Monday, September 30, 2013

Samaj Utkarsh Volume No 587 August 2013



To read Pages 1 to 12 of Samaj Utkarsh click here (You will have to download the file to your computer)

To read Pages 13 to 24  of Samaj Utkarsh click here (You will have to download the file to your computer)

To read Pages 25 to 36 of Samaj Utkarsh click here (You will have to download the file to your computer)

To read Pages 37 to 48 of Samaj Utkarsh click here (You will have to download the file to your computer)

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

2) This time Samaj Utkarsh is 48 pages thick. As a result of which 4 files have become voluminous and can not be seen directly on net. You will have to download the file to your computer and read.

3) As files are large, Google declines to check for viruses. You can accept 'download anyway' as they are from the known source.

Samaj Utkarsh Volume No 586 July 2013



To read Pages 1 to 10 of Samaj Utkarsh click here

To read Pages 11 to 20  of Samaj Utkarsh click here

To read Pages 21 to 28 of Samaj Utkarsh click here

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

Death


Native :Wankaner
Currently At : Mulund, Mumbai

Name of the deceased :Hasmukhray Saubhagyachand Shah
Age : 80 Years
Date of Death : 30-09-2013.
Wife:Vinodiniben

Son : Paresh
Daughter-in-Law : Jagruti
Daughters : Vibha Virendra Vora, Jigna Sanjaykumar Koradia
Sisters : Late Manjulaben Ma.Sa., Late Ranjanben Ravichand Lodaria, Jyotsnaben Rameshchandra Varia
Father-in-Law: Late Vrajlal Amrutlal Shah

May His Soul rest in eternal peace 
(Late Hasmukray was the father of President of Samaj Shree Paresh H Shah)

વાંકાનેર હાલ મુલુંડ શાહ હસમુખરાય સૌભાગચંદ (ઉં. વ. ૮૦) તે વિનોદીનીબેનના પતિ. પરેશ, અ. સૌ. વિભા વિરેન્દ્ર વોરા, અ. સૌ. જીજ્ઞા સંજયકુમાર કોરડીયાના પિતા. અ. સૌ. જાગૃતિ પરેશ શાહના સસરા, તે સ્વ. મંજુલાબેન (સાધ્વીજી મહારાજ), સ્વ. રંજનબેન રવિચંદ લોદરીયા, અ. સૌ. જયોત્સનાબેન રમેશચંદ્ર વારીયાના ભાઇ. શ્ર્વસુર પક્ષે સ્વ. વૃજલાલ અમૃતલાલ શાહના જમાઇ તા. ૩૦-૯-૧૩ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષ તરફથી તા. ૧-૧૦-૧૩ને મંગળવારે ૩ થી ૫ ભાવયાત્રા રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે. સ્થળ: ઉત્સવ ઉમંગ હોલ,  ૯૦ ફીટ રોડ, શીવાજી ટેકનીકલ સ્કુલની બાજુમાં, ઘાટકોપર (ઇ.).
(સ્વ. હસમુખરાય સમાજના પ્રમુખ શ્રી પરેશભાઈ શાહના પિતાશ્રી થાય) 

લોભ – ધૂની માંડલિયા


અતિ લોભ તે પાપનું મૂળ છે. લોભને પાપનો બાપ કહેવાયો છે.
લોભ સ્વભાવે ખાઉધરો છે. વધુ ને વધુ લાલસા એટલે લોભ. લોભ હજાર સદગુણોનેય ગળી જાય છે. લોભનો સ્વભાવ જ ગળવાનો છે. લોભ નાનું-મોટું, શક્તિ-અશક્તિ, યોગ્ય-અયોગ્ય, ખપ-નાખપનું વિચારતો નથી. તેનું લક્ષ્ય કેવળ પ્રાપ્તવ્ય અને સંગ્રહ હોય છે. લોભના પ્રવેશની સાથે જ વિવેક ઘર-ઉંબરો છોડે છે. વિવેક અને લોભ સાથે રહી શકતા નથી. લોભ અને સંતોષ સાથે જીવી શકતા નથી. એકની હાજરી એ બીજાની ગેરહાજરીનું કારણ અવશ્ય બને છે. અસંતોષ અને તીવ્ર લાલસાની લાય લોભના ઈંધણમાંથી ભભૂકતી હોય છે અને એક વાર આગ પેટાઈ જાય છે પછી તે બીજાને પણ પોતાની ઝપટમાં લેતી જાય છે.

લોભવૃત્તિ જીવ માત્રને લાંબા ગાળે ગુલામ બનાવતી હોય છે. દાસત્વ એ લોભનું ફરજંદ છે. લોભી માણસ ક્યારેય બાદશાહ હોતો નથી. એ સદાય સેવક બનીને રહેતો હોય છે. સામ્રાજ્યોની લાલસા અને લોભ વ્યક્તિને બાદશાહમાંથી વાસ્તવમાં ગુલામ બનાવતી હોય છે અને નિર્લોભી ફકીર બાદશાહનો પણ બાદશાહ બનતો હોય છે. એ સ્વતંત્ર હોય છે. પોતે જ પોતાનો માલિક હોય છે, કારણ કે તે સંતોષી હોય છે.
આપણાથી બે પેઢી જ માત્ર પાછળ જોઈએ તો જણાશે કે ત્યારે માણસ પાસે આજના જેટલી વિપુલ અને અદ્યતન સાધનસામગ્રી નહોતાં. છતાં આજના કરતાં વ્યતીત પેઢી આપણાથી વધુ સુખી હતી. આ સત્ય તો આજે સહુ કોઈ સ્વીકારે છે. આ સત્યનું બીજ છે સંતોષ. જરૂરિયાતો અલ્પ, કોઈ મહત્વકાંક્ષા નહીં, પ્રભુપરાયણ જીવન અને સંતોષને કારણ આપણી પુરોગામી પેઢી સુખી હતી. જીવનમાં ક્યાંય દોટ નહીં. રોજ ચાલવાનો જ પ્રામાણિક પુરુષાર્થ. પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે. આજે દોટ એ જ જીવનની ઓળખ બની ગઈ છે. વધુ ને વધુ મેળવવું એ જ જીવનનું લક્ષ્ય બન્યું છે. રાતોરાત લખપતિ થઈ જવું છે અને માટે જીવનમૂલ્યોને છેહ દેવો પડે તો છેહ દેવા સુધીની આપણી માનસિક તૈયારી છે. પરિણામે વસ્તુ-પદાર્થ-પૈસો, પ્રતિષ્ઠા, પદ વગેરે તો તાણી લાવી શકીએ છીએ, પણ સુખ સરી જાય છે. માણસ ધન-દોલતના ઢગ વચ્ચેય ભિખારી બની જાય છે. જે સંતોષની મૂડી પર ત્રણે લોકનો સ્વામી હતો તે લોભની વૃત્તિથી માખી-મચ્છર જેવું શુદ્ર જંતુ બની જતો હોય છે. દાસત્વ તેને પછી કોઠે પડી જાય છે. લોભને રવાડે ચડતાં જ મનુષ્ય આંધળો થઈ જાય છે. લોભ સૌથી પહેલું કામ વ્યક્તિની આંખ આંચકી લેવાનું કરે છે. અર્થાત માણસની ક્ષીર-નીર ભેદ પારખવાની દષ્ટિને આંચકી લે છે – એટલે કે માણસને વિવેકશૂન્ય બનાવે છે. પોતાના અલ્પ સુખ ખાતર માણસ લોભવશ અન્યનાં સુખ-ચેન હડપ કરવા સુધી લલચાય છે. ભૌતિક ચીજોની ભૂખ વિવેકનો કોળિયો કરી જાય છે. લોભી માણસનો આહાર જ અન્ય અસ્તિત્વ હોય છે. પણ લોભીજન એ ભૂલી જાય છે કે જેનો એ કોળિયો કરી ગળી જવા ઈચ્છે છે એ ચીજ-જણસ જ આગળ જતાં લોભીજનનો કોળિયો કરી જતી હોય છે. જગત પરની પ્રવર્તમાન પ્રાયઃ સઘળી હિંસાનું કારણ લોભ છે. લોભ એ કેવળ ચીજવસ્તુ મેળવવા માટેની આંધળી દોટ જ નથી, બલ્કે એ બદલાની ભાવનાનું અંગ, વેરની વસૂલાત માટેની યોજના અને ગુલામીની જનેતાપણ છે.
એક સમય એવો હતો કે મનુષ્યો-પશુઓ એક જ જંગલમાં નિર્ભયપણે આનંદપૂર્વક સાથે જીવતાં હતાં. પશુ આદિ જનાવરો જ એમના રોજિંદા મિત્રો હતા. એક વખત સાબરની સાથે લડતા એક ઘોડાને સાબરનું શિંગડું વાગી ગયું. ઘોડો જખમી થયો. ઘોડો વેરની વસૂલાત કરવા મનુષ્ય પાસે ગયો અને મદદ માગી. મનુષ્યે કહ્યું : ‘ઠીક છે, હું તને મદદ કરી તારા દુશ્મનોનો નાશ કરીશ.’ મનુષ્ય ઘોડા પર બેઠો. સાથે તીર-કામઠાં પણ રાખ્યા અને સાબરને વીંધી પાછો ફર્યો. હવે ઘોડો બોલ્યો : ‘ભાઈ, તમે મારા પર મહેરબાની કરી છે. મારા લાયક સેવા બતાવજો. હવે હું જાઉં છું.’ મનુષ્યે કહ્યું : ‘હવે તું ક્યાં જઈશ ? મને હવે જ ખબર પડી કે તું બેસવામાં ઉપયોગી છે.’ ઘોડો વિવશ બન્યો અને મનુષ્યે તેને બંધનમાં નાખી બેસવાનું સાધન બનાવી દીધું. વેર લેવાના લોભે ઘોડાને બંદીવાન બનાવ્યો.

Birth Anniversary (30-09)



1 ) Gandhi Vidhi Jayesh Himmatlal
2 ) Mehta Jaysukhlal Ratilal
3 ) Mehta Jaswanti Kumudchandra
4 ) Mehta Deepak Narottamdas
5 ) Mehta Vidhi Chetan Kantilal
6 ) Mehta Bharti Deepak Narottamdas Chunilal
7 ) Mehta Mamta Rahul Jayantilal
8 ) Mehta Pravinchandra Khodidas
9 ) Mehta Akshay Praful Durlabhji
10) Parekh Dr. Abhay Hasmukhbhai
11) Sanghvi Hitesh Chimanlal Pranjivandas
12) Shah Coral Sanjay Rameshbhai
13) Shah Amit Arvindbhai Devchand
14) Sheth Kunal Kantilal Vallabhdas
15) Solani Meena Kiritkumar Talakshi


From M V J SAMAJ

Sunday, September 29, 2013

10 Amazing Illusions

10 amazing illusions that will surprise you.

