Friday, May 31, 2013

Samaj Utkarsh Volume No 583 April 2013



To read Pages 1 to 8 of Samaj Utkarsh click here

To read Pages 9 to 16  of Samaj Utkarsh click here

To read Pages 17 to 24 of Samaj Utkarsh click here

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

હાસ્યોદગાર ! – સંકલિત



સર : ‘ચંદ્રગુપ્ત મૌર્યા કોણ હતા ?’
વિદ્યાર્થી : ‘સર, ગણપતિ બાપ્પા મૌર્યા ના ભાઈ હશે !’
******
સેમસંગે પહેલાં ‘એસ-ટુ’ મોડલ બહાર પાડ્યું, પછી ‘એસ-થ્રી’ અને હવે ‘એસ-ફોર’.
લાલુયાદવ કહે છે : ‘અગર હમ રેલવે મંત્રી હોતા તો સેમસંગ પે કોપીરાઈટ કા કેસ કર દેતા ! હમરે સારે સ્લીપર કોચ કા નામ ચૂરાતે હૈ…..’
******
તખુભા નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા ગયા.
‘મે આઈ કમ ઈન ?’
ઑફિસર : ‘વેઈટ પ્લીઝ…’
તખુભા : ’76 કિલો 500 ગ્રામ. શું સાહેબ, જોખી જોખીને નોકરી દેવા બેઠા છો ?’
******
કાઉન્સેલર : ‘દરેક લગ્ન એક “વર્કશોપ” હોય છે !’
પતિ : ‘હા, પતિ ‘વર્ક’માં વ્યસ્ત રહે છે, ‘શૉપ’માં.’
******

છગન : ‘આજે તો અમિતાભ બચ્ચના ઘરે ફોન લાગી ગયો.’
મગન : ‘હોય કાંઈ તમેય શું ફેંકાફેંક કરો છો !’
છગન : ‘ના, ના ઐશ્વર્યાએ જ કહ્યું- “તમારો ફોન પ્રતિક્ષામાં છે, કૃપા કરી ચાલુ રાખો !’
******
કવિ : ‘સૂતેલી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો તારી યાદ મોકલ, હસતી હોય તો ખુશી મોકલ, રડતી હોય તો આંસુ મોકલ….’
પ્રેમિકા : ‘વાસણ ધોઉં છું, એંઠવાડ મોકલું ?’
******
કારગિલ યુદ્ધમાં લડાઈ લડનારો એક જવાન પોતાના ગામડાની સ્કૂલમાં ગયો. સ્કૂલના પ્રિન્સીપાલ સન્તાએ છોકરાઓ આગળ એની ઓળખાણ આપતાં કહ્યું :
‘ઈન સે મિલિયે, યે હૈ કારગિલ યુદ્ધ કે શહીદ !’
******
પત્ની : ‘તને તો કહેતા હતા કે લગ્ન પછી હું તને ડબલ પ્રેમ કરીશ ! તો હવે કેમ નથી કરતા ?’
પતિ : ‘મને થોડી ખબર હતી કે લગ્ન તારી જોડે જ થશે !’
******
શરાબી : ‘સોચ રહા હું શરાબ છોડ દૂં.’
દૂસરા શરાબી : ‘તો છોડ દે ના !’
શરાબી : ‘મગર કિસ કે પાસ છોડું ? મેરે સારે દોસ્ત પિયક્કડ હૈ !’
******
ભગવાન (નર્કમાં જોઈને) : ‘અહીં તો બધા જલસા કરે છે ! એમને ત્રાસ કેમ નથી થતો ?’
યમરાજ : ‘ભગવાન, એ બધા હોસ્ટેલવાળા છે. મારા બેટા ગમે ત્યાં સેટ થઈ જાય છે !’
******
ભિખારી : ‘માજી, ખાવા માટે રોટલી આપોને.’
માજી : ‘હમણાં તૈયાર નથી. પછી આવજે.’
ભિખારી : ‘ઠીક છે, થઈ જાય એટલે મને મોબાઈલ પર મિસકોલ મારજો.’
માજી : ‘અરે મિસ કોલ શું કામ ? રોટલી બની જાય એટલે ફેસબુક પર અપલોડ કરી દઈશ !’
******
કવિ : ‘દોસ્ત, એવી ચા પીવડાવ કે રોમે રોમે દીવા થઈ જાય !’
ચાવાળો : ‘સાહેબ, ચામાં દૂધ નાખું કે તેલ ?’
******
યુવાન : ‘કેટલાં વર્ષ થયાં તને ?’
યુવતી : ‘વીસ વર્ષ.’
યુવાન : ‘અરે પાંચ વર્ષ પહેલાં પણ તેં વીસ જ કહ્યાં હતાં !’
યુવતી : ‘પહેલેથી જ હું વચનની પાક્કી છું.’
******
સંતા 1લી એપ્રિલે બસમાં ચઢ્યો.
કન્ડકટરે ટિકિટ માગી. સંતાએ 10 રૂપિયા આપી ટિકિટ લીધી અને બોલ્યો : ‘એપ્રિલ ફૂલ. મારી પાસે બસનો પાસ છે.’
******
વાંદાને જોઈને પતિએ હાથમાં ઝાડુ લીધું. વાંદાને મારી નાખવા જતો હતો ત્યાં વાંદો બોલ્યો : ‘મારી નાખ મને મારી નાખ… કાયર, તને મારી ઈર્ષા આવે છે કારણ કે તારા કરતાં તારી પત્ની મારાથી વધુ ડરે છે.’

Birth Anniversary (31-05)


1 ) Doshi Sidhdharth Shailesh Indulal Manilal
2 ) Doshi Paresh Pritamlal
3 ) Mehta Heer Gaurav Deepak Narottamdas
4 ) Mehta Bhavin Ashok Shantilal
5 ) Vora Kaushal Jagdish Hematlal

Thursday, May 30, 2013

How To Live To Be 100


100-year-old Bel Kaufman teaches the younger generations about life and humor.


Birth Anniversary (30-05)


1 ) Lodaria Raksha Rajesh Kasalchand
2 ) Mehta Dipal Rajesh Pravinchandra
3 ) Shah Bhavin Anil Poonamchand
4 ) Shah Nisarg Sunil Jevatlal Sukhlal
5 ) Sheth Foram Deepak Jivanlal

Death



Native : Wankaner
Currently At : Bangalore
Name of the deceased : Kalpanaben Bipinbhai Sapani
Age : 70 Years

Date of Death : 29-05-2013 
Husband :Bipinbhai Vadilal Sapani
Son : Amit 
Daughter-in-Law :Bhavini 
Daughter : Bina Dharmesh Lodaria 
Brothers-in-Law : Pankajbhai, Rohitbhai
Sisters-in-Law (Derani) : Snehlata Pankajbhai, Ramila Rohitbhai
Sisters-in-Law (Nanand) : Kusumben Kayvantlal, Meenaben Shashikant, Jyotiben Kishorbhai 
Father : Ratilal Khodidas Parekh (Morbi)

May Her Soul rest in eternal peace



વાંકાનેર હાલ બેંગલોર કલ્પનાબેન બીપીનભાઇ સપાણી (ઉં. વ. ૭૦) તે બીપીનભાઇના પત્ની. અમીત, બીના ઘર્મેશભાઇ લોદરીઆના માતુશ્રી. પંકજભાઇ, રોહીતભાઇ, કુસુમબેન કયવંતલાલ, મીનાબેન શશીકાંત, જયોતીબેન કિશોરભાઇ, સ્મેહલતાબેન પંકજભાઇ, રમીલાબેન રોહીતભાઇના ભાભી. ભાવીનીના સાસુ. પિયર પક્ષે મોરબી નિવાસી પારેખ રતીલાલ ખોડીદાસની દીકરી ૨૯-૫-૧૩ને બુધવારના બેંગલોર મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧-૬-૧૩ને શનિવારના રાત્રે ૮ થી ૯ બેંગલોર રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે

Wednesday, May 29, 2013

શાણપણની સમજણ– સં. મહેશ દવે



જંગલો અને ડુંગરાઓના અંતરિયાળ પ્રદેશમાં એક ગામ હતું. ગામ એટલું ઊંડાણમાં હતું કે કોઈ મોટા શહેર કે નગર સાથે એને સંપર્ક નહોતો. ગામમાં નહોતી કોઈ શાળા કે નહોતી ભણવાની બીજી સગવડ. ગામની વસતિ સાવ અભણ હતી. પ્રાથમિક કક્ષાની ખેતી કરી લોકો અનાજ પકવતા અને પેટ ભરતા. અજ્ઞાનને કારણે પ્રજા અબુધ હતી અને તેમનામાં રાક્ષસ, ભૂત-પ્રેત જેવી ખોટી માન્યતાઓ પહેલેથી ચાલી આવી હતી.
એક દિવસ અચાનક ગામમાં એક ભણેલો માણસ આવી ચડ્યો. તેના આવ્યાના બીજા દિવસે તેણે અજબ દશ્ય જોયું ઘઉંના ખેતરમાંથી ઘઉં વાઢતા માણસોને એણે ભયભીત થઈ નાસતા જોયા. તેણે માણસોને રોક્યા અને પૂછયું : ‘તમે શા માટે નાસી રહ્યા છો ?’ ભાગનારામાંથી એક રોકાયો અને કહ્યું : ‘ખેતરમાં રાક્ષસ કે ભૂત જેવું કંઈક છે. તેનાથી બચવા અમે નાસી રહ્યા છીએ.’
ભણેલો માણસ રાક્ષસો કે ભૂતમાં વિશ્વાસ ધરાવતો નહોતો. એણે ઊભા રહેલા માણસને પૂછ્યું : ‘ક્યાં છે રાક્ષસ ? બતાવ મને.’ ખેતરના છેડે ઊભા રહી પેલા માણસે લીલા-કાળા રંગનો, જમીન પર પડેલો, મોટો દડા જેવો ગોળો બતાવ્યો. ભણેલો માણસ મનોમન હસી પડ્યો. એણે જોયું કે પેલો માણસ બતાવી રહ્યો હતો તે તો એક તરબૂચ હતું. ભણેલા માણસે કહ્યું, ‘આ રાક્ષસથી ડરશો નહીં. એનો હું વધ કરી નાખીશ. પછી તમે તમારું અનાજ લણવાનું કામ શાંતિથી કરી શકશો.’ આમ જણાવી તે માણસે ડીંટામાંથી તરબૂચ તોડી નાખ્યું. તેણે તરબૂચ કાપી તેની એક ચીરી ખાઈ બતાવી.

ગામલોકોને પહેલાં તો અચંબો થયો, પછી તેમને પેલા માણસ ઉપર શંકા-કુશંકા થઈ. તેમને લાગ્યું કે આ માણસ કોઈ રાક્ષસયોનિનો જ લાગે છે. તેથી જ તેણે નાના રાક્ષસનો વધ કરી તેનો ભક્ષ કર્યો છે. આથી ગામલોકોએ ભેગા મળી તે માણસને મારી નાખ્યો.
થોડા સમય પછી બીજો એક માણસ ગામમાં આવી ચડ્યો. એ ભણેલો હતો અને સાથે ગણેલો પણ હતો. લોકો ઘઉંના ખેતરમાં જતા નહોતા એ વિશેની વાત એણે જાણી. તરબૂચનાં બિયાંમાંથી ઊગેલાં બીજાં તરબૂચ પણ તેણે જોયાં. તે આખી વાત સમજી ગયો. તેણે એવું દેખાડ્યું કે ગામલોકો જેવો ડર એને પણ લાગ્યો છે. ગામમાં રહી ધીરે ધીરે એણે લોકોને શાકભાજી રોપતા, ફળ-ફૂલ ઉગાડતા અને બીજું નવું નવું શીખવ્યું. પછી તરબૂચ વિશે પણ સાચી માહિતી આપી. એ માણસ ગામલોકોનો આદર અને પ્રેમ મેળવી શક્યો.
સાચી માહિતી ધીમે ધીમે આપવી જોઈએ અને ગળે ઉતારવી જોઈએ. જ્ઞાન આપ્યા વગર એકાએક ચમત્કારનો ભાવ ઊભો કરવાથી સરવાળે નુકશાન થાય છે. માણસો સાથે ઘરોબો કેળવી શીખવો તો બહુમાન મળે છે.

 સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (29-05)



1 ) Doshi Yash Ashiq Dineshchandra Bhaichand
2 ) Lodaria Hitesh Ravichand
3 ) Mehta Kevin Kalpesh Shashikant Vanechand
4 ) Mehta Neha Kalpesh Jyotichandra
5 ) Mehta Hemanshu Vrajlal
6 ) Mehta Mayuri Urjit Jitendra
7 ) Parekh Heni Viral Gunvantray Vrajlal
8 ) Parekh Mihit Hitendra Chandulal
9 ) Parekh Pranav Shailendra Chandulal
10) Patel Divyesh Anantrai
11) Shah Jitendra Rasiklal
12) Sheth Ajit Chandrakant
13) Vora Nisha Paresh Gunvantray Hematlal
14) Vora Nikhil Jitendra Valamji
15) Mehta Parag Kirtikumar Avichal

Tuesday, May 28, 2013

Lucky People Compilation


These people are very lucky indeed.  A compilation of close calls and near misses.

 

Birth Anniversary (28-05)


1 ) Doshi Ila Pradip Chimanlal
2 ) Mehta Beena Chamanlal
3 ) Mehta Vaishali Deepak Narottamdas
4 ) Sanghavi Kalpita Chetan Lalit Pranjivan
5 ) Sanghavi Bhavesh Jayantilal

Monday, May 27, 2013

સાધુ – ડૉ. આઈ. કે. વીજળીવાળા


વર્ષો પહેલાં ગંગાજીના કાંઠે એક યુવાન સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આમ તો એ જિંદગીની વિટંબણાઓથી કંટાળ્યો હતો અને સ્વભાવે આળસુ હતો એટલે જ સાધુ બન્યો હતો. એક દિવસ એ ગંગાજીના કાંઠે આવેલી પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠો હતો ત્યારે એણે કાંઈક મોટી અને ચળકતી વસ્તુને ગંગાજીમાં તણાઈને જતા જોઈ. એ જોતાવેંત એણે ગંગાજીના પ્રવાહમાં ઝંપલાવી દીધું. પ્રવાહના જોર સામે ઝીંક ઝીલતો એ પેલી વસ્તુ સુધી પહોંચ્યો. જોયું તો એ ચળકતી વસ્તુ ચાંદીનું એક મોટું વાસણ હતું. એણે તો એ મોટું વાસણ છાતીસરસું ચાંપીને પાછા તરવાનું શરૂ કર્યું.
એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે ગંગાજીના પ્રવાહમાં એની ધારણા કરતા વધારે તાણ હતું. એને તકલીફ પડવા માંડી. એ સાધુ યુવાન જરૂર હતો, પરંતુ એક હાથે વાસણ પકડ્યું હતું એટલે હવે તરવા માટે પણ એક જ હાથ છુટ્ટો રહ્યો હતો. સાધુએ હતું તેટલું જોર લગાવીને તરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ એ કાંઠે આવવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ ગંગાજીનો પ્રવાહ એને વધારે ને વધારે અંદર ખેંચતો જતો હતો. અંતે જ્યારે એને એવું લાગ્યું કે બે હાથના પ્રયત્ન વિના હવે પોતાની જિંદગી બચાવવી અઘરી બની જશે ત્યારે એણે પેલા વાસણને છોડી દીધું. એ પછી પોતે તરતો તરતો કાંઠે પહોંચી ગયો. કાંઠે પહોંચ્યા પછી થાક ખાઈ લીધા પછી એણે ગંગાજીના પ્રવાહ તરફ નજર નાખી. પેલું મોટું વાસણ પાણીના પ્રવાહ જોડે દૂર જઈ રહ્યું હતું. એનાથી બોલી પડાયું કે, ‘મારું આટલું મોટું ચાંદીનું વાસણ તણાઈ ગયું.’
હવે આ બધું ચાલતું હતું ત્યારે એક વયોવૃદ્ધ સંત દૂર બેઠા બેઠા આ આખો ખેલ જોઈ રહ્યા હતા. એ પેલા યુવાન સાધુ પાસે આવ્યા. એના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ભાઈ ! એ ચાંદીનું વાસણ તો તણાતું તણાતું એના રસ્તે જઈ રહ્યું હતું. એને તારી સાથે કાંઈ લેવાદેવા હતી જ નહીં. એ તારું તો હતું પણ નહીં. એક તો તેં ગંગાજીના પ્રવાહની વચ્ચે જઈને એને પકડ્યું. પછી તારી જિંદગી બચાવવા માટે એને છોડી દીધું ! બસ, એટલી વારમાં એ તારું થઈ ગયું ? મારા ભાઈ, તારી પાસે જે વસ્તુને ઈશ્વરે મોકલી હોય તેનો આનંદ લે એ બરાબર, પરંતુ જે તારી પાસેથી જતું રહે એને પણ એટલા જ આનંદથી જવા દે ! આપણે એટલું જ યાદ રાખવાનું કે દુનિયાની દરેક વસ્તુ આપણને ભાડે મળેલી છે. એ ક્યારેય આપણી હતી જ નહીં, એટલે આવો શોક શા માટે ?’
આટલું કહીને એ વયોવૃદ્ધ સાધુ પોતાના રસ્તે ચાલતા થયા. પેલો યુવાન સાધુ કદાચ આજે પહેલી વખત સાધુત્વનો પહેલો અને ખૂબ અગત્યનો પાઠ ભણ્યો હતો. એ પણ હળવોફૂલ થઈને ગંગામૈયાના પ્રવાહને નિહાળી રહ્યો.

સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (27-05)


1 ) Doshi Abhay Jayesh Chimanlal
2 ) Lodaria Bhavik Rasiklal
3 ) Mehta Shivani Kalpesh Jyotichandra
4 ) Mehta Anantrai Durlabhji
5 ) Sanghavi Chhabildas Pranjivan
6 ) Shah Mahesh Manharlal
7 ) Sheth Sudha Mukesh Jevatlal
8 ) Vora Hemadri Pritesh Prafulchandra

Sunday, May 26, 2013

Juggling Comedian Michael Davis


His immaculate timing, combined with his rapport with the audience, makes this performance very special.


Birth Anniversary (26-05)


1 ) Doshi Hiten Navnitrai Chunilal
2 ) Mehta Viral Mahesh Chhotalal
3 ) Sanghavi Dimpy Narendra Chhaganlal
4 ) Shah Anantray Bhogilal
5 ) Trevadia Twinkle Suresh Ujamshi

Saturday, May 25, 2013

ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ



[ પુનઃપ્રકાશિત. ‘આવેગો અને લાગણીઓ’ પુસ્તકમાંથી સાભાર.]
મનુષ્યોના આવેગોને સમજવા જેવા છે. જેમ કે ભૂખતરસનો આવેગ. પ્રાણીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તેના શરીરની રચના એવી રીતે કરાઈ છે કે તેને સમય-સમય ઉપર અન્નજળ વગેરેની આવશ્યકતા પડે જ. મશીનમાં ઈંધણ ભરવું પડે. ઈંધણ વિના મશીન ચાલી ન શકે, પણ ઈંધણ ખૂટી ગયું હોય તો મશીનને ભૂખનો આવેગ નથી આવતો. એટલે તે જડ છે. એટલે તે સુખદુ:ખથી પર છે. પણ પ્રાણીઓને ભૂખ લાગે છે. જેમ જેમ ભૂખ વધતી જાય છે તેમ તેમ તેનો આવેગ પ્રબળ થતો જાય. જેમ જેમ આવેગ પ્રબળ બનતો જાય તેમ તેમ તે પોતાની જાત ઉપરથી કાબૂ ગુમાવતાં જાય. તેનાં વિનય, વિવેક, સમજણ વગેરે આવેગના વંટોળમાં ઊડી જાય. સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ આવેગની તાણમાં તણાઈ જાય. આ કુદરતી વ્યવસ્થા છે. પ્રાણીમાત્ર આ વ્યથાની પકડમાં પકડાયેલાં છે.
મહાભારતમાં યુદ્ધમેદાનમાં હણાયેલા પોતાના સો પુત્રોનાં શબ જોઈને વ્યાકુળ બનેલી ગાંધારી હૃદયફાટ રુદન કરી રહી છે. આ કરુણ દ્રશ્ય જોઈને અર્જુનને પીડા થાય છે. જરૂર ગાંધારી રડી રડીને મરી જશે તેવી ખાતરી થાય છે. પણ શ્રી કૃષ્ણ ગંભીર છે. તે કહે છે, ‘અર્જુન, મારી પ્રકૃતિને જો. પ્રાણી ઉપર પ્રકૃતિનું સામ્રાજ્ય છે, એટલે વિશ્વ ચાલે છે.’ થોડી જ વારમાં ગાંધારીને ભૂખ લાગે છે. ક્રમે ક્રમે ભૂખનો આવેગ વધતો જાય છે. અહીં રણમેદાનમાં ખાવાનું ક્યાંથી લાવવું ? પણ તેની નજર દૂરના એક આમ્રવૃક્ષ ઉપર પડે છે. ત્યાં જઈને જુએ છે તો એક સરસ મજાની પાકેલી કેરી દેખાય છે. ઊંચા હાથ કરીને તોડવા પ્રયત્ન કર્યો પણ ત્યાં હાથ પહોંચાયો નહિ. ઊંચા થવા માટે પોતાના પુત્રનું શબ લઈ આવીને ઉપર ચડીને કેરીને તોડવાનો પ્રયત્ન કર્યો તોપણ કેરી ઊંચી જ રહી. એક પછી એક સોએ સો પુત્રોનાં શબ ગોઠવીને ગાંધારીએ કેરી તોડવા પ્રયત્ન કર્યો. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘જો અર્જુન, આ કુદરતની વ્યવસ્થા જો. ભૂખના આવેગ આગળ આ માતા રાંક થઈ ગઈ છે. પુત્રશોકમાં વ્યાકુળ બનેલી હવે એ જ સ્ત્રી ભૂખની પીડાથી વ્યાકુળ થઈને પુત્રોનાં શબ ગોઠવી રહી છે.

ભૂખનો આવેગ કુદરતી વ્યવસ્થા છે. તેમાં પણ બે વિભાગ છે : પેટમાંથી ઉત્પન્ન થયેલો આવેગ અને રસનેન્દ્રિયમાંથી સ્વાદ માટે ઉત્પન્ન થયેલો આવેગ. કુદરતે માત્ર ઉદરમાં જ ભૂખ મૂકી હોત અને સ્વાદનો આવેગ ન મૂક્યો હોત તો માણસ મોટા ભાગે મશીન કે અર્ધમશીન જેવો બની ગયો હોત. જેમ મોટરગાડીની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરી લેવાય છે તેમ માણસ પણ પોતાના ખાલી પેટમાં ગમે તે ખોરાક ભરી લેત. પણ માણસ મશીન નથી. તેને સ્વાદ જોઈએ છે. માત્ર પેટ ભરવાનો પ્રશ્ન નથી. સ્વાદિષ્ટ વસ્તુઓથી પેટ ભરવાનો પ્રશ્ન છે. ઘણી વાર ઉદર તૃપ્ત હોય પણ સ્વાદેન્દ્રિય અતૃપ્ત હોય. માત્ર સ્વાદેન્દ્રિયની તૃપ્તિ માટે જે ખોરાક લેવાય છે તે અસંયમ છે, અતિભોગ છે. તે કુદરતી પણ નથી. એટલે તેનાં પરિણામે રોગ છે. અહીંથી માણસની જવાબદારી શરૂ થાય છે. ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં પૂરક બને તો ખોરાક સુખરૂપ થવાની સાથે જીવન બને છે. પણ જો ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં વિરોધી બને તો ખોરાક દુ:ખરૂપ બનીને જીવનને મૃત્યુમાં પલટાવે છે. કેટલાક લોકોએ એવો માર્ગ શોધ્યો કે ખોરાક અને સ્વાદ બંનેનો ત્યાગ કરવો. આત્મબળ દ્વારા કે દુરાગ્રહ દ્વારા આવી પ્રક્રિયા થોડા દિવસો તો ચલાવી શકાય, પણ અંતે ખોરાકની અનિવાર્યતા રહેવાની જ. એટલે આ માર્ગમાં સાતત્ય નથી. ઘણી વાર એવું પણ બને કે ખોરાક અને સ્વાદનો ત્યાગ કરેલો હોય એવો માણસ અંતે બેબાકળો થઈને ખોરાક ઉપર તૂટી પડે. આ સંયમ નથી પણ નિગ્રહ છે. નિગ્રહ કુદરતી નથી. એટલે નિગ્રહની પાળ તૂટવાની જ છે. કોઈની બે દિવસ વહેલી તૂટે તો કોઈની બે દિવસ મોડી તૂટે. પણ નિગ્રહ કદી ચિરંજીવી ન હોઈ શકે. (હા, સંયમ જરૂર ચિરંજીવી થઈ શકે.) નિગ્રહની પાળ જ્યારે તૂટે છે ત્યારે તળાવનું સંગ્રહાયેલું તમામ પાણી વહી જાય છે. તળાવ ખાલી થઈ જાય છે અને વહેલું પાણી સ્વયં નષ્ટ થઈ, બરબાદી પ્રસરાવે છે, તેમ તૂટેલો નિગ્રહ પ્રચંડ વેગથી વહેવા માંડે છે. એટલે ખોરાકનો નિગ્રહ એ કલ્યાણમાર્ગ નથી.
કેટલાક લોકોએ એક બીજો માર્ગ શોધ્યો. તે છે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ. માપસરનો ખોરાક ખાવાનો પણ તેને સ્વાદ વિનાનો બનાવીને ખાવાનો. ખોરાક સ્વાદ વિનાનો હોય એટલે આપોઆપ તેની માત્રા ઓછી થઈ જાય. સ્વાદના કારણે વધુ ને વધુ ખાવાનો લોભ ન રહે. એટલે ખોરાકની માત્રા સીમિત થઈ જાય. આ માર્ગ પહેલા માર્ગ કરતાં થોડો ઠીક છે. પણ આમાં પણ નિગ્રહ તો છે જ. સ્વાદનો નિગ્રહ તન-મન બંનેને હાનિ પહોંચાડે છે તે વાત વૈરાગ્યભાવવાળા લોકો ભૂલી જાય છે. કુદરતે મુખમાં સ્વાદ મૂક્યો છે તે માત્ર સ્વાદસુખ મેળવવા કે અકરાંતિયા થઈને ખા ખા કરવા નથી મૂક્યો. પણ ખોરાક સાથે સ્વાદની અનિવાર્ય ઉપયોગિતા સ્થાપિત કરવા મૂક્યો છે. જેમ ઘંટીમાં અનાજ નાખો અને તેનો લોટ થઈ જાય, તેમ મોઢામાં ખોરાક મૂકો અને તે પકવાશયમાં જઈને પચી જાય તેવી વ્યવસ્થા નથી. ખોરાકને જોતાં જ તમારા મોઢામાં પાણી આવે, તો નિશ્ચિત પ્રકારના હૉર્મોન ઉત્પન્ન થાય. આ હૉર્મોન ખોરાકને પચાવવાના રસો ઉત્પન્ન કરે છે. આ રસોથી ખોરાક પચે છે. ખોરાકને જોઈને જ જો મોઢું બગડી જાય, કડવી દવા જોતાં તથા તે પીતાં જે દશા થાય છે તેવી દશા થાય તો ઊલટા હૉર્મોન ઉત્પન્ન થાય, તેથી ખોરાક પચે નહિ. સતત અપ્રિય ખોરાક ખાવાથી અજીર્ણ, મરડો, એનીમિયા અને અલ્પાહારની બીમારીઓ થવા લાગે છે. એટલે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ એ માર્ગ પણ યોગ્ય નથી.
જીવન માટે સ્વાદ જરૂરી છે. પણ સ્વાદ વિકૃત ન હોય, વિસંવાદી ન હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાદનો અત્યંત ત્યાગ જો લોકચાહના મેળવવા માટે કર્યો હોય તો તે વ્યક્તિના વ્યક્તિત્વ માટે પણ હાનિકારક છે. મોટા ભાગે કુદરતી જીવનનો ત્યાગ કોઈ ને કોઈ રીતે લોકચાહના માટે જ કરાતો હોય છે, કોઈ ખોરાક અને સ્વાદ છોડી દે અથવા સ્વાદ વિનાનો ખોરાક લે તો લોકો તેને ત્યાગ-વૈરાગ્ય માને છે. તેથી અંજાઈ જાય છે. અંજાયેલા લોકો આવી વ્યક્તિઓમાં ચમત્કારોની સૃષ્ટિ ઊભી કરે છે. ચમત્કારોની કાલ્પનિક સૃષ્ટિમાં પેલી વ્યક્તિનું વ્યક્તિત્વ નિરૂપણ થવા લાગે છે. આ આખા મિથ્યાવ્યક્તિત્વને પોષવા માટે પેલો ખોરાક અને સ્વાદનો ત્યાગ મૂલાધાર બને છે. એટલે ઉપરથી મહાન ગણાતા આવા પુરુષો અંદરથી વાંસ જેવા પોલા અને વ્યક્તિત્વ વિનાના બની જાય છે. લોકચાહનારૂપી લક્ષ્યને સિદ્ધ કરવા ખોરાક અને સ્વાદનો નિગ્રહ એ સાધના બની જાય છે.
આવા માણસોનું બરાબર નિરીક્ષણ કરશો તો દેખાશે કે તેઓ રોગી, ફિક્કા, નિસ્તેજ, દુર્બળ અને જોમ-જુસ્સ્સા વિનાના, મંદ ઈચ્છાશક્તિવાળા હોય છે. હા, જો લોકચાહના લક્ષ્ય ન હોય તો આટલી બધી વિકૃતિ નથી આવતી પણ મોટા ભાગે જ્યાં અકુદરતી નિગ્રહો જ પ્રતિષ્ઠાનું માપ બનતા હોય ત્યાં પ્રારંભમાં આવા નિગ્રહો પોતાની આત્મતૃપ્તિ માટે આચરાયા હોય તો પણ આગળ જતાં એ લોકચાહનાનાં સાધનો બની જતાં હોય છે. એટલે શરૂઆતમાં માત્ર સ્વેચ્છાથી જે વ્યક્તિ આવો નિગ્રહ કરતી હોય છે, તે આગળ જતાં સ્વેચ્છાની જગ્યાએ લોકેષણાના દબાણ નીચે આવી જતી હોય છે. લોકેષણાના દબાણમાં આવેલી વ્યક્તિને આગળ જતાં પોતાની ભૂલ સમજાય તો પણ તે ભૂલને સુધારી શકતી નથી, ઊલટાનું પોતાની ભૂલને જ આદર્શ, તપ અથવા ત્યાગનો જામો પહેરાવવાનું ચાલુ રાખે છે. પ્રજાની વિકૃતિનું આ મૂળ છે.
એક ત્રીજો માર્ગ છે. ખોરાક અને સ્વાદ બન્નેનો નિગ્રહ નહિ, પણ બંનેનો સંયમ. ખોરાક લેવાનો જ, તે પણ સ્વાદિષ્ટ ખોરાક લેવાનો, ઉચિત માત્રામાં હિત-મિત-પથ્ય સાથે લેવાનો. રસોઈ પણ કળા છે. તેનું પણ એક શાસ્ત્ર છે – ‘પાકશાસ્ત્ર’. આહાર એ કુદરતી વ્યવસ્થા છે. તનમનને રુચે, ગમે તેવો અને આરોગ્યનાં પરિણામ આપે તેવો યોગ્ય સ્વાદિષ્ટ ખોરાક લેવાનો જ. તેથી સુખ, તૃપ્તિ અને શાન્તિ ત્રણે મળે છે. ભૂખના આવેગને ત્રાસરૂપ માની તેમાંથી મુક્ત થવા ખોરાકનો નિગ્રહ કરવો અને સ્વાદના આવેગથી છૂટવા સ્વાદમાત્રનો નિગ્રહ કરવો, એ કુદરતી માર્ગ નથી, એટલે હિતાવહ પણ નથી. ભૂખ્યા માણસનું મન સતત ખોરાકનું ચિંતન કર્યા કરશે. જ્યારે તૃપ્ત થયેલા માણસનું મન ખોરાકથી પાછું હઠીને શાન્તિનો અનુભવ કરશે. અશાન્તિનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અત્યંત નિગ્રહ અને (2) અતિભોગ. આ બન્નેનો ત્યાગ કરી જે મધ્યમાર્ગી – સંયમી જીવન જીવે છે તે સુખશાન્તિનો અધિકારી બને છે.

સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (25-05)


1 ) Doshi Anil Manharlal
2 ) Mehta Dr. Rupali Mehul Hasmukhlal Keshavlal
3 ) Mehta Mitesh Kanak Trikamji
4 ) Mehta Harshita Bharat Hargovinddas
5 ) Shah Bhavini Kamlesh Hiralal Maneklal
6 ) Shah Paras Lalitray Manilal
7 ) Shah Viral Vasantray Gulabchand
8 ) Shah Kinal Ajay Nagindas
9 ) Shah Chamanlal Himatlal Revashankar
10) Vakharia Mruduben Kantilal

Friday, May 24, 2013

City Of The Future


Breathtaking footage from Dubai based filmmaker and photographer Sebastian Opitz from his project "Planet Chronos."   Best viewed in Full Screen HD.


Birth Anniversary (24-05)


1 ) Gardi Kishor Prabhulal
2 ) Gholani Parin Manhar Dhirajlal Somchand
3 ) Patel Jatin Panachand
4 ) Shah Pinki Jignesh Madhukar
5 ) Sheth Dr. Pina Jay Bhupatray Khushalchand
6 ) Vora Kanaiyalal Khantilal

Thursday, May 23, 2013

વિચારમંગલ – સંકલિત

[1] મારી પાસે એક દીવો છે જે મને રાહ દેખાડે છે અને તે છે મારો અનુભવ. – પેટ્રિક હેનરી.
[2] બીજા માણસોમાં ઉત્સાહ જાગ્રત કરવાની મારી શક્તિને હું મારી અમૂલ્ય મિલકત સમજું છું. દરેક માણસમાં પહેલું ઉત્તમ તત્વ ખિલવવાનો રસ્તો તેની પ્રશંસા કરી તેને ઉત્તેજન આપવાનો જ છે. પોતાના ઉપરીઓની ટીકાથી માણસની અભિલાષા મરી જાય છે તેવી કોઈ ચીજથી મરી જતી નથી. હું કોઈનો દોષ શોધતો નથી. કોઈની ટીકા કરતો નથી. માણસને કામ કરવાનો ઉત્સાહ આવે એવી રીતે તેની સાથે વર્તન રાખવામાં મને શ્રદ્ધા છે અને તેથી હું પ્રશંસા કરવાને આતુર રહું છું અને ખોડ કાઢવાનું પસંદ કરતો નથી. મને કંઈપણ પસંદ પડે તો હું ઉદારતાથી અને દિલોજાન જિગરે તેની તારીફ કરું છું. – ચાર્લ્સ સ્વેલ.
[3] ઘણી વ્યક્તિની મુશ્કેલી એ હોય છે કે બીજાએ કરેલી પ્રશંસાથી તેઓ બરબાદ થતા હોય, તોપણ તેમને વધુ ગમે છે. પણ બીજાએ કરેલી ટીકાથી પોતાનો ઉદ્ધાર થવાનો હોય તો પણ ગમતું નથી. – નૉર્મન વિન્સૅટ બીલ.
[4] અસત્યમાં કોઈ શક્તિ નથી. એણે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પણ સત્યનો આશ્રય લેવો અનિવાર્ય છે. – વિનોબા ભાવે.
[5] ત્રીસ વરસ પહેલાં હું એક વાત શીખ્યો તે એ કે કોઈને ઠપકો દેવો તે મૂર્ખાઈ છે. મારા પોતાનામાં જ એટલી બધી ખામીઓ છે કે ખુદાએ બધાને સરખા ભાગમાં બુદ્ધિની વહેંચણી કેમ ન કરી એમ બબડવામાં કંઈ સાર નથી. – જોન વાનમેકર

[6] ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ કરતાં બાકીનું કામ ઈશ્વરને સોંપે છે કે જે ઈશ્વર વરસાદ અને સૂર્યનાં ચળકતાં કિરણો મોકલે છે અને પાક વખતે સો ગણું આપે છે. એ જ પ્રમાણે માયાળુ શબ્દો અને માયાળુ કાર્યો પણ ભૂલાં પડેલાં, એકલાં અને દુઃખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખેરખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા કરવામાં આવશે તો વખત જતાં પુષ્કળ માયાળુ કાર્યો અને માયાળુ શબ્દો જગતમાં ફેલાતા જણાશે. – જોન ફુલર્ટન
[7] અભિમાની માણસને કદી મિત્રો હોતા નથી. જ્યારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ બીજા કોઈને ઓળખતા નથી અને જ્યારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી. – સિડની સ્મિથ
[8] મહાન સંકટો અને દુઃખો ભોગવનાર એક સ્ત્રી જણાવે છે કે ‘હું કદી પણ કોઈને મારાં દુઃખોની વાત કહીને દુઃખી કરીશ નહિ, એવો મેં નિશ્ચય કર્યો છે. જ્યારે હું રુદન કરી શકી હોત ત્યારે મેં હાસ્ય કર્યું છે, અને મશ્કરીઓ કરી છે. પ્રત્યેક સંકટની સામે મેં સ્મિત કર્યું છે. મેં મારી પાસેથી પ્રત્યેક જણને સુખદ શબ્દ અને આનંદમય વિચાર લઈને જવા દેવાનો પ્રયત્ન કર્યો છે, સુખ જ સુખને જન્મ આપે છે; અને નીચે બેસી ભાગ્ય પર વિલાપ કરવાથી મને જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોત તે કરતાં વધારે સુખી સ્થિતિમાં હું છું.’ – ઓરીસન સ્વેટ માર્ડન
[9] કોઈ પણ રોગને પોષણ મળે એવો સંયોગ જો આપણા શરીરમાં ન હોય તો રોગની તાકાત નથી કે તે આપણા શરીરમાં પ્રવેશી શકે, તે જ પ્રમાણે કોઈ અશુભ કે અનિષ્ટ સ્થિતિને અનુકૂળ તત્વો જો આપણામાં ન હોય તો તે સ્થિતિની તાકાત નથી કે આપણા પર તે સવાર થઈ શકે. માટે જે કાંઈ સુદશા કે દુર્દશા આપણા પર આવી પડે તેનું કારણ બહાર શોધવાને બદલે આપણે આપણામાં જ શોધવું જોઈએ. જો તે કારણ શોધી કાઢીને તેને દૂર કરીએ તો તેથી આપણી આંતરસ્થિતિ એવી તો ઉત્તમ બનશે કે જેથી કેવળ સારી દશા જ આપણી તરફ આકર્ષાઈને આવ્યા કરશે. સ્વભાવથી જ આપણે આપણી દશાના સ્વામી થવાને સરજાયેલા હોવા છતાં માત્ર અજ્ઞાનને લીધે જ સંયોગોને આધીન બની જઈને તેના ગુલામની પેઠે વર્તીએ છીએ. – રાલ્ફ વાલ્ડો ટ્રાઈન
[10] જો હું એક માણસને નિરાશામાંથી બચાવી શકું તો મારું જીવન વ્યર્થ નહિ ગણાય; જો હું એક જ માણસના દુઃખને દૂર કરું અથવા પીડાને શાંત કરું અથવા એકાદ તરફડતા પક્ષીને તેના માળામાં મૂકી શકું તો મારું જીવન એળે ગયું નથી. – એમીલી ડીકીન્સન
[11] વિજયી મનુષ્ય કરતાં જે ધૈર્યથી પરાજય સહન કરે છે તે ખરો ફિલસૂફ છે. કારણ કે જગતને વશ કરવામાં જેટલું કૌશલ જોઈએ છે તેટલું જ કૌશલ જગતને નભાવવામાં પણ જોઈએ છે. મુશ્કેલીઓ આપણને એવી ઉચ્ચ કક્ષામાં લઈ જાય છે કે જેથી, પ્રથમ દુર્ભાગ્ય સહન કરવાની અને અંતે તેની ઉપર વિજય મેળવવાની શક્તિ આપણામાં આવે છે. આ પ્રમાણે કસોટીમાં શિક્ષા અને શુદ્ધિ બંને તત્વો સમાયેલાં છે. – અરધે
[12] જો તમારામાંથી અહંકાર ચાલ્યો ગયો હોય તો કોઈ પણ ધર્મ-પુસ્તકની એક લીટી પણ વાંચ્યા વિના કે કોઈ પણ દેવાલયમાં પગ મૂક્યા વિના તમે જ્યાં બેઠા છો ત્યાં જ મોક્ષ પ્રાપ્ત થઈ જશે. – સ્વામી વિવેકાનંદ
[13] પોતાના મનથી પોતાને ભલા માણસ સિદ્ધ કરવા માટે ભલા થવાની કંઈ જરૂર પડતી નથી. અહંકાર કંઈ હાથી-ઘોડા જેવી ચીજ નથી. હાથી-ઘોડા પાછળ ખર્ચ કરવું પડે છે. તે ખાવાનું માગે છે. પણ અહંકારને તો બિલકુલ ઓછા ખર્ચે ને વગર ખોરાકે ખૂબ પુષ્ટ બનાવી શકાય છે. – રવીન્દ્રનાથ ટાગોર
[14] અસત્યના માર્ગે આપણે ગમે તેટલા દૂર નીકળી ગયા હોઈએ તોપણ એના પર ચાલવાને બદલે પાછા વળવું બહેતર છે. – ટૉલ્સટૉય
[15] જે માણસો સવારમાં સત્કાર્યો કરે છે એમને દિવસનો દરેક કલાક મજા આપે છે અને તેમની આસપાસની દરેક વસ્તુમાંથી તેમને માટે શાંતિ અને ઉલ્લાસ જન્મે છે. – ગેસનર
[16] આપણે કેવા હોવા જોઈએ તેનું આપણને અરધું પણ ભાન નથી. આપણી શારીરિક અને માનસિક શક્તિનો આપણે જૂજ ઉપયોગ કરીએ છીએ. સ્પષ્ટ શબ્દમાં કહીએ તો ઈન્સાન પોતાની શક્તિનો ઘણો ઓછો લાભ લે છે. તેનામાં રહેલી વિધવિધ જાતની શક્તિઓનો ઉપયોગ કરવામાં તે હંમેશાં નિષ્ફળ જાય છે. – વિલીયમ જેમ્સ (હાવર્ડ)
[17] કેળવાયેલો માણસ નવું જાણવાની વૃત્તિ ખીલવે છે. નવા વિચારોને કદી હસી કાઢતો નથી. બીજા લોક સાથે નભાવી લેવાની કળા જાણે છે. સફળ થવાની ટેવ કેળવે છે. ‘જેવા વિચાર કરીએ તેવા થઈએ’ એ સૂત્ર સમજે છે. લૌકિક વિચારો હંમેશાં ખોટા હોય છે એનું ભાન રાખે છે. નિષ્ણાતોના અભિપ્રાયોને ધ્યાન દઈને સાંભળે છે. મહાન કાર્યોમાં સાથ આપે છે. પોતાની શક્તિ પ્રમાણે આકાંક્ષાઓની સૃષ્ટિ રચે છે. પોતાની ઉચ્ચત્તમ કુદરતી શક્તિ પ્રમાણે કાર્યમગ્ન રહે છે. જ્ઞાન મેળવવા માટે કદી મોડું થતું નથી એ જાણે છે. પોતે સેવેલાં સ્વપ્નાં વિશે કદી શ્રદ્ધા ગુમાવતો નથી. તે એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે જે વડે તે જગતપુરુષ બને છે અને ઉચ્ચ આધ્યાત્મિક જીવન જીવે છે. – વિલીયમ એચ. ડેન્ફર્થ

સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (23-05)


1 ) Doshi Amisha Vipul Mugatlal
2 ) Mehta Shrenik Vijay Vanechand
3 ) Parekh Kalpana Mukund Kantilal
4 ) Sanghavi Vaibhav Bhavesh Jayantilal
5 ) Sanghavi Nila Narendra
6 ) Shah Dinesh Kantilal
7 ) Shah Lalit Champaklal
8 ) Shah Prafulla Anopchand Juthalal
9 ) Shah Ritesh Dolatbhai Amrutlal

Wednesday, May 22, 2013

The One Million Dollar Vase (Humor)

See what happens when a one million dollar vase from the Ming Dynasty goes on auction in Helsinki, Finland.

Birth Anniversary (22-05)


1 ) Mehta Jitendra Jayantilal Sukhlal
2 ) Mehta Hitanshi Nitul Suryakant Narandas
3 ) Mehta Ruchita Mahesh Vinodrai
4 ) Mehta Manthan Rakesh Ramniklal Nimchand
5 ) Parekh Kalpana Anil Jethalal
6 ) Parekh Harsha Manharlal
7 ) Shah Amita Ketan Bhupatlal Premchand
8 ) Shah Kalpesh Harshad Ratilal
9 ) Solani Rajesh Fatechand
10) Vora Paresh Gunvantray Hematlal

Tuesday, May 21, 2013

હાસ્યામૃત ! – સંકલિત


શિક્ષક : રેડિયો અને ન્યૂઝપેપરમાં શું ફેર છે ?
વિદ્યાર્થી : ન્યૂઝપેપરમાં ખાવાનું વીંટાળીને રાખી શકાય છે.
******
આધુનિક લગ્નો કેવા હશે ? એક નમૂનો….
પંડિત : ‘શું તમે બંને ફેસબુક પર તમારું સ્ટેટ્સ બદલીને મેરિડ કરવા તૈયાર છો ?’
યુવક-યુવતી : ‘હા, અમે તૈયાર છીએ.’
પંડિત : ‘બસ, તો લગ્ન થઈ ગયાં !’
******
યુવતી પરફ્યુમ લગાવીને બસમાં ચઢી એટલે યુવકે કોમેન્ટ કરી :
‘આજકાલ ફિનાઈલનો ઉપયોગ વધુ થાય છે.’
યુવતી : ‘તોય માખો પીછો નથી છોડતી….’
******

મોન્ટુ એની ગર્લફ્રેન્ડને ફરવા લઈ ગયો. ખૂબ સરસ હોટલમાં જમ્યા પછી એણે કહ્યું :
‘હું તને કંઈક કહેવા માગું છું. નારાજ તો નહીં થાય ને ?’
ગર્લફ્રેન્ડ : ‘નહીં, નહીં; કહો શું કહેવા માગો છો ?’
મોન્ટુ : ‘આ બિલ અડધું અડધું કરી લઈએ ?’
******
ઘરમાં ચોર આવ્યા અને જયની પત્નીને પૂછ્યું :
‘તારું નામ શું છે ?’
પત્ની : ‘સાવિત્રી.’
ચોર : ‘મારી માતાનું નામ પણ સાવિત્રી હતું. હું તને નહીં મારું. તારા પતિનું નામ શું છે ?’
જય : ‘આમ તો મારું નામ જય છે, પણ પ્રેમથી લોકો મને ‘સાવિત્રી’ જ કહે છે.’
******
પિન્ટુ : ‘યાર, બધા ગુનેગારો ગુનો કર્યા પછી તેમની આંગળીઓનાં નિશાન કેમ છોડી જાય છે ?’
મોન્ટુ : ‘મને લાગે છે કે તે બધા અભણ હશે, નહિતર સહી છોડીને જાય ને ?!’
******
મોન્ટુ : ‘પિન્ટુ, તને ખબર છે મંદિરની બહાર ચંપલ રાખવામાં અને મિસ કોલ આપવામાં કઈ વાત સમાન છે ?’
પિન્ટુ : ‘ના, ખબર નથી.’ મોન્ટુ : ‘બંનેમાં ડર લાગે છે કે કોઈ ઉપાડી ન લે.’
******
જય અને વિજય બંને સગા ભાઈઓ એક જ કલાસમાં ભણતા હતા.
શિક્ષક : ‘તમે બંનેએ પિતાજીનાં નામ અલગ-અલગ કેમ લખ્યાં છે ?’
જય-વિજય : ‘મૅડમ, પછી તમે અમને એમ કહો છો કે અમે નકલ કરીએ છીએ…..’
******
પિતા : ‘બેટા, એક સરસ જૂઠ બોલ. જો મને ગમશે તો હું તને પાંચ રૂપિયા આપીશ.’
દીકરો : ‘લો, કેવી વાત કરો છો ? હમણાં તો તમે દસ રૂપિયા કહ્યા હતા….’
******
જીવનની ફિલોસોફી…
જીવનમાં હંમેશાં યાદ રાખજો કે……
એક પેન ખોવાય તો નવી લાવી શકાય છે, પરંતુ જો પેનનું ઢાંકણ ખોવાય તો તે બજારમાંથી નવું લાવી શકાતું નથી…..
******
માસ્ટર ડિગ્રીના પદવીદાન સમારંભમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટે કેવી સ્પીચ આપવી જોઈએ ?
સ્ટુડન્ટ : ‘સૌથી પહેલાં તો મારે ‘ગુગલ’નો આભાર માનવાનો. ત્યાર બાદ ‘કોપી-પેસ્ટ’ સુવિધાનો અને છેલ્લે ‘ઝેરોક્સ’ મશીનનો ખૂબ ખૂબ આભાર. થેન્કયુ….’
******
પ્રિન્સીપાલ : ‘જો સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે તો આપણી ગમે તેવી ઈચ્છા પૂરી થાય છે.’
સ્ટુડન્ટ : ‘જવા દો ને સાહેબ, જો એવું હોત તો તમે મારા સસરા હોત !’
******
એક છોકરો ઘરની બહાર મોટા છરા વડે રમતો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક કાકાએ કહ્યું : ‘બેટા, આવી ખતરનાક ચીજ વડે તારા જેવા બાળકે રમવું ના જોઈએ.’
છોકરો : ‘તમને ખબર છે ? મારા દાદા 105 વરસ સુધી જીવ્યા હતા.’
કાકા : ‘કેવી રીતે ?’
છોકરો : ‘એ બીજાની વાતમાં માથું નહોતા મારતા એટલે !’
******
સન્તા : ‘જો હું કોફી પીઉં તો મને ઊંઘ જ ના આવે.’
બન્તા : ‘મારું ઊંધું છે, હું ઊંઘી જાઉં તો પછી મારાથી કોફી જ ના પીવાય.’
******
ઈતિહાસના સર બિમાર પડ્યા. સાયન્સના સરે ઈતિહાસનું પેપર કાઢ્યું.
પહેલો જ સવાલ કંઈક આ પ્રમાણે હતો : ‘બાજીરાવ પેશ્વાની આકૃતિ દોરો અને તેના વિવિધ ભાગોનાં નામો લીટીઓ દોરીને દર્શાવો !’
******
ડૉક્ટર : ‘તમારો માથાનો દુઃખાવો કેમ છે ?’
દર્દી : ‘એ તો હમણાં પિયરમાં છે….’
******
ટ્રેનમાં પાટિયું માર્યું હતું : ‘બિના ટિકિટ યાત્રા કરનેવાલે હોશિયાર…..’
બન્તા કહે : ‘વાહ જી વાહ ! ઔર ટિકિટ લેનેવાલે બુદ્ધુ ?’
******
ટીચર : ‘આજે વિશ્વનું પર્યાવરણ એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે આવનારી પેઢીનાં બાળકોને વાઘ, સિંહ, જીરાફ, ગેંડા જેવાં પ્રાણીઓ કદી જોવા જ નહિ મળે.’
ટીનુ : ‘તો અમે એમાં શું કરીએ ? બોલો, અમે કોઈ દિવસ એવી ફરિયાદ કરી કે અમને ડાયનાસોર નથી જોવા મળતા ?’
******

 સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (21-05)


1 ) Doshi Khushali Ketan Chamanlal
2 ) Sheth Hemlata Bipin Jevatlal
3 ) Lodaria Bhavna Dinesh Mugatlal
4 ) Mehta Manjil Naresh Khodidas
5 ) Shah Purvi Kishor Himatlal
6 ) Sheth Rajvi Chetan Kishorchandra
7 ) Sheth Kundan Dhirjlal Chhotalal

Monday, May 20, 2013

Jump Rope Girl - World's Best Jump Roper Home Daily Popular


Adrienn Banhegyi performs with Cirque de Soleil and holds two jump roping world records.


Birth Anniversary (20-05)


1 ) Gandhi Shweta Bipin Mansukhlal
2 ) Mehta Jyoti Milan Kantilal
3 ) Mehta Ridhdhi Ajit Pravinchandra
4 ) Mehta Devanshu Vipul Navinchandra
5 ) Sanghavi Lata Chimanlal Pranjivan
6 ) Shah Shaili Jayen Ramesh

Sunday, May 19, 2013

અહીં આંખો પહોળી કરી આપવામાં આવશે ! – ડૉ. નલિની ગણાત્રા


[‘લાફિંગ મૉલ’ પુસ્તકમાંથી સાભાર.]
શીર્ષક વાંચીને ઝીણી આંખોવાળાએ ઝાઝી વાર રાજી થવાની જરૂર નથી. કારણ કે અહીં કોઈ શસ્ત્રક્રિયા કરીને કાયમ માટે આંખો પહોળી કરી આપવાની નથી. વાત જાણે એમ છે કે માણસે વિચાર્યું ન હોય એવું વિપરિત કંઈક અચાનક સામે આવે તો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. આમ, કાંઈ હું પહોળી આંખની એવી આશિક નહિ પરંતુ જેમ આપણને ક્યારેક જીવન જીવવાની ઈચ્છા થઈ જાય એમ આજે મને પહોળી આંખો જોવાની ઈચ્છા થઈ આવી. એટલે વિપરીત વાતોનો કાર્યક્રમ રાખ્યો છે. તો વાંચો અત્રે ઊલટા-પુલટા અને કરો આંખો પહોળી….! મારી નહિ, તમારી….. !
[1] ‘તું તો ખરો છે’ એવું કહીએ તો મૂળચંદને ‘ખોટું’ લાગી જતું હોય છે !
[2] વ્યસ્તતા દુઃખને દૂર રાખે છે પણ કેટલાક દુઃખમાં જ વ્યસ્ત રહે છે.
[3] ઢોરના ડૉક્ટર માણસ હોય છે, માણસના ડૉક્ટર ઢોર નથી હોતા ! અહો આશ્ચર્યમ
[4] સહવાસથી જ પ્રેમ થાય છે અને સહવાસથી જ નફરત !
[5] મહોબ્બત જાનવર કો ઈન્સાન બના દેતી હૈ ઔર ઈન્સાન કો જાનવર ભી !
[6] ચુસ્ત હિંદુ પણ હોંશે હોંશે ‘દાઉદખાની’ ઘઉં ખાતા હોય છે.
[7] ‘અલ્પમ શુભમ’માં માનનારા આસાનીથી સો વર્ષનું આયુષ્ય ખેંચી કાઢતા હોય છે !
[8] કેટલાંક ‘ફક્ત’ ‘સબ’ ટી.વી. જોતા હોય છે !
[9] શાંતિ રાખો….. ઓ…… ! એવું જોરથી બોલવું પડતું હોય છે !
[10] લાગણી પર પથ્થર મૂકનારને પથ્થર પર પણ લાગણી થઈ આવતી હોય છે.
[11] પારદર્શક કપડાં પહેરતી હિરોઈનને અપારદર્શકો મળી રહે છે !
[12] કેટલાક શિષ્યો ગુરુ કરતાં સવાયા હોય છે, કેટલાક દોઢા !
[13] ખાધે-પીધે સુખી લોકો પણ ઉપવાસ કરતા હોય છે.
[14] આપણી જીત માટે હંમેશાં હારેલા જ જવાબદાર હોય છે !
[15] કેટલાંક સ્કૂટર-બાઈક ઓટોસ્ટાર્ટ હોય છે, કેટલાંક ઓટોસ્ટોપ ! ગમ્મે ત્યારે બંધ પડી જાય !
[16] ગરજવાનને અક્કલ ન હોય, પણ અક્કલવાનને ગરજ હોય !
[17] ગરજે ગધેડાને બાપ કહેવાય, પણ ગરજે બાપને ગધેડો ન કહેવાય – લાત પડે.
[18] ગાંડા વિશે લેખ લખવા માટે બુદ્ધિ તો જોઈએ જ !
[19] આપણે સહુ લાદેન નથી તેથી ‘બિન-લાદેન’ જ કહેવાઈએ !
[20] Wrong નો સ્પેલિંગ તો Right જ લખવો પડે છે !
[21] માણસ શૂન્યમાંથી સર્જન કરે છે. સર્જન (ડૉક્ટર) ક્યારેક માણસને શૂન્ય કરી નાંખે છે !
[22] જેને મરવાનોય સમય નથી મળતો એ સમય આવ્યે મરે જ છે !
[23] લોકો સાર્વજનિક ફોન પર અંગત વાતો કરતાં હોય છે !
[24] માણસને પોતાની શંકા પર દઢ વિશ્વાસ હોય છે !
[25] દીવાલને કાન હોય છે તો કાનમાં પણ દીવાલ હોય છે !
[26] ‘દૂર’ રહેતી વ્યક્તિ જ ખરેખર ‘નજીક’ રહે છે !
[27] ‘ખેડૂત’નું લાઈસન્સ ન ધરાવનારા પણ સપનાનાં વાવેતર તો કરી શકે !
[28] અહિંસક લોકો પણ આપણું ‘લોહી પીતાં’ હોય છે !
[29] ‘મોટા’ માણસની ‘નાની’ વાતો પણ છાપે ચડે છે !!!
[30] સરકારી કર્મચારીઓ પણ થાકી જતા હોય છે !!
[31] પ્રશંસા પ્રભુને પ્યારી છે, પણ પ્રશંસા પ્યારી હોય એ બધા પ્રભુ નથી હોતા !
[32] મરાઠીમાં મોટા ભાઈને ‘દાદા’ કહે છે. પણ ભાભીને ‘દાદી’ નથી કહેતાં !
[33] પત્ની રૂપાળી હોય અને પતિ શ્યામ હોય તો ‘રાધા-કૃષ્ણ’ની જોડી લાગે છે. પતિ રૂપાળો અને પત્ની શ્યામ હોય તોપણ ‘રાધા-કૃષ્ણ’ની જોડ જ લાગે છે. કારણ કે રૂપાળો પતિ રાધા જેવો જ લાગે છે !!
[34] મન બીજે પરોવવાથી પીડા ઓછી થાય છે. પણ ક્યારેક મન ‘બીજે’ પરોવવાથી જ પીડા થાય છે !!
[35] કોઈમાં ન ભળે એને છેવટે શ્રાદ્ધમાં તો ભળવું જ પડે છે !!!
ટૂંકમાં ‘ઉનો’ (UNO) ગાડી લે અને એમાં ‘ઠંડું’ એ.સી. નંખાવે એવા મૂળચંદને ઊલટા-પુલટા જાણવો !

સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (19-05)


1 ) Doshi Eshita Mukesh Dalichand
2 ) Doshi Vatsal Ketan Rajnikant Chaturdas
3 ) Gardi Neela Kishor Prabhulal
4 ) Khandor Romik Deepak Himmatlal
5 ) Mehta Shreyansh Kishor Jayantilal
6 ) Parekh Jagdish Kantilal
7 ) Parekh Varsha Anil Jayantilal
8 ) Sapani Arnav Nirav Mahendra
9 ) Shah Urmi Jignesh Arvind Maneklal
10) Shah Ranjan Bharat Rajnikant
11) Shah Priyank Jayesh Chandulal
12) Shah Upanshu Samir Anantray Bhogilal
13) Shah Khushi Sanjay Jayendra Kantilal
14) Sheth Sagar Devendra Chandrakant
15) Sheth Unnati Ashok Chhotalal

Saturday, May 18, 2013

10 Top Time-Saving Tech Tips

Tech columnist David Pogue shares 10 simple, clever tips for computer, web, smartphone and camera users.

Birth Anniversary (18-05)


1 ) Lodaria Hemal Ravichand
2 ) Mehta Kamlesh Shashikant Pranjivandas
3 ) Mehta Nisha Vipul Pradyutlal Himmatlal
4 ) Mehta Pritish Shrenik Navinchandra
5 ) Parekh Dharmistha Ashwin Narbheram
6 ) Sanghavi Disha Jigar Shah
7 ) Sanghavi Vijay Zaverchand
8 ) Shah Rupal Dinesh Gulabchand
9 ) Shah Kevin Sandesh Anantray
10) Sheth Pushpa Pravinchandra Hematlal

Friday, May 17, 2013

હું જમું ને તમને ઓડકાર આવે ખરો ? -જયકુમાર દમણીયા : ‘Bન્દાસ’

એક ભાઈનાં માતુશ્રી અવસાન પામ્યાં ત્યારે ભાઈએ એક કર્મકાંડી મહારાજને ઉઠમણામાં બોલાવીને સુતક તથા સારણ–તારણની તીથી–વાર જોવડાવ્યાં. પછી બ્રાહ્મણે કહ્યું, ‘તમારી સ્વર્ગસ્થ માતાના આત્માના પુણ્યાર્થે સજ્જા ભરવી પડશે અને સાથે ગાય કે વાછરડીનું દાન આપવું પડશે’

‘મહારાજ ! સજ્જા એટલે શું ?’

‘તમારાં માતુશ્રી જીવન દરમ્યાન જે વસ્તુઓનો ઉપયોગ કરતાં તે આંગણામાં મુકવી પડશે. દા.ત. તમારાં માતુશ્રીનાં પલંગ, રજાઈ, ઓશીકાં, જમવાનાં વાસણો, છત્રી, ટોપી, વસ્ત્રો જેવી અનેક જીવનજરુરીયાતની વસ્તુઓ મુકજો.’

‘એનાથી શું થાય ?’

‘એ બધી જ વસ્તુઓ તમારાં માતુશ્રીને સ્વર્ગમાં પહોંચે એથી એમને ત્યાં કશી અગવડ ના પડે.’

‘બરાબર, પરન્તુ મહારાજ ! આ બધી વસ્તુઓ સાથે ગાય કે વાછરડીનું દાન શા માટે ?’

‘ભાઈ, ગાય કે વાછરડીના દાનથી તમારા માતુશ્રી સ્વર્ગમાં આવેલી વૈતરણી નદી, ગાય કે વાછરડીનું પુંછડું પકડીને  સહેલાઈથી તરી શકે !’

‘એમ ! ?’

‘ચોક્કસ એમાં શંકાને કોઈ સ્થાન જ નથી.’

‘મહારાજ ! તમારી વાત હું માની લઉં છું; પણ તમે મારી વાત માનશો ?’

‘બોલો.’

‘મારાં માતુશ્રીને અંતકાળ સુધી પેટમાં દુખાવાની બીમારી રહી. ઘણા ડૉક્ટરો કે વૈદ્યોના ઈલાજ કામ નહીં આવ્યા અને અંતે એ બીમારીએ જ એમનો જીવ લીધો. એમના મૃત્યુ બાદ એક ભુવાએ કહ્યું કે, તારી માતાને પેટમાં ડામ મુકાવ્યા હોત તો બચી જાત. મારી બીચારી માતાને હજી પેટનો સખત દુ:ખાવો થતો જ હશે તો તમે એ ભુવા પાસે તમારા પેટ ઉપર ફક્ત બે જ ડામ મુકાવશો ? તો મારા માતુશ્રીને પેટમાં શાંતી થશે.’

‘એ કેવી રીતે બને ?’

‘તો પછી આ સજ્જા અને સારણ–તારણની વીધી મારા માતુશ્રીને સ્વર્ગમાં કેવી રીતે પહોંચે ? હું જમું અને તમને ઓડકાર આવે એ કેવી રીતે બની શકે ?’

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

Birth Anniversary (17-05)

1 ) Doshi Rita Kamlesh Manharlal
2 ) Mehta Ami Hemanshu Nagindas
3 ) Sanghavi Devesh Maganlal
4 ) Shah Sanjay Ravichand
5 ) Sheth Sanket Vasantlal
6 ) Solani Shailesh Fatechand

Thursday, May 16, 2013

Death



Native : Wankaner
Currently At : Bhayander, Mumbai
Name of the deceased : Bakulesh Ramniklal Mathakia
Age : 49 Years 

Date of Death : 13-05-2013 
Wife :Rupalben
Son : Darshit
Daughter : Bhoomi
Brothers : Jitubhai, Bindeshbhai, Chetanbhai, Jasminbhai, Rohitbhai, Vishalbhai, Sagar
Father-in-Law : Pravinchandra Chandulal Chunilal Shah (Wadhwan)
Father : Ramniklal Virjibhai Mathakia

May His Soul rest in eternal peace


વાંકાનેર હાલ ભાયંદર રમણીકલાલ વિરજીભાઇ માથકીયાના પુત્ર બકુલેશભાઇ (ઉં. વ. ૪૯) ૧૩-૫-૧૩ના અરિહંતશરણ પામેલ છે. તે રૂપલબેનના પતિ, ભૂમિ અને દર્શીતના પિતાશ્રી. જીતુભાઇ, બિંદેશભાઇ, ચેતનભાઇ, જસ્મીનભાઇ, રોહીતભાઇ, વિશાલભાઇ, સાગરના ભાઇ. તે વઢવાણ નિવાસી પ્રવીણચંદ્ર ચંદુલાલ ચુનીલાલ શાહના જમાઇ. ભાવયાત્રા ૧૬-૫-૧૩ ગુરુવારના સવારે ૯ થી ૧૨ કપોળવાડી, ૧લે માળે, ગીતા નગર, ભાયંદર (વે.). લૌ. વ્ય. બંધ છે.

Steam Locomotive Parade


Steam locomotive parade in Wolsztyn, Poland, which has the only remaining steam train commuter service in the world.



Birth Anniversary (16-05)

1 ) Gardi Purvi Dharmesh Kishor Prabhulal
2 ) Gandani Hemali Manoj
3 ) Mehta Chetna Nemish Hasmukhrai
4 ) Parekh Purnima Jayant Shah
5 ) Sanghavi Jignesh Anil Pranjivan
6 ) Sanghavi Vyoma Dharmesh Kasturchand
7 ) Sanghavi Bhavesh Rajendra Harjivan
8 ) Shah Rajnikant Bhudarlal
9 ) Shah Pradip Kushalchand
10) Sheth Mita Sanjeev Mehta
11) Solani Dhwani Deepak Rajnikant
12) Vora Falguni Sachin Patel

Wednesday, May 15, 2013

તમે ચંપલ પહેર્યાં ? – સુધા મૂર્તિ

[ ‘તમે જ તમારું અજવાળું’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રીમતી સોનલબેન મોદીએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
હમણાં હમણાં ઘણી વાર એવું બને છે, કે રિક્ષાવાળાઓ અમુક વિસ્તારમાં આવવાની ‘ના’ પાડી દે. નજીકમાં જ જવાનું હોય તો ખાસ. વળી કોઈ રિક્ષાવાળાના દિલમાં રામ વસે અને આવવા તૈયાર થાય તો પણ તમે તમારી મંઝિલે પહોંચો કે ‘અવલ’ મંઝિલે તેની કોઈ ખાતરી નહીં. ક્યારેક મીટર બગડેલું હોય તો ક્યારેક ઘણા રિક્ષાવાળાઓ ફિલ્મના હીરોની જેમ ચલાવે – આપણો તો શ્વાસ અદ્ધર થઈ જાય.
એક દિવસ હું રિક્ષાસ્ટેન્ડ પાસે ઊભી હતી. લાઈનબંધ ખાલી રિક્ષાઓ ઊભી હોવા છતાં કોઈ આવવા માંગતું ન હતું. મારે ખરેખર મોડું થતું હતું. ત્યાં જ એક કાર મારી સામે ઊભી રહી અને તેનો કાળો કાચ ઊતર્યો. મારી જૂની મિત્ર સરોજે મને ગાડીમાં બેસી જવા ઈશારો કર્યો.
મેં કહ્યું : ‘સરોજ, મારે તો ઍરપૉર્ટ જવાનું છે. તને નહીં ફાવે.’
સરોજ કહે : ‘જલદી બેસી જા ને ! પાછળ ટ્રાફિક જામ થઈ જશે, તો પોલીસ આવશે. હું મારી હૉસ્પિટલ જ જાઉં છું. વાડજ. ત્યાંથી ઍરપૉર્ટ ક્યાં દૂર છે ? હું ઊતરી જાઉં પછી ડ્રાઈવર તને ઉતારી દેશે.’

સરોજને હું ઘણાં વર્ષથી ઓળખું. તે અને તેના પતિ રમેશ બંને ડૉક્ટર છે. તેમનું પોતાનું મોટું નર્સિંગ હોમ છે. ધીકતી પ્રેક્ટિસ, બે દીકરા અને બંને પરણેલા. મોટો સોફ્ટવેર એન્જિનિયર થઈ પરદેશ સ્થાઈ થયો છે અને નાનો પુત્ર, તેની પત્ની તથા બે બાળકો સાથે તેમના વિશાળ બંગલામાં સાથે જ રહે છે. સમાજની દષ્ટિએ નમૂનેદાર કુટુંબ ગણાય. સ્ત્રીને માટે આથી મોટું સુખ શું હોય ?’
સરોજ કહે : ‘આજે રિક્ષા માટે કેમ ઊભી હતી ? ગાડી ક્યાં ગઈ ?’
મેં કહ્યું : ‘આજે હું એકલી હતી. ડ્રાઈવરને ઘણા દિવસથી રજા જોઈતી હતી. મારે કાંઈ કામ ન હતું તેથી તેને રજા આપી. કલાક પહેલા જ એક ફ્રેન્ડનો ફોન આવ્યો. મુંબઈથી આવે છે એટલે લેવા જાઉં છું.’
‘તો ટૅક્સી મંગાવી લેવી જોઈએ ને ?’
‘અરે, રિક્ષામાં શું વાંધો ? આપણે ત્યાં તો લોકો બસોમાં ને છકડાઓમાંય ફરે જ છે ને ?’ મેં કહ્યું.
‘ભઈસા’બ, મને તો રિક્ષાઓમાં બેસતા જ બીક લાગે છે.’ સરોજ બોલી.
‘એમ તો પ્લેનમાં ફરવામાંય ક્યાં સલામતી છે ? તો પણ જનારાએ જવું જ પડે છે ને !’ મેં કહ્યું.
‘આજકાલ તો પ્લેનમાંય ટાઈમના ઠેકાણાં નથી હોતાં. આઈ રિયલી ફીલ સિક ઑફ ટ્રાવેલિંગ, સુધા…. સમ ટાઈમ્સ.’
‘સરોજ, તારે તો હૉસ્પિટલને કારણે ઝાઝું નીકળાય પણ નહીં ને ! મારે તો રોજનું થયું. જીપોમાંય ઠસોઠસ જવું પડે છે. ગભરાયે કેમ ચાલે ?’ મેં કહ્યું.
મેં વાતને પતાવવા કહ્યું : ‘પ્રેક્ટિસ કેમ ચાલે છે, સરોજ ?’
‘જવા દે ને, સુધા. વાત જ ન પૂછીશ. કેટલી કોમ્પીટીશન ! એમાંય અમારાં છોકરાં ડૉક્ટર ન થયાં, એટલે પ્રાઈવેટ પ્રેક્ટિસમાં ટકી રહેવાનું વધારે મુશ્કેલ થઈ જાય. ઘણી વાર વિચાર આવે છે, કે આખું નર્સિંગહોમ વેચી કાઢીએ અને પૈસા બૅન્કમાં મૂકીને વ્યાજ પર નભીએ. એમાં થોડા પૈસા તો મળે ! આજકાલ તો પેશન્ટો પણ માળા ભારે હોશિયાર થઈ ગયાં છે. પ્રશ્નો પૂછીપૂછીને તેલ કાઢે. ગઈકાલની જ વાત કરું…. એક દર્દીને મેં કહ્યું, ‘બે-ત્રણ દિવસ ખટાશ ન ખાશો.’ તો સામેથી પૂછે, ‘બહેન, દહીં તો ખવાય ને ?’ થોડી વાર પછી દર્દીની બા આવીને કહે, ‘બહેન, મારી રાજવીને ટામેટાં-કાકડીના સલાડ વગર ચાલતું નથી. અપાય ને ?’ મારું તો મગજ ફરી ગયું. મેં તો કહી દીધું, ‘આમલીનો રસ અને આમળાંનો જ્યૂસ પણ આપો ને !’ એકનો એક સવાલ આઠ વાર પૂછે. વળી હૉસ્પિટલમાં આવે એટલે આજકાલના આ દોઢડાહ્યા પેશન્ટો એવું માને કે લેટેસ્ટ દવાઓથી મોતનેય મ્હાત કરી શકાય. દમ તો ડૉક્ટરોનો નીકળી જાય. વળી જો કોઈ દવા લાગુ ન પડે, તો દર્દીના સગાં બે દિવસમાં બાર જણની સામે બોલે : ‘આ ડૉક્ટર તો લૂંટે જ છે. કંઈ ફરક ના પડ્યો.’
મારે વાત બદલવા પૂછવું પડ્યું, ‘મિલિંદ કેમ છે ? મિલિંદ સરોજનો મોટો દીકરો છે – જે યુ.એસ. સ્થાઈ થયો છે.’
‘ઠીક, મારા ભઈ…. ચાલે છે…. હવે તો અમેરિકામાંય માથે લટકતી તલવાર. ગમે ત્યારે પૂના કે બૅંગલોર ભેગા કરી દે. વળી માલા પણ જોબ કરે. કામવાળાં તો ત્યાં મળે નહીં. એટલે બંને બાળકોને સવારથી ડે-કેરમાં મૂકીને વર-વહુ દોડે. બેમાંથી એકેય છોકરાંને હરામ બરાબર છે, એક શબ્દ પણ ગુજરાતીનો આવડતો હોય તો ! મારો તો જીવ કપાઈ જાય છે.’
ત્યાં સુધીમાં અમે વાડજ નજીક પહોંચ્યાં. ટ્રાફિક બરોબર જામ હતો.
સરોજ કહે, ‘અહીંથી વડોદરા જઈને આવવું સહેલું છે, પણ આ શહેરમાં હવે ફરવું મુશ્કેલ છે. કોઈ પણ રસ્તે જાવ, ટ્રાફિક તો નડે જ….’
‘સરોજ, મોટા શહેરમાં રહેવાના ફાયદા પણ છે જ ને ! છોકરાંઓને સારી સ્કૂલોમાં ભણાવાય, બીજી એક્ટિવિટી કરાવાય, કૉલેજૉ સારી, તારી હૉસ્પિટલ શહેરમાં છે તો આટલા પેશન્ટો પણ વધારે આવે છે…. ટ્રાફિકનું તો ચાલ્યા કરે. ફરિયાદ કરીને શું કરવાનું ? અરે હા, ગૌરવ-અનીતા કેમ છે ? સારું છે કે એનું કુટુંબ તારી સાથે રહે છે.’ ગૌરવ સરોજનો નાનો દીકરો છે.
સરોજ કહે : ‘શું સારું ? છેલ્લા અઠવાડિયાથી ગૌરવનું મોં નથી જોયું. એક ઘરમાં રહીએ એટલું જ. બંને જણ સોફટવેર એન્જિનિયર અને બંનેને માર્કેટિંગની જોબ, એટલે દેશ-વિદેશના ચક્કરો ચાલુ જ હોય. છોકરાં બાઈ પાસે મોટાં થાય. મને ટાઈમ હોય નહીં અને અનીતા તો અહીં હોય ત્યારેય તેની અલગ દુનિયામાં જ હોય. બહેનપણીઓ, કિટીપાર્ટીઓ અને શોપિંગ. ખરીદી, ખરીદી અને ખરીદી. કમાય એટલું ને વાપરે એટલું ! છોકરાંઓને નીતનવા બુટ-ચંપલ, ઘડિયાળો, ચોપડીઓ, ડી.વી.ડી. અપાવે પણ બેસીને એક વાર્તા કહેવાનો તેમને ટાઈમ ન હોય ! સાચું કહું, આજકાલનાં આ જુવાનિયાંઓ…. ધે આર વેરી એમ્બિશિયસ….’
‘તારાં સાસુ કેમ છે, સરોજ ?’
ફરી સરોજનો બળાપો શરૂ થયો, ‘એમનો વળી જુદો જ પ્રોબ્લેમ છે. જેમ ઘરડાં થતાં જાય છે, તેમ વધારે ને વધારે જિદ્દી થતાં જાય છે. મનેય હવે પંચાવન થયાં. હું હવે થાકું છું, પણ તેમના માટે તો હજીયે હું ગઈકાલે આવેલી વહુ જ છું. સદાકાળ બાવીસ વર્ષની ! મારે સતત એમનું ધ્યાન રાખવાનું, ને મારી વહુઓને મારી પડીય નહીં. ખરેખર, બે જનરેશન વચ્ચે હું તો સેન્ડવીચ થઈ ગઈ છું. સૂડી વચ્ચે સોપારી !’
હવે હું સરોજ જોડે વાત શી કરું ? કંઈ પણ પૂછું તો તેને કચકચ કરવાનું, ફરિયાદ કરવાનું બહાનું મળી જાય. મેં સરોજને પૂછ્યું, ‘સરોજ, સુખી કેવી રીતે થવાય ? સંપૂર્ણપણે સુખી થવાનો કોઈ સહેલો રસ્તો ખરો ?’ સરોજ આશ્ચર્યથી મારી સામે જોઈ રહી. જાણે હું તદ્દન ભોળું-ભટ પ્રાણી હોઉં તેમ મારી સામે જોઈને મને કહે, ‘લે, કર વાત ! તદ્દન સહેલું છે ને ! જો, મને તો એવું જીવન ગમે કે એક એવા સમાજમાં હું રહેતી હોઉં, જ્યાં કોઈ ટેન્શન ન હોય. દીકરા-દીકરી મોટાં થઈ જાય પછી પણ બધા વચ્ચે ખુલ્લા દિલે વિચારોની આપ-લે થાય, વડીલો-યુવાનો સાથે એડજેસ્ટ થઈને રહે, જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે તે સ્વીકારે. વળી બધા રસ્તાઓ ચાર લેનના હોય, પેશન્ટોમાં બુદ્ધિ આવે અને સમજે કે અમે પણ ડૉક્ટર્સ છીએ, ભગવાન નથી. બધાં પોતપોતાની જવાબદારી સમજીને એક સુંદર સમાજનું નિર્માણ કરે. આ જ સુખી થવાની ચાવી છે.’
ટ્રાફિક ઓછો થયો. સરોજની હૉસ્પિટલ નજીક દેખાઈ. મારાથી બોલ્યા વગર ન રહેવાયું, ‘સરોજ, તું ખ્વાબોની દુનિયામાં રાચે છે. આવો સમાજ મોટા વિકસિત દેશમાં તો શું, નાનાં ગામડાંમાં પણ શક્ય નથી. આ દુનિયામાં મુશ્કેલીઓ અને અપેક્ષાઓ ધૂળ અને કાદવની જેમ વ્યાપેલાં છે. આ કાદવમાં મેલા થયા વગર જીવવું હોય તો બે જ ઉપાય છે ! : ક્યાં તો આખી પૃથ્વીને ચોખ્ખી કરવા તેના પર ચામડું પાથરી દેવું, ક્યાં તો ફક્ત આપણે ચંપલ પહેરી લેવાં.’
સરોજ કહે : ‘અરે વાહ, આ તને કોણે શીખવ્યું ?’
મેં કહ્યું : ‘આ તો પચીસસો વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ કહી ગયા છે. બધાંને બદલવા કરતાં અંતરખોજ કરવી સારી. પોતે ચંપલ પહેરી લેવાં. શું કહે છે ?’

સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (15-05)


1 ) Doshi Akhil Ashutosh Vasantrai Jivraj
2 ) Gandhi Sandhya Mahesh Hematlal
3 ) Mehta Chetan Keshavlal Sukhlal
4 ) Sanghavi Zenil Rupesh Suryakant Harjivan
5 ) Shah Rushabh Jatin Navnitlal Chunilal
6 ) Shah Bipin Ratilal
7 ) Shah Kundanben Kantilal Keshavlal
8 ) Sheth Vishal Mahendra Ramniklal
9 ) Mehta Kirtikumar Avichal

Tuesday, May 14, 2013

Couple Kissing At The Beach Illusion


Is this the perfect date? Depending on how you look at things ... maybe.



Birth Anniversary (14-05)


1 ) Mehta Vaishali Samir Mahesh Chhotalal
2 ) Mehta Bhaven Kumudchandra
3 ) Mehta Prafulla Nitesh Dhirajlal Durlabhji
4 ) Mehta Vaibhav Vijay Bhogilal
5 ) Mehta Namrata Tejas Shah
6 ) Mehta Kailash Bharat Chandulal
7 ) Parekh Nipa Divyesh Panachand
8 ) Parekh Swati Simeshkumar Shah
9 ) Parekh Rushabh Parimal Kantilal
10) Sanghavi Bipin Ratilal
11) Sanghavi Nairuti Jitesh Lalitray
12) Shah Jayesh Pravinchandra
13) Shah Meena Rajesh Pravinchandra
14) Sheth Shradhdha Chetan Kishorchandra
15) Sheth Hetal Sanket Vasantlal
16) Vora Raksha Divyesh Bhogilal

Monday, May 13, 2013

પ્રેરણા ડૉ. આઈ. કે. વીજળીવાળા


બે સગા ભાઈઓ હતા. એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.
ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.

હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !
દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !

સૌજન્ય : રીડ ગુજરાતી 

Birth Anniversary (13-05)


1 ) Doshi Prince Nitin Indulal Manilal
2 ) Doshi Trusha Kirit Manilal Ujamshi
3 ) Mistry Vaishali Kalpesh
4 ) Gandhi Komal Shailesh Bhogilal Valamji
5 ) Mehta Bhavesh Prafull Trambaklal
6 ) Mehta Sonal Shashikant Chhaganlal
7 ) Parekh Prabhudas Kashidas
8 ) Sanghavi Usha Pravin Chandulal

Sunday, May 12, 2013

Mysterious Whirlpool Eats Everything


A mysterious whirlpool near Dviete, Latvia swallows everything in its path, as if a plug has been pulled from the ground beneath.



Birth Anniversary (12-05)


1 ) Doshi Shivani Hitesh Manilal Ujamshi
2 ) Doshi Hema Kirti Abhechand
3 ) Gardi Tejal Naresh Chhabildas
4 ) Lodaria Pranjivan Harjivan
5 ) Lodaria Rasiklal Chhaganlal
6 ) Mehta Divyesh Shashikant Vanechand
7 ) Mehta Saumya Viresh Hargovinddas
8 ) Mehta Dipali Jignesh Chandrakant Vanechand
9 ) Mehta Tushar Pranlal Amrutlal
10) Mehta Kalpana Vijay Khodidas
11) Parekh Priyanka Mukesh Narbheram
12) Sanghavi Mrudit Prashant Vinod Khushalchand
13) Shah Viraj Dhirubhai
14) Sheth Nita Bhupatray Khushalchand
15) Vakharia Kasak Rajesh Kishorchandra
16) Shah Chhaya Dinesh Kantilal

Saturday, May 11, 2013

વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે-શ્રી. યાસીન દલાલ

એક લોકડાયરામાં એક વક્તાએ એક સરસ વાત કહી. આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને કેળાની છાલ પર પગ આવી જાય એ આપણી કઠણાઈ કહેવાય. પણ, એ પછી આપણે ત્યાંથી ઉભા જ ન થઈએ, જમીન પર બેઠા રહીએ, અને પછી પ્રારબ્ધને દોષ દેતા રહીએ એ આપણી મુર્ખાઈ કહેવાય.

આપણું  જીવન એ સરસ મજાની ફુલોની પથારી નથી. એમાં માર્ગમાં અનેક વીઘ્નો આવે, અંતરાયો આવે, મુસીબતો આવે, અને એ બધાનો સામનો આપણે પુરા પુરુષાર્થથી, અડગ નીશ્વય બળથી કરવો પડે એને બદલે આપણે સામેથી આવતી મુસીબતને જોઈને જ શરણે જઈએ અને પછી નસીબને, વીધાતાને દોષ દઈએ ત્યારે શું સમજવું ?

પ્રયત્ન કરવો નહીં અને કરવો તો દીલચોરીથી કરવો, એ આપણી મોટી નબળાઈ છે અને પછી કોઈ ટકોર કરે ત્યારે આપણી પાસે જાતજાતની ‘એલીબી’ હાજર જ હોય છે. ‘મારા નસીબમાં નહોતું’, ‘કોશીશ તો બહુ કરી, પણ વીધાતાએ લેખ જ જુદા લખેલા’, વગેરે વગેરે લુલા બચાવ આપણી પાસે હાજર જ હોય છે. લુલા બચાવ, બહાનાબાજી અને આત્મ–પ્રતારણમાં આપણે લાજવાબ, બેમીસાલ છીએ.

આજના બધા વીવીધ ધર્મો, સંગઠીત ધર્મો, જ્યારે ઉદ્ ભવ્યા ત્યારે એમના મોટાભાગના નીયમો અને આદેશો પાછળ શુભભાવના હતી. આ બધા જ ધર્મો પોતપોતાના સમય અને સ્થળના સંજોગોથી જન્મેલાં હતાં. એ સંજોગો બદલાય એટલે કેટલાક નીયમો આપોઆપ જ ‘આઉટ ઓફ–ડેઈટ’ થઈ જાય. બજારમાંથી મળતી બધી જ દવાઓ ઉપર ‘એક્સપાયરી–ડેઈટ’ લખેલી હોય છે. સદીઓ પહેલાં ઘડાયેલા સંખ્યાબંધ આદર્શો ઉપર આવી ‘એક્સપાયરી–ડેઈટ’ છાપેલી ન હોય એટલે એ આપોઆપ શાશ્વત બની જતા નથી.

આપણે આ મહાન ભુલ કરી અને પરીણામે મહાન ગુંચવાડાઓના ચક્રવ્યુહમાં સરી પડ્યા. જે વૈજ્ઞાનીકોએ પહેલી વાર જાહેર કર્યુ  કે પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે અને એ સમયના ધર્મચક્ર પરીવર્તકોએ આકરી સજા જાહેર કરી હતી. પોપ પોલે સદીઓ પછી એ વાતનો સ્વીકાર કર્યો કે વૈજ્ઞાનીકોને એ સમયના ધર્માચાર્યોએ કરેલી સજા એ મોટી ભુલ હતી ! પણ, ક્યારેક ચા કરતાં કીટલી વધુ ગરમ હોય છે. પોપ પોલના કેટલાક અનુયાયીઓને હજી આમાં ભુલ નહીં દેખાતી હોય ! ગાંધી ખુલ્લા મનના હોય, પણ ગાંધીવાદી તો મોટે ભાગે જડ જ હોય. વૈચારીક જડતા જેવા અસાધ્ય કોઈ રોગ નથી અને માનસીક ગુલામી જેવી બુરી કોઈ ગુલામી નથી. એસ્પ્રો ખાવાથી માથું ઉતરી જાય, મીથ્યા આદર્શોની આધાશીશી ઉતારવા માટેની કોઈ ગોળી બજારમાં મળતી નથી.

ડગલે ને પગલે આપણી આસપાસ પુરુષાર્થ ભુલીને બધું પ્રારબ્ધ ઉપર છોડી દેવાની મનોવૃત્તી હવે મહાવ્યાધીનું સ્વરુપ લઈ રહી છે. આપણાં ગામડાંનો ખેડુત દુકાળ પડે કે વરસાદ ઓછો પડે ત્યારે માથે હાથ દઈને નીસાસા નાખીને કહેશે, ‘આપણે કંઈક પાપ કર્યાં છે, એની કુદરત સજા આપે છે.’ આમ બોલે ત્યારે એની નજર આકાશ તરફ હોય છે. આકાશ તરફ આપણી આંખ હોય ત્યારે આપણી બુદ્ધી જાણે થીજી જાય છે, વીચારશક્તી બુઠ્ઠી થઈ જાય છે, આકાશમાં ખોડાઈ ગયેલી આપણી આંખ આપણને કહે છે, બધું ઉપરથી જ નક્કી થાય છે. આપણા હાથમાં કંઈ જ નથી. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, પણ ઉપરવાળાની મંજુરી વીના બધુ જ વ્યર્થ છે.

આપણા હાથમાં શું ખરેખર જ કંઈ નથી ? અને, ઉપરવાળો શું માણસને પાણી કે અનાજ મળે એવી સીધીસાદી, અસ્તીત્વ ટકાવનારી વાતમાં પણ પોતાની મંજુરી આપવામાં હીચકીચાટ કરશે ? શા માટે ? માણસને ભુખે મારવામાં ઉપરવાળાને શો રસ હોય ?

પણ, આવા પ્રશ્નો આપણે કરતા નથી. આપણે હવે પ્રશ્નો કરવાનું છોડી દીધું છે, વીચારવાનું છોડી દીધું છે. જો વીચારતા હોત તો જવાબ મળી જાત. મુશ્કેલીમાંથી માર્ગ નીકળી આવત. વીચારીએ તો ખબર પડે કે પાણી વીનાના કુવાને ‘રીચાર્જ’ કરી શકાય છે. ઓછો વરસાદ આવે તોય વાંધો નહીં. જે બે પાંચ ઈંચ વરસાદ પડે એનાં એક એક ટીપાને સાચવવાનું શક્ય છે. કુવાની બાજુમાં એક ખાડો ખોદો, એમાં પાઈપલાઈન લગાવો. ખાડાને પથ્થર અને રેતીથી ઢાંકી દો. વરસાદનું પાણી ગળાઈને, ચળાઈને કુવામાં દાખલ થતું રહેશે. કુવો ભરાશે અને આજુબાજુની જમીનનું તળ ઉંચુ આવશે.

આ તો એક તદ્દન નાનો, મામુલી દાખલો થયો. આ એક નમુનો છે. પણ આપણે વીચારવાની ટેવ પાડીએ, પ્રશ્નો પુછવાની ટેવ પાડીએ તો આમ ઢગલાબંધ નવી માહીતી મળી આવે.

પશ્વીમના દેશોમાં ભાગ્યે જ દુકાળ પડે છે અને એશીયામાં તેમ જ આફ્રીકામાં વારંવાર પડે છે. એનો શો એવો અર્થ કાઢવો કે પશ્વીમના દેશોની પ્રજા પુણ્યશાળી છે અને એશીયા અને આફ્રીકાની પ્રજા પાપી છે ?

આપણી કેટલીક જુની કહેવતો જુની હોવા છતાં એમાં કેટલાંક સનાતન સત્યો સમાયેલાં હોય છે. આવી એક કહેવત છે, ‘સમય વર્તે સાવધાન’ સમયની સાથે તાલ મીલાવે એ વ્યક્તી, એ સમાજ, એ સંસ્થા ને એ દેશ ઉંચા આવે. આપણે સૌ સમયની સાથે રહેવામાં નીષ્ફળ નીવડ્યા છીએ. સાહીર લુધીયાનવી કેટલીક વાર ફીલ્મી ગીતોમાં ઉંચુ કાવ્યત્વ મુકી આપતા હતા. એમના એક ફીલ્મી ગીતની પંક્તી  જુઓ:

કોઈ રુકતા નહી, ઠેહરે હુએ રાહી કે લીયે,

જો ભી દેખેગા, વો કતરા કે ગુજર જાએગા,

હમ અગર વક્ત કે હમરાહ ન ચલને પાએં,

વકત હમ દોનોં કો ઠુકરા કે ગુજર જાએગા…

અક્ષરાંકન:ગોવીન્દ મારુ 

‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર…

Birth Anniversary (11-05)


1 ) Lodaria Priyal Rajiv Jagdish
2 ) Mehta Hansa Navinchandra Shantilal
3 ) Mehta Jigar Shashikant Pratapray
4 ) Parekh Dr. Bhavini Dinesh Jethalal
5 ) Parekh Nishita Anil Jethalal
6 ) Patel Parul Divyesh Anantrai
7 ) Sanghavi Bhavya Kamlesh Jayantilal
8 ) Sapani Vasantben Dhirajlal
9 ) Shah Parul Divyesh Patel
10) Trevadia Gaurav Pravinbhai Mulchand

Friday, May 10, 2013

Death

 
Native : Wankaner
Currently At :  Mumbai
Name of the deceased : Muktaben Shantilal Doshi
Age : 93 Years
Date of Death : 06-05-2013 
Husband :Late Shantilal Keshavji Doshi
Sons : Jaysukhbhai,Shashibhai, Harishbhai
Daughters-in-Law : Late Chandramaniben, Vijetaben, Jayshreeben
Daughter : Rekhaben
Son-in-Law : Rajnikant Bhudarlal Shah
Grandchildren:Jitin, Nitin, Ankit, Bina, Jigna, Asmita, Bijal
Father : Late Harilal Dolatchand Modi (Dhrol)

May Her Soul rest in eternal peace


વાંકાનેર (હાલ મુંબઈ) સ્વ. શાંતિલાલ કેશવજી દોશીના ધર્મપત્ની ગં.સ્વ. મુક્તાબેન (ઉં. વ. ૯૩) તે જયસુખભાઈ, રેખાબેન, શશીભાઈ, હરીશભાઈના માતુશ્રી. સ્વ. ચંદ્રમણિબેન, વિજેતાબેન, જયશ્રીબેન, રજનીકાંત ભુદરલાલ શાહના સાસુજી. જીતીન, નીતીન, અંકિત, બીના, જીજ્ઞા, અસ્મિતા, બીજલના દાદી. ધ્રોલ નિવાસી મોદી હરીલાલ દોલતચંદના સુપુત્રી ૬-૫-૧૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર ૧૦-૫-૧૩ના ૪ થી ૫.૩૦. ઠે. "પારસ-ધામ, વલ્લભબાગ ક્રોસ લેન, તિલક રોડ, ઘાટકોપર (ઈસ્ટ).

World's Highest Bicycle

;Richie Trimble rides his 14.5 foot tall bike (17 foot to eye level) through Los Angeles - from La Cienega to Venice Beach.

Birth Anniversary (10-05)


1 ) Doshi Haresh Chandulal
2 ) Doshi Naynesh Chandulal
3 ) Gandhi Darshil Rohit Bhogilal Valamji
4 ) Gandhi Rajesh Ravichand
5 ) Mehta Jayshree Jitendra Jayantilal Sukhlal
6 ) Mehta Smit Rajiv Chamanlal Jivraj
7 ) Mehta Chetan Swarupchandra
8 ) Shah Hansa Indrakant Shantilal
9 ) Shah Sachin Jashvant
10) Solani Mahesh Balwantray

Thursday, May 9, 2013

આંખ ખુલે તો સારું !–મનસુખ નારીયા–


મોડીવહેલી આપણ સૌની આંખ ખુલે તો સારું !

નહીંતર સુરજ સામે જુઓ તોય હશે અન્ધારું.

હોમ, હવનનાં કુંડાળાંનો રહ્યો છે ઘેરાવો,

વીચારોનાં માંદળીયાંઓ માણસને પહેરાવો

ક્યાં સુધી સૌ પીધા કરશે ચરણામૃતનો દારુ ?…

મોડીવહેલી આપણ સૌની…

ચમત્કારને નામે પોલમ્પોલ બધાયે ખેલ,

સમજી લે વીજ્ઞાન બધાયે સામે છે ઉકેલ,

પુરાવા–આધાર વગર કાં સ્વીકારે પરબારું ?…

મોડીવહેલી આપણ સૌની…

તું સદીઓએ બાંધેલા દોરા–ધાગાઓને છોડ,

તું વહેમો પાછળ ઉંધે માથે કર મા દોડંદોડ,

જે ઘેટાંઓની જેમ જીવે છે એને કેમ સુધારું ?…

મોડીવહેલી આપણ સૌની…

દુર દુરના ગ્રહો અમસ્તા તને જ શાથી નડે ?

જ્યોતીષ, જન્તર–મન્તર, વાસ્તુ ચક્કરમાં કાં પડે ?

અન્ધ બનેલી શ્રદ્ધાઓમાં કર મા જીવન ખારું ?…

મોડીવહેલી આપણ સૌની…

– મનસુખ નારીયા,

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

Birth Anniversary (09-05)


1 ) Doshi Vaibhav Jatin Champaklal
2 ) Mehta Manisha Rajendra Manilal
3 ) Soni Swati Manan
4 ) Shah Vaishali Jignesh
5 ) Mehta Kanakrai Shantilal
6 ) Mehta Taraben Indulal Umedchand
7 ) Shah Priti Vishal Dilipbhai

Wednesday, May 8, 2013

Michael Carbonaro - The Magic Clerk


Magician Michael Carbonaro is a magic clerk at a convenience store - with hidden cameras placed by the Jay Leno Show.


Birth Anniversary (08-05)


1 ) Doshi Jainam Nitin Jaysukhlal Shantilal
2 ) Doshi Pradip Mugatlal
3 ) Mehta Mita Haresh Vadilal
4 ) Mehta Vidyaben Swarupchandra
5 ) Valia Jesica Pinank
6 ) Sanghavi Bharati Deepak Khushalchand
7 ) Sheth Nayna Ramniklal

Tuesday, May 7, 2013

ધર્મ જેવું જ આજે ક્યાં છે?

ખરેખર ષડ્ રીપુ દુર થાય તો મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ  શંકા નથી; પરંતુ આજે ભારતમાં ધર્મ જેવું જ ક્યાં રહ્યું છે ? કેટલાંય મંદીરો છે અને દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં, મહંતો જુદા જુદા અને તે પંથ(વાડા)ને માનનારાં પણ જુદા જુદા !  આ વાડાબંધી દુર થાય અને મંદીરો બાંધવાનું બંધ થાય તો જ ધર્મ વીશે કંઈક કરી શકાય અને વ્યક્તીને આ ષડ્ રીપુ ધીમે ધીમે ઓછાં કરવાની સમજ આપી શકાય. પરંતુ ગણ્યા ગણાય નહીં એટલા પંથ અને દરેકનાં મંદીરો તથા મહંતો-સંતો ! આ બધાં પાછાં ‘મેં ભી ડીચ !’ કરીને પોતાના પંથને જ દુનીયાનો સાચો ધર્મ–પંથ માને છે અને અનુયાયી પાસે મનાવડાવે છે ! પછી ધર્મ જેવું રહેતું જ નથી. ધર્મની હાટડીઓવાળા સંતો પોતાના અહંકાર પ્રમાણે જ બધાને દોરે છે, માર્ગદર્શન આપે છે. એમાં સાચો ધર્મ અલોપ થઈ જાય છે. પોતે વૈભવી એરકન્ડીશન્ડ ગાડીઓમાં ફરવું, રહેવું અને પ્રજાને મુરખ બનાવી એશઆરામ કરવો. બધી જાતનાં ભૌતીક ભોગો-ઐયાશી-ભોગવવાં તે સીવાય એ હાટડીસંતોને બીજું દેખાતું જ નથી, સમજાતું નથી એટલે પોતે જ કામ, ક્રોધ, મોહ વગેરે ષડ્ રીપુ છોડી શકતા નથી તો સામાન્ય વ્યક્તી તો માર્ગદર્શન વગર અટવાઈ તેમાં નવાઈ નહીં ! માનવી બીજા માનવીને મનુષ્ય તરીકે જોતાં શીખે અને વર્તે તો પણ ઘણું કહેવાય ! માનવીને જ માનવીની કીંમત નથી, પછી ષડ્ રીપુ ક્યાંથી છુટે ? ઉલટા વધારે ઉંડા ઘુસી જાય ! અને આમાં જ ધર્મની અધોગતી થાય છે. ‘ધર્મ એટલે તો ફરજ’ ! ઈશ્વરે મનુષ્યને ભૌતીક જીવનમાં જે ફરજો બજાવવાની આપી છે તે પ્રમાણે માનવી ચાલે તે જ ધર્મ ! ધર્મ કાંઈ વાડામાં બંધાય ?

ડૉ. કે. ટી. સોની,

‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી  સાભાર…..