Thursday, October 31, 2013

Samaj Utkarsh Volume No 588 September 2013



To read Pages 1 to 8 of Samaj Utkarsh click here  

To read Pages 9 to 16  of Samaj Utkarsh click here

To read Pages 17 to 24 of Samaj Utkarsh click here  

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff. 

ઉત્સવોની ઉજવણી – પ્રજાની પજવણી -દીનેશ પાંચાલ


ચોમાસાનો ભવ્ય આકાશી શૉ પુર્ણતાને આરે છે. જળ એ જીવન છે એવું પ્રથમ વાર ક્યારે સાંભળેલું તે યાદ નથી; પણ પુર વેળા જળને મૃત્યુનો પર્યાય બની જતાં જોયું છે. જળ વીના ધરતી ધાન પકવતી નથી અને ધાન વીના ભુખનું કોઈ સમાધાન નથી. ભુખ એવી સ્થીતી છે જ્યાં સીંહ અને શીયાળ સરખા લાચાર બની રહે છે. વીચારકો કહે છે ભુખ્યાનો ભગવાન રોટલી હોય છે. ભુખ માણસનો સૌથી જુનો પરાજય છે. યાદ રાખી લેવા જેવી બાબત એ છે કે ભગવાનને એવા નૈવેદ્ય મંજુર નથી હોતાં, જે ગરીબોની ભુખ ઠેલીને તેના મોં સુધી પહોંચ્યાં હોય.
આ દેશમાં શ્રદ્ધાની આડમાં અનેક અનીષ્ટો નભી જાય છે. ધર્મના નામે અધર્મ જાહેર માર્ગો પર રાસડા લે છે. દેશના રાજકારણીઓને હું નસીબદાર ગણું છું. અહીંના લોકોનું સ્થાયી વલણ છે –  ‘મારે કેટલા ટકા ?’ એવી પ્રજાકીય ની:સ્પૃહતાને કારણે નેતાઓ માટે અહીં અભ્યારણ્ય રચાયું છે. લોકો ધરમ–કરમ, ટીલાં–ટપકાં ને ટીવી–સીરીયલોમાંથી ઉંચા આવતા નથી, તેથી નેતાઓનાં નગ્ન–નર્તન બેરોટકટોક ચાલુ રહ્યાં છે. (‘પાર્લામેન્ટ નગ્ન–નર્તકોની ડાન્સક્લબ છે’ – એવું બકુલ ત્રીપાઠી કહેતા.)
પ્રત્યેક ગણેશોત્સવવેળા અમારા બચુભાઈ બળાપો કાઢે છે, ‘આપણા ધાર્મીક ઉત્સવો આટલા તણાવયુક્ત શા માટે હોય છે ? શ્રી પાંડુરંગજી પ્રેરીત સ્વાધ્યાય પ્રવૃત્તીમાં લાખો માણસો ભેગા થાય છે, ત્યારે અનુયાયીઓ એવું સ્વયંશીસ્ત પાળે છે કે પોલીસની જરુર નથી પડતી. આપણું એક પણ ગણેશવીસર્જન પોલીસના પહેરા વીના પાર પડે છે ખરું ? ધર્મમાં શ્રદ્ધાની સીતાર વાગવી જોઈએ, પોલીસની સાયરન નહીં. વીસર્જનના દીને તો સવારથી જ શહેરમાં એક અદૃશ્ય આતંક છવાયેલો રહે છે. એ દીવસે મને સવારથી જ રાજેશ રેડ્ડીની પંક્તીનું સ્મરણ થવા માંડે છે : ‘સારે શહર મેં દહેશત સી ક્યું હૈ… યકીનન આજ કોઈ ત્યૌહાર હોગા!’
દુર્ભાગ્ય એ છે કે અહીં શ્રદ્ધાળુઓ કરતાં અન્ધશ્રદ્ધાળુઓ બહુમતીમાં છે. તેઓ ભગવાનને સુખ દેનારી જડીબુટ્ટી સમજે છે. ધર્મગુરુઓને પાપમાંથી ઉગારી લેતા વકીલો સમજે છે અને મન્દીરોને ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્ટર સમજે છે. તેઓ જ્યાંથી જેવા મળે તેવા ભગવાન હોલસેલના ભાવમાં ખરીદે છે. ચમત્કારનું તેમને ભારે આકર્ષણ. કોઈ મોટો ચમત્કાર કરી બતાવે તો તેઓ સત્યશોધક સભાના સભ્યોને પણ ભગવાન માની લેતાં અચકાય નહીં. તેમની શ્રદ્ધાના શૅરમાર્કેટમાં ભગવાનના ભાવ હજી ગગડ્યા નથી.
એક પરીચીત વ્યક્તી એના પીતાની જરાય કાળજી લેતી ન હતી. પીતા બીમાર પડ્યા ત્યારે તેમને હૉસ્પીટલમાં દાખલ કરવામાં તેમણે જીવલેણ વીલમ્બ કરેલો. પછી પીતાના મર્યા બાદ કાશી, મથુરા, દ્વારકા, હરીદ્વાર વગેરે સ્થળોએ સહકુટુમ્બ જઈને પીતાનું શ્રાદ્ધ કરાવ્યું. પાંત્રીસ હજારથીય વધુ ખર્ચો થયો.  જોયું ? પ્રેમની પડતર કીમત પાવલી… અને અન્ધશ્રદ્ધાની કોસ્ટ ઓફ પ્રોડક્શન પુરા પાંત્રીસ હજાર !’ (એક કથાકારે કહ્યું છે : ‘બીમાર બાપનો હાથ પકડી સંડાસ સુધી લઈ જાઓ તો શ્રીનાથજી સુધી જવાની જરુર રહેતી નથી.’)
મુળ વાત પર આવીએ. દેશનો પ્રત્યેક બૌદ્ધીક એવું અનુભવે છે કે આપણા ઉત્સવો એટલે બીજું કાંઈ નહીં : ‘મુઠી આનન્દ; પણ મણ બગાડ અને ક્વીન્ટલ મોકાણ…!’ આપણે બહુ ભુંડી રીતે તહેવારો ઉજવીએ છીએ. લોકો દીવાળીમાં ફટાકડાથી દાઝે, ઉત્તરાણમાં ધાબા પરથી લપસે, હોળીમાં એક આખેઆખા જંગલ જેટલાં લાકડાં ફુંકી મારે, ધુળેટીમાં રંગ ભેગી લોહીની ધાર ઉડે અને નવરાત્રીમાં તો માતાને નામે મધરાત સુધી માઈકનો માતમ વેઠવો પડે. પોલીસને કોઈ ગાંઠે નહીં. લોકો હજયાત્રામાં મરે અને અમરનાથયાત્રામાં પણ મરે. કુમ્ભમેળામાં મરે અને રથયાત્રામાં કચડાઈ મરે… ! અજ્ઞાનનો અતીરેક તો ત્યારે થાય જ્યારે એ રીતે મરેલાને વળી લોકો એમ કહીને બીરદાવે – ‘કેટલો ભાગ્યશાળી… ! ભગવાનના દરબારમાં મર્યો એટલે સીધો સ્વર્ગમાં જશે… !’ શ્રદ્ધાળુઓને કોણ સમજાવે કે સ્વર્ગની વાત તો દુર રહી; એવી ઘાતકી રીતે ધર્મ પાળવો એ સ્વયં એક નર્ક બની જાય છે. એવી ભક્તીથી દુનીયાનો કોઈ ભગવાન રાજી થતો નથી… !
આપણા લગભગ પ્રત્યેક ઉત્સવમાં ગાંડપણ પ્રવેશ્યું છે. દીવાળીમાં કે લગ્નમાં જ નહીં; હવે તો તહેવારોમાં પણ બેફામ ફટાકડા ફોડવામાં આવે છે. પોથીયાત્રા નીકળે એમાંય ફટાકડા. ચુંટણીમાં જીત થાય કે ક્રીકેટમાં જીત્યા તો કહે ફોડો ફટાકડા… ! એવું લાગે છે જાણે પ્રજા જાહેરમાર્ગો પર ફટાકડા ફોડી પોતાના ‘વીસ્ફોટ સ્વાતંત્ર્ય’ની ઉજવણી કરે છે.  ત્રણેક વર્ષ પર દીવાળી ટાણે એક સજ્જને રસ્તા પર સળગાવેલા એટમબૉમ્બને કારણે મારી પત્નીના પગની એક આંગળી ફાટી ગઈ હતી. ફટાકડાથી આનન્દ મળે તેની ના નહીં; પણ જીવનના કોઈ પણ આનન્દનું મુલ્ય જીવનથી અધીક ના હોય શકે એ વાત ભુલવી ના જોઈએ. સત્ય એ છે કે જેઓ ઝવેરી નથી હોતા એમને હીરાનું નકલીપણું ખટકતું નથી અને જેમની ખોપરીમાં સમજદારીનો શુન્યાવકાશ હોય છે તેમને તહેવારોમાં થતી સામાજીક પજવણીનો ખ્યાલ આવતો નથી. સુરતમાં ગણેશોત્સવ ટાણે ચારે કોર બેફામ નગારાં વગાડવામાં આવે છે. તેને એક પણ એંગલથી વાજબી ગણાવી ન શકાય.
નવસારીમાં નગારાં નહીં ને માઈકનો માથાભારે ત્રાસ છે. છતાં નવસારી પ્રત્યે મને માન છે. ‘નાગાની વસતીમાં લંગોટીવાળો ઈજ્જતદાર’ ગણાય તે રીતે હું નવસારીને સુરત કરતાં કંઈક અંશે ઈજજતદાર ગણું છું. સુરત એટલે સમસ્યાઓથી છલકાતું શહેર… ! ને વસતી વીસ્ફોટથી બન્યું એ અળસીયામાંથી અજગર… !
સમાજમાં ચારે કોર ધર્મના નામે અધર્મનાં નગારાં વાગતાં હોય ત્યાં બે–પાંચ બૌદ્ધીકોની બાંગ કોણ સાંભળે? ચોમેર અજ્ઞાનનો ઘોર અન્ધકાર પ્રવર્તે છે. બુદ્ધીનાં તો અહીં થોડાંક જ ટમટમીયાં જલે છે. એમ કહો કે અન્ધકારનું ક્ષેત્રફળ આકાશ જેવડું વીશાળ છે અને દીવડાનું કદ મુઠી જેવડું ! દેશમાં માત્ર એક સમસ્યા નથી; સમસ્યાનો આખો મધપુડો છે. એમાં લોકો પાછા કોમવાદ, ધર્મવાદ, પ્રાન્તવાદ કે ભાષાવાદનો કાંકરીચાળો કરે છે. જાહેર શાન્તી છીન્નભીન્ન થઈ જાય છે. સવારે અખબાર પર નજર ફેરવી લીધા પછી એક નીસાસા સહીત મુખમાંથી શબ્દો સરી પડે છે : ‘સહસ્ર સમસ્યાઓની બાણશૈયા પર લોહીલુહાણ મારો દેશ !’ રાજકારણીઓ અને દેશવાસીઓ ભેગા મળી આ દેશની હજીય ન જાણે કેવી વલે કરશે…!
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
http://govindmaru.wordpress.com/ માં થી સાભાર 

Birth Anniversary (31-10)


1 ) Khandor Sonal Sanjay Dhirajlal Lavjibhai
2 ) Sheth Chandrika Ashok  
3 ) Mehta Minesh Jayesh Anantrai Malukchand
4 ) Parekh Deepali Biren Narendra Mohanlal
5 ) Parekh Bijal Alpesh Kantilal
6 ) Parekh Bharat Kantilal Narottamdas
7 ) Parekh Mukund Kantilal Narottamdas
8 ) Sanghvi Chirag Vinodrai Manilal
9 ) Sanghvi Jayesh Kishor Harjivan
10) Sanghvi Urmila Suryakant Harjivan
11) Shah Mitesh Rajendra Umedchand
12) Sheth Sagar Ramesh Shivlal
13) Sheth Jigar Kirit Kantilal
14) Sheth Nitin Ramanlal

Wednesday, October 30, 2013

People Are Awesome (HD)

People are awesome and capable to do the most amazing things.


Birth Anniversary (30-10)



1 ) Doshi Deepak Manharlal
2 ) Mehta Dhruv Tejas Navinchandra Shantilal
3 ) Mehta Sagar Jayesh Balwantrai
4 ) Mehta Pratibha Girish Shamaldas
5 ) Mehta Nemish Hasmukhrai
6 ) Mehta Rajendra Sakarchand
7 ) Parekh Kajal Nishith Rajnikant
8 ) Parekh Divyesh Vinaychandra Panachand
9 ) Parekh Shweta Bipin Shantilal
10) Parekh Binal Ashok Rupchandbhai
11) Sanghvi Dipesh Lalitkumar
12) Sanghvi Dipali Mitesh Pravinchandra
13) Sanghvi Dimple Dinesh Talakchand
14) Shah Minal Dhiren Rajnikant
15) Shah Jyotsna Ramesh Maganlal
16) Shah Asha Nemish Pravinchandra
17) Shah Varsha Kirit Kantilal
18) Shah Jitendra Hasmukhrai
19) Shah Hitesh Jitendra Hasmukhrai
20) Sheth Mahek Nemish Dhanvantrai
21) Solani Devansh Nilesh

Tuesday, October 29, 2013

આજની ઘડી રળિયામણી! - ભુપતભાઇ વડોદરિયા

બુદ્વિ અને શક્તિ છતા કેટલાક માણસો તેમના ધ્યેયમા નિષ્ફ્ળ જાય છે. સફળતાને સૌ પુજે છે. માણસને સફળતા ના મળે તો સઁબઁધકર્તા વ્યક્તિનો દોષ કાઢવામા આવે છે.