Birth Anniversary (29-09)



1 ) Doshi Nismi Jitesh Mugatlal
2 ) Doshi Nikita Rakesh Jashwantlal
3 ) Lodaria Bharati Nitin Mugatlal
4 ) Mehta Nejal Rajesh Vadilal
5 ) Mehta Vidhi Chetan Natvarlal Kirchand
6 ) Mehta Rekha Pravinchandra Kantilal
7 ) Shah Bhagwati Devendra Jayantilal
8 ) Shah Dilesh Rameshchandra
9 ) Shah Haren Hasmukhrai
10) Sheth Prafulla Jagdish Kantilal
11) Solani Sheetal Haresh Balwantrai


From M V J SAMAJ

Saturday, September 28, 2013

ધનની માયા - ભુપતભાઇ વડોદરિયા

તાજેતરમાં  જ નોકરીમાંથી નિવૃત થયેલા એક સ્નેહીએ પૂછ્યું , “તમને નથી લાગતુ કે આજકાલ યુવાનો સમક્ષ બીજો કોઇ આદર્શ જ નથી - એકજ આદર્શ કે આકાંક્ષાથી એ દોરવાય છે અને તે એ કે કોઇ પણ રીતે શ્રીમઁત થવુઁ ! યુવાનો પૈસાને જ આટલુઁ બધઁ મહત્વ કેમ આપે છે તે મને સમજાતુઁ નથી!”
સ્નેહીની વાતમાઁ જરૂર તથ્ય છે પણ તેને માટે યુવાનોને દોષ દેવો નકામો છે. યુવાનો સગી આઁખે જુવે છે કે અત્યારે દરેક માણસને સારા માણસ બનવામાઁ બહુ રસ નથી, પણ સફળ માણસ થવામાઁ વધુ રસ છે અને સફળ થવુઁ એટલે પૈસાદાર થવુઁ એવી સમજ એમણે કેળવી છે. તેઓ જોવે છે કે અત્યારે કોઇપણ પ્રશ્નમાઁ માણસ નૈતિકતાના દ્રષ્ટિકોણને તદન ગૌણ સમજે છે. એનુઁ કારણ પણ સ્પષ્ટ છે. પૈસાની બાબતમાઁ હવે ચોખ્ખો રૂપિયો અને મેલો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો જ નથી. આ પરસેવાની કમાણીનો રૂપિયો અને આ હાથચાલાકીનો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો નથી. સોનાને વળી કાટ કેવો? રૂપિયાને વળી ડાઘ કેવો? પૈસા એટલે પૈસા! અત્યારે આપણને પૈસાની જ બોલબાલા નજરે પડે છે. અત્યારે જ આવુઁ છે તેમ માનવુઁ પણ ખોટુઁ છે. અગાઉ પણ વધતા ઓછા પ્રમાણમાઁ પૈસાનુઁ પ્રભુત્વ તમામ સમાજોમાઁ રહેતુઁ, તે એક નકારી ન શકાય તેવી હકીકત છે.

પૈસાથી શુઁ નથી મળતુઁ? બધુઁ જ પૈસાથી ખરીદાય છે તે યુવાનો સગી આઁખે જુએ છે. પછી તેમને પૈસાના અસાધારણ ચમત્કારમાઁ શ્રદ્ધા બેસી જાય તેની નવાઇ શુઁ આમાઁ યુવનોને દોષ દેવો નકામો છે અને આ કે તે માણસ સામે આઁગળી ચીઁધવાનો પણ કોઇ અર્થ નથી. આખી પદ્ધતિમાઁ જ એવુઁ કઁઇક છે કે આ વિષચક્રમાઁથી જેઓ બચી જવા મથે છે તેઓ તેમાઁથી બચી ગયા પછી સઁતોષની સાચી લાગણી અનુભવી શકતા નથી. એક સરકારી કર્મચારી લાઁબી નોકરીના અઁતે નિવૃત થયા. કદી તેમણે હોદા પર હતા ત્યારે કોઇની એક પાઇ પણ લીધી નહોતી. હોદ્દા પર હતા ત્યારે તેમણે તેમના ખાતા સાથે જેમને કામ પડ્તુઁ હતુઁ તે હઁમેશા કઁઇ ને કઁઇ મદદ કરવા હાથ લઁબાવતા, પણ સરકારી કર્મચારી વિનયપૂર્વક તેનો ઇન્કાર જ કરતા. નિવૃત થયા પછી તેમના કુટુઁબમાઁ ગઁભીર માઁદગી આવી પડી. પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ પુત્રના ઓપરેશન અને દવા સારવારમાઁ થાય તેમ હતો. આ ભાઇએ કશુઁ વધારાનુઁ ધન તો મેળવ્યુઁ જ નહોતુઁ. એટલે એમને માટે આવો બઁદોબસ્ત કરવાનુઁ મુશ્કેલ હતુઁ.

તેમણે જેમની પાસે પૈસા ઉછીના માગ્યા તેમણે કહ્યુઁ કે તમને જ્યારે પૈસા મળી શકે તેમ હતા ત્યારે તો લીધા નહી. હવે તમને કોણ આપે? આવુઁ કહેનાર ભાઇએ  જ અગાઉ કહેલુઁ કે આપણો સઁબઁધ હૈયાનો સઁબઁધ છે. - હોદ્દાનો સઁબઁધ નથી. પણ અત્યારે હવે એ જ કહી રહ્યા હતા તેનો અર્થ એટલો જ હતો કે હોદ્દાના અઁતની સાથે હૈયાના સઁબઁધનો પણ અઁત આવી ગયો હતો!

નિવૃત સરકારી કર્મચારીએ પછી પોતાના પુત્રની શસ્ત્રક્રિયા તથા દવા સારવાર માટે પૈસાની વ્યવસ્થા તો કરી જ, પણ તેમના મનમાઁ વારઁવાર એવો પ્રશ્ન ઊઠ્યા કરતો - પોતે આખી જિઁદગી ચોખ્ખા હાથ રાખ્યા હતા, તેમ કરીને પોતે સારુઁ કર્યુ હતુઁ? પોતે હઁમેશા સ્વચ્છ રહ્યા તે જ સારુઁ અને સાચુઁ હતુઁ? જેમણે એ થી ઊલટો વહેવાર કર્યો એમની સ્થિતિ આવી કટોકટીના પ્રસઁગોમાઁ વધુ સુગમતાભરી જ જોવા મળી અને એમને કશી શિક્ષા માણસે કે કુદરતે કરી જ નથી! માણસે કે ભગવાને પોતાની પ્રામાણિકતાની કોઇ કદર કરી હોય તેમ દેખાતુઁ નથી! ટૂઁકમાઁ એ ભાઇ પોતે જ એક શઁકામાઁ ઘેરાઇ ગયા. પછી આમાઁ માણસો હ્રદયનુઁ કઁઇક સમાધાન શોધે છે તેમ તેમણે પણ શોધ્યુઁ. પણ પ્રશ્ન તેમનો એકલાનો નહોતો. દરેક માણસને આવો પ્રશ્ન થાય છે.
એ વાત સાચી છે કે સદગુણ અને સત્કર્મ એ પોતે જ તેનો એક અમુલ્ય બદલો છે અને તેના માટે બીજા કોઇ પણ બદલા કે ઇનામની આશા રાખવી જ નહીઁ જોઇએ. પણ આ સાચુઁ હોવા છતાઁ માણસ તો આખરે માણસ જ છે અને તેથી તેના મૂલ્યાઁકનના ત્રાજવા પણ  એની જિઁદગીના પ્રસઁગોના પ્રતિકુળ પવનના સપાટાઓની અસર થયા વગર રહેતી નથી.


માણસ જો શાઁતિથી વિચાર કરે તો તેને ભાન થયા વગર રહે નહી  કે પૈસાથી સુખ કે શાઁતિ મળી  શકતાઁ નથી. તેનાથી કોઇ સાચી સફળતા મળવાનો ખ્યાલ પણ ખોટો છે. દુનિયાની નજરે આપ્ણે આ બધી બાબતોને જ્યારે જોઇએ ત્યારે આપણને એક આભાસ થાય છે, એક દષ્ટિભ્રમ થાય છે. આ દુનિયામાઁ તદ્દન ગરીબ ફકીર જેવા  માણસો તેમની આત્મજ્યોતને લીધે યાદગાર બન્યા છે. શ્રીમઁતોને પોતાનુઁ નામ નોઁધાવવા માટે ગઁજાવર દાન કરવાઁ પડે છે અને પથ્થરની તક્તીમાઁ નામ કોતરાવવાઁ પડે છે. એથી ઊલટુઁ ઇશ્વરના બઁદાઓના, દરિદ્રનારાયણના સેવકોના અને શુદ્ધ સર્જકતાના ઉપાસકોનાઁ નામ માણસના હ્યદયમાઁ અને અખઁડ સ્મૃતિમાઁ કોતરાયાઁ છે.

Birth Anniversary (28-09)



1 ) Doshi Eshani Mukesh Manharlal
2 ) Gandhi Bhogilal Valamji
3 ) Gandhi Bijal Vijay Ravichand
4 ) Gandhi Madhusudan Lalchand
5 ) Gandhi Neha Bharat Durlabhji
6 ) Mehta Yogesh Natvarlal
7 ) Mehta Palak Bharat Hargovinddas
8 ) Shah Bharat Ratilal
9 ) Shah Sheetal Kamlesh Lalitrai
10) Shah Kiran Virendra Padamshi
11) Sheth Ila Rohit Manilal
12) Sheth Rima Vishal Mahendra Ramniklal
13) Solani Rutu Mayank Rajnikant Ratilal


From M V J SAMAJ

Friday, September 27, 2013

Japan's Super Fast Magnetic Levitation Train

Floating by at 311 mph (500 km/h), the Japanese Magnetic Levitation bullet train undergoes its first successful test run.

Birth Anniversary (27-09)



1 ) Gandhi Vinod Himatlal
2 ) Gandhi Juhi Apurva Manharlal
3 ) Mehta Shrenik Navinchandra
4 ) Parekh Dhirendra Kantilal
5 ) Shah Bhupatrai Himatlal
6 ) Shah Mahendra Champaklal
7 ) Shah Nidhi Haresh Sumatilal
8 ) Shah Shwetal Vaibhav Dilip
9 ) Shah Urvi Narendra Kantilal
10) Shah Shashikala Yogesh Hasmukhrai
11) Shah Rakesh Manhar Keshavlal
12) Sheth Harshada Bipin Kantilal
13) Vora Nita Shirish Fofariya


From M V J SAMAJ

Thursday, September 26, 2013

અમૃતબિંદુ તો આપણી અંદર છે ! – ભૂપત વડોદરિયા


[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.]
એક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું ! એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી તદ્દન નાની, નજીવી વાતોમાં ગુસ્સે થઈ જવાનો, ચિઢાઈ જવાનો મારો સ્વભાવ બદલી નાખીશ ! આવો નિર્ણય તો કરી નાખું છું પણ જેવું કંઈક નાનકડું કારણ મળે કે તરત હું ચિઢાઈ જાઉં છું. પત્નીએ સવારે આપેલાં કપડાંમાં ખમીસનું એકાદ બટન તૂટેલું હોય કે ચાના કપમાં કંઈક સહેજ તરી રહેલું લાગે તો તરત મિજાજનો પ્યાલો ફાટે ! હું જાણું છું બટન તૂટી ગયું તેમાં પત્નીનો કોઈ દોષ નથી. બટન તૂટેલું હોય તો તે ખમીસ પાછું મૂકી દઈને બીજું ખમીસ લઈ શકાય છે. ચાના કપમાં જે તરે છે તે ચાની પત્તી સિવાય કંઈ નથી તે પણ હું જાણું છું, છતાં નાની નાની બાબતમાં મારો મિજાજ કેમ છટકી જતો હશે ?
એક માણસ આવો પ્રશ્ન કરે – ઘણાબધા માણસો તો આવા કોઈ પ્રશ્નો કરે – બીજાને કે ખુદ પોતાને પણ પૂછતા નથી. આ જ મારો મિજાજ છે અને આ જ મારો રુઆબ છે. તેને બદલી શકાય નહીં અને તેને બદલવાની જરૂર જ શું ? વાતવાતમાં આ રીતે પોતાનો મિજાજ ગુમાવનારા આ બાબતને ખાસ ગંભીર ગણતા નથી. કોઈ તેમને તેમના આવા તડતડિયા સ્વભાવ વિષે ટકોર કરે તો તેઓ કહેશે કે શું કરીએ ! આ તો સ્વભાવ છે. સ્વભાવમાં થોડીક ‘ગરમી’ ના રાખીએ તો કોઈ દાદ જ ના દે. પત્ની પણ દાદ ના આપે અને સંતાન પણ બિલકુલ ગાંઠે જ નહીં. બીજા લોકો પણ આપણી સાથેના વહેવારમાં આપણને લલ્લુભાઈ ગણી કાઢે !
માણસ આ રીતે પોતાના સ્વભાવના આ વારંવારના નાના ભડકાને સમજાવવાની કે ગેરવાજબી ગણાવવાની કોશિશ કરે છે, પણ આવો માણસ ક્યારેય શાંતિથી વિચારે તો તેને કેટલીક વાર એક આંચકા સાથે એવું ભાન થાય છે કે આ બધી નાની બાબત પાછળ કોઈ કોઈવાર મોટી ગરબડ છુપાઈ હોય છે. કોઈક મોટા રોગના એક નાનકડા પ્રગટ લક્ષણ જેવું જ આ પણ એક લક્ષણ હોઈ શકે છે. શરીરના જે ભાગમાં લોહી પહોંચતું ના હોય ત્યાં ખાલી ચઢી જાય છે કે ઝણઝણાટી થાય છે એવું જ કાંઈક આમાં પણ હોય છે. આપણા સ્વજનો અને પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓ, પરિચિતો અને અપરિચિતો સાથેના આપણા વહેવારમાં જ્યાં જ્યાં આપણા સ્વભાવના આ કાંટા એકદમ બહાર આવી જાય છે ત્યાં ત્યાં આપણી અંદર વહી રહેલા જીવનરસના અને લાગણીના નીરોગી પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ પડેલો હોય છે, કંઈક ગરબડ હોય છે.
 આપણે આંખ પર પાણી છાંટીએ છીએ, કાનમાં મેલ ના હોય તેની કાળજી રાખીએ છીએ, દાંત સાફ કરીએ છીએ, મોંને સુવાસિત રાખવાની દરકાર કરીએ છીએ, પણ મનમાં જમા થયા કરતા ક્ષારો દૂર કરવાનું ખાસ વિચારતા નથી, પાણીની જેમ જ જ્યાં લાગણી છે ત્યાં ક્ષાર જમા થઈ જાય છે. તેને દૂર કરવો પડે છે, આની સાફસૂફી થતી જ રહે તેવાં દ્રાવણો આપણી અંદર જ છે, પણ તેને આપણે કાં તો સૂકવી નાખીએ છીએ કે પછી દૂષિત કરી દઈએ છીએ.
એક માણસ બીજા માણસ સાથે સ્નેહ અને સદભાવથી વર્તે, તેની સાથે ઉદારતા અને ક્ષમાવૃત્તિથી વર્તે તો સામી વ્યક્તિને જ તેનો લાભ મળે છે એવું નથી. સ્નેહ અને સદભાવથી વર્તતી વ્યક્તિને પોતાને જ તેનાથી સૌથી મોટો લાભ થાય છે. માણસની પોતાની જ માનસિક તંદુરસ્તી માટે આ આવશ્યક બની રહે છે. માણસ પોતાના જ સાચા હિતનો વિચાર કરતો નથી અને પોતાના માની લીધેલા હિતનો ખ્યાલ કરીને બધાની સામે બદલાના હિસાબે વહેવાર કરે છે. આ માણસ આપણી સાથે સારું રાખે છે, તેની સાથે સારો વહેવાર કરો. આ માણસ આપણી સાથે બરાબર વર્તન કરતો નથી – આપણા માની લીધેલા સ્વાર્થને ધક્કો પહોંચે તે રીતે વર્તે છે, માટે તેની સાથે સારી રીતે વર્તાય જ નહીં. તેની પ્રત્યે કોઈ સદભાવ સંભવી શકે નહીં. લાગ મળે ત્યારે તેને ખબર પાડી જ દેવી જોઈએ. હવે આ ખબર પાડવાની વાત એવી છે કે માણસને બીજા પ્રતિકૂળ લાગતા માણસો પર રીતસર હુમલા કરવાની ઝાઝી ફુરસદ કે લાંબી ત્રેવડ હોતી નથી. એટલે એ પોતાની જીભ ચાબુકની જેમ ચલાવે છે. માણસ જ્યારે પોતાની જીભને ચાબુકની જેમ વાપરે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તેનો એક કઠોર શબ્દ બીજા માણસને કેટલો ઊંડો જખ્મ આપી દે છે. કોઈકનો કઠોર શબ્દ સાંભળીને તે માણસ પોતે છંછેડાઈ જાય છે, પણ પ્રસંગ આવ્યે તે પોતે બીજાને કઠોર શબ્દો કહેતી વખતે જરાય ખચકાતો નથી. આવો વિચાર કરતો નથી કે બીજાના કઠોર શબ્દોથી મને પીડા થયા વગર નહીં જ રહે.
એક તૂટેલા બટન માટે પત્નીની ઉપર રોષ કરનાર કે તેનું અપમાન કરનારને ખ્યાલ નથી રહેતો કે તે જે વહેવાર કરી રહ્યો છે તે સારા પતિને છાજે તેવો નથી. એક સારો શેઠ તેના નોકર સાથે પણ એવો વહેવાર ન કરે. વાણીની શુદ્ધિ ઉપર દરેક કાર્યમાં કેટકેટલું કહેવામાં આવ્યું છે ! આ બાબતને આટલું બધું મહત્વ આપનારા પ્રાચીનો જાણતા હતા કે આ વસ્તુ માણસની એકંદર સ્વસ્થતા અને સુખાકારી માટે કેટલી મહત્વની છે. માણસ તો આખરે માણસ છે. તે કાંઈ ચાવી દીધેલું પૂતળું નથી કે રેકર્ડ કરેલી કેસેટ નથી. તે સાચી વાત છે કે તેને ક્યારેક ગુસ્સો ચઢે, ચીડ ચઢે, અણગમો પેદા થાય, પણ આવું બને ત્યારે તેણે તરત સમતુલા પ્રાપ્ત કરવાની ત્રેવડ કેળવવી જોઈએ. પોતાનો સ્વભાવ આ રીતે વારંવાર લથડિયાં ના ખાય તેટલી ‘સ્થિરતા’ સંપન્ન કરવી જોઈએ. સ્વભાવના આ નાના વિસ્ફોટની પાછળ ખરેખર કોઈ પ્રાણઘાતક દારૂગોળો છુપાયેલો પડ્યો તો નથી ને ? – તેની તપાસ કરવી જોઈએ. આ વિસ્ફોટની પાછળ પડેલાં – દટાયેલાં કોઈ કારણોની જાંચ-તપાસ કરવી જોઈએ અને તેને ત્યાંથી દૂર કરવાની કામગીરી તુરત હાથ ધરવી જોઈએ.
આજે આપણે જોઈએ છીએ કે માણસ બીજા કોઈનો મિત્ર તો બને કે ના બને પણ પોતે પોતાનો મિત્ર પણ બનતો નથી. પોતાની જાતને પોતાનો પરમ હિતેચ્છુ ગણે છે પણ કામ કરે છે પોતાના કટ્ટર હિતશત્રુનું ! તે પહેલાં ઊંઘની ટીકડીઓ લે છે, દરેક માણસ ખાસ કોઈ કારણો વગર, કોઈને પૂછ્યા કર્યા વગર, જાત જાતની દવાઓનું સેવન કર્યા જ કરે છે. એ દવાઓથી થતા લાભ કે ગેરલાભની વાત બાજુએ રાખીએ, તેને એટલું સમજાતું નથી કે કુદરતે મનુષ્યના શરીરને, મનને નાના-મોટા આંચકા ખમી ખાવાની એક ત્રેવડ આપેલી જ છે. કોઈ વજૂદવાળા કારણ વગર દરેક ‘ફરિયાદ’નો ઈલાજ દવા નથી. પોતાના શરીરને અને મનને પોતાની પીઠ પરનો બોજો ગણવાની જરૂર નથી. શરીરને આરામ અને મનને શાંતિ આપવાની જ્યાં જરૂર હોય ત્યાં ઉધામા અને અશાંતિ ચાલુ રાખીને દવાઓ લેવાનો અર્થ શું ? માણસોને આજે આપણે ‘સક્રિયતા’ ને નામે ‘કર્માંધ’ અને ‘કામકાજના વ્યસની’ બની જતાં જોઈએ છીએ. માણસને કામ તો કરવું જ પડે, ઉદ્યમ કરવો પડે, પણ આમાં પણ બિનજરૂરી શ્રમ અને કર્મનો અતિરેક તેના પોતાના શરીર અને મનની સ્વસ્થતાને નુકશાન જ પહોંચાડે છે. ચોક્ક્સ લક્ષ્ય નક્કી કરીને માણસ ગમે તેટલું કરે, ગમે તેટલા શારીરિક-માનસિક શ્રમ કરે તેને વાંધો આવતો નથી, પણ અત્યારે આપણે કામના નામે જે ઉધામા હાથ ધરીએ છીએ તેમાં તો કશું ચોક્કસ લક્ષ્ય હોતું નથી. કોઈ ધ્યેય કે હેતુ વગર માત્ર સક્રિયતાનું સેવન માત્ર એક વ્યસનની જેમ કરવામાં આવે છે. ધર્મના નામે ‘ધર્માંધતા’ ફાલીફૂલી રહી છે, તેમ ‘કર્મ’ને નામે ‘કર્માંધતા’ ફાલીફૂલી છે. તેમાંથી કશું જ પ્રાપ્ત કરવા જેવું પ્રાપ્ત થતું નથી.
આપણું બધું જ ધ્યાન બહારની સગવડો ઊભી કરવામાં, બહારનાં સુખ-સાહ્યબીની પ્રાપ્તિ કરવામાં કેન્દ્રિત થયેલું છે, પણ સાચી હકીકત એ છે કે આપણી અંદર જ્યાં સુધી ‘સગવડ’ અને ‘સુખ’ ઊભાં નહીં કરીએ ત્યાં સુધી બહારની ચીજો આપણને કશું આપી નહીં શકે.  કંઈ ને કંઈ આપત્તિ આપણી ઉપર તૂટી પડવાનો ભય આપણા શંકાગ્રસ્ત મનમાં અડાબીડ ઊગી નીકળ્યો છે અને એ ભયથી વિહવળ બનીને આપણે ગમે તે આપત્તિની સામે દોડીને તેને ભેટી પડવા માટે આંધળી દોટ મૂકીએ છીએ. ખરેખર કોઈ આપત્તિ તો હજુ આવી જ નથી. તે આવશે એવી શંકાથી, એવા ભયથી આપણે આપત્તિને સામે પગલે મળવા ઊપડી જઈએ છીએ. ધરતીકંપનો ભય છે, પણ ખરેખર ધરતીકંપ થાય તે પહેલાં ડરથી બહાર દોડી જઈએ છીએ અને ક્યારેક તો મોતને ઘરની બહાર જ ભેટી પડીએ છીએ.
દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. વિજ્ઞાન ખૂબ જ આગળ નીકળી ગયું છે. માહિતીના ઢગલેઢગલા રચાતા જાય છે. આપણને આ માહિતીનો અપચો થયો છે. આ માહિતીનું ‘મારણ’ તો જ્ઞાનનું એક જ બિંદુ બની શકે પણ તે અમૃતબિંદુ આપણી પાસે નથી. તે બિંદુ આપણને આપણી પોતાની અંદરથી પ્રાપ્ત થઈ શકે.

Birth Anniversary (26-09)



After clicking play , Click the pencil in the centre

1 ) Doshi Ridhdhi Dhimant Pranlal
2 ) Doshi Amrutlal Ujamshi
3 ) Doshi Usha Kamlesh Manharlal
4 ) Gandhi Harsh Hitesh Shantilal Kalidas
5 ) Gandhi Hasmukhlal Nyalchand
6 ) Lodaria Bhavesh Pankaj Maganlal
7 ) Mehta Saroj Shashikant Pranjivandas
8 ) Mehta Rakesh Hasmukhrai
9 ) Mehta Chetan Kantilal
10) Mehta Sheetal Amish Mahesh Jevantlal
11) Mehta Mohil Hemal Bhupatbhai
12) Mehta Rita Satishkumar Manilal
13) Parekh Ankit Indulal Keshavlal
14) Sanghvi Mitesh Pravinbhai Chandulal
15) Sanghvi Jitesh Lalitrai Kantilal
16) Shah Yash Bharat Jevatlal
17) Shah Amisha Deven Dholakia
18) Vora Jayshree Vijay Girdharlal
19) Vora Ashish Suresh Chunilal
20) Shah Kamlesh Chandulal


From M V J SAMAJ

Wednesday, September 25, 2013

Bicycle-Powered Tree House Elevator

Why climb a pesky ladder up to your tree house when you can just ride your bike up to the top??

Birth Anniversary (25-09)



1 ) Doshi Mirangi Anil Manharlal
2 ) Lodaria Shradhdha Bhupendra Nagindas
3 ) Lodaria Ramesh Ratilal
4 ) Mehta Pooja Dilip Ratilal
5 ) Mehta Pooja Dakshesh Shashikant Chunilal
6 ) Mehta Jamnadas Vakhatchand
7 ) Parekh Mitansh Ketan Navinchandra
8 ) Parekh Varsha Madhukar Dipchand
9 ) Shah Jagruti Paresh Hasmukhray
10) Sheth Vinay Dilip Navalchand
11) Sheth Priya Kamlesh Dhanvantrai Shivlal
12) Sheth Toral Ketan Ambalal Dahyalal
13) Sheth Rikhil Dhirajlal Chhotalal


From M V J SAMAJ

Tuesday, September 24, 2013

બીજા માટે ઘસાઈ છૂટો – ધૂની માંડલિયા

તમારા જીવનમાં તમે અન્યોને ક્યારેય ઉપયોગી કે મદદગાર ના બન્યા હો તો નક્કી માનજો કે તમારું જીવન એળે ગયું છે. એટલું જ નહીં, ભવિષ્યનું નિશ્ચિત મૃત્યુ પણ પીડાદાયક બનવાનો સંભવ છે. તમે માત્ર પોતાનું જીવવા માટે નથી જન્મ્યા, બીજાને જિવાડવા માટે પણ તમારો જન્મ પરમાત્માએ નક્કી કર્યો હોવાનું શક્ય છે. તમારા માટે ફક્ત જીવવું કે સારા પતિ, પિતા અથવા કુટુંબપાલક થવામાં સંતુષ્ટ રહેવું એ પૂરતું નથી. તમારે જીવનમાં કાંઈક વધુ અગત્યની જવાબદારી ઉઠાવવાની છે. તમે સાચે જ ઈચ્છો તો એવાં ઉમદાં કામો તમારી આસપાસ તમારી રાહ જોતાં ખડાં જ હોય છે. તમને એવાં કામો પ્રતિ રસ નથી, એટલે તેવાં કામો તમને દેખાતાં નથી.
તમે પોતે તમારી પોતાની કોઈ આગવી દુનિયામાં રહેતા નથી, તમારા માનવબંધુઓ પણ અહીં છે. પરોપકાર કરવા માટે શુભ-લાભનાં ચોઘડિયાં જોવાની જરૂર નથી. પ્રત્યેક પળ મુહૂર્તરૂપ છે. તમે વૃદ્ધ હો તોપણ આવાં કામોમાં નાનો-મોટો ફાળો જરૂર આપી શકો. જીવનની ક્ષણેક્ષણ કૃતાર્થ કરવી હોય તો ક્ષણેક્ષણનો આનંદમય ઉપયોગ કરો. આનંદ અન્યને મદદરૂપ થવામાં મળે છે. પંડ માટે કરનારને સુખ મળશે, પણ આનંદ નહીં મળે. સુવિધા-સગવડ મળશે, પણ સંતોષ નહીં મળે. જીવન એ જિંદગીના મૂળ રંગને વિકૃત કરવાનો નહીં, પરંતુ અલંકૃત કરવાનો અવસર છે. જીવનનો આરંભ અને અંત શાનદાર બનાવવા હોય તો બીજાને માટે ઘસાતા શીખો. માત્ર પોતાનું કામ કરવું તે ભક્તિ અને કામ કરતા રહીએ છતાંય નિસ્પૃહ રહેવું તે વિરક્તિ. સ્વાર્થ માણસને નાનો બનાવે છે. પરમાર્થ માણસને માણસ બનાવે છે. માણસાઈ કરે તે માણસ. રોજરોજ જીવનનું સરવૈયું કાઢો. કેટલો સ્વાર્થ સિદ્ધ કર્યો ? કેટલો પરમાર્થ કર્યો ?
આપણે સૌ ચોરાના માણસો છીએ. ચર્ચાળુ છીએ એટલા માયાળુ નથી. ભગવાને બધે જ સાચું કહ્યું છે કે જેને તીર વાગ્યું હોય તેની વેદના મટાડવા વ્યર્થ ચર્ચા કર્યા વગર તરત તીર ખેંચી કાઢો, પછી ઈલાજ શરૂ કરો. આપણે ઈલાજ માટે બહુ મોડા પડીએ છીએ. આપણને ચર્ચામાં જ વધુ રસ છે. દુઃખીનાં આંસુ લૂછવા જતાં આપણો હાથરૂમાલ બગડી જશે એટલી હદ સુધી આપણે હિસાબી છીએ.
પ્રખ્યાત માનવતાવાદી દાર્શનિક આલ્બર્ટ સ્વાઈન્ઝરનો એક પ્રસંગ યાદ રાખવા જેવો છે. એક વખત તેઓ અમેરિકા ગયા હતા. તેમના માનમાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજનાનુસાર સ્વાઈન્ઝરે એક કૅકના આઠ ટુકડા કરવાના હતા. તેના બદલે કૅકના નવ ટુકડા કર્યા. કોઈએ પૂછ્યું : ‘આપે આઠના બદલે નવ ટુકડા કેમ કર્યા ?’ દાર્શનિકે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો : ‘આ આઠ ટુકડા તો આપણા માટે છે, પણ આ સૌથી મોટો ટુકડો કૅક તૈયાર કરનાર મહિલા માટે છે. પરિશ્રમ કરીને અને પોતાનું હેત ઉમેરીને આવી સ્વાદિષ્ટ કૅક બનાવનાર મહિલાને આપણે કેવી રીતે ભૂલી શકીએ ?’ આપણા રોજબરોજ જીવાતા જીવનમાં આટલો ખટકો આવી જાય તો તમે, તમારું કુટુંબ જ નહીં, સમાજ પ્રસન્નતાથી છલોછલ થઈ જાય. સ્વામી વિવેકાનંદનું આ વિધાન સોંસરું ઊતરી જાય તેવું છે : ‘દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાર્થના કરતાં જોડાયેલા બે હાથ કરતાં વધુ સાર્થક છે.’ મનુષ્યજીવનનું ખરું મહત્વ તેની બુદ્ધિ, વૈભવમાં કે ધનદોલતમાં નથી, પણ એનામાં દયાભાવ જાગ્રત હોય, હૃદય પ્રકાશમાન હોય, સ્વાર્પણ માટે હંમેશાં તત્પરતા હોય, જાત-ભાતના વાડા વટાવી તે વિશાળ ચોગાનમાં પોતાની સમદષ્ટિ રેલાવતો હોય અને અહંકાર વગર અન્યોને ઉપયોગી થતો હોય તેમાં જીવનની સાર્થકતા છે. તમે સમાજમાં રહો તો સમાજના ઉત્થાન માટે પણ તમારે તૈયારી રાખવી પડશે, સમાજ તમને ભરપૂર આપે છે. તેમાંથી અલ્પ જ તમારે સમાજને પાછું આપવાનું છે, પણ આ અલ્પ આપતાં પણ તમને ધ્રુજારી છૂટે છે.
ચાર હજાર વર્ષ પહેલાંના એક ઈજિપ્શિયન રાજકર્તાના મૃત્યુલેખનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક બાળકને પણ મેં ઈજા ભોગવવા દીધી નથી, એક વિધવાને પણ મેં દુઃખ પડવા દીધું નથી, ગાયો ચારનાર ગોવાળને પૂરતા ઘાસની વ્યવસ્થા પૂરી પાડી છે. મારા વખતમાં કોઈ ભિખારી ન હતા અને જ્યારે દુષ્કાળનાં વર્ષો આવ્યાં હતાં ત્યારે પ્રાંતના ઉત્તરથી દક્ષિણ છેડા સુધી મારા પ્રાંતની સઘળી જમીન હું ખેડાવતો, પ્રજાને હું ખવડાવતો અને ભવિષ્ય માટે હું તેમને અનાજનાં સાધન કરી આપતો. આજના આધુનિક ગણાતા સમયમાં ક્યો શાસક આવી ગોઠવણ કરી શકે તેમ છે ?’ શાસક માટે આ વાત અશક્ય એટલા માટે છે કે એક વ્યક્તિ તરીકે હજુ આપણે અધૂરા, સ્વાર્થી અને મતલબપરસ્ત છીએ. સમાજ પણ આખરે તો આપણાથી રચાય છે.
અન્યનાં આંસુ જોઈ જે દ્રવે તે સાચું દિલ અને સાચું દ્રવ્ય. સંતો પાસે પરમાત્માએ પ્રેમાળ હૃદય મૂક્યું છે અને સંપન્ન પાસે પરમાત્માએ દ્રવ્ય મૂક્યું છે. તમારી આંખ સામે કોઈ દર્દીલી-ઘટના, પ્રસંગ, વ્યક્તિ કે વિવાદ આવે અને તમારું હૃદય દ્રવી ના ઊઠે તો તમારું દ્રવ્ય, તમે એકઠી કરેલી સંપત્તિ માત્ર કચરો અને કચરો જ છે જેને તમે ઘરમાં સંઘરી રહ્યા છો. સામાન્ય સ્તરના લોકો પોતાના શરીર અને કુટુંબ સુધી જ સીમિત રહે છે, પરંતુ જેઓ ભગવદપરાયણ છે તેઓ પોતાની ચેતનાને સદાય જાગ્રત રાખી ચાર ડગલાં આગળ વધે છે. તેઓ દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિ માટે કંઈક કરવા માટે તત્પર બને છે. આવા વિરલ માણસોની મહેનતથી સમાજ સમર્થ બને છે, યશસ્વી બને છે.
તમે પણ કોઈકને હાથ આપી અને બેઠો કરવાનો વિચાર કર્યો જ હશે, પણ પછી તમે આગળ ના વધ્યા. વિચારથી જ અટકી ગયા હશો. માત્ર આદર્શની કલ્પના કરવાથી કશું મેળવી શકાતું નથી. એ માટે અડગ મનથી, આજથી જ જનહિતની નાની-મોટી જવાબદારી ઉઠાવી લેવાની હોય છે. ફળની આશા રાખ્યા વગર નિષ્ઠાપૂર્વક પરમાર્થ જારી રાખવાનો હોય છે. તમારી આસપાસ જીવતા લોકોનો જીવનવિકાસ કેમ થાય એ માટે સતત યત્નશીલ રહેશો તો પરમાત્મા જ તમને રાહ બતાવતા રહેશે. કારણ કે પરમાત્મા આવા માણસોની ખોજ કરવા રોજ નીકળે છે. પરમાત્માને એક પરમાર્થી તરીકે તમારો ભેટો થઈ જશે તો એ ખૂબ રાજી રાજી થઈ જશે. પરમાત્માનો રાજીપો એટલે જ સાર્થક જીવન.

Birth Anniversary (24-09)


1 ) Doshi Yash Kirit Manilal Ujamshi
2 ) Doshi Reshma Nitin Jaysukhlal Shantilal

3 ) Maniar Harshit Yogesh Jayantilal
4 ) Shah Beena Paresh
5 ) Mehta Manjula Tarun Khodidas
6 ) Sanghvi Lalitray Pranjivandas
7 ) Sanghvi Anil Pranjivandas
8 ) Sapani Aruna Prafull Prabhulal
9 ) Sapani Meena Mahendra Prabhulal
10) Shah Manisha Nikhil Pinakin
11) Shah Anopchand Juthalal
12) Shah Rasiklal Amrutlal
13) Sheth Jainam Jaykumar Bhupatrai Khushalchand
14) Sheth Tribhovandas Lalchand
15) Trevadia Hemendra Gopalji
16) Vakhariya Prachi Jitendra Kantilal
17) Vakhariya Jay Nilesh Kanakrai

From M V J SAMAJ

Monday, September 23, 2013

World's Fastest Water Car

Water Car Panther is the fastest amphibious car in the World - capable of 80 mph (127 km/h) on the road and 44 mph (70 km/h) on water.



Birth Anniversary (23-09)



1 ) Doshi Ila Ashok Chimanlal
2 ) Lodaria Vinodrai Chhabildas
3 ) Lodaria Kalpna Tushar Ambalal Harjivan
4 ) Lodaria Deepali Prakash Amrutlal
5 ) Mehta Rinku Ketan Anilkumar
6 ) Mehta Surendra Shantilal
7 ) Mehta Sheetal Narendra Vinodrai
8 ) Patel Purav Mukund Manilal
9 ) Shah Chandrika Rajnikant Manharlal
10) Sheth Kirtida Piyush Bipinchandra
11) Sheth Mahesh Keshavlal Sukhlal
12) Sheth Hansa Dilip Hematlal


From M V J SAMAJ

Sunday, September 22, 2013

રમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી

સંતા : ‘મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે. પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે ?’
બંતા : ‘જો ભાઇ, સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ પત્ની સંભાળવી બહુ અઘરી છે.’
*****
રીના : ‘હું એક એવા ખુશ મિજાજ વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું કે જે સારું ગાતો હોય, સારો નૃત્યકાર હોય, મને રોજ નવી જની જગ્યાઓ દેખાડે, દર અઠવાડીયે ફિલ્મ બતાવે, દુનિયાભરની વાતો કરે, હું બોલવાનું કહું તો જ બોલે અને હું ચૂપ રહેવાનું કહું તો તે ચૂપ થઇ જાય.’
રીટા : ‘મારા માનવા મૂજબ તને પતિ નહી પણ ટીવીની જરૂર છે.’
*****
સંતા એક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો કે તરત તેની પત્નીને તેડી લીધી.
પ્રિતો : ‘કેમ આજે ગુરૂજીએ રોમાન્સ પર પ્રવચન આપ્યું છે ?’
સંતા : ‘ના, ગુરૂજીએ કહ્યું છે પોતાનું દુ:ખ પોતે ઉપાડો…’
*****
બંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.
બંતા : ‘મુછ રાખવી છે ?’
સંતા : ‘હા રાખવી છે.’
બંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે ?’
*****
છગન : ‘મેં એક જાણીતા ડિટરજન્ટથી મારો શર્ટ ધોયોને ચડી ગયો.’
દુકાનદાર : ‘એમાં આટલી ચિંતા શું કામ કરો છો ? તો હવે તમે તેનાથી જ નાહી લો ને !’
*****
એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી.
એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં. આમ લગભગ પાંચેકવાર બન્યું.
આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’
*****
એક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’
કાપી નાખ્યો..!!
થોડા દિવસ પછી બીજો પણ લીલો…
તેને પણ કાપ્યો..
તે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…!!
થોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..!!
ડોક્ટર કહે : ‘હવે ખબર પડી…!! તમારી લૂંગીનો રંગ જાય છે..!!’
*****
સંતાસિંહ ખતરનાક વાઘણ ખરીદી લાવ્યો. લોકોએ તેને આ પ્રકારની ખરીદી વિશે પુછ્યું.
સંતા કહે : ‘મારી પત્નીનો બે મહિના પહેલા દેહવિલય થયો. તેના જવાથી મને ઘરમાં બહુ સુનું સુનું લાગતું હતું.’
*****
સંતાના તાજેતરમાં લગ્ન થયાં હતાં તો પણ તે મોડે સુધી ઓફિસમાં રોકાતો. આથી તેના અધિકારીએ તેના મોડે સુધી રોકાવાના કારણ વિશે પુછ્યું.
સંતા : ‘મારી પત્ની પણ નોકરી કરે છે. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું છે કે જે ઘરે વહેલું પહોંચે તે રાતનું જમવાનું બનાવે.’
*****
માનવી લગ્ન શા માટે કરે છે ?
માનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે.
*****
સંતા બંતા અને તેનો મિત્ર મોટરસાઇકલ પર ત્રિપલ સવારીમાં જતાં હતાં તે જોઇ પોલીસે રોક્યા.
તમને ખબર નથી ત્રિપલ સવારી નો દંડ ભરવો પડે છે ?
આ ખબર છે અમે તો મારા મિત્રને મુકવા જઇ રહ્યા છીએ.
*****
એક ભિખારીને એક દિવસ ભિખમાં એક પૈસો ન મળ્યો. તેને ભગવાનને અરજ કરી.
‘હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.’
આગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા ભિખારી તરત બોલ્યો :
‘હે ભગવાન ખરા છો તમે ! આઠ આના પહેલેથી જ કાપી લીધા…!!’
*****

Birth Anniversary (22-09)




1 ) Lodaria Dhwani Vijay Maganlal
2 ) Mehta Mitesh Mahendrakant Vadilal
3 ) Mehta Priti Naresh Khodidas
4 ) Parekh Sahil Chetan Umedchand
5 ) Sanghvi Krupa Manilal
6 ) Sanghvi Rajesh Lalitrai Kantilal
7 ) Shah Yash Shailesh Shankarlal
8 ) Shah Rakhi Bhavik Chandravadan
9 ) Sheth Kavya Vishal Kirit Navalchand
10) Late Sheth Bhogilal Lalchand


From M V J SAMAJ

Saturday, September 21, 2013

Death


Native :Wankaner
Currently At : Kandivali, Mumbai 
Name of the deceased :Hansaben Mahendrakumar Shah
Age : 68 Years
Date of Death : 17-09-2013.
Husband :Mahendrakumar Champaklal Shah
Son : Vishal
Daughter-in-Law : Dhara
Daughter : Nipa
Son-in-Law : Hiren Rameshchandra Shah
Brother-in-Law (Jeth): Lalitbhai
Sister-in-Law : Chandrakalaben Rasiklal Shah
Father: Hematlal Shamjibhai Vora

May Her Soul rest in eternal peace
વાંકાનેર હાલ કાંદીવલી મહેન્દ્રકુમાર ચંપકલાલ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૬૮) તે નીપા તથા વિશાલના માતુશ્રી. ધરા, હીરેન રમેશચંદ્ર શાહના સાસુ. ચંદ્રકળાબેન રસીકલાલ, લલીતભાઇના નાનાભાઇના પત્ની તથા પિયર પક્ષે હેમતલાલ શામજીભાઇ વોરાના પુત્રી. ૧૭-૯-૧૩ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા બંને પક્ષ તરફથી ૨૨-૯-૧૩ના રવિવારે ૧૦ કલાકે રાખેલ છે. સ્થળ: હરીરામ અગ્રવાલ હોલ, શંકર ગલી, જૈન દેરાસરની સામે, કાંદીવલી (વે.).

Jumpy The Dog

Jumpy the Border Collie knows a lot of cool tricks.


Birth Anniversary (21-09)



1 ) Doshi Rupesh Amrutlal Bhudarlal
2 ) Doshi Vidhi Harshad Kishorchandra Damjibhai
3 ) Gandhi Khusboo Aashish Manharlal
4 ) Khandor Jayshree Mahendra Ujamshi
5 ) Lodaria Kamlesh Panachand
6 ) Mehta Rupa Kamlesh Shashikant Pranjivandas
7 ) Mehta Hiten Nagindas
8 ) Mehta Ami Dilip Ratilal
9 ) Mehta Darshan Rahul Indrakumar
10) Parekh Nemi Jayesh Prabhudas
11) Patel Niranjana Anantrai Nemchand
12) Sanghvi Rajesh Vinodrai Mansukhlal
13) Shah Yash Atul Gunvantray
14) Shah Tejal Dipen Madhukar Shantilal
15) Shah Kahani Hitesh Dineshchndra Himatlal
16) Shah Bhavna Jayesh Rasiklal
17) Shah Hetal Kashyapkumar Desai
18) Shah Sahil Hemant Dhirubhai
19) Shah Ankita Rajen Dhirubhai
20) Sheth Alpa Nalin Jivraj
21) Vora Divya Bharat Hematlal


From M V J SAMAJ

Friday, September 20, 2013

અપરિચય– ગુણવંત શાહ

રેલવે લાઈન પર કામ ચાલતું હોય ત્યારે બે સ્ટેશનો વચ્ચેના ઉજ્જડ એકાંતમાં થોડાંક તગારાં અને તીકમ શાંતિના ગઢમાં ગાબડું પાડતાં રહે છે. ભીડને લીધે સડસડાટ વહી જતી ગાડી ધીમી પડે છે અને પછી સલૂકાઈથી રવાના થઈ જાય છે. કામ કરતા મજૂરો એ ગાડી દેખાય ત્યાં સુધી એક પ્રકારની વસ્તીનો અનુભવ કરે છે. ગાડી દેખાતી બંધ થાય એટલે તીકમ-પાવડા અને તગારાંનો સંસાર શરૂ થાય છે.
જીવનની ગાડીનો માર્ગ આવો નિશ્ચિત નથી હોતો. ઉડ્ડયન કદી પાટે પાટે નથી થતું. પુસ્તકિયું જ્ઞાન ટ્રેઈનની મુસાફરી જેવું છે. બે સ્ટેશનો વચ્ચે પાસ કઢાવીને રોજ અપ-ડાઉન કરનારો વર્ષો સુધી એમ કરે તોય ઝાઝું જોવા નથી પામતો. પાટાની આસપાસની મર્યાદિત સૃષ્ટિ જ એ જાણવા પામે છે. એનાં એ જ મકાનો, એ જ ખોલીઓ, એ જ થાંભલાઓ અને એ જ વૃક્ષો. પુસ્તકની લીટીઓ ગાડીના પાટાઓ જેવી સમાંતર હોય છે. એ પુસ્તકને હજાર વાર વાંચનારો પણ એની એ જ લીટીઓ પરથી પસાર થતો રહે છે.
આપણે કાયમ શબ્દો પર તરતા રહીએ છીએ. ક્યારેક નિઃશબ્દતામાં ડૂબકી મારવાનું થાય ત્યારે અકળામણ પણ થાય છે. માણસ માટે દુનિયા પર ક્યાંય કોઈ અભ્યારણ્ય બન્યું સાંભળ્યું નથી. સર્વ દિશાઓમાંથી સતત ભયનાં મોજાં છૂટતાં જ રહે છે, મૃત્યુનો ભય, શત્રુનો ભય, પ્રતિષ્ઠાનો ભય અને સ્વતંત્રતાનો ભય (fear of freedom). ભયમાંથી બંધન જન્મે છે. મૃત્યુના ભયમાંથી જીવનનું બંધન જન્મે છે. શત્રુના ભયમાંથી મિત્રત્વનું બંધન જન્મે છે. પ્રતિષ્ઠાના ભયમાંથી દંભ અને દર્પનાં અનેક બંધનો ફણગાતાં રહે છે. સ્વતંત્રતાના ભયમાંથી ગુલામીનું બંધન પેદા થાય છે અને ધીમે ધીમે જીવન જેટલું જ વહાલું લાગવા માંડે છે. નિશાળોમાં ગણવેશ ફરજિયાત હોય છે. સાધુઓને અનેક ભગવાં બંધનો હોય છે. સ્ત્રીઓને અમુક જ પોશાક શોભે અને પુરુષોને અમુક જ શોભે. વળી અમુક ઉંમરે જે પોશાક શોભે તે બીજી ઉંમરે ન પણ શોભે. ડિનરપાર્ટીમાં અમુક પોશાક જોઈએ અને બેસણામાં જવાનું હોય ત્યારે જીવનના તમામ રંગોને ઓહિયાં કરી જનારો સફેદ રંગ પસંદગી પામે. બંધનો આપણને સીમિત બનાવી મૂકે છે. નિઃસીમના પરિચયમાં આવવાની પ્રત્યેક તક આ રીતે જતી રહે છે. સુરતનું ફરસાણ, વડોદરાનો ચેવડો, ખંભાતનું હલવાસન, ભરૂચની સૂતરફેણી, ભાવનગરનાં ગાંઠિયાં, મથુરાના પેંડા, આગ્રાના પેઠા અને મુંબઈનો આઈસ હલવો વખણાય છે. આ સાચું હોવા છતાં જે તે સ્ટેશનથી આ વાનગીઓ લઈએ ત્યારે એમાં ઝાઝો દમ નથી હોતો. આ વાનગીઓની મઝા માણવા માટે તે શહેરની જૂની અને જાણીતી દુકાન ખોળવી પડે. પુસ્તકિયું જ્ઞાન પ્લૅટફૉર્મ પરથી ખરીદેલી વાનગી જેવું બીજી કે ત્રીજી કક્ષાનું હોય છે.
ઘણા લોકો ઈંગ્લૅન્ડ જઈ આવે છે. એમને મન તો ઈંગ્લૅન્ડ એટલે જાણે લંડન. એક મિત્ર ત્રણ વખત ફ્રાન્સ જઈ આવ્યો પરંતુ એણે કદી પેરિસની બહાર પગ નથી મૂક્યો. ઈટલી એટલે બસ રોમ ! કોઈ દિલ્હી કે મુંબઈ જ જોઈને ભારત વિષે અનુમાનો કરવા માંડે તે કેટલું વિચિત્ર છે ! સુરતનો પોંક ખાધા વગર, મથુરાના પંડાઓની હેરાનગતિ માણ્યા વગર, ઋષિકેશ આગળ ખળખળ વહેતી ગંગામાં જીવન ઝબોળ્યા વગર, કેરાલાનો વૃક્ષવૈભવ નીરખ્યા વગર, ઉત્તર પ્રદેશ (કે પ્રશ્નપ્રદેશ ?)ની અરાજકતા, બિહારની ક્રૂર અવ્યવસ્થા તથા અમદાવાદનો સાબરમતી આશ્રમ જોયા વગર ‘ભારત જોયું’ એમ કહેવું એ પાકશાસ્ત્ર વાંચીને ઓડકાર ખાવા બરાબર છે. પુસ્તક વાંચીને ઘણા યોગ શીખે છે. પુસ્તક વાંચીને કેટલાક હોમિયોપેથી, રેડિયો-રિપેરિંગ, વક્તૃત્વકળા, મિત્રો બનાવવાની કળા, સુખી થવાની કળા અને જ્યોતિષવિદ્યા શીખે છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તો કાગળ પર પણ ચાસ પાડે છે. કાગળ પર જ વાવણી ને કાગળ પર જ કાપણી. પુસ્તક પરથી બધું જ શીખી શકાય એવી શ્રદ્ધા લગભગ વહેમની કક્ષાએ પહોંચી છે. આઈનસ્ટાઈન કાગળ પરથી મળતી માહિતીને ‘સિન્થેટિક’ જ્ઞાન કહેતા. ‘તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી’ – જેવી પંક્તિઓ તલત મહેમૂદને કંઠે સાંભળ્યા પછી પણ આપણી શ્રદ્ધા તો એલચીને બદલે એલચીના એસેન્સ પર અને ગુલાબને બદલે ગુલાબજળ પર જ હોય છે.
તીકમ, પાવડા અને તગારાંનો સંસાર ચાલતો જ રહે છે. આપણો અને નદીનો પરિચય હવે પુલ પરથી જ થતો રહે છે. નદીમાં રેલ આવે તોય પુલ પરના રસ્તાથી એ થોડી નીચે જ રહી જાય છે. આમ નદી અને આપણી વચ્ચેનું અંતર તો કાયમ જ રહે છે. લંડનમાં વેસ્ટમિન્સ્ટર આગળ થેમ્સ નદીની નીચેથી ભૂગર્ભ રેલવેમાં પસાર થતો મુસાફર પણ થેમ્સથી તો અતડો ને અતડો જ રહે છે ! ઘણાંખરાં શહેરોને આપણે માત્ર પ્લૅટફૉર્મ પરથી જ ઓળખતાં રહીએ છીએ.

Birth Anniversary (20-09)


1 ) Doshi Varsha Pradip Kantilal
2 ) Shah Priti Jatin Chimanlal
3 ) Mehta Disha Mukesh Dhanwantrai
4 ) Mehta Manharlal Raichand
5 ) Mehta Jayshree Rajesh Vadilal
6 ) Mehta Mitika Nitul Suryakant Narandas
7 ) Mehta Nipa Aashique Kumudchandra
8 ) Mehta Sandhya Gunwant Shamaldas
9 ) Shah Jignasha Piyush
10) Mehta Rajnikant Himmatlal
11) Mehta Manjula Rajnikant Himmatlal
12) Mehta Yogesh Chandulal
13) Parekh Dr. Jayant Jethalal
14) Parekh Vimal Manharlal Jagjivandas
15) Sanghvi Jinesh Lalit Maneklal
16) Shah Krina Kishor Nyalchand
17) Shah Ketan Anantray
18) Trevadia Aayushi Jayesh Ujamshi


From M V J SAMAJ

Thursday, September 19, 2013

Coca Cola Rust Removal

If you need to remove rust from your car’s bumper, don’t buy expensive cleaners – use Coca-Cola instead!

Birth Anniversary (19-09)


1 ) Doshi Jinal Pankaj Navalchand
2 ) Doshi Ridhdhi Hemant Dineshchandra Bhaichand
3 ) Doshi Dhwani Hemant Dineshchandra Bhaichand
4 ) Gandhi Bharat Fulchand
5 ) Lodaria Nidhi Nilesh Amrutlal
6 ) Mehta Abhishek Ajit Natvarlal
7 ) Doshi Prinal Harshad
8 ) Mehta Hemang Arun Manharlal
9 ) Mehta Ranjan Chandrakant Vanechand
10) Mehta Varsha Hitesh Indrakumar
11) Sanghvi Dishant Dharmesh Kasturchand
12) Sanghvi Dimple Tushar Vrajlal Shah
13) Shah Hemang Ketan Navalchand
14) Shah Hiren Kantilal Keshavlal
15) Sheth Dhirajlal Nyalchand
16) Trevadia Bhagwanti Pravin Mulchand
17) Vakhariya Ashmi Apurva Kirit Kantilal

From M V J SAMAJ

Wednesday, September 18, 2013

અંધશ્રદ્ધાના મુળમાં આપણી અજ્ઞાનતા-શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા


પશ્ચીમના દેશો રોજ નવાં ‘યંત્રો’ બજારમાં મુકે છે અને આપણે રોજ નવાં ‘મંત્રો’ બજારમાં મુકીએ છીએ ! આપણે ત્યાં વીંછી ઉતારવાનો મંત્ર, સાપ ઉતારવાનો મંત્ર, કમળો ઉતારવાનો મંત્ર, મરડ–મોચ ઉતારવાનો મંત્ર, સફળ થવાનો મંત્ર, વશીકરણનો મંત્ર, વરસાદ લાવવાનો મંત્ર, ગૃહશાંતી સ્થાપવાનો મંત્ર, પનોતી ટાળવાનો મંત્ર, સંતાન પ્રાપ્તી માટેનો મંત્ર, માણસનો કોઈ પણ રોગ મટાડી દેવાનો મંત્ર અને માણસને પતાવી દેવા સુધીનો મંત્ર પણ મળી રહે છે !
કોઈ ડૉક્ટર આપણા શરીરમાંથી બગડી ગયેલ કીડની કાઢી નાખે ત્યારે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ બાવો તેના હાથમાંથી કંકુ કે ભસ્મ કાઢે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! મોબાઈલ ફોનનું એક બટન દબાવી અમેરીકામાં રહેતા આપણા સ્વજન સાથે આપણે વાત કરી શકીએ છીએ તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ પાખંડી અતીન્દ્રીય(ટેલીપથી) સંદેશા દ્વારા વાત કર્યાનો દંભ કરે ત્યારે એ આપણને ચમત્કાર લાગે છે ! કોઈ ઓર્થોપેડીક સર્જન આપણાં ભાગી ગયેલાં હાડકાંને જોડી આપણને દોડતાં કરી આપે ત્યારે તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ તાંત્રીક અભીમંત્રીત દોરો બાંધીને આપણને સાજા કરવાનો મીથ્યા પ્રચાર કરે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! કમળાની રસી શોધનાર વીજ્ઞાની આપણને ચમત્કારીક માણસ નથી લાગતો; કમળો મટાડવા માટે મંત્રેલા દાળીયા આપનારો ઢોંગી આપણને ચમત્કારીક માણસ લાગે છે !
આજે વૈજ્ઞાનીક યુગમાં પણ ચમત્કાર, પરકાયા પ્રવેશ, ડાકણ અને મેલીવીદ્યાના નામે હજારો માણસોનુ માનસીક, શારીરીક અને આર્થીક શોષણ થતું રહે છે. કુળદેવીને રીઝવવાના નામે કેટલાંયે પશુઓ અને કુમળાં બાળકોના બલી ચડાવી દેવામાં આવે છે. વળગાડ, પ્રેતાત્મા અને ડાકણના નામે આપણા દેશમાં કેટલીય સ્ત્રીઓના ભોગ લેવામાં આવ્યા છે. દુનીયામાં ‘વળગાડ’ નામની કોઈ ચીજ જ અસ્તીતવમાં નથી; વળગાડ માત્ર એક માનસીક બીમારી છે. જગતમાંથી દુર કરવા જેવો કોઈ ‘વળગાડ‘ હોય તો એ ‘અંધશ્રદ્ધા’નો વળગાડ છે. ભારતમાં અને જગતમાં આજે પણ હજારો ભુતીયાં મકાનો ઉભાં છે જ્યાં કોઈ રહેતું નથી. ડૉ. અબ્રાહમ કોવુરે ૫૫ વર્ષ સુધી અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ગહન અધ્યયન કર્યું અને તેઓ દીવસો સુધી ભુતીયાં મકાનોમાં રહ્યા છે. ડૉ. કોવુરે પોતાની જીન્દગીભરના અભ્યાસ પછી જાહેર કર્યું છે કે, ‘ભુતીયાં મકાનો અને ઉપદ્વવી આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’ 
‘ડુમ્મસનો સોની પરીવાર તાંત્રીકના રવાડે’ શીર્ષક હેઠળ અખબારોમાં ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા હતા. સોની પરીવાર પોતાને ત્યાં વારંવાર બની રહેલ ચોરીના બનાવોથી વ્યથીત હતો. પોતાની આ ચાલતી ‘પનોતી’ દુર કરવા તેમણે તાંત્રીક હનુમાનદાસ તીવારીનો આશરો લીધો હતો. ‘ઘરમાં એક હાડકું દટાયેલું છે તે દુર કરવાની વીધી કરવાથી પનોતી ટળી જશે’, એવું તાંત્રીકે આશ્વાસન સોનીપરીવારને આપ્યું હતું. પડોશમાં રહેતા નવમા ધોરણમાં અભ્યાસ કરતા બાળક રવીને બોલાવી, તેના પર કંઈક વીધી કરી, ઘરમાં ખોદેલા ખાડામાં રવીને ઉતારવામાં આવ્યો. ‘હાડકું ક્યાં દટાયું છે ?’ એવા પ્રશ્નો રવીને પુછવામાં આવ્યા. પડોશમાં જ રહેતી રવીની માતાને પોતાના દીકરા પર કંઈક તાંત્રીક વીધી થઈ રહ્યો છે એવી જાણ થતાં તે ઘટના સ્થળે દોડી આવ્યાં. પોતાના દીકરા રવીને ઉંડા ખાડામાં જોઈ, ‘રવીનો બલી ચડાવાઈ રહ્યો છે’ એવી તેની માતાએ બુમો પાડતાં આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે તાંત્રીકે આ પનોતી નીવારણનો વીધી કરવા માટે સોનીપરીવાર પાસેથી ૫૦૦૦ રુપીયા એડવાન્સ લીધી હતા. બલીની વાતમાં તથ્ય હતું કે નહીં એ તો પોલીસ તપાસનો વીષય છે. રવી તો નહીં; પણ તેના ૫૦૦૦ રુપીયા બલી ચડયા એ વાત પાકી ! સુરત–ઉમરા પોલીસે આ તાંત્રીક સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વીધી દ્વારા બીજાની આફત નીવારવા નીકળેલો તાંત્રીક પોતે જ આફતમાં આવી ગયો ! મને ઘણીવાર લાગે છે કે, કેટલાક માણસો પોતાની તીજોરી ખુલ્લી રાખે છે અને પોતાનું દીમાગ સાવ બંધ રાખે છે !
જાત–ભાતના તાંત્રીકો, પાખંડીઓ, ઢોંગીઓ અને તકસાધુઓ ધર્મના ઓઠા હેઠળ ફુટી નીકળ્યા છે ! કોઈ મંત્રેલું પાણી આપે છે, કોઈ મંત્રેલો પ્રસાદ આપે છે, કોઈ મંત્રેલું માંદળીયું કે તાવીજ આપે છે, તો કોઈ વળી ભભુતી આપે છે ! દોરા–ધાગા અને મંત્ર–તંત્રાદી કરવામાં કેટલાંયે બીમાર બાળકોને સમયસર દાક્તરી સારવાર નહીં મળવાના કારણે આ દેશમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.
ગામડાંઓમાં આપણે જોયું છે, ભુવાઓ બીમાર માણસ કે ઢોરને સાજા કરવા માટેના ‘દોરા’ કરે છે ! કોઈ પણ દુખાવામાં કામ આપે એવા મલ્ટીપરપઝ દોરા આપણે ત્યાં મળે છે ! અરે, ભેંસ દોહવા ન દેતી હોય તો તેનો પણ દોરો મળે અને દુધ વધારે આપે એના માટે પણ દોરો મળે !
મંત્ર–તંત્રથી જો માણસને સાજો કરી શકાતો હોત તો, આપણા દેશમા તો એટલા બધા મંત્રનીષ્ણાતો છે કે બધાં દવાખાનાંને તાળાં જ મારવાં પડે ! કોઈ આરોપીને પોતાની ધરપકડ થશે એવો ડર લાગે તો તે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી શકે છે, એવી રીતે કોઈ માણસને બીમાર પડી જવાનો ભય લાગે તો આગોતરા મંત્રોચ્ચાર પણ કરાવી શકે ! સદાય નીરોગી રહેવાનો કેટલો આસાન ઈલાજ ! મીત્રો, દોરા–ધાગા માત્ર એવા રોગોમાં જ કામ કરતા હોય છે જે રોગો સમય જતાં આપોઆપ મટી જતા હોય છે.
કોઈ માણસને બંદુકની ગોળી વાગી હોય ત્યારે દોરો બંધાવવા જાય છે ખરો ? અકસ્માતમાં ખોપરી ફાટી જાય અને લોહીની શેડો ફુટતી હોય ત્યારે કોઈને કદી દોરો યાદ આવ્યો છે ખરો ? હાર્ટએટેક આવે ત્યારે માણસ કોઈ તાંત્રીક પાસે પહોંચવાને બદલે કેમ સીધો જ કાર્ડીયાક હૉસ્પીટલમાં પહોંચી જાય છે ? માથું દુખે ત્યારે માણસને દોરો યાદ આવે છે; પરતું માથું ફુટે ત્યારે કોઈને દોરો યાદ નથી આવતો !
મેં ગામડાંમાં ભુવાઓને ડાકલાં કરતા અને ધતીંગ કરતા પણ જોયા છે. કલાકો સુધી પોતાની પીઠ પાછળ લોખંડની સાંકળ વીંઝતા પણ જોયા છે સાંકળપ્રુફ હોવાનો દાવો કરનાર કોઈ પણ ભુવો પાંચ મીનીટ માટે એ સાંકળ સુરતની સત્યશોધક સભાના માજી–ઉપપ્રમુખ અને ૨૦૧૦ના વર્ષના ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક વીજેતા’ શ્રી. મધુભાઈ કાકડીયાના હાથમાં આપે અને પછી જીવી બતાવે તો એ ખરો ભુવો !
આપણે સૌએ ગામમાં કહેવાતી તાંત્રીક વીદ્યા અને મંત્રશક્તી ધરાવતા ભુવાઓનાં ઘર પણ જોયાં છે. મીત્રો, જે ભુવા પાસે ઘરનું નળીયું બદલવાની શક્તી ન હોય; જે ભુવા પાસે બીજી જોડી કપડાં લેવાની શક્તી ન હોય; જે ભુવા પાસે પોતાનાં સંતાનોને સાત ચોપડી ભણાવવાની શક્તી ન હોય અને જે ભુવા પાસે પોતાની ઉંમરલાયક દીકરીને પરણાવવા માટેની શક્તી ન હોય એ ભુવા પાસે બીજી તો કઈ શક્તી હોય ?
હોમ–હવન અને યજ્ઞોમાં પણ આપણે આપણાં કીમતી દ્રવ્યો બરબાદ કરી રહ્યા છીએ. હવન કરવાથી ન તો આપણે દુષ્કાળને ટાળી શક્યા છીએ કે ન તો વીશ્વશાંતીની સ્થાપના કરી શક્યા છીએ. જો યંજ્ઞો કે મંત્રોચ્ચારથી વરસાદ થતો હોત તો આપણે ત્યાં તો એટલા બધા યજ્ઞો થાય છે કે અતીવૃષ્ટીથી હોનારત થવી જોઈએ ! જે દેશ મંત્રોચ્ચારથી સતત ગુંજતો રહેતો હોય એ દેશની પ્રજાને તો લીલાલહેર ન હોય ? મીત્રો, મહેનત વગર માત્ર મંત્રોચ્ચારથી કશું પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ જ ખરો જીવનમંત્ર છે.
આપણે જંગલોને આડેધડ કાપી નાખ્યાં, પર્યાવરણને મનફાવે તેમ બગાડ્યું અને પાણીનો તો અપરાધની કક્ષાએ બેફામ વેડફાટ કર્યો છે. ઈઝરાયલે રણને જંગલમાં ફેરવ્યું; આપણે જંગલને રણમાં ફેરવી રહ્યા છીએ ! જ્યાં સખત મહેનત, વીવેક અને આયોજનની જરુર હોય ત્યાં મંત્રોચ્ચાર, યજ્ઞો કે હોમ–હવન કરવા બેસી જઈએ તો આપણો કદી પણ ઉદ્ધાર સંભવ ખરો ?
મંત્ર–તંત્ર અને ચમત્કારની વાતો સાચી હોત તો આપણો દેશ આજે આટલો દુઃખી અને પછાત કેમ છે ? દુનીયામાં સૌથી વધુ સંખ્યામાં ચમત્કારીઓ આપણા દેશમાં વસે અને છતાં આપણે આટલા ગરીબ, પીડાગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત ! ઢોંગીઓ અભીમંત્રીત જળ આપવાને બદલે, પાણીના અછતગ્રસ્ત વીસ્તારમાં ડોલ ભરીને પીવાનું શુદ્ધ પાણી આપશે તો પણ થોડાક તરસ્યા માનવીઓની તરસ મટશે. હવામાંથી બીનજરુરી કંકુ કે ભસ્મ કાઢવાને બદલે મુઠી અનાજ કાઢશે તો પણ એક ભુખ્યા માણસનું પેટ ભરાશે.
સંસારમાં રહેલા કપટી, પાખંડી અને ઢોંગી ધુતારાઓએ સદીઓથી સમાજમાં રહેલી પ્રજાની અજ્ઞાનતા અને નીર્બળતાનો ગેરલાભ ઉઠાવ્યો છે. પ્રત્યેક કાળમાં સમાજમાં રહેલા નીષ્ઠાવાન આગેવાનોએ, સમાજસેવકોએ અને પ્રગતીશીલ વીચારકોએ પ્રજાને આ ષડ્યંત્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. ઘણીવાર એવું બન્યું છે કે ‘પ્રગતીશીલ વીચારકો’ કરતાં ‘પ્રગતીશીલ પાખંડી’ઓ સમાજમાં ઉંચો માનમોભો ધરાવતા હોય છે. આમ બને ત્યારે તંદુરસ્ત સમાજના નીર્માણની આશા વધારે ધુંધળી બને છે.
એક દીવસ આપણી અજ્ઞાનતા ટળે અને લેભાગુઓને પોતાનો ધંધો સમેટવાની અને બદલવાની ફરજ પડે એવા દીવસોની મને પ્રતીક્ષા છે….
પ્રસાદ
‘જે પોતાના ચમત્કારો ચકાસવા દેતા નથી તે ઠગ છે, જેનામાં ચમત્કાર ચકાસવાની હીંમત નથી તે ભોટ છે અને જે ચકાસણી વગર જ તેને માનવા તૈયાર થાય છે તે મુર્ખ છે.’
ડૉ. અબ્રાહમ કોવુર 
-અક્ષરાંકન – ઉત્તમ ગજ્જર



Birth Anniversary (18-09)


1 ) Doshi Sonia Atul Manharlal
2 ) Dhruv Anand Dilip Dharamshi
3 ) Gandhi Bhavna Shailesh Bhogilal Valamji
4 ) Gholani Anjana Suresh Kantilal Somchand
5 ) Mehta Hina Paresh Jaysukhlal Ratilal
6 ) Mehta Savitaben Nagindas
7 ) Mehta Jignesh Hasmukhrai
8 ) Mehta Nishit Shailesh Prabhashankar
9 ) Mehta Mahesh Maganlal
10) Mehta Foram Jitendra Jevantlal
11) Mehta Viva Pamir Ashok Shantilal
12) Mehta Kokila Vijay Pattani
13) Mehta Aakruti Bimal Shah
14) Shah Jinal Hemendra Kantilal
15) Shah Asim Kishor Sukhlal
16) Sheth KShitij Pankaj Amrutlal
17) Trevadia Bhavesh Mulchand


From M V J SAMAJ

Tuesday, September 17, 2013

અવસાન

જામનગર હાલાર તથા મચ્છુકાંઠા વિસા શ્રીમાળી જૈન
જામનગર હાલ ઘાટકોપર સ્વ. શાંતીલાલ કેવળચંદ ગારડીના પુત્ર મહેન્દ્રકુમાર (ઉં. વ. ૭૧) તે ભારતીબેનના પતિ. ધવલ અને મનીષાના પિતા. તે સુશીલાબેન, જયંતીભાઈના ભાઈ. તે સોલાણી જેવતલાલ રતીલાલના જમાઈ. શનિવાર ૧૪-૯-૧૩ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર ૧૬-૯-૧૩ના ૪.૩૦ થી ૬. ઠે. મહારાજા અગ્રસેન ભવન, સ્વામી નારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, લવંડરબાગની બાજુમાં, ઘાટકોપર (ઈ).



The Dutch Army Bicycle Band

It is hard enough to march in formation and play an instrument. But the Dutch Army Bicycle Band does it while riding bicycles!

 

Birth Anniversary (17-09)



1 ) Doshi Jaydeep Mahesh Vikramchand
2 ) Doshi Chandanben Rasiklal
3 ) Shah Vaishali Parag Navinchandra
4 ) Mehta Vidya Manish Anupchand
5 ) Mehta Forum Shailesh Mohanlal Karsanji
6 ) Mehta Mahesh Vinodrai
7 ) Mehta Aruna Jitendra Shantilal
8 ) Mehta Monali Nirav Abhay Bhogilal
9 ) Parekh Paras Vinodray Vrajlal
10) Sanghvi Ketan Chimanlal Pranjivandas
11) Shah Harshadrai Jamnadas Himatlal
12) Shah Darshan Pradip Rajnikant
13) Shah Dr. Anopchand Shantilal
14) Shah Charmi Vinod Devchand
15) Shah Hiten Hasmukh Pradyutbhai
16) Sheth Hitesh Mugatlal
17) Sheth Pratik Mahendra Vrajlal


From M V J SAMAJ

Monday, September 16, 2013

મનોબળ - ભુપતભાઇ વડોદરિયા

મોટા ચમરબંધીની શેહમાં પણ નહીં આવતો એક અડીખમ માણસ બિછાનામાં અસહાય બનીને પડ્યો છે. જીભનું કેન્સર છે. પાકેલા ટામેટા જેવી જીભ પ્રવાહી કે બીજું કશું પેટમાં જવા દેતી નથી. કેન્સરના નિષ્ણાત તબીબો મસલતો કરે છે, શસ્ત્રક્રિયાનો તખ્તો તૈયાર કરે છે. આપ્તજનો આંસુ સારે છે. એ માણસની આંખમાં પણ આંસુ જ હોવાં જોઈતાં હતાં, પણ એ આંસુ આઘાતની લાગણીથી થીજી ગયાં છે. માણસ ધનિક છે, પણ અત્યારે તગડા બેન્ક બેલેન્સના જોરે તે કોઈને આંકડો ભર્યા વગરનો કોરો ચેક આપે તોય બદલામાં કોઈ તેની પીડા લઈ શકે તેમ નથી, કોઈ તેનો રોગ લઈ શકે તેમ નથી. આવરદાના ઝંખવાઈ રહેલા કોડિયામાં કોઈ નવી વાટ કે નવું દિવેલ મૂકી શકે તેમ નથી.

રોગ કે માંદગીનો ભોગ બનેલા માણસને પહેલી જ વાર ‘પહેલું સુખ તે જાતે નીરોગી’નો મર્મ સમજાય છે. પણ રોગથી બચી જવું તે માણસના હાથની વાત નથી. મોતની જેમ રોગ પણ એક ગૂઢ હસ્તી છે. દાક્તરો તેનો પાર પામવા જરૂર મથે છે, રોગોની સામે ટક્કર પણ લે છે. પણ સદભાગી કે દુર્ભાગી મનુષ્યના પલ્લામાં આ કે તે રોગ શા માટે આવે છે તેનો ભેદ કોઈ સમજાવી શકતું નથી. કોઈ કહે છે કે આ તો પૂર્વજન્મનાં પાપ, કોઈ કહેશે કે માણસ અહીં જે કરે છે તેનાં ફળ અહીં જ ભોગવે છે. ઉપર કોઈ અલગ સ્વર્ગ નથી. સ્વર્ગ અને નરક આ સંસારમાં જ છે અને આ જિંદગીમાં જ તે જોવાનાં છે. વાત પૂર્વજન્મની હોય કે આ જન્મની. શ્રીમદ્ રાજચંદ્ર જેવાને કેન્સરનો રોગ આવે તે માની શકાતું નથી. જેના આ અવતારમાં ધાર્મિકતા તેની પૂર્ણ કળાએ વિકસી હોય, આટલી જુવાન વયમાં જેણે આટલી સિદ્ધિ મેળવી હોય તેનો આગલો જન્મ શું સાવ ધર્મવંચિત હોઈ શકે? માની શકાતું નથી અને છતાં સાચું છે કે રોગ ધર્માત્માઓને પણ છેડતો નથી. ગરીબ કે તવંગર, પાપી કે પુણ્યશાળી, બાળક કે જુવાન કોઈને તે છોડતો નથી. કોઈ કહે છે કે દાક્તરો વધ્યા તેમ રોગ પણ વધ્યા.

જૂના જમાનામાં આટલા બધા રોગ ક્યાં હતા? આજે તો જાતજાતના રોગ ફાટી નીકળ્યા છે. સંભવ છે કે જૂના જમાનામાં પણ આજના જેવા જ રોગો હશે, પણ તેનું નિદાન થતું નહીં હોય. સવાલ થાય કે રોગ સામે માનવી આટલો લાચાર હોય તો શું એણે સતત ફફડાટથી જીવવું? શંકાશીલ બનીને જીવવું? મોંમાં ચાંદાં પડે એટલે કેન્સરનો ભય પામીને દાક્તર પાસે દોડવું? એક ગૂમડુ  ન મટે એટલે, ડાયાબિટીસ છે તેવો વહેમ કરીને કોઈ નિષ્ણાતની ફી ખરચવી? વાંસામાં દુખાવો થાય કે તરત હૃદયરોગના આવી રહેલા હુમલાનો ભય માનીને કાર્ડિયોગ્રામ કરાવવા દોડવું? માણસે વાજબી સંભાળ અને તકેદારી રાખવી જોઈએ તથા વખતસરના ઉપચારો કરવા જોઈએ. પણ રોગની ભડક સેવવાથી માણસનું જીવન અકારણ પીડાકારક બની જાય છે. માણસ માત્ર દાક્તર કે દવાની મદદથી રોગનો મુકાબલો કરી શકતો નથી. જરૂર પડે ત્યાં દાક્તરનો સાથ માગો કે દવા લો, પણ રોગની સામે તમારી જીવનશક્તિને પણ બરાબર કામે લગાડો. માણસની ઇચ્છાશક્તિ, અડગ મનોબળ પોતે જ એક દવા છે. આ હકીકત છે. દાક્તરોએ ‘હોપલેસ’ કહીને છોડી દીધેલા કેસોમાં માણસો અદમ્ય મનોબળથી બેઠા થયાના કિસ્સા જોયા છે. ગંભીર રોગ હોય, પીડાનો વીંછી ઘડી વાર જંપતો ન હોય ત્યારે ઈશ્વરને અને મનોબળને કામે લગાડો. તેની તાકાત કેટલી મોટી છે તેનું ભાન થયા વગર નહીં રહે.

દરેક માણસમાં કુદરતે જીવનશક્તિનીમનોબળની અનામત ટાંકી મૂકેલી છે. તેને કામે લગાડો. કેટલાક રોગ એવા હોય છે કે માણસને પથારીવશ થવું પડે. શરીરને ભલે પથારીમાં રાખો, પણ મનને પથારીમાં રાખવું નહીં. તે રોગથી હારીને સૂઈ ન જાય તે ખાસ જોવાનું છે. જેઓ મનથી રોગના શરણે જાય છે તેમની હાર નિશ્ચિત છે. જેઓ મનને અડગ રાખે છે, રોગની શરણાગતિ સ્વીકારતા નથી અને રોગને મારી હઠાવવાની પ્રતિજ્ઞા અકબંધ રાખે છે તે વહેલામોડા જીતી જાય છે. કોઈ કિસ્સામાં છેવટે જીત ન પણ થાય, તોય શું? રોગને તાબે થઈને લાચારીથી મોતને આધીન થવું અને બહાદુરીથી લડતાં લડતાં મોતને ભેટવું એમાં મોટો ફરક છે.