Thursday, February 28, 2013

Samaj Utkarsh Volume No 580 January 2013


To read Pages 1 to 8 of Samaj Utkarsh click here 

To read Pages 9 to 16 of Samaj Utkarsh click here 

To read Pages 17 to 24 of Samaj Utkarsh click here 

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

લાડકા પપ્પા હોવું એટલે…– ગુણવંત શાહ.

.
લાડકી દીકરી પર ઘણુંબધું લખાયું છે. વહાલી દીકરી માટે લાડકા પપ્પા ખૂબ જ મહત્વના હોય છે. લાડકા પપ્પા જે વાત કોઈને ન કરે એ પોતાની વહાલી દીકરીને કરે છે. પપ્પાને એક જ વાતનો ગમ સતાવે છે કે દીકરી ઝટપટ મોટી થઈ જાય છે. એ મોટી થાય એના ત્રણ તબક્કા જાણી રાખવા જોઈએ :
પ્રથમ તબક્કો એટલે : યસ, પપ્પા !
બીજો તબક્કો એટલે : વ્હાઈ પપ્પા !
ત્રીજો તબક્કો એટલે : વ્હાઈ નૉટ પપ્પા !
કોઈને પણ ખબર ન પડે એવો ચોથો તબક્કો કેવળ પ્રેમાળ પપ્પાને સમજાય છે. એ તબક્કો એ દીકરીની ગેરહાજરી વસમી લાગે ત્યારે કોઈ ન જાણે તેમ રડી લેવાનો તબક્કો. નરસિંહ મહેતાએ પત્ની ગુજરી ગઈ ત્યારે કહ્યું : ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.’ આવો દઢ વૈરાગી નરસૈંયો કુંવરબાઈનું મામેરું કરવા વેવાઈને ત્યાં પહોંચી ગયેલો. પ્રત્યેક પપ્પાને કુંવરબાઈ જેવી દીકરી મળવી જોઈએ. લગ્નને માંડવેથી દીકરીને વળાવતી વખતે ગમે એવો નિષ્ઠુર બાપ પણ થોડીક ક્ષણ માટે નરસિંહ મહેતો બની રહે છે. સાસરે જતી દીકરી સુખી થશે કે દુઃખી ? આ પ્રશ્નનો જવાબ છે : સસ્પેન્સ.
પપ્પા દાઢી કરે ત્યારે સામે બેઠેલો દીકરો ગાલ પર આકાર લેતી ફીણ-ઘટનાને વિસ્મયપૂર્વક જોતો રહે છે. એ દીકરાને પોતાના ગાલ પર ફીણ લગાડીને રેઝર ફેરવવાનું મન થાય છે. સમજુ પપ્પા એના ગાલ પર બ્રશ ફેરવીને સાબુનું સફેદ ફીણ લગાડી આપે છે, પરંતુ રેઝરમાંથી બ્લેડ કાઢી લે છે. બાળક નિરાંતે રેઝર ફેરવતો રહે છે અને ગાલ પરથી સફેદ ફીણ સાફ થતું જાય એમ હરખાતો રહે છે. દીકરાનો ભ્રમ પણ કુંવારા વિસ્મયથી ભર્યો ભર્યો હોય છે. જો આ દશ્યની ફિલ્મ પાડી લેવામાં આવે તો ! મોટો થઈને જ્યારે દીકરો પિતાની સામે થાય ત્યારે એ ફિલ્મ કદાચ ખપ લાગે. મોંઘવારી વધે ત્યારે માલદાર માણસની સિલક ખોરવાય છે, મધ્યમ વર્ગના માણસનું બજેટ ખોરવાય છે અને ગરીબ માણસનું જીવન ખોરવાય છે. જાહેરખબરની પજવણી પામવામાં સ્ત્રીઓ મોખરે હોય છે. જાહેરખબર માલદાર ગૃહિણીના સમૃદ્ધ અહંકારને પંપાળે છે, મધ્યમ વર્ગની ગૃહિણીને લલચાવે છે અને ગરીબ ગૃહિણીને પરેશાન કરે છે. જાહેરખબર આપનારી મોટી મોટી કંપનીઓની કુદષ્ટિ ટાર્ગેટ ગ્રુપ્સને ધ્યાનમાં રાખે છે. જાહેરખબર પપ્પાના કાનમાં કહે છે : ‘દુનિયા ફસતી હૈ, ફસાનેવાલા ચાહિયે.’ શું માણસનો જન્મ પ્રચારના ધોધ સામે ઊભા રહીને પોતાની સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકશક્તિની આહુતી આપવા માટે થયો છે ? કહેવું પડશે કે ટીવી સરમુખત્યાર છે. એની સરમુખત્યારી માણસને ખૂંચતી નથી.
આપણી નિશાળોમાં અપૂર્ણાંક વિશે ભણાવવામાં આવે છે. જ્યારે જ્યારે ગરીબના ઘરમાં બે રોટલા પાંચ જણ વચ્ચે વહેંચીને ખાવાની નોબત આવે ત્યારે ભૂખ્યાં બાળકોને અપૂર્ણાંક આપોઆપ આવડી જાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ફાટેલી ગોદડી ઓઢીને ભેગાં પડી રહેલાં છોકરડાં અંદર અંદર જે ખેંચાતાણી કરે એની જાણ કેવળ અંધારાને જ હોય છે. દેશની ગરીબી કિલોગ્રામને હિસાબે ઘટે છે અને વસ્તી ક્વિન્ટલના હિસાબે વધે છે. ગરીબ હોય તોય પપ્પા તો પપ્પા જ રહે છે ! જે પપ્પા બાળકોને એક કપ દૂધ ન આપી શકે એના હૃદયની પીડા ગરીબ થોડી હોય ? જ્યાં જીવવાનાં ફાંફાં હોય ત્યાં લાડકોડ ગેરહાજર હોય છે. લાડકોડ શબ્દને સમૃદ્ધિ પ્રત્યે જબરો પક્ષપાત હોય છે. દેશની ગરીબી ક્યારેય મટશે ખરી ? પપ્પા-મમ્મીનાં લાડકોડ ન પામ્યાં હોય એવાં લાખો-કરોડો બાળકો મોટાં થાય પછી નાગરિક બને એ કેવાં હશે ? ક્યારેક લાગે છે કે કશુંય બદલાતું નથી. માલદાર પપ્પાનો લાડકવાયો સ્ટેશનના પ્લૅટફૉર્મ પર આઈસ્ક્રીમના કપમાંથી ચમચો મારીને આઈસ્ક્રીમ વડે પોતાના હોઠ ગંદા કરે છે. એ જોઈને પાસે ઊભેલા ગરીબ બાળકના મોંમાં જે પાણી આવે એને કોઈ ગંગાજળ ન કહે. મોંમાં પાણી આવે, પણ વાનગી ન મળે ત્યારે ગરીબ બાળકને જે વ્યથા પહોંચે એ શબ્દથી પર હોય છે. ક્યારેક એ ગરીબ બાળક પણ પારકા ટીવી પર ચૉકલેટની કે આઈસ્ક્રીમની આકર્ષક જાહેરખબર જોઈને કેવી ખલેલ પામતો હશે ? કોઈ ગરીબ પપ્પા જો મન કઠણ કરીને આઈસ્ક્રીમનો એક કપ ખરીદે તો એમાં ભાગ પડાવનારા જીવ કેટલા ?
કલ્પના કરવા જેવી છે. રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક સુખી પરિવાર ટ્રેનની રાહ જોઈને ઊભો છે. બાળકો મોજથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં છે. પપ્પા-મમ્મી પણ પોતપોતાના કપમાંથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં છે. વૈશાખ મહિનાના ઉકળાટમાં ઉપર ફરતો પંખો પણ ગરમ ગરમ હવા ફેંકી રહ્યો છે. એ વખતે પાસે ઊભેલાં ચાર ગરીબ બાળકો ટગર ટગર આઈસ્ક્રીમના કપને જોઈ રહ્યાં છે. અચાનક પપ્પાના મનમાં પવિત્ર ઝબકારો થાય છે. એ ચાર કપ ખરીદે છે અને પેલાં બાળકોના હાથમાં મૂકી દે છે. શું આવું બને તે અશક્ય છે ? ના, એવું કશુંક જોયું પછી જ આટલું લખ્યું છે.

Wednesday, February 27, 2013

Death

 

    

Native : Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased :Padmaben Manharlal Sheth
Age : 74 Years
Date of Death : 24-02-2013
Husband  : Manharlal Gafalbhai Sheth
Sons : Madhubhai, Jayeshbhai
Daughters-in-Law : Malatiben, Hetal
Daughters : Harshikaben, Hinaben, Smitaben, Binaben, Leena, Nipa, Khyati
Brothers-in-Law (Jeth) : Prabhudasbhai, Vanechandbhai, Navalchandbhai
Father : Late Shivlal Laxmichand Sheth

May Her Soul rest in eternal peace



વાંકાનેર હાલ કાંદીવલી શેઠ મનહરલાલ ગફલભાઇના ધર્મપત્ની અ. સૌ. પદમાબેન (ઉં. વ. ૭૪) ૨૪-૨-૧૩ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રભુદાસભાઇ, વનેચંદભાઇ, નવલચંદભાઇના નાનાભાઇના પત્ની, મધુભાઇ, જયેશભાઇ, હર્ષીકાબેન, હીનાબેન, સ્મીતાબેન, બીનાબેન, લીના, નીપા, ખ્યાતીના માતુશ્રી. અ. સૌ. માલતીબેન, અ. સૌ. હેતલના સાસુ. પિયર પક્ષે શેઠ શીવલાલ લક્ષ્મીચંદના પુત્રી. બંને પક્ષ તરફથી ભાવયાત્રા ૨૮-૨-૧૩ ગુરુવારના ૯ થી ૧૨ સ્થળ: શ્રી સંભવનાથ જૈન દેરાસર, જાંબલીગલી, એસ. વી. રોડ, બોરીવલી (વે.). લૌ. વ્ય. બંધ છે.

Funny And Cute Dogs


Funny and cute dogs from America's Funniest Home Videos, a TV series featuring kids, adults and animals during their most spontaneous and hilarious moments



Tuesday, February 26, 2013

Death


    

Native : Wankaner
Currently At : Wankaner
Name of the deceased :Rajanikant Dalichand Shah
Age : 80 Years
Date of Death : 22-02-2013
Wife  : Late Bhanuben
Son : Deven
Daughters : Kirtida Bhaveshkumar Sheth,Divya Tejaskumar Tamboli
Brothers : Himmatbhai, Sureshbhai, Prafulbhai
Sisters : Late Manuben Pravinchandra Doshi, Induben Mahendra Desai
Father-in-Law : Late Keshavlal Gopalji Parekh (Morbi)

May His Soul rest in eternal peace
 

વાંકાનેર નિવાસી રજનીકાંત દલીચંદ શાહ (ઉં. વ. ૮૦) તે સ્વ. ભાનુબેનના પતિ. હિમ્મતભાઇ, સુરેશભાઇ, પ્રફુલભાઇ, સ્વ. મનુબેન પ્રવીણચંદ્ર દોશી, ગં. સ્વ. ઇન્દુબેન મહેન્દ્ર દેસાઇના ભાઇ. દેવેન કીર્તીદા ભાવેશકુમાર શેઠ, દિવ્યા તેજશકુમાર તંબોલીના પિતાશ્રી. મોરબી  નિવાસી કેશવલાલ ગોપાલજી પારેખના જમાઇ ૨૨-૨-૧૩ને શુક્રવારે વાંકાનેર અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ઠે. એ-૪૦૩, રાજશ્રી કુંજ, ઇરાનીવાડી, રોડ નં ૩, કાંદીવલી (વે.).

આપણી શક્તિનો અંદાજ અન્યને હોય છે એટલો આપણને નથી હોતો…– રમેશ ઠક્કર

.
‘તમે મારું નામ આપજો ને, એને ત્યાંથી જ એ વસ્તુ મળી જશે…’
‘મેં તમારો સંદર્ભ આપ્યો, વાત પણ કરી છે પરંતુ એમનું કહેવું છે કે આ પ્રકારની ડાયરી હવે મળતી જ નથી.’
‘એવું નથી. એની દુકાનમાં ડાબી બાજુએ કબાટ છે. એમાં નીચેના ભાગે આવી ઘણીબધી ડાયરી પડેલી હોય છે.’ ખાત્રી આપનાર વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્વક કહી રહી હતી. સામાપક્ષે જેની દુકાનેથી આ વસ્તુ લેવાની હતી, એ માણસ મક્કમતાથી કહી રહ્યો હતો કે મારી પાસે શું છે એની ખબર મને ના હોય ?
વાત આગળ ચાલી અને સાચે જ આશ્ચર્યજનક રીતે માહિતી આપનાર વ્યક્તિની શ્રદ્ધા સાચી પડી હતી. દુકાનદારને ભોંઠપનો અનુભવ થયો હોય એવું લાગ્યું. પરંતુ એણે એ પણ સ્વીકાર્યું કે ખરેખર પોતાની પાસે રાખેલી વેચાણ માટેની વસ્તુની પોતાને જ ખબર ના હોય એ વાત વેપારી માટે તો બરાબર ના ગણાય. આ પ્રસંગમાં આમ જોઈએ તો ઘણી બાબતો પ્રતિબિંબિત થાય છે. પરંતુ મહત્વની બાબત એ છે કે માણસ આર્થિક વ્યવહારો સાથેના વ્યવહારમાં અને બજાર વચ્ચે બેઠો હોવા છતાં પણ પોતાની શક્તિઓ કે સંપત્તિ બાબતે એને પર્યાપ્ત જાણકારી નથી. સામાપક્ષે એક અજાણ્યો મધ્યસ્થી કે ક્યારેક જ એક ગ્રાહક તરીકે એની દુકાન ઉપર જાય છે. એ એની અવલોકનશક્તિ કે યાદશક્તિથી જાણી શકે છે કે એ વ્યક્તિ પાસે શું વસ્તુ છે, ક્યા પ્રકારની આવડત છે.
આમાં કશું જ નવિનતાપ્રેરક અથવા તો આશ્ચર્યજનક નથી. કેમ કે આપણે સહુ મોટા ભાગે ચીલાચાલુ કે ગતાનુગતિક કહી શકાય એ રીતે જીવન વ્યવહાર કરવા ટેવાયેલા હોઈએ છીએ. આપણા પ્રતિભાવો કે આપણા પ્રત્યુત્તરોમાં મોટાભાગે રૂટીન પ્રકારના ઉદ્દગારો પ્રગટ થઈ જતાં હોય છે. જેમ ઘણી બાબતે આપણે ટેવવશ કરતા હોઈએ છીએ એમ જિંદગી પણ જાણે કે ટેવવશ જીવતા હોઈએ એવું એમાં વ્યક્ત થતું હોય છે. આવું બનવાનું કારણ ઘણીવાર કેવળ આપણો દષ્ટિકોણ હોય છે. આપણે પરંપરાગત આવડતથી કે ઘણી વખત મિથ્યા પ્રકારના આપણા મનોભાવોથી કોઈપણ ઘટના કે પ્રસંગને તેના અંતરંગ સ્વરૂપમાં જોઈ શકતા નથી. પરિણામે સામાન્ય લાગતી ઘટના કે બાબતની ઊંડાઈ કે તેના આંતરિક પ્રવાહોનો અંદાજ મેળવવામાં આપણે થાપ ખાઈ જતાં હોવાનું બહાર આવે છે. આ માટેનું જવાબદાર કારણ એ આપણી યાંત્રિક પ્રકારની જીવનશૈલી ગણી શકાય. આજના જમાનામાં માણસ એટલું બધું ઝડપી અને ઉપરચોટીંયું જીવે છે કે પોતે જ પોતાનાથી જાણે અપરિચિત હોય એવું લાગે. આ પરિસ્થિતિમાં પોતાની આવડત, પોતાનું સામર્થ્ય કે પોતાની પાસેની કિંમતી કે ઉપયોગી વસ્તુની જાણકારી તેની પાસે હોતી નથી. અને ઘણીવાર આપણને એવું લાગે છે કે મારી વિશિષ્ટતાઓ વિશે મારા પરિચિતોને જેટલી ખબર હોય, એટલી જાણે મને ખબર હોતી નથી.
આમાં કશું છુપાવવા જેવું નથી. પ્રસ્તુત પ્રસંગમાં વેપારી મિત્રને પણ એવું લાગ્યું કે સ્પર્ધાત્મક બજારમાં બેસીને પણ પોતાની પાસે શું વસ્તુ છે એની જાણકારી ન હોઈને એ એક વેપારી તરીકે મર્યાદા જરૂર છે, પરંતુ એવું થવું અસ્વાભાવિક નથી. એની પાછળ ઘણા વાજબી કારણો પણ હોઈ શકે છે. પરંતુ આ પ્રસંગમાંથી જે બાબત શીખવા મળે છે એ તમામ સ્તરની વ્યક્તિઓને લાગુ પડે છે. આપણી શક્તિઓ વિશે ઘણીવાર આપણી પાસે જ ખોટો અંદાજ હોય છે.
‘હું આમ ના કરી શકું…..’
‘મારાથી આટલી ઉંમરે આવું કઈ રીતે થાય ?’
‘ગામડામાં રહીને હું શું કરી શકું ?’
પોતાની જાત માટેના આવા ઘણા અવતરણો મોજૂદ હોય છે. પરંતુ એ તમામ માટે મહર્ષિ અરવિંદે કહ્યું છે એ મુજબ ‘જગતના ઉત્તમમાં ઉત્તમ માણસો પણ પોતાને મળેલી શક્તિમાંથી ફક્ત બે-પાંચ ટકા શક્તિનો જ ઉપયોગ કરી શકે છે.’ – એ વિધાનમાંથી આશ્વાસન મેળવી શકાય. ચંદ્રગુપ્ત નામના યુવાનમાં ભારતના સૌપ્રથમ સમ્રાટ બનવાની શક્તિઓ પડેલી છે, એવું ચાણક્ય નામનો શિક્ષક જ કહી શકે. અને ધનનંદ જેવા લોખંડી શાસક સામે એક છોકરડા જેવા લાગતા યુવાનના સહારે એ જંગ માંડે અને પોતાના પ્રચંડ મનોબળ અને પુરુષાર્થથી એ વસ્તુને સાકાર કરી શકે એ ઘટના જ કેટલી ભવ્ય છે. મોહનદાસ નામના બેરિસ્ટરને પોલોક નામનો અંગ્રેજી મિત્ર એક નાનકડું પુસ્તક ટ્રેઈનની મુસાફરીમાં ટાઈમપાસ કરવા આપે છે એનું નામ છે ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લેખક છે જહોન રસ્કિન. દક્ષિણ આફ્રિકામાં ટ્રેનની એકાંકી મુસાફરી દરમ્યાન આ પુસ્તકનું વાંચન મોહનદાસ ને મહાત્મા બનાવનાર મહત્વનું સીમાચિન્હ બની જાય છે. આ પુસ્તકની તીવ્ર અસર હેઠળ જ આખી ‘સર્વોદય’ની વિચારધારા આવી અને ગાંધીને દરિદ્રનારાયણની સેવાનો માર્ગ મળ્યો.
કોઈ મિત્ર પ્રેયસી કે ગુરુ અથવા તો ઉપહાસ કરનાર વ્યક્તિની નાની ટકોર કે પ્રેરણાના પ્રતિભાવ જગતને કોઈક નવી શોધ, નવું પુસ્તક કે મહાપુરુષ આપનારા સાબિત થયાં છે. ભાભીની ટકોર અને ઉપહાસ થકી નરસિંહનું મન કૃષ્ણમય બન્યું અને એક યુગપ્રવર્તક કવિ ગુજરાતી ભાષાને મળ્યો, જેણે લખ્યું : ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટીપણું તુચ્છ લાગે…’ ઘણી વખત કોઈ આપણને કહે કે ‘આ તમારું કામ નહીં, આ તમે નહીં કરી શકો….’ ત્યારે એ વખતે આપણે બમણા વેગથી કાર્યરત થઈ જતા હોઈએ છીએ અને અણધારી સફળતા કે વિજય પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આનો અર્થ એવો પણ નથી કે આપણે કોઈકની ટકોરથી તાત્કાલિક ઉશ્કેરાઈ જવું અથવા તો જે બાબતમાં આપણી શક્તિ કે આવડત ના હોય એમાં અચાનક ધસી જવું. આપણી પાસે શું શક્તિઓ છે, આપણો પરિવેશ, આપણું બેકગ્રાઉન્ડ, આપણી શારીરિક મર્યાદા – એ બધાનું આકલન પણ જરૂરી બની જાય છે. ટૂંકમાં, આ તમામ બાબતે સંયમિત અને વિવેકબુદ્ધિથી આગળ વધવાની બાબત પણ એટલી જ મહત્વની બની જતી હોય છે. આમ, છતાં માનવમનની અગાધ શક્તિઓ અને મનુષ્યના અસ્તિત્વના અમાપ અંદાજનો જે નૈસર્ગિક વારસો આપણને મળેલો હોય છે, એમાં આપણે લઘુતા કે દયનીયભાવો અનુભવવાની જરૂર ક્યારેય રહેતી નથી. આપણી આવડતનો અંદાજ અન્ય લોકોને હોય છે, એટલો કદાચ સ્વયમને હોતો નથી. આ બાબતની સમજણ ના હોવાના કારણે મોહનમાંથી મહાત્મા બનવાની ઘટનાઓ જવલ્લે જ આકાર લેતી હોય છે.

Sunday, February 24, 2013

કેવો જમાનો આવ્યો છે ? – ગુલાબદાસ બ્રોકર



મારું મિત્રમંડળ સારું એવું મોટું છે. ઘણું જ મોટું હતું, પણ હું એટલું બધું જીવ્યો કે એમાંથી ઘણાબધા, એક પછી એક આ જગત છોડીને ચાલ્યા ગયા. ને છતાંય હજી રહ્યા છે તે ઓછા નથી રહ્યા. તે મિત્રોમાં ભાઈઓ છે, લગભગ તેટલી જ બહેનો પણ છે. એ બધાં જ મિત્રો, ભાઈઓ અને બહેનો બધાં જ મારી જેમ સાહિત્ય વાંચવાનાં અને વાતો કરવાનાં શોખીન છે. તેમની સોબતમાં કલાકો ક્યાં ચાલ્યા જાય એની ખબર જ ન પડે. અને કેટલીક વાર તેમાં એવી વાતો નીકળે કે જીવનભર તે મારી સ્મૃતિની છીપમાં સચવાઈ રહે. એ બધી વાતો આનંદપ્રદ જ હોય એવું નહીં. વિષાદપ્રેરક પણ હોય, પણ જીવન ઉપર પ્રકાશ પાથરનારી તો હોય જ.
એવી એક વાત મને બહુ યાદ રહી ગઈ છે. હજી થોડા સમય પહેલાં જ એ વાત મને મારાં એક બહુ જ નજીકનાં મૈત્રિણીએ કરેલી. એ બહેન મારે ઘરે આવે ત્યારે મારા અને મારી પત્નીનાં મોં પર આનંદ પથરાઈ જાય. એમના મોં પર પથરાયેલો આનંદ પણ એ વાતની સાક્ષી પૂરે. પણ આ વખતે એ બહેને જે વાત કરી તે આનંદપ્રેરક નહોતી, પણ આપણા અત્યારના સમાજજીવનમાં કેવી આછકલાઈ, કેવી ક્ષુલ્લકતા જામી પડી છે તેની દ્યોતક હતી.
એ વાત આ પ્રમાણેની હતી :
એ બહેન પણ મારા જેવા વાતોનાં શોખીન. બહુશ્રુત અને વિદ્વાન પણ ખરાં. એટલે એમની પાસે અનેક બહેનો પોતાનાં સુખદુઃખની વાતો કરવા આવે. હમણાં થોડા સમય પહેલાં જ, એવી એક બહેન તેમને મળવા આવી. દુઃખી દુઃખી જેવી લાગતી હતી. હંમેશાં આનંદમાં રહેતી, અને આનંદ ફેલાવતી આ બહેનપણીને આવી વિષાદમય અને દુઃખી જેવી જોતાં એ બહેનને પણ દુઃખ થયું. તેમણે એને પૂછ્યું.
‘કેમ ? આજે તું આવી સોગિયણ ને દુખિયણ જેવી કેમ લાગે છે ? કંઈ થયું છે ?’
એ બાઈ રડવા જેવી થઈ ગઈ. માંડ માંડ બોલી : ‘મેં એક નિર્ણય કર્યો છે બહેન, તેથી એવી લાગું છું.’
‘એવો તે શો નિર્ણય કર્યો છે તે ?’ પેલાં બહેને આતુરતાથી પૂછ્યું.
‘એ નિર્ણય છે મારા પતિથી છૂટાછેડા લેવાનો.’ બોલતાં બોલતાં તેનો અવાજ જરા મક્કમ બની ગયો.
‘હેં ? હેં ? છૂટાછેડા ? પણ શા માટે ? તમે બંને કેવાં પ્રેમીપંખીડાં છો !’
‘એ જ દુઃખ છે ને ? પ્રેમી પંખીડાં હોય એ પ્રેમમાં જરા પણ વિધ્ન સહી શકે નહીં.’
‘પણ એવું તો શું થયું બહેન ? તું માંડીને વાત કર.’ કહેતાં તે તેની નજીક સર્યાં.
‘ગઈ કાલે રજા હતી, અને મેં નક્કી કર્યું હતું કે આજે સાંજે રસોઈબસોઈની માથાકૂટ નથી કરવી. સાંજે બહાર જઈ કોઈક સરસ હોટેલમાં જમીશું.’
‘સરસ.’ પહેલાં બહેન બોલ્યાં.
‘શું ધૂળ સરસ ? સામો માણસ સમજદાર હોય તો એ વાત સરસ બને ને ?’ તેનો અવાજ જરા મરડાયો.
‘કેમ ? એણે એવી નાસમજ કઈ બતાવી ?’
મેં કહ્યું : ‘આજે બહાર ખાઈશું.’ તો એ કહે : ‘આજે નહીં, બીજે કોઈ દહાડે જઈશું.’
‘કેમ ? આજે વળી શું છે તે આજે નહીં ?’ મેં પૂછ્યું.
તો કહે : ‘આજે મને તારા હાથનાં ભજિયાં ખાવાનું બહુ મન થયું છે. કેવાં સરસ ભજિયાં તું બનાવે છે !’
‘એવાં સરસ તો એ કાલે પણ બનશે.’ મેં કહ્યું : ‘પણ મારે તો આજે બહાર જ ખાવું છે.’
‘ના કાલે બહાર ખાઈશું. પણ આજે તો તું સરસ ભજિયાં બનાવ તારે હાથે.’
‘એમાંથી ચણભણ થઈ ગઈ. હું કહું કે મારે બહાર ખાવું છે, એ કહે મારે તારાં ભજિયાં ખાવાં છે. ગમેતેટલું મેં કહ્યું પણ એ પણ એ માન્યા જ નહીં. મને પરાણે ઘરમાં ગોંધી રાખી, ને મારા હાથનાં જેવાં બન્યાં એવાં ભજિયાં ખાઈને જ રહ્યો !’ બહેનપણી હસી પડી. ‘વાહ વાહ’ કરતી. પછી કહે : ‘પણ એમાં છૂટાછેડા લેવાની વાત જ ક્યાં આવી ?’
‘ત્યારે શું નહીં તો ?’ પેલી મોઢું ચડાવીને બોલી, ‘પોતાની પત્નીનું આટલું પણ મન ન રાખે, ને આવી બધી જબરજસ્તી કરે એવા માણસ સાથે કોણ રહે ? હું તો જેટલું બને તેટલું જલદી તેનાથી છૂટી થઈ જવા માગું છું. પછી ભલે એ બેઠો બેઠો એનાં ભજિયાં ખાધાં કરે.’
બહેનપણીને હસવું આવતું હતું. પછી તેણે જોયું કે હસીશ તો આ બાઈ વધારે બગડશે. એટલે તે હસી નહીં.
બોલી : ‘બસ આટલી વાતમાં છૂટાં થઈ જવાનું ?’
‘આજે આટલી થઈ તો કાલે વધારે મોટી ન થાય. એના કરતાં આપણે એકલાં સારાં. કોઈથી દબાવાનું તો નહીં !’ બહેનપણી સમજદાર હતી. તેણે તે સ્ત્રીને તેનો બળાપો કાઢવા દીધો. પછી તેની સાથે વાતો કરીને તેને સમજાવી કે આવી અમથી વાતમાં કંઈ આવા સારા લગ્નજીવનને ખતમ કરી દેવાય ?
પેલી રોઈ પડી : ‘પત્નીનું આટલું પણ માન ન રાખે એ ધણી શા કામનો ?’
બહેનપણીએ કહ્યું : ‘એને પણ એવું જ નહીં થતું હોય કે આજને બદલે કાલે બહાર ખવાય જ, તો પછી પતિનું આટલું એવું મન પણ ન રખાય ?’
‘તું તો એવી જ છે. બધાંને શિખામણ આપનારી.’ એ જુસ્સાથી બોલી ઊઠી.
‘શિખામણ નથી દેતી, બહેન, સાચી વાત કરું છું.’ અને કલાકોની ગંભીર વાતો પછી તે માંડ માંડ સમજી. બોલી : ‘આજે તારી વાત માનું છું. પણ મને એવું માઠું લાગેલું !’
‘આ જિંદગી જ એવી છે, બહેન. એમાં અનેક ઘૂંટડા પીવાના હોય. એમ કંઈ વાતવાતમાં આપણો સંસાર ભાંગી ન નખાય.’ અંતે પેલી બહેનપણી સ્વસ્થ થઈને ઘરે ગઈ, પણ આ બહેનને એ વાત એટલી અસર કરી ગઈ કે મારી પાસે એ વાત કરતાં એ ગળગળાં થઈ ગયાં. બોલ્યાં :
‘કેવો જમાનો આવ્યો છે, ભાઈ ?’
મેં કહ્યું : ‘સાચી વાત છે. કેવો જમાનો આવ્યો છે ?’
પછી એ બહેન તો ગયાં. પણ આવી આવી નાનકડી વાતોમાં પોતાનાં અને પારકાંનાં જીવનને છિન્નભિન્ન કરી નાખનારી મનોદશા મારી સ્મૃતિની છીપમાં એવી જડાઈ ગઈ છે કે એ ત્યાંથી કદાચ, કદીયે ઊખડશે નહીં

Saturday, February 23, 2013

Best Wingsuit Flying 2012


New suit technology and a dedication to improving skill levels allow to fly further, faster and more accurately than ever before.   Best in Full Screen HD.


Death


    

Native : Morbi
Currently At : Dadar, Mumbai
Name of the deceased :Gunvantiben Mohanlal Mehta
Age : 83 Years
Date of Death : 11-02-2013
Husband  : Mohanlal Karsanji Mehta
Son : Shaileshbhai
Daughter-in-Law: Rita
Daughters : Jyotsnaben Satishkumar Shah, Naynaben Vijaykumar Mehta,Dr. Amitaben Deepakkumar (Dr) Sheth
Father : Late Tarachand Savji Mehta (Tankara)
Mother : Late Chanduben
Father-in-Law : Late Karsanji Tribhovandas Mehta


May Her Soul rest in eternal peace

મોરબી હાલ દાદર સ્વ. કરશનજી ત્રિભોવનદાસ મહેતાના પુત્ર મોહનલાલભાઇના ધર્મપત્ની ગુણવંતીબેન (ઉં. વ. ૮૩) તા. ૧૧-૨-૧૩ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેષભાઇ, જયોત્સનાબેન, સતીશકુમાર શાહ, નયનાબેન વિજયકુમાર મહેતા, ડો. અમિતાબેન ડો. દીપકકુમાર શેઠના માતુશ્રી. તે અ. સૌ. રીટાના સાસુ. ટંકારા (મોરબી) ચંદુબેન તારાચંદ સવજી મહેતાની દીકરી. ભાવયાત્રા ગુરુવાર ૧૪-૨-૧૩ના યોગી સભાગૃહ, દાદર (ઇ.) સવારના ૯ થી ૧૧.૩૦ રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.

Death

 
    
Native : Wankaner
Currently At : Andheri, Mumbai
Name of the deceased :Nirmalaben Ravichand Shah
Age : 80 Years
Date of Death : 10-02-2013
Husband : Late Ravichand Nimchand Shah
Sons : Sanjay, Vijay, Rajesh
Daughters-in-Law: Surekha, Alpa, Hina
Brother : Anantrai
Sisters : Late Shushilaben,Ranjanben, Kundanben, Chetnaben
Father: Late Bhogilal Keshavlal Shah (Morbi)

May Her Soul rest in eternal peace


વાંકાનેર હાલ અંધેરી સ્વ. રવિચંદ નીમચંદ શાહના પત્ની નિર્મળાબેન (ઉં. વ. ૮૦) તા. ૧૦-૨-૧૩ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે સંજય, વિજય, રાજેશના માતા. તે સુરેખા, અલ્પા, હીનાના સાસુ. તે મોરબી નિવાસી ભોગીલાલ કેશવલાલ શાહના દીકરી. તે સ્વ. સુશીલાબેન, અનંતરાય, રંજનબેન, કુંદનબેન, ચેતનાબેનના બહેન. પ્રાર્થનાસભા ૧૨-૨-૧૩ મંગળવારે ૩ થી ૫ સંન્યાસ આશ્રમ દેવસ્થાન, સન્યાસ આશ્રમ રોડ, વિલેપારલા (પ.). લૌ. વ્ય. બંધ છે.

Friday, February 22, 2013

હાસ્યમોતી – સંકલિત

પત્ની : ‘કહું છું સાંભળો છો ?’
પતિ : ‘હં…..’
પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’
પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’
******
છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’
ડૉક્ટર : ‘દસ હજાર.’
થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડોક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’
છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’
ડૉક્ટર : ‘કેવી રીતે ?’
છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
******
છોકરી : ‘તું મને પ્રેમ કરે છે ?’
છોકરો : ‘હા, વહાલી.’
છોકરી : ‘તું મારા માટે મરી શકે ?’
છોકરો : ‘ના, હું અમરપ્રેમી છું.’
******

રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.
એટલે પૂછ્યું : ‘તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?’
શ્યામુ : ‘માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….’
******
અબજોપતિ જય પોતાના શ્રીમંત મિત્ર વીરુને કહી રહ્યો હતો કે ‘હું સવારે મારી કારમાં બેસીને નીકળું તો સાંજ સુધીમાં મારી અડધી મિલકત પણ ન જોઈ શકું.’
વીરુ : ‘એમાં કઈ મોટી વાત છે. મારી પાસે પણ એવી ખટારા કાર છે.’
******
દાંતના ડૉકટર : ‘તમારો દાંત કાઢી નાખવો પડશે.’
દર્દી : ‘કેટલા પૈસા થશે ?’
ડૉક્ટર : ‘પાંચ સો રૂપિયા.’
દર્દી : ‘આ પચાસ રૂપિયા લો. દાંતને ઢીલો કરી દો, પછી તો હું જાતે કાઢી લઈશ….’
******
મોન્ટુ : ‘જો હું બસમાં ચઢું કે બસ મારી પર ચઢે, એમાં ફેર શું ?’
પિન્ટુ : ‘કોઈ ફેર નહીં. બંનેમાં ટિકિટ તો તારી જ કપાશે.’
******
મોન્ટુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.
પિન્ટુ : ‘આવું કેવી રીતે થયું ?’
મોન્ટુ : ‘મોટો હથોડો લઈ દીવાલ તોડી રહ્યો હતો ત્યારે બાપુએ કહ્યું ક્યારેક ખોપરીનો ઉપયોગ કર…’
******
ટીના : ‘અચાનક તું બહુ બચત કરવા માંડી છે ને કંઈ….!’
મીના : ‘હા, મારા પતિની છેલ્લી ઈચ્છા એ જ હતી. ડૂબતી વખતે તેઓ એમ જ કહેતા રહ્યા, “બચાવો…બચાવો….”’
******
લગ્નજીવનની સફળતાનું રહસ્ય માત્ર ત્રણ જ શબ્દોમાં રહેલું છે :
‘ઓકે, ખરીદી લે….’
******
પેસેન્જર : ‘જો બધી જ ટ્રેન મોડી જ હોય તો ટાઈમટેબલનો શો ફાયદો ?’
સ્ટેશન માસ્તર : ‘બધી ટ્રેન સમયસર હોય તો, વેઈટિંગ રૂમનો શો ફાયદો ?’
******
બૉસ : ‘અમે એક એવા કર્મચારીની શોધમાં છીએ જે ખૂબ જવાબદાર હોય.’
ઉમેદવાર : ‘તમારી શોધ પૂરી થઈ ગઈ સમજો. આ પહેલાં હું જે કંપનીમાં હતો ત્યાં કોઈ પણ ભૂલ થાય તેને માટે હું જ જવાબદાર રહેતો…’
******
માલિક : ‘આજે તેં રોટલી પર વધારે ઘી લગાવી દીધું છે.’
નોકર : ‘ભૂલ થઈ ગઈ…. કદાચ મેં તમને મારી રોટલી આપી દીધી છે….’
******
મોન્ટુનો પગ ભૂરો પડવા માંડ્યો એટલે ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરે પગ જોઈને કહ્યું : ‘ઝેર ચડી ગયું છે… કાપી નાંખવો પડશે….’
ડૉક્ટરે પગ કાપી નાખીને નકલી પગ બેસાડી દીધો.
થોડા દિવસમાં નકલી પગ ભૂરો પડવા માંડ્યો.
ડૉક્ટર : ‘હવે તારી બીમારી સમજમાં આવી. તારા જિન્સનો રંગ લાગી જાય છે….’
******
શિક્ષક : ‘દિલ્હીમાં કુતુબ મિનાર છે.’
મોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને પૂછ્યું :
‘મેં હમણાં શું કહ્યું ?’
મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : ‘દિલ્હીમાં કુત્તા બીમાર છે.’
******
એક મચ્છર છગનને દિવસે કરડ્યું.
છગને એને પૂછ્યું : ‘તું તો રાત્રે કરડે છે ને ? આજે દિવસે કેમ ?’
મચ્છર : ‘શું કરું ? ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે…!’
******
યુવતી : ‘કાલે મારો બર્થ-ડે છે.’
યુવક : ‘એડવાન્સમાં હેપી બર્થ-ડે.’
યુવતી : ‘શું ગિફ્ટ આપીશ ?’
યુવક : ‘શું જોઈએ ?’
યુવતી : ‘રિંગ.’
યુવક : ‘રિંગ આપીશ, પણ ફોન નહીં ઉપાડતી. એમાં બેલેન્સ નથી.’
******
પિંકી : ‘પાડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા.’
બિટ્ટુ : ‘અરે વાહ ! અને એક માર્ક ક્યાં ગયો ?’
પિંકી : ‘એ આપણો દીકરો લાવ્યો છે…!’
******
સંતા : ‘આ ડૉક્ટરો ઑપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કેમ કરી દે છે ?’
બંતા : ‘જો દરેક વ્યક્તિ ઑપરેશન કરવાનું શીખી જાય તો પછી એમનો ધંધો કેવી રીતે ચાલે ?’
******
યુવતી : ‘જોજે તને તો નરકમાં પણ જગ્યા નહીં મળે.’
યુવક : ‘ભલે ને ! કોઈ ચિંતા નહીં. કારણ કે હું પણ બધી જગ્યાએ તારી સાથે આવવા નથી માગતો !’
******
‘તું તો બહુ સરસ સ્વિમિંગ કરે છે…. ક્યાં શીખ્યો ?’
‘પાણીમાં… બીજે ક્યાં ?’
******
એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને પૂછ્યું :
‘એક કૉફી કેટલાની છે ?’
‘પચાસ રૂપિયાની…..’
‘આટલી બધી મોંઘી ! સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….’
વેઈટર : ‘એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા બોર્ડ તો બરાબર વાંચો !’
******

Thursday, February 21, 2013

Amazing Snow-Fly-Mobile



This has never been done before. Paragliding and snowmobile combined. Eric Oddy attaches a parachute to his snowmobile and takes off.



Wednesday, February 20, 2013

ભાર વિનાનું ભણતર….– મુકેશ મોદી



આધુનિક યુગમાં ‘ભાર વિનાના ભણતર’ની વાતો તો ટનબંધ થઈ રહી છે; પણ શું ખરેખર ભણતર ભાર વિનાનું છે ? કે પછી ‘ભાર વિનાના ભણતર’ની વાતો કરવી પણ એક મૉડર્ન ગણાવવા માટેની આવશ્યક ફૅશન જ છે ?….. ખલીલ જિબ્રાન તો કહી ગયો છે કે, ‘તમારાં બાળકો તમારાં નથી, એ તો જીવનનાં, પ્રકૃતિનાં, સૃષ્ટિનાં સંતાનો છે.’ પણ આપણે રેસમાં દોડીએ છીએ અને રેસમાં દોડતી વખતે લક્ષ્ય દેખાય, દોડવાના તોરતરીકા તરફ દુર્લક્ષ્ય જ સેવાય. આવા સુંદર વિચારો વાંચીએ ન વાંચીએ ત્યાં તો તમારા ચિરા-ગે-રોશનની શાળાથી ફોન આવે છે : ‘તમારા બાબાને સમજાવો કે તોફાન ન કરે… બિલકુલ લખતો નથી… કંઈક કહેવા જઈએ તો સામે દલીલો કરે છે.’ હવે ખલીલ જિબ્રાન જાય છે કચરાપેટીમાં અને શરૂ થાય છે તમારા દેવના દીધેલને સીધો કરવાના અખતરા-પેંતરા. હૉસ્ટેલમાં મૂકી દેવાની ધમકી, જેટલી વાર બૉર્નવિટા પીવરાવો છો એના કરતાં વધારે વાર તો તમે આપી જ ચૂક્યા છો અને એક દિવસ ટેણિયું સંભળાવી દે : મૂકી દે હૉસ્ટેલમાં, તારી કચકચથી તો છુટકારો મળશે !
વરસોવરસથી બાળઉછેરનાં પુસ્તકો ધાર્મિક પુસ્તકોની જેમ લખાય છે. વંચાય છે. ઉપરથી બાળઉછેરનાં પુસ્તકો વાંચ્યા પછી બાળકોનું તો આવી જ બન્યું છે. એક બાળક રડતું હતું એટલે બીજાએ કારણ પૂછ્યું તો કહે, ‘આજે મારી મમ્મી બાળઉછેરનું નવું પુસ્તક લાવી છે અને મને વિશ્વાસ છે કે અખતરા મારી ઉપર જ થવાના છે.’ મિત્રો, તમને નથી લાગતું કે બાળઉછેરનાં પુસ્તકોનું સાચું ટાઈટલ તો ‘માતાપિતા ઉછેરનાં પુસ્તકો’ એવું હોવું જોઈએ ? જે કરવાનું છે તે સભાનપણે આપણે કરવાનું છે, આપણી અજાણપણે થઈ ગયેલી ભૂલોનાં પરિણામો એ નહીં ! એક તો મા-બાપ બનવા માટે કોઈ ખાસ આવડત/લાયકાતની જરૂર નથી. કલેક્ટર ઑફિસના કલાર્ક બનવું હોય તો સ્ટેનો, ટાઈપ, કમ્પ્યૂટર અને બીજું ઘણું બધું આવડવું જોઈએ, પણ મા-બાપ તો કોઈ પણ એરોગેરો નથ્થુરામ બની શકે છે ! વાત વિચારવા જેવી તો ખરી જ કે આખરે બાળકોને શા માટે ભણાવીએ છીએ ? કિંતુ આ પ્રશ્ન પહેલા પણ એક પ્રશ્ન ઉદ્દભવવો જોઈએ : આખરે આપણે બાળકોને પેદા શા માટે કરીએ છીએ ? લગ્ન કર્યાને ઠરીઠામ થયા ન થયા હોઈએ, પ્રોબેશન પિરિયડ માંડ માંડ પતવા આવ્યો હોય ત્યાં તો શાંતાબહેનો અને કાંતાબહેનો કોરસરૂપે ગણગણવાનું શરૂ કરી દેશે : હવે ઘોડિયું ક્યારે બાંધો છો મારા લાલ ?
પ્રથમ પ્રશ્ને જ આંખ મીંચી દીધી છે એટલે બીજો સવાલ – ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?’ ઉત્પન્ન થવાનો સવાલ જ નથી. હજુ કુંવરે માંડ માંડ ગડથોલિયાં ખાવાનું બંધ કર્યું ન કર્યું હોય ત્યાં તો એને પ્લે ગ્રૂપનાં ગડથોલિયાં ખવરાવવાનું શરૂ કરી દઈએ છીએ. હજુ તો માંડ માતૃભાષાનું ધાવણ હોઠે ચડ્યું ન ચડ્યું ત્યાં તો પરદેશી ભાષાનાં ઈન્જેકશન મારવાનું શરૂ ! શાળાઓ એક કામમાં માહેર છે : સપનાઓનો વેપલો કરવામાં ! તમારી ગુડિયાને જૅક ઍન્ડ જિલ ગોખાવી ગોખાવી ગવડાવે છે, કારણ કે તમારી ગુડિયા એમના માટે એક પ્રોડક્ટ છે. ચાર જણા વચ્ચે જો એનું ટિવંકલ ટિવંકલ ઝાંખું પડી જશે તો તમારી આબરૂના લીરેલીરા ઊડશે જ પણ તરત પ્રશ્ન પુછાશે કે કઈ શાળામાં ભણે છે ? તમારું બાળક સ્કૂલની જાહેરખબરનું માધ્યમ છે, અને એ પણ એમની જાહેરાત કરવાના પૈસા, તગડી ફી રૂપે, તમે ચૂકવો છો. અરે, બાળકની નૈસર્ગિક શક્તિની વાતો કરનારાઓ તમને ખબર છે ખરી કે શક્તિ શું ચીજ છે ? શાળાઓ માટે તમારો નંદકિશોર એક રોલ નંબર છે, જેને એક રૂમ નંબરમાં બેસાડવામાં આવે છે, અને કવચિત જેમ કેદીને ટ્રાન્સફર વૉરન્ટ ઉપર એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવામાં આવે છે તેમ એને એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જવાય છે.
જો વાત ખરેખરી કુદરતી શક્તિઓની જ હોય તો, તમે જ કહો દામિનીબહેન, એવું તો કેવી રીતે બને કે દરેકને આર્ટ એન્ડ ક્રાફટમાં રસ પડવો જ જોઈએ ? એવું શક્ય છે કે તમને ચાઈનીઝ બનાવવાની મજા આવતી હોય તો યામિનીબહેનને પણ ચાઈનીઝ બનાવવાની મજા આવે જ આવે ? એક અદ્દ્ભુત નિયમોની દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં આપણા ગમા-અણગમાને આપણા વ્યક્તિત્વનો હિસ્સો માની લઈએ છીએ, અને બાળકના ગમા-અણગમાને એના વ્યક્તિત્વવિકાસમાં આડખીલી રૂપ બાબત ! શું આ છે આપણું ભાર વિનાનું ભણતર ? અને હમણાં હમણાં નાક લૂછવા માટે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરતા શીખેલી મમ્મીઓને તાલિબાની ઝનૂન છે એમના બાળકો માટે. ‘ઑબ્સેશન’ એટલે શું ? એ ડિક્ષનરીમાં નહીં કોઈ પણ તાજી બનેલી મમ્મીને જોઈએ એટલે વગર ભાષાએ સમજાઈ જાય. બધાને બધું આવડવું જ જોઈએ એ માનસિકતાને ક્યું નામ આપીશું ? જે મા-બાપો માને છે કે તેમના ટેણિયાને બધું જ આવડવું જોઈએ એ બધા બુધ્ધુઓને એક લાઈનમાં ઊભા રાખી, તમંચાને ધડાકે દોડાવવા જોઈએ. અને એ પણ સ્પષ્ટ સૂચના સાથે કે રેસમાં બધા પહેલા નંબરે આવવા જોઈએ ! જો જો, શું હાલત થાય છે….. ‘ફાંદ રબ્બરના દડાની જેમ ઊછળતી હશે પ્રવીણભાઈ તમારી, અને મણીબહેન તમે પંદર ડગલાં દોડીને સંન્યાસ લઈ લેશો સંન્યાસ….’
‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?’ – જો આ ધ્રુવ પ્રશ્ન વિશે દરરોજ સવાર, બપોર અને રાત્રે એક ચમચી પણ ચિંતન કરવામાં આવે તો એ તમારા દ્વારા તમારા બાળકને આપવામાં આવતી સુંદરતમ સોગાદ હશે. ડૉ. રઈશ મનીઆરના સાલસ શબ્દોમાં કહીએ તો, ‘પ્રશ્ન ઉદ્દભવશે તો ઉત્તર આપોઆપ મળશે.’ ભાર વિનાના ભણતરની વાતો આજના સમયમાં ફૅશનેબલ બની ગઈ હોય એવું નથી લાગતું ?

Tuesday, February 19, 2013

Parking Impossible (60 Second Time-Lapse)


The World's tightest parking spot - impossible to get in and out of. But nothing is impossible in Sao Paulo, Brazil!


Monday, February 18, 2013

દુનિયાનું સૌથી વધુ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે – રમેશ ઠક્કર…



[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના પુસ્તકોમાંથી સાભાર]

માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે. પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે. મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. એમાં વડીલો પાર્જિત વારસાઈના દાવપેચ નથી હોતા.
હમણાં એક મિત્ર દંપતિ પાસે બેઠો હતો. વાત ચાલતી હતી એમની ઉંમરલાયક દીકરી અંગેની. કોલેજમાં ભણતી એમની દીકરી હમણાંથી કોઈપણ કારણવગર બસ ગુમસુમ રહેતી હતી. તેની આ સ્થિતિ અંગે કોઈ કશું જાણી શકતું ન હતું. શહેરના શ્રેષ્ઠ સાયકોલોજિસ્ટ પણ એમાં નિષ્ફળ રહ્યા હતા. આખરે તેઓએ તેની ખાસ બહેનપણીને આ કામ સોંપ્યું અને આશ્ચર્યજનક રીતે થોડીક જ મિનિટોમાં તેની ઉદાસીનું કારણ જાણવા મળી ગયું. પ્રશ્નનું સુખદ નિરાકરણ થઈ ગયું. આ કિસ્સામાં એવી કોઈ અસામાન્ય ઘટના નથી. આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે. આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે. અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. અંગ્રેજીમાં કહેવાયું છે કે : ‘Friend in need is friend indeed.’ સંસ્કૃતમાં એક સુભાષિત છે કે માણસના દુઃખના સમયમાં એનો શ્રેષ્ઠ મિત્ર કોણ હોઈ શકે ? જવાબમાં કહેવાયું છે કે ‘ઘરનો ખૂણો.’ મિત્રનું લેબલ લાગે એટલે ઘરનો નિર્જીવ લાગતો ખૂણો પણ જિવંત બની જાય છે. અને એમાંથી આશ્વાસન મળે છે.

દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે. ‘મરીઝ’ એવું કહે છે કે હું દુનિયામાં ઘણા બધાનો કરજદાર છું. મારે બધાયનું ઋણ ચૂકવવું છે પરંતુ એ ઉપકારો એટલા બધા છે કે જો અલ્લાહ એટલે કે ભગવાન ઉધાર આપે તો જ બધાનું ઋણ ઉતારી શકાય. આ બાબત મિત્રોના કિસ્સામાં લાગુ પડતી નથી. એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે. એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી નથી. મિત્રતાની બુલંદ ઈમારતનો પાયો સ્વાર્થરહિત સ્પંદનો ઉપર રચાયેલો હોય છે. સુદામાના તાંદુલ માટે કૃષ્ણનો તલસાટ હોય કે દુર્યોધન માટેનો કર્ણનો આદર – એ બંને ભલે સામસામા છેડાના મનોભાવ હોય પરંતુ એમાંથી જે મહેંક મળે છે એ મિત્રતાની હોય છે. મિત્રતા એક એવો આવિષ્કાર છે જેનો તમે અનુભવ કરી શકો છો. કોઈ શબ્દ કે માધ્યમ થકી એનું આલેખન કે નિરૂપણ કરવું એ પાણીમાં ડિઝાઈન દોરવા જેવું હોય છે. મિત્રતાનું કોઈ નામ નથી. કોઈ સરનામું નથી. પેલાં હિંદી ફિલ્મી ગીતને થોડા શબ્દફેર સાથે કહીએ તો….
‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહસે મહેસુસ કરો
દોસ્તી કો દોસ્તી રહને દો કોઈ નામ ન દો….’

Sunday, February 17, 2013

Autonomous Audi TTS Pikes Peak Self-Driving Car



Audi's self-driving car successfully navigates 156 turns of the 12 mile Hill Climb course in Pikes Peak, Colorado.



Saturday, February 16, 2013

ચોખવટ

ગયા મહિનાના સમાજ ઉત્કર્ષમાં છપાયેલ સર્ક્યુલર અધુરો અને ગુંચવણ ઉભી કરનારો હોવાથી નીચે મુજબની ચોખવટ કરવામાં આવે છે 
1) શૈક્ષણિક પારિતોષિકો સમાજ અને યુવક મંડળ બંને તરફથી આપવામાં આવશે .
2) શૈક્ષણિક પારિતોષિકો સમાજ ઉત્કર્ષમાં દર્શાવ્યા  પ્રમાણે  10 ધોરણ સુધી સીમિત નથી. 
3) શૈક્ષણિક પારિતોષિકો 10 ધોરણ ઉપરાંત FY JC,SYJC, Under Graduates, Graduates , Post Graduates, Diploma Holders, Professional Degree Holdersને આપવામાં આવશે.
4) જેઓ શૈક્ષણિક પારિતોષિકોને પાત્ર છે તેઓને  જણાવવામાં આવે છે કે તેઓ એ તેમની Marksheet સમાજ ઉત્કર્ષમાં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ પણ એક સ્થળે આપી જવી જેથી  શૈક્ષણિક પારિતોષિકોને પાત્ર કોઈ પણ  વિદ્યાર્થી પારિતોષિક વગર રહી ન જાય .
5) માર્કશીટ આપવાની તારીખ લંબાવવાની પૂરી શક્યતાઓ છે।

Clarification

It has been brought to the notice that circular for educational prizes is incomplete and misleading.
Following is the criteria of eligibility for Prizes
1) The Prizes will be distributed by both Samaj & Yuvak Mandal
2) The Prizes will given not only to students upto 10th but all FYJC, SYJC, Under graduated, Graduates, Post Graduates, Diploma Holders & Professional Degree Holders.
3) All those eligible for Prizes should submit the Marksheet to the centers mentioned in Samaj Utkarsh
4) In all likely hood, the last date for submission of Mark sheets will be extended.

માત્ર પેટના ગુલામ ન બનો– ભૂપત વડોદરિયા


[ આપણા જાણીતા સાહિત્યકાર શ્રી ભૂપતભાઈ વડોદરિયાના પાંચ પુસ્તકોનું એક સેટ સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં ‘જાગરણ’, ‘આચમન’, ‘અભિષેક’, ‘પંચામૃત’ અને ‘ઉપાસના’ એમ પાંચ પુસ્તકોનો સમાવેશ થાય છે. જીવનને સુંદર ઘાટ અર્પે તેવા અત્યંત પ્રેરક લેખોનો આ સુંદર વસાવવા લાયક સંગ્રહ છે.]
સંસાર જેને સ્વામી વિવેકાનંદના નામે ઓળખે છે એ નરેન્દ્રનાથ દત્ત જ્યારે એકવીસ વર્ષના યુવાન હતા ત્યારે તેમના કુટુંબ ઉપર એક મોટી આફત ઊતરી આવી. નરેન્દ્રનાથ સ્નાતક થયા હતા અને કાયદાનો અભ્યાસ કરવા માગતા હતા. તેમના પિતા વિશ્વનાથ કલકત્તા હાઈકોર્ટમાં એક સફળ એટર્ની-એટ-લો હતા. કુટુંબના એ એકમાત્ર કમાનાર સભ્ય હતા. એ એક દેવસ ઓચિંતા હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. નરેન્દ્રનાથનું કુટુંબ દારુણ ગરીબીના ખપ્પરમાં આવી પડ્યું. પિતા ઉદાર માણસ હતા. તેમણે ઘણાંબધાં સગાસંબંધીઓને મદદ કરી હતી, પણ જ્યારે એમના મૃત્યુ પછી એમનું કુટુંબ ગરીબીનો સામનો કરવાની સ્થિતિમાં મુકાઈ ગયું ત્યારે તેમનાં કોઈ સગાંસંબંધી કશી જ મદદ કરવા આવ્યાં નહીં. લેણદારો રોજ તકાદો કરતા. જે મકાનમાં તેઓ રહેતા હતાં તે મકાનમાંથી તેમને હાંકી કાઢવા સગાંવહાલાં તૈયાર થઈ ગયાં ! હવે કુટુંબના ભરણપોષણની બધી જ જવાબદારી નરેન્દ્રનાથના શિરે આવી પડી.
સ્વામી વિવેકાનંદે પોતાની જિંદગીના આ સૌથી વિકટ સમયનું વર્ણન કર્યું છે. વિવેકાનંદે કહ્યું છે : ‘પિતાના મૃત્યુના શોકનો સમય પૂરો થાય તે પહેલાં જ મારે તો નોકરીની શોધમાં જવું પડ્યું હતું. હું રોજ બપોરના તાપમાં એક હાથમાં અરજી લઈને એક પછી એક દફ્તર-કચેરીમાં ભટક્યા કરતો હતો. મારા એક-બે નિકટના મિત્રોને મારા પ્રત્યે સહાનુભૂતિ હતી. નોકરીની શોધમાં હું નીકળતો ત્યારે કોઈ કોઈ વાર આ એક-બે મિત્રો મારી સાથે આવતા, પણ દરેક જગ્યાએ મારા માટે બારણાં બંધ જ હતાં. જિંદગીની વાસ્તવિકતા સાથેનો આ મારો પ્રથમ પરિચય હતો અને મને લાગ્યું કે આ દુનિયામાં નિ:સ્વાર્થ સહાનુભૂતિ એક દુર્લભ ચીજ છે. નિર્બળ, નિર્ધન અને દુ:ખી માણસ માટે ક્યાંય જગ્યા જ નથી. મેં જોયું કે થોડાક દહાડા પહેલાં જ જે લોકો મને મદદરૂપ થવામાં ગૌરવ અનુભવતા હતા તે હવે જાણે મારાથી મોં સંતાડતા હતા. મને મદદ કરવા માટે તેમની પાસે પૂરતાં સાધનો હતાં. આ બધું જોઈને મને કોઈ કોઈ વાર એવું લાગતું કે આ દુનિયા ઈશ્વરે નહીં, શયતાને બનાવેલી લાગે છે !
સ્વામી વિવેકાનંદને જે સવાલ જાગ્યો એ સવાલ આજે પણ લાખો જુવાનોને જાગે છે, પણ સ્વામી વિવેકાનંદ તો એક અવતારકાર્યના આત્મા હતા. એવું ભાગ્ય તો દરેકનું કે કોઈ પણ એકનું હોઈ ન શકે, પણ હરેક માણસ જેને એવું લાગે કે ઈશ્વર છે છતાં સંસારમાં આટલી પીડા અને અન્યાય કેમ ? તો તેણે સ્વામી વિવેકાનંદની વાત સમજવા જેવી છે. સ્વામી વિવેકાનંદે કાલી માતા પાસે પોતાના માટે કશું માગ્યું નહીં – ત્રણ વાર દર્શન થયાં, પોતાની માતા અને ભાઈઓ માટે વધુ કંઈ નહીં તો દાળરોટીનું સુખ માગવાનું મન તેમને થયું હતું, પણ તે આવું માગી શક્યા નહીં. આટલી ક્ષુદ્ર માગણી અને તે જગતની માતા પાસે કરવાની ? એક વાર તો તેમણે રામકૃષ્ણ પરમહંસને વિનંતી કરી – ‘મા પાસે મારા માટે કંઈક માગોને !’
રામકૃષ્ણ પરમહંસે કહ્યું : ‘નરેન, તું જાતે માગી લે ને માને તું જાણે છે. મા તને જાણે છે.’ પણ સ્વામી વિવેકાનંદે પોતાની દુ:ખી માતા કે ભાંડુઓ માટે કંઈ માગ્યું નહીં. સ્વામી વિવેકાનંદનો સંદેશો એ છે કે નિર્બળતા છોડો અને દરેક માણસને પેટ છે તે ખરું હોવા છતાં માત્ર પેટના ગુલામ ન બનો. ઈશ્વરને માત્ર મૂર્તિમાં ન જુઓ – મૂર્તિમાં ઈશ્વર છે અને જીવતાજાગતા માણસમાં ઈશ્વર નથી ? ઈશ્વર તો સર્વત્ર છે – દરેક માણસ ઈશ્વરનો જ અંશ છે અને ઈશ્વરની સાચી ભક્તિ તે માણસની સેવા છે. દુ:ખી માણસને સાંત્વન અને સહાય આપવા તમે જ ઈશ્વરના દૂત બનો. આ આખું વિશ્વ – સમગ્ર બ્રહ્માંડ – ઈશ્વરનો જ આવિષ્કાર છે. ઈશ્વર ક્યાંય જુદો કોઈક રાજમહેલમાં સંતાઈને બેઠેલો મનસ્વી શાસક નથી.
સ્વામી વિવેકાનંદ માનવીની કરુણામાં પણ ઈશ્વરની કરુણા જુએ છે અને એમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર અને ચમત્કાર બંને જુએ છે. સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કહે છે કે માણસ જો માણસનું દુ:ખ સમજે, તેને મદદ કરે તો આ પૃથ્વી પરથી ઘણાંબધાં દુ:ખો અદૃશ્ય થઈ જાય. આથી ઊલટું, આપણે જોઈએ છીએ કે માણસો ઈશ્વરનું નામ લઈને માણસને પીડા આપે છે, જુલમ કરે છે, રાજાનું નામ આગળ કરીને અત્યાચાર કરતા રાજાના કારભારીની જેમ.

Friday, February 15, 2013

Hair-Raising Bicycle Descent



Race winner Brendan Fairclough's hair-raising descent through the narrow streets of Taxco in Mexico.


Thursday, February 14, 2013

સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ

[ આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.]

સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે નથી ઊંચે જોતા. આપણે આપણી જાત સાથેનો સંબંધ પણ કેટલો બટકણો છે. કોઈ દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત મેળવીને આપણે કદીય આપણી જાત સાથે વાત કરવાનો મોકો મેળવ્યો છે ખરો ?
માણસ જન્મે છે ત્યારથી એની ઈચ્છા હોય કે ન હોય એ સંબંધોની માયાજાળમાં ફસાયો છે. પ્રત્યેક સંબંધ સુવર્ણમૃગ છે. જો જાત સાથે સંબંધ કેળવીએ તો એ સંબંધ કસ્તૂરીમૃગ થાય. કસ્તૂરીમૃગની પાસે પોતાની સુવાસ હોય છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો નથી પડતો. સંબંધની પારની પણ એક સૃષ્ટિ હોઈ શકે. જ્યારે બધા જ સંબંધો પોકળ અને પામર પુરવાર થાય અથવા ન થાય તો પણ માણસે ક્યારેક તો સંબંધની પાર જવું જોઈએ. શા માટે માણસોના સંબંધો વણસે છે ? આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે. એનો અર્થ એવો નથી કે માણસે શબ્દોથી લોકોને પંપાળવા. જ્યાં આપણા સત્યની જરૂર હોય ત્યાં જ વાત કરી શકાય. સત્ય કે આંસુઓ સસ્તાં ન કરી શકાય. કોઈના અહમને હાથે કરીને શું કામ હડફેટમાં લેવો ? ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.

આપણે મોટે ભાગે અભિપ્રાયો ઓકતા હોઈએ છીએ. આપણે જ્યારે અભિપ્રાય વ્યકત કરીએ છીએ ત્યારે આડકતરી રીતે એવું પુરવાર કરવા માગીએ છીએ કે આના કરતાં મને વધુ આવડે છે. કોઈનું પ્રવચન સાંભળીને તરત એમ કહી દેવું કે તારી વાતમાં કશો દમ ન’તો, એમાં સત્ય હોય તોપણ એને જુદી રીતે કહી શકાય. જ્યારે સામા માણસનું રિસીવિંગ સેન્ટર સાઉન્ડ હોય, એની ગ્રહણશક્તિ સતેજ હોય ત્યારે શાંતિથી એને કહી શકીએ કે એ દિવસે તારું જે પ્રવચન હતું એ જોઈએ એટલું જામ્યું નહીં. તો પેલી વ્યક્તિ પણ પોતે તે દિવસે પ્રવચનમાં કેમ ન જામી શકી એના વિશે વિચાર કરશે અને કદાચ પોતા પાસેથી સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશે. સાચું બોલવું ને સારું બોલવું એ એક કળા છે, પણ માણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું. મહેણાં-ટોણાં, વાતવાતમાં મોઢું ચઢાવવું, ત્રાગાં કરવાં, હવે તો તારી બાબતમાં નહીં જ બોલું એમ કહીને તોબરો ચઢાવવો – આ બધી સામી વ્યક્તિને યાતના આપવાની અનેક પદ્ધતિઓ છે.
લૂલા અને આંધળાની વાત તો જાણીતી છે, પણ રજનીશજીએ આ વાતને એક નવો વળાંક આપ્યો છે. આપણા તમામ સંબંધો લૂલા અને આંધળા જેવા છે. બંનેને એકમેકની જરૂરિયાત છે. બંને અંદરથી તો ભિખારી છે. લંગડા પાસે પગ નથી, આંધળા પાસે આંખ નથી. કમાઈ શકવાની તાકાત નથી અને એક જાપાની કહેવત કહે છે એ પ્રમાણે ભિખારીના ધંધામાં હંમેશાં નફો હોય છે. આ બંને ભિખારીએ ધંધામાં ભાગીદારી રાખી. આમ તો બંને વચ્ચે સમજણ હતી છતાં એક દિવસ ભીખના પૈસાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો. ભિખારી હોય કે ઉદ્યોગપતિ હોય છેવટે તો બધા સાથે રહે છે કે છૂટા પડે છે તે કેવળ પૈસાને કારણે. બંને એટલું ઝઘડ્યા કે મારપીટ પર પહોંચ્યા. બંનેને એકમેકની જરૂર તો હતી જ તોપણ બંને ખૂબ ઝઘડ્યા.
આ ઝઘડો જોઈને, (કોઈકે હમણાં કહ્યું’તું કે ઈશ્વરનો વિડિયો તો કાયમ ચાલે જ છે) સાંભળીને ઈશ્વરને દયા આવી. એ પોતે પ્રગટ થયા. એમને એમ કે આ બંનેનો આશીર્વાદ આપું અને એમને કહું કે તમને જે જોઈએ તે માગો, પણ આ ગઘડો ખતમ કરો. ભગવાનને એમ કે આંધળો આંખ માગશે, લંગડો પગ માગશે પણ એ લોકોએ જે માગ્યું એનાથી પરમાત્માને ભોંઠપ લાગી. એટલું જ નહીં, એમની આંખમાં પણ આંસુ આવી ગયાં. આંધળાએ કહ્યું કે મારે કશું જ જોઈતું નથી, પણ આ લંગડાને આંધળો કરી દો અને લંગડાએ ઈશ્વરને કહ્યું કે આ આંધળાને લંગડો કરી દો.
વેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે. માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ :
ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,
આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.

Wednesday, February 13, 2013

Car Acrobatics By Paulo Martinho


An impressive and unforgettable performance at the Braga Internacional Tuning Motor Show by Paulo Martinho, the pioneer of freestyle "car acrobatics" in Portugal.


Tuesday, February 12, 2013

મિસકૉલ મારવાની મજા– ગુણવંત શાહ


ભારતની બધી ભાષાઓના બધા શબ્દકોશમાં ન જડે એવો એક શબ્દ હવે લોકજીભે ચડી ચૂક્યો છે. બૉસ અને એના ડ્રાઈવરને જોડતો એ શબ્દ છે : ‘મિસકૉલ.’ મોબાઈલ ફોન વાપરનારા લોકોમાં ગરીબ લોકોનું પ્રમાણ ઓછું નથી. ઝૂંપડપટ્ટીમાં મોબાઈલ ફોન ધરાવનારા લોકોની સંખ્યા ઓછી નથી હોતી. ઘરની કામવાળી પણ પોતાના પતિને મિસકૉલ મારતી હોય છે. મિસકૉલની દુનિયા અનોખી છે.
ઈલેક્ટ્રોનિક સ્વર્ગના સ્વપ્નદ્રષ્ટા માર્શલ મેકલુહાને એક સૂત્ર વહેતું મૂકેલું : ‘મિડિયમ ઈઝ મૅસેજ.’ આ સૂત્રમાં મૅસેજ શબ્દ ખૂબ મહત્વનો છે. મૅસેજ એટલે સંદેશો. સંદેશો મોકલવાની અનેક રીત છે. જ્યાં જ્યાં પ્રત્યાયન કે કૉમ્પ્યુનિકેશન થાય ત્યાં સંદેશો એક નાકેથી બીજા નાકે પહોંચે છે. લેખક લખીને સંદેશા મોકલે છે. ચિત્રકાર ચિત્રકામ કરીને સંદેશા મોકલે છે. શિક્ષક વર્ગમાં ભણાવે ત્યારે સંદેશા મોકલતો હોય છે. વક્તા લાંબું પ્રવચન કરે, પણ કોઈ સમજે નહીં ત્યારે શું બને છે ? મૅસેજ રિસીવ થયો, પણ રજિસ્ટર ન થયો. આવું બને ત્યારે શ્રોતાઓ બગાસાં ખાય છે તોય વિદ્વાન વક્તા માઈક છોડતા નથી. સભામાં બગાસું ખાવું એ શ્રોતાનો સૌથી નિખાલસ અભિપ્રાય ગણાય. અભિનેતાનો અભિનય એ પણ કમ્યુનિકેશન છે. પત્ની ક્યારેક આંસુ દ્વારા પતિને સંદેશો પાઠવે છે. ચુંબન પણ કમ્યુનિકેશન છે. નૃત્ય પણ કમ્યુનિકેશન છે. લાલ આંખ કરવી એ પણ સંદેશો મોકલવાની જ એક રીત છે. બૉડી લૅંગ્વેજ પણ કમ્યુનિકેશન છે. આખી દુનિયા આવા અસંખ્ય કમ્યુનિકેશન પર નભેલી છે. અરે ! સંગીત પણ કમ્યુનિકેશનનો જ એક પ્રકાર છે.
મોબાઈલ ફોન શબ્દો પહોંચાડે છે. એ શબ્દ બોલવાથી-સાંભળવાથી પહોંચે છે અને વળી એસએમએસ દ્વારા પણ પહોંચે છે. માનવીનો ઉદય થયો ત્યારથી એ સ્વજનોને અને શત્રુઓને સંદેશો (મૅસેજ) પહોંચાડતો રહ્યો છે. સદીઓ સુધી એણે ઉદ્દગાર દ્વારા કામ ચલાવ્યું. ધીમે ધીમે ઉદ્દગારમાંથી બોલીનો જન્મ થયો. બોલીમાંથી ભાષા પેદા થઈ. ભાષા જન્મી પછી સદીઓ વીતી ગઈ ત્યારે વ્યાકરણનો જન્મ થયો. માણસ ન બોલીને પણ સામા માણસને સંદેશો પહોંચાડી શકે છે. પત્ની ક્યારેક રિસાઈ જઈને એવો સંદેશ પહોંચાડે છે, જે એની વાણી પણ ન પહોંચાડી શકે. સંસ્કૃતમાં ઉક્તિ છે : ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનમ શિષ્યસ્તુ છિન્નસંશય: | ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે, જે શિષ્યના સંશયને દૂર કરે છે. માંદા બાળકના શરીરે માતા હાથ ફેરવે ત્યારે એ બોલ્યા વિના ઘણુંબધું કહી દેતી હોય છે.

આફ્રિકાના દેશોમાં ચોરી થાય એમાં મોબાઈલ ફોનની ચોરી મોખરે છે. આફ્રિકાના જંગલમાં મોબાઈલ ફોનને કારણે આવેલી કમ્યુનિકેશન-ક્રાંતિ અદ્દભુત છે. ચોરેલા મોબાઈલ પરથી જંગલમાં રહેતો આદિવાસી અન્ય આદિવાસી મિત્રે ચોરેલા મોબાઈલ પર વાત કરે તે એક રોમાન્ટિક અનુભવ ગણાય. માઈલોનું અંતર ખરી પડે છે. સમય થંભી જાય છે. ક્યારેક બે ‘મળેલા જીવ’ વચ્ચે મુગ્ધતાનું મેઘધનુષ રચાય છે. જૂની ફિલ્મનું ગીત યાદ છે ?
મેરે પિયા ગયે રંગૂન
વહાં સે કિયા હૈ ટેલિફૂન
તુમ્હારી યાદ સતાતી હૈ,
જિયામેં આગ લગાતી હૈ !
મિસકૉલની શોધ કોણે કરી ? ગરીબને પણ મોબાઈલ ફોન ગમી ગયો છે, પરંતુ વારંવાર ફોન કરવાનો વૈભવ એને પોસાય એમ નથી. પરિણામે એણે સામેવાળાને મિસકૉલ દ્વારા સંદેશો આપવાની એક એવી યુક્તિ શોધી કાઢી, જેને કારણે વગર ખર્ચે સંદેશ પહોંચાડી શકાય. બે મિત્ર એક જ કારમાં રોજ સવારે સ્વિમિંગ પુલ પર જાય છે. બહુમાળી મકાન પાસે પહોંચીને પંદરમે માળે રહેતા મિત્રને મિસકૉલ મારે ત્યારે ફોન પર ઘંટડી કે કૉલરટ્યૂન વાગે પછી બટન દબાવીને ફોન કટ કરવામાં આવે છે. એક પણ પૈસાના ખર્ચ વિના સંદેશ પહોંચી જાય છે : ‘હું નીચે તારી રાહ જોઈને ઊભો છું. તું આવી જા.’ આ ટૅકનિક કેટલા મોટા પ્રમાણમાં વપરાય છે એનો ખ્યાલ આવે એ માટે ગરીબ હોવું જરૂરી છે, ફરજિયાત નથી. માલદાર માણસ પાર્ટીમાં જાય છે. એનો ડ્રાઈવર જ્યાં જગ્યા મળે ત્યાં થોડે છેટે ગાડી પાર્ક કરે છે. પાર્ટી પૂરી થાય ત્યારે ડ્રાઈવરને મિસકૉલ દ્વારા ખબર આપવામાં આવે છે : ‘હું પ્રવેશદ્વાર પાસે ઊભો છું, તું ત્યાં આવી પહોંચ.’
આવી રીતે ફોનના બિલને સખણું રાખવામાં કોઈ અપ્રમાણિકતા નથી. મુંબઈથી વિમાનમાં દિલ્હી પહોંચીને કોઈ ધનપતિ પત્નીને મિસકૉલ દ્વારા એટલો સંદેશો પાઠવી દે છે કે પોતે દિલ્હી પહોંચી ગયો છે. મિસકૉલ મારવાની મજા માણનારા લોકોની બુદ્ધિ અત્યંત તીવ્ર હોય છે. હજૂરને અને મજૂરને, શેઠિયાને અને વેઠિયાને તથા ઠાકરને અને ચાકરને જોડતો સેતુ મિસકૉલ છે. મનુષ્ય પ્રાર્થના કરે તે પણ એક પ્રકારનો મિસકૉલ છે, કારણ કે ઈશ્વર ફોન રિસીવ ન કરે તોય મૅસેજ પહોંચી જાય છે. કવિ દલપતરામ ડાહ્યાભાઈ (ક.દ.ડા.)એ ભગવાનને મિસકૉલ માર્યો હતો તેમાં નીચેની પંક્તિઓ મોકલી હતી. પ્રાર્થનારૂપે લખાયેલી પંક્તિઓ તા. 27મી ફેબ્રુઆરી, 1872ને દિવસે જન્મી હતી. પંક્તિઓ સાંભળો :
ભક્તોનાં દુઃખ ભાંગવાં, તે છે તારી ટેવ
સહાયતા કરી આ સમે, દુઃખ હરનારા દેવ.

Monday, February 11, 2013

People Are Awesome 2013

Dan Rice of Hadouken returns with ‘People Are Awesome 2013', a sequel to his 2011 viral hit.


Sunday, February 10, 2013

ભીખારી અને ભીખારીવૃત્તી–સખા બોરડ

જેટલા ભીખારીઓ આપણા દેશમાં છે તેટલા દુનીયાના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ આપણી વીપુલ જનસંખ્યા માનવામાં આવે છે. પરન્તુ અસલ કારણ તો આપણા દેશની ધાર્મીક અને આર્થીક પરીસ્થીતી છે કે જે માત્ર ભીખારીઓની સંખ્યા જ વધારતી નથી; પણ તેને પ્રોત્સાહન પણ આપે છે. વસતી ચીનની પણ વધુ છે; પણ ત્યાં ભીખ માંગવા પર પ્રતીબંધ છે.
આપણે ત્યાં ઘણા પ્રાચીન સમયથી વર્ણવ્યવસ્થા ચાલી આવે છે. આ વ્યવસ્થા પ્રમાણે સમાજને ચાર વર્ગોમાં વહેંચી દેવામાં આવ્યો. આ વર્ગો એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર. ક્ષત્રીય રાજ્યનો કારભાર સંભાળે, યુદ્ધ કરે અને લોકોના જાનમાલનું રક્ષણ કરે. વૈશ્ય વેપાર અને અર્થવ્યવસ્થા સંભાળે અને શુદ્ર અન્ય વર્ગોની સેવા કરે. હવે બાકી રહ્યો બ્રાહ્મણ; અને એ બ્રાહ્મણે જ ભીક્ષાવૃત્તીનું બીજારોપણ કર્યું છે. આમ તો એમને બૌદ્ધીક અને માનસીક કામ સોંપાયાં, જેમાં શારીરીક મહેનત અને પરીશ્રમ ઓછામાં ઓછો હોય.
સમાજ એ યુગની જરુરતને અનુરુપ રીતે ચાલે એવો જ એનો પ્રારમ્ભીક ઉદ્દેશ હશે; કારણ કે ત્યારે સમાજ આટલો વીકસીત નહોતો. આજની ગતી અને આજની ઝડપ પણ ત્યારે નહોતાં. લોકોનો જીવનવ્યવહાર સાંકડી મર્યાદાઓ વચ્ચે ચાલતો હતો. પરન્તુ જેમને બૌદ્ધીક અને માનસીક કામ સોંપાયું એ લોકો જ નીયામક હતા તેથી સાથેસાથે જ એવી વ્યવસ્થા ગોઠવવામાં લાગી ગયા, જેનાથી એમની (મફતનું લેવાની) વૃત્તીને પણ પ્રતીષ્ડા મળે. ધર્મ અને નીતીમત્તા પણ આ જ વર્ગના ભેજાની નીપજ છે.
મોક્ષપ્રાપ્તી માટે દાન
ધાર્મીક કર્મકાંડો અને રીતરીવાજોની આડશમાં દાનદક્ષીણાની પરમ્પરા અહીંથી જ ઉતરી આવી છે. મફતમાં તો કોઈ કોઈને કંઈ પણ આપવા ઈચ્છતું નહીં હોય અને એટલા જ માટે કાલ્પનીક ભય પેદા કરવામાં આવ્યો અને અનેક જાતની લાલચો આપવામાં આવી. કહેવામાં આવ્યું કે અમુક વર્ગના(બ્રાહ્મણો–સાધુઓ) લોકોને જેટલું દાન આપશો તેનાથી અનેકગણું પરલોકમાં મળશે અથવા દાન દેવાથી પુણ્ય એકઠું થશે. જેનાથી મોક્ષની પ્રાપ્તી થશે. કેટલાકે ક્યારેક ક્યારેક વીરોધ કર્યો પણ ખરો; તો સત્તાધારીનો સાથ લઈને એ વીરોધ દબાવી દેવામાં આવ્યો.
આ વર્ગે જ્યારે જોયું કે અરે વાહ ! આવી કોરી કલ્પનાઓના આધાર પર તો સહેલાઈથી પેટ ભરી શકાય છે એટલું જ નહીં; પણ ધનસંચય પણ થઈ શકે છે ત્યારે એ લોકોએ એક ધંધાના રુપમાં એ વ્યવસ્થાને પ્રતીષ્ઠા અપાવી દીધી. ઠેકઠેકાણે ધર્મ(કર્મકાંડ)ની તરેહતરેહની દુકાનો ખુલવા માંડી અને ભીક્ષાની વૃત્તી ફુલવા–ફાલવા માંડી. ભારતનું વધુમાં વધુ શોષણ જો કોઈએ કર્યું હોય તો આ ધંધાના ધંધાદારીઓએ જ કર્યું છે અને આપણું જીવન આજે આટલું ભ્રષ્ટ થઈ ગયું છે તે પણ એ લોકોની ‘મહેરબાની’નું જ ફળ છે.
ભીખારીવેડા વધારવામાં ધાર્મીક શોષણ જેટલું જ આર્થીક શોષણ પણ જવાબદાર છે. ખાસ કરીને આધુનીક યુગમાં તો આ વૃત્તીમાં ધાર્મીક શોષણ ઓછું અને આર્થીક શોષણ વધુ છે.
આપણી આ ચર્ચામાં આપણે ભીખ માગનારાઓને ઉપલક વીચારે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. ૧. ધર્મના નામે ભીખ માંગનારા અને ૨. ગરીબીના કારણે ભીખ માંગનારા. લક્ષ બન્નેનું એક જ છે – કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારના શ્રમ વીના પોતાનું પેટ ભરવું; પરન્તુ બન્નેની રીતો અલગ લગ હોઈને બન્નેની કક્ષાઓ વચ્ચે ફરક દેખાય છે.
સાધુ–સંતોની જમાતનો જ દાખલો આપણે લઈએ. આ લોકો ભીખ માંગીને જ પોતાનું પેટ ભરે છે. પરન્તુ જ્યારે એમની ગણના ભારતના સાઠ–સીત્તેર લાખ ભીખ માગનારાઓમાં કરવામાં આવે છે ત્યારે એમને માઠું લાગે છે – અરે ભાઈ, તમે તો પોતે જ પોતાની જાતને ભીક્ષુ–ભીક્ષુક અથવા ભીખ્ખુ તરીકે ઓળખાવો છો.
પરન્તુ જ્યારે એમને સડકછાપ સાધારણ ભીખારીની તુલનામાં મુકવામાં આવે છે ત્યારે એમને નાનમ લાગે છે. ખોટા આદર્શોના ચકરાવામાં ફસાયેલા રહેવાને કારણે એ લોકો પોતાની ભીક્ષાવૃત્તીને પણ ઉચ્ચ આદર્શ માને છે અને એવી જ આશા રાખતા હોય છે કે લોકો એમની પુજા કરે.
ભીખની પદ્ધતીઓ
હકીકત તો એ છે કે આ જાતના ઉંચા દરજ્જાના ભીખારીઓ અને સડકો ઉપર હાથ લંબાવીને ભીખ માંગનારા ભીખારીઓ વચ્ચે કોઈ ફરક નથી.
એક ધર્માચાર્યને જ્યારે મેં આમ કહ્યું ત્યારે એ વીફર્યા અને બોલ્યા, ‘તમે અમારી ગણના એવા ભીખ માંગનારાઓમાં કરી જ કેમ શકો ? શું અમે બૌદ્ધીક અને માનસીક પરીશ્રમ નથી કરતા ? અમે તો લોકોને અધ:પતનમાંથી ઉપર ઉઠાવીએ છીએ, એમના આત્માને સન્માર્ગે વાળીએ છીએ અને એ રીતે માનવજાતનું કલ્યાણ કરીએ છીએ. આ શું એક મહાન કાર્ય નથી ? શું એમાં અમને મહેનત નથી પડતી ?’
મારો સ્પષ્ટ જવાબ હતો, ‘ના. તમારું કાર્ય મહાન નથી અને એમાં કોઈ જાતની મહેનત પણ નથી. વ્યર્થ વાણીવીલાસને પરીશ્રમ કહેવાય નહીં. સંસારત્યાગનું નાટક પણ તમે મહેનત અને પરીશ્રમથી બચવા માટે જ કરો છો. તમારા ઉપદેશોથી સમાજને કે દેશને કોઈ ફાયદો થતો/થયો નથી. એ તો પેટ ભરવા માટેનું એક તીકડમ્ જ છે. તમારી નૈતીકતાની પણ કોઈ કીંમત નથી. કેમ કે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મની જે કલ્પનાને કેન્દ્રમાં રાખીને એનો ઉદ્ભવ કરવામાં આવ્યો છે તે કલ્પના પોતે જ તથ્યહીન, નીરાધાર, અવૈજ્ઞાનીક અને અસત્ય છે. આ જાતનાં છળ–કપટથી કરવામાં આવતી મહેનતને મહેનત કહેવાય જ નહીં; એ તો એક જાતનું શોષણ જ છે. દીલ અને દીમાગનું શોષણ, વ્યક્તીનું અને સમાજનું શોષણ’
ઘડીભર માની લઈએ કે એ લોકો જે કંઈ કરી રહ્યા છે તેનાથી લોકકલ્યાણ સધાઈ રહ્યું છે; તો પણ એનાથી ભીક્ષાવૃત્તીનું ઔચીત્ય તો સીદ્ધ નથી જ થતું. તમે ચોરી એટલા માટે કરો કે ચોરીથી મેળવાયેલા માલથી કોઈક અભાવગ્રસ્ત વ્યક્તીને મદદ કરી શકાય, તો તેથી કંઈ ચોરીનું કામ નૈતીક બની જતું નથી. એથી ભીક્ષાવૃત્તીનું સ્તર ભલે ગમે તેવું હોય; પણ એ અનીષ્ટ જ છે. સાધન ને સાધ્ય – બન્નેની શ્રેષ્ઠતામાં જ કાર્યની નૈતીકતા છે.
 કેટલાક લોકો ગૃહસ્થના વેશે પણ એ ધંધો કરતા હોય છે. પંડીતો, કથાકારો અને પુજાપાઠ કરતા – કરાવતા લોકોને પણ દાનદક્ષીણાના રુપમાં સારી દાનપ્રાપ્તી થતી હોય છે.
દેશના વીભાજન પછી એક બે પ્રાંતોમાં નીરાશ્રીત બનીને જુદી જાતની ભીખ માંગનારા પણ ઉપર તરી આવ્યા હતા. સરકારી સહાય માંગતાં–માંગતાં એ લોકોની મહેનત કરવાની મનોવૃત્તી ખતમ થઈ ગઈ છે અને આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ એ લોકો અહીંતહીં ભટકીને હાથ લંબાવતા નજરે ચડે છે.
દાનનું વરવું રુપ
ભીખમંગાઓની સંખ્યામા થઈ રહેલી અવીરત વૃદ્ધીનું એક મહત્ત્વનું કારણ આપણી દાનપરમ્પરા છે. એક જમાનામાં દાનનું મહત્ત્વ ભલે સ્વીકારાયું; પણ આજે એનું જે રુપ જોવા મળે છે તેમાં તો ભીખારીવૃત્તીને જ પોષણ મળી રહ્યું છે અને મનુષ્યત્વનું અપમાન થઈ રહ્યું છે. જેમ કે રોટલીઓ વેચવાવાળાની દુકાનેથી રોટલીઓ ખરીદીને દાનીઓ ભીખારીઓમાં વહેંચે છે. આવી કાચીપાકી રોટલીઓ માટે સેંકડો ભીખારીઓ ત્યાં લાઈન લગાવે છે. એવી એક એક રોટલી માટે એ લોકો વચ્ચે જે ઝપાઝપી, મારામારી અને ગાળાગાળી થતાં હોય છે તે જોઈને કોઈ પણ સંસ્કારી માણસનું – સંસ્કારી સમાજનું માથું શરમથી ઝુકી જાય. પરન્તુ દાન આપનારો ‘દાની’ એના માટે સંતોષ અને ગૌરવની લાગણી અનુભવતો હોય છે. એ જ પ્રમાણે ગ્રહણ ટાણે ભીખમંગાઓની ભીડ ઠેરઠેર જોઈ શકાય છે.
ઘણી વખત વીદેશી યાત્રીકો અને પત્રકારો આવા ભીખારીઓની તસવીરો પાડીને લઈ જતા હોય છે. કોઈકવાર આપણા દેશવાસીઓ આવી તસવીરો લેનારનો વીરોધ કરતા હોય છે. પણ એ રીતે શું આપણે એ કડવા સત્ય પર પડદો પાડી શકીશું ?
ભીક્ષા શું ધર્મસંગત છે ?
ભીક્ષાવૃત્તીને આપણે ધાર્મીક દરજ્જો આપી રાખ્યો છે. દાન ભીક્ષાના મહીમાથી આપણા પ્રાચીન ગ્રંથો ભર્યા પડ્યા છે. ધાર્મીક સંસ્કૃતીનો તકાદો છે કે ભીખ આપી આપીને પુણ્યનું ભાથું બંધાતું રહે અને મોક્ષદ્વારે પોતાની જગ્યા સુરક્ષીત થઈ જાય.
ધાર્મીક સંસ્કૃતીની આ કેવી વીચીત્ર બાજુ છે ! પુરવાર નહીં થયેલાં અને પ્રામાણીત પણ નહીં થયેલાં, આત્મા–પરમાત્માનાં મુલ્યો માટે આપણે લાખો લોકોને ગરીબી અને દારીદ્રના અભીશાપથી મુક્ત થવા દેવા નથી માગતા ! સામે ભીખ પામનારો પણ આ વીચારને ચીટકેલો એટલા માટે રહે છે કે ચાલો, વગર મહેનતે, હાથ–પગ હલાવ્યા વીના જ ખાવાપીવાની સમસ્યા તો હલ થઈ જાય છે !
ભીખારીવૃત્તીથી છુટકારો મેળવવા માટે આપણી આર્થીક વ્યવસ્થામાં તો પરીવર્તન કરવું જ પડશે; પણ એનીય પહેલાં જરુરી એ છે કે આપણે અવૈજ્ઞાનીક અને જુનવાણી માન્યતાઓને જડમુળથી ઉખેડીને ફેંકી દઈએ અને એ અનીષ્ટને પોષનારા વર્ગને ખતમ જ કરી નાખીએ.
– સખા બોરડ
અક્ષરાંકન: ગોવીંદ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Saturday, February 9, 2013

Largest Glacier Break-Up Ever Filmed - Size Of Manhattan

Chasing Ice" has been nominated for an Academy Award.

Friday, February 8, 2013

કમુરતાંને બાયપાસ કરી શકાય ?–વર્ષા પાઠક

દર વરસે લગભગ 14-15 ડીસેમ્બરથી શરુ થઈને મકરસક્રાન્તી સુધીનો સમયગાળો કમુરતાંનો ગણાય છે. એમાં સારાં કામ ન કરાય, લગ્ન તો નહીં જ નહીં, એવું મનાય છે.
આવતે વરસે ધામધુમથી લગ્ન કરવા માટે થનગની રહેલાં એક કપલને મેં સહજભાવે સજેશન કર્યું કે આ મહીનામાં મેરેજ હૉલથી માંડીને કેટરીંગ સર્વીસવાળાના ભાવ ઓછા હશે, તો અત્યારે પરણી જાવ ને, બધું સસ્તામાં પતી જશે. અપેક્ષા મુજબ સામેવાળા ભડક્યા. કમુરતાંમાં લગ્ન કરાય ?
ચાલો સોરી ભાઈ, કમુરતાંમાં લગ્ન ન કરાય; પણ પછી સમુરતાં (આવો કોઈ શબ્દ છે ?) એટલે કે સારા મુહુર્ત, બહુ મહેનતથી શોધ્યા બાદ પણ એ જ સમયે ખરેખર લગ્ન કરવાના છો ? લગ્નની કંકોતરીમાં લખ્યું હોય, હસ્તમેળાપનો શુભ સમય: બપોરે 2.35 કલાકે; પણ સાચું કહેજો : એવું કેટલી વાર બનતું જોયું છે કે બરાબર બે ને પાત્રીસના ટકોરે કન્યાનો હાથ કુમારના હાથમાં મુકાયો હોય ? અમે, અડધો ડઝન વડીલો – પંડીતોને ભેગા કરીને ઝીણવટભેર છોકરા–છોકરીની જન્મપત્રીકાઓ જોઈને લગ્નનું મુહુર્ત કઢાવ્યું હોય; પણ લગ્નનો દીવસ ઉગે કે આખુંય ટાઈમટેબલ તડકે મુકાઈ જાય. હસ્તમેળાપનો સમય સવારે દસ વાગ્યાનો હોય; પણ સાડા અગીયાર વાગે ત્યાં સુધી કન્યાને એના રુમમાં બ્યુટી પાર્લરવાળી બહેન મેકઅપ કરતી હોય, જાનૈયાઓ દુર દુર રસ્તા પર નાચી રહ્યા હોય અને ગોરમહારાજ નીરાન્તે ગલોફામાં પાન જમાવીને છાપું વાચતાં બેઠા હોય, એવાં અનેક લગ્નો મેં જોયાં છે, માણ્યાં છે (તમે પણ સાંભળ્યું – જોયું કે કર્યું હશે).
કહેવાનો અર્થ એ કે સમયની ઐસીતૈસી જ કરવી હોય તો શુભ–અશુભ મુહુર્ત જોવાની માથાકુટમાં પડવું જ શું કામ ? આની સામે એવું કહી શકાય કે ઘડીયાળ નહીં; પણ કેલેન્ડર સામે તો આપણે જોઈએ છીએ ! લગ્ન માટે સારો દીવસ હોય, એટલે પત્યું ! બેના ચાર વાગે તો વાંધો નહીં.
પરન્તુ આવું આશ્વાસન લેવું હોય તો પછી દીવસનાં ચોઘડીયાંને શુભ, લાભ, ચલ, સામાન્ય વગેરે વગેરે ગણાવતાં કેલેન્ડર અને પંચાંગને ફાડીને ફેંકી દેવાં જોઈએ. આપણી મરજી પડે એ મુહુર્ત ! અને આમેય સારું મુહુર્ત, એ સફળ લગ્નજીવનની ગેરન્ટી આપતું હોય તો આપણે ત્યાં બધાં પતી–પત્ની સુખી હોત અને છુટાછેડા જેવો શબ્દ જ આપણા શબ્દકોશમાંથી નીકળી ગયો હોત.
હવે આ કમુરતાં શબ્દ આવ્યો ક્યાંથી, એ કોઈને ખબર છે ?
આપણી જુની પરમ્પરાઓ પાછળનાં કારણો સમજાવતી એક પુસ્તીકામાં મેં હમણાં વાચ્યું કે ખેડુતો માટે આ સમય બહુ વ્યસ્તતાનો હોય છે. ખેતરમાં કાપણી થાય, એ બજારમાં વેચવા જાય, સ્ત્રીઓ અનાજની સાફસુફીમાં વ્યસ્ત હોય, એટલે આવા સમયે લોકોને લગ્ન જેવા મોટા, મહત્ત્વના પ્રસંગો ગોઠવવાનું પરવડે નહીં, એટલે પછી એને કમુરતાં ઠરાવી  દેવાયાં (મહેરબાની કરીને નોંધ લેવી કે આ સંશોધન મારું નથી. જાણકારે લખેલી વાત મેં માત્ર દોહરાવી છે.)
પરન્તુ માની લો કે આ વાત સાચી હોય તો કમુરતાં માત્ર ખેડુતોને અને અનાજના વેપાર સાથે સંકળાયેલા લોકોને લાગુ પડવાં જોઈએ. એરહોસ્ટેસ તરીકે કામ કરતી છોકરીને કે આઈટી કંપનીમાં નોકરી કરતા છોકરાને ખેતરમાં વાવણી–કાપણીના સમય સાથે શું લાગેવળગે ?
અલબત્ત, જ્યોતીષશાસ્ત્રના પંડીતો, આસ્થાળુઓ કમુરતાંના આ અર્થઘટનનો સખત વીરોધ કરીને આસમાનમાં ફરતા ગ્રહોની સારી–નરસી અસરની વાત કરશે. અહીં જોવાનું એ કે જે ખરેખર ગ્રહોનો અભ્યાસ કરે છે, એ ખગોળશાસ્ત્રીઓને કોઈ ગ્રહ કે તારા અશુભ કે બદમાશ નથી લાગતા. મુમ્બઈસ્થીત નહેરુ પ્લેનેટોરીયમના ભુતપુર્વ ડીરેક્ટર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવળે વર્ષો પહેલાં એમની સુપરકુલ સ્ટાઈલમાં મને કહેલું કે મંગળથી શું ડરવાનું ? એ ગ્રહ તો એટલો નીરુપદ્રવી છે કે પકડીને પાણીની બાલદીમાં નાખો તો શાંતીથી તર્યા કરે ! પરન્તુ આપણે ત્યાં મંગળને નામે કેટલાય છોકરા–છોકરીઓ હેરાન થાય છે અને ‘ગ્રહશાન્તી’ને નામે પૈસાના ધુમાડા થાય છે. જાણે કોઈ એસ.એસ.સી. નાપાસ ગોરમહારાજ, જે સંસ્કૃત શ્લોકોનું સરખું ઉચ્ચારણ પણ ન કરી શકતો હોય એ ધરતી પર બેઠાં બેઠાં આસમાનમાં ફરતા ગ્રહોને કાબુમાં લાવી શકતો હોય !
અમુકતમુક રીવાજો, કર્મકાંડની પાછળ પ્રાચીન વીજ્ઞાનના સીદ્ધાન્તો છે. આ વાક્ય મેં આજ સુધીમાં લાખેક વાર તો સાંભળ્યું હશે; પરન્તુ ખરેખર જેમને વીજ્ઞાનમાં શ્રદ્ધા છે કમસે કમ થોડી ઘણી જાણકારી છે એ તો જાણતા હશે કે છેલ્લાં પચાસ–સો વર્ષમાં કેટલા નવા ગ્રહોની શોધ થઈ છે ! તો પછી એમાંથી કોઈ આપણને નડતો નહીં હોય ? આપણને હેરાન કરવાનો ઈજારો, પેલા જુના ને જાણીતા નવ જ ગ્રહોએ લીધો છે ? નવા શોધાયેલા ગ્રહ સારા ને નીરુપદ્રવી હોય તો જુના કેમ વાતે વાતે અશાંત થઈ જતા હશે ? અને ઘણા લોકો હજીય પૃથ્વીને સપાટ જ માને છે, એમના પર ગ્રહોની અસર થોડા જુદા એંગલથી થતી હશે ? અને આસમાનમાં પણ પ્રદેશવાદ, કોમવાદ ચાલતો હશે ? જે ગ્રહ ભારતના હીન્દુને નડતો હોય અમેરીકાના ખ્રીસ્તીને કેમ છોડી દેતો હશે ?
અલબત્ત, આટલાં વર્ષોમાં એ પણ જોયું છે કે આપણી પ્રજા ભલે આ જ્યોતીષશાસ્ત્ર, શુભ–અશુભ ચોઘડીયામાં માનતી હોય; પણ બીજી તરફ બહુ પ્રેકટીકલ પણ છે. દાખલા તરીકે, કમુરતામાં નવાં ઘર, કાર, ઘરેણાંની ખરીદી ન કરાય; પણ આ સમયગાળામાં હેવી ડીસ્કાઉન્ટ મળતું હોય એ કેમ છોડાય ? એટલે વચલો રસ્તો નીકળે. વસ્તુ પસંદ કરીને, થોડી એડવાન્સ રકમ ચુકવીને બુકીંગ કરાવી લો. કમુરતાં પતી ગયા બાદ એની ફીઝીકલ ડીલીવરી લેવાની. એડવાન્સ બુકીંગ કે પાર્ટ પેમેન્ટ જેવાં કાર્યો શુભ નહીં ગણાતાં હોય. કમુરતામાં સોનું ભલે ન ખરીદાય; પણ શાકભાજી ને સાકર ખરીદવાની છુટ રખાઈ છે.
આ પ્રેકટીકલ એપ્રોચ લગ્નને લાગુ ન પાડી શકે ? હમણાં મેરેજ હૉલ સહેલાઈથી મળી જાય છે તો મહેંદી, મ્યુઝીક પ્રોગ્રામ, જમણવાર વગેરે બધી પ્રાથમીક વીધીઓ પતાવી નાખવી. આમેય ત્યાં ચોઘડીયાં નથી નડતાં. માત્ર અગ્ની ફરતે ચોથો (કે સાતમો) ફેરો બાકી રાખવો, જે કમુરતાં ઉતરી ગયા બાદ ઘરમેળે ફરી લેવાય. આ વાંચીને મને મુર્ખ કહેતાં પહેલાં દસ વાર વીચાર કરજો. ગ્રહદશામાંથી બચવા માટે તમે કોઈ વાર, ક્યાંય પણ નાની સરખીય ગોલમાલ નથી કરી ? એક જમાનામાં કહેવાતું કે બુધવારે ભાઈ–બહેન છુટાં પડે તો અપશુકન થાય; પણ બુધવારની ટ્રેન કે પ્લેનની ટીકીટ આવી ગઈ હોય તો શું કરવું ? એટલે પછી જેણે નીકળવાનું હોય એ ભાઈ કે બહેન મંગળવારે પોતાનું એકાદ શર્ટ કે સાડી, ઘરની બહાર (કે પાડોશમાં) મુકી આવે. ભાઈ–બહેન, મંગળ–બુધ ગ્રહ અને બધાંય સુખી(રાજીના રેડ) !
અને છેલ્લે એટલું કહો કે શુભ મુહુર્ત જોઈને શરુ કરેલાં તમારાં બધાં કામકાજ સફળ જ નીવડ્યાં છે ?

–વર્ષા પાઠક
અક્ષરાંકન: ગોવિંદ મારૂ  
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર


Thursday, February 7, 2013

Highway System Of The Future Glows In The Dark

The highway system of the future in the Netherlands glows in the dark and has induction lanes to recharge electric cars.
 A futuristic highway that can save energy and improve road safety is set to be installed in the Netherlands by mid-2013. Two companies, Studio Roosegaarde and Heijmans Infrastructure, came up with the highway, which includes: glow-in-the-dark road markings painted with photo-luminescent paint which are charged during the day and light up during the night; temperature-responsive paint which indicates slippery roads when temperatures fall below zero; and interactive lights along the highway that light up as cars approach. Wind lights that light up using the draft produced by cars and priority induction lanes that can recharge electric cars as they run along them also feature. The luminous road markings and weather indicating roads will debut in the Dutch province of Brabant in the middle of next year. The wind powered and interactive lights along with the induction lanes are also planned to go into service in the next years.


Wednesday, February 6, 2013

દુઃખનાં કારણો – મોરારિબાપુ


[ મોરારિબાપુની 300 ઉપરાંત રામકથાઓ તેમજ પ્રવચનોમાંથી પ્રેરણાત્મક વિચારોના સંચયનાં પાંચ પુસ્તકોની શ્રેણી પૈકીના એક પુસ્તકમાંથી અગાઉ આપણે થોડું આચમન કર્યું હતું. આજે આ શ્રેણીના અન્ય એક પુસ્તક ‘આનંદ રાહ બતાવે રામાયણ’ માંથી એક પ્રકરણ માણીએ.]
માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ તેને દુઃખી કરે છે. જો તમે દિલ પથ્થર જેવું રાખશો તો બીજાની તમારા તરફ ફેંકેલી ચિનગારી તેને સળગાવી નહિ શકે અને તમે દુઃખી નહીં થાવ. પણ જો તમારું દિલ ઘાસથી ભરેલું હશે તો તમારા તરફ બીજાની ફેંકેલી ચિનગારી ભડકો જ કરશે તેમાં શંકા નથી. જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી નથી કરી શકતો અને જેને દુઃખી નથી જ થવું તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતો.
મારે ત્રણ વાત કહેવી છે.
[1] આપણે સુખ સ્વરૂપ છીએ છતાંય દુઃખી થઈએ છીએ. એનું કારણ છે આપણી ઈર્ષ્યા અને દ્વેષ.
[2] બીજું, લોભ પ્રકૃતિ. લોભને કારણે આપણા મનમાં આવતી લુચ્ચાઈ.
[3] જેનો રોટલો ખાતા હોઈએ એને દગો દેવાની વૃત્તિ.
આવું જીવો. પછી ભલેને દુનિયા તમને થ્રી ઈડિયટ કહે ! એની ચિંતા કરશો નહીં, અમુક દુઃખો આપણે જ ઉપજાવ્યા છે. પરમતત્વ પૂરેપૂરો આપણાં હૃદયમાં બિરાજમાન હોય છતાંય આપણે દુઃખી કેમ છીએ એ જેને સમજાય તેના હાથમાં સુખી થવાની કુંચી આવી જાય અને દુઃખી થવું મુશ્કેલ થઈ જાય. થોડી મૂઢતા ને અહંકાર મૂકીએ તો આપણાં જીવનમાં સુંદર રજવાડું પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિને વિવેકથી સવળી કરવાના પ્રયત્નો કરો તો દુઃખી થવું અઘરું છે. જો કે સુખી થવાની સમજણ મેળવતા પહેલા દુઃખનાં કારણો સમજી લેવા પડશે. જીવ દુઃખી કેમ છે ? એ બહુ મોટો પ્રશ્ન છે. જીવતાં આવડે તો દુઃખી થવું અઘરું છે, સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો સ્વભાવ છે. આનંદ આપણો સ્વભાવ છે પરંતુ આપણે દુઃખી થઈએ છીએ એનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

[1] કાળ :
ઘણીવાર કાળ આપણને દુઃખ આપે; જેમ કે શિયાળામાં બહુ ઠંડી પડે. માણસ કાળ પરિવર્તન કરી શકતો નથી. પણ જીવન પદ્ધતિમાં પરિવર્તન કરી શકે છે. બહુ ઠંડી પડે તો ધાબળો ઓઢો અને ગરમી હોય તો એનો ઉપાય કરાય. પણ સ્વભાવ માણસને દુઃખી કરે છે. આપણા દુઃખનું એક કારણ તો કાળ છે. ભગવાન કૃષ્ણે એને દુઃખાલય કહી દીધું. આ દુઃખનું આલય છે, આમાં તમે ગમે તેટલા ફાંફા મારો, દુઃખ જ રહેવાનું. કાળથી દુઃખ આવે, ધરતીકંપ થાય ને દુઃખ આવે, એમાં આપણે શું કરવાનું ? પંખાનું બટન ફેરવ્યું ને ધરતીકંપ થયો એવું થોડું છે ? કાળજનિત દુઃખ છે. અતિવૃષ્ટિ થઈ, કાળજનિત દુઃખ છે. અનાવૃષ્ટિ થઈ, કાળ દ્વારા કોઈ રોગ એક સાથે ફેલાઈ જાય, આખી દુનિયામાં દુકાળ પડે, એ બધું કાળ આધારિત છે. એમાં આપણું કંઈ ન ચાલે, તો આવા કાળ આધારિત દુઃખ માટે માણસે અફસોસ નહિ કરવો જોઈએ. હરિ ભજતાં ભજતાં એને સહીએ. એના માટે એમ કહીએ કે આમ કેમ ? એ ખોટી અજ્ઞાનતા છે.

[2] કર્મ :
બીજું દુઃખ કર્મ આધારે છે. આપણે જેવું કર્મ કરીએ એવું ફળ મળે. હવે કેટલાંક કર્મો એવાં છે કે આપણને યાદ હોય કે આ જન્મમાં આવાં કોઈ કર્મો કર્યાં નથી, છતાંયે દુઃખ મળે, તો એનો અર્થ એ છે કે જન્મજન્મનાં કર્મો પડ્યાં છે, એનું ફળ આવે છે, એમાંયે આપણું કંઈ ચાલે એમ નથી, કોઈ કર્મના ફળ હશે એ ભોગવીએ છીએ.

[3] ગુણ :
દુઃખનું ત્રીજું કારણ છે ગુણ – જે વસ્તુની બનાવટ જ ભેળસેળવાળી હોય, એ વસ્તુ સુખ આપી શકે નહિ. ‘बिधि प्रपंच गुन अवगुन साना’ (1-6/4) સાના એટલે માટીમાં જે પાણી ભળી જાય, પછી એના પિંડામાંથી માટલું બનાવો, જે ઘાટ ઘડવો હોય તે ઘડાય. જેમ માટી અને પાણી ભળી શકે, સાનાનો અર્થ થાય છે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. આ બ્રહ્માની સૃષ્ટિ જ ભેળસેળવાળી છે અને મૂળમાંથી જ જે ભેળસેળ હોય, એ આપણને સુખ શું આપી શકે ? ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણ ઉપર આધાર રાખે છે. પિત્તળના વાસણમાં છાશ રાખીએ તો તે કટાઈ જાય. આ મૂળ ધાતુ જન્ય ગુણ છે. ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણના લીધે ઉત્પન્ન થયેલ દુઃખ છે. સત, રજો અને તમો આ ત્રણ મૂળ ધાતુ ગુણ છે. સારા સગવડવાળા પલંગમાં ઊંઘ આવે એ તમોગુણ યોગ્ય છે, પણ કથા શ્રવણમાં ઊંઘ આવે તો તે તમોગુણ યોગ્ય નથી. રજોગુણ હોય તો જ આપણે પ્રવૃત્તિ કરીએ. કામના સમયે રજોગુણ યોગ્ય છે પણ ઊંઘવાના સમયે જો રજોગુણ આવે તો ઊંઘ ન આવે. આ દુઃખ છે. પૂજાપાઠ સમયે સતોગુણ ઉપયોગી પણ જો આ સમયે જો રજોગુણ કે તમોગુણ આવે તો તે યોગ્ય નથી. આમ રજો, તમો અને સતગુણ જો તેના યોગ્ય સ્થાને હોય તો તે યોગ્ય જ છે પરંતુ ભેળસેળ થાય એમાંથી દુઃખ જન્મે.

[4] સ્વભાવ :
દુઃખનું જે ચોથું કારણ છે, તે આપણા કાબૂની વસ્તુ છે. અને આપણે એમાં ફેરફાર કરી શકીએ. તુલસીદાસજી દુઃખનું ચોથું કારણ કહે છે સ્વભાવ. સ્વભાવ દ્વારા જે દુઃખ ઊભું થાય, એ આપણા હાથની વાત છે. એમાં આપણે ફેરફાર કરી શકીએ. ઘણાં માણસો એવા હોય છે કે દુઃખ હોય તોયે સ્વભાવને લીધે સુખ બનાવી દે. ઘણાં એવા હોય કે બધી રીતે સુખ હોય, પણ સ્વભાવને લીધે દુઃખ બનાવી દે. એને તમે શું કરો ? બધી રીતનું સુખ હોય, શાંતિ હોય, કોઈ રીતનું દુઃખ ન હોય તોયે બબડતાં હોય કે….મરી ગયાં… આમ થઈ ગયું… તેમ થઈ ગયું…. તો હવે આવા દુઃખનો જવાબદાર તો એ જ છે, બીજો કોઈ હોઈ શકે જ નહિ. સ્વભાવગત છે. આમાં કોઈ દેશ, ભાષા, સંપ્રદાય ન કારણ બની શકે, પણ સ્વભાવ દ્વારા દુઃખ ઉત્પન્ન થાય, એ આપણા કાબૂની વાત છે. ઘણાં માણસો દુઃખી હોઈ, એકલા હોય તો વાંધો નહિ. આપણી સાથે રહી આપણા પર ઢોળી નાંખે, દુઃખ વહેંચતો જાય. આ સ્વભાવનું કારણ છે.

[5] પ્રભાવ :
બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુઃખ જન્મે છે. બીજાના પ્રભાવનું આપણને દુઃખ હોય છે અને એમાંય સમક્ષેત્રમાં તો બહુ જ. એક ગાયક હોય ને, બીજો પણ ગાયક હોય. એમાં એક ગાયક કરતાં બીજા ગાયકનો પ્રભાવ શ્રોતાવર્ગ ઉપર વધારે થાય તો પેલાને દુઃખ થાય. બીજાનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં દુઃખ જન્માવે. આ માણસ આટલો પ્રભાવશાળી ? આ માણસ આટલો મહિમાવંત ? જ્યાં જાય ત્યાં એનો પ્રભાવ પડે. ગમે ત્યાં જાય એનો હોકો પડે એ આપણાંથી સહન નથી થતું. આ દુનિયા બહુ સમજુ છે. મેં જોયું છે ઘણી વખત દીકરાનો પ્રભાવ બાપાથી સહન નથી થતો કે મારો દીકરો આટલો મહાન થયો. એનો પોતાનો બાપ સહન નથી કરી શકતો. પતિનો પ્રભાવ પત્ની સહન ન કરી શકે કે પતિની જ વાહ વાહ થાય એ પત્નીથી સહન ન થાય. કોઈક ઘરમાં પત્નીનો એટલો બધો પ્રભાવ હોય તો પતિ સહન ન કરી શકે. બીજાનો પ્રભાવ જોઈને થતી જલન, દ્વેષ, ઈર્ષ્યા એ આપણા દુઃખનું કારણ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આવું બને. ઘર, કુટુંબ, સમાજ, વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં વ્યક્તિ બીજાનો પ્રભાવ સહન કરી શકતો નથી. કોઈની સહેજ પ્રશંસા થાય કે ઈર્ષાથી સળગી ઊઠે. આમ, પ્રભાવ સહન ન થવો તે આપણાં દુઃખનું કારણ બને છે.

[6] અભાવ :
દુઃખનું અન્ય એક કારણ છે અભાવ. અમારી પાસે આ વસ્તુ નથી. કપડાં નથી, રોટી નથી, મકાન નથી, ઉત્સવ હોય ત્યારે અમે ફરી શકતાં નથી. અમે અમારા છોકરાંને બરાબર ભણાવી શકતાં નથી. કોઈ બીમાર પડે તો દવા, અમુક વસ્તુઓનો અભાવ એ દુઃખનું કારણ છે. એની પાસે છે એટલું અમારી પાસે હોત તો અમે આમ કરત, તેમ કરત. અભાવ, પણ મારી દષ્ટિએ બધા પ્રાથમિક સૂત્રો છે. બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે. અભાવ દુઃખ આપે. સમયનો અભાવ દુઃખ આપે, પૈસાનો અભાવ દુઃખ આપે, કોઈ પણ અભાવ દુઃખ આપે.

[7] નિભાવ :
નિભાવ પણ દુઃખનું એક કારણ છે. નિભાવ નથી થતો. અમે આટલી ભલાઈ કરીએ છીએ પણ અમારી ભલાઈની કોઈ અસર થતી નથી. સમયનો નિભાવ થતો નથી, સંબંધનો નિર્વાહ નથી થતો. અમે આટલો સંબંધ રાખ્યો પણ સામાવાળા બસ સંબંધને નિભાવતા જ નથી. આ નિભાવમાંથી દુઃખ જન્મે. નિભાવ નથી થતો. પતિ-પત્ની, ભાઈ-ભાઈ આ બધા વચ્ચે જેટલાં દ્વંદ્વો દેખાય છે તેનું કારણ છે નિભાવ. લોકો કહે ભાઈ અમારે ઘણું કરવું પણ સમય નથી મળતો, સમય નિભાવી શકતાં નથી, સંસ્કારોનો નિર્વાહ કરી શકતાં નથી.

[8] કામના :
ઈચ્છાઓનાં અનંતપણાથી દુઃખોનો જન્મ થાય છે. ઈચ્છા સદા સગર્ભા હોય છે. યોગીઓમાં પણ ઈચ્છા હોય છે, પણ તેનું સર્ગભાપણું દૂર કરી તેનો ગર્ભપાત કરાવી નાખે છે. ઈચ્છામુક્ત થઈ જાય છે. નિરપેક્ષ અને અનપેક્ષ થઈ જાય છે. બાકી ઈચ્છા તો દુઃખને જ જન્મ આપે છે. ખરેખર, જેટલી ઈચ્છા વધારે કરો, પછી રામ વનવાસ જઈને જ રહેશે. સુખ મેળવવાની ચાહના જ દુઃખ આપે છે. સુખ મેળવવા માટે જ દુઃખ પેદા થાય છે. સુખના પ્રયત્નો કરવા જતાં જ દુઃખ આવે છે. અતિત દુઃખ આપે છે, ભવિષ્ય ચિંતા ઉપજાવે છે જ્યારે વર્તમાન જ માણસને વ્યવહારુ બનાવે છે. એક સત્યને ભૂલવું નહીં કે સુખનો અતિરેક અંતે દુઃખમાં જ પરિણમે છે. દૂધપાકનો એક પ્યાલો પીએ તો સુખ મળે. બે-ત્રણ પીએ તો પણ સુખ મળે, પણ જો દસ-બાર પ્યાલા પીએ તો કદાચ બીમાર પણ પડી જઈએ. જીવનનું પણ આવું જ છે. સુખની અનંતકામનામાંથી દુઃખનો જન્મ થાય છે.

[9] ભૂલ :
ભૂલના કારણે દુઃખ આવે છે. ભૂલના કારણે જે દુઃખ આવે છે, તે ભૂલ મટવાથી સમાપ્ત થઈ જાય છે. તમે વ્યપારી છો. હિસાબમાં ભૂલ થાય છે, તો તમે દુઃખી થઈ જાવ છો. આ દુઃખનું નિવારણ ફિલ્મ, સંગીત કે કથા નથી. ત્યારે ટીવી ચાલુ હશે તો પણ સુખ નહીં મળે. પણ મુનિમજી આવીને ભૂલ બતાવશે કે સુધારી દેશે, તો તરત તમે સુખી થઈ જશો. કહેશો-ટીવી ઓન કરો. હિસાબ બરાબર થઈ ગયો. તમે સુખી થઈ ગયા. આપણા જીવનના મોટા ભાગનાં દુઃખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુઃખો ટકાઉ નથી. ભૂલ સુધરી. દુઃખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું ફળ સત્ય બોલો તો દુઃખ ગયું. દુઃખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુઃખ ગયું. આ પાકું સૂત્ર છે. આ બધાં સૂત્રો નિંભાડામાંથી નીકળેલ પાકી ઈંટો છે. તેનાથી તો પ્રસાદ (ભવન) બની શકે છે.

[10] ભય :
તમે જાણો છો કે આ કરવા જેવું નથી, છતાં તમો કરો છો તેથી તમને દુઃખ થાય છે. શું બધા નથી જાણતા કે ખરાબ નજર કરવી બરાબર નથી ? છતાં બધા કરે છે. સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુઃખ ઉત્પન્ન કરે છે. અધર્મ દ્વારા જે ધન ઉપાર્જન કરો છો તો ધન ભય જ આપશે. તમારી દષ્ટિમાં તે સુખ હોઈ શકે, પણ ભય તો કરશે જ. ટ્રેનમાં જે ટિકિટ જોવા આવે છે, તે જો કોઈ પાસેથી વધારાના કે ખોટા પૈસા લેશે તો તે ભયભીત રહેશે. પણ કુલીને કોઈ ભય નહીં હોય. પૈસા વધારે લેવાવાળો અધર્મ કરે છે, તો સૂક્ષ્મ ભય તેના પાછળ હોવાનો જ. ચેન નહીં મળે. અધર્મના આશ્રયથી કરેલ ભોગ બે વસ્તુ આપશે : રોગ અને અપયશ. અધર્મની છાયામાં ધર્મ પણ કરશો, તો તે પણ વિનાશ જ કરશે. અધર્મના આશ્રયથી આવેલ ધન તમે પુણ્યમાં લગાવશો, છતાં હિસાબ પૂરો નહીં થાય. તે આપણામાં જડતા, વિકાર, અનિત્યના વગેરે ગરબડો પણ ઊભી કરશે. આપણે દષ્ટા નથી. જે દ્રષ્ટા બને છે તેમનું દુઃખ સમાપ્ત થઈ જાય છે.

Tuesday, February 5, 2013

Amazing Moments of 2012


Some amazing, awesome and funny moments of 2012..



Monday, February 4, 2013

Death



    

Native : Juna Ghantila
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Ambalal Harjivan Lodaria
Age : 82 Years
Date of Death : 30-01-2013
Wife  : Nirmalaben
Sons : Divyesh, Dharmesh, Tushar
Daughters-in-Law: Smita, Bina, Kalpana
Brothers : Late Nimchand, Late Kashalchand, Late Maganlal, Late Pranjivan
Sisters : Late Shantaben,Late Shivkunvar Ujamshi Khandor
Father-in-Law : Late Umedchand Devchand Sheth 

May His Soul rest in eternal peace

જુના ઘાંટીલા (હાલ ઘાટકોપર) અંબાલાલ હરજીવન શાહ (લોદરિયા) (ઉં. વ. ૮૨) બુધવાર, ૩૦-૧-૧૩ના અરિહંતશરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ, તે દિવ્યેશ, ધર્મેશ, તુષારના પિતાશ્રી, તે સ્મિતા, બીના, કલ્પનાના સસરા, તે સ્વ. નીમચંદ, સ્વ. કસલચંદ, સ્વ. મગનલાલ, સ્વ. પ્રાણજીવનના સ્વ. શાંતાબેન, સ્વ. શિવકુંવર ઉજમશી ખંડોરના ભાઈ, સ્વ. શેઠ ઉમેદચંદ દેવચંદના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, ૪-૨-૧૩ના ૧૦ થી ૧૧-૩૦. ઠે: ઘાટકોપર જોલી જીમખાના, કિરોલ રોડ, ફાતિમા સ્કૂલની સામે, ઘાટકોપર (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.

Death

 

    

Native :Morbi
Currently At : Dadar, Mumbai
Name of the deceased :Balwantray Chandulal Mehta
Age : 82 Years
Date of Death : 30-01-2013
Wife  : Kalavantiben
Sons : Late Ramesh, Bharat, Bhupendra,Rajesh
Daughter-in-Law: Jyotiben
Daughters  : Arunaben Rameshbhai Sanghavi, Rekhaben Ajitkumar Mehta
Brothers : Late Vrujlal, Late Vinodray 
Sister : Late Chandanben Sukhlal Sanghavi
Father-in-Law : Late Shivlal Hemchand Shah

May His Soul rest in eternal peace


મોરબી હાલ મુંબઈ બળવંતરાય ચંદુલાલ મહેતા (ઉં. વ. ૮૨) ૩૦-૧-૧૩ના અરિહંતશરણ પામેલ છે. કળાવંતીબેનના પતિ. સ્વ. રમેશ, ભરત, ભૂપેન્દ્ર, રાજેશ, અરૂણાબેન રમેશભાઈ સંઘવી, રેખાબેન અજીતકુમાર મહેતાના પિતાશ્રી. જ્યોતિબેનના સસરા. વૃજલાલ, વિનોદરાય, સ્વ. ચંદનબેન સુખલાલ સંઘવીના ભાઈ. સાસરા પક્ષે શિવલાલ હેમચંદ શાહના જમાઈ. ભાવયાત્રા શુક્રવારે સવારે ૯.૩૦ વાગે, ૧-૨-૧૩ના. ચામડી, ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં,

વીજ્ઞાનની રુપેરી કોર પાછળ છુપાયું છે અન્ધશ્રદ્ધાનું અંધારું-નગીનદાસ સંઘવી

        યુરી ગાગારીનથી શરુ થયેલી અવકાશયાત્રા અને આર્મસ્ટ્રૉંગની ચન્દ્ર સફર પછી વીજ્ઞાનના પ્રભાવે માનવીના જ્ઞાન અને અવકાશી સમ્બન્ધોના સીમાડા સતત વીસ્તરતા જાય છે. હવે તો ભારત અને ચીન જેવા એશીયાઈ દેશો પણ આ અવકાશી ઉપાસનામાં જોડાયા છે. વીશ્વના સ્વરુપ અને તેની પ્રક્રીયાઓ અંગેના જ્ઞાનમાં સતત ઉમેરા થઈ રહ્યા છે. અણુથી પણ નાના કણને નજરોનજર નીહાળવા માટે વરસોની જહેમત અને અબજો રુપીયાનો ખર્ચ પણ લેખે લાગ્યો છે. વીશ્વને સમજવાની આ મથામણમાં સત્યેન બોઝ અને અશોક સેન જેવા ભારતીય ભૌતીકશાસ્ત્રીઓએ પોતાનો ફાળો નોંધાવ્યો છે. સોળ કરોડ રુપીયાનું રુસી પારીતોષીક મેળવનાર અશોક સેનનો સીદ્ધાન્ત હજુ પ્રયોગશાળામાં પુરવાર થયો નથી; પણ ગાણીતીક સમીકરણોની ગેડ બરાબર બેસી જાય છે.
       આવા શુદ્ધ વીજ્ઞાનના વહેવારુ ઉપયોગમાં ઘણો સમય લાગી જાય છે. અવકાશી યાત્રા માટે વપરાયેલ કેટલાંક ઉપકરણો આમજનતા પણ ઓછાં–વધતાં પ્રમાણમાં અથવા બદલાયેલાં સ્વરુપે વાપરી શકે છે; પણ વીશ્વના સ્વરુપ કે આદી બંધારણના જ્ઞાનનો વહેવારુ ઉપયોગ સીધી રીતે કરી શકાતો નથી.
       જગદીશચન્દ્ર બોઝ, રામાનુજન, સર સી. વી. રામન, સત્યેન બોઝ, હરગોવીન્દ ખુરાના, અશોક સેન જેવા વીશ્વ વીખ્યાત વીજ્ઞાનશાસ્ત્રીઓ ભારતીય સમાજમાં છે, પણ ભારતીય સમાજમાં વીજ્ઞાન અથવા વૈજ્ઞાનીક અભીગમનો લગભગ સમ્પુર્ણ અભાવ છે. આમજનતા હજુ આજે પણ વહેમો, ચમત્કારો અને જાતજાતની ચીત્રવીચીત્ર માન્યતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. શીતળાનો રોગ દુનીયામાંથી લગભગ નાબુદ થઈ ગયો છે; પણ શીતળા માતાની પુજા કે શીતળા સાતમને આપણે પડતી મુકતા નથી. ઉલટું વીજ્ઞાનનાં સાધનો આવી અવૈજ્ઞાનીક માન્યતાઓના સમર્થનમાં અને ફેલાવા માટે વાપરવામાં આવે છે. અત્યાધુનીક તંત્રજ્ઞાન અને ઉપકરણોના વીનીયોગથી છપાતાં અને વપરાતાં અખબારો અને ટેલીવીઝન, મોબાઈલ ફોન કે કમ્પ્યુટરો પણ જુનવાણી અને ભયાનક વહેમોને મજબુત બનાવવામાં વપરાયાં છે. ટેલીવીઝન ભુતકથાઓને લોકપ્રીય બનાવે છે અને કમ્પ્યુટરો કુંડળીઓ બનાવવા માટે વપરાય છે.
    અભણ અથવા અર્ધજ્ઞાની બાવા–સાધુઓ–મહન્તો–સ્વામીઓ–ગુરુઓ અન્ધશ્રદ્ધા નીવારણના કામમાં સૌથી મોટાં વીધ્નરુપ બની ગયાં છે. તેમાં એક સૌથી હાસ્યાસ્પદ સંસ્થા પાલીતાણામાં કાર્યરત છે. ખગોળના જુના ગ્રંથોને વળગી બેઠેલા આ સંસ્થાના સંશોધકો વીજ્ઞાનશાસ્ત્રીઓને ‘લુચ્ચા અને લબાડ’ ઠરાવવાની કડાકુટ કરતા રહે છે. નીલ આર્મસ્ટ્રૉંગની ચન્દ્રયાત્રા સમ્પુર્ણત: બનાવટી છે અને ચન્દ્ર સુધી કોઈ પહોંચ્યું જ નથી તેવું છાતી ઠોકીને જણાવવામાં આવે છે. આધુનીક ખગોળશાસ્ત્ર અનુસાર પૃથ્વી ગોળ છે અને સુર્યની ફરતે ઘુમે છે અને પોતાની ધરી પર પણ ઘુમે છે તેવો સર્વ સ્વીકાર્ય મત પણ તેમને માન્ય નથી. આ મતને સાબીત કરી આપનાર વ્યક્તીને કરોડ રુપીયાનું ઈના આપવાની જાહેરાતો વારમ્વાર થાય છે; પણ આવી ચકાસણી કદી કરવામાં આવતી નથી અને ઈનામ કદી કોઈને અપાયું નથી. સુરતની ‘સત્ય શોધક સભા’ના પુર્વપ્રમુખ અને રૅશનાલીસ્ટ ડૉ. બી. એ પરીખસાહેબે આધુનીક સીદ્ધાન્ત સાચો પુરવાર કરવા માટેની ચેલેન્જ ઉપાડી લીધી; પણ આ બાબતમાં તેમણે લખેલા બે રજીસ્ટર્ડ પત્રોમાંના મુદ્દાઓ વીશે કશો ઉત્તર અપાયો નથી, તેવું તેમણે જાતે આ લખનારને કહ્યું છે. (બન્ને પત્રોની પીડીએફ લેખના અંતે મુકવામાં આવી છે.)
       ભારતીય નાગરીકો માટે વૈજ્ઞાનીક અભીગમ કેળવવાની ફરજ બન્ધારણમાં આમેજ કરવામાં આવી છે; પણ તેનો અમલ થાય તો આવી સંસ્થાઓ બન્ધ કરવી પડે. પણ, બન્ધારણ રુઢીચુસ્ત ધર્મગુરુઓ સામે કામીયાબ બની શકતું નથી. આ બાબતમાં ચીન આપણા કરતાં વધારે નસીબવાન અને પ્રગતીશીલ છે. ચીની વીજ્ઞાનશાસ્ત્રીઓનાં નામ આપણે જાણતા નથી, તે આપણું અજ્ઞાન દર્શાવે છે. ચીન માત્ર આર્થીક વીકાસની દોડમાં આપણાથી આગળ છે તેવું માની લેવાનું કારણ નથી. લંડનમાં ચાલી રહેલા ઓલીમ્પીક રમતોત્સવમાં ચીની ખેલાડીઓ અનેક ક્ષેત્રમાં સૌથી પહેલા નંબરે ઉભા છે અને સૌથી વધારે ચન્દ્રકો જીતે છે.
       જગતની પ્રાચીન સંસ્કૃતીમાં યવન સંસ્કૃતી બૌદ્ધીક ક્ષેત્રે અને રમતગમતના ક્ષેત્રે પણ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતી છે. આજનાં વીજ્ઞાનશાસ્ત્રોમાં વપરાતા અગણીત શબ્દો ગ્રીક ભાષાના છે. આ રમતોત્સવને ઓલીમ્પીક કહેવાય છે; કારણ કે ગ્રીકોનાં સર્વોચ્ચ દેવ ઝીયસ(Zeus)ના મુખ્ય મન્દીરની ટેકરી ઓલીમ્પીકની તળેટીમાં આ ઉત્સવની શરુઆત થઈ. આપણે આ કક્ષાએ પહોંચવું હશે તો બધાં ક્ષેત્રોમાં અને હરેક ક્ષણે વીજ્ઞાનશાસ્ત્ર પ્રમાણે ચાલીને દરેક જાતની અન્ધશ્રદ્ધાનો સમુળગો ઉચ્છેદ કરવો પડશે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર