Sunday, June 30, 2013

Samaj Utkarsh Volume No 584 May 2013



To read Pages 1 to 8 of Samaj Utkarsh click here

To read Pages 9 to 17  of Samaj Utkarsh click here

To read Pages 18 to 24 of Samaj Utkarsh click here

To read Pages 25 to 32 of Samaj Utkarsh click here

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

પરિસ્થિતિ અને મનઃસ્થિતિ – નવનીત શાહ


કોઈ દુઃખદ પ્રસંગ બની ગયો હોય, તો તે પ્રસંગને, તે પરિસ્થિતિને આપણે સહેલાઈથી બદલી શકતા નથી, પણ એ પ્રસંગ કે પરિસ્થિતિ અંગે આપણી મનઃસ્થિતિ બદલવાનું આપણા હાથમાં જ છે. કોઈ દુઃખદ પ્રસંગ જીવનમાં બની ગયો હોય, ત્યારે કેટલાક માણસો મનથી ભાંગી જાય છે. જ્યારે આવી પરિસ્થિતિમાં કેટલાક માણસોનાં મન મજબૂત અને લીલાં રહે છે. તેઓ દુઃખને જીરવી લે છે. દા.ત. યુવાન પત્નીનું અવસાન થાય, બે નાનાં બાળકો હોય, ત્યારે મજબૂત મનની વ્યક્તિ વિચારે છે કે, આ વિષમ અને દુઃખદ પરિસ્થિતિ બદલી શકાય તેમ નથી. પણ તે અંગે વિચારવાની મનઃસ્થિતિ તો ખસૂસ બદલી શકાય છે. તેને આ વિષમ પરિસ્થિતિથી દુઃખ તો થાય જ છે, પણ તે સમજી શકે છે કે, જે થયું તે ન થનાર થશે નહિ. તો આ વિષમ પરિસ્થિતિનો સામનો કરવા માટે મનને શા માટે ન બદલવું જોઈએ ? આજના જમાનામાં શહેરમાં માણસ એવો દોડતો જ સતત રહે છે કે, એને સહેજ ઊભા રહીને પોતાના વ્યક્તિગત દુઃખનો અહેસાસ કરવાની પણ ફુરસદ મળતી નથી. લોકો જ્યારે એને આશ્વાસન આપવા માટે આવે છે, ત્યારે તેને પોતાનું દુઃખ યાદ આવે છે અને ઘડી ભરને માટે તે દુઃખી થઈ જાય છે. પણ પછી જીવનની ઘટમાળમાં એ એવો લપેટાઈ જાય છે કે, તેને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે, તે પોતાનું વ્યક્તિગત દુઃખ આટલું જલદી કેવી રીતે ભૂલી ગયો ? દુઃખના શરૂઆતના દિવસો બહુ કપરા હોય છે. એ દિવસોમાં જેને માથે દુઃખ તૂટી પડ્યું હોય છે તે નિરાશ જ નહિ, અપિતુ હતાશ પણ થઈ જાય છે.
એક પ્રસંગ યાદ આવે છે. એક માણસનો એકનો એક દીકરો ડૂબીને મરી ગયો. પિતા બહાર ગયા હતા. પિતા દીકરાને ખૂબ જ ચાહતા હતા. માને દીકરાના ડૂબી જવાના સમાચાર મળ્યા. તેને ખૂબ જ દુઃખ થયું. દીકરાનું શબ ઘેર લાવવામાં આવ્યું. માને થયું, પિતા તો દીકરાને મરેલો જાણી તદ્દન ભાંગી પડશે. તેણે એક વિચાર ઘડી કાઢ્યો. તે બહાર બેઠી અને પતિની રાહ જોવા લાગી. દૂરથી પતિને આવતો જોયો. તે મોટેથી રડવા લાગી. પતિ નજીક આવ્યો અને પૂછ્યું, ‘તું કેમ રડે છે ?’ પત્નીએ કહ્યું, ‘પડોશમાં રહેતી પેલી સ્ત્રીએ મને બે કડાં આપ્યાં હતાં. તે કડાં મને ખૂબ જ ગમતાં હતાં. આજે તેણે એ બે કડાં મારી પાસેથી માગી લીધાં. એટલે હું રડું છું.’ પતિને કહ્યું, ‘એ કડાં તારાં તો હતાં જ નહિ. જેનાં હતાં તે એ કડાં લઈ ગયું. એમાં રડવાનું શું ?’ પત્નીએ કહ્યું, ‘પણ એ કડાં મને ખૂબ જ ગમતાં હતાં.’ પારકાનાં હતાં અને હવે એ કડાં પારકાં થઈ ગયાં, જેનાં એ કડાં હતાં, એની પાસે એ કડાં ગયાં. એમાં ખોટું શું થયું ?’ પતિએ કહ્યું. પત્નીને સહેજ શાન્તિ વળી. તે પતિને ઘરમાં લઈ ગઈ. પ્રિય પુત્રનું શબ દેખાડીને પત્નીએ પતિને કહ્યું, ‘આ દીકરો ઈશ્વરે આપણને આપ્યો હતો. ઈશ્વર આજે એને લઈ ગયો છે. જેનો હતો એની પાસે આજે એ ગયો. એમાં ખોટું શું થયું ?’ તે પતિએ, એક પિતાએ, દુઃખ તરફથી પોતાનું મન વાળી દીધું. જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, એ પરિસ્થિતિ લાખો ઉપાયો થકી પણ બદલાવવાની નથી. પણ મનને આપણે વાળી શકીશું યા બદલી શકીશું. માણસ જો સમજે કે થયું તે થનાર નથી થવાનું તો માણસ કદી નિરાશ કે હતાશ થશે નહિ. આપણે અનુભવીએ છીએ કે કેટલાં દુઃખો ભૂલી જવાં કપરાં છે. માણસ જ્યારે દુઃખથી ભાંગી પડે છે, ત્યારે તેણે સમજવું જોઈએ કે, આવી પડેલી પરિસ્થિતિ બદલાશે નહિ, પણ મનઃસ્થિતિ બદલી શકાય છે. બસ, આટલું સમજપૂર્વક જાણી લઈએ તો દુઃખ હળવું થઈ જાય. બીજાંઓને બતાવવા માટે જો દુઃખ પ્રકટ કરવાનું હોય, તો તેમાં નરી બનાવટ કરવા કરતાં દુઃખને ભૂલી જઈને હળવા ફૂલ જેવા થઈ જવું સારું.
આપણને ખ્યાલ છે કે, બધાં દુઃખો અંતઃકરણમાંથી પ્રકટ થતાં નથી. દુઃખ પ્રકટ કરવામાં પણ કેટલીક વાર ઔપચારિકતા આવી જાય છે. એના કરતાં તો મનઃસ્થિતિને બદલીને દુઃખને હળવું કરવાનો પ્રયત્ન કરવો રહ્યો.
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (30-06)


1 ) Doshi Beena Mukesh Kasturchand
2 ) Mathakia Adit Vimal Mahendra Nanchand
3 ) Mehta Akshay Surendra Jevantlal
4 ) Mehta Chintan Suresh Jethalal
5 ) Shah Dilipbhai Chamanlal
6 ) Shah Manisha Nishant Dilipbhai
7 ) Shah Ketan Mahendra Keshavlal
8 ) Shah Jasmin Chimanlal
9 ) Vora Jigna Jagdish Himatlal

Saturday, June 29, 2013

Real Life Heroes Compilation

A compilation dedicated to real life heroes who save lives, but often remain unacknowledged.

Birth Anniversary (29-06)


1 ) Doshi Nirali Shailesh Mansukhlal
2 ) Lodaria Kejal Ashwin Navinchandra
3 ) Shah Arvind Thakorlal
4 ) Lakhani Hemali Paras
5 ) Lodaria Piyush Suresh Jayantilal

Friday, June 28, 2013

પડકારોના સમાધાનમાં જ ઉજ્જવળ ભવિષ્ય

પ્રત્યેક ધર્મનાં પાંચ ઘટક છે.

૧ કર્મકાંડ ૨ આચાર વ્યવસ્થા  ૩ માન્યતાઓ ૪ માનવતા અને ૫ પારસ્પરિક સમાનતા અથવા અસમાનતા

હિંદુ ધર્મ સિવાય કોઇપણ ધર્મોમાં લાંબા લાંબા કર્મકાંડ નથી. પ્રથમ કર્મકાંડને સરળ-સહજ અને ખર્ચ વિનાનું સૌથી પાળી-પળાવી શકાય તેવું બનાવવું જોઈએ. કર્મકાંડના  અતિરેક્થી ધર્મોમાં જડતા આવે. વિધિ કરનાર કે કરાવનાર સમજી કે સમજાવી શક્તો નથી. માત્ર ગતાનુગતિક કર્યા કરવા કરતાં પ્રભુપ્રાર્થના ઉત્તમ.

બીજો પડકાર આચાર વ્યવસ્થાનો. પાપ-પુણ્ય મુખ્ય ઉચ્ચ મૂલ્યો વિના સમાજની રચના શક્ય ના બને. એટલે મૂલ્યો જરૂરી છે. ખરા અર્થમાં પાપ-પુણ્ય હોવાં જોઇએ. આપણે ત્યાં પાપ નથી તેને મહાપાપ સમજવામાં આવતું જેમ કે  અશ્પૃસ્યતા, પુનઃલગ્ન, વિધવાવિવાહ, ડુંગળી, લસણ, રિંગણા ના ખાવા, આંતરજ્ઞાતીય લગ્નો.

જેવું પાપનું તેવું જ પુણ્યનું. તીર્થસ્નાન, ઉપવાસ, યાત્રા યજ્ઞ મહાપુણ્ય. આ પુણ્યની ભ્રાંત વ્યાખ્યા છે. કોઇ પુણ્ય નહીં. સ્નાન કરવું આરોગ્ય સ્વચ્છતાનો વિષય છે પાપ ધોવા કે નવો ઉત્તમ જન્મ કે સ્વર્ગ માટે નહીં. ઉપવાસ-આરોગ્ય માનસિક સ્વસ્થતા માટે છે યાત્રા પ્રવાસ જ્ઞાન વૃદ્ધિ માટે છે. યજ્ઞો પશુબલિ કે અન્નબલિ માટે થાય તે પુણ્ય ના ગણાય. વ્યક્તિ, સમાજ રાષ્ટ્ર કે માનવતાના સુખ, હિત માટે પ્રયત્નો કરવાં તે પુણ્ય ગણાય. કોઇ જ કલ્યાણ ના  થાય તેવા કઠોર તપ વ્રત પુણ્ય નથી વેદના અને અંધકાર સિવાય તેનું કશું પરિણામ નથી.

મહતવનો પડકાર માન્યતાઓ છે દરેક ધર્મની અલગ માન્યતાઓ હોય. ઈશ્વર, આત્મા, પરલોક, પુનઃર્જન્મ, સ્વર્ગ-નરક, મોક્ષ, અવતાર, તીર્થકંર, પેગંબર, દૈવી પુસ્તક વગેરે પરસ્પર વિરોધી માન્યતાઓ દરેક ધર્મમાં-ગ્રંથોમાં આડકતરી રીતે જોડાયેલી હોવાથી માન્યતાઓ તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, પરમજ્ઞાન વગેરે  પરસ્પર અત્યંત વિરોધી હોવા છતાં આવી માન્યતાઓ સંપ્રદાયો સાથે જડબેસલાક સ્થિર થઇ ગયેલી હોય છે.

ધર્મના નામે ગમે તે માન્યતાઓ પ્રચલિત થતી-પ્રયોગશાળાના અભાવે શિક્ષણક્ષેત્ર પણ ધર્મક્ષેત્રની અંદર જ આવી જતું એટલે માન્યતાઓની પૃષ્ટિનું જ શિક્ષણ અપાતું પડકાર આપનાર ઉભો થાય તો તેને ધર્મની વ્યવસ્થા પ્રમાણે જીવતો બાળી મુકાતો યુરોપના ધર્મે સ્ર્વેટ્સ,બ્રુનો, વિકિલફ,ફ્રાંસિસ વાલ્ડો જેવા પડકરોને જીવતા સળગાવી મૂક્યા

સત્યની વ્યાખ્યા અને સ્થાપના કરવાનું મુખ્ય કર્તવ્ય એવા ધર્મે સત્યની વેદી બનાવીને આજ સુધી સત્યોપશાકોની આહુતિઓ લીધી છે. ધર્મ સત્યની વેદી બનાવીને ઉભો હોત અને અસત્યની આહુતિ અપાઇ હોત તો વિશ્વ સ્વર્ગથી ઉત્તમ બન્યું હોત પણ ઊલટું થયું વિશ્વ સ્વર્ગ નહીં પણ અસંખ્યવાર યાતનાઓનું કેન્દ્ર બની ગયું. યુરોપના પડકારોની આહુતિ એળે ના ગઇ અડધો યુરોપ(પૂર્વ યુરોપ) ધર્મ વિનાનો  થઇ ગયો અને બાકીનો મંદ ધર્મ બની ગયો.

જે યુરોપમાં થયું તે ભારતમાં ન થયું. અહિં પડકારો આપનારને બળાયાં નહીં. પરંતુ તેમાંના કેટલાકને ભગવાન અવતાર ઋષિ-મુનિ માની લેવાયાં તેનું સારું પરિણામ એ કે અહિં  ધર્મના નામે પ્રચુર હિંસા ના થઇ પણ કુ-પરિણામ એ આવ્યું કે  પ્રજા અસંખ્ય સંપ્રદાયો અને માન્યતાઓમાં વહેંચાઇ ગઈ  તેથી સંગઠન શક્તિ ઊભી ન થઈ શકી જે પ્રજા વૈચારિક સંઘર્ષ ન કરી શકે તે ઢીલી અને ઐતિહાસિક મહત્વ વિનાની થઇ જાય છે. આપણે બધાનું બધું સ્વીકારતા રહ્યા એટલે મક્કમ પ્રજા તરીકે કાઠું ન કાઢી શક્યા એટલે હવે અનેક પ્રકારની માન્યતાઓનો ભારો આપણે માથે છે તેના સામે પ્રજા સામે સૌથી મોટો પડકાર વિજ્ઞાનનો-પ્રયોગશાળાનો છે. આપણી પાસે બે માર્ગ છે એક ધર્મમાં વિજ્ઞાન પ્રવેશી ના જાય તેટલી ઊંચી વાડ ધર્મને ફરતે કરી લેવાનો અને બે વિજ્ઞાનનો સ્વીકાર કરી શકાય તેટલી ધાર્મિક માન્યતાઓને સુધારી લેવાનો. પ્રથમ માર્ગ થોડો સમય સફળ રહી શકે પણ વિજ્ઞાન સામેની ગમે તેટલી ઊંચી દિવાલો અંતે સંઘર્ષ દ્વારા ઢળી પડવાની અને પાયા સાથે ઉખળી જશે. તેના કરતાં વૈજ્ઞાનિક તથ્યોને સ્વીકારીએ અને ધાર્મિક માન્યતાઓને વધુ સંગત બનાવીએ. પૂર્વજન્મનાં કર્મફળ માની બેસી રહેવાની પ્રેરણાથી પ્રજા વધુને વધુ દુઃખી થયા કરશે. એના કરતાં વધુ હિતકારી છે કે આપણે વિજ્ઞાનને સ્વીકારીને ધર્મ સાથે તેનો સુમેળ બેસાડીને ધર્મ વિજ્ઞાનનો સરવાળો કરી શકીશું તો અંધશ્રદ્ધા અને જડવાદથી બચી શકીશું.

વિજ્ઞાન અને નાસ્તિકતા અલગ છે. વિજ્ઞાનનો પડકાર મોટાભાગે પ્રયોગશાળાનાં તથ્યોથી આધારિત છે. જ્યારે નાસ્તિકતાનો પડકાર મોટાભાગે તર્કો આધારિત હોય છે. પ્રબળ તર્કો અને પ્રબળ નિષ્ઠામા નિષ્ઠાનો  જ વિજય થતો હોય છે. જે ટક્યું છે તે નિષ્ઠાના બળે. વૈજ્ઞાનિકો નાસ્તિક નથી હોતાં, આપણીધાર્મિક માન્યતામાં ફીટ ન થનારને આપણે નાસ્તિક માનીએ તે અલગ વાત છે. પ્રાકૃતિક તત્વોની ગહનતા સુધી પહોંચનાર અણુની નિશ્ચિત નિયમબદ્ધતાને અવૈજ્ઞાનિક નથી સમજી શકતો .

વિજ્ઞાનને નાસ્તિકતા માનવી અને સંપ્રદાયોની દ્રઢ માન્યતાઓને ધર્મ માની લેવો એ મોટી ભૂલ છે. વિજ્ઞાન અને ધર્મનું લક્ષ્ય વિરોધી નથી સત્યતા સાક્ષાત્કારનું એક લક્ષ્ય છે.

ધર્મને  શતપ્રતિશત  તાર્કિક નથી કરી શકાતો તેમ વ્યક્તિને પણ શતપ્રતિશત તર્કિક નથી કરી શકાતો. લાગણીના ગણિતો તર્કથી પર છે.અને કોઇપણ વ્યક્તિને લાગણીહીન ન બનાવી શકાય.  લાગણીહીન  જીવન યંત્રમય બની જાય.

માનવતાનો ચોથો પડકાર આપણે ધર્મની મહત્તા, અનુયાયીઓની સંખ્યા, મંદિરો તથા ધર્મસ્થાનોની જાહોજલાલી, સોનાના કલશ, હીરા-માણેકના દાગીના માનીએ છીએ. આને કારણે ધર્મસ્થાનોમાં અઢળક  સંપત્તિ  ભેગી થતી રહી. એટલી બધી કે વિધર્મીઓને લૂંટવા માટે પ્રેરતી રહી. અને વારેવારે મન થતું રહ્યું. સતત મંદિરો લૂંટાતા રહ્યાં. ધનની સાથે મંદિરો, તેની કલાત્મકતાનું ખંડન, મૂર્તિઓ ખંડન અને પ્રજાનું ધર્માંતરણ બધું એક સાથે થતું રહ્યું. શાંતચિત્તે વિચારતાં જણાશે કે ધર્મસ્થાનોમાં ઢગલો થયેલી સંપત્તિએ  આપણાં ધર્મને, નિષ્ઠાને અને પ્રતિષ્ઠાને પારાવાર હાનિ પહોંચાડી છે. મંદિરો સોનાચાંદીથી ઉભરાંતા રહ્યાં ના હોત તો વિધર્મીઓનું  આક્રમણનું મુખ્ય કારણ સમાપ્ત થઇ જાત.

સોના ચાંદીથી ઉભરાંતા મંદિરોમાં મજબૂત લોખંડની જાળી ઉપર મોટું મજબૂત તાળું, ક્યારેક તો મોટાં બે-ત્રણ તાળાં હોય ત્યારે વિચાર થાય કે ભગવાનનાં નસીબ ફૂટીં ગયાં છે કે આનાડીઓનાં હાથમાં પડ્યાં. આટલાં મોટાં તાળાં તો ખૂનના કેદીઓને લગાવવામાં નથી આવતાં.

ધર્મસ્થાનોની સંપત્તિ ડેડ-કેપિટલને બદલે પ્રવાહી મૂડી બનાવીને તેને સમાજલક્ષી અને હેતુલક્ષી બનાવી હોત તો ધર્મસ્થાનોની સંપત્તિથી પ્રજાને સ્વર્ગની અનુભૂતિ કરાવી શકાત.

પાંચમો પડકાર ઉંચ-નીચ ભેદ વિશ્વમાં આર્થિક શૈક્ષણીક અને રાજકીય અસમાનતા તો રહેવાની જ પણ ધાર્મિકક્ષેત્રે માનવ માટે સમાનતાનું ક્ષેત્ર હોવું જોઇએ. ધર્મના ક્ષેત્રે લિંગભેદ અને વર્ણભેદ કરીને તેને સ્થાયી બનાવવા માટે રૂપાળું નામ ‘ધર્મમર્યાદા’ આપીને અન્યાયને પોષવાનું કામ આવી મર્યાદાઓને સોંપાયું. સ્ત્રીઓને પણ દાસીપણામાં જકડવામાં આવી.

આ પાંચ પડકારોના સમાધાનમાં પ્રજાનું ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે.

(સચ્ચિદાનંદના “ચાલો અભિગમ બદલીએ”પુસ્તકમાંથી)

સૌજન્ય : મીતાનું મનોમંથન

Birth Anniversary (28-06)


1 ) Doshi Dishant Jayesh Trambaklal
2 ) Lodaria Shailesh Chhotalal
3 ) Sanghvi Rita Bhupendra Chandulal
4 ) Sanghvi Dhruv Atul Chandrakant
5 ) Shah Nirmit Pankaj Manharlal
6 ) Shah Bhavisha Darshan Suryakant

Thursday, June 27, 2013

How To Cross A River With Two Excavators

No bridge? No problem! Resourceful Russians in northern Siberia invented a new mode of transportation.

Birth Anniversary (27-06)


1 ) Mehta Sachin Indravadan Ujamshi
2 ) Parekh Chetna Prakash Jayantilal
3 ) Mehta Usha Pravinchandra Khodidas
4 ) Parekh Aashish Kishorchandra
5 ) Shah Karan Vijay Ravichand
6 ) Shah Nirvan Hemal Narendra
7 ) Gandhi Chirag Bipin Amrutlal

Wednesday, June 26, 2013

Avsan

imggallery


શ્રીમતી વસંતબેન રમણીકલાલ રવજીભાઈ પટેલના પત્ની થાય . રમણીકભાઈ પટેલે ઘાટકોપર મિત્ર મંડળને મોટી રકમનું દાન આપેલ છે અને તેમાંથી એન્જીયોગ્રાફી અને PAP ટેસ્ટ ની સહાય આપવામાં આવે છે . રમણીકભાઈને ઈશ્વર આવી પડેલ દુખ સહન કરવાની હિમત આપે અને મૃતના આત્માને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના  .

ગંદકી અને શ્રીહરી… મુસીબત ખરેખરી ! -દીનેશ પાંચાલ

એક હબસી ટુરીસ્ટે ભારતનો પ્રવાસ કર્યા બાદ તેની ડાયરીમાં લખેલું, ‘ઈન્ડીયા ઈઝ અ ડર્ટી કન્ટ્રી.’ કોઈ હબસી ભારત વીશે આવું સર્ટીફીકેટ આપી જાય તે ભારતની ગંદકી પર આઈ.એસ.આઈ.ની મહોર લાગ્યા જેવી બાબત ગણાય. (સુરતમાં થોડા દીવસ ફર્યા પછી તે એવું લખવા પ્રેરાયો હશે એવી ધારણા હતી; પણ ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી નીહાળ્યા પછી લાગ્યું કે ત્યાંથી જ તેને આવું લખવાની પ્રેરણા મળી હશે.) ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી સગી બહેનો જેવી છે. ડાકોરના રસ્તા પર દીનદહાડે છોકરા ઝાડે બેસવાનું સ્વાતંત્ર્ય ભોગવે છે. ગોમતીઘાટનું એક દૃશ્ય સ્મૃતીમાંથી ખસતું નથી. થોડીક ટુરીસ્ટ સ્ત્રીઓ બાળકોએ બગાડેલાં કપડાં ધોઈ રહી હતી. એક ફરસાણની દુકાનનો નોકર તેલવાળા વાસણો પાણીમાં ઝબોળી રહ્યો હતો. બાજુમાં એક કુતરો કોહી ગયેલું નારીયેળ ખાઈ રહ્યો હતો. આ બધાંથી દુષીત થયેલું પાણી લીલું ઝેર જેવું જણાતું હતું. થોડે દુર શ્રદ્ધાળુઓ હથેળીમાં એ પાણી લઈ ચરણામૃતની જેમ પીતા હતા. પગ બોળો તો ગંદા થઈ જાય એવું પાણી લોકો શ્રદ્ધાને નામે પેટમાં પધરાવતા હતા. શ્રદ્ધા શ્રદ્ધાને સ્થાને ઠીક છે; પણ તેને માટે આરોગ્યશાસ્ત્રના નીયમોને નેવે મુકો તો પુણ્ય નહીં; હૉસ્પીટલ મળે. એ જમાનો વહી ગયો જ્યાં ભગવાન ભરોસે મીરાંબાઈ ઝેરનો કટોરો પી ગયેલાં. હવે ઝેરનાં સરનામાં બદલાયાં છે. ઝેર માત્ર ‘પૉઈઝન’ના લેબલવાળી શીશીમાં જ નથી હોતું; આઈસક્રીમ કે રસમલાઈમાં પણ હોય છે. અરે… ! ભગવાનના પ્રસાદમાં પણ છુપાયેલું હોય છે. એક મહીના પહેલાંના સત્યનારાયણના પ્રસાદ પર ફુગ આવી ગઈ હતી. તે ફેંકી દેવાને બદલે શ્રદ્ધાપુર્વક આરોગી જતી એક ડોસીને મેં નજરે જોયેલી. માની લઈએ કે પ્રસાદનો અનાદર ન કરાય; પણ ઝેરનોય ના કરીએ તો મોક્ષ નહીં ‘જશલોક’ મળે.

ધાર્મીક સ્થળોની  આસપાસ આટલી ગંદકી કેમ હોતી હશે એ વાત મેં ઘણી વાર મંદીરના ફરસ પર બેસી વીચારી છે. એ બે વચ્ચે માણસ પુલ બને છે. માણસ ભગવાનનું ઘર સ્વચ્છ રાખવા મથે છે; પણ પોતાની અસ્વચ્છતા દરગુજર કરે છે. ભગવાનના થાળ માટે જેટલી કાળજી લે છે તેટલી પોતાના ભોજનથાળ માટે નથી લેતો. પ્રસાદમાં એકાદ જીવડું મરી ગયેલું જણાય તો બધો પ્રસાદ ફેંકી દેતો માણસ, દાળમાંથી નીકળેલા વાંદાને નજરઅંદાજ કરી દે છે. પીવાનું પાણી ચરણામૃત જેટલું ચોખ્ખું હોવું જોઈએ એવો તે આગ્રહ નથી રાખતો. પુજા કરતાં પહેલાં એ પ્રભુની મુર્તી ધુએ; પણ જમતાં પહેલાં હાથ ન ધુએ. પુજારી રોજ કૃષ્ણનું પીતાંબર બદલે; પણ પોતાનું ધોતીયું મેલુંદાટ હોય. રોજ એ દીવો કરે; પણ દાઢી ન કરે.

મંદીરો કે ધાર્મીક સ્થળોએ યોજાતા ‘મહાપ્રસાદ’માં થાળી–વાટકા ઠીક સાફ ન થયાં હોય તેવું વેઠી લેવું પડે છે. તે પર આગલા ભોજનના અવશેષો વળગેલા હોય તે જોઈએ ત્યારે પવીત્ર સ્થળને બદલે કોઈ ભંગાર લૉજમાં જમવા બેઠા હોય એવું લાગ્યા વીના ના રહે… ! આવા ઘણા વાંધાઓને કારણે મીત્રોએ મારા નામ પર ‘નાસ્તીક’ની મહોર મારી છે. પણ શ્રદ્ધાને નામે ફુગવાળો શીરો ખાઈ જવો એ શ્રદ્ધા નહીં; અબૌદ્ધીકતા ગણાય. ધાર્મીકતા અને ગંદકી વચ્ચેની આવી અશોભનીય જુગલબન્ધી સાચા આસ્તીકને કદી ન પરવડવી જોઈએ. ફક્ત બે મીનીટ નીચેના પ્રશ્નને ફાળવો. અસ્વચ્છતાથી કોને હાની પહોંચી શકે – જીવતાજાગતા માણસને કે ભગવાનની મુર્તીને ? મંદીરની આસપાસની ગંદકી ભક્તોની સ્વરચીત નીપજ હોય છે. મંદીરનાં સંડાસો, આપણને મળના ઢગલાથી ઉભરાતાં રેલવેનાં સંડાસોની યાદ અપાવે છે. બાથરુમમાં લીલ બાઝી હોય, અંદરથી પેશાબની તીવ્ર દુર્ગન્ધ આવતી હોય, મંદીરનાં પગથીયાં આગળ બગડેલાં નાળીયેરો ફેંક્યાં હોય, એ બધામાં ડાકોરના ઠાકોરનો કેટલો વાંક ? પવીત્રતા નાકથી સહન થાય એટલી જ ગંદી હોવી જોઈએ, એથી વધુ નહીં. મારું ચાલે તો દરેક મંદીરોની બહાર પાટીયાં મરાવી દઉં : ‘ઈશ્વર માત્ર મંદીરમાં જ નહીં; બહાર પણ વસે છે. એને શ્રીફળ કરતાં સ્વચ્છતા વધુ પસંદ છે. આરતીના ઘોંઘાટ કરતાં નીરવતા વધુ પસંદ છે. એથી શાંતી અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભક્તી ગણવા ભક્તોને હાર્દીક અપીલ છે.’ સંતો અને ધર્મપંડીતો લોકોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા પરસેવો પાડી રહ્યા છે. ધાર્મીકતા તેમનું એક માત્ર લક્ષ્ય છે. ધાર્મીક કહેવડાવતો માણસ કેવી ખરાબ રીતે જીવે છે તે તરફ તેમનું ધ્યાન ભાગ્યે જ જાય છે. દરેકના હાથમાં માળા હોય તેવો આગ્રહ રાખતો ધર્મગુરુ, એ વાતને નજરઅંદાજ કરે છે કે ગલ્લા પર બેઠેલો માણસ દીવસમાં કેટલાં કાળાં કર્મો કરે છે. શ્રદ્ધા કે ભક્તી અમાનવતાના વરખમાં લપેટાયેલી હોય તે શા કામની ? મા દીકરાને ખુબ વહાલ કરે; પણ તેનું ગળતું નાક સાફ કરવાનું તેને ન શીખવે તેવો ઘાટ થાય છે. શ્રદ્ધાળુઓએ યાદ રાખવું પડશે. વાળી ઝુડીને સાફ કરેલા આંગણામાં જ રંગોળી શોભે. ગંદા આંગણામાં શોભતી નથી. જીવનની સ્લેટ સાફ કર્યા પછી જ તે પર ધર્મનો એકડો ચીતરી શકાય. આપણે એવા દીવસની પ્રતીક્ષા કરીએ, જેમાં મોરારીબાપુ તેમની કથામાં રામાયણ કે વેદ-ઉપનીષદ સમજાવવાની સાથોસાથ માણસની ગંદી કુટેવો માટેય બે શબ્દો કહે. માણસ નવ દીવસ સુધી કથા સાંભળે અને ઘરે જતી વેળા ચાલુ બસે બહાર એવી રીતે થુંકે છે કે ક્યાં તો એ રસ્તે ચાલતા રાહદારી પર પડે ક્યાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરના મોઢા પર પડે. એ થોડાંક થુંકમાં આખું રામાયણ ધોવાઈ જાય છે. (મોરારીબાપુની કથા વખતે પાલાની મુતરડીઓની પુરી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં; બહાર ગમે ત્યાં ઉભા રહી  પેશાબ કરતા ભક્તોને નજરે જોયા છે.)

આપણા ધર્મપ્રેમીઓને ધર્મ પુર્વે સ્વચ્છતાની મહત્તા સમજાય તે જરુરી છે. મળસ્કે પાંચ વાગે ઉઠીને ગીતા વાંચતા માણસના ઘરમાં ઢગલેબંધ કચરો ખુણેખાંચરે પડ્યો હોય ત્યારે એ વાત સાચી લાગે છે. ગીતા હાથમાં લઈ મનનો કચરો સાફ કરતાં પહેલાં ઘરનો કચરો સાફ ન કરો તો કૃષ્ણ કેવી રીતે રાજી થાય ? ગંદા ઘરમાં ધર્મની રંગોળી શોભતી નથી. ભક્તોને પુજાપાઠ વડે ધાર્મીક સ્થળો ગંદાં કરવાનો અધીકાર ન હોવો જોઈએ. પવીત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થીતી સામે પહેલો વાંધો આસ્તીકોને જ હોવો જોઈએ. આપણા દેવો નસીબદાર છે. માણસ દેવનું ઘર સાફસુથરું રાખે છે. પણ પોતાના ઘરની તો ગમે તેવી ગંદકીને એ ગાંઠતો નથી. (અહીં નરી આંખે દેખાતી ભૌતીક ગંદકીની જ વાત કરી છે… માણસના મનના ગોડાઉનની પાર વીનાની વૈચારીક ગંદકીનો એમાં સમાવેશ થતો નથી.) મધર ટેરેસાએ ખોટું નથી કહ્યું. ‘ઈશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહીં મળે. એ તો મૌનનો મીત્ર છે. આપણે એટલા માટે સ્વચ્છ અને પવીત્ર રહેવું જોઈએ કે ઈશ્વર આપણામાં રહી શકે… !’

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 


Birth Anniversary (26-06)


1 ) Doshi Ketankumar Jashwantlal
2 ) Doshi Ranjan Rajnikant Chandulal
3 ) Gandhi Vaishali Apurva Manharlal
4 ) Doshi Rama Harish
5 ) Patel Lata Chhabildas
6 ) Shah Hemali Viral Pinakin
7 ) Shah Tushar Pravinchandra
8 ) Shah Pooja Divyesh Kishorbhai
9 ) Shah Mukesh Chhabildas
10) Sheth Yogesh Mahendra Jivraj
11) Gandhi Vaishali Apurva Manharlal
12) Doshi Ramaben Harish
13) Lodaria Dinesh Maganlal

Tuesday, June 25, 2013

Terrafugia TF-X Flying Car


Terrafugia's TF-X plug-in hybrid flying car will be able to take off and land like a helicopter.


Birth Anniversary (25-06)


1 ) Parekh Dimple Divyesh Hasmukhlal
2 ) Patel Indumati Panachand
3 ) Shah Rishabh Aashish Rashmikant
4 ) Shah Dhara Vishal Mahendra
5 ) Shah Usha Prafullchandra Himatlal
6 ) Shah Manish Vasantrai Gulabchand
7 ) Shah Jyoti Ashok Manharlal
8 ) Vasa Jagruti Nilesh
9 ) Sheth Harshil Nemish Dhanvantrai
10) Vora Mahir Paresh Gunvantrai
11) Mehta Viresh Chunilal

Monday, June 24, 2013

માનવતા એ જ દેશભક્તી–વલ્લભભાઈ ઈટાલીયા

માણસ પ્રદર્શનપ્રેમી પ્રાણી છે. માણસ જે છે એનાથી સારો દેખાવાનો સતત પ્રયાસ કરતો રહે છે; જે છે એનાથી સારો બનવાનો પ્રયાસ ભાગ્યે જ કરે છે. કાર્યવૃત્તી નહીં; પ્રદર્શનવૃત્તી માણસને વધારે પસંદ પડે છે. સદીઓથી આપણને ખોટા વીચારો, ખોટી માન્યતાઓ પીરસવામાં આવ્યાં છે. આપણે સાચી દીશામાં વીચારવાની શક્તી બહુ ઝડપથી ગુમાવી રહ્યા છીએ.

દેશપ્રેમ અને દેશદ્રોહ બંને અલગ અલગ છેડાના શબ્દો છે. બંને વચ્ચે બહુ મોટી ભેદરેખા છે; પરન્તુ આપણે ઘણીવાર એ ભેદને પારખવામાં માર ખાઈ જઈએ છીએ.

મજુરોને એમના પરસેવાનું વાજબી મહેનતાણું આપે એ માલીક દેશભક્ત છે અને મજુરોનું શોષણ કરનાર માલદાર દેશદ્રોહી છે. સન્તાનને  રેઢીયાળ  ઢોરની માફક રામભરોસે છોડી મુકનાર માવતર દેશદ્રોહી છે અને સન્તાનને સારી રીતે ઉછેરવામાં, ભણાવવામાં અને કેળવવામાં પુરતી કાળજી લેનાર મા-બાપ દેશભક્ત છે. મોટી મોટી સભાઓમાં નીરર્થક ભાષણો ઠોકીને પ્રજાનો કીંમતી સમય બરબાદ કરનારા નેતા દેશદ્રોહી છે અને સભામાં ખપ પુરતા સમાજોપયોગી વીચારો વહેંચનાર નેતા દેશભક્ત છે. ચાલુ પીરીયડે પોતાના નખ કાપવામાં અને વાળ હોળવામાં સમય વેડફતો શીક્ષક દેશદ્રોહી છે અને પીરીયડમાં એકે એક પળનો ઉપયોગ કરી વીદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન આપતો શીક્ષક દેશપ્રેમી છે. થોડીક મુશ્કેલી પડે અને પત્ની તથા બાળકોને નોધારાં છોડી આપઘાત કરી લેનાર માણસ દેશદ્રોહી છે અને ગમે તેવી વીકટ પરીસ્થીતીમાં પણ માર્ગ શોધીને કુટુમ્બને સંભાળી લેનાર માણસ દેશભક્ત છે. સન્તાનપ્રાપ્તી માટે કોઈ સ્ત્રીને દવા આપનાર ડૉક્ટર દેશભક્ત છે; પરન્તુ સન્તાનપ્રાપ્તી માટે કોઈ સ્ત્રીને મંત્રેલો દોરો આપનાર માણસ દેશદ્રોહી છે. મહેનત કરીને સમસ્યાનો ઉકેલ શોધનાર માણસ દેશભક્ત છે; પરન્તુ ‘મારા ગ્રહ સુધરશે ત્યારે આપો આપ મારો ઉદ્ધાર થઈ જશે’ એમ માનીને બેસી રહેનાર માણસ દેશદ્રોહી છે.

પાંચ પ્રકારના દેશદ્રોહીઓ ઝટ આપણી નજરે ચડતા નથી:

(1)   સત્તાને પોતાની જાગીર સમજતા સત્તાલાલસુ અને ભ્રષ્ટ   રાજકારણીઓ.

(2)   દેશના અર્થતંત્રને ખાડે લઈ જનારા કરચોરો અને આર્થીક ગુનેગારો.

(3)   ગરીબ, નીરાધાર અને લાચાર કામદારોનું શોષણ કરનારા માલેતુજારો.

(4)  ઉંચો પગાર ખાઈને પ્રજાનાં કામોને ટલ્લે ચડાવતા અધીકારીઓ અને કામચોરી કરતા પગારદારો.

(5)  ભોળી પ્રજાને હાથીના દાંત બતાવી, એમના અજ્ઞાનનો દુરુપયોગ કરતા કર્મકાંડીઓ, પાખંડીઓ અને સાધુબાવાઓ.

માંગીને પોતાનું પેટ ભરનાર અપંગ ભીખારી દેશભક્ત હોઈ શકે; પરન્તુ લાંચ ખાઈને રાષ્ટ્રના ઝંડાને સલામ મારનાર નેતા કદી દેશભક્ત ન હોઈ શકે. ભણવાની ઉંમરે તમાચો મારીને બાળકને નીશાળનાં પગથીયાં ચડાવનારા મા-બાપ દેશભક્ત હોઈ શકે; પરન્તુ ભણવાની ઉંમરે પ્રેમથી બાળકને મજુરીએ મોકલનાર મા-બાપ કદી દેશભક્ત ન હોઈ શકે. જરુર જણાય ત્યારે માવતરને ઠપકો આપતો પુત્ર દેશભક્ત હોઈ શકે; પરન્તુ માવતરને ઘરડાંઘરમાં ધકેલી દેનાર પુત્ર કદી દેશભક્ત ન હોઈ શકે. શાળામાં સમયસર આવનાર નબળો વીદ્યાર્થી દેશભક્ત હોઈ શકે; પરન્તુ શાળામાં મોડો આવનાર તેજસ્વી શીક્ષક કદી દેશભક્ત ન હોઈ શકે. આચાર્ય ઘંટડી વગાડે ને સમયસર ચા હાજર કરી દેનારો પટાવાળો દેશભક્ત હોઈ શકે; પરન્તુ સમયસર ચા ન મળે ને લડી-ઝઘડી પડતો આચાર્ય કદી દેશભક્ત ન હોઈ શકે. મુશ્કેલીના સમયમાં પોતાનું શરીર વેચીને સન્તાનોનું ભરણ–પોષણ કરનારી વેશ્યા દેશભક્ત હોઈ શકે; પરન્તુ મુશ્કેલીના સમયમાં સન્તાનોને નોધારાં છોડી આપઘાત કરનારી કે રઝળતાં મુકી બીજા જોડે ભાગી જનારી માતા કદી દેશભક્ત ન હોઈ શકે.રે, પોતાના પૈસાનો શોખથી શરાબ પીનારો સંસારી દેશભક્ત હોઈ શકે; પરન્તુ પારકા પૈસાના મેવા-મીઠાઈની ફરાળ કરીને ફાંદ વધારનારો સન્યાસી કદી દેશભક્ત ન હોઈ શકે.

મીત્રો, જ્યારે કોઈ બે દેશ લડે છે ત્યારે બન્ને દેશને પચાસ-પચાસ ટકા નુકસાન થવાનો સંભવ હોય છે; પરન્તુ જ્યારે કોઈ એક જ દેશની બે કોમ લડે છે ત્યારે સોએ સો ટકા નુકસાન એ જ દેશને થાય છે. પચીસ પચીસ સદીઓથી બુદ્ધ અને મહાવીર આપણને માણસ બનાવવા મથી રહ્યા છે, અને આપણે…..! હજુ કેટલી સદીઓ લાગશે માણસને માણસ બનતા ?

પ્રસાદ

માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે; માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે; પણ માણસમાં માણસાઈ ઘટે ત્યારે કોઈ બાટલા છે ?

(લેખકના મૂળ લેખના થોડા અંશો )

અક્ષરાંકનગોવીન્દ મારુ

 

 

Birth Anniversary (24-06)


1 ) Doshi Pushpa Dharmendra Tarachand
2 ) Doshi Ekta Shailesh Mansukhlal
3 ) Doshi Chetna Harshadbhai Kishorechandra
4 ) Gholani Amar Mukesh Chandrakant
5 ) Gholani Aditya Mukesh Chandrakant
6 ) Lodaria Heena Pankaj
7 ) Mehta Jagruti Ashok Jatashankar
8 ) Sanghvi Vanita Maganlal
9 ) Sanghvi Dinesh Talakchand
10) Sanghvi Rita Ashok Jagjivandas
11) Shah Rupal Amit Hasmukhrai
12) Sheth Manya Keyur Jitendra
13) Sheth Sunita Devendra Chandrakant
14) Sheth Amita Deepak Ramniklal
15) Doshi Pushpa Dharmendra Tarachand
16) Doshi Damayanti Indulal Manilal
17) Doshi Chetna Harshad Kishorchandra Damjibhai
18) Gholani Bijal Maulik Mahesh Balachand

Sunday, June 23, 2013

How To Flip An Overturned Truck

Pakistanis use a clever method to turn a truck right-side up.

Birth Anniversary (23-06)


1 ) Shah Jyoti Kishore Motichand
2 ) Doshi Dr. Tejal Harshad Dhirajlal
3 ) Doshi Ami Vimal Vikramchand
4 ) Doshi Dharmesh Amrutlal Ujamshi
5 ) (Late) Gandhi Pramodkumar Vanechand
6 ) Mehta Shilang Harshad Jayantilal
7 ) Mehta Ridhdhi Dhirendra Shantilal
8 ) Patel Nitin Manilal
9 ) Sanghvi Paresh Suryakant Harjivan
10) Shah Hetvi Paras Pradip
11) Shah Amit Mahesh Jatashankar
12) Shah Dolly Kishore Nyalchand
13) Lodaria Sharda Mahesh Shantilal

Saturday, June 22, 2013

Death



Native : Wankaner
Currently At : Sion, Mumbai
Name of the deceased :Pravinchandra Mohanlal Sanghavi
Age : 87 Years
Date of Death : 19-06-2013.
Wife  :Shantaben
Sons : Ashwin, Prakash
Daughters-in-Law : Priti, Rita
Daughters : Vasuben, Viduben, Deenaben
Sons-in-Law :Dhirajlal, Ashokbhai, Nitinbhai
Brothers : Late Chandulal, Late Harilal,Late Jayantilal
Sister : Late Vijyaben
Brother-in-Law : Vrujlal Padamshi Doshi

May His Soul rest in eternal peace


વાંકાનેર (હાલ મુંબઈ) પ્રવીણચંદ્ર મોહનલાલ સંઘવી (ઉં. વ. ૮૭) તા. ૧૯-૬-૧૩ના અરિહંતશરણ પામેલ છે. તે શાંતાબેનના પતિ. અશ્ર્વિન, પ્રકાશ, વાસુબેન, વિદુબેન, દીનાબેનના પિતાશ્રી. પ્રીતિ, રીટા, ધીરજલાલ, અશોકભાઈ, નીતિનભાઈના સસરા. વૃજલાલ પદમશી દોશીના બનેવી. સ્વ. ચંદુલાલ, સ્વ. હરીલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. વિજયાબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૬-૧૩ના ૧૦.૩૦ થી ૧૨. ઠે. માનવ સેવા સંઘ, ૨૫૫-૨૫૭, સાયન રોડ, મું.-૨૨. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. (લૌ. વ્ય. બંધ રાખેલ છે.)

આધુનીક ધર્મસ્થાનો !–વિરલ વ્યાસ

 હાલ મન્દીરોમાં તસ્કરી વધી ગઈ છે. તસ્કરી ક્યાં નથી ? કામ ચોરી, નામ ચોરી, દામ ચોરી… મન્દીરોમાં ચોરી થવી જ નહીં જોઈએ. ચોરી એવા લોકોને ત્યાં થવી જોઈએ જેઓ મન્દીરમાં ધન ઓકે છે–ઠાલવે છે. પરભુ–પ્રેમી તથા બાળકો ઝુપડાંમાં રહે તેનો અફસોસ નથી. ધનવાનો, સત્તાધીશો–રાજકારણીઓ કરચોરી કરી મન્દીરોમાં ધન નાંખે છે. ચોરો તે ઉશેટી જાય છે. કેટલાક તો મન્દીરોમાં ધન નાંખી ધન પરત મેળવે છે. દુકાનદારો કરચોરીથી ધનવાન બને છે. અને રંકો કરચોરી નથી કરતા; રંક તો બાપડા ભોગ બને છે. ત્યારે મન્દીરોમાં છપ્પન ભોગ ધરાવાય છે. પાષાણની પ્રતીમાને દહાડામાં ત્રણ વાર વાઘા બદલવા મળતા હોય છે અને જીવન્ત મનુષ્ય નીર્વસ્ત્ર છે કે સાવ ઓછાં વસ્ત્રોથી ચલાવી લે છે. મન્દીરો–દેરાસરોમાં દાન કરનારાઓનો; અન્ધ, અપંગ, રક્તપીત્તીયાને બે પૈસા આપતા જીવ નીકળી જાય છે. મન્દીરોમાં પાંચસો–હજાર ની:સંકોચ નાંખી દેનારા, કામવાળી પાસે નીસાસા નંખાવે છે. અલંકારીક ભાષામાં ભગવાનને ભજનો સંભળાવનારા ઉપરોક્ત દાતાઓ, નોકરને બીભત્સ ગાળો દેતા અચકાતા નથી. કાર સાફ કરનારની ‘પેટ માટેની વેઠ’, શેઠને નહીં સમજાય. ઓફીસોમાં કામ કરતા, પાંચ આંકડામાં કમાતા કર્મચારીઓને – સેવકોને, વર્ષે એક વાર બોણી આપતા અને જરુર પડયે બસો–પાંચસો ઉછીના આપતા જીવ નીકળી જાય. આ તમામ મહાનુભવો તીરુપત્તી અથવા વૈષ્ણોદેવી ખુબ એશથી ફરી આવે છે. રીલાયન્સ કે જે હજારો પરીવારને પોશે છે તેને મંદીરનો દરજ્જો નહીં મળી શકે ? સ્ટીવ જોબ્ઝનું ‘એપલ’ દેવળમાં નહીં આવી શકે ? તાતાનું કારનું કારખાનું દેરાસરજીની પંગતમાં નહીં બેસી શકે ? પાકીસ્તાની ઉર્દુ કવી અહમદ ફરાઝની પંક્તીઓનું સ્મરણ થાય છે; ‘મૈને યહ સોચકર તસબી તોડ દી હૈ ફરાઝ, ક્યાં ગીનકર માંગુ ઉસસે જો બેહીસાબ દેતા હૈ’. ઈશ્વર કે મગન કે છગન યા ગંગા કે ભાણકી યા કમળીને પગથીયે ચડી પ્રભુ પાસે ન જઈ શકાય ?
 અક્ષરાંકન: ગોવિંદ મારૂ                                              
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 


Birth Anniversary (22-06)


1 ) Doshi Sheetal Jayesh Amrutlal
2 ) Lodaria Naresh Amrutlal
3 ) Mehta Vaishali Kalpesh Shashikant
4 ) Mehta Samir Kumudchandra
5 ) Zaveri Purvi Vivek
6 ) Shah Aagna Mulraj
7 ) Sheth Bina Mahesh Keshavlal
8 ) Sheth Vijyaben Shantilal
9 ) Vakharia Tarun Kantilal

Friday, June 21, 2013

Voice-Controlled Home Automation

How to control your entertainment system and lighting by voice using a smartphone.
 

Birth Anniversary (21-06)


1 ) Doshi Vidhi Dilip Amichand
2 ) Mehta Jyoti Dilip Jatashankar
3 ) Sanghvi Dolly Nirav Mahendra
4 ) Shah Kishori Deepak Nagindas
5 ) Shah Madhavi Tushar Pravinchandra
6 ) Sheth Vishal Kirit Navalchand
7 ) Vakharia Jayesh Pravin Sukhlal

Thursday, June 20, 2013

પ્લાસ્ટિકની ખતરનાક આડઅસરો

સરકાર વારેવારે પોલીથીન બેગ પર નિયંત્રણ મૂકે છે. પણ લોકો પોતાની થોડી સગવડ માટે તેના માટે જોઇએ તેવો સહકાર ના આપતી હોવાને કારણે તેનો ઉપયોગ બંધ નથી થતો. બેચાર દિવસ નિયંત્રણ રહે ફરી બધું જ યથાવત. પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં નુકશાન માટે ઘણું લખવામાં આવે છે. ચાલો થોડું વધારે જાણીએ.
રોજબરોજની જીંદગીમાં પ્લાસ્ટિક્ને આપણે મહત્વની જરૂરિયાત માનીએ છીએ પણ શું આપણે જાણીએ છીએ પ્લાસ્ટિકની ખતરનાક આડઅસરો વિશે? પ્લાસ્ટિકના કપમાં ચા અને બહારથી પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને લાવેલું ભોજન નુકશાનકારક છે. ખાસ કરીને લોકો પ્લાસ્ટિકના કપમાં ગરમાગરમ ચાની ચૂસકીઓ લેતા જોવા મળે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે પ્લાસ્ટિકના કપમાં ગરમ ચા પીવાથી ચાની સાથે ઝેરી કેમીકલ પીગળી ચા સાથે પેટમાં જાય છે અને લાંબે ગાળે શરીરના હોર્મેન્સને અસર કરે છે.
પ્લાસ્ટિક પર્યાવરણ માટે તો નુકશાનકારક છે સાથે  મનુષ્ય માટે પણ ખતરનાક છે.  લાંબેગાળે હોર્મોન્સની સિસ્ટમ ખોરવી નાખે છે. ખાદ્ય ચીજો અને પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. પ્લાસ્ટિકમાં અતિ ગરમ કે અતિ ઠંડી ચીજો લેવાથી ઝેરી રસાયણ ઓગળી શરીરમાં જાય છે. પુરુષોના શુક્રાણુઓને અને મહિલાઓના પ્રજનન તંત્રને અસર કરે છે. બાળકોના માનસિક વિકાસને રૂધે છે. હ્રદય-લીવર-કિડની અને પાચનતંત્ર માટે પ્લાસ્ટિક હાનિકારક છે. હોર્મોન્સ-શુક્રાણુઓને થતી અસર પ્રુરુષોના સેક્સપાવરને ઘટાડી નાંખે  છે એવું નિષ્ણાતોનું કહેવું છે.
સસ્તા અને સરળતાથી મળતા પાણીના પાઉચ સ્વાસ્થ્યના દુશ્મન છે. પાઉચને મોંઢેથી તોડીને અને ચૂસીને પીવાથી ઝેરી તત્વો સીધા શરીરમાં જાય છે. પ્લાસ્ટિકમાં રહેલું પાણી સ્વાદ બદલી નાંખે છે. પ્લાસ્ટિક ખાદ્યચીજો અને પ્રવાહીનો સ્વાદ બદલી નાખે છે પાણીના પાઉચ ઠંડા હોય ત્યારે પીવાથી ખબર નથી પડતી પરંતુ થોડીવાર મૂકી રાખવામાં આવે તો પાણી સાથે પ્લાસ્ટિક્નો સ્વાદ અનુભવી શકાય છે.નાનાં બાળકોને પ્લાસ્ટિક બોટલમાં ક્યારેય દૂધ ના આપવું. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. સોફ્ટ પ્લાસ્ટિક કરતાં હાર્ડ પ્લાસ્ટિક ઓછું નુકશાનકારક છે. મેઇડ ઇન ચાઇના રમકડાં પણ હાનિકારક છે. તેનાથી બાળકોને દૂર જ રાખજો.
ભારતમાં મોટાભાગનું પ્લાસ્ટિક રિસાઇકલ હોય છે અને પ્લાસ્ટિક બનાવવા માટે બિસ્ફેનોલ-એ કેમિક્લનો ઉપયોગ થાય છે.પ્લાસ્ટિક બનાવવા માટે વપરાતું બિસ્ફેનોલ-એ કેમીકલ વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદિત થતું પેટ્રોલિયમ બેઇઝડ કેમીકલ છે. સંશોધન મુજબ જો આ કેમીકલનું પ્રમાણ વધી જાય તો સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોંચે છે. વર્તમાન સમયમાં સંપૂર્ણ અવગણના પ્લાસ્ટિકની ના કરી શકીએ તો શક્ય હોય ત્યાં સુધી ખાદ્ય ચીજો તથા પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું ટાળવું જોઇએ. પ્લાસ્ટિકના વાસણોના વધુ ઉપયોગથી પાચનતંત્રની સાથે ચેતાતંત્રને પણ અસર થાય છે. બાળકો સંપુર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતાં. આપણે ત્યાં ફ્રિજમાં રાખવામાં આવતી પાણીની બોટલોમાંથી આપણે અનેક વખત પાણી પીએ છીએ.
પ્લાસ્ટિક ઘણા પ્રકારના હોય છે. પરંતુ આપણે ત્યાં જે પ્લાસ્ટિક વપરાય છે તે ૧૦૦ ટકા સુરક્ષિત માનવામાં નથી આવતું. પ્લાસ્ટિકમાંનું ખતરનાક રસાયણ ટિનએજ યુવતીઓને સમયથી પહેલાં પુખ્ત બનાવી દે છે. પુરુષોમાં વધતા પ્રોસ્ટેટ કેન્સર માટે પણ પ્લાસ્ટિકને જવાબદાર ગણી શકાય.
ડિસ્પોઝેબલ વાસણોને આપણે સગવડતા માનીએ છીએ પરંતુ આ સગવડતા ખૂબ નુક્શાનકારક છે.
દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના ડૉ. બિર સિંઘ જણાવે છે કે પ્લાસ્ટિકના કપ કે અન્ય કોઇ ડિસ્પોઝેબલ વાસણોમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવું હાનિકારક છે પ્લાસ્ટિકમાં રહેલું બિસ્ફેનોલ-એ ઝેરી રસાયણ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પ્લાસ્ટિકના વાસણોના વધુ પડતા ઉપયોગથી ગર્ભપાત પણ થઇ શકે છે
વારણસી ખાતે વૈજ્ઞાનિકોએ ચાર વર્ષ સુધી ઉંદરો પર પ્રયોગ કરીને તારણ આપ્યું છે કે પ્લાસ્ટિકમાં અતિગરમ કે અતિઠંડી ચીજો સ્વાસ્થ્યને અતિ ગંભીર  નુક્શાન પહોંચાડે છે આ ઉપરાંત અમેરિકી કેમીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી બાવન પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.
પ્લાસ્ટિક એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટયૂટ-લખનૌના ડાયરેક્ટર ડૉ. વિજયકુમાર જણાવે છે કે પ્લાસ્ટિક બેગમાં વપરાતા કલર અને પોલીથીન મનુષ્યનાં મોટાં દુશ્મન છે.
કાચ, સિરેમિક કે સ્ટેઇનલેસ સ્ટીલનાં વાસણોનો ઉપયોગ જ સુરક્ષિત છે અને પીવાનાં પાણી માટે ત્રાંબાના વાસણનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. એલ્યુમિનિયમ વાસણોમાં બનાવાતી રસોઇ પણ લાંબેગાળે નુકશાનકારક છે. સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં પણ ખટાશવાળી વસ્તુનો થતો સંગ્રહ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. જેમ કે અથાણાં કે વિટામીન સી હોય તેવાં જ્યુસ સ્ટેઇનલેસ સ્ટીલમાં રાખવાં કે લેવા હિતાવહ નથી.  સિરામિક કે કાચના વાસણોનો જ ઉપયોગ  હિતાવહ રહે છે.
એકવાર આફ્રિકામાં માણસોમાં અચાનક ગાંડપણના કિસ્સા ખૂબ પ્રમાણમાં વધી ગયાં. તેના વિશે શોધ કરવામાં આવી કે શું કારણથી અચાનક લોકોમાં ગાંડપણનું પ્રમાણ વધી રહ્યું છે? અંતે તેનું કારણ જાણવા મળેલ કે લોકો ખાટાં પદાર્થો કે અથાંણાં સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં રાખતા તેથી લોકોમાં ગાંડપણ કે માનસિક અસ્થિરતા આવતી. આ કિસ્સો મારા દીકરાના સાયન્સ અને મેથ્સના ટીચરે જણાવેલ.
સૌજન્ય : મીતાનું મનોમંથન

Birth Anniversary (20-06)


1 ) Gandhi Yash Aashish Manharlal
2 ) Parekh Pratik Chandrakant Keshavlal
3 ) Sanghvi Aayushi Bhavesh Jayantilal
4 ) Shah Hina Dineshchandra
5 ) Sheth Robin Paresh Dhirajlal

Wednesday, June 19, 2013

One Wheel Motorcycle

The sporty self-balancing one wheel electric motorcycle by RYNO Motors is a new mode of transportation that is practical, convenient and efficient.

Birth Anniversary (19-06)


1 ) Lodaria Bhikhubhai(Hiten) Himmatlal
2 ) Mehta Akshat Ketan Anilkumar
3 ) Mehta Ashique Nitin Kevalchand
4 ) Mehta Ankit Ramnik Vanechand
5 ) Mehta Purnima Deepak Pravinchandra
6 ) Mehta Shashikant Chhaganlal
7 ) Sanghavi Pooja Sachin Pravinchandra Maneklal
8 ) Sanghavi Sheela Prakash Dharshibhai
9 ) Shah Samir Lalit Champaklal
10) Shah Keyur Prakash Ravichand
11) Sheth Usha Dilip Vora
12) Solani Dhirendra Chandulal

Tuesday, June 18, 2013

શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?-પ્રા. ધવલ મહેતા

‘ધ ઓક્સફર્ડ હેંડ બુક ઓફ રીલીજીયન’: ઓક્સફર્ડ યુનીવર્સીટી 2005 (એડીટર: વીલીયમ જે. વેનરાઈટ)

દુનીયાનો દરેક ધર્મ નૈતીકતા પર ભાર મુકે છે; પરન્તુ નૈતીકતા (મોરાલીટી)ની વ્યાખ્યા તો તે પોતે જ કરે છે. હીન્દુ મોરાલીટી, ક્રીશ્વીયન મોરાલીટી, મુસ્લીમ મોરાલીટીમાં તફાવતો છે. ધર્મ પોતાના અનુયાયીઓ માટે ‘ઈન ગૃપ’ અને બહારના માટે ‘આઉટગૃપ’ ઉભું કરે છે. દરેક  ધર્મ  એમ માને છે કે સાચી નૈતીકતાના નીયમો માત્ર તેનામાં જ છે અને સામાનો ધર્મ ઉતરતી કક્ષાનો છે. પરન્તુ ધર્મે નૈતીકતાના જે નીયમો ઘડ્યા છે તેમાંના કેટલાક આઉટડેટેડ થઈ ગયા છે. કોઈ ધર્મ ‘સનાતન’ નથી. આથી સામુહીક જમાનામાં નૈતીકતાનો આધાર ધાર્મીક મુલ્યો હોઈ શકે નહીં તેમ પશ્વીમના બૌદ્ધીકો માને છે. દરેક ધર્મમાં અલૌકીક (સુપરનેચરલ) તત્ત્વ હોય છે અને રૅશનાલીસ્ટોને અલૌકીક તત્ત્વમાં વીશ્વાસ નથી. સર્વધર્મ સમાનતામાં માનનારા શ્રદ્ધાળુઓ આવા દરેક ધર્મનાં અલૌકીક તત્ત્વોને માન્ય રાખતા હોવાથી તેમને રૅશનાલીસ્ટ ગણવાનું મુશ્કેલ છે.

તેઓમાં ધાર્મીક મુલ્યો સામેના ‘રીબેલનું તત્ત્વ ખુટે છે. તેઓની સદ્ ભાવના પાછળ રૅશનાલીટી નહીં; પરન્તુ વીશફુલ થીંકીંગ હોય છે. જો મોરાલીટી (નૈતીકતા)નો આધાર ધર્મ નહીં હોય તો, તેનો આધાર શો હોઈ શકે તે બાબતનું ઉંડું ચીન્તન બૌદ્ધીકોમાં ચાલી રહ્યું છે. સારા આચરણ માટે  ધર્મ પાપનો ડર અને મોક્ષ અથવા સાલ્વેશન કે પુણ્યનો જે લોભ દર્શાવે છે તેવો આભાસી ડર કે લોભ (કે લાભ) સેક્યુલર એથીક્સના માનનારા બતાવી શકતા નથી. તેથી સેક્યુલર એથીક્સનું લોકોને નૈતીકતા તરફ લઈ જવાનું મોટીવેટીંગ પરીબળ ફીક્કું જણાય છે. તેમાં ‘જોસ્સો’ નથી. તેમ છતાં કોઈપણ સમાજને ધર્મ વીના ચાલે; પરન્તુ મોરાલીટી વીના ચાલી શકતું નથી. મોરાલીટીનાં લઘુત્તમ ધોરણો જો નહીં સચવાય તો માનવજાતી નાશ પામે. કારણ કે લોકો એકબીજાને મારી નાંખે કે દરેક જણ બીજાને લુંટી લે કે છેતરે. આવો સમાજ નાશ પામે, આથી સેક્યુલર એથીક્સમાં માનનારા ‘મોરાલીટી’નો આધાર માનવ સ્વભાવમાં જ મુકે છે – ઈશ્વરમાં નહીં.

આને આપણે ‘નેચરાલીસ્ટીક થીયરી’ કહી શકીએ છીએ. માનવ સમાજ ટકી રહ્યો છે; કારણ કે લઘુત્તમ નૈતીકતાના નીયમો તેના મગજમાં જ પ્રોગ્રામ્ડ છે. પરન્તુ સમાજમાં પણ મોરાલીટીના નીયમો હોય છે. એક જ પ્રજાતીના પશુઓ કે પંખીઓ ભાગ્યે જ એકબીજાને મારી નાખે છે. પોતાની ટેરીટરીમાં આવેલા પશુને તે મારી નાંખવાને બદલે  ભગાડી મુકે છે. માદા માટે લડતાં પશુઓ પણ એકબીજાને મારી નાંખતાં નથી. હારેલું પશુ નાસી જાય છે.

કૉસ્મીક જસ્ટીસ: ધાર્મીકો નૈતીકતાના આધાર માટે ભગવાનને ત્યાં ‘દેર છે પણ અંધેર નથી’ અથવા તો ‘બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે’ તેમ કહી, દૈવી કે ઈશ્વરના ન્યાયનો સીદ્ધાંત મુકે છે. પરન્તુ માનવસમાજમાં બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે તેવું સર્વદા જોવા મળતું નથી. વળી, ‘દયા ધરમકા મુલ હૈ, પાપ મુલ અભીમાન’માં પણ અભીમાનને (ભ્રષ્ટાચારને નહીં) પાપનાં મુળ તરીકે જોવાનું વીચીત્ર છે. અપ્રામાણીકને કે આતતાયીને, કોઈ ધર્મ પાપનાં મુળમાં જોતો નથી તે બેહુદું લાગે છે. વળી ધરમનાં મુળમાં દયા નહીં; પરન્તુ શ્રદ્ધા છે અને શ્રદ્ધાવાનોમાં બહુ ઓછા લોકો દયાળુ જોવા મળે છે. દરેક ધર્મ વ્યક્તીને બદલવાનું કહે છે. વ્યસનમુક્તી અને ઉપવાસ, મૌન, પુજા, ભજનની વાત કરે છે પરન્તુ સમાજને બદલવાની વાત કરતો નથી.

ગ્રીકો એમ માનતા હતા કે સદ્ ગુણો (વર્ચ્યુઅલ) જીવન સુખી જીવન છે અને દરેક વ્યક્તી સુખી જીવન ઈચ્છે છે. પરન્તુ સદ્ ગુણોવાળું જીવન સુખી જ હોય તેની કોઈ સાબીતી નથી. એમ. એન. રૉય એવું માનતા હતા કે માણસ રૅશનલ હોવાથી તે મોરલ (નૈતીક) છે. આ એક આધાર વીનાનું વીધાન છે. તેમાં  એમ. એન. રૉયનું વીશફુલ થીંકીંગ કામ કરે છે તેમ કહી શકાય. બટ્રાન્ડ રસેલ પુરા રૅશનાલીસ્ટ હતા; પરન્તુ વુમનાઈઝર હતા તેમ તેમની આત્મકથાના વાચનમાંથી ફલીત થાય છે.

અત્યારના જગતમાં ધર્મ આધારીત નૈતીક્તા ચાલી શકે તેમ નથી. કારણ કે ધર્મને નામે પારાવાર હીંસા થાય છે. ધર્મ નહીં પરન્તુ ધર્માંધતા તેને માટે જવાબદાર છે એવો જવાબ ધર્મના રક્ષકો આપે છે.

પરન્તુ તમારો ધર્મ એવો કેવો છે કે તેનાથી ધર્માંધતા ઉભી થાય છે ! તેનો જવાબ તેઓ આપી શકતા નથી. ધર્મ નહીં; પરન્તુ દરેક રાજકીય કે આર્થીક વીચારસરણી પણ જો બંધીયાર થઈ જાય તો તે ઈર્રૅશનલ અથવા હીંસક બની જાય છે ! (જેમ કે ફાસીઝમ, નાઝીઝમ, સામ્યવાદ, નીઓ ક્લાસીકલ, લીબરાલીઝમ કે બજારવાદ કે સર્વોદયવાદ અને ગાંધીની સંસ્થાઓમાં કેદ થઈ ગયેલો ગાંધીવાદ) ધર્મ કે ‘વાદ’ને બચાવવા વધુ હીંસા થાય છે. માનવજાત માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનીવર્સલ (સાર્વત્રીક) નૈતીક વર્તણુકનાં ધોરણો કેવી રીતે ઘડવાં અને સમગ્ર માનવજાત માટે નૈતીકતાના આધારરુપ સેક્યુલર (ધાર્મીક નહીં) એથીક્સની કેવી રીતે રચના કરવી. 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 


Birth Anniversary (18-06)


1 ) Gandhi Darshna Dhiren Madhusudan Lalchand
2 ) Shah Sheetal Nilesh
3 ) Mehta Mital Jatin Rajnikant
4 ) Shah Kusum Jevatlal Sukhlal
5 ) Sheth Rekha Narendra Dahyalal
6 ) Solani Payal Ajay Ratilal
7 ) Vora Purvesh Kanaiyalal Khantilal

Monday, June 17, 2013

Mr. Bean - Street Performance

Mr. Bean sees a street musician playing his saxophone. He doesn't have any change... but he surely knows how to improvise.

Birth Anniversary (17-06)


1 ) Mehta Rasiklal Pranjivan
2 ) Mehta Manilal Parshottam
3 ) Parekh Shreya Aashish Indukumar
4 ) Sanghavi Divyesh Chandrakant
5 ) Shah Hemal Harshadray Jamnadas
6 ) Shah Prisha Darshan Pradip Rajnikant
7 ) Shah Jaydeep Rasiklal Devchand
8 ) Shah Ajay Vinod Jethalal

Sunday, June 16, 2013

આપણા ઘડવૈયા આપણે- નવનીત શાહ

[ ચિંતનાત્મક નિબંધોના પુસ્તક ‘મનોમંથનની વાટે’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે.]

માણસ ઘડાય છે, ઘણાંથી, પણ સાચી રીતે તો તે પોતે જ પોતાની જાતને ઘડે છે. તેના જીવન ઘડતરમાં આસપાસના વાતાવરણની ચોક્કસ અસર પડે છે. પણ જો તે પોતાની જાતને ઘડવા માટે તત્પર કે તૈયાર ન હોય તો તે બધું જ વ્યર્થ છે. મહાપુરુષોનાં જીવનનું આપણે જો બારીકાઈથી નિરીક્ષણ કરીશું તો જણાશે કે, તેઓએ પ્રતિકૂળ સંજોગોમાં જ પોતાની જાતને પોતાની મેળે જ ઘડી છે. તેઓએ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી પોતાની ઈચ્છા મુજબ પોતાને ઘડી છે. બે બાળકોને એક સરખી સુવિધાઓ અને એક સરખાં સાધનો આપીશું, તો આપણે જોઈશું કે, આગળ જતાં એક બાળક પોતાની જાતને ઉન્નત કરે છે, જ્યારે બીજું બાળક અવનતિની ખીણમાં ગબડી પડે છે. આમ કેમ ? આ છે આપણા ઘડવૈયા બાંધવ આપણે, માણસ પોતે જેટલો પોતાની જાતને ઘડે છે, તેટલું તેને કોઈ ઘડી શકતું નથી.
જીવન ઘડતરમાં આસપાસના વાતાવરણની અને જમાનાની અસર અચૂક પડે છે. પણ માણસે જો ઘડાવું હોય, તો તે પોતે જ પોતાની જાતને મદદ ન કરી શકે, તો બીજાની મદદ નકામી. ‘આપ સમાન બળ નહિ.’ એ જે કહેવાયું છે તે તદ્દન સાચું જ છે. ‘કૂવામાં હોય, તો હવાડામાં આવે.’ એ ન્યાયે માણસ પોતે પોતાની જાતને ઘડે છે. એમાં એનો જાત-અનુભવ ઘણો જ ખપમાં લાગે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચીશું તો જણાશે કે, તેઓ સામાન્ય કક્ષાના હોવા છતાં ક્રમે ક્રમે પોતાની જાતને ઘડીને આગળ ગયા છે.’ પૂ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે : ‘સામાન્ય માણસ પણ અસામાન્ય માણસ બની શકે છે.’ આમાં ઘણું તથ્ય રહેલું છે.

અંગ્રેજીમાં કહ્યું છે કે, ‘A carpenter fights wilt his tools.’ સુથાર પાસે જોઈતી બધી જ સાધન સામગ્રી હોય, પણ જો તેનામાં કાર્ય કુશળતા ન હોય, તો એ સાધન સામગ્રીનો કશો જ અર્થ નથી. એ તો પોતાનો વાંક જોશે જ નહિ, પણ સાધન સામગ્રીની જ ખોડખાંપણ કાઢશે. અંતરથી અને સમજથી જે મહેનત કરીને કાર્યમાં જોડાય છે, તે કાર્યમાં સિધ્ધિ મેળવે છે. માણસે જાતે જ નિશ્ચિત વસ્તુઓ શીખી લેવી જોઈએ અને પછી બધી વસ્તુઓ જાતે જ કરવી જોઈએ. આમાં ભૂલો થાય તો કશો જ વાંધો નહિ. પણ તેણે ભૂલથી શીખવું જોઈએ અને પુનઃ ભૂલ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. માણસે પરાવલંબી જીવન જીવવું ન જોઈએ. બીજા પર સતત આધાર રાખવાથી જીવનમાં કશી જ પ્રગતિ થતી નથી. તેનાથી માણસ જ્યાં હોય ત્યાં જ રહે છે. પ્રયત્ન કરવામાં પોતાનું જે બળ હોય છે, તે વધારે ખપમાં લાગે છે. એક જ ધૂન પર જીવનાર માણસ એકાગ્રતા સાધી શકે છે અને ત્યારે જ તે આગળ ધપી શકે છે. આવો માણસ પોતાને ઘડી શકે છે. મહેનત વગર મેળવેલું નાનું મોટું ફળ આગળ જતાં એળે જાય છે. આજે લાગવગથી તેમજ ભ્રષ્ટાચારથી માણસ ઊંચી પાયરીએ ચડી જાય છે, પણ તેને જાતથી સંતોષ થતો નથી. લોકો પણ તેની સામે આંગળી ચીંધી તેની ટીકા કરે છે. એના કરતાં Slowly and steadily wins the game ન્યારે માણસે ધીમે ધીમે સ્વબળથી આગળ વધવું જોઈએ. પોતાની જાતથી જે પોતાને ઘડીને આગળ વધે છે, તેને તેની સફળતાનું ગૌરવ રહે છે. સ્વબળ એ મોટું બળ છે, પરબળ એ ખરેખર બળ જ નથી.
સારનો સાર એ છે કે, માણસ જાતે જ પોતાની જાતને ઘડે છે. આપણે જાણીએ છીએ કે, માણસના જીવન ઘડતરમાં બીજાં ઘણાં પ્રેરક બળો સાથ આપે છે. છતાંય પોતાની જાત જેવું પ્રેરક બળ એકેય નથી.
સૌજન્ય : રીડ ગુજરાતી
 

Birth Anniversary (16-06)


1 ) Khandor Priti Kirit Ujamshi
2 ) Lodaria Bandish Rameshchandra
3 ) Mehta Hiral Kishor Jayantilal
4 ) Sanghavi Nita Hasmukh Chimanlal Pranjivan
5 ) Sanghavi Praksh Pravinchandra
6 ) Shah Kamlesh Hiralal Maneklal
7 ) Shah Vaishali Jayesh Pravinchandra
8 ) Shah Kavita Hitesh Manilal
9 ) Sheth Aabha Manoj Shantilal
10) Solani Ajay Ratilal

Saturday, June 15, 2013

Rocket-Bicycle Vs Subaru Impreza STI

A new world speed record of 263 km/h (163 mph) was set by François Gissy on a rocket-bicycle powered by hydrogen peroxide.

Birth Anniversary (15-06)


1 ) Doshi Dhaval Divyesh Vikramchand
2 ) Doshi Ami Girish Chimanlal
3 ) Lodaria Dinesh Mugatlal
4 ) Shah Hemangini Janak Hasmukhbhai
5 ) Mehta Chetan Natvarlal Kirchand
6 ) Sanghavi Kalpana Bipin Mohanlal
7 ) Shah Amisha Pranavkumar Vora
8 ) Shah Harshil Dineshchandra
9 ) Sheth Devendra Chandrakant
10) Trevadia Abhay Shashikant Mulchand

Friday, June 14, 2013

હોવું અને ન હોવું – મોહમ્મદ માંકડ



[ ઈ.સ. 1985ના વર્ષ દરમિયાન ‘સંદેશ’ અખબારના ‘કેલીડોસ્કોપ’ વિભાગમાં પ્રગટ થયેલા લેખોના સંયુક્ત સંગ્રહ (ભાગ-1 અને ભાગ-2) ‘આપણે માણસ’ નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. ]

સુખ અને દુઃખ વિષેના આપણા ખ્યાલો કેવા પલટાઓ લેતા હોય છે , પરિસ્થિતિ તેમાં કેવો મહત્વનો ભાગ ભજવતી હોય છે અને માનવીનું મન કેવું અકળ હોય છે, એ સમજવા માટે મુલ્લા નસરુદ્દીનની નીચેની વાર્તા વાંચવા જેવી છે.
એક વાર મુલ્લા નસરુદ્દીને એક માણસને રસ્તાની બાજુમાં નિરાશ થઈને બેઠેલો જોયો. મુલ્લા તેની પાસે ગયા અને પૂછપરછ કરી. પેલા માણસે ગંભીર ચહેરે મુલ્લા સામે જોયું અને કહ્યું, ‘ભાઈ, આ જીવન માત્ર એક બોજો છે. મારી પાસે પૂરતા પૈસા છે, પરંતુ જીવનમાં મને ક્યાંય સુખ દેખાતું નથી. કોઈ વાતમાં મને રસ પડતો નથી. પ્રવાસે નીકળ્યો છું, એટલા માટે કે, કદાચ મને રસ પડે, પરંતુ હજી સુધી મને રસ પડે એવું કશું દેખાતું નથી.’ કશું જ બોલ્યા વિના નસરુદ્દીને તે પ્રવાસીની બાજુમાં પડેલ તેનો થેલો ઉપાડીને દોડવા માંડ્યું. રસ્તો તેમનો જાણીતો હતો અને સસલા જેવી ઝડપે મુલ્લા દોડતા હતા એટલે થોડી વારમાં તો ક્યાંના ક્યાં નીકળી ગયા. ખૂબ દૂર જઈને રસ્તાના એક વળાંક પાસે મુલ્લા અટક્યા. પેલો થેલો રસ્તા ઉપર મૂક્યો અને પોતે બાજુમાં કોઈક આડશ પાછળ સંતાઈ ગયા.
થોડી વાર પછી પેલો પ્રવાસી દોડતો પાછળ આવી પહોંચ્યો. સસલા પાછળ દોડતા કૂતરા જેમ એ દોડતો હતો. થાકી ગયો હતો. હાંફતો હતો. પણ દૂરથી રસ્તા ઉપર પડેલો પોતાનો થેલો જોતાં જ તે આનંદથી ઊછળી પડ્યો. ચિચિયારીઓ કરવા લાગ્યો અને થેલા પાસે પહોંચવા માટે વધારે ઝડપથી દોડવા લાગ્યો. આડાશ પાછળ છુપાઈ રહેલા મુલ્લાના હોઠ પર સ્મિત આવી ગયું, હવે એને સુખ દેખાયું ! આ નાનકડી કથા માનવીના મનની ઘણી અટપટી અને ઊંડી વાતો રજૂ કરે છે.

દુઃખ અને પીડા આપણા સૌના જીવનમાં હોય છે. નાનો કે મોટો, ગરીબ કે ધનવાન, ભાગ્યે જ કોઈ માનવી એવો હશે જેણે દુઃખ કે પીડાનો અનુભવ કર્યો ન હોય. અચાનક કંઈક વાગી બેસે કે શરીરમાં ગરબડ થઈ જાય, કોઈક કષ્ટદાયક બીમારી આવી પડે, મિત્ર કે સ્વજનનું મૃત્યુ થાય, ત્યારે જે પીડા થાય તે આપણે ભોગવવી જ પડે છે. એ વખતે આપણે સુખી હોવાનો દેખાવ કરી શકતા નથી અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય તોપણ દુઃખને દબાવી શકતા નથી. કોઈએ સાચું કહ્યું છે કે, જગતમાં કોઈ તત્વજ્ઞાની એવો નથી થયો જેને દાઢનો દુખાવો થયો હોય છતાં કણસ્યો ન હોય. પરંતુ આવા દુઃખોની વાત જુદી છે. એની સામે આપણે સૌ લાચાર હોઈએ છીએ, લાઈલાજ હોઈએ છીએ. જેનો કોઈ ઈલાજ ન હોય તેને સહન કરી લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. બહુ બહુ તો એવા સમયે આપણે કણસી લઈએ છીએ, રડી લઈએ છીએ, ક્યારેક નિરાશ થઈ જઈએ છીએ. પરંતુ આપણાં બધાં જ દુઃખો કાંઈ આવાં નથી હોતાં. બધાં જ દુઃખો લાઈલાજ નથી હોતાં. બધાં જ દુઃખો સામે આપણે લાચાર નથી હોતા. બલકે, કેટલાંક દુઃખો તો ખરેખર દુઃખો જ નથી હોતાં. એમની કોઈ નક્કર હસ્તી જ નથી હોતી. એ તો માત્ર આપણા માનસિક વલણમાંથી અને પરિસ્થિતિમાંથી જ જન્મ્યાં હોય છે અને આવાં દુઃખોની સંખ્યા આપણાં નક્કર દુઃખો કરતાં અનેકગણી વધારે હોય છે.
અને ખરેખર હોય છે એ કરતાં પણ એ સંખ્યા આપણને વધારે લાગે છે. કારણ કે આપણું ધ્યાન હંમેશાં એના ઉપર જ કેન્દ્રિત રહે છે. આપણી પાસે જે હોય છે તેની ગણતરી આપણે ભાગ્યે જ કરીએ છીએ, પણ આપણી પાસે જે ન હોય તે સતત આપણને ખટક્યા કરે છે. મુલ્લા નસરુદ્દીનની વાર્તાનો આ જ મર્મ છે. પેલા પ્રવાસી પાસે ધનદોલત બધું જ હતું, પણ જિંદગીમાં એને રસ પડતો નહોતો. બીજી તરફ લાખો માણસો એવા હોય છે જેમની આખીયે જિંદગી રોટલો રળવામાં જ વીતી જાય છે અને રસ પડે એવું શોધવાની એમને કોઈ ફુરસદ કે અનુકૂળતા જ નથી હોતી. એક માણસને જિંદગી વિષે વિચારવાની પૂરી નવરાશ મળે છે એટલે જિંદગી એને નીરસ અને નકામી લાગે છે; બીજાને એવી નવરાશ જ નથી મળતી એટલે એ બોજારૂપ લાગે છે. એક માણસ એમ વિચારે છે કે જીવનમાં જો આનંદ ન હોય તો ભૌતિક સમૃદ્ધિનો અર્થ શું ? બીજો એમ વિચારે છે કે ભૌતિક સમૃદ્ધિ હોય તો જીવન આપોઆપ જ સાર્થ અને રસિક બની શકે. પરંતુ હકીકત જુદી જ હોય છે. માણસનું માનસિક વલણ એના સુખદુઃખની બાબતમાં બહુ મોટો ભાગ ભજવે છે, એટલું જ નહિ, ઘણી વાર તો સુખદુઃખ નક્કી કરવાનું કામ પણ એ જ કરે છે. હકીકત એકસરખી હોવા છતાં એક વ્યક્તિ માટે જે સુખ હોય તે બીજી વ્યક્તિ માટે દુઃખ બની જાય છે. તંદુરસ્ત માણસ માટે મિષ્ટાન્ન આનંદદાયક હોય છે, પરંતુ બીમાર માટે દુઃખદાયક હોય છે. જે ઋતુ પ્રેમીઓના મિલન માટે સુખકારક હોય છે એ જ ઋતુ વિરહીજનોને પીડાદાયક લાગે છે.
આમ માણસનું મન એનાં મોટા ભાગનાં સુખ અને દુઃખને જન્મ આપે છે. ભૌતિક સ્થિતિ એમાં ભાગ બિલકુલ નથી ભજવતી એવું નહિ, પણ માણસના સુખ કે દુઃખનો આધાર માત્ર ભૌતિક સ્થિતિ પર હોતો નથી. સંતાનનો જન્મ એક વ્યક્તિને પરમ સુખ આપે છે તો બીજી વ્યક્તિને મોટી મૂંઝવણ આપે છે. કરોડોની મિલકતનો માલિક વારસદાર માટે વલખાં મારે છે તો છ-સાત બાળકોનો પિતા નવું સંતાન જન્મતાં જ દુઃખના ભારથી દબાઈ જાય છે. અગાઉના સમયમાં જ્યારે દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ હતો ત્યારે કોઈક રાજપૂત કે આરબને ત્યાં દીકરીનો જન્મ તેનું કાળજું કાપી નાખતો હશે, પરંતુ એ જ દીકરીનો જન્મ બ્રહ્મદેશ જેવા માતૃમૂલક સમાજમાં કદાચ મોટા સુખનો અનુભવ કરાવતો હશે. મુલ્લા નસરુદ્દીનની વાર્તા આ વાતથી પણ એક ડગલું આગળ જાય છે. સુખ અને દુઃખ આપણા પોતાના માનસિક વલણ ઉપર હોય છે કે એમાંથી જ જન્મે છે, એટલું જ નહિ, કોઈક વસ્તુનું હોવું અને ન હોવું એ આપણા સુખ અને દુઃખની બાબતમાં બહુ મોટો ભાગ ભજવે છે. અરે, આપણું માનસિક વલણ સુધ્ધાં ફેરવી નાખે છે. જે વસ્તુ આપણી પાસે હોય છે – જે સુખ આપણને પ્રાપ્ત હોય છે – તેનો અભાવ જ્યાં સુધી ઊભો નથી થતો ત્યાં સુધી તેની કિંમત આપણને સમજાતી નથી. પ્રવાસી પાસે ઘણા પૈસા હતા, પણ એમાં એને કોઈ સુખ દેખાતું નહોતું. પરંતુ મુલ્લા જેવા એનો થેલો લઈને ભાગ્યા કે તરત જ એને એની કિંમતની ખબર પડી. પોતે પ્રવાસમાં હતો, એકલો હતો, પરદેશમાં હતો. થેલામાં રહેલી મૂડી જ એકમાત્ર આધાર હતો. એવી સ્થિતિમાં તરત જ એ કશો લાંબો વિચાર કર્યા વિના થેલો પાછો મેળવવા માટે મુલ્લાની પાછળ દોડ્યો. જે સુખ કે સમૃદ્ધિ આપણી પાસે હોય છે તેની કોઈ કદર આપણને હોતી નથી. પરંતુ એનો અભાવ ઊભો થાય છે ત્યારે જ તેની ખબર પડે છે.
આ બાબતમાં મુલ્લા નસરુદ્દીનની જ એક બીજી વાર્તા આપણે જોઈએ.
એક વાર મુલ્લા સૂતા હતા. સ્વપ્નમાં એમણે જોયું કે, કોઈ એમને સોનામહોરો આપી રહ્યું હતું. એક પછી એક સોનામહોર એમના હાથમાં કોઈ મૂકતું હતું અને મુલ્લા તે ગણી રહ્યા હતા. આપનારે નવ સોનામહોરો આપી અને પછી આપવાનું બંધ કર્યું. મુલ્લા અકળાયા. એમણે જોરથી કહ્યું, ‘આમ ન ચાલે, મારે પૂરી દસ સોનામહોરો જોઈએ.’ પરંતુ પૂરી દસ સોનામહોરો જોઈએ, એમ જોરથી બોલતાં જ એમના પોતાના અવાજથી એમની આંખો ખૂલી ગઈ. એકાએક બધી જ સોનામહોરો અદશ્ય થઈ ગઈ છે એવું ભાન થતાં જ મુલ્લા ફરીથી આંખો મીંચી ગયા, અને બોલ્યા, ‘ઠીક, ભાઈ, નવ તો નવ. જે આપો એ ચાલશે.’
માણસમાત્ર વધુ ને વધુ સુખસમૃદ્ધિ મેળવવા ઈચ્છે છે. પોતાની પાસે જે હોય છે તે માણવાના બદલે વધુ ને વધુ મેળવવાની ઝંખના સેવે છે, પરંતુ તેમ કરતાં જો પોતાની પાસે જે હોય તે ચાલ્યા જવાનો ડર લાગે તો તરત જ તેની કદર તેને સમજાય છે. જે પોતાને મળ્યું હોય છે, પોતાનું લાગતું હોય છે, તેને તે સ્વપ્નમાં પણ ગુમાવવા તૈયાર નથી હોતો. મુલ્લા નસરુદ્દીનની આ બીજી વાર્તા પહેલી વાર્તા જેવી જ ચોટદાર છે અને સુખસમૃદ્ધિ માટેની માનવીની ઈચ્છાઓને વધારે ઊંડી અભિવ્યક્તિ આપે છે.
સુખની શોધ એ માનવજીવનની એક સતત પ્રક્રિયા છે. પરંતુ એ સુખ ક્યાં છે, કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેમ છે, તે કદાચ, ચોક્કસપણે કોઈ જાણતું નથી, તેને પ્રાપ્ત કરવા કોઈ ધોરી માર્ગ પણ દેખાતો નથી. છતાં એક વાત નક્કી છે – જો એ ક્યાંય હોય, કદાચ ક્યાંય હોય તો, માણસના મનના ખજાનામાં જ ક્યાંક હોઈ શકે છે. બહાર એને શોધવું મિથ્યા છે.
સૌજન્ય : રીડ ગુજરાતી

Birth Anniversary (14-06)


1 ) Doshi Kamal Dharmendra Tarachand
2 ) Doshi Savita Pradip Mugatlal
3 ) Gandhi Deep Jayesh Himmatlal
4 ) Lodaria Purnima Naresh Amrutlal
5 ) Mehta Tarun Khodidas
6 ) Parekh Viral Gunvantray Vrajlal
7 ) Shah Sejal Vipul Desai
8 ) Trevadia Tushar Dalsukhbhai

Thursday, June 13, 2013

Who Needs A Bridge When You Have A Toyota 4-Wheel-Drive?

Crossing a river with a strong current in Thailand in a Toyota Hilux (Toyota Tacoma).
 

Birth Anniversary (13-06)


1 ) Doshi Esha Amit Indulal Kanji
2 ) Gandhi Nikhil Rajesh Ravichand
3 ) Doshi Dimple Deepak Harish
4 ) Mehta Kirit Sukhlal
5 ) Mehta Alpa Vicky
6 ) Mehta Suryabala Ramnik Vanechand
7 ) Mehta Dinaben Bharatkumar
8 ) Mehta Gaurav Vijay Bhogilal
9 ) Parekh Jigar Deepak Ramniklal
10) Parekh Bharati Chandrakant Keshavlal
11) Patel Ramila Khusalchand
12) Shah Sapna Gautam Sheth

Wednesday, June 12, 2013

‘નો પ્રોબ્લેમ’ –રોહીત શાહ

મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે
મને ડાઉટ છે કે આ વાત સાંભળ્યા પછી તમને મારા માટે અણગમો થશે, મારા વીચારો પ્રત્યે તમને નારાજગી થશે. કદાચ તમને મારા પ્રત્યે નફરત પણ થઈ જાય ! છતાં મારે વીનમ્ર નીખાલસતાથી કહેવું છે કે જ્યારે હું કોઈ મન્દીરમાં ચોરી થયાના સમાચાર સાંભળું છું કે કોઈ સન્ત–સાધુના કૌભાંડોનો ટેટો ફુટતો સાંભળું છું ત્યારે ભીતરથી ખુબ રાજી રાજી થઈ ઉઠું છું. ‘સારું થયું’ એવું ફીલ કરું છું.
મન્દીર પ્રત્યે અશ્રદ્ધા પેદા થવા માટે આપણું નાસ્તીકપણું જવાબદાર નથી હોતું; પણ આસ્તીકોની અન્ધશ્રદ્ધાનો અતીરેક જવાબદાર હોય છે. દુધ વગર ટળવળતું ગરીબ બાળક જોયા પછી આપણને છપ્પન ભોગ અને નૈવેદ્ય પ્રત્યે અશ્રદ્ધા પેદા ન થાય તો આપણી સમજણને સંકોરવાની જરુર છે એમ સમજવું પડે. ટાઢમાં ધ્રુજી રહેલા કોઈ દરીદ્ર વૃદ્ધની કાયા પર એક કામળો પણ ન હોય અને બીજી તરફ પથ્થરની પ્રતીમા સોના–ચાંદી, હીરા–માણેકના આભુષણોથી સજાવાતી હોય ત્યારે આપણું હૈયું કચવાટ ન અનુભવે તો આપણે સમ્વેદનશુન્ય થઈ ગયા છીએ એમ માનવું પડે.
આસ્તીકોને મારે એટલું જ પુછવું છે કે શું તમે જાણો છો કે ઈશ્વર જેવું કોઈ તત્ત્વ હોય તો એ કોને મળે અને ક્યારે મળે ?
ઈશ્વર હમ્મેશાં શબરી અને સુદામા પાસે સામે ચાલીને જાય છે. એ કદી શ્રીમંતોના ઘરે નથી જતો.
ઈશ્વર એઠાં બોર અને તાંદુલથી રાજી થાય છે એને છપ્પનભોગની કશી જ જરુર નથી.
મહાભારતના સંગ્રામ પહેલાં શ્રીકૃષ્ણ વીષ્ટી માટે હસ્તીનાપુર ગયેલા ત્યારે એ કૌરવો સાથે રાજમહેલમાં નહોતા રહ્યા, વીદુરજીના ઘરે રહેલા અને ખીચડી ખાઈને રાજી થયેલા. મહાવીર પણ ચંદનબાળાને ઉગારે છે અને બુદ્ધ પણ ગણીકા વાસવદત્તાને તારે છે. ઈશ્વર કદી શ્રીમંતોની ફેવર કરતો જોવા મળ્યો નથી. જો ઈશ્વરને મોંઘા ચઢાવા ગમતા હોત, સોના–ચાંદીનાં આભુષણો–આંગીઓ ગમતાં હોત તો એ શ્રીમંત માણસોની ફેવર તરફેણ કરતો હોત. ભગવાન મહાવીર જ્યારે તપશ્ચર્યા કરવા માટે વનમાં ગયા ત્યારે કેટલાક ભોળા–ઉત્સાહી લોકોએ એમના માટે ઘાસની કુટીયા બનાવી દીધી હતી. ટાઢ–તાપ અને વરસાદમાં એમને તકલીફ ન પડે એની ચીંતા ભોળા ભક્તો કરતા હતા; પરંતુ ત્યાં ચરતી–ફરતી ગાયો આવીને કુટીયાનું ઘાસ ખાવા લાગી એ જોઈને લોકોએ મહાવીરને કહેલું ધ્યાનમગ્ન ભલે બનો; પરંતુ આ કુટીયાનું ધ્યાન રાખવાનું ન ભુલો. ત્યારે મહાવીરે કહેલું કે, ‘જ્યારે મને મારી આ કાયાનું જ ધ્યાન નથી; ત્યાં કુટીયાનું ધ્યાન શી રીતે રાખું ?’
આપણાં દીમાગ ચસકી ગયાં છે કે આપણે આરસપહાણનાં મંદીરો બનાવીએ છીએ. ઈશ્વરને તો ઘાસની કુટીયાનોય ખપ નથી ! મન્દીરનો પરીગ્રહ ભલે ચોરને કામ આવતો !
એક મજબુર ઓરત બસો–પાંચસો રુપીયા માટે પોતાના ચારીત્ર્યનો સોદો કરતી હોય એવી ક્ષણે કયા ભગવાનને બાવન ગજની ધજાના ઓરતા હોય ? નક્કી, આપણને કોઈકે અવળા રવાડે ચઢાવ્યા છે. ઈશ્વરને વળી એવી શી ગરજ હોય કે એ તમારી પાસે પુનમો ભરાવે અને પ્રસાદના થાળ ચઢાવરાવે ? કોઈક ખોટી એજન્સીએ આપણને ગુમરાહ કર્યા છે.
થોડાં વર્ષ પહેલાં એક સાધ્વીજીએ વૈરાગ્ય છોડીને સંસારમાં પાછા વળવાનો નીર્ધાર કરેલો. તેમણે એ નીર્ણય સાકાર કર્યો ત્યારે મેં ‘સંસારમાં તમારું સ્વાગત કરું છું’ એવા શીર્ષકથી એક લેખ લખેલો. ઘણા લોકોએ મારા એ લેખ પ્રત્યે નારાજગી બતાવેલી; પણ એના કરતાં વધારે લોકોએ મારી વાતમાં પોતાનો સુર પુરાવ્યો હતો. સાધુવેશમાં રહીને ખાનગીમાં દુરાચર કરવા કરતાં; સાધુવેશ છોડી દેવામાં એના પ્રત્યેનો વીશેષ આદર પ્રગટ થાય છે. સાધુઓના હાથે લખાયેલા પ્રેમપત્રો મેં સગી આંખે વાંચ્યા છે. એ સાધુ અત્યારે મુમ્બઈમાં રહીને ઠેર–ઠેર પોતાની લોભામણી વાણીથી પોતાના ભક્તોને ધર્મના નામે છેતરી રહ્યા છે. એની પાસે ચમત્કારની કથાઓ અને મંત્રતંત્રના ધતીંગો છે.
સાધુને બગાડવામાં સંસારીઓ જ જવાબદાર છે. શા માટે આપણે વેવલા થઈને તેમને બીનજરુરી ચીજો અર્પણ કરી આવીએ છીએ ? શા માટે આપણે તેમના આશીર્વાદ લેવા અને વાહીયાત ઉપદેશો સાંભળવા લાઈનમાં ખડા રહી જઈએ છીએ ? વાસક્ષેપ અને ભભુતી કે કંકુની ચપટીઓ પાછળ આપણે આપણું પ્રજ્ઞાતંત્ર કેમ સ્થીર કરી દઈએ છીએ ? જે સાધુ જેટલો મોટો આડંબર કરે એને આપણે બહુ મોટા બાપજી કેમ સમજીએ છીએ ? આપણી ભોળી ભક્તી સાધુને એના ત્યાગનો રાહ ભુલાવડાવે છે અને આપણને એ પાપના અધીકારી બનાવે છે. ભક્તી અને સેવા–વૈયાવચના નામે આપણે અજાણતાં જ કેવાં ઘોર પાપ તરફ ધકેલાઈ રહ્યા છે એ સમજાય તો તો ‘નો પ્રોબ્લેમ’…..  
અક્ષરાંકન: ગોવિંદ મારૂ                                               
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Birth Anniversary (12-06)


1 ) Mehta Kalpesh Babalal Dhanwantrai
2 ) Mehta Akash Nemish Hasmukhrai
3 ) Mehta Priti Kalpen Tarunkumar
4 ) Parekh Jayesh Prabhudas Kashidas
5 ) Sanghavi Vinod Mansukhlal
6 ) Sanghavi Kalpen Rajendra Harjivan
7 ) Shah Jyoti Mitesh Jayantilal
8 ) Sheth Jitendra Manilal

Tuesday, June 11, 2013

Amazing House In The Middle Of A River


An amazing house on a rock in the middle of the river Drina is a sanctuary for Serbian Milija Mandic. He and his friends built the house when they where teenagers.


Birth Anniversary (11-06)


1 ) Doshi Chetna Deepak Manharlal
2 ) Lodaria Monali Amit Pranjivan Harjivan
3 ) Mehta Lata Rajesh Hasmukhrai
4 ) Mehta Rushabh Rajesh Sevantilal
5 ) Parekh Bharat Kantilal
6 ) Shah Nirav Jitendra Hasmukhlal

Monday, June 10, 2013

અપરીગ્રહની અવાસ્તવીકતા–મુરજી ગડા

.
જૈન ધર્મ એક એવો ધર્મ છે જેમાં અપરીગ્રહને ખુબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે એક સમુદાય તરીકે જૈનેતરની સરખામણીમાં જૈનો વધુ સાધનસમ્પન્ન (પરીગ્રહી) હોવાનું દેખાય છે. ઘણા જૈન વેપારી હોવાથી એમની વૃત્તી અને પ્રવૃત્તી સ્વાભાવીકપણે વધુ સમ્પત્તી ભેગી કરવાની હોય છે. એને જ સફળતાનો માપદંડ માનવામાં આવતો હોવાથી સમાજમાં સમ્પત્તી પ્રમાણે વ્યક્તીનું સ્થાન નક્કી થાય છે. ધનસંચય સીવાયની અન્ય સીદ્ધીઓને એટલું મહત્ત્વ નથી અપાતું. (ડૉક્ટરની કાબેલીયત કરતાં તે કેટલા પૈસા કમાય છે એની ચર્ચા વધુ થાય છે.) જે કોઈ વ્યક્તી સન્તોષ માની કે પછી પ્રામાણીકતા જાળવવા પોતાની આર્થીક પ્રવૃત્તીઓ મર્યાદીત રાખે તો તેને નીચી નજરે જોવામાં આવે છે.
અફસોસ એ વાતનો છે કે આ સર્વવ્યાપી વાસ્તવીકતાને અવગણી, અપરીગ્રહના આદર્શને આગવું સ્થાન આપી એની ફક્ત વાતો જ કર્યા કરવાનો દમ્ભ આપણે છોડતા નથી. આટલી સરળ વાતમાં પણ આપણે પ્રામાણીક નથી બની શક્યા.
ભારતીયો પશ્વીમી સંસ્કૃતીને ભોગવાદી ગણે છે. ભૌતીકતાને સંસ્કૃતી કરતાં મનોભાવના સાથે વધુ સમ્બન્ધ છે. હકીકતમાં આપણે પણ એટલા જ ભોગવાદી છીએ. આપણી પાસે ભૌતીક સગવડનાં સાધનો ઓછાં હતાં; કારણ કે તે અહીં મળતાં નહોતાં. હવે જ્યારે મળવા લાગ્યાં છે ત્યારે જેને પણ પોષાય છે એમની પાસે ભરપુર પ્રમાણમાં છે. એટલું જ નહીં; આપણી સમુદ્ધીનું પ્રદર્શન કરવામાં આપણે જરાયે પાછળ પડતા નથી. લગ્ન પ્રસંગો, ધાર્મીક તેમ જ અન્ય ઉજવણીઓના આના દાખલા છે. ખુદ ભગવાનની મુર્તી પર અલંકારો ચઢાવી એમને પરાણે પરીગ્રહી બનાવાય છે.
ભૌતીકતાની સાચી વ્યાખ્યા કોઈની પાસે કેટલી વસ્તુઓ કે સમ્પત્તી છે તે નહીં; પણ એમના માટે એનો લગાવ કેટલો છે તે છે. આપણને જરુર ન હોય; છતાં બીજા પાસે છે, માટે ભેગી કરવી; વસ્તુઓ ન હોવાનો અફસોસ કરવો વગેરે ભૌતીકવાદી માનસીકતાની નીશાની છે. આપણા આધ્યાત્મીકપણાના દાવામાં તથ્ય કરતાં દમ્ભ વધારે છે.
આપણી રોજબરોજની પ્રવૃત્તીને આસાન બનાવતાં સગવડનાં સાધનો વાપરવામાં કંઈ ખોટું નથી. એના લીધે બીજાં અગત્યનાં કામ માટે વધુ સમય ફાળવી શકાય છે. સગવડ વીરોધી વાતો અને વર્તન કરવાથી આધ્યાત્મવાદી નહીં; પણ અગવડવાદી થઈ જવાય છે. બધી બાબતોની જેમ અહીં પણ બન્ને બાજુનો અતીરેક નુકસાનકારક જ છે.
અપરીગ્રહની પ્રચલીત વ્યાખ્યા ભૌતીક સમ્પત્તી ભેગી ન કરવાની છે. ગૃહસ્થી માટે એ વ્યવહારુ નથી. આર્થીક રીતે સ્વતંત્ર (સધ્ધર) ન હોય એવી વ્યક્તીને ઘણી બાંધછોડ કરવી પડે છે. એમને વ્યક્તીગત સ્વતંત્રતાના મુળભુત હક્ક જાળવવા અઘરા પડે છે. કોઈના મતે અપરીગ્રહ એ સાંસારીક જવાબદારીમાંથી છટકી જવાનો એક પ્રકારનો પલાયનવાદ છે.
આપણે આવકનાં જે પણ સાધન વીકસાવ્યાં હોય એને આગળ વધારવામાં કંઈ ખોટું નથી. બીજા જે પણ આપણી પ્રવૃત્તી સાથે સંકળાયેલા હોય એ બધાના હીત માટે પણ એ જરુરી છે. એકમાત્ર શરત આપણા ધન્ધા–વ્યવસાયમાં સમ્પુર્ણ પ્રામાણીકતા જાળવવાની છે.
દેશમાં જેટલી સમ્પત્તી વધી રહી છે તે તો વધવાની જ છે. આપણે નહીં તો બીજા કોઈ, એ ભેગી કરી એનો દુરુપયોગ કરી શકે છે. સારા માણસોના હાથમાં પ્રામાણીકપણે આવેલી સમ્પત્તીનો કેટલો સદુપયોગ થઈ શકે એ વાત આગળ આવે છે.
કોઈ આ ભાગદોડથી દુર રહેવા માંગતા હોય તો એમાં કંઈ ખોટું નથી. એનાથી શાન્તી, સન્તોષ અને તનાવમુક્તી મળે છે. છતાં જે સાંસારીક જવાબદારીઓ સ્વીકારી છે તેને પુરી કરવાની ફરજ તો રહે જ છે.
અપરીગ્રહ ઉપદેશતા સમાજમાં (ધર્મમાં) સામાજીક અને ધાર્મીક પ્રસંગોએ ધનવાનોને (પરીગ્રહીને) આગવું મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે એમનાં જ દાનને લીધે બધી ધાર્મીક અને સામાજીક સંસ્થાઓ અને પ્રવૃત્તીઓ ચાલતી હોય છે. આમાં પણ કંઈ ખોટું નથી. તટસ્થ રીતે જોઈએ તો દાનની વાસ્તવીકતાએ અપરીગ્રહના આદર્શને પરાજીત કરેલ છે.
આટલી લાંબી રજુઆતનો આશય અપરીગ્રહને સદન્તર ભુલી જવાનો નથી. વાસ્તવમાં આપણે અપરીગ્રહ (સમ્પુર્ણ ત્યાગ) કરતાં દાનનો (આંશીક ત્યાગ) અમલ કરીએ છીએ. આ દાન અને અપરીગ્રહ ઉપરાંત ત્રીજો વીકલ્પ પણ છે. એમાં સમ્પત્તી ભેગી કરવાનો બાધ નથી; છતાં એ ભાવનાગત રીતે પરીગ્રહ નથી થતો.
આ વીકલ્પ છે ભેગી કરેલી સમ્પત્તીના માલીક નહીં; પણ ટ્રસ્ટી બની રહેવાનું. અહીં ટ્રસ્ટીપણાનો અર્થ થોડો જુદો છે. આપણી સમ્પત્તીનો બધો વહીવટ આપણા હાથમાં હોવા છતાં; તે ફક્ત આપણા અંગત ઉપભોગ (Wants) માટે નહીં; પણ બીજા ઘણાના ઉપયોગ (Needs) માટે પણ વપરાય. આ નવું નથી. અપરીગ્રહની ભાવનાને જાળવી રાખી એના અવ્યવહારુપણાનો આ શ્રેષ્ઠ વીકલ્પ છે. અઢળક સમ્પત્તી કમાયા પછી પણ એના માલીક મટી, ટ્રસ્ટી બનીને શું કરી શકાય તે આ વ્યક્તીઓની કરણીમાં જોઈ શકાય છે.
અપરીગ્રહનો પ્રચલીત અર્થ કશું ભેગું ન કરવાનો થાય છે. ત્યાગનો અર્થ ભેગું કરેલું બધું છોડી દેવાનો કે આપી દેવાનો થાય છે. આમના કીસ્સાઓમાં સમ્પત્તીનો ત્યાગ છે; પણ જવાબદારી જાળવી રાખેલ છે. આના માટે વધુ યોગ્ય શબ્દ ન મળે ત્યાં સુધી આપણે એને પરીગ્રહ–વીચ્છેદ કહીશું.  આવો પરીગ્રહ–વીચ્છેદ એ પાછલી ઉંમરે કરેલ આંધળો નહીં; પણ જાગૃત ત્યાગ છે.
આંધળા ત્યાગમાં પાછળ શું થાય છે એની દરકાર નથી હોતી. જાગૃત ત્યાગમાં સમ્પત્તી યોગ્ય માર્ગે વપરાય એ જવાબદારી જાળવી રાખવામાં આવે છે. સત્તાની જેમ સમ્પત્તી પણ જ્યારે અયોગ્ય હાથમાં જાય છે ત્યારે ઘણું નુકસાન કરી શકે છે.
સમ્પત્તી પોતે ગુણ કે દોષ વગરની છે. એ વ્યક્તીના મુળભુત સ્વભાવમાં રહેલી સારી અને ખરાબ બન્ને ખાસીયતો બહાર લાવે છે. એ થોડા લોકોને નમ્ર અને ઉદાર બનાવે છે; જ્યારે મોટાભાગના કીસ્સામાં એ વ્યક્તીને ઘમંડી બનાવે છે. એટલે જ કદાચ જૈન વીચારધારામાં અપરીગ્રહને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું હશે. કમનસીબે એ વ્યવહારુ સાબીત નથી થયું.
ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓમાં, ગરીબના નાનકડા દાનને ધનવાનના મોટા દાન કરતાં વધારે મહત્ત્વનું ગણવામાં આવે છે. કારણ, ગરીબને દાન કરવા માટે પોતાની જરુરીયાતો પર કાપ મુકવો પડે છે. શ્રીમંતોની જીન્દગીમાં મોટા દાનથી પણ જરાય ફરક પડતો નથી.
ભુખ્યાને ખવડાવવું એ ની:શંક સત્કાર્ય છે. જ્યારે કોઈને પગભર કરવો એ વધારે મોટું સત્કાર્ય છે. એનાથી એના આખા કુટુમ્બને લાંબા સમય સુધી લાભ મળે છે. આ દૃષ્ટીએ જોઈએ તો સદાવ્રત કરતાં શીક્ષણ અને આરોગ્ય સંસ્થાઓ વધારે સારી ગણાય. આવી ધંધાદારી કે બીનધંધાદારી સંસ્થાઓનું અન્તીમ લક્ષ્ય એક હોવા છતાં એમની ભાવનામાં ઘણો ફરક હોય છે. ધંધાદારી સંસ્થા સંચાલકો માટે પરીગ્રહલક્ષી છે જ્યારે બીજી પરીગ્રહ–વીચ્છેદ લક્ષી છે.
ધાર્મીક સ્થળોએ કે પ્રસંગોએ થતા દાન વીશે કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે જેટલું આપીએ છીએ એનાથી ઘણું વધારે મળવાનું છે. આવી ભાવના દાનને એક સોદા કે રોકાણમાં બદલી નાંખે છે. એમાં પરીગ્રહ વધારવાની ભાવના ઉપરાન્ત પોતાના ઈશ્વરને છેતરવાપણું વધારે લાગે છે. દુ:ખની વાત એ છે કે સૌથી વધુ દાન આ ક્ષેત્રે થાય છે; પણ જરુરીયાતવાળા સુધી એમાંનું સાવ ઓછું પહોંચે છે. આ બાબતમાં દેખાદેખી છોડી પોતાની વીવેકબુદ્ધી પ્રમાણેનું વર્તન બધાના હીતમાં રહેશે.
પરીગ્રહ–વીચ્છેદ એ અપરીગ્રહ નથી. એ નીષ્ક્રીય અને આંધળો ત્યાગ પણ નથી. કરેલા પરીગ્રહથી વીમુખ થવાની એ પ્રક્રીયા છે. કુદરત અને માનવ સમુદાય પાસેથી મેળવેલું પાછું આપવાની આપણને તક પુરી પાડે છે. મુખ્યત્વે પાછલી ઉમ્મરે કૌટુમ્બીક જવાબદારીઓ પુરી થયા પછી શરુ થતી આ પ્રક્રીયા છે. એ Abandonment નથી;  Detachment છે.
આ પરીગ્રહ–વીચ્છેદ સમ્પત્તી ઉપરાન્ત પ્રવૃત્તી અને સમ્બન્ધોને પણ લાગુ પડે છે. આનો અર્થ પ્રવૃત્તી કે સમ્બન્ધોને છોડી દેવાનો નથી; પણ એમને નવો વળાંક આપવાનો છે. માલીકીભાવ અને અનુરાગ છોડી કર્તવ્યભાવ અપનાવવાનો છે, અનાસક્તી કેળવવાની છે. એમાં મોટાં થયેલાં સંતાનોને સમ્પુર્ણ સ્વતંત્રતા આપવાની વાત છે. કૌટુમ્બીક તેમ જ અન્યો પરના અંકુશો અને બન્ધનો ઢીલાં કરવાનાં છે. એમાં નીષ્ક્રીયતા નહીં; પણ પ્રવૃત્તીઓ પાછળની ભાવનાને ઉમદા કરવાની વાત છે. પક્ષપાત છોડી નેકી (Fairness) અપનાવવાની વાત છે.
વૈદીક સંસ્કૃતીની વર્ણવ્યવસ્થાએ ઘણા અનર્થો સર્જ્યા છે. જ્યારે એની આશ્રમવ્યવસ્થામાં ઘણું વજુદ રહેલું છે. ગૃહસ્થાશ્રમ પછી વર્ણવાયેલ વાનપ્રસ્થાશ્રમ આ પરીગ્રહ–વીચ્છેદની ભાવનાને મળતો આવે છે. એ સમ્પત્તી, સમ્બન્ધો, સત્તા, પ્રવૃત્તી વગેરે બધાને નવી દૃષ્ટીએ જોઈ અલીપ્તતા કેળવવાનું કહે છે.
પુનર્જન્મમાં માનતા લોકો ભવના ફેરામાંથી છુટકારો મેળવવા કંઈ કેટલીયે ધાર્મીક પ્રવૃત્તીઓ કરતા હોય છે. પણ આ જનમમાં કેળવેલા અને મેળવેલા અંકુશો તેમ જ પરીગ્રહો છોડી શકતા નથી. આપણી ચારેકોર દેખાતી આ એક મોટી કરુણતા છે.
અપરીગ્રહ બાબતે આપણી પાસે ત્રણ વીકલ્પો છે: (1) પરમ્પરાથી ચાલ્યો આવતો અપરીગ્રહનો આદર્શ રાખી, કથની અને કરણીના વીરોધાભાસનો દમ્ભ ચલાવે રાખવાનો; (2) સ્વીકારી લીધેલા આદર્શનું પાલન ન થવાથી  જાત પ્રત્યે અપરાધભાવ અનુભવવાનો; કે પછી (3) વાસ્તવીકતાને સ્વીકારી, અપરીગ્રહને નવું નામ આપી નવી નજરે જોવાનું. જે આદર્શ કોઈ પાળતું નથી કે પાળવાની ઈચ્છા પણ રાખતું નથી એની વાતો કર્યા કરવાથી બીજા એક આદર્શ ‘સત્ય’નો ભંગ થાય છે.
સામાજીક સ્તરે આવી વીચારસરણી વીકસાવવા માટે સમાજના આગેવાનોની ઈચ્છા અને ઈચ્છાશક્તી જરુરી છે. સમાજના સાચા આગેવાન કથાકાર–સાધુ–સન્તગણ છે. જનમાનસ પર સૌથી વધારે પ્રભાવ એમના કહેવાનો થાય છે. એમણે પોતાના વીચાર/પ્રચારને નવી દીશા આપવાની જરુર છે.
(મૂળ લેખને ટૂંકાવીને )
અક્ષરાંકન: ગોવિંદ મારૂ                                              
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Birth Anniversary (10-06)


1 ) Shah Dharmi Jignesh Arvind Maneklal
2 ) Shah Harsha Hasmukh Vrajlal
3 ) Shah Hasmukhray Fatechand
4 ) Shah Indumati Chandulal Popatlal
5 ) Sheth Urvi Bhavesh Indulal
6 ) Sheth Paresh Dhirajlal
7 ) Solani Jitendra Laxmichand Chhotalal
8 ) Trevadia Shweta Gunvantlal Gopalji