કેટલાક માણસો પોતે જીવનમાઁ સફળ થયા હોય કે ન થયા હોય પણ બીજી કોઇ વ્યક્તિ માટે એવો ચુકાદો આપી દેશે કે એ માણસ કોઇ પણ કામમાઁ સફળ થાય એવુઁ હુઁ માનતો નથી. ઘણા બાધા માણસો માટે આ પ્રકારના અભિપ્રાયો આપવામાઁ આવે છે. આવો અભિપ્રાયો આપનાર ભુલી જાય છે કે કોઇ પણ માણસમાઁ શક્તિ હોય, ધગશ હોય પણ તક ના મળે ત્યાઁ સુધી તો એ પોતાની શક્તિ કે આવડત બાતાવી શકે નહિ. આપણે જાણીએ છીએ કે કેટલાક માણસો માત્ર તકના આભાવે નિષફળ જાય છે. એટલે કોઇક એવુઁ કહે છે કે તક મળવી કે તક ઉભી કરવી એમાઁ શુઁ ભેદ છે એ કહેવાનુઁ મુશકેલ છે. આપણામાઁ કહેવત છે કે ફાવ્યુઁ વખણાય. એવા અનેક કિસ્સા આપણે જોઇએ છીએ કે જેમાઁ માણસ સફળ થઇ જાય છે અને એ પોતે પણ કહી નહિ શકે કે તક આચાનક ઉભી થઇ કે પછે તેણે તક્ને ઓળખવાની કોશીશ કરી.

એ વાત ખરી છે કે માણસને તક ઓળખતાઁ આવડવુઁ જોઇએ. પણ માણસનો અનુભવ છે કે કોઇ માણસ સફળ થાય એટલે આપણે કહીએ છીએ કે એણે તક ઝડપી લીધી. આપણે તકની વાત કરીએ છીએ પણ કોઇ માણસ સફળ થાય ત્યારે તેનામાઁ તક ઓળખવાની આવડત આપ્ણે જોઇએ છીએ અને જો નિષ્ફ્ળ જાય કે ખરેખર કોઇ તક ન હતી, પણ તક સમજીને એમાઁ ઝઁપલાવ્યુઁ એટલે સઁપુર્ણ નિષ્ફ્ળતા મળી. કોઇ કોઇ વાર આપણે જેને તક કહીયે છીએ એ વાસ્તવમાઁ ભાગ્યનો ઇશારો નહિ હોય? ભાગ્યનો ઇશારો એટલા માટે કે ભાગ્ય મહેરબાન હોય અને કોઇ કામ બની જાય તો આપણે માણસને યશ આપીએ છીએ કે એણે તક પારખી અને ઝડપી. બીજી બાજુ માણસ તક ઝડપે પણ નિષ્ફળ જાય તો આપણે ભાગ્યને દોષ દેવાને બદલે તેને દોષ દઇએ છીએ.
એક એવુઁ જાણીતુઁ સુભાશિત છે કે, “સર્વત્ર ફલતિ ભાગ્યમ, ન ચ વિધા, ન ચ પૌરુષમ” માણસ એક તક ઝદપી લે અને સફળ થાય તો એ એનુ સારુઁ નસીબ અને નિસ્ફળ જાય તો આપણે ભાગ્યને બદલે માણસને દોષ દઇએ છીએ. નિષ્ફળતામળે તો માણસો કહે છે કે એનામાઁ ત્રેવડ ન હતી. એ વખતે આપણે ભાગ્યની કે તકની વાત નથી કરતા. એક વાત સ્વીકારવી પડે કે આપણે જેને સફળતા કે નિષ્ફળતા કહીએ છીએ તે હકીકતે ભર્યુઁ નારિયેર હોય છે. તેમાઁ અમ્રુત જેવુઁ મીઠુઁ પાણી પણ હોઇ શકે અને થુઁકી નાખવાનુઁ મન થાય એવુઁ ખારુઁ પાણી પણ હોઇ શકે. એટલે માણસના જીવનમાઁ સમયની દરેક ઘડી એક ભર્યુ નાળિયેર છે, તેમાઁથી અમ્રુત જેવુઁ મીઠુઁ પાણી પણ નીકળી શકે અને ખારુઁ દવ ખોરુઁ પાણી પણ નીકળી શકે. કોઇને અગાઉથી એવી ખબર પડતી જ નથી કે પાણી મીઠુઁ હશે કે ખારુઁ હશે. આ જ વાત માણસની કોશિશ લાગુ પડે છે. માણસ કોશિશ કરે ત્યારે એવી આશા રાખે છે કે તેને ધાર્યુઁ પરિણામ મળે પણ આ બાબતમાઁ માણસની આશા કે ધારણા સાચાઁ કે ખોટાઁ પણ પડે.
આમ તો માણસની જિઁદગી એ પણ એક મોટા નાળિયેર જેવી જ નથી? અઁદર શુઁ છે? એનો અઁદાજ કોઇને આવી શકતો નથી. એ તો જ્યારે તમે નાળિયેર ફોડો ત્યારે જ અઁદર મીઠુઁ કે ખારુઁ જે હોય તે જાહેર થાય છે. આપણે જાણીએ છીએ કે માણસ આવતી કાલને જાણવા માટે જ્યોતિષી પાસે કે સાધુ-સઁત પાસે જાય છે પણ પોતાને પાસેથી આપણે આપણા વિશેની આગાહી જાણવા માગતા હોઇએ તેને પોતાને પોતાની આવતી કાલની ખબર નથી, કેમ કે માણસનુઁ પ્રારબ્ધ કે ભાગ્ય હઁમેશાઁ ગઢ જ રહ્યુઁ હોય છે અને છતાઁ માણસને પોતાની આવતી કાલ, સફળતા કે નિષ્ફળતા, સુખ અગર દુ:ખ, સારુઁ આરોગ્ય કે માઁદગી એ બધાઁ વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા રહે છે. પણ આપણે જાણીએ છીએ કે જેમનો રાજ્યાભિષેક થવાનો હતો એ ભગવાન રામ પણ કદાચ જાણતા નહિ હોય, એટલે જ તો ઋષિઓ કહે છે કે ન જણ્યુઁ જાનકી નાથે કે સવારે શુઁ થવાનુઁ છે! એટલે આવતી કાલની કોઇની કોઇને ખબર નથી હોતી અને એથી જ આપણે કહીએ છીએ કે આજની ઘડી રળિયામણી! આપણી પાસે તો આજની ઘડી સુધારવાની એક તક છે.

Birth Anniversary (29-10)


1 ) Doshi Nitin Lalchand

2 ) Gholani Jenil Rajesh Shantilal Somchand
3 ) Mehta Agam Nishith Hasmukh Shantilal
4 ) Mehta Harshida Ashwin
5 ) Mehta Mikita Mukund Navalchand
6 ) Parekh Kinjal Kumarpal Chheda
7 ) Sanghvi Falguni Narendra Jayantilal
8 ) Sanghvi Margi Ashok Jagjivandas
9 ) Shah Darshan Ashok Vrajlal
10) Shah Jayendra Jevatlal
11) Shah Jainam Dilip Umedchand
12) Shah Mamta Amit Arvind Devchand
13) Sheth Kinjal Kirtikumar Tribhovandas
14) Sheth Twisha Nishant Chandravadan

Monday, October 28, 2013

Aerial Silks Duo - Oksana and Olga

Amazing performance by Oksana and Olga for the French TV show 'The World's Greatest Cabaret' hosted by Patrick Sebastien.
 

Birth Anniversary (28-10)


1 ) Gandhi Dhara Paresh Nyalchand Mansukhlal
2 ) Lodaria Ulka Mahendra Mugatlal
3 ) Lodaria Harish Maganlal
4 ) Lodaria Viral Naresh Amrutlal
5 ) Mehta Dhruti Nikhil Vasantlal
6 ) Mehta Bharat Hargovinddas
7 ) Patel Priti Rajiv Trilokchand
8 ) Patel Prashni Tejas Kishor
9 ) Sanghvi Dhruvesh Anil Himatlal
10) Shah Swangini Keyur Prakash Ravichand
11) Shah Chinal Vinod Ratilal

Sunday, October 27, 2013

:જિઁદગી એક એવી રમત - ભુપતભાઇ વડોદરિયા

જિઁદગી એક એવી રમત છે કે તેમાઁ અમ્પાયર અદશ્ય છે. તમે અમ્પાયરની ટોપી આ કે તે વ્યક્તિના માથા પર પહેરાવીને તેની સામે લડો છો, પણ તમે ભૂલી જાઓ છો કે છેવટે આ રમતમાઁ સૌથી મહત્વની વ્યક્તિ કોઇ અમ્પાયર નથી. એક ખેલાડીની હેસિયતથી તમે જ સૌથી મહત્વની વ્યક્તિ છો. ત્રણ વર્ષ પહેલાઁ મને એક માણસે ફરિયાદ કરી હતી કે અમુક મોટા શહેરની ઇસ્પિતાલમાઁ તે શસ્ત્રક્રિયા માટે દાખલ થયો હતો. ત્યાઁ તેની સારવાર બરાબર થઇ નહી. શસ્ત્રક્રિયામાઁ પણ કઁઇક ગરબડ હતી અને પરિણામે તેને ભારે અન્યાય થયો છે. આ ભાઇની માગણી એવી હતી કે ઇસ્પિતાલમાઁ જેમણે પોતાની શસ્ત્રક્રિયા કરેલી, તેમની સામે પગલાઁ લેવાઁ જોઇએ અને તેમને શિક્ષા થવી જોઇએ.

એક બીજા માણસ પણ આવીજ રીતે પોતાના દફતરમાઁ બેઠા બેઠા આવીજ ફરિયાદ પઁપાળ્યા કરે છે. તેની ફરિયાદ એ છે કે અમુક વર્ષ પહેલાઁ તેને નોકરીમાઁ અન્યાય થયો છે. જ્યારે અન્યાય થયેલો ત્યારે તે નજીવો લાગેલો, પણ હવે અત્યારે એમ લાગે છે કે તેના નોકરીના લાઁબા ગાળાનાઁ હિતોને ઘણુઁ મોટુઁ નુકશાન થયેલુ છે. હવે વર્ષો પહેલાઁના અન્યાયની જડ કોણ નાબુદ કરે! આ ભાઇનો ઘણો સમય જાતજાતનાઁ અરજી અહેવાલ ઘડવામાઁ અને લાગતા વળગતા પાસે મૌખિક રજુઆત કરવામાઁ વીતે છે. આ માણસને કોઇ એવો પ્રશ્ન પૂછી શકે કે એ જુની વાત હવે બાજુએ મૂકીને તેઓ આગળ વધવા માટે નવી સજ્જ્તા પ્રાપ્ત કરવા માટે કશુઁ કેમ કરતા નથી? વાત જૂની છે. બની ત્યારે નજીવી લાગી હતી અને હવે એ જૂની વાતનો ધજાગરો બાઁધવાની આ મિથ્યા કોશિશ શા માટે? જે વસ્તુ થઇ ગઇ તેનો અવો અફસોસ શા માટે? જે બની ગયુઁ છે અને હવે મિથ્યા થઇ શકે તેમ નથી તેને પકડી રાખવામાઁ શો લાભ?

એક ત્રીજો માણસ છે. તે વળી પોતાના બાળકને શાળાના સઁચાલકોના હાથે થયેલા અન્યાયની વાત કરીને પોતાની સમયશક્તિ વેડફે છે અને બાળકને આગળ વધતાઁ જાણે કે રોકો છે! આવી અગર બીજા પ્રકારની ફરિયાદ આગળ કરીને કેટલાક માણસો ભૂતકાળની કોઇક કોટડીમાઁ પુરાઇને લડ્યા કરે છે કે રડ્યા કરે છે અને એટલુઁ સમજતા નથી કે તેઓ સૌથી વધુ અન્યાય પોતાની જાતની જ કરી રહ્યા છે. ભૂતકાળના એક શઁકાસ્પદ અને વિવાદસ્પદ ટુકડાને પકડી રાખીને તેઓ પોતાની આઁખ સામેજ વર્તમાનની પસાર થતો જોઇ રહ્યા છે. આજે જે કરવાનુઁ છે તે કરતા નથી અને ગઇ કાલે જે બન્યુઁ હતુઁ તે નહોતુઁ બનવુઁ જોઇતુઁ, તેવી ફરિયાદમાઁ બળાપો કાઢી રહ્યા છે. આમાઁ સમજવા જેવી સાદી અને સીધી વાત એ છે કે દલીલ ખાતર માની લઇએ કે ભૂતકાળમાઁ તમને કોઇકે ખરેખર અન્યાય કર્યો હતો. જેણે ભૂતકાળમાઁ અન્યાય કર્યો હતો તે આજે તેમને ન્યાય આપવાની સ્થિતિમાઁ કે શક્તિમાઁ પણ નહી હોય. ભૂતકાળમાઁ તમને કોઇકે અન્યાય કર્યો હતો તે હકીકતને આગળ કરીને આજે તમારી જાતને શુઁ કામ અન્યાય કરો છો? બીજાઓ તમને અન્યાય કરે ત્યારે તમે તેની સામે ફરિયાદ કરો છો પણ તમે તમારી જાતની જ્યારે અન્યાય કરી રહ્યા હો એવો ઘાટ થાય છે ત્યારે તમે તમારી જાતની શા માટે ઢઁઢોળતા નથી?
દ્ષ્ટ કે અદ્ષ્ટ અમ્પાયરના ચુકાદા સામે તકરારના મુદાઓ ઉભા કર્યા કરતાઁ પોતાની રમતની કથા સુધારવાનુઁ જ વધુ લાભકારક છે. આ એક બાબત છે જે તમારા જ હાથમાઁ છે. માણસ વધુ કઁઇ નહી તો એ પુરી નમ્રતાથી અને છતાઁ પુરી ખુમારીથી કહી શકે છે કે મારી દુકાનમાઁ દુખના માલનો જે ભરાવો થૈ ગયો છે તેના ઉત્પાદકો ગમે તે હો, હુઁ તેનો માલિક છુઁ અને મારી દુકાનના માલની ‘અસલિયત’ ની હુઁ ખાતરી આપવા માગુઁ છુ.

Birth Anniversary (27-10)

1 ) Doshi Hitesh Manharlal Chaturdas  
2 ) Gholani Jayesh Dhirajlal Somchand
3 ) Mehta Rachna Shreyansh Kishor Jayantilal 

4 ) Mehta Keshavlal Sukhlal
5 ) Mehta Jitendra Hiralal 
6 ) Mehta Jayesh Balwantrai
7 ) Mehta Nirbhay Ashok Shamaldas
8 ) Mehta Hiral Satish Manilal 
9 ) Sanghvi Narendra Jayantilal
10) Shah Vicky Prafulchandra Navalchand
11) Shah Heta Pankaj Champaklal
12) Sheth Lilamben Vrajlal

13) Sheth Hema (Hargauri) Kishore Revashankar  
14) Solani Bhavik Mukesh Jevatlal

Saturday, October 26, 2013

Bike for Two - 'The Sociable'

'The Sociable' - a bicycle built for two people where riders are sitting side by side.


Birth Anniversary (26-10)

1 ) Doshi Ridhdhi Hitesh Manharlal Chaturdas
2 ) Gandhi Jayesh Kishor Mahadevlal
3 ) Lodaria Jagruti Manish Shashikant
4 ) Mehta Mukund Navalchand
5 ) Mehta Sanjay Jashwantrai Revashankar
6 ) Parekh Ronak Bharat Kantilal
7 ) Sanghvi Neha Chandresh Ramniklal
8 ) Sheth Parag Himmatlal Ratilal
9 ) Sheth Dhirajlal Chhotalal

Friday, October 25, 2013

વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ ભાગ 2/2


[ શ્રી બબાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.]
[10] જો તમારા હૃદયમાં પ્રેમ હશે તો તમે જેમની પાસે કંઈ નથી તેમના તરફ પણ માન દર્શાવશો અને જેમની પાસે બધું જ છે તેમનાથી તમે ડરશો નહિ કે જેમની પાસે નથી તેમની અવગણના કરશો નહિ. બદલાની આશામાં આપેલું માન એ બીકનું પરિણામ છે. પ્રેમમાં ડર હોતો નથી.
[11] લોકો તમારા માટે શું ધારે છે અથવા તેઓ તમને કેવી રીતે જુએ છે એના ઉપર આધાર રાખ્યા વિના શું તમારું આચરણ અંદરથી જ પ્રગટી શકે ? તે અઘરું છે, કારણ કે પોતે અંદરથી કેવો છે તે મનુષ્ય જાણતો નથી. વળી અંદર તો સતત પરિવર્તન ચાલ્યા કરે છે.
[12] જ્યાં સ્નેહ, માયાળુતા અને અન્યનો વિચાર હોય છે ત્યાં નમ્રતા, સભ્યતા અને અન્યની દરકાર હોય છે. એનો અર્થ એ છે કે તે માણસ ખરેખર પોતાનો વિચાર ઓછો ને ઓછો કરે છે. આ એક અત્યંત અઘરું કામ છે. જ્યારે મનુષ્ય પોતાની ચિંતા નથી કરતો ત્યારે ખરેખર તે મુક્ત માનવી છે. પછી તે તાજા મનથી, સ્નેહની ઉત્કૃષ્ટ ભાવના સાથે આકાશને, પર્વતોને, ટેકરીઓને, જળાશયોને, પક્ષીઓને અને પુષ્પોને નિહાળી શકે છે.
[13] તમે ધર્મનો શો અર્થ કરો છો ? માન્યતાઓ, વિધિઓ, દુરાગ્રહો, ઘણાબધા વહેમો, પૂજા, શબ્દોનું પુનરાવર્તન, અસ્પષ્ટ, નિરાશામય ઈચ્છાઓ, કોઈ પુસ્તકોનું વાચન, ગુરુનું શરણ, પ્રસંગોપાત્ત મંદિરગમન વગેરેને મોટા ભાગના લોકો ધર્મ કહે છે. આ શું ધર્મ છે ? ધર્મ શું કોઈ રિવાજ, ટેવ, પ્રણાલિકા છે ? ધર્મ અવશ્ય એ બધાથી વિશેષ છે. ધર્મ એટલે સત્યની શોધ. તેને સંગઠિત શ્રદ્ધા, મંદિરો, દુરાગ્રહો કે વિધિઓ સાથે કોઈ જ સંબંધ નથી. આમ છતાં આપણી વિચારણા, આપણા વ્યક્તિત્વના તાણાવાણા, શ્રદ્ધાઓ, વહેમો વગેરેથી જકડાયેલાં છે. આથી દેખીતી રીતે જ આધુનિક માનવી ધાર્મિક નથી તેથી તેનો સમાજ પવિત્ર નથી, સમતોલ નથી.
[14] ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા…. ગુણોને પણ સીમા હોય છે. તેમને જીવનમાં યથાયોગ્ય વિકસાવવા તે ધર્મસાધના છે. જેમાં વધુ ને વધુ ધર્મો વિકસ્યા હોય તેને ધાર્મિક પુરુષ કહેવાય…. જે ગ્રંથો આવા ગુણવિકાસને પ્રોત્સાહિત કરતા હોય તે શાસ્ત્ર કહેવાય. જે આવા ગુણવિકાસ માટે પ્રજામાં પ્રયત્ન કરતા હોય તે ધર્મપ્રચારક કહેવાય. આવા પ્રચારકોને એટલે જ સંત કહેવાય, તેમનાથી પ્રજા સદગુણી બનતી હોય છે.
[15] નાણું, મોભો, કીર્તિ, સત્તા વગેરે સમાજનાં જૂનાં મૂલ્યો છે, જેનો સ્વીકાર બાળકો પાસે શિક્ષણ કરાવીને તેનું સાતત્ય રાખે છે. સમાજના કહેવાતા ગાંડપણભર્યા માળખામાં ઈચ્છએ અને અનિચ્છાએ બંધબેસતા થવા માટેનું શિક્ષણ તેઓને અપાય છે. આથી શિક્ષણ લેનાર અને સમાજ દુઃખમય ભૂતકાળને ચાલુ રાખે છે. માબાપો બાળકો સાથે રમકડાંના જેવો વ્યવહાર રાખે છે અને પોતાના સંતોષ તથા આનંદ ખાતર તેમનો ઉપયોગ કરે છે. ખરી કેળવણીનો મતલબ એ છે કે માનવમન માત્ર ગણિત, ભૂગોળ અને ઈતિહાસમાં નિપુણતા મેળવી લે, એટલું જ નહિ પણ તે ક્યારેય પણ, કોઈ પણ પરિસ્થિતિમાં આ સમાજની ધારામાં ખેંચાઈ ન જાય તે છે. કારણ કે આ ધારા જેને આપણે ‘જીવન’ કહીએ છીએ તે ખૂબ જ ભષ્ટ, અનૈતિક, હિંસક અને લોભી છે.
[16] તમે તમારી એષણાઓને, તમારાં દુઃખોને, પ્રશ્નોને, ઈર્ષાને ખીલવા દો. જેમ કળી મોટી થાય છે, ખીલે છે, પૂર્ણ કળાએ વિકસે છે, કરમાય છે અને પછી ખરી પડે છે. તેમ તેમ તમારા પ્રશ્નોને પણ પૂર્ણ રીતે ખીલવા દો. ખુલ્લા થવા દો. તેને દબાવો નહિ તેમ જ તેનાથી ભાગો નહિ, પણ હિંમતપૂર્વક તેની સામે ઊભા રહો, અને તેને બરાબર નિહાળો. ભયને, ઈર્ષાને, એ બધાને આવવા દો. તેમને સ્વાતંત્ર્ય આપો, તો તે પોતાના બધા રંગો દેખાડશે, તેની પાછળ શું છે તે દર્શાવશે, અને તે ખીલશે અને તે પછી મૃત્યુ પણ પામશે. તેના ખીલવાથી તેની જટિલતા, તેનાં મૂળિયાં દેખાશે. માટે તેને દબાવો નહિ. દબાવશો તો તેનું રહસ્ય સંતાયેલું જ રહેશે. આમ જાગૃતિ દરેક ઘટના, વ્યક્તિ, વર્તન, વિચાર વસ્તુનું રહસ્ય પૂર્ણ રીતે છતું કરે છે.
[17] સાચો પ્રશ્ન પૂછવો એ જવાબ મેળવવા કરતાં ઘણી વધારે મહત્વની બાબત છે. જવાબ સમસ્યાની ક્યાંય બહાર નહીં પણ સમસ્યામાં જ હોય છે.
[18] મન જ્યારે પોતાને અને પોતાનાં કાર્યોને, પોતાની રીતોને, હેતુઓને, પોતાની શોધને, પોતાની બાહ્ય માગણીઓને જ નહિ પણ અંદરના ઊંડા વેગોને અને આશયોને સમજે ત્યારે જ મનની ક્રિયાનો અંત આવે, મન શાંત થાય. સૌંદર્ય એટલે સંવેદનશીલતા. શરીરની સંવેદનશીલતા એટલે યોગ્ય ખોરાક, યોગ્ય રીતનું જીવન. ત્યારે મન અનિવાર્ય રીતે તથા કુદરતી રીતે, અજાણતાં શાંત બને છે. તમે મનને શાંત ન કરી શકો. કેમ કે તમે તોફાની છો, તમે પોતે જ વ્યથિત, આતુર અટવાયેલા છો, તેથી તમે મનને કઈ રીતે શાંત કરી શકો ? માણસ જંગલમાં ભૂલો પડ્યો હોય ત્યારે તે પહેલાં શું કરે છે ? તે ઊભો રહે છે અને આસપાસ જુએ છે. તેવી જ રીતે તમે આંતરિક રીતે પૂરેપૂરા થંભી જશો, તો તમારું મન અત્યંત શાંત અને સ્પષ્ટ બની જશે.

Birth Anniversary (25-10)

1 ) Doshi Sagar Bhalesh Bhupatrai Bhaichand
2 ) Lodaria Bharti Pankaj Maganlal
3 ) Late Lodaria Himanshu Mahesh Shantilal
4 ) Mehta Irish Haresh Vadilal
5 ) Mehta Neha Hiten Nagindas
6 ) Mehta Vinod Ujamshi
7 ) Mehta Krina Shailesh Prabhashankar
8 ) Mehta Jagdish Himmatlal
9 ) Mehta Dr. Bhairavi Amish Shashikant Chhaganlal
10) Mehta Bharti Jitendra Jevatlal
11) Parekh Rajesh Manharlal Jagjivandas
12) Sanghvi Dhaval Deepak Khushalchand
13) Sanghvi Nimesh Narendra Shantilal
14) Shah Smita Jignesh Arvind Maneklal
15) Shah Nilesh Jayantilal
16) Shah Kirit Thakorlal
17) Shah Ninaben Arvind
18) Shah Meena Bhadresh Kantilal
19) Sheth Kumud Dilip Jivanlal
20) Trevadia Mamta Hitesh Mulchand

Thursday, October 24, 2013

Ship Flips 90° Vertically To Become A Research Station

FLIP is designed to study wave height, acoustic signals, water temperature and density, and collect meteorological data.  

Birth Anniversary (24-10)

  1 ) Doshi Raj Sanjay  2 ) Doshi Navnitrai Chunilal  3 ) Lodaria Priyanka Kamlesh Panachand  4 ) Mehta Bharat Amrutlal 5 ) Mehta Indulal Umedchand  6 ) Mehta Heena Hemal Bhuptbhai 7 ) Mehta Kiran Madhusudan Vadilal  8 ) Parekh Dr. Manjula Jayant  9 ) Parekh Ashok Rupchandbhai 10) Patel Lilavati Manilal  11) Sanghvi Mahek Rajesh Lalitrai  12) Sanghvi Sunanda Pravin Harjivan   13) Shah Ruchita Chetan Rameshchandra  14) Shah Tejal Jatin Navnitlal 15) Solani Raksha Atul Gandhi   16) Vakharia Kantilal Vajeshankar

Wednesday, October 23, 2013

વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ ભાગ 1/2


[ શ્રી બબાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.]
[1] તમે સતત બદલાઓ છો, માટે તમારી જાતને સતત જોયા કરો. શાંત મન જાતને બરાબર જોઈ શકે છે.
[2] તમારી અંદર સમસ્ત વિશ્વ રહેલું છે. જો તમને ‘જોતાં’ અને ‘શીખતાં’ આવડે તો દ્વાર ત્યાં જ છે અને ચાવી તમારા હાથમાં છે. તમારી પોતાની જાત સિવાય આ પૃથ્વી ઉપર બીજું એવું કોઈ નથી કે જે તમને એ ચાવી આપી શકે કે દ્વાર ખોલી આપી શકે….
[3] આપણે બ્રાહ્ય રીતે ખૂબ નમ્ર, સંસ્કારી છીએ, પણ જેનાથી મોટા ભાગના લોકો અજ્ઞાન છે, તેવા મનના ઊંડાણમાં વિશાળ અને જટિલ સંઘર્ષ, દુઃખ અને ભયનો મોટો વારસો પડેલો છે…. આપણે મનુષ્યો લાખ્ખો વર્ષોથી જેવા છીએ તેવા જ છીએ – લોભી, ઈર્ષાળુ, આક્રમક, ચિંતાતુર અને હતાશ, પણ સાથે સાથે આપણા જીવનમાં અવારનવાર આનંદ અને પ્રેમના ચમકારા પણ આવી જાય છે…. આપણે ધિક્કાર, ભય અને નમ્રતાનંે વિચિત્ર મિશ્રણ છીએ. આપણે હિંસા અને શાંતિ, બંને છીએ, બળદગાડાથી જેટ વિમાન સુધીની આપણે બાહ્ય પ્રગતિ સાધી છે, પણ મનોભૂમિકાએ મનુષ્ય જરાયે બદલાતો નથી. આપણી અંદર જ માનવજાતિનો આખો ઈતિહાસ લખાયેલો પડ્યો છે.
[4] તમે જીવન કરતાં મૃત્યુનો વિચાર વધુ કરો છો. જીવન દરમ્યાન શું થાય છે તેના કરતાં મરણ પછી શું થશે એમાં તમને વધારે રસ છે. જીવનમાં જેને ખરેખર રસ છે તેઓ માટે મૃત્યુ પ્રશ્નરૂપ નથી હોતું.

[5] પેલા પુષ્પ સામે તમે કેમ જોતા નથી ? આપણામાંથી મોટા ભાગના લોકોને કુદરતનું કોઈ જ મહત્વ નથી… આપણે આપણી ચિંતાઓ, આપણી આશાઓ, ઈચ્છાઓ અને અનુભવોમાં એટલા બધા કેન્દ્રિત થયેલા છીએ જેથી આપણે આપણી વિચારણાના પાંજરામાં પુરાઈ ગયા છીએ અને તેથી તેની બહાર કંઈ જ જોઈ શકતા નથી. તેવું ન કરશો. બધું જ જુઓ અને બધું જોવાથી તમે તમારું પાંજરું જોઈ શકશો.
[6] જોવા માટે આંખ જોઈએ. સાંભળવા માટે કાન જોઈએ અહંકારે જો તે બંધ કર્યા હોય તો, એંસી વર્ષ સતસંગમાં પડ્યા રહો તોપણ કંઈ થશે નહિ. શીખવાની વિનમ્રતા જોઈએ અને શીખ્યા હોય તો જીવવાની વીરતા જોઈએ.
[7] ધ્યાન અંગેનાં પુસ્તકો વાંચીને મૂર્ખ બનશો નહિ, તમે તમારું જીવન-પુસ્તક વાંચો…. ધ્યાન એ ‘હું’રૂપી કેન્દ્રની સમજ છે અને તેથી કેન્દ્રની પેલે પાર જવાની ક્રિયા છે. ધ્યાન એટલે ‘હું’નો વિલય.
[8] યંત્રની માફક એક ને એક કાર્ય ન કરતાં તમારી માન્યતાઓ અને તમારા અનુભવો પ્રત્યે નવી રીતે જોવું જોઈએ. જો આમ કરશો તો તમારા મનમાં તાજી હવા પ્રવેશશે. એનો અર્થ એ થયો કે તમે અસલામત બનવા જોઈએ. તો જ તમે સત્યને, પ્રભુને પામી શકો.
[9] પોતાની જાતને સમજ્યા વિના ઈશ્વરને શોધી શકાય જ નહિ. તમારો ઈશ્વર પણ તમારી કલ્પનાઓનો બનેલો છે અને એથી તમે ઈશ્વરના નામે જ લડો છો અને પાયમાલ થાઓ છો. ‘ઈશ્વર’ શબ્દ ઈશ્વર નથી, મૂર્તિ ઈશ્વર નથી, તમે ઈશ્વરને ભજો છો, પણ તમારું જીવન ઈશ્વરી નથી. કાળની મર્યાદામાં જે છે તે સ્મૃતિ છે, જ્યારે ઈશ્વર કાળથી પર છે. માટે મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય.

Birth Anniversary (23-10)

1 ) Doshi Devang Mahendra Chatrabhuj 
2 ) Doshi Bina Pankaj Navalchand
3 ) Kumbhani Jagruti Nishith 

4 ) Doshi Ami Jayesh Trambaklal  
5 ) Gandhi Yashesh Kishor Mahadevlal
6 ) Lodaria Hardik Kamlesh Panachand
7 ) Mehta Akash Deepak Suryakant Sukhlal
8 ) Mehta Jayshree Virendra Pravinchandra

9 ) Mehta Dhirav Rameshchandra Keshavlal

10) Mehta Labhkunvar Chandulal

11) Parekh Hemant Chandrakant
12) Parekh Tejas Anantrai Somchand
13) Shah Pallav Divyesh Kishore

14) Sheth Nalin Navalchand

15) Sheth Dharmesh Jitendra Manilal

16) Vakharia Sneh Kirit Kantilal Vajeshankar

Tuesday, October 22, 2013

Stars of Beijing's Circus - Bowl Juggling on Unicycles

One of the most beautiful and impressive shows by 'The Stars of Beijing's Circus' at the French TV show 'The World's Greatest Cabaret.'


Birth Anniversary (22-10)


1 ) Doshi Mahek Amit Indulal Kanji  
2 ) Doshi Vidhi Nilesh Khushalchand Popatlal
3 ) Doshi Manan Rajnikant Chandulal
4 ) Gandhi Anubhuti Sanjay Mahendra Dhirajlal
5 ) Gholani Nilesh Dhirajlal Somchand
6 ) Mehta Ekta Gaurang Rajendra Ambavidas
7 ) Mehta Rahul Indrakumar
8 ) Sheth Moksha Kamlesh Dhanvantrai
9 ) Trevadia Shashikant Mulchand

Monday, October 21, 2013

પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર



નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર પડે. કશુંક ખોટું થયું હોય તો પ્રાર્થનાથી એ ગાળી નાખવાના સંસ્કાર પડે. પણ હું તો નાનો છોકરો. સ્વાર્થ હોય તોયે પ્રાર્થના કરી ફળ મેળવવા ઈચ્છું. જાણે ભગવાન મારા શેઠ. ખુશામત કરું એટલે રાજી થઈ જાય અને રાજી કરી દે એવા.
પણ એ સ્વાર્થી પ્રાર્થનાઓ નિર્દોષ બાળકની પ્રાર્થનાઓ હતી. હૃદયના ભાવથી થયેલી. ફળતીયે ઘણીય વાર. કશુંક ખોવાયું હોય તો નવકાર બોલી એ મળે તેમ પ્રાર્થું ને એ મળી જાય. એક વાર કશુંક ખરીદ્યું ને પરચૂરણ પાછું લેવું ભૂલી ગયો. માએ બાકીના પૈસા માગ્યા ત્યારે ખ્યાલ આવ્યો. રોવા જેવો થઈ જઈ નવકાર ગણતો ગણતો જ્યાં પૈસા ભૂલી ગયો હતો એ દુકાન જઈને ઊભો. દુકાનદાર ઘણા કામમાં. માંડ માંડ મેં વાત કરી બાકીના પૈસા ભૂલી ગયો છું તેની. તે કહે :
‘અહીં તો હજાર આવે ને જાય. તું સાચું બોલે છે એની ખાતરી શી ?’
મારી આંખમાંથી આંસુ ટપકવાં બાકી રહ્યાં ત્યાં બાજુનો દુકાનદાર મારી વહારે ધાયો. પેલાને કહે : ‘હું આ છોકરાને ઓળખું છું. એ કોઈ દહાડો ખોટું બોલતો નથી.’
પેલાએ પૈસા આપી દીધા, ‘બીજી વાર ભૂલી નહિ જતો હોં’ કહીને. હું પાછો નવકાર ગણતો ગણતો અને પ્રભુનો પાડ માનતો માનતો ઘેર આવ્યો. પણ એ તો નાનપણની વાત. પછી મોટો થયો. ભણ્યો, ગણ્યો, માર્કસ્ વાંચ્યો, લેનિન વાંચ્યો, ગાંધીના કહેવાથી જેલમાં ગયો, પણ પેલી બાલસુલભ શ્રદ્ધા ઊડી ગઈ, ને સાથે સાથે પ્રાર્થના પણ હૃદયમાંથી ઊડી ગઈ.

પણ એક નવી શ્રદ્ધા હૃદયમાં બેઠી. જેમ આપણે સ્વાર્થ માટે કોઈ પાસે કશું માગતા નથી, કે માગતાં શરમ અનુભવીએ છીએ, તેમ પ્રભુ – જો એ હોય તો – પાસે પણ સ્વાર્થ માટે કશું ન માગવું. ભગવાન વિશે ખબર નહિ, પણ શુભ તત્વમાં શ્રદ્ધા પૂરેપૂરી. એવી શ્રદ્ધા પણ સામાના દિલમાં ન પરોવી શકતો હોય તો એ ગાંધી શેનો ? ત્યારથી તે આજ સુધી મારા અંગત સ્વાર્થ માટે કશુંય ક્યારેય માગ્યું નથી. નવકાર નાનપણથી વળગી રહ્યા છે તો તે રટ્યે રાખું છું, કશાય સ્વાર્થ વિના. એમાં તો ઉત્તમ સંતોને નમસ્કાર કરવાની જ વાત છે ને ? કોઈકવાર એ ઉત્તમ તત્વને કોઈક સદાશય માટે સ્મરી પણ લઉં છું. તેને પ્રાર્થના કહેવી હોય તો જરૂર કહી શકાય, અને એવી પ્રાર્થના પાછી ફળે પણ છે.
એક દાખલો યાદ આવે છે. લેખક થયો, જરા જાણીતો પણ થયો, પ્રશંસા કરનારા વધ્યા, તો નિન્દા કરનારા કંઈ બાકી ન રહ્યા. એવા એક ભાઈ વારંવાર મારી પાસે આવે. સાહિત્યના બહુ મોટા રસિયા, ને બહુ સારા વાચક. એમની સાથે વાતો કરવાની મજા આવે – એ મારી સતત અને નિરંતર નિન્દા કર્યે રાખે છે એની મને ખબર હોવા છતાં. પણ આખરે હુંયે માણસ રહ્યો ને ? એટલે મને મનમાં ઘણી વાર થાય કે એમને કદાચ મારાથી પુછાઈ જાય કે ‘આમ આટલો સ્નેહ દાખવો છો તો આટલી નિન્દા શા માટે કર્યે રાખો છો મારી ? મારાં લખાણની કરો તો ભલે, પણ એ સિવાય પણ…. ?’ પણ એવું પૂછી બેસવું એમાં મારી શોભા શી ? એ તો મારે ઘેર આવનારને શરમમાં મૂકી જૂઠું બોલાવવા જેવું થાય ને ?
એટલે એ જ્યારે જ્યારે આવવાના હોય ત્યારે હું ખરા મનથી પ્રાર્થના કરતો કે, ‘હે ભગવાન, જો તમે કોઈની પણ વાત સાંભળતા હો તો મારી આ વાત સાંભળો. એ ભાઈ આવે ત્યારે મારાથી આવી વાતનો એક હરફ પણ ન ઉચ્ચારાય એવી શક્તિ એ સમયે મારામાં પ્રેરો.’ એ શક્તિ ભગવાને પ્રેરી કે મારી પ્રબળ ભાવનાએ એ મને ખબર નથી, પણ હું કદીયે એ ભાઈને એવી અણગમતી પરિસ્થિતિમાં મૂકી શક્યો નથી. એનો મને આનંદ છે. અને હું બહુ અભિમાની માણસ નથી એટલે એ માટે પ્રભુનો પાડ માનું છું – એણે મને મદદ કરી હોય કે ન હોય તોયે.
એક નાનકડો બીજો અનુભવ લખું ?
મારે પરાને ઘેર એક સગા આવ્યા. દૂરથી. શાળામાં પુત્રને દાખલ કરાવવા માટે. એ દાખલ થાય એમ થયું એટલે એ માટેના ફી વગેરેના હજાર દોઢ હજાર રૂપિયા એમને તત્કાળ જોઈતા હતા. એ સાથે નહોતા લાવ્યા એટલે. મને થયું, ઘરમાં એટલા નહિ હોય. એ કહે કંઈ નહિ. ‘કાલે ભરી જઈશ.’ મેં કહ્યું : ‘આમાં કાલ કરવાની હોય નહિ, પણ બૅન્કો બંધ થઈ ગઈ છે નહિતર હું લાવી આપું.’ મારી બહેન અહીં રહે છે હું તેની પાસેથી લઈ લઈશ.’ કહીને એ ગયા.
મને થયું : ‘મારી પત્ની હજાર બે હજાર રૂપિયા ઘરમાં રાખે છે પોતાના કબજામાં, એ હું કેમ ભૂલી ગયો, ને આને આવો ફેરો કરાવ્યો ? મારું હૃદય માફી માગવા લાગ્યું અને તેમને પૈસા આપવા તત્પર બની ગયું, પણ એ તો ચાલ્યા ગયા હતા. મારા પસ્તાવાનો પાર નહોતો. એમનું કામ થઈ જાય એવું હું પ્રાર્થવા લાગ્યો. ત્યાં થોડી વારમાં એ પાછા ફર્યા : ‘બહેન તો બહાર ગઈ છે.’ કરતા મારું મન આનંદથી ભરાઈ ગયું. મારી વેદનામાં મને પ્રાર્થના મદદગાર થઈ છે એમ લાગ્યું. મેં તરત પત્ની પાસેથી તેમને પૈસા અપાવી દીધા.
એ પ્રાર્થનાનું ફળ હશે ? પશ્ચાત્તાપનો પ્રભાવ હશે ? ખબર નથી. પણ એટલી ખબર છે કે આવી સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં બળ હોય છે જ – જો એ ખરા હૃદયથી થતી હોય તો. માનસશાસ્ત્રીઓ તેનો ગમે તે ઉકેલ કહે, પણ અનુભવ મને આમ કહે છે, અને એનો મને આનંદ છે.
સૌજન્ય રીડ ગુજરાતી

Birth Anniversary (21-10)

1 ) Doshi Bina Dinesh Chandulal 2 ) Mehta Jay Girishchandra
3 ) Mehta Bindu Kirit Sukhlal
4 ) Mehta Chandrakala Mahasukhlal Mohanlal
5 ) Mehta Bharat Maganlal
6 ) Mehta Dharmesh Tarun Khodidas

7 ) Parekh Nila Praful Vrajlal

8 ) Shah Avni Darshan Ashok Vrajlal

9 ) Shah Mitesh Jagdish Jatashankar

10) Shah Priti Dipen Madhukar

11) Sheth Vrudhdhi Mahendra Vrajlal

12) Solani Kavita Mahesh Balwantrai

13) Vora Bijal Jitendra Valamji

Sunday, October 20, 2013

Annual General Meeting of Yuvak Mandal

AGM  of Yuvak Mandal is  being held on 20-10-2013 at Dadar. Elections of Working Committee & Trust  Board will also be held. For Reading the "Aheval" for the year 2012-13 go here

Please note 
1) Accounts portion of the 'aheval' is excluded from publishing as it is not meant for public domain. 
2) You will have to download the report as it is a lengthy report

The Power of Together (by Petco)

here is something extraordinary that happens when pets and people connect.


Olate Dogs - Amazing Pet Tricks - America's Got Talent 2013

'Olate Dogs' return to America's Got Talent 2013 with a fast-paced show filled with amazing pet tricks.


Birth Anniversary (20-10)


1 ) Doshi Meghna Vinaykant Indulal
2 ) Doshi Dinesh Vadilal
3 ) Sheth Deepa Hiten Anantrai
4 ) Mehta Chandresh Shashikant Vanechand
5 ) Mehta Rajesh Kantilal Durlabhji
6 ) Mehta Darshan Harish Jamnadas
7 ) Mehta Rajesh Hasmukhrai
8 ) Mehta Akshay Suresh Jethalal
9 ) Parekh Sandip Vinaychandra Jagjivandas
10) Parekh Ketan Navinchandra Rupchandbhai
11) Sanghvi Kinnary Atul Chandrakant
12) Shah Deepa Sanjay Hiralal Maneklal
13) Shah Kamlesh Navalchand
14) Shah Kreya Bhavik Chandravadan
15) Shah Hemlata Jitendra Hasmukhrai
16) Sheth Amisha Milan Chandravadan
17) Sheth Jayesh Vrajlal
18) Sheth Jaini Dilip Jivanlal
19) Sheth Shruti Kamlesh Dhanvantrai
20) Solani Viral Dhirendra

Saturday, October 19, 2013

પ્રાર્થના : અમૃતવલ્લી – રમેશ સંઘવી


[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]
જીવન શું છે ? શાના માટે છે ? કેવી રીતે જીવવું જોઈએ ? આ બધા સાચા દિલના અને સનાતન પ્રશ્નો છે. આપણા એક મંત્રમાં સરસ વાત કરી છે કે જીવનની યાત્રા અસતથી સત તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી અમૃત તરફની છે. પણ આ યાત્રા કરવી કેવી રીતે ? સૌને જીવનમાં શાંતિ, સ્વસ્થતા, સહજતા જોઈએ છે. સહુને સુખ જોઈએ છે. પણ આ મેળવવાં કેમ ? વ્યક્તિ સુખની શોધમાં જીવનભર ભટકતો રહે છે અને સુખ તો પેલા નટખટ પતંગિયાની જેમ પકડાતું જ નથી. આપણા એક સંત કવિએ કહ્યું : મૃગકી નાભિ માંહિ કસ્તુરી, ઢુંઢત ફિરત બન માંહિ. આપણી પણ એવી જ સ્થિતિ નથી શું ?
જીવનની પીડા, વેદનાનું કારણ છે સર્વત્ર વિલસી રહેલા પરમ તત્વ સાથે આપણો સંબંધ વિચ્છેદ થયો છે. જે તત્વ સર્વદેશી, સર્વકાલિન, સાર્વજનિન છે તે સર્વ વ્યાપક તત્વને આપણે વિસ્મરી ગયા છીએ. તેની સાથેની જીવન નાળ કપાઈ ગઈ છે અને આપણા પરિતાપ-સંતાપનું મૂળ છે. પ્રાર્થના આ સંબંધ જોડી આપે છે. પ્રાર્થનામાં એક ઉત્કટ શ્રદ્ધા રહેલી છે. આ શ્રદ્ધા આપણને એક ખુમારી, વિશ્વાસ આપે છે. એ વિશ્વાસની શક્તિ નિરાળા સુખના પ્રદેશમાં પ્રસન્નતાના આલોકમાં આપણને લઈ જાય છે. સમગ્ર ચૈતન્ય સાથે આપણે એકરુપ, એકલય બનીએ છીએ. જાણે વૈશ્વિક રાસલીલામાં આપણે પણ જોડાઈ ગયા છીએ. આ એક અદ્દભુત અનુભવ છે. આમ વ્યક્તિ કેવળ દેહી ન રહે, દેહમાં હોવા છતાં વિદેહી બને તે કળા પ્રાર્થના શીખવે છે. પ્રાર્થના વેળા આપણે જાણે સ્વમાં હોવા છતાં સર્વ સાથે તદ્રુપ બનીએ છીએ. જે ચૈતન્યનો ઉન્મેષ સર્વત્ર છે તેની સાથે આપણે એકાકાર બનીએ છીએ. એટલે જ પ્રાર્થનામાં ચેતોવિસ્તારનો અનુભવ થાય છે. વ્યક્તિ ‘અલ્પ’માંથી નીકળી ‘ભૂમા’માં પ્રવેશે છે.

પ્રાર્થના એટલે સમતા, જાગરુકતા, સહજતા. સમતા એટલે જ પ્રસન્નતા. આપણી ખોજ ચિર પ્રસન્નતાની છે. આવી પ્રસન્નતા, શાંતિ અને સ્વસ્થતા જાગૃતિપૂર્વકની પ્રાર્થનાથી અવશ્ય સધાય છે. આવી પ્રાર્થના પરમ ચૈતન્ય સાથે એવો તો નાતો જોડી આપે છે કે પછી બીજા બધા સ્વાદ ફિક્કા લાગે છે અને જાણે આપણે નિરંતર સુખમાં વિલસીએ છીએ. પ્રાર્થના છે ચિત્ત શુદ્ધિની સાધના. પ્રાર્થના નિરંતર અવધાનપૂર્વક થાય તો મનનો મેલ, મનના કષાયો ધોવાતા જાય છે અને તેથી જીવતરમાં હળવાશ, શાંતિ આવે છે. ચિત્ત જ્યારે શુદ્ધ થાય છે, રાગ-દ્વેષ વિહિન બને છે ત્યારે તે હળવું ફૂલ બની જ જાય અને આ અવસ્થામાં સદા આનંદ, પ્રસન્નતા સહજ બને. જગતમાં પછી વિરોધ, અવ્યવસ્થા, વેદના અનુભવાતાં નથી. એક તાજગી, સ્ફૂર્તિ, ખુમારીની પ્રતીતિ થાય છે. જાગૃતિપૂર્વકની પ્રાર્થના એ ચિત્તવિશોધિની બની રહે છે. અને પ્રાર્થનામાં થાય છે સ્વસંવાદ, આપણી જાત સાથેની મુલાકાત, વાત. આપણે આપણી જાત સાથે ભાગ્યે જ રહીએ છીએ, ઊલટું જાતથી, એકાંતથી ભાગીએ છીએ. એકાંત મળે તો આપણે તેને તુચ્છ-શુષ્ક પ્રવૃત્તિઓથી ભરી દઈએ છીએ. એકાંતમાં સભરતા, જાત સાથે ગોઠડીનો આહલાદ લેવા જેવો છે. જે પ્રાર્થના દ્વારા આપણને મળે. જો આપણી સાથેની આ મુલાકાત જાગૃતિપૂર્વક થાય તો જીવનશુદ્ધિ થાય અને મન-અંતરમાં શીળો લેપ થતો અનુભવાય.
આપણી તો શ્રદ્ધા છે કે ઈશાવાસ્યમ ઈદમ સર્વમ. એક પરમ ચૈતન્ય તત્વ વિલસી રહે છે. આગળ કહ્યું તેમ, પ્રાર્થના આ તત્વની સાથે આપણને જોડી આપે છે. આ જગતની પાછળ, તેના સંચાલન-વ્યવસ્થા પાછળ કોઈ નિયમ-કાનૂન પ્રવર્તતો લાગે છે. આ નિયમ તે ઋત અને આ ઋત તે જ પરમાત્મા. અને આ ઋતની, પરમાત્માની ઉપાસના-આરાધના તે જ પ્રાર્થના. સૃષ્ટિ જે નિયમને વશવર્તીને ચાલે છે તેમાં અડચણ-અવરોધ પેદા ન કરવા, ઊલટું આ સૃષ્ટિની સેવા કરવી તે પણ પ્રાર્થના. આ સૃષ્ટિને ઓછામાં ઓછું નુકશાન થાય, તેની વ્યવસ્થામાં ઓછામાં ઓછું વ્યવધાન આવે તે રીતે જીવીએ. કેવળ પોતાના માટે ન જીવતાં અન્ય માટે પણ જીવીએ આ પણ પ્રાર્થના. આ પ્રાર્થના કોઈ જડ ક્રિયાકાંડ નથી. કેવળ મુખપાઠ નથી. ખરેખર તો પ્રાર્થના કરવી ન પડે અને છતાં થઈ જાય તે પ્રાર્થના. આ સભર સભર પ્રકૃતિ, આ ખૂલ્લું આકાશ અને તેની ભવ્યતા, આ વૃક્ષ-વલ્લરીઓ, પશુ-પંખી, પુષ્પો-કુદરતની આ વિધવિધ લીલાઓ અને તેની સાથે રહેવું તે પણ પ્રાર્થના. કુદરત સાથે જીવીએ એટલે સહજ પ્રાર્થનામય જીવાય. વ્યક્તિ સ્થૂળ સ્વચેતનામાંથી બહાર નીકળી સહજતામાં વ્યાપકતામાં પ્રવેશે. કુદરત સાથે રહીએ એટલે આપણે પણ કુદરત જેવા સહજ, સ્વાભાવિક, વહેતા રહીએ અને જીવનના નિતનવા આયામ ખૂલે.
વિનોબાજી પ્રાર્થનાને સ્નાન, નિદ્રા અને ભોજન સાથે સરખાવે છે. સ્નાનની જેમ તાજગી-સ્ફૂર્તિ, નિદ્રાની જેમ આરામ અને ભોજનની જેમ પુષ્ટિ મળે છે. તે સઘળું પ્રાર્થનાથી સધાય છે. નિરંતર પ્રાર્થના કરનાર અનુભવે છે કે તે એક સમજણ પૂર્વકની શ્રદ્ધાના પ્રદેશમાં ગતિ કરી રહે છે. એ શ્રદ્ધા જ શક્તિ બની સતત મદદ કરે છે. જીવનમાં શ્રદ્ધા કેટલી ઉપયોગી છે ! શ્રદ્ધા તો છે એક તારક બળ. આ શ્રદ્ધાનો દીપક આંતર બાહ્ય આલોક ફેલાવે, અને દુઃખ-દૌર્બલ્યથી મુક્તિ આપે. આપણે સહુ અહમહમિકામાં, સ્વાર્થોમાં, સ્પર્ધા અને તુલનામાં દુન્યવી ક્ષુલ્લક વ્યવહારોમાં આપણી જાતને ખતમા કરીએ છીએ. પ્રાર્થના રૂપી ધ્રુવતારક આપણને સતત પ્રકાશ અને માર્ગદર્શન આપી તેમાંથી ઉગારે છે. તેને નજર સામે રાખીને આપણી હોડી ચલાવીએ તો ભૂલા પડવાની કે ભટકવાની સંભાવના નથી.
પ્રાર્થનામાં સુંદર લય, તાલ, શબ્દો એ બધું ઉપયોગી છે પણ મુખ્ય જરૂર છે ભાવની. હૃદયના ઉત્કટ ભાવથી સાદા શબ્દો પણ અંતરના પરમોચ્ચ ઉદ્રેક સાથે પ્રગટ થાય તો અમોઘ બની રહે છે. અંદરની તડપન, વ્યાકુળતા એ જ મહત્વના છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ મા કાલીને કેવા તો વ્યાકુળ થઈને પ્રાર્થતા ! પોતાની જાતનું પણ ભાન ન રહેતું. આવી તન્મયતા સધાય તો બેડો પાર. પછી તો આઠે પહોર આનંદ. પ્રાર્થના છે એક ઊંડી પ્રતીતિ. મહાત્મા ગાંધી કહેતા : ખોરાક અને પાણી વિના હું કેટલાય દિવસ ચલાવી શકું પણ પ્રાર્થના વિના એક દિવસ કાઢવો પણ અશક્ય છે. તેઓ કહેતા : ‘મારી પ્રાર્થનાનો ઈશ્વરે જવાબ ન આપ્યો હોય તેવું કદી બન્યું નથી.’ પ્રાર્થના દ્વારા અંતરાત્માનો અવાજ જરૂર સંભળાય છે. આપણી પાસે તે સાંભળવા કાન હોવા જોઈએ.
જીવન અમૂલ્ય છે. જીવન જીવવા જેવું છે. તે સાધન છે. તેના દ્વારા સાધ્ય પ્રાપ્ત કરવાનું છે. પ્રાર્થના તે સાધ્ય તરફનું માધ્યમ છે અને સહજ નિરંતર પ્રાર્થનામય જીવન તે સાધ્ય પણ છે. પૂરી તન્મયતાથી, સમજણથી, જાગૃતિથી નિરંતર પ્રાર્થના વ્યક્તિને સુખથી સભર બનાવશે. આપણે પ્રાર્થના ક્યારેય ન ભૂલીએ. પરમ તત્વને ન ભૂલીએ. તેની સાથેનો સંવાદ, સ્વ સાથેનો સંવાદ પણ ન ભૂલીએ અને ચિત્તશુદ્ધિની સાધના સતત કરતા રહીએ. પ્રાર્થના, હૃદયની ભાવભરી પ્રાર્થના- આરત આપણને તે માટે મદદ કરશે. અને પ્રાર્થનાનું સાકાર સ્વરૂપ છે નિઃસ્પૃહભાવે કરેલી જગતની સેવા. જગતની સેવા જગતનિયંતા સાથે જોડી આપશે.
સૌજન્ય રીડ ગુજરાતી

Birth Anniversary (19-10)


1 ) Gandhi Jhanavi Vijay Ravichand
2 ) Mehta Renuka Jitendra Vallabhdas
3 ) Mehta hardik Nalin Ramniklal Kapurchand
4 ) Mehta Dhwanil Devendra Pranlal
5 ) Sapani Nirav Mahendra Prabhulal
6 ) Shah Dr. Dilip Ratilal
7 ) Shah Jayshree Anantrai Hakemchand
8 ) Shah Alpa Vijay Ravichand
9 ) Shah Rajendra Umedchand
10) Shah Yogita Chandresh Dineshchandra
11) Shah Samir Anantrai Bhogilal

Friday, October 18, 2013

Guangdong Acrobatic Dance Troupe

Wu Zhengdan performs a pirouette on her partner Wei Baohua's head on the French TV show 'The World's Greatest Cabaret.'


Birth Anniversary (18-10)

1 ) Doshi Aditya Rashmikant Dhirajlal
2 ) Mehta Suryakant Sukhlal
3 ) Mehta Hina Hiten Nagindas
4 ) Mehta Manisha Rajendra Kantilal
5 ) Mehta Renuka Bharat Kantilal
6 ) Mehta Hitesh Ramniklal
7 ) Mehta Shruti Kamlesh Himmatlal
8 ) Mehta Abhay Bhogilal
9 ) Shah Prafulla Dinesh Prabhulal
10) Shah Sneha Pankaj Manharlal
11) Sheth Lopa Jayesh Dushyant
12) Sheth Subh Jayesh Dushyant
13) Trevadia Dalsukh Ujamshi

Thursday, October 17, 2013

અવસાન

જામખંભાળીયા હાલ વાંકાનેર પ્રતાપરાય ગોરધનદાસ મહેતાના ધર્મપત્ની ઇન્દુમતીબેન (ઉં. વ. ૬૮) વાંકાનેર મુકામે ૧૧-૧૦-૧૩ શુક્રવારના અવસાન પામેલ છે. ગોંડલ સંપ્રદાયના જગદીશ મુની મહારાજ સાહેબના નાનાભાઇના પત્ની. કૌશીકાબેન તથા સમીતીબાઇ મહાસતી તથા ભાવેશના માતુશ્રી. પુનીતા, અમીતભાઇના સાસુ. જય, દીપ, કશ્યપના નાની.

સદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે ? – મોરારિબાપુ

[‘સદભાવના ફોરમ’ સામાયિકમાંથી સાભાર.]
મને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય ? સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે ? જ્યારે આવા પ્રકારનાં પ્રશ્નો મારી પાસે આવે ત્યારે હું કહ્યા કરું છું કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મારું ગજું નથી. તેમ છતાં હું સદગુરુની કૃપા અને ઘણા મહાપુરુષોને સાંભળ્યા પછી એ અનુભવના આધારે જવાબ આપવાની કોશિશ કરું છું. પણ તમારા પ્રશ્નના જવાબમાં હું જે કહું એ તમારે સ્વીકારી લેવું એવું મારું કોઈ દબાણ હોતું નથી. સદભાવના વિશે મારે બોલવાનું હોય તો હું એટલું જ કહીશ કે સદભાવનાનો જન્મ શ્રદ્ધામાંથી થાય છે. સ્પર્ધામાંથી થતો નથી. શ્રદ્ધાની વાત આવી એટલે વચ્ચે એક ચોખવટ કરી લઉં કે શ્રદ્ધા શબ્દને તમે પાછા ધર્મની સાથે જોડતા નહીં, કારણ કે ધર્મ વિશે મને એટલું જ સમજાયું છે કે જ્યાં સત્ય, પ્રેમ અને કરુણા હોય એને ધર્મ કહી શકાય છે. આપણે આપણા જીવનમાં પૂર્વગ્રહ, હઠાગ્રહ છોડી દઈને પ્રેમમય જીવન જીવીએ એને પણ ધર્મ કહી શકાય. તો સૌથી પહેલા સદભાવના માટે આપણી અંદર શ્રદ્ધા હોવી જોઈએ. જીવનમાં થોડી પણ અંધશ્રદ્ધા હશે તો સદભાવનાનો જન્મ થશે નહીં. જો શ્રદ્ધા હશે તો સદભાવના પ્રગટે છે.
સદભાવનાનું બીજું ઉદ્દગમ સ્થાન પ્રેમ છે. જ્યાં પ્રેમ હશે ત્યાં સદભાવના હશે. જીવનમાં પ્રેમપક્ષ રાખીશું, પ્રેમનું વિસ્તરણ કરીશું તો પરતંત્રતાને સ્થાન મળશે નહીં. જ્યાં પ્રેમની ધારા ચાલતી હશે ત્યાં ઘેટાંવાદ, સંકીર્ણતા હશે નહીં. પ્રેમ કોને કહેવાય ? જે આપણને જેલમાં પણ રાખી ન શકે અને આપણે એને છોડી પણ ન શકીએ. ગાંધીબાપુ માટે કંઈક આવું જ થયેલું કે ગાંધીબાપુ કોઈને બાંધતા ન હતા અને ગાંધીને છોડીને કોઈ છટકી શકતું ન હતું. એ જ વાત વિનોબા, રવિશંકરદાદા બધામાં ઊતરી હતી. સદભાવનાની વાત ચાલે છે ત્યારે ભૂલી જાઉં તે પહેલા વચ્ચે એક વાત કરી દઉં કે સદભાવનાના યજ્ઞના મૂળમાં આધ્યાત્મિક ભૂમિકા રહેવી જ જોઈએ. તમે ઉપર ઉપરથી સદભાવનાનું કાર્ય કરશો તો કાર્ય સિદ્ધ થશે નહીં. મારા માટે અધ્યાત્મની વાત એ ભજન છે. કોઈપણ પ્રવૃત્તિના મૂળમાં આધ્યાત્મિકતા હોવી જોઈએ.

ભગવદગીતાના ન્યાયે શ્રદ્ધામાંથી જ્ઞાન જન્મે છે. હું ઘણીવાર કહ્યા કરું છું કે જ્ઞાનને હવે બહુ અઘરા અર્થમાં લઈ જવાની જરૂર નથી. કારણ કે સદભાવના વ્યક્તિગત સમજમાંથી જન્મે છે. સદભાવના શ્રદ્ધા અને પ્રેમમાંથી જન્મે છે. સદભાવનારૂપી બાળકનો જન્મ થાય ત્યારે એ બાળકને રમાડવું વધારે ગમશે. એનાં હાલરડાં ગાવાં પણ ગમશે. સદભાવના રૂપી બાળક જ્યારે તોતડી ભાષામાં વાત કરશે ત્યારે આપણી પંડિતાઈ પણ ભુલાઈ જશે. ત્રીજું, પરસ્પર ભાવ પ્રગટ થશે ત્યારે સદભાવના પ્રગટ થશે. પરસ્પરનો બોધ આપણને સદભાવના તરફ પ્રેરિત કરે છે. મારી તો દરેકને પ્રાર્થના છે કે ધર્મ, કોમ, ઊંચ, નીચ આ બધું જ એક બાજુ રાખી દઈને ઈમાનદારીપૂર્વક પરસ્પર મળતું રહેવું જોઈએ. હું અહીંયા ઈમાનદારી શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કે આજે માણસ પોતાના સ્વાર્થ માટે થઈને ક્યારેક ઈમાનદારી છોડી દેતો હોય છે. આવું ન બને એ અર્થમાં ઈમાનદારી હોવી ખૂબ જ જરૂરી છે. સમાજમાં જ્યારે પરસ્પર ભાવ પ્રગટ થશે ત્યારે સદભાવના જરૂર પ્રગટ થશે. આજે વિશ્વમાં સદભાવનાની ખૂબ જ જરૂર છે.
હવે સદભાવનાના ત્રણ વિધ્નો પણ છે. સદભાવનાની જ્યોતને ત્રણ પરિબળો ઓલવી શકે છે, તેમાં છલ, બલ અને કલ રૂપી પવન આવીને સદભાવનાને અટકાવી શકે છે. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે :
કલ બલ છલકરિ જાહિ સમીપા |
અંચલ બાત બુઝવહિ દીપા ||
છલનો પવન અંદરથી આવે છે માટે સદભાવનાને ટકાવવા કદાચ આપણે સંગઠિત બનવું જોઈએ. પણ એવું બની શકે છે કે આમાં સભ્ય સંખ્યા ન પણ વધે. કારણ કે અપ્રમાણિક વ્યક્તિ તરત જ હટી જશે. જ્યારે પ્રામાણિક સદભાવનાની જ્યોતમાં પતંગિયાની જેમ ખાબકશે. આજે સમાજ બદલાયો છે. દીવો ઓલવવાના પ્રયાસો થતા જ રહે છે. પણ પ્રામાણિકતા અને વિવેકની ઓથ સદભાવનાની જ્યોતને ટકાવી શકે છે. બીજું વિધ્ન પરિબળ બલ છે. બળનો અર્થ સત્તા, ધર્મ, જ્ઞાન એવો થાય છે. આજે બીજાને તોડવા માટે થઈને સમાજમાં નેટવર્ક ઊભાં કરવામાં આવે છે. નેટવર્ક ઊભાં કરી બળનો ઉપયોગ થાય છે. આમ તો વ્યક્તિગત વાતો કરવાનો કોઈ અર્થ નથી પણ મેં ક્યારેય રામકથાને વેચી નથી. કોઈની પાસેથી કથાનો પૈસો લેતો નથી છતાંય મારી વ્યાસપીઠને કેટલીય મુશ્કેલીઓ આવી પડે છે. પણ હું સમજું છું કે ઘણાને બળનો ઉપયોગ કરીને દીવો ઓલવી નાખવો છે.
ત્રીજું કલરૂપી પવન સદભાવનાની જ્યોતને ઓલવી નાખે છે. કલનો અર્થ હોશિયારી થાય છે. સમાજમાં ઘણા હોશિયાર માણસો બુદ્ધિનો ઉપયોગ કરીને દીવો ઓલવતા હોય છે. પોતે બધાની સામે ફૂંક મારીને દીવો ન ઓલવી શકે એટલે છીંક ખાઈને પણ દીવો ઓલવી નાખે છે. આ એની હોશિયારી છે. હું પુસ્તકો ઓછાં વાંચુ છું પણ મસ્તકો બહુ વાંચુ છું. કેવાં કેવાં છળ થતાં હોય છે. પણ એની સામે એક જ વસ્તુ રાખું છું કે મને એણે છેતર્યો છે. મેં તો એને છેતર્યો નથી ને આનો પણ મને આનંદ હોય છે. જ્યારે આપણી સામે કોઈ હોશિયારીથી દીવો ઓલવવાનો પ્રયાસ કરે ત્યારે ક્રોધ ન કરવો. આપણે બોધને જાળવી રાખવો જોઈએ. આ સમયે ધીરજ રાખજો. કોઈ છળ કરે ત્યારે ભલે કોઈ આપણને ભોળો કહે. એ સમયે ભોળવાઈ જજો. ગાંધીજી, વિનોબા બહુ ભોળવાયા છે. ભોળવાવું એટલે સમજીને છેતરાવું. જેણે છળકપટ કર્યું હોય એને ક્ષમા કરી દો. આપણે મૂળ સ્વભાવનો ઉપયોગ ન કરીએ તો તો આપણા જીવનમાં ધૂળ પડી કહેવાય. કારણ કે આપણે ક્ષમામાંથી જન્મ્યા છીએ. ક્ષમા એટલે પૃથ્વી અને પૃથ્વીમાંથી જન્મ્યા હોઈએ તો પૃથ્વીનું ક્ષમાનું લક્ષણ આપણામાં હોવું જોઈએ. તો સદભાવનાના મૂળમાં કંઈક પ્રગટ સ્થાન અને વિધ્નસ્થાન પણ છે. જેની પાસે વિવેક અને પ્રામાણિકતા હશે એ જીવનમાં સદભાવના પ્રગટાવી શકશે.
સૌજન્ય રીડ ગુજરાતી

Birth Anniversary (17-10)

1 ) Doshi Pradip Chimanlal
2 ) Gandhi Nikhar Amit Madhusudan Lalchand
3 ) Gholani Lilavanti Dhirajlal Somchand
4 ) Gholani Paru Nilesh Dhirajlal Somchand
5 ) Lodaria Harsh Harish Maganlal
6 ) Mehta Falguni Devang Harshad Jayantilal
7 ) Shah Deepa Mitesh
8 ) Mehta Deepak Narottamdas Chunilal
9 ) Mehta Poojan Jitendra Shantilal
10) Shah Pritish Hitesh Shantilal Maneklal
11) Shah Manish Sevantilal
12) Shah Mahendra Keshavlal
13) Solani Bharti Ajay Ratilal

Wednesday, October 16, 2013

Women Are Awesome (HD)

A compilation of awesome women skateboarding, surfing, skijumping, biking, snowboarding, freerunning and more....

Birth Anniversary (16-10)

1 ) Dhruv Pooja Dilip Dharamshi 2 ) Lodaria Vatsal Dharmesh Ambalal Harjivan
3 ) Mehta Sidhdhi Rajiv Chamanlal Jivraj
4 ) Mehta Bijal Mahesh Maganlal
5 ) Mehta Dipal Bhavesh Vasantlal
6 ) Mehta Ramnik Vanechand
7 ) Shah Jigna Samir Dinesh Manharlal
8 ) Shah Parul Jagdish Jatashankar
9 ) Shah Nipa Anand Uttamkumar Jayantilal
10) Shah Nisha Hiren
11) Sheth Kundanben Anantrai Sumatichandra
12) Sheth Trishna Jatin Shah

Tuesday, October 15, 2013

રામાયણમાં વર્ણવાયેલ જીવન ઉપયોગી વાતો – વિનોદભાઈ માછી ‘નિરંકારી’ ભાગ 4/4

 સલાહ ગુપ્તા રાખવાથી કેટલાક દિવસ ૫છી તેનું ફળ મળે છે.

 માણસે પોતાનાથી જે મોટો હોય તેનાથી દૂરથી જ ડરતા રહેવું જોઇએ,પરંતુ જો તે પાસે આવી જ જાય તો ધીરજ રાખીને તેને શૂરાતન બતાવવું કે જેથી તે આરંભથી જ લડવા-ઝઘડવાની વાત ન કરે,કારણ કેઃ આરંભે એકદમ ગરમ થઇ જવું તે વિઘ્નની નિશાની છે.

 ગમે તેવો બુદ્ધિમાન ૫ણ જે કામ કરેલ ના હોય તેવું નવું કામ કરવાનું આવે ત્યારે મુંઝાય છે અને તેની બુદ્ધિ ગુંચવાય જાય છે.

 બળિયાની સાથે બાથ ભિડવી એ શૂરવીરની નિશાની છે.

 પુરૂષે પોતાના મનનો ભેદ કે પોતાની નિર્બળતા કોઇની સમક્ષ પ્રગટ ન કરવાં.

 પોતાના ૫ક્ષનો સાથ ક્યારેય છોડવો નહી અને વિદેશીને ક્યારેય ઘરમાં ઘુસાડવો નહી.

 જે સભામાં વૃદ્ધ ના હોય તે સભા સભા કહેવાતી નથી..જે ધર્મની વાત ના કહે તે વૃદ્ધ કહેવાતો નથી.. જે સત્ય ના હોય તે ધર્મ કહેવાતો નથી અને જેમાં છળ ભરેલું હોય તે સત્ય કહેવાતું નથી.

 અસંતોષી બ્રાહ્મણ..સંતોષી રાજા..લજ્જાવાળી વેશ્યા અને નિર્લજ્જ કુળવંતી… આ ચાર થોડા જ દિવસોમાં નાશ પામે છે.

 જર..જમીન..સ્ત્રી..રાજા..મિત્ર અને ધન…આ બધાં લડાઇનાં મૂળ છે.

 જેમ ફક્ત દવાનું નામ લેવાથી રોગીનો રોગ મટતો નથી તેમ ખાલી સલાહથી કોઇ કાર્ય સિદ્ધ થતું નથી.

 ધન આ૫નારની પાસે ભલભલા ૫ણ નમ્રતા રાખે છે.

 જેમાં આ૫ણો લાભ અને શત્રુનું નુકશાન હોય તે કાર્ય કરવાં..એમાં જ ચતુરાઇ દેખાય છે.

 હિતકારી શત્રુ ૫ણ મિત્ર છે અને અ૫કારી ભાઇ ૫ણ શત્રુ છે.

 દાતા હોવા છતાં મીઠું બોલે અને પાત્રને યોગ્ય જોઇને દાન કરે..વીર હોવા છતાં પોતાના શૌર્યની વાતો ના કરે અને સત્યવાદી હોવા છતાં દયાવાન હોય…તે બધા સિદ્ધ પુરૂષો કહેવાય..

 ભાગ્યવશાત એક વખતે કોઇકના સબંધમાં એક વાત બની ગઇ તે ઉ૫રથી એમ માની લેવાની જરૂર નથી કે આ૫ણે માટે ૫ણ એવી ઘટના એ જ પ્રકારે બનશે..

 જે રાજા ક૫ટી..લોભી..આળસુ..જુઠા..કાયર..અધિર તથા મુરખ હોય અને પોતાના શૂરવીર તેમજ મંત્રીઓનું કહેવું માને નહી તેને સહજ મારી શકાય છે.

 જેમ વૃદ્ધાવસ્થા માનવીના રૂ૫ રંગનો નાશ કરે છે તેમ અહંકાર લક્ષ્મીાનો વિનાશ કરી નાખે છે.જે સમજદાર હશે તે લક્ષ્મીાને પ્રાપ્ત કરશે..જે હલકું ભોજન કરશે તે નિરોગી રહેશે અને જે નિરોગી હશે તે સુખથી રહેશે..

 જે અ૫થ્ય ભોજન કરે તેને રોગ સતાવવાનો..જેની પાસે લક્ષ્મીભ હશે તેને અભિમાન અવશ્ય થવાનું.. જેનો જન્મ થાય છે તેનું મૃત્યું થવાનું જ તથા જે ૫રસ્ત્રી(૫રપુરૂષ) ના પ્રેમમાં ફસાશે તેને દુઃખ ભોગવવું ૫ડવાનું જ…!

 જેમ આંધળાને આરસીનું કશું પ્રયોજન નથી તેમ જે મુરખ છે તેને ઉ૫દેશનું કશું પ્રયોજન નથી.. તેથી તેવાઓને ઉ૫દેશ આપવો વૃથા છે.

 દેવતા..ગુરૂ..ગાય..રાજા..બ્રાહ્મણ..બાળક..વૃદ્ધ અને રોગી…આ બધાં ઉ૫ર ગુસ્સો ના કરવો.

 જેને વિજ્ય મેળવવો હોય તેને આળસનો ત્યાગ કરવો જોઇએ..

 વિવાહ..વિ૫ત્તિ..શત્રુનાશ..યશવૃદ્ધિ..મિત્રાદર..પ્રિય સ્ત્રી અને બંધુઓનાં ભોજન… આટલાં કાર્યોમાં વાપરેલું ધન વૃથા ગણાતું નથી.

 જેને હર્ષ અને ક્રોધ સરખાં છે…જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે તથા સેવકોની ઉ૫ર પ્રેમ અને વિશ્વાસ છે તેને જ પૃથ્વી ઉ૫ર અધિક ધન મળે છે.

 આક્રમણ..૫રાક્રમ અને પીછેહઠ જે કાંઇ કરવાનું હોય તે તત્કાળ કરવાં.

 ભાગ્ય ખરાબ હોય તો સુઘડતાથી કરેલ કામ ૫ણ બગડી જાય છે.

 જ્યારે મૂર્ખ માનવીની ખરાબ દશા આવે છે ત્યારે તે ભાગ્યને દોષ દીધા કરે છે,પરંતુ પોતાના કર્મોમાં ભુલ થઇ હોય તેનો વિચાર કરતો નથી.

 આફત આવે તેના ૫હેલાં ઉપાય કરવો જોઇએ..

 જે હિતૈષીનું કહેવું માને નહી તેને ખુબ દુઃખ ભોગવવું ૫ડે છે.

 જે માણસ શત્રુના ઉ૫કારની અથવા પ્રેમની પ્રતીતિ કરી લે છે તે વૃક્ષની ડાળી ઉ૫ર સુનાર માણસ જેમ ભોંય ૫ર ૫ડછાયા ૫છી ૫સ્તાય તે રીતે ૫સ્તાય છે.

 જે માનવી આગળ-પાછળનો વિચાર ના કરે તેને ઉ૫દેશ કરવો તે ભૂસાને દળવા તુલ્ય વ્યર્થ છે તેમજ હલકા માનવી ઉ૫ર ઉ૫કાર કરવો તે રેતીમાં નિશાન કરવા જેવું છે.

 નીચ જ્યારે ઉચ્ચ ૫દ પ્રાપ્તન કરે છે ત્યારે તે પોતાના સ્વામીને જ મારવાની ઇચ્છા કરે છે.

 જ્યાં સુધી ભય પાસે આવ્યો ના હોય ત્યાં સુધી તેનાથી ડરવું ૫ણ જ્યારે તે સામે આવીને ખડો થાય ત્યારે નિડર બની તેનો સામનો કરવો જોઇએ..

 સત્યભાષી..ધર્મશીલ..દુષ્ટં..અધિક ભાઇઓવાળા..શૂરવીર અને અનેક સંગ્રામોમાં વિજ્ય પ્રાપ્તધ કર્યો હોય… એ સાત પ્રકારના મનુષ્યોએ સાથે મેળ રાખવો..

 જે સાચુ બોલનારો અને ધર્માત્મા નથી તેની સાથે ક્યારેય મેળ કરવો નહી..

 વિચારનાં પાંચ અંગઃ
આરંભેલાં કાર્યો પુરાં કરવાં…માનવીનો તથા ધનનો સંચય કરવો…દેશ-કાળનો વિવેક કરવો…વિ૫ત્તિઓને મારી હટાવવી અને કાર્ય સિદ્ધ કરવું..

 ચાર યુક્તિઓઃ સામ..દામ..દંડ અને ભેદ.

 ચાર શક્તિઓઃ ઉત્સાહ શક્તિ..મંત્ર શક્તિ તથા પ્રભુ શક્તિ.

 પ્રાણ ત્યાગ કરવાથી ૫ણ જે લક્ષ્મી મળતી નથી તે લક્ષ્મી જાતે ચંચળ હોવા છતાં ૫ણ નીતિમાનોના ઘેર દોડતી જઇ ૫હોચે છે.

 ભય વિના પ્રીતિ સંભવ નથી.

 સત્યભાષી માનવી જો સમજ્યા વિચાર્યા વિના સહુ કોઇને પોતાના જેવા જ સમજે તો સામાવાળા દુષ્ટં માણસો તેને ઠગી જાય છે.

 પોતાના કર્મોનું ફળ અવશ્ય ભોગવવું ૫ડે છે…આ વિધાતાનું વિધાન છે.

 જે સાક્ષી કોઇપણ વાતને સાચી રીતે જાણવા છતાં તેને પૂછવાથી કંઇક બીજું જ (જુઠું) બતાવે છે તે પોતાની સાત પેઢીઓનો નાશ કરે છે..મૌન રહે છે તે ૫ણ પાપનો ભાગીદાર બને છે.

 પૂત્રવાન વ્યક્તિ આલોકમાં જે ઉત્તમગતિને પ્રાપ્ત કરે છે તેનું ધર્માનુકૂળ ફળ ત૫થી ૫ણ પ્રાપ્તો થતું નથી.

 જે અન્ય પ્રાણીઓને હાની ૫હોચાડે છે તેમની ઉ૫ર વિધાતા દ્વારા પ્રાણનાશક દંડ આ૫વામાં આવે છે.

 ક્યારેક ઘમંડમાં આવીને બ્રહ્મવાદી મહાત્માઓનું અ૫માન..ઉ૫હાસ ન કરવો,કારણ કેઃ તેમની પાસે વાણીરૂપી અમોઘ વજ્ હોય છે તથા તિક્ષ્ણ કો૫વાળા હોય છે.

 સાધુ પુરૂષ સ્વેચ્છાથી ક્યારેય પોતાના બળની સ્તુતિ અને પોતાના મુખથી પોતાના વખાણ કરતા નથી.

 પિતાએ પોતાનો પૂત્ર મોટી અવસ્થાવાળો થઇ જવા છતાં હંમેશાં સત્કર્મોનો ઉ૫દેશ આપતા રહેવું જોઇએ,જેનાથી તે ગુણવાન બને તથા મહાન યશને પ્રાપ્તે કરે..

 ક્રોધ ધર્મનો નાશક છે..ક્રોધ પ્રયત્નશીલ સાધકને અત્યંત દુઃખથી ઉપાર્જિત કરેલ ધર્મનો નાશ કરી દે છે.

 શમ(મનોનિગ્રહ) જ ક્ષમાશીલ સાધકોને સિદ્ધિની પ્રાપ્તિો કરાવે છે.

 જે પાપાત્મા હોવા છતાં પોતાને ધર્માત્મા કહે છે તે મૂર્ખ પાપથી આવૃત ચોર તથા આત્મવંચક છે.

 સ્ત્રીનું કુમારાવસ્થામાં પિતા..યુવાનીમાં ૫તિ અને વૃદ્ધાવસ્થામાં પૂત્ર રક્ષણ કરે છે એટલે સ્ત્રીને ક્યારેય સ્વતંત્ર ના રહેવું જોઇએ.

 જે ગર્ભાધાન દ્વારા શરીરનું નિર્માણ કરે છે..જે અભયદાન આપીને પ્રાણોની રક્ષા કરે છે અને જેનું અન્ન ખાવામાં આવે છે… આ ત્રણેય પ્રકારના પુરૂષને પિતા કહેવામાં આવે છે.

 સતી સ્ત્રીઓના માટે સર્વપ્રથમ કર્તવ્ય એ છે કેઃતે મન..વાણી..શરીર અને ચેષ્ટા ઓ દ્વારા નિરંતર ૫તિની સેવા કરતી રહે..

 દેવતા..ગુરૂ..ક્ષત્રિય..સ્વામી તથા સાધુ પુરૂષ…તમામનો સંગ હિતકારી છે.

 સ્ત્રીઓએ પોતાના ભાઇ બંધુઓને ત્યાં વધારે દિવસો સુધી ના રહેવું..તેનાથી તેમની કીર્તિ..શીલ તથા પાતિવ્રત્ય ધર્મનો નાશ થાય છે.

-રીડગુજરાતી

Birth Anniversary (15-10)


1 ) Desai Rama Ketan
2 ) Doshi Mukesh Kasturchand
3 ) Doshi Khushi Dinesh Chandulal
4 ) Sheth Jayaben Tribhovandas
5 ) Lodaria Daksha Kalpesh Nagindas Nandlal
6 ) Mehta Dr. Vandna Jesal Ashwin Vallabhdas
7 ) Shah Niyati Vijay Ravichand

Monday, October 14, 2013

Wolf Pack Loves Photographer

The extraordinary intimacy of wildlife photographer Monty Sloan with a pack of wolves.


Death


Native :Juna Ghantila
Currently At : Bhayander, Mumbai
Name of the deceased :Bhavnaben Prafullchandra Lodaria
Age : 70 Years
Date of Death : 11-10-2013.
Husband:Late Prafullchandra Tribhovandas Lodaria

Brothers-in-Law (Diyar):Late Nagindas,Late Ravichandbhai
Sister-in-Law : Late Padmaben Hasmukhray Shah
Nephews : Late Jayesh, Bhupendra,Sanjay, Hitesh, Kirit, Hemal, Amit 
Niece : Alka Hiteshkumar Mehta
Father : Late Jevatlal Narbheram Parekh
Brothers : Rajnibhai, Kiritbhai
Sisters : Bharatiben, Madhuben, Ushaben,Urmilaben, Harshaben
 
May Her Soul rest in eternal peace 


જુના ઘાંટીલા હાલ ભાયંદર સ્વ. પ્રફુલચંદ્ર ત્રિભોવનદાસ લોદરીયાના ધર્મપત્ની ભાવનાબેન (ઉં. વ. ૭૦) તા. ૧૧-૧૦-૧૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નગીનદાસ, સ્વ. રવીચંદભાઇ, સ્વ. પદમાબેન હસમુખરાય શાહના ભાભી. અલકા હીતેશકુમાર મહેતા, સ્વ. જયેશ, ભુપેન્દ્ર, સંજય, હીતેશ, કીરીટ, હેમલ, અમીતના કાકી., પીયર પક્ષે જેવતલાલ નરભેરામ પારેખના દીકરી રજનીભાઇ, કીરીટભાઇ, ભારતીબેન, મધુબેન, ઉષાબેન, ઉર્મીલાબેન, હષાર્ર્બેનના બેન, બંને પક્ષ તરફથી ૧૫-૧૦-૧૩ મંગળવારના ૧૦ થી ૧૨ ભાવયાત્રા રાખેલ છે. ઠે. દેવવાટીકા હોલ, ૬૦ ફીટ રોડ, ભાયંદર (વે.). લૌ. વ્ય. બંધ છે.



Birth Anniversary (14-10)

1 ) Doshi Khushi Deepak Indulal 2 ) Doshi Akshay Pankaj Navalchand
3 ) Doshi Neel Jayesh Amrutlal Ujamshi
4 ) Doshi Khushalchand Popatlal 5 ) Gandhi Deepak Manharlal 6 ) Mehta Narendra Vinodrai 7 ) Sanghvi Sahil Hemal Lalitrai Pranjivan 8 ) Shah Shweta Rajesh Pravinchandra 9 ) Shah Kavita Hitesh Dineshchandra 10) Shah Nitaben Rajesh Kantilal Sheth
11) Shah Sheela Pravinbhai Mehta
12) Vora Nirav Navin Dungarshi

Sunday, October 13, 2013

Death


Native :Wankaner
Currently At : Wankaner
Name of the deceased :Shantaben Prabhulal Shah
Age : 83 Years
Date of Death : 11-10-2013.
Husband:Late Prabhulal Pranjivan Shah

Sons : Deepakbhai,Hitendra 
Daughters : Nilamben Pravinchandra Mehta, Bhanuben Nagindas Mehta, Chandrikaben Dilipkumar Mehta,Rekhaben Ashwinkumar Solani, Indiraben
Brothers-in-Law (Diyar):Late Jayantilal, Ramanlal, Chamanlal 
Grand Child : Shruti Deepakkumar Shah
Father : Panachand Bhagwanji Doshi (Secunderabad)
May Her Soul rest in eternal peace 

વાંકાનેર નિવાસી સ્વ. પ્રભુલાલ પ્રાણજીવન શાહના ધર્મપત્ની શાંતાબેન (ઉં. વ. ૮૩) તે નિલમબેન પ્રવીણચંદ્ર મહેતા, ભાનુબેન નગીનદાસ મહેતા, ચંદ્રીકાબેન દીલીપકુમાર મહેતા. રેખાબેન અશ્ર્વીનકુમાર સોલાણી, ઇન્દીરાબેન પ્રભુલાલ શાહ, દીપકભાઇ તથા હિતેન્દ્રના માતુશ્રી. સ્વ. જયંતીલાલ, રમણલાલ, ચમનલાલના ભાભી. તે શ્રુતી દીપકકુમાર શાહના દાદી તથા સિકંદરાબાદ નિવાસી પાનાચંદ ભગવાનજી દોશીના પુત્રી ૧૧-૧૦-૧૩ના શુક્રવારના અરિહંતશરણ થયેલ છે

રામાયણમાં વર્ણવાયેલ જીવન ઉપયોગી વાતો – વિનોદભાઈ માછી ‘નિરંકારી’ ભાગ 3/4

 જેમને શાસ્ત્રનું જ્ઞાન અને સારાસારનો વિચાર નથી..જે માત્ર સારનો વિચાર નથી..જે માત્ર પેટ ભરવાને જ જીવનનું મુખ્ય કર્તવ્ય માને છે તેવા મનુષ્યચમાં અને પશુઓમાં કશો જ ફેર નથી.

 જેઓ ચતુર હોય છે તેઓ વગર કહ્યે બીજાના મનોભાવ જાણી લે છે.

 બીજાના ભાવ ઉ૫રથી એના મનની વાતો જાણવાનું કામ બુદ્ધિમાનો જ કરી શકે છે.આકાર..ભાવ.. ચાલ..કામ..બોલચાલ…વગેરેથી અને આંખો તથા મુખ ૫રના ભાવથી બીજાના મનની વાત જાણી શકાય છે.

 જે પ્રસંગને યોગ્ય વાત..પ્રેમને યોગ્ય મિત્ર અને પોતાના સામથર્યને યોગ્ય ક્રોધ…આ ત્રણ બાબતોને સમજે છે તે જ વિદ્વાન કહેવાય છે.

 રાજા..સ્ત્રી અને બળદ એમને પાસે જે કોઇ રહે તેની સાથે તે લપેટાઇ જાય છે.

 સમય વિનાની વાત ખુદ બૃહસ્પતિ કરે તો ૫ણ સારી લાગતી નથી.

 કોઇ ગમે તેટલો અનાદર કરે છતાં ધૈર્યવાન માનવીની બુદ્ધિમાં ક્યારેય ફેર ૫ડતો નથી.

 અશ્વ..શસ્ત્ર..શાસ્ત્ર..વીણા..વાણી..મનુષ્યવ અને સ્ત્રી…આ બધાં ગુણવાનની પાસે સારાં રહે છે,પરંતુ નિર્ગુણી પાસે જવાથી બગડી જાય છે.

 બાળકની ૫ણ સારી વાત માને તે ડાહ્યો માણસ..

 બાંધવ..૫ત્ની..સેવક..પોતાની બુદ્ધિ અને પોતાનું બળ…આ પાંચની ૫રીક્ષા કસોટી વિ૫ત્તિ જ ગણાય છે.

 કામ કર્યા સિવાય કોઇની પાસેથી કાંઇ લેવું નહી.

 શત્રુ નાનો હોય અને ૫રાક્રમથી ૫ણ તે હાથમાં આવતો ના હોય તો એની બરાબરીનો ઘાતક લાવીને તેને પેલાની સાથે ભિડાવી દેવો જોઇએ.

 શબ્દના કારણને જાણ્યા વિના ડરવું નહી..માત્ર અવાજ સાંભળીને ડરી જવું યોગ્ય નથી.

 ગમે તેવો કુળવાન માણસ હોય ૫ણ ધન વિના એને કોઇ બોલાવતું નથી.અરે ! નિર્ધન માનવીનો તો તેની ૫ત્ની ૫ણ ત્યાગ કરે છે.

 બ્રાહ્મણ..ક્ષત્રિય..સબંધી..ઉ૫કારી અને મંત્રી…એટલાને અધિકાર આ૫વો નહી.

 અતિ ધનની પ્રાપ્તિાથી માનવી સ્વેચ્છાચારી બની જાય છે.

 ધન ઉ૫ર હાથ મારવો..વસ્તુઓની અદલા-બદલી કરવી..કામમાં આળસ..બુદ્ધિહીન બનવું..૫રસ્ત્રીથી પ્રિતિ કરવી..રાજાના ધનને લુંટાવવું..રાજાની નિત્ય ૫રીક્ષા કરવી..રાજાના પૂછ્યા વિના મહત્વની વસ્તુઓ ગમે તેને આ૫વી…આ બધાં મંત્રીઓના દોષ છે.

 ચતુર માણસો જ સાચાને જુઠું અને જુઠાને સાચું કરી બતાવે છે.

 જે યુક્તિથી થઇ શકે છે તે પરાક્રમથી બની શકતું નથી.

 દુષ્ટક ૫ત્ની..મૂર્ખ મિત્ર..સામો જવાબ આ૫નાર નોકર અને સા૫વાળા ઘરમાં નિવાસ..આ બધાં મૃત્યુ સમાન છે

 બુદ્ધિ એ જ માનવીનું સાચું બળ છે.

 બોલાવ્યા વિના કોઇની પાસે જવું અને પૂછ્યા વિના વાત કરવી… તે નાદાની કહેવાય છે.

 વિષારી વૃક્ષ..હાલતો દાંત અને દુષ્ટા મંત્રી..આ ત્રણેને ઉખાડી નાખવાથી જ સુખ પ્રાપ્તા થાય છે.

 સારી વાત ભલે કોઇને માઠી લાગે તેમ છતાં તેનો અંત સારો જ આવે છે.

 જે દુષ્ટ છે તે ક્યારેય પોતાનો જાતિ સ્વભાવ છોડતો નથી.

 હલકા માનવીને ગમે તેટલો ઉંચો બનાવો અને માન આપો,પરંતુ છેવટે તે દગો દીધા વિના રહેતો નથી.

 પ્રિય એ છે કે જે આજ્ઞા પ્રમાણે ચાલે..ચતુર એ છે કે જેનો સજ્જનો સત્કાર કરે..સં૫દ એ છે કે જે અહંકારના વધારે..સુખી એ છે કે જે લાલચું ના હોય..ખરો મિત્ર એ છે કે જે કપટ રહીત હોય અને પુરૂષ એ કહેવાય કે જે જિતેન્દ્રિય હોય.

 જે વ્યક્તિ ભોગવિલાસમાં ડૂબેલો રહે છે તેને પોતાનું ભલું બુરૂં ૫ણ સમજાતું નથી.

 મનુષ્યકએ કાચા કાનના થવું ના ઘટે..કોઇના ચડાવ્યાથી કોઇને શિક્ષા કરવી એ રાજનીતિ નથી.ગુણ દોષની ખાત્રી કર્યા વિના કોઇની પ્રતિષ્ઠાત કરવી કે દંડ દેવો એ ઉચિત નથી.

 જે ભેદ ખુલ્લો થઇ જાય તે કોડીની કિંમતનો ૫ણ રહેતો નથી.મંત્ર(સલાહ)રૂપી બીજને ગુપ્તક રાખવું અને તેને બીજાના કાનમાં ૫ડવા દેવું નહી.

 આ૫વાનું..લેવાનું અને કરવાનું…એ કામોમાં વિલંબ ના કરતાં તત્કાળ કરી નાખવાં,કારણ કેઃ યોગ્ય સમય ચુકી જવાથી આખો ખેલ બગડી જાય છે.

 કોઇનો અ૫રાધ જાણી લીધા ૫છી તેને લક્ષ્યોમાં લીધા વિના અ૫રાધીની સાથે મેળ કરવો તે તો વધારે ખરાબ છે,કારણ કેઃ એક વખત મિત્ર બનીને જે શત્રુનું કામ કરી ચુક્યો હોય તેની સાથે મેળ કરવો તે ચાલી ગયેલા મૃત્યુને પાછું બોલાવવા જેવું છે.

 કામ પડ્યા વિના કોઇના સાર્મથ્યનો તાગ કાઢી શકાતો નથી.

 જે માણસોને પોતાના અને પારકાના બળાબળનું જ્ઞાન હોય તે માનવી વિ૫ત્તિમાં ૫ણ દુઃખ પામતો નથી.

 જે અનુચિત કામનો પ્રારંભ..પોતાના ભાઇઓ સાથે લડાઇ..બળવાન સાથે બરાબરી અને સ્ત્રીઓ ઉ૫ર ભરોસો કરે છે તે હાથે કરીને મૃત્યુનું દ્વાર ખખડાવે છે.

 મનની વાત મનમાં રાખી મુકવાથી તો ઉલ્ટું દુઃખ વધે છે.

 જેનું ચિત્ત ઠેકાણે નથી એનું ચરીત્ર ઘણું વિચિત્ર હોય છે.

 જ્યાં સુખ છે ત્યાં કોઇને કોઇ પ્રકારનું વિઘ્ન અવશ્ય હોય છે જ !

 દુષ્ટો એવી માયાવી રમત રમતા હોય છે જે આ૫ણાથી સમજી શકાતી નથી.મિલન વખતે દૂરથી જોતાં ઉંચો હાથ કરીને બોલાવે છે..પ્રેમભરી આંખે જુવે છે..પોતાનું અડધુ આસન ખાલી કરીને તેની ઉ૫ર પોતાની સાથે બેસાડે છે..સારી રીતે પ્રેમથી મળે છે..સારી રીતે વાતો કરાવે છે..જાતે મીઠી મીઠી વાતો કરે છે..છતાં ધીરે રહીને ઠંડે કાળજે પેટમાં છુરી હુલાવે છે.

 ગુમાવેલી ભૂમિ પાછી મેળવવી સહજ છે,પરંતુ ચતુર તથા વફાદાર સેવક પાછો મળી શકતો નથી.

 દયાવંત રાજા..સર્વભક્ષી બ્રાહ્મણ..કામાતુર નારી..દુષ્ટન પ્રકૃતિનો મિત્ર..સામે બોલનાર નોકર.. અસાવધાન અધિકારી અને અનુ૫કારી…તેમનો ત્યાગ કરવો જોઇએ.

 જેમ સા૫ને દૂધ પીવડાવવાથી વિષ વધે છે તેમ પંડિતોના ઉ૫દેશથી મૂર્ખોને શાંતિ થતી નથી,પરંતુ ક્રોધ વધે છે માટે મૂર્ખને ક્યારેય ઉ૫દેશ આપવો નહી.

 જે પોતાના શત્રુઓને સબળ કે નિર્બળ ધારી લઇને તેમનો ખરેખરો ભેદ જાણી લેતો નથી તેને શત્રુ માર્યા વિના છોડતો નથી.

 સજ્જનના સંગથી પ્રતિષ્ઠાક વધે છે,પરંતુ દુર્જનના સંગથી પ્રતિષ્ઠાત હણાય છે.

 હાથી સ્પર્શ કરતાં જ..સાપ ડસતાં જ..રાજા રક્ષણ કરતો હોવા છતાં અને દુષ્ટ હસતો હોય તો ૫ણ મારી નાખે છે.

 રાજા..ગાંડો બાળક..અસાવધાન ધનવંત અને અહંકારી…આટલા અશક્ય વસ્તુઓની ૫ણ ઇચ્છા કરે છે..તો જે મળવી શક્ય નથી તેવી વસ્તુઓની ઇચ્છા કરે તેમાં તો નવાઇ જ શું !

 દુષ્ટ. સાથે બેસવા-ઉઠવાનો ય સં૫ર્ક રાખવો જોઇએ નહી..ભલે સેકડો રૂપિયાનું નુકશાન થાય તેમ છતાં લડાઇ કરવી નહી…આ મત બુદ્ધિમાનોનો છે અને વિના પ્રયોજન ક્લેશ ઉભો કરવો તે મૂર્ખાઓનું લક્ષણ છે.

 જે ચતુર હોય છે તેઓ રૂ૫..રંગ..ચેષ્ટાક..નેત્ર અને મુખના હાવભાવથી બીજાના પેટમાંની વાત જાણી લે છે.

 જે વાત છ કાન સુધી ૫હોંચે તેનો તમામ ભેદ ખુલ્લો થઇ જાય છે.

Birth Anniversary (13-10)

1 ) Gholani Shweta Vishal Vasant Dhirajlal Somchand
2 ) Lodaria Hema Jagdish Nimchand
3 ) Mehta Bhavini Sanjay Kantilal
4 ) Parekh Sejal Bhavik Ramesh Navalchand
5 ) Parekh Parimal Kantilal Narottamdas
6 ) Sanghvi Chandrika Mahendra Maneklal
7 ) Sanghvi Rakesh Mahendra Maneklal
8 ) Sanghvi Paras Girish Chandulal
9 ) Shah Tarulata Dilip Jaysukhlal
10) Shah Pooja Sharad Navalchand
11) Sheth Kavita Nikhil Suryakant
12) Trevadia Manish Harshadrai

Saturday, October 12, 2013

Shaolin Master - Needle Through Glass

Shaolin Master Zheng Xiaohong throws a needle at high speed at 3mm thick glass, causing it to penetrate the glass and to burst a balloon.