીંગ પર દુધ  રેડશો તો એ ગટરમાં ચાલ્યું જશે. ભુખ્યાઓનાં જઠરને શંકરનું લીંગ સમજીને એમાંનું અડધું દુધ એ સુકી ગટરમાં ઠાલવો. શંકરના આશીર્વાદ જરુર મળશે. શ્રદ્ધાથી મનને શાંતી મળતી હોય તો બેશક શ્રદ્ધાનું સ્થાન હાથરુમાલ જેવું છે. તે ગજવામાં શોભે-ખભે નહીં. માણસ મૈયતમાં ખભે ટુવાલ નાંખતો હોય છે. બુદ્ધીનું ઉઠમણું થાય ત્યારે તે  અંધશ્રદ્ધાનો ટુવાલ ખભે નાખીને ફરે છે. આખું જીવન પાપ કરો પછી પાપ ધોવા ગંગામાં ડુબકી મારો ત્યારે ખીસ્સાનો રુમાલ ટુવાલ બની ખભે આવી પડે છે.

ઝાઝો હોબાળો કર્યા વીના થોડીક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે: (1) ભગત-ભુવાથી ભાગ્યના લેખ મટતા નથી. (2) સદ્ કર્મોથી જે કલ્યાણ થઈ શકે તે કર્મકાંડોથી નથી થતું. (3) પુજા– પાઠ કરાવવાથી સંતોનો પરીક્ષામાં પાસ થતાં નથી. મોરારીબાપુની સલાહ કાનની બુટ ઝાલીને માનવી પડશે- ‘ઘરમાં ઉદ્ ભવેલી સમસ્યાનો ઉપાય હરદ્વારમાંથી ન મળે. એ તો ઘરમાં જ ઉકેલવી પડે ! (બચુભાઈ ઉમેરે છે- ‘માથાનો દુ:ખાવો પગના તળીયે બામ ઘસવાથી દુર ન થાય.) આગ પ્રવાહીથી હોલવી શકાય; પણ તે પેટ્રોલ હોય તો ન ચાલે. સંસારની સમસ્યાઓને વીવેકબુદ્ધીના પાણીથી હોલવી શકાય. અંધશ્રદ્ધાનું પેટ્રોલ છાંટશો તો ભડકા મોટા થશે. સગો પીતા દૈવીશક્તી પ્રાપ્ત કરવા માટે પોતાના દીકરાનો બલી ચઢાવે ત્યારે જે ભડકો થાય છે તેની જ્વાલાઓ પેપરના પાને પ્રગટી ઉઠે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવા ભડકા વીશેષ થાય છે. (હમણાં એવા સમાચાર મળ્યા કે સૌરાષ્ટ્રના કોઈ ગામમાં સગી માતાએ દીકરાનો બલી ચઢાવી દીધો.) એકવીસમી સદીમાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ઉપગ્રહોની બોલબાલા ભેગી અંધશ્રદ્ધાઓની બલા પન રેસમાં ઉતરી છે. ચુંટણીમાં પંજો જીતે કે કમળ તેથી ખાસ નુકસાન નથી, પણ જીવન વ્યવહારમાં અંધશ્રદ્ધા બીનહરીફ ચુંટાતી આવી છે તે ઓછા દુ:ખની વાત નથી. ચાલો આપણે સૌ ભેગા મળી એવા પ્રયત્નો કરીએ કે વીવેકબુદ્ધીનો વીજય થાય અને અંધશ્રદ્ધાની ડીપોઝીટ ડુલ થાય.

જરા વીચારો તો ખરા કરોડો માણસોના હજારો ધર્મો અને સેંકડો ભગવાનો… દુ:ખ સૌનાં સરખાં… લોહી સૌનું સરખું… આંસુ અને આઘાતોમાં કોઈ ફેર નહીં… સૌના ભોગવટા, જીવનવટા અને સ્મશાનવટા સરખાં તો ધર્મવટા કે સંપ્રદાયવટા કેમ જુદા…? ઈન્સાન સૌ સરખા તો ભગવાન કેમ જુદા…? અંધશ્રદ્ધાળુઓનું તો સમજ્યા પણ શા માટે એક વકીલ કે ડૉક્ટરની કારમાં સ્ટીયરીંગ આગળના અરીસા પર લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે ? શીક્ષીત લોકો આ એકવીસમી સદીમાંય હજી અંધશ્રદ્ધામાં કેમ અટવાય છે ? સુરેશ દલાલે સાચી ફરીયાદ કરી છે- ‘ભણેલાં આટલાં અભણ કેમ ? ચાલો વીચારીએ…..

-દીનેશ પાંચાલ

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર

મૂળ લેખને ટૂંકાવીને 

Tuesday, January 22, 2013

Quick Change Magic - Duo Minasov


Elena and Victor Minasov amaze the audience with their lightning-fast costume transformations.
Now why can't women get ready this fast in real life?   From the French TV show "Le Plus Grand Cabaret Du Monde". 


Monday, January 21, 2013

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈન્ટરનેટી–અંધશ્રદ્ધાનો વ્યાપ !

 આપણે ત્યાં દેવી-દેવતાઓના નામે પોસ્ટકાર્ડ લખવાનો અને પત્રીકાઓ કે ફોટોકૉપીઓ દ્વારા ચમત્કાર કે અંધશ્રદ્ધા ફેલાવવાનો ચાલ હતો. તેને જો કોઈ ન અનુસરે તો તેનું ધનોત-પનોત નીકળી જશે તેવી ધમકી આપી ડરાવવાની પ્રથા પણ હતી. હાલમાં પણ આ પ્રથા છે, જીવીત છે; એટલું જ નહીં, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ વાપરનારા ભણેલા–ગણેલાયે આવી અંધશ્રદ્ધા ફેલાવવામાં પાછા પડતા નથી ..લખે કે ‘દસને ફોરવર્ડ કરો તો આ લાભ અને ન કરશો તો ફલાણો ગેરલાભ !!!’

સને ૧૯૯૨માં પોતાના પાંચ મીત્રોનાં નામ-સરનામાં ટાઈપ કરી, નીચે પોતાની સહી કરી નવા પાંચ પત્રો વૈશ્વીક સ્તરે ‘ગુડલક’ મેળવવા મોકલવામાં આવતા હતા. આ પત્રમાં એક સુચના આવતી કે, ‘આ પત્ર નેધરલેન્ડથી શરુ થયો છે અને આખા વીશ્વમાં લગભગ ૨૦ વાર તો તે ફરી ચુક્યો છે ! જ્યાં પણ પહોંચ્યો છે તેમને સૌને ‘ગુડલુક’ પ્રાપ્ત થયું છે. જે જે વ્યક્તીએ આ ચેઈન તોડીને પત્ર નથી લખ્યો તેનું ધનોત-પનોત નીકળી ગયું છે. આ પત્ર સાચવીને રાખશો નહીં, કોઈ પૈસા મોકલશો નહીં. તમારા સેક્રેટરી પાસે આની ચાર વધુ નકલો બનાવડાવી, તેને તમારા પાંચ મીત્રોનાં સરનામે પોસ્ટ કરી દો. જે મીત્રને આ પત્ર મળશે તેનું નસીબ ખુલી જશે તથા આજથી ચાર દીવસમાં તેમને ‘ગુડલક’ પ્રાપ્ત થશે.’ આ કોઈ ગમ્મત (Joke) નથી. તે સમયે– અર્થાત્ દોઢ દાયકા પહેલાના– સીએટ ટાયરના પ્રમુખ, સીટી બેંકના ઉપ-પ્રમુખ અને ભારત, શ્રીલંકા, નેપાળ તથા બાંગ્લાદેશના એરીયા હેડ વગેરે મોટાં માથાંઓ આવી હારમાળાને પોષવામાં તેઓનો સુર પુરાવીને સંદેશો પાઠવતાં કે, (૧) ‘હું અંધશ્રદ્ધાળુ નથી; પણ દેશની આ પરીસ્થીતીમાં આવા સારા ‘લક’નો જરુર ઉપયોગ થઈ શકે.’ (૨) ‘હું અંધશ્રદ્ધાળુ નથી, પણ ગલ્ફનું યુદ્ધ તથા ભારતના રાજકારણમાં અનીશ્ચીતતાવાળા વરસમાં આવો ચેઈન-પત્ર તોડીને મારી જાત પર ‘બેડ-લક’ આવવા નહીં દઉં.’ આમ- નસીબને સુધારવા સારુ,  હામ ભીડીને પુરુષાર્થ કરવાને બદલે નાહકના પત્રો લખવાની પ્રથા એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુર્ખામીનો જ વ્યાપ હતો.

હાલમાં પણ કેટલાક ન્યુમરોલોજીસ્ટ-એસ્ટ્રોલોજર મીત્રો ઇ-મેઇલ દ્વારા 9-11 ની તારીખે બનેલ આતંકવાદી ઘટના તેમ જ તે 11 ના આંકડાના વીવીધ અર્થઘટનો કરી તેઓની સુચનાને અનુસરવા જણાવે છે. તમારા પરીચીત વધારેમાં વધારે વ્યક્તીઓને આવા મેઈલ મોકલશો તો 11 મીનીટમાં તમને આશ્ચર્યજનક ફાયદો થશે, જો તેમ નહીં કરો તો 11 મીનીટમાં આઘાતજનક નુકસાન થશે- તેવું જણાવીને  ધમકાવે છે. ગુજરાતી સાહીત્યને ઈન્ટરનેટ જગતમાં ગૌરવ અપાવનાર વડીલ મીત્ર સુરતના ઉત્તમ ગજ્જર પર પણ એકાદ મીત્રે આવી  મેઈલ મોકલેલ. તેને આપણા લાડીલા વડીલે પ્રત્યુત્તર પાઠવેલ કે, ‘વહેમો અને અંધશ્રદ્ધાનાં આવાં જંગલોને ભેદવા... આ પ્રકારની કોઈ પણ મેઈલ હું તેના મોકલનાર સીવાય કોઈને જ મોકલતો નથી... તે જ રીતે આ માત્ર તમને જ પરત મોકલું છું અને 11 દીવસમાં કે કલાકમાં કે મીનીટમાં મને શું નુકસાન થાય તેની રાહ જોઈ બેસું છું... હવે પછી આવી મેઈલ મને ન મોકલો તો મને ગમશે...’ આમ અમે બન્નેને 11 મીનીટ, 11 કલાક કે 11 દીવસમાં કોઇ નુકસાન થયું નથી. ૨૧મી સદીના આ આઈટી યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સ્વતંત્ર અને નીર્ભય વીચાર–વીવેક શક્તીનો કારમો દુકાળ અને મુર્ખામીનો વ્યાપ અકબંધ છે…

સમાજમાં સફેદ લીબાશમાં અંધશ્રદ્ધા ફેલાવતા સફેદ ઠગ કે ધંધાદારી લોકોથી સાવધ રહેવાની બહુજન સમાજને જરુર છે. મનથી મજબુત રહેનારને આવા કોઇ સફેદ ધુતારા કે ઠગ ઠગી શકતા નથી.

–ગોવીન્દ મારુ

Sunday, January 20, 2013

Snow-Kiters Reach For The Sky

Jason Jermain and Matt Thames reach high for the skies with their snow-kites.
Location: Strawberry Reservoir, Utah. Snowkiting is an outdoor winter sport where people use kite power to glide on snow or ice. Snowkiting differs from other alpine sports in that it is possible for the snowkiter to travel uphill and downhill with any wind direction.



Saturday, January 19, 2013

આપણી દુર્બળતા-લેખક : સ્વામી શ્રી સચ્ચીદાનંદજી

આપણે કમજોર પ્રજા છીએ. પ્રજાને કમજો બનાવવામાં સૌથી મહત્વનો ભાગ ધર્મે ભજવ્યો છે. વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથા દ્વારા પુરી પ્રજાને વીભાજીત કરવામાં આવી છે. આ વીભાજન એવી રીતે કરાયું છે કે એકતા કરવી અત્યન્ત કઠીન કામ થઈ રહ્યું છે. હજી પણ ઘણા શાસ્ત્રીઓ વર્ણવ્યવસ્થાને જન્મજા આદર્શ વ્યવસ્થા માને છે અને મનાવે છે. પ્રજાને અન્ધકાર તરફ ધકેલી હ્યા છે.
બીજું, વીભાજન સમ્પ્રદાયોથી થઈ હ્યું છે. હજારો(લગભગ વીસ હજાર) સમ્પ્રદાયો, પન્થો, પરીવારો, મંડળો વગેરેના દ્વારા પ્રજાના ટુકડે ટુકડા કરવામાં આવ્યા છે. સમ્પ્રદાયો હજી પણ વધી રહ્યા છે. તે અટકે એવી કોઈ નીશાની દેખાતી નથી. આ વીભાજનો પ્રજાને દુર્બળ બનાવે છે અને ગુંચવાડામાં નાખે છે. પ્રત્યે વીભાજક પોતાને સુપરમૅન ઘોષીત કરે છે, જેમાંથી વ્યક્તીપુજા શરુ થાય છે. વ્યક્તીપુજા વંશપુજામાં પરીણમે છે. કરોડોની સંપત્તી વારસદારોને આપવામાં આવે છે અને પછી વંશને સુપરવંશ બનાવવાનું દુશ્ચક્ર શરુ થાય છે. કાશીમાં 360 મઠો હતા, બધાએ પોતપોતાના નજીકના વારસદારો કે સગાંવહાલાંને આપી દીધા, હવે આ મઠોનું અસ્તીત્વ રહ્યું નથી. બધાં ઘરો થઈ ગયાં છે. આવી જ રીતે બીહારમાં એક હજાર મઠો જમીન–જાગીરવાળા હતા, બધાએ પોતપોતાનાં પરીવારોને ઉત્તરાધીકારી બનાવી વીશાળ ધાર્મીક સમ્પત્તીને પરીવારની બનાવી દીધી છે. માનો કે મારે ત્રણ આશ્રમો છે. શું આ સમ્પત્તી મારા પુર્વાશ્રમનાં પરીવારને આપી દેવી ?
જો આવી પદ્ધતી ચાલુ રહેશે તો પ્રભાવશાળી લોકો પ્રથમ ભગવાનના નામે કરોડોની સમ્પત્તી ભેગી કરશે અને પછી કોઈ ને કોઈ બહાનું કરીને પરીવારને સોંપી દેશે ! રીતે સમ્પ્રદાયો કે પરીવારો ધર્મના નામે પ્રજાના શોષક બની જશે. અરે, બની હ્યાં છે ! કેટલાક તો ટ્રસ્ટ જ એવાં રચે છે કે પોતાનાં પરીવારના જ માણસોને ટ્રસ્ટી તરીકે બેસાડી દેવાયા હોય. આવાં પરીવાર–પોષક ટ્રસ્ટો, લોકોની ધાર્મીકતાને આંધળી બનાવીને આર્થીક લાભ ઉઠાવતાં હોય છે. ખરેખર તો ધાર્મીક અને રાજકીય ક્ષેત્રના સમર્થ પુરુષોએ પોતાનાં પરીવારોને દુર રાખવાં જોઈએ. જો તેમને નજીક લાવવામાં આવે તો પ્રથમ તો તે ખોટી દખલગીરી કરશે અને વહીવટને કમજોર બનાવશે; પછી મુળ પરુષની પાછલી જીન્દગીમાં તેની શારીરીક, માનસીક અને બૌદ્ધીક કમજોરીનો લાભ ઉઠાવી પુરી સંસ્થા ઉપર ચડી બેસશે.
આ રીતે, પ્રજાની ધાર્મીક સમ્પત્તી અને શ્રદ્ધાનો દુરુપયોગ થવા લાગશે. પોતપોતાના અલગ અલગ વાડા રચનાર વીભાજકો છે. પ્રજાનું મોટું દુષણ આ વીભાજન છે. કરુણતા તો જુઓ કે આવા વીભાજકો ભગવાન થઈને પુજા છે અને સંયોજકો દુભાય છે ! જરુર છે સમ્પ્રદાયમુક્ત ધાર્મીકતાની.
ત્રીજું વીભાજન ગુરુવાદથી થાય છે. પ્રજા હજારો–લાખ્ખો ગુરુઓમાં વીભાજીત થાય છે. ‘ગુરુ તો કરાવવા જ જોઈએ, તેના વીના નગુરા કહેવાઈએ.’ આવી મીથ્યા ધારણાએ લોકો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમાં પણ વીધવાઓ, કોઈ ને કોઈ માણસને ગુરુ કરાવે છે. પ્રત્યેક ગુરુ પોતાનું એક અલગ મંડળ બનાવે છે. આ વીભાજન છે. ગુરુ પોતે પરમેશ્વર બનીને પોતાની પુજા કરાવે છે. જેમાંથી અનેક દુષણો પણ જન્મે છે. ખરેખર તો ગુરુવાદથી જ્ઞાન થતું નથી; કારણ કે ગુરુ જ્ઞાની નથી. જે ગુરુ જેટલાં મોટાં ટોળાં ભેગાં કરીને વાડામાં પુરી શકે છે તે તેટલો જ મહાન ગણાય છે. શીષ્યોને જ્ઞાનની જગ્યાએ ઘેટાદીક્ષા અપાય છે અને પછી વર્ષમાં બે વાર તો અવશ્ય ઉન કાતરી લેવાય છે. ગુરુઓથી જ્ઞાન થતું હોત તો ભારત સૌથી વધુ જ્ઞાની થઈ ગયું હોત.
આ ગુરુવાદે પ્રજાને વીભાજીત કરીને તથા અજ્ઞાનને જ્ઞાન મનાવીને પારાવાર નુકસાન કર્યું છે. જો પ્રજાને આ વીભાજન અને શોષણથી મુક્ત કરવી હોય તો ગુરુપ્રથા બંધ કરવી જોઈએ. કદાચ આવું ન કરી શકાય તો બહુગુરુવાદનું પ્રચલન ચલાવવું જોઈએ. બહુગુરુવાદ એટલે જીવનમાં જેટલા જ્ઞાની પુરુષો મળે તે બધાને ગુરુ માનવા. કોઈ એક વ્યક્તીના પગમાં ચોટી બાંધી ન દેવી. જે લોકો માત્ર એક વ્યક્તીને ગુરુ માને છે તે સંકુચીત મગજવાળા થઈ જા છે. તેઓ વીશાળતા પ્રાપ્ત નથી કરી શકતા. દત્તાત્રેયની માફક જ્ઞાનપીપાસુ માણસે અનેક ગુરુ કરવા જોઈએ. બહુગુરુવાદથી વીશાળતા અને જ્ઞાન બન્ને વધશે. જરુર છે વીકૃત ગુરુવાદનો ત્યાગ કરી વીભાજન અને અજ્ઞાન રોકવાની. જેમ પ્રાથમીક શાળાથી વીશ્વવીદ્યાલય સુધી અનેક ગુરુજનોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમ જીવનમાં પણ કક્ષા પ્રમાણે અનેક ગુરુઓની જરુર રહેતી હોય છે. જ્ઞાન માટે જ ગુરુ કરવા હોય તો બહુગુરુવાદ અત્યંત જરુરી છે.
વીકૃત ગુરુવાદનાં અનેક અનીષ્ટોમાંનું એક અનીષ્ટ છે વ્યક્તીપુજાનું. પ્રજા વ્યક્તીપુજક બની ગઈ છે. શીષ્યો કે અનુયાયીઓની સામે માત્ર એક જ વ્યક્તીને ફોકસ ધરવામાં આવે છે. ક્રમે ક્રમે બ્રેઈનવૉશ કરીને આવી વ્યક્તીની આંધળી ભક્તી શીષ્યવર્ગમાં પ્રસ્થાપીત કરવામાં આવે છે. આવી વ્યક્તી માટે કાલ્પનીક ચમત્કારો કે બીજી વાતો રચાય છે, જેથી તે મહાન સુપરમૅન દેખાવા લાગે છે. લોકો પરમેશ્વરપુજક અને ગુણપુજક થવાની જગ્યાએ માત્ર અને માત્ર વ્યક્તીપુજક થઈ જાય છે. બીજા વ્યક્તીપુજકો સાથે ઝઘડા અને ઝનુન અને અન્તે પોતાનામાંથી જ નવી–નવી નીકળતી સુપરવ્યક્તીઓ દ્વારા વીભાજીત થઈને પુરી પરમ્પરા વીખવાદનું કેન્દ્ર બની જાય છે.
વ્યક્તીપુથી પ્રજા વીભાજીત થઈને દુર્બળ થાય છે એટલે વ્યક્તીપુજાની જગ્યાએ ગુણપુજા તથા પરમેશ્વરપુજાની પ્રસ્થાપના થવી જોઈએ. બહુ જોરથી સમ્પ્રદાયો અને રાજકારણમાં વ્યક્તીપુજા વધી રહી છે. તેનાથી પ્રજા રાજકીય અને ધાર્મીક એમ બન્ને રીતે વીભાજીત થઈને દુર્બળ થાય છે. કોઈ એક વ્યક્તીને ધાર્મીક કે રાજકીય ક્ષેત્રની સુપરમૅન માની લેવાથી પ્રજા વ્યક્તીના કથીત સત્યને જ અન્તીમ સત્ય માની લેતી હોય છે. તે નવું સંશોધન નથી કરી શકતી, કદાચ કોઈ કરવા માગે તો તેને મૃત્યુદંડ કરવામાં આવે છે. એક સમ્પ્રદાયના અનુયાયીએ કહ્યું કે આજ સુધી અમારા ધર્મગ્રન્થમાં કે તેના સ્તોત્રોમાં એક પણ ભુલ કાઢવામાં આવી નથી. એટલે તે ભુલ વીનાનું પરમ સત્ય છે. આ ભાઈને એમ પુછી શકાય કે, ‘ભુલ કાઢવાની તમે કદી છુટ આપી છે ? જો કોઈ ભુલ કાઢે તો તરત તેની કતલ કરી નાખવાનો હુકમ કરો તો કોણ ભુલ કાઢે ?  હીટલર કે સ્તાલીન જીવતા હતા ત્યારે તેમની પણ કોઈ ભુલ કાઢતું ન હતું. કારણ સમજી શકાય છે. સત્ય તો સમયની સાથે ચાલતું હોય છે, જો તે સમયની સાથે જોડાયેલું હોય તો પણ સત્ય વ્યક્તી કે ગ્રંથની સાથે જોડાય તો તેના સમય સાથે જડબેસલાક જોડાઈ જાય. સેંકડો કે હજારો વર્ષ વીત્યાં પછી પણ તે જ્યાં હતું ત્યાં જ અટકી જાય. આ રીતે ભુતકાળ, વર્તમાન ઉપર સવારી કરી બેસે. જ્યારે તે મોટો વીસમ્વાદ કરે ત્યારે ચુસ્ત પંડીતો તેની જુદી જુદી વ્યાખ્યા કરી મેળ બેસાડવાનો પ્રયત્ન કરે. તેનાં ભાષ્યો અને ટીકાઓ બદલાતાં રહે. બદલવાં જ પડે. પણ મુળનું સમર્થન કરવું જરુરી થઈ જાય. મુળમાં જ ભુલ થઈ ગઈ છે: એવું કોઈ બોલી કે લખી ન શકે. કારણ કે પ્રજાના માનસ ઉપર મુળ પુરુષની વ્યક્તીપુજા એટલી તો સજ્જડ બેસાડી છે કે ચું કે ચાં કરી શકાય નહીં. આ રીતે આવો વ્યક્તીપુજક વર્ગ સત્યથી પછાત થતો જાય. પછાતોનું હમ્મેશાં શોષણ થતું હોય છે. આવી પ્રજા લામ્બે ગાળે જ્ઞાન–વીજ્ઞાન અને ધનધાન્યથી આપોઆપ દુર્બળ થઈ જતી હોય છે. કોઈ પણ સમ્પ્રદાય કે રાજ્યશાસન ઘણા લાંબા સમય સુધી માત્ર એક જ વ્યક્તીને સજ્જડ વળગીને ચાલતાં હોય છે, ત્યારે તે આપોઆપ પછાત થઈ જતાં હોય છે. એટલે પ્રજાને આન્ધળી વ્યક્તીપુજાથી સાવધાન કરવી જરુરી છે.
હીન્દુપ્રજાના પતનમાં અહીંસાવાદે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ચુસ્ત અહીંસાવાદ અને વીરતા સાથે  દેખાતાં નથી. પ્રજા શસ્ત્ર વીનાની અને નમાલી થાય તો ગુલામીનાં ફળ ભોગવવાં જ પડે. મહાત્મા ગાંધીજીની જે અહીંસા, અંગ્રેજોની સામે સફળ થઈ તે જુનાગઢ, નીઝામ હૈદરાબાદ કે ગોવાની સામે  કેમ સફળ ન થઈ ? અંગ્રેજોની સૈન્યશક્તી આગળ આ રાજ્યો તો સાવ તુચ્છ હતાં; તો પણ અહીં અહીંસા ચાલી નહીં. સત્ય તો એ છે કે અહીંસાની સફળતામાં અંગ્રેજો પણ તેટલા જ કારણભુત છે, જેટલા ગાંધીજી. પ્રજાને વીરતાધર્મ આપવો જોઈએ. અહીંસાથી પ્રશ્નો ઉકેલાતા ન હોય તો તેને ચુસ્ત રીતે વળગી રહેવાનો શો અર્થ છે ?
પલાયનવાદ આપણી રગ–રગમાં ભરી દેવાયો છે. કર્તવ્યથી કે સંઘર્ષથી કેમ ભાગી છુટવું તે આપણને જ્ઞાન–વૈરાગ્ય અને ત્યાગના નામે ઉપદેશાયું છે. પ્રજા અન્યાયનો પ્રતીકાર નથી કરતી, ભાગી છુટે છે. કારણ કે પલાયનવાદમાં ઉચ્ચ આદર્શોના દ્વારા ભાગી છુટવાની કળા બતાવવામાં આવી છે. આજે આવો ટનબંધ ઉપદેશ પ્રજાના માનસ ઉપર ઠલવાય છે. પ્રજા ભાગેડુ બને છે, જે તેને દુર્બળ બનાવે છે.
સન્તતીનીયમન અત્યન્ત જરુરી છે. પણ તેમાં પણ વીવેકની જરુર છે. જેની પાસે ઘણાં ઘર છે, ઘણા ધન્ધા છે, ઘણી સગવડો છે, ઘણું સામર્થ્ય છે તેને ત્યાં એક જ બાળક હશે તો તેનાથી પ્રશ્નો ઉભા થશે. ખરેખર તો તેને ઘણાં બાળકોની જરુર છે. પણ જેની પાસે છાપરુંય નથી, પોતે બેકાર છે, સામર્થ્ય છે જ નહીં, તેને ઓછામાં ઓછાં બાળકો હોવાં જોઈએ. આપણે વાસ્તવીકતાને સમજીએ અને સ્વીકારીએ તો જ સાચી દીશામાં પ્રયત્નો થઈ શકે.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર

Friday, January 18, 2013

 Can Money Buy Happiness?

We often hear it, but how true is the phrase 'Money can't buy happiness'? Is there a correlation between the two, and if so, what can we learn from it?
Written and created by Mitchell Moffit and Gregory Brown.



Thursday, January 17, 2013

‘ઈશ્વર છે કે નહીં’ ને બદલે અન્ધશ્રદ્ધા પર પ્રહાર કરો

ઈશ્વરના અસ્તીત્વ વીશે ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્ર વીભાગમાં ખાસ્સી ચર્ચાઓ થાય છે. ચર્ચાપત્રોમાં ઈશ્વરવાદીઓ કરતાં નીરીશ્વરવાદીઓ વધુ આક્રમક હોવાનું પ્રતીત થાય છે. નીરીશ્વરવાદીઓની આક્રમકતા પાછળ એમનો રાજકીય પુર્વગ્રહ અને નીરાશા પણ છતાં થતાં દેખાય છે.  નીરીશ્વરવાદીઓએ સમજવું જોઈએ કે ઈશ્વર છે એવી શ્રદ્ધાને નીર્મુળ કરવાનું કામ ભગીરથ છે.  ઈશ્વર છે કે નથી એવી ચર્ચા કરવાને બદલે, અન્ધશ્રદ્ધા ઉપર પ્રહાર કરવાનું જ યોગ્ય બની રહેશે.

ધર્મ આજકાલ વ્યસન જેવો બની ગયો છે. તીર્થધામોમાં માણસો કીડીયારાની જેમ ઉભરાય છે. બાબાઓ અને બાપુઓ  લોકોની  અન્ધશ્રદ્ધા અને  ધર્મભાવનાનો ગેરલાભ ઉઠાવે છે. આ બાબાઓ અને બાપુઓ શબ્દોના જાદુગર છે. શાસ્ત્રોથી આગળ વધીને રોજીન્દા જીવનમાંથી પણ હૃદયસ્પર્શી ઉદાહરણો ટાંકીને બાબાઓ/ બાપુઓને  પોતાનું માર્કેટીંગ  કરતાં આવડે છે. સમાજ ઉપર પકડ ધરાવતા બુદ્ધીજીવીઓ, વીદ્વાનો અને સાહીત્યકારોને લાડ લડાવતાં અને ‘મોટા ભા’ કરતાં એમને સરસ આવડે છે અને ‘મોટા ભા’ બનવાનું તો કોને ના ગમે ?

શીરડી, તીરુપત્તી, કેદારનાથ અને બદ્રીનાથ જેવાં યાત્રાધામોમાં રોજ લાખો રુપીયાની આવક થાય છે. ભગવાનની મુર્તીને સોનાનો મુગટ ચઢાવવો, સોનાચાંદીનું સીંહાસન બનાવી આપવું, આ બધું સહજ બનતું જાય છે. આપણાં શહેરોનાં મંદીરોમાં રોજ અઢળક નાણું આવે છે. આ મંદીરો પાછા મફત ભીક્ષુકભોજન આપીને ભીખારીઓની વસ્તીવૃદ્ધીમાં અગત્યનું  પરીબળ  બની રહે છે. મંદીરોને થતી આવકની ફીક્સ્ડ ડીપોઝીટ રસીદ બનતી રહે છે અને ટ્રસ્ટીઓ પણ જલસા કરે છે. આ લોકો સમાજ માટે કાંઈ કરી છુટતા હોવાનો દંભ જરુર કરે છે; પરન્તુ તેમાંથી સમાજ માટે એક ટકો રકમ પણ વપરાતી નથી. શીરડી, તીરુપત્તી કે અજમેર જેવાં ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓએ હૉસ્પીટલો ઉભી કરી હોય, ગરીબોને રોજી આપતા ગૃહોદ્યોગો શરુ કર્યા હોય, ગરીબોને પગભર થવા લોન આપી હોય કે ગરીબ વીદ્યાર્થીઓને મફત શીક્ષણ આપતી શીક્ષણસંસ્થાઓ શરુ કર્યાનું જાણ્યું નથી ! મંદીરો, દરગાહો, બાબાઓ અને બાપુઓ સમાજને નબળો પાડી રહ્યાં છે, સમાજનું શોષણ કરી રહ્યા છે, એમ કહેવામાં લગીરે અતીશયોક્તી નથી.

નીરીશ્વરવાદીઓએ ઈશ્વર છે કે નહીં એના વાદવીવાદમાં પડ્યા વીના ઈશ્વરના નામે થતા ગરીબો અને મધ્યમ વર્ગના શોષણ સામે સમાજને જાગ્રત કરવો જોઈએ. ધર્મસ્થાનોનું માહાત્મ્ય વધારવા થતા ધતીંગોનો વીરોધ થવો જોઈએ.

’ઈશ્વર નથી’ એ વાતનો સ્વીકાર કરાવવાના બળપુર્વકના પ્રયત્નો પણ સફળ થયા નથી. માણસની ઉપર કોઈ પરમતત્ત્વ છે એવી કલ્પનામાં (?) રાચવાનું મનુષ્યોને ગમે છે. ’ઈશ્વર નથી’ એવો સ્વીકાર થાય એવો દુરાગ્રહ કરવાને બદલે, સાદાઈથી ધર્માચરણ થાય એ માટે પ્રયત્નશીલ રહેવું જ ઠીક રહેશે.

-સુરેશ એસ. દેસાઈ

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર

 

Wednesday, January 16, 2013

How Difficult Is It To Destroy An Old Volvo?


What does it take to destroy an old Volvo 850?  As you will see from the video, it is not easy. The Volvo 850 is a compact car produced by Volvo Cars from 1992 to 1997, available in sedan and station wagon body styles. At the time of its development, the 850 was regarded as one of the largest engineering endeavours in Sweden.


Tuesday, January 15, 2013

ધર્મ સાથે જીવનના છુટાછેડા–ગુણવંત શાહ

જલાલુદ્દીન રુમીએ એક સુફી વાર્તા કહી હતી. એક વાર ભલો ઈબ્રાહીમ ગાદી પર બેઠો હતો. અચાનક એને કાને વીચીત્ર અવાજ સંભળાયો. એના મહેલના છાપરા પરથી જે અવાજ સંભળાયો એમાં ડચકારા, ઝુંટાઝુંટ અને ચડસાચડસીનો આભાસ થતો હતો.
ઈબ્રાહીમે બારીની બહાર ડોકું કાઢીને મોટા અવાજે બુમ મારી: ‘અરે! કોણ છે ત્યાં ? આ ઘોંઘાટ શેનો છે ?’ ચોકીદારો તો મુંઝવણમાં પડી ગયા ! એમણે કહ્યું:
‘જહાંપનાહ ! એ તો અમે મહેલના છાપરા પર ચોકી કરવા આંટા મારીએ છીએ’.
ઈબ્રાહીમને આશ્ચર્ય થયું ! એણે પુછયું:
‘ત્યાં તમે કોને પકડવા માગો છો ?’
ચોકીદારોએ વીનયપુર્વક કહ્યું: ‘જહાંપનાહ ! આપણાં ઉંટ ક્યાંક ખોવાઈ ગયાં છે અને અમે તેને ખોળી રહ્યા છીએ.’
ઈબ્રાહીમ કહે: ‘અરે ! શું ઉંટ છાપરા પર ચડી જાય એ શક્ય છે ?’
ચોકીદારોએ કહ્યું: ‘જહાંપનાહ ! અમે તો આપનું જ અનુકરણ કરી રહ્યા છીએ. આપ જો રાજગાદી પર બેસીને અલ્લાહની શોધ કરી શકો છો તો અમે છાપરા પર ઉંટ શોધીએ એમાં શી નવાઈ ?’
ભલો ઈબ્રાહીમ વીચારમાં પડી ગયો !
હીન્દુઓ ભગવદ્ ગીતા વાંચે છે. મુસલમાનો કુરાન વાંચે છે. ખ્રીસ્તીઓ બાઈબલ વાંચે છે. બૌદ્ધો ધમ્મપદ વાંચે છે. જૈનો સમણસુત્તં વાચે છે. એવું તે શું છે કે જે કશુંક વંચાય એની અસર જીવનનના વ્યવહાર પર પડતી નથી ? ક્યારેક તો ધર્મગ્રંથોનું વાચન માણસમાં ધાર્મીક હોવાનું મીથ્યાભીમાન જગાડનારું બની રહે છે. ગીતા વાંચનારાનું જીવન કોરું રહી જાય છે. કુરાન મોઢે હોય તોય જીવનમાં ઝનુનની બોલબાલા ! ધર્મ સાથે જીવનના કેવા છુટાછેડા !
વર્ષો પહેલાં બનેલો એક સાચો પ્રસંગ યાદ આવે છે. મારા ઘરથી થોડાક અન્તરે ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ (જીઈબી)ની હાઉસીંગ કૉલોની છે. એક સાંજે હું ઘરના હીંચકે બેઠો હતો અને એક યુવાન એન્જીનીયર મળવા માટે આવી પહોંચ્યો. એ મારો વાચક હશે એથી અત્યન્ત વીનયપુર્વક એણે પ્રશ્ન પુછયો: ‘સર ! હું કૃષ્ણભક્ત છું અને તમને પણ વાંચું છું. મારે જીવનમાં કૃષ્ણમય બનવા માટે શું કરવું જોઈએ ?’ આવો વજનદાર પ્રશ્ન સાંભળીને હું ઝટ કશુંય બોલી ન શક્યો.
કદાચ ત્યારે મારો મુડ સાવ જુદો હતો. મેં એ યુવાનને કહ્યું: ‘ગીતા વાંચવાનું બન્ધ કરી દેવું જોઈએ.’ મારી આ વાત સાંભળીને એ યુવાન ભારે નીરાશ થયો. એણે કહ્યું: ‘સર ! હું તમારી  પાસે બહુ ઉંચી અપેક્ષા સાથે આવ્યો હતો. તમે મને નીરાશ કર્યો છે.’ એ યુવાન જવાની તૈયારીમાં હતો ત્યારે મેં એને મારા જવાબનો મર્મ સમજાવ્યો.
મે કહ્યું: ‘દોસ્ત ! તું એક કામ કર. આવતા છ મહીના સુધી ગીતા બાજુએ મુકી દે. તારી ઑફીસમાં પાંચ મીનીટ વહેલો પહોંચી જજે અને સમય પુરો થાય પછી પાંચ મીનીટ બાદ ઑફીસ છોડજે. ખુરસી પર બેઠો હોય ત્યારે દુરથી કોઈ ગામડીયો વીજળીની મુશ્કેલી અંગે તારી પાસે કામ લઈને આવે ત્યારે  તું એનું વાજબી કામ એવી રીતે કરી આપજે, જાણે એ ગામડીયો ગોકુળથી આવેલો કૃષ્ણ જ હોય ! તું આ વાતનો અમલ છ મહીના માટે કર પછી ફરીથી મને મળવા આવજે. તને જરુર સમજાશે કે ગીતા વાંચવાની જરુર નથી. જો તું આ પ્રમાણે ન કરે તો ગીતા વાંચવાનો કોઈ જ અર્થ નથી.’ વર્ષો વીતી ગયાં તોય એ યુવાન હજી મને મળવા આવ્યો નથી.
આ જગતમાં બે ગીતા છે. એક કાગળ પર છપાયેલી પોથીગીતા અને બીજી છે જીવનગીતા. આવું જ કુરાન માટે અને બાઈબલ માટે પણ કહી શકાય. જીવનગીતા’ કે ‘જીવનકુરાન’ વીના ધર્મ પોથીમાંનું રીંગણું બની રહે છે. ધર્મ અને જીવન વચ્ચેના આવા છુટાછેડા થઈ જાય પછી જે બચે છે એ કેવળ બાહ્યાચાર છે. સાધુ ગીતા જીવે છે. ફકીર કુરાન જીવે છે. ગીતા કે કુરાન કંઠસ્થ કરવામાં મીથ્યાભીમાન રહેલું છે. ધર્મગ્રન્થોનો પોપટપાઠ માણસનો અહંકાર વધારે છે.
ભારતમાં રોજે રોજ નવાં નવાં ધર્મસ્થાન બન્ધાતાં જ રહે છે. મન્દીરોની કે મસ્જીદોની સંખ્યા વધે તેમ ધર્મનું આચરણ વધે છે ખરું ? નવાં મન્દીરો બન્ધાય એ સાથે સરેરાશ પ્રામાણીકતા વધે છે ખરી ? નવી મસ્જીદો બન્ધાય એ સાથે નીતીમય જીવન ઉદય પામે છે ખરું ? કદાચ આપણે છાપરા પર ચડી ગયેલા ઉંટને શોધી રહ્યા છીએ ! ભલો ઈબ્રાહીમ હજી જીવતો છે.

એક્સ–રે

હે શીવ !
મારાં ત્રણ પાપ બદલ મને ક્ષમા કરજો:
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભુલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વીચાર કરું છું; કારણ કે
હું ભુલી જાઉં છું કે તમે તો વીચારથી પર છો !
હું તમને પ્રાર્થના કરું ત્યારે ભુલી જાઉં છું
કે તમે તો શબ્દથી પર છો !
–આદી શંકરાચાર્ય

-  ગુણવંતભાઈ શાહ

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર 

Monday, January 14, 2013

Bets You Will Always Win



Impress your friends at a party with these sure-fire bets.



Sunday, January 13, 2013

ફરજપરસ્તી એ જ ઈશ્વરપુજા–ડૉ. શશીકાંત શાહ


(ધાર્મીકતા અને નીતીમત્તા)


(ડૉ. શશીકાંત શાહ વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીના ‘શીક્ષણ વીભાગના’ નીવૃત્ત વડા છે. આજીવન સન્નીષ્ઠ શીક્ષક રહ્યા. આ બધું જ એમણે જીવનમાં અમલમાં મુક્યું અને હજીયે એવું જ જીવન જીવે છે; પરીણામે એમને ઘણું વેઠવાનુંયે આવ્યું અને આવે છે.. કોઈ રખે માને કે લેખક પ્રખર નાસ્તીક કે રૅશનાલીસ્ટ હશે.. ના, ના, તેઓ તો એકનીષ્ઠ આસ્તીક છે. વૈષ્ણવ સમ્પ્રદાયના ચુસ્ત કૃષ્ણપ્રેમી અને પુજક છે એના અમે સાક્ષી છીએ.. આવા ઘણા ‘ફરજ–પરસ્ત, આસ્તીક શશીકાન્ત’ની સમાજને જરુર છે. …ગોવીન્દ મારુ)
      દુનીયામાં પ્રત્યેક માણસને એક ભુમીકા પ્રાપ્ત થયેલી છે. એ ભુમીકા એણે યોગ્ય રીતે નીભાવવાની છે. ‘મનુષ્યસેવા એ જ ઈશ્વરસેવા’ એમ કહેવાયું છે તે કેટલું યથાર્થ છે ! આપણે પોતે જે સ્થાને બેસીએ છીએ, મહીને હજારો રુપીયાનો પગાર વસુલીએ છીએ; ત્યાં કંઈ જ કામ ન કરીએ અને પછી જાણે કે એ પાપનું પ્રાયશ્ચીત્ત કરતા હોઈએ તે રીતે ઈશ્વર તરફ વધુને વધુ ઢળતા જઈએ (સ્થુળ અર્થમાં જ તો…! લોકો જુએ તેમ કથા સાંભળવા જવું, ધર્મસ્થાનની વારમ્વાર મુલાકાત લેવી, નોટબુકમાં (હૃદયમાં નહીં !) ઈષ્ટદેવનું નામ લખવું) તો એવી ભક્તી ઈશ્વર પણ કબુલ રાખતો નથી. દરેક માણસ પોતાને ફાળે આવેલું કામ યોગ્ય રીતે કરે તો દુનીયામાં એક પણ દુ:ખી માણસ ન બચે !
       થોડાંક વર્ષો પુર્વે એક મન્દીરમાં જોવા મળેલું એ દૃશ્ય હું હજુ આજે પણ ભુલ્યો નથી. ત્રીસેક વર્ષની એક મહીલા આરતીનો સમય થયો એટલે હાથમાં ઉંચકેલી બે વર્ષની પુત્રીને બાજુમાં ફર્શ પર સુવડાવી, ભગવાનના દર્શન કરવામાં લીન થઈ ગઈ. બાળકીએ જોરજોરથી રડવાનું શરુ કર્યું; તોયે મહીલાએ તેની દરકાર કર્યા વીના હાથ જોડેલા રાખીને ભગવાનની મુર્તીના દર્શન કરવાનું ચાલુ રાખ્યું. આરતી પત્યા પછી વૃદ્ધ પુજારી પેલી યુવતી પાસે આવ્યા અને બોલ્યા, ‘બેટા, આજે તારી તો ઠીક, અમારી પુજા પણ વ્યર્થ ગઈ. મારું ધ્યાન આરતીમાં લાગ્યું જ નહીં; કારણ કે આ બાળકી જોરજોરથી રડતી હતી. મને ભગવાનનો ડર તો છે જ નહીં; પરન્તુ જો એકત્ર થયેલા ભક્તોનો પણ ડર ન હોત તો આરતી અધુરી રહેવા દઈને મેં આ બાળકીને ઉંચકી લીધી હોત. આ બાળક સ્વયમ્ ઈશ્વરનું પ્રતીનીધી છે. અરે ઈશ્વર જ છે ! તું વળી કયા ઈશ્વરને શોધે છે ? યાદ રાખજે દીકરી, આવી પુજા ઈશ્વર મંજુર નથી રાખતા, એ તો ઈચ્છે છે કે પ્રથમ મેં તમને સોંપેલું કામ નીષ્ઠાથી પતાવો અને પછી સમય બચે તો મારી પાસે આવો.’
       કોઈ એક મહત્ત્વના સ્થાને ખુરશી પકડીને બેસી ગયેલો માણસ, પોતાનું કર્તવ્ય યોગ્ય રીતે ન બજાવે અથવા કામ કરવામાં વીલમ્બ દાખવે તો કેટલા બધા માણસોને પીડા ભોગવવી પડે છે, તેનો હીસાબ માંડવા જેવો છે. ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે. લાઈન લાંબી છે. તમારી આગળ હજુ બાર તેર ઉતારુઓ ઉભેલા છે અને અચાનક ટીકીટ આપનારનો ‘ટી–બ્રેક’ શરુ થાય છે ! એક એક સેકન્ડનો વીલમ્બ તમને અકળાવે છે અને સાહેબ તો નીરાંતે ચાનો સ્વાદ માણી રહ્યા છે ! (એ તમને છેવટે વગર ટીકીટે મુસાફરી કરવાની ફરજ પાડશે !) ચાલુ નોકરીએ ફરજ પર હોઈએ ત્યારે મન્દીરે દર્શન કરવા જવું કે નમાજ પઢવા જવું કેટલું યોગ્ય છે ? આવી સેવા કે બન્દગી ઈશ્વરને કે અલ્લાહને કદી ગંવારા હોતી નથી. આ તબક્કે તર્ક કે દલીલ કે અન્ધ–ભક્તીના પ્રવાહમાં તણાઈ જઈને કોઈને પ્રસ્તુત રજુઆત ખોટી ઠેરવવાની ઈચ્છા થઈ આવે એવું બને. એવે વખતે એટલું જ વીચારવાનું કે કોઈનો એકનો એક દીકરો અકસ્માતમાં મરણતોલ રીતે ઘવાયેલો હોય કે કોઈની પુત્રી પ્રસુતીની પીડા ભોગવી રહી હોય, શરીરમાં ઝેર ફેલાવવાની શક્યતા હોય અને જાણવા મળે કે ડૉક્ટર સાહેબ પુજામાં બેઠા છે કે નમાજ પઢવા ગયા છે, તો શું થાય? માણસ ફરજ પર હોય ત્યારે જો એ આ પ્રકારના ક્રીયાકાંડમાં અટવાઈને માણસની સેવા કરવાનું ચુકી જાય તો એ પ્રકારની ભક્તી કદી માણસના ખાતે જમા થાય કે ?
       સપાટી પરનું અવલોકન એમ દર્શાવે છે કે દીવસે દીવસે માણસોનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે ! કથાવાર્તા, ભજન–કીર્તન, હોમ–હવન, તીર્થયાત્રા શું શું નથી થતું ! નીરન્તર કંઈ ને કંઈ ચાલતું રહે છે. શું માણસમાં આધ્યાત્મીક વૃત્તીનો વીકાસ થયો છે ? નીતી અને મુલ્યો માટેનો પ્રેમ વધ્યો છે ? એ વધારે પ્રામાણીક, વધારે સહૃદયી અને સેવાભાવી બન્યો છે ? ના, એવું લાગતું નથી. પોતે જ્યાં બેઠો છે ત્યાં કંઈ કામ ન કરવું, પ્રજાનાં ન્યાયી કામો હોય તેને પણ વીલમ્બમાં નાંખવાં અને એવાં કામો જલદી પતાવવા માટે મોટી રકમની લાંચ માંગવી આ બધું કર્યા પછી પથ્થર એટલા દેવ પુજવાનો અને જાતજાતના વાર–ઉપવાસ કરવાનો કોઈ અર્થ ખરો ? એરણની ચોરી કરીને સોયનું દાન કરવાથી આપણે કોને ભ્રમમાં નાંખી શકીએ? પોતાને તો નહીં જ !
       સરકારી કચેરીઓમાં, કલેક્ટરની ઓફીસમાં, શાળા, કૉલેજ કે યુનીવર્સીટીમાં, બેન્કમાં કે રેલવેની ટીકીટબારીઓ પર સર્વત્ર ‘વર્ક–એથીક્સ’નો અભાવ જોવા મળે છે, જે સામાન્ય નાગરીકોને પારાવાર તકલીફોમાં મુકે છે. થોડીક જ મીનીટોમાં પતી શકે એવાં કામો માટે પણ બીચારો માણસ વર્ષો સુધી રાહ જોતો રહે છે અને એને આપવામાં આવે છે મુદત(ચાર દીવસ પછી તપાસ કરી જજો. આવતા મહીને આવજો, પતાવી આપીશું). પેન્શન મેળવવા માટે, ટીકીટનું રીઝર્વેશન કરાવવા માટે, રેશનીંગનો કાર્ડ મેળવવા માટે કે પછી બાળકનું એડ્મીશન મેળવવા કાજે એણે કેટકેટલું ભટકવું પડે છે ! બાળકને સારી શાળામાં પ્રવેશ મળે તેની ચીન્તામાં વાલીના કેટલાયે મહીનાઓ ઉંધ વગરના વીતે છે. પેન્શન માટે માણસે વર્ષો સુધી ગાંધીનગર (‘ગાંધી’–નગર, વૉટ અ જોક !) ધક્કા ખાવા પડે છે, ત્યાર પછીયે પૈસા ખવડાવ્યા વીના એનું કામ થતું નથી. કહેવાય છે કે ગાંધીનગરના જે અધીકારી સૌથી વધારે ભ્રષ્ટાચારી છે તે સૌથી વધુ ધાર્મીક (?) વૃત્તીના પણ છે ! એને ત્યાં રોજ કંઈક ને કંઈક નીમીત્તે કથા–વાર્તા, રામાયણ–પારાયણ, પ્રસાદ (પ્રજાના અવસાદમાંથી જન્મેલો !) વગેરે ચાલ્યા જ કરે છે. અઠવાડીયામાં પાંચ દીવસ સાહેબ ટુર પર હોય છે. ટુર પર એટલે ક્યાં ? અમ્બાજી, ડાકોર, શીરડી, શ્રીનાથજી, દ્વારકા એ તમામ સ્થળો પર તેઓ સરકારની કારમાં સહકુટુમ્બ જાય છે. (યાત્રાધામોમાં સરકારી ગાડીમાં પત્ની અને બાળકો સાથે દર્શનાર્થે પધારેલા એક અધીકારીને તો તમે પણ જોયા હતા ને ? હું એમની જ વાત કરી રહ્યો છું !)
       જે વ્યક્તી પોતે કોઈ એક સ્થાન પર બેસીને ની:સ્વાર્થ ભાવે નીષ્ઠાપુર્વક પોતાનું કામ કરે છે, પોતાની ફરજ અદા કરે છે એણે ત્યાર પછી પોતાના દેહના કે આત્માના કલ્યાણ માટે કંઈ જ કરવાની જરુર રહેતી નથી. જેમણે ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો છે એમણે મન્દીરમાં કે મસ્જીદમાં જવાની શી જરુર ? એ જ્યાં બેઠો છે તે સ્થળ તીર્થધામ છે. એ ત્યાં બેઠા બેઠા પ્રભુસેવા કરી રહ્યો છે. બેન્કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની માનસીક યાતના ભોગવ્યા વગર થોડીક મીનીટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે, તેની તોલે તો ભગવાનના આશીર્વાદ પણ ફીક્કા સાબીત થાય ! વળી જ્યારે આ પ્રકારે વીના વીધ્ને અને વીના વીલમ્બે, ની:સ્વાર્થભાવે કામ થાય છે ત્યારે કામ કરનાર અને કરાવનાર બન્ને ઉંડા પરીતોષની લાગણી અનુભવે છે. જેણે આ પ્રકારનો આત્મસંતોષ મેળવ્યો છે તેણે ત્યાર પછી કોઈ ઈષ્ટદેવનું સ્મરણ કરવાની જરુરીયાત ઉદ્ ભવતી નથી. કામને પુજા ગણનારા માણસોને લીધે આ સમાજ ટકી રહ્યો છે. કામને પુજા ગણનારા માણસોની આ સમાજને વધારેમાં વધારે જરુર છે. પુરો પગાર લઈ કામ નહીં કરતા માણસોએ, ફરજ પર મોડા આવી વહેલા ભાગી જતા માણસોએ, ફરજ દરમ્યાન ઈષ્ટદેવની પુજા કરવા ગાળીયું કાઢતા માણસોએ અને પોતાની ખુરશી પર બેઠાં બેઠાં ઉંઘ ખેંચી લેતા માણસોએ સમાજને જેટલું નુકસાન પહોંચાડ્યું છે તેટલું નુકસાન બીજા કોઈએ પહોંચાડ્યું નથી. બાય ધ વે, ફરજ દરમ્યાન ઉંઘવામાં પણ ઉંચો, તગડો પગાર મળતો હોય તેવા દેશમાં જન્મ આપવા માટે આપણે કુદરતનો (ઈશ્વરનો અને અલ્લાહનો) વીશેષપણે અલાયદો આભાર માનવો જોઈએ એવું નથી લાગતું ?
–ડૉ. શશીકાંત શાહ
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Saturday, January 12, 2013

Annabel Carberry "The Thirsty Hula Hooper"


Annabel Carberry addresses the age old problem of the thirsty hula hooper in her performance at the European Juggling Convention in Munich.




Her funny and skillful act received a well deserved standing ovation.


Friday, January 11, 2013

મુફલીસ દેશના માલદાર ભગવાનો–દીનેશ પાંચાલ


     ‘નયા માર્ગ’માં સુનીલ ચેતન લખે છે: ‘ભારત ભલે ગરીબ દેશ કહેવાય; પણ અહીંના ભગવાનો બેહદ અમીર છે.’ એમણે દેશનાં કયાં મંદીરની તીજોરી કેટલી તરબતર છે તેની વીગતે માહીતી પણ આપી છે. એ આંકડાઓ વાંચી ઈશ્વરની અસ્ક્યામત અંગે કોઈને પણ ઈર્ષા થઈ શકે. અહીં એક સાથે બે તારણો–રીઝલ્ટ સામે આવ્યાં છે. પહેલું એ કે માણસની શ્રદ્ધા એવો જાદુઈ ચીરાગ છે જે વડે આસાનીથી અબજો રુપીયા ભેગા કરી શકાય છે. અને બીજું એ કે શ્રદ્ધાના ઉપાર્જનમાંથી માણસ ધારે તો પોતાનાં સેંકડો દુ:ખો દુર કરી શકે છે; પણ ઓછા કીસ્સામાં તેમ થતું જોવા મળે છે. 
દોસ્તો, અહીં પ્રશ્ન થાય છે જે દેશના ભગવાનો આટલા અમીર છે તે દેશના લોકો આટલા ગરીબ કેમ ? કદાચ એ માટે માણસ જ જવાબદાર છે. શ્રદ્ધાળુ માણસે પોતાની ગરીબીમાં દુર્બુદ્ધીનું ખાતર નાંખીને તેને કાળજીપુર્વક ઉછેરી છે. પોતાની શ્રદ્ધાનો માનવજીવન સાથે બુદ્ધીપુર્વકનો વીનીયોગ કરવાનું તે ચુકી ગયો છે. એ સન્દર્ભે એક મુર્ખ ખેડુતની કથા યાદ આવે છે. એ ખેડુતના વાડામાં એક ઘટાદાર આંબો હતો. એ આંબા વીશે એની માતાએ મરતાં પુર્વે કહેલું, ‘આ આંબામાં મારો જીવ છે. એને કાપવાનું તો દુર; એનું એક પાંદડુંય તોડીશ નહીં.’ દર વર્ષે એ આંબા પર પુષ્કળ કેરીઓ આવતી પણ માતાના આદેશ પ્રમાણે ખેડુત એક પણ કેરી તોડતો નહીં. ન તો એ ખેડુત પોતે કેરી ખાતો, ન તો વેચીને કમાણી કરતો. અંતે બધી કેરીઓ કોહી–સડી જતી. આપણાં મન્દીરોની આવકની હાલત પણ એ કેરી જેવી થઈ છે. કેમ કે આપણે સૌ પેલા ખેડુત જેવા છીએ.
     દોસ્તો, એક વાત સાબીત થઈ ચુકી છે કે શ્રદ્ધા એ માણસની પ્રચંડ તાકાત ધરાવતી લાગણી છે. ધારો તો શ્રદ્ધાની આવકમાંથી આખા દેશની ગરીબી દુર થઈ શકે. પણ કોઈએ સાચું જ કહ્યું છે : ‘જીવનમાં સુખ હોવું પુરતું નથી. સુખી થતાં પણ આવડવું જોઈએ.’ એક માણસને ત્યાં રાત્રે ચોર બધું લુંટી ગયો. લોકોએ સવારે એને પુછ્યું : ‘પણ તારી પાસે બંદુક તો હતીને…?’ પેલાએ જવાબ આપ્યો: ‘એ તો મેં પલંગ નીચે સંતાડી દીધી હતી એથી બચી ગઈ.’ માણસ પાસે બંદુક હોવા છતાં તેને ચોર લુંટી જાય એમાં બંદુકનો વાંક ખરો ? (એણે ધડાકો કર્યો હોત તો ચોર બીજેથી ચોરેલી મતા પણ ત્યાં મુકીને ભાગ્યો હોત !) દોસ્તો, જેમ બંદુક ચલાવવા માટે તેમ પૈસા ખર્ચવા માટે હોય છે. શ્રદ્ધાને સાચે જ પ્રભુકૃપામાં ફેરવવી હોય તો મન્દીરોમાં જે આર્થીક ઉપાર્જન થાય છે; તેમાંથી ગરીબો માટે રોટી, કપડાં અને મકાનનો પ્રબન્ધ કરો. સરકારની ગરીબકલ્યાણ યોજના તરફ હાથ ફેલાવવાને બદલે ઈશ્વરની તીજોરીનાં નાણાં માનવકલ્યાણમાં વાપરો. નહીં વાપરશો તો પેલા ખેડુતની કેરી જેવી એની હાલત થશે. ઈશ્વરે પૈસાની પીસ્તોલ આપી છે. દુ:ખરુપી ધાડપાડુઓને એના ધડાકા વડે ભગાડવાના છે. પીસ્તોલ સ્વયં ધડાકો કરવાની નથી. તમે ગમે તેટલા શ્રદ્ધાળુઓ હશો તો પણ, તમારાં દુ:ખદર્દો નીવારવા ભગવાન ધડાકો કરવા આવવાનો નથી. તેના નીમીત્તે મળેલા પૈસાની પીસ્તોલ તમારે ચલાવીને જીન્દગીને ખુશહાલ કરવાની છે. ઈશ્વર સીક્કાનો નહીં; શ્રદ્ધાનો ભુખ્યો છે. માણસો પાસે અબજો ટન શ્રદ્ધા છે. તે દ્વારા સીક્કાની ટંકશાળ પડી શકે છે. મદ્રાસ સહીત દેશનાં હજારો મન્દીરોની દાનપેટીમાંથી એ વાતની સાબીતી મળે છે. એ સીક્કાઓ પેલી કેરીની જેમ નીરર્થક પડ્યા રહે. તેને બદલે માણસ ધારે તો તેમાંથી પોતાનાં મહત્તમ દુ:ખો અને સમસ્યાઓનું નીવારણ કરી શકે. અને તે જ ઈશ્વરનો આશીર્વાદ ગણાય. તાત્પર્ય એટલું જ કે ઘઉં ફાકીને તમે પેટની ભુખ ન મીટાવી શકો; પણ એ ઘઉંમાં તમારી બુદ્ધી અને આવડત વડે રોટી બનાવી શકો તો આખા કુટુમ્બની ભુખ મટી શકે. માણસ ઈશ્વરના ખજાનાને મન્દીરમાં જ સંઘરી રાખશે તો ન તો એ રુપીયા ઈશ્વરનું કલ્યાણ કરી શકશે, ન એનાથી માણસનું દળદર ફીટી શકશે.
     બચુભાઈ કહે છે: ‘અંગ્રેજો ગયા પછી સરદાર વલ્લભભાઈએ સાતસો દેશી રજવાડાઓનું વીલીનીકરણ કરી એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું હતું. તે રીતે ભારતના નામી–અનામી તમામ ભગવાનોની તમામ સ્થાવર જંગમ મીલકતને દેશની તીજોરીમાં ખાલસા કરવી જોઈએ. અને તે અબજો રુપીયામાંથી દુ:ખીઓનાં આંસુઓ લુછી શકાય એવા રુમાલો બનાવવા જોઈએ. અપંગોના અંગો ચાલી શકે એવાં સાધનો બનાવવાં જોઈએ. ભુખ્યાઓનાં પેટ ભરાઈ શકે એવાં ભોજનાલયો બનાવવાં જોઈએ. માણસની દરેક સમસ્યા મટી શકે એવાં આયોજનો કરવાં જોઈએ ભગવાનનાં મન્દીરો ભલે ‘દીન દુગુની; રાત ચૌગુની’ તરક્કી કરતાં રહે; પણ માણસના ઘરમાં પણ સુખશાંતી અને સમૃદ્ધીનાં સાધનો હોવાં જોઈએ. માણસ ધારે તો માત્ર મધ્યમ વર્ગ જ નહીં; ગરીબીની રેખા નીચે જીવતા સાવ રાંક માણસો આર.સી.સી.નાં મકાનોમાં રહી શકે. લાખ વાતની એક વાત એટલી કે ઈશ્વર માટે તો રોટી, કપડાં અને મકાન (અર્થાત્ નૈવેદ્ય, જરકસી જામા અને મન્દીરો)ની વ્યવસ્થા માણસે જ કરી છે. હવે આપણા જ આધ્યાત્મીક આંબાવાડીયામાં લાગેલી લુમખાબંધ કેરીઓનો માણસ સદુપયોગ કરે તો તેમાં કોઈ નુકસાન નથી. મન્દીરોની દાનપેટીમાં પડતા સીક્કાઓ એ ઈશ્વરનો આશીર્વાદ નથી તો બીજું શું છે ?
     દોસ્તો, હવે એક નજર ઈશ્વરની દાનપેટી પર કરીએ. ઈશ્વરની અસ્ક્યામતના આંકડાઓ જાણી તમે બોલી ઉઠશો – ‘અધધધ…! આ દેશને ગરીબ હોવાનો કોઈ અધીકાર નથી !’ બચુભાઈ કહે છે કે આપણે પ્રભુપીતાના સન્તાનો છીએ. ભારતીય સંવીધાન–બંધારણ મુજબ પીતાની તમામ મીલકતના વારસદાર તેનાં સંતાનો હોય છે એ નાતે તો આપણે આપણી જાતને ગરીબ કહેવાનો કોઈ અધીકાર નથી. (અને આપણને ગરીબ રહેવાનો પણ અધીકાર નથી) આપણે ૧૨૫ કરોડ ભારતવાસીઓ શા’આલમનાં સગાં છીએ… આપણે શેરીએ ભીખ માંગવાની જરુર નથી ! ઈશ્વરે મુકપણે ‘તથાસ્તુ’ કહીને એની તીજોરી આપણને અર્પણ કરી દીધી છે. એનો ઉપયોગ કરવો કે એને ઈશ્વરનાં ચરણોમાં જ પડી રહેવા દેવી એ નક્કી કરવાનું કામ આપણા રાજનેતાઓ અને ધર્મનેતાઓની વીવેકબુદ્ધી પર નીર્ભર છે. ઈશ્વરની સ્થાવર જંગમ મીલકત આ પ્રમાણે છે : (જુઓ ‘ધુપછાંવ’માં)

‘ધુપછાંવ’

     કેરળની રાજધાની તીરુઅનન્તપુરમના શ્રી પદ્મનાભસ્વામી મન્દીરના ભોંયરામાં છ ઓરડા ખોલવામાં આવ્યા છે. હજુ સાતમો ઓરડો ખોલવાનો બાકી છે. છ ઓરડાઓમાંથી આશરે એક લાખ (૧,૦૦,૦૦૦) કરોડની સમ્પત્તી મળી છે. ખજાનામાંથી મળેલી મુખ્ય વસ્તુઓ પર નજર કરીએ. (૧) સોનાનાં આભુષણોથી ભરેલા ૭૦ કોથળાઓ અને સાત મોટાં ખોખાં. (૨) દાણાના આકારમાં એક હજાર (૧,૦૦૦) કીલો સોનાનો ઢગલો. (૩) ઈસ્ટ ઈન્ડીયા કમ્પની સમયની ૧૦ કીલો સોનાની ઈંટો. ત્રાવણકોર ટંકશાળમાં ૧૪ કીલો સોનાના સીક્કાઓ. (૪) નેપોલીયનના સમયના બીજા ૧૦૦ સીક્કાઓ. (૫) ૧૮ ફુટ લાંબા એક હજાર (૧,૦૦૦)થીય વધુ સોનાના હાર. (૬) સુવર્ણ અને હીરાથી જડીત ૧૦ કીલો વજનનો સોનાનો એક નેકલેસ અને બબ્બે કીલોના સોનાના ચાર હાર. (૭) પાંચ હજાર (૫,૦૦૦) કરોડ રુપીયાની કીંમતના સોનાચાંદીનાં વાસણો, મુગટો અને સુવર્ણછત્રો. (૮) સોનાની એક હજાર (૧,૦૦૦) જંજીરો. (૯) પાંચ કરોડ (૫,૦૦,૦૦,૦૦૦) હીરા અને સેંકડો સોનામહોરો. (૧૦) એક ક્વીન્ટલથી વધુ વજનનો સોનાનો હાર, એક લાખ (૧,૦૦,૦૦૦) સોનાચાંદીના સીક્કાઓ અને અનેક મીણબંધ લોકેટ વગેરે. (૧૧) બે કીલો વજનવાળી સોના અને ચાંદીની સેંકડો છડીઓ. (આ તો કેરળના માત્ર એક મંદીરમાંથી પ્રાપ્ત થયેલી મીલકત છે. એ સીવાય તીરુપત્તી બાલાજી, શીરડીના સાંઈબાબા, હીમાચલ પ્રદેશનાં મન્દીરો સહીત દેશભરનાં તમામ મન્દીરોની બધી દાનપેટીઓ એક જગ્યાએ ખોલવામાં આવે તો તેમાંથી એક અંદાજ મુજબ આશરે ૯૧,૮૭,૮૯,૯૦,૦૦,૦૦૦ અબજ કરોડની અસ્ક્યામત પ્રાપ્ત થવા સમ્ભવ છે.)
-દીનેશ પાંચાલ
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 

Thursday, January 10, 2013

Diver and Turtle


A diver gets visited by a sea turtle while working on a subsea structure in the Gulf of Thailand.



Wednesday, January 9, 2013

Death



    

Native : Juna Ghantila
Currently At :  Mumbai
Name of the deceased : Savitaben Devshibhai Lodaria
Age : 94 Years
Date of Death : 07-01-2012
Husband  : Late Devshibhai Sunderji Lodaria
Sister-in-Law (Jethani) : Shushilaben
Nephews: Shashikant, Dhirendra, Bharat,  Kamlesh
Nieces: Jayaben, Naynaben, Jayashreeben
Nieces-in-Law : Late Pratibhaben, Bhavna, Jayshree, Hansa, NIsha
Father : Late Harjivan Ladakchand Mehta (Tikar)
  May Her Soul rest in eternal peace


જૂના ઘાટીલા હાલ મુંબઈ સ્વ. દેવશીભાઇ સુંદરજીભાઇ લોદરીયાના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૯૪) તે સુશીલાબેનના દેરાણી, તે શશીકાંત, ધીરેન્દ્ર, ભરત, કમલેશ, જયાબેન, નયનાબેન, જયશ્રીબેનના કાકી. તે સ્વ. પ્રતીભાબેન, ભાવના, જયશ્રી, હંસા, નીશાના કાકી સાસુ, તે ટીકર નિવાસી હરજીવન લાડકચંદ મહેતાના દીકરી તા. ૭-૧-૧૩ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષ તરફથી ૯-૧-૧૩ સવારે ૯ કલાકે ભાવયાત્રા નેમીનાથજી દેરાસર, પાયધુની. લૌ. વ્ય. બંધ છે.

વીવેકબુદ્ધી વીના બઘું નકામું- યાસીન દલાલ

જીવનમાં આપણે જે કંઈ પ્રવૃત્તી કરીએ છીએ, એમાંથી કેટલી સહજ આંતરીક અનુભુતીથી પ્રેરાઈને કરીએ છીએ અને કેટલી માત્ર ક્રીયાકાંડ ખાતર કરીએ છીએ, એ કદીક નીરાંતે બેસીને વીચારવા જેવું છે. એનું તારણ કદાચ આપણને આંચકો આપનારું હશે. આપણા શહેરોમાં સારા-માઠા પ્રસંગોની વણઝાર ચાલ્યા જ કરે છે. રોજ છાપાંમાં આવતી અવસાનનોંધ પર નજર કરીએ, એટલે થોડાં નામો એવાં નીકળે, જે આપણી સાથે સમ્બન્ધીત હોય અને થોડાં નામો એવાં પણ નીકળે કે જેમાં જવાનું આપણે માટે વ્યવસાય કે બીજા કારણોસર જરુરી હોય. આ જ રીતે રોજ સાંજ પડે અને ઘરમાં બેચાર લગ્નની કંકોતરી એકઠી થઈ હોય, જેમાંથી મોટાભાગે તો બહુ ઝાઝો અંગત ઉમળકો કે લાગણી નહીં; પણ વ્યવસાય કે એવાં બીજાં કારણો જ હાજરી માટે પ્રેરતા હોય. શહેરની વાત બાજુએ રાખીએ તો બહારગામથી પણ લગ્નની કંકોતરી આવે તો બીજીબાજુ મૃત્યુના સમાચાર પણ આવે.
એક વાર આવા એક લગ્ન પ્રસંગે હાજરી આપવા હું જઈ ચડ્યો. લગ્નસ્થળ એક જાહેર જીમખાનામાં હતું. ત્યાં મોટા મેદાનના ત્રણ ભાગ પાડ્યા હતા અને ત્રણ જગ્યાએ જુદાં જુદાં લગ્નોનો ઉત્સવ ચાલુ હતો. હું એક મંડપમાં દાખલ થયો, ત્યાં થોડા પરીચીત ચહેરાઓ જોઈને નક્કી કર્યું કે મારે જ્યાં જવાનું છે તે આ જ મંડપ છે. મોટું મેદાન અને હજારો માણસોની હાજરીને લીધે વરવહુ ક્યાં બેઠાં હતાં, તે તો દુરથી દેખાતું જ નહોતું. બે-ચાર મીત્રો મળી ગયા, એમની સાથે જમવાનું પતાવીને પછી વરવઘુને શુભેચ્છા આપવા જઈએ, એમ વીચારીને જ્યાં રીસેપ્શનના પ્લેટફોર્મ પર ગયો ત્યાં આશ્ચર્ય ! વરરાજા તો કોઈ બીજા જ હતા ! મને ખ્યાલ આવી ગયો કે હું ભુલથી કોઈ બીજા જ લગ્નસમારંભમાં જઈ ચડ્યો છું. તરત બહાર નીકળી પાકી તપાસ કરીને પછી સાચો મંડપ શોધી કાઢ્‌યો. કોઈ મંડપ ઉપર કોના લગ્નપ્રસંગ છે એનું કોઈ બેનર પણ મુકેલું નહોતું.
ખરી વાત હવે આવે છે. એ લગ્ન સમારમ્ભમાં પણ મોટા ભાગે એ જ ચહેરા, એ જ ટોળાં. એ જ શહેરના આગેવાન લોકો અને એ જ ઝાકઝમાળ. બધે એક પ્રકારનો બીબાંઢાળ ક્રીયાકાંડ, જમવામાં પણ એ જ વાનગીઓ, બઘું જ યાંત્રીક ત્યારે મનમાં પ્રશ્ન થયો : આ સ્થળે દરરોજ આવા ત્રણ-ચાર લગ્નપ્રસંગો યોજાય છે, એમાં આવનારા લોકોમાંથી અડધા તો એના એ જ લોકો હોય છે. કેટરર પણ મોટાભાગે એક જ. લગ્નનો મંડપ ઉભો કરનારા કોન્ટ્રાક્ટર પણ એ જ શહેરના જાણીતા એક-બે કોન્ટ્રાક્ટરમાંથી જ હોય. માત્ર વરવઘુ બદલાય. બાકીનો બધો તમાશો, બધો તાસીરો એકસરખો જ હોય, તો પછી આવા નીરર્થક અને યાંત્રીક ક્રીયાકાંડોમાં લાખો રૂપીયાનો ખર્ચ કરવો અને અનેક લોકોની કીંમતી સમય બગાડવો કેટલો જરૂરી ?
તમે કોઈ બસ કે ટ્રેનમાં પ્રવાસ કરો ત્યારે પ્રવાસીઓ સાથેની વાતચીતમાં એમના પ્રવાસનું કારણ પુછજો. કેટલાક લોકો કોઈ લગ્નપ્રસંગે જતા હશે, તો વળી કેટલાક સગામાં કોઈના અવસાન નીમીત્તે ખરખરો કરવા જતા હશે, તો બહુ મોટી સંખ્યામાં લોકો કોઈને કોઈ માનતા પુરી કરવા માટે. કોઈ ને કોઈ ધર્મસ્થળોએ ધસી જવાની આપણી પ્રજાની ઘેલછા પણ ગજબની છે. ઘરમાં બાળક અવતરે, પતીની નોકરીમાં પ્રમોશન મળે, કોઈ બીમારી મટી ગઈ કે દીકરાને કૉલેજમાં એડમીશન મળ્યું, આવી દરેક નાનીમોટી, પણ ક્ષુલ્લક બાબતમાં આપણા શ્રદ્ધાળુ લોકો માનતા કરે છે, અને પછી એ પુરી કરવા માટે ટ્રેન કે બસમાં ચડી બેસે છે. પ્રવાસ માટેના પૈસા ન હોય તો ઉછીના લઈશું, અને પ્રવાસમાં ગમે તેટલી ભીડ હોય, ધક્કામુક્કી થાય, એ બઘું સહન કરી લઈશું; પણ માનતા તો પુરી કરવી જ પડે. આ દેશમાં બસ અને ટ્રેનોમાં ભીડ ઓછી થઈ જાય, એવી માનતા કોઈ કેમ નથી માનતું ? અને, કોઈ ચોક્કસ ધર્મસ્થાને જઈને અમુક વીધી કરીએ તો જ માનતા પુરી થાય ? ઘરમાં બેસીને પુજાપાઠ વડે ભગવાન કે ખુદાનો આભાર માની શકાય ? વાસ્તવમાં આવાં નકામાં કારણોસર પ્રવાસ કરીને બીજા અનીવાર્ય કામ માટે પ્રવાસ કરતા લોકોને ત્રાસ આપવો અને ભીડમાં ઉમેરો કરવો એ જ મોટી અધાર્મીકતા છે.
જે રીતરીવાજો અને ક્રીયાકાંડોમાં જવાનું ટાળી શકાય તેમ હોય ત્યાં પણ અતીઉત્સાહમાં ધસી જવું એમાં સમયનો ભારોભાર બગાડ તો છે જ, પણ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થાનો પણ એમાં ભારે દુરુપયોગ છે. જે દેશમાં ટ્રેન, બસ કે વીમાનવ્યવહારની સગવડો ખુબ અપુરતી હોય, રસ્તાઓ વાહનોથી ખીચોખીચ હોય, નવી ટ્રેન કે બસ શરૂ કરવાના પૈસા ન હોય, બળતણની ભારે તંગી હોય, ત્યાં એક પણ નકામો પ્રવાસ એ દેશનાં ટાંચાં સાધનો ઉપરનો અત્યાચાર છે. આવા આધુનીક બળાત્કારોની આપણે નોંધ લેતા નથી, એ આપણી કમનસીબી છે.
આપણા મોટાભાગના લોકો મોટાં શહેરોમાં નાનકડા ફ્‌લેટમાં માંડમાંડ સંકડાશમાં રહેતા હોય છે. એમને ત્યાં છાશવારે સારા-માઠા પ્રસંગે ધસી જવાથી એમની તો દુર્દશા જ થઈ જાય છે. મહેમાનોને સાચવવાથી માંડીને એમની રસોઈ કરવામાં જ ગૃહીણી અડધી માંદી થઈ જાય છે. આવા પ્રસંગોએ એકઠા થયેલાં સગાવહાલાં એટલો બધો અવાજ કરે છે કે એ ઘોંઘાટથી પણ યજમાનો કંટાળી જાય. ઉપરથી આપણે ત્યાં સ્વચ્છ પાણી કે ખોરાક પણ ન મળતો હોવાથી સામુહીક રસોઈ અને સમુહભોજનમાં ગંદું પાણી અને ભેળસેળવાળી રસોઈ ખાઈને લોકોનું આરોગ્ય બગડે તે વધારામાં. આપણે ત્યાં દર ઉનાળામાં લગ્નપ્રસંગોએ પ્રદુષીત ભોજન ખાઈને ઝાડા-ઉલટી થવાના તથા ખોરાકી ઝેરથી મરી જવાના હજારો કીસ્સા બને છે, પણ તોય આમાંથી કોઈને બોધપાઠ લેવો નથી.
હવેનો કોઈ પ્રસંગ પચીસ-પચાસ હજારથી ઓછામાં ઉકલતો નથી અને લગ્નપ્રસંગ તો પાંચ-પચીસ લાખ સુધી લંબાય છે. પોતાના સ્વજનો કે મીત્રોને ભયંકર મુશ્કેલીમાં પાંચ રુપીયાની મદદ નહીં કરનાર લોકો બે દીવસના લગ્નપ્રસંગમાં પચાસ લાખનો ઘુમાડો કરી નાખતા હોય છે. ઉપરથી હજારો લોકો એમાં હાજરી આપવા માટે સમય બગાડે, ભેટસોગાદો ખરીદે, વાહનોનું પેટ્રોલ બાળે, ટ્રાફીક જામ થઈ જાય, એ બધા નુકસાનનો આપણે કદી વીચાર જ કરતા નથી. પરીણામે, આડેધડ પ્રસંગો, સમારંભો યોજાતા રહે છે અને લોકો વીચારશુન્ય બનીને એમાં આંધળી હાજરી પુરાવતા જ રહે છે, આપણાં અમુલ્ય સાધનો, શક્તી અને ઉર્જા આવા નીરર્થક તમાશામાં વેડફાતાં જ રહે છે.
કોઈ સ્વજન કે મીત્ર માંદા પડે ત્યારે આપણે એના ખબર કાઢવા હૉસ્પીટલ જઈએ છીએ. મોટાં શહેરોમાં હવે સ્વાભાવીક રીતે જ પરીચીતોનું વર્તુળ પણ ખાસ્સું મોટું હોય છે. પરીણામે દર્દીનાં સગાંવહાલાં, ખબર કાઢવા આવતા પરીચીતોથી ત્રાસી જાય છે. બધાને આવકાર આપવો, પછી શી બીમારી છે, ક્યારે હૉસ્પીટલમાં દાખલ થયા, હવે ક્યારે રજા મળશે, ડૉક્ટર શું નીદાન કરે છે, એ બધાની એકની એક રેકર્ડ વગાડીને એ લોકો થાકી જાય છે. પણ છતાં, આંતરીક થાક દબાવીને, હસતું મોઢું રાખીને બધાને જવાબ તો આપવો જ પડે છે! આપણી હૉસ્પીટલો આવા ખબર કાઢનારા સગાંવહાલાંનાં ટોળાંથી ઉભરાતી હોય છે. એનાથી હૉસ્પીટલમાં ઘોંઘાટ થાય છે, દર્દીને પણ ખલેલ પહોંચે છે, ઉપરથી આવનારા લોકો ખાવાપીવાની ચીજો જ્યાં ત્યાં ફેંકીને ગંદકી કરે એ વધારામાં અને ખબર કાઢનાર માણસ હૉસ્પીટલમાં જાય અને લાંબો સમય બહાર ન આવે, એટલે રસ્તા પર ગાડીમાં રાહ જોનાર એના મીત્રો કે સગાં-સંબંધી કારનું હોર્ન વગાડી વગાડીને આખી શેરીને ત્રાસ આપે.
એવું નથી કે સામાજીક રીતરીવાજો બીલકુલ બંધ કરવા અને સ્મશાનયાત્રામાં જવું નહીં, કોઈનાં લગ્નમાં જવું નહીં કે કોઈની ખબર કાઢવા જવું નહીં. આમાં પ્રશ્ન વીવેકબુદ્ધીનો છે, અગ્રતાનો છે, જ્યાં બહારગામ જવું અનીવાર્ય ન હોય ત્યાં ફોન કે પત્ર દ્વારા દીલસોજી કે અભીનન્દન આપી શકાય. બહારગામ જવાનો ખર્ચ ટાળીને એના પૈસા ભેટરુપે કે ચાંદલા રુપે મોકલીએ તો એ સામી વ્યક્તીને કામ પણ આવે. કોઈ ગરીબ કુટુમ્બમાં મરણ થયું હોય તો એની ઉત્તરક્રીયાઓના ખર્ચમાં એ ખપ લાગે, ગામમાં ને ગામમાં પ્રસંગ હોય ત્યાં પણ જેટલા ઓછા લોકો એકઠા થાય એટલા વાહનો ઓછાં વપરાય, પેટ્રોલ ઓછું બળે, પ્રદુષણ ઓછું થાય. ગામમાં પણ સારો સંદેશો કે દીલસોજી પાઠવી શકાય. બહુ જ અંગત હોય, જ્યાં જવા માટે અંદરથી મન ધક્કો મારતું હોય, એવા સ્વજન કે પરીચીતના પ્રસંગમાં જવું જ જોઈએ. પણ એ સીવાય પણ ક્રીયાકાંડ કે ઔપચારીકતા ખાતર જવાનું આપણે ઘણા કીસ્સાઓમાં ટાળી શકીએ.
સમય બગાડવા માટેનાં બહાનાં શોધતી પ્રજા પ્રગતીનાં સપનાં જોઈ શકે નહીં. આપણે કેટલા બધા નીરર્થક તહેવારો અને નીરર્થક પ્રસંગો તથા ઔપચારીકતાઓમાં સમય બગાડીએ છીએ ? દર રવીવાર થાય અને હૉટલનું પ્રદૂષીત ભોજન લીધા વીના ચાલે નહીં એવાં કુટુંબો બહાર જવામાં, હૉટેલમાં પહોંચીને ટેબલ પર ભોજનની રાહ જોવામાં, પોતાનો નંબર આવે એની લાઈન લગાડવામાં અને પછી ઘરે પાછા ફરવામાં કલાકો બગાડી નાંખે છે. આટલી વારમાં ટૉફલર, પીટર, ટ્રકર, એરીક ફ્રોમ કે માર્શલ મેકલુહાનનું એક સુંદર પુસ્તક વાંચી શકાય; પણ આવા સાદા હીસાબકીતાબ માંડવાની ફુરસદ કોને છે ?
આપણે ક્યારેક સામાજીકતાના અતીરેકમાં સરી પડીએ છીએ અને વીચારતા નથી કે આમાં સમય બગડે છે. નકામા પ્રવાસથી જાહેર વાહન– વ્યવહાર વ્યવસ્થા ઉપર દબાણ આવે છે. લોકોની ભીડ થાય છે. પ્રવાસ સગવડભર્યો બનવાને બદલે અગવડ ભરેલો બની જાય છે. ધાર્મીકતાનો તકાજો પુરો કરવા આપણે ધાર્મીક સ્થળોએ અવારનવાર ધસી જઈએ છીએ. લગ્નમાં હાજરી આપવા દુર સુધી જઈએ છીએ.
આપણે એમ માનીએ છીએ કે એમ નહીં કરીએ તો ફલાણા મીત્ર કે ફલાણા સગાને માઠું લાગી જશે; પણ વીચારતા નથી કે લોકો આવેલા મહેમાનોની યાદી રાખતા નથી. આ જમાઉધારનો તમાશો નથી. આપણી હાજરીમાં આંતરીક અનુભુતી છે કે માત્ર ઔપચારીકતા એનો વીચાર આપણે ઉંડાણથી કરવો જોઈએ. જો આવો વીચાર કરીએ તો દેશ અને સમાજ ઉપર દેખાડા ખાતર થતા પ્રવાસ અને દેખાડા ખાતર યોજાતા ઉત્સવોમાંથી બચી શકાય.


અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